સંસ્કૃતમાં એક પ્રાચીન કહેવત છે: “ભાષાના મૂળમાં વિકૃતિ છે.” શબ્દોનો ઉદ્દેશ્ય મૌનનું સર્જન કરવું છે. જો શબ્દો વધુ શોર કરે છે, તો તેઓ તેમના લક્ષ્ય સુધી પહોંચ્યા નથી. મૌન એ જીવનનું સ્ત્રોત છે.
તમે જોયું હશે કે જ્યારે લોકો ગુસ્સે થાય છે, ત્યારે તેઓ મૌન થઈ જાય છે. તેઓ કાં તો મૌન રહે છે અથવા ખૂબ બૂમો પાડે છે અને પછી (બૂમો પાડ્યા પછી) તેઓ મૌન થઈ જાય છે. ઉપરાંત, જ્યારે લોકો ઉદાસ હોય છે, ત્યારે તેઓ કહે છે, “મને એકલો છોડી દો!” તેઓ ઉદાસ ચહેરો બનાવે છે અને મૌન રહે છે. તમે સરળતાથી શોધી શકો છો કે કોઈ વ્યક્તિ સાચા મૌનમાં છે કે નહીં. જો તેઓ એકદમ મૌન હોય, તો તમે જાણો છો કે કંઈક ખોટું છે.
જો તમે ઉદાસ હોવ, તો તમે મૌન થઈ જાઓ છો.
જો તમે ગુસ્સે હોવ, તો તમે મૌન થઈ જાઓ છો.
જો તમે શરમ અનુભવો છો, તો તમે મૌન થઈ જાઓ છો.
અને નિશ્ચિત પણે જો તમે જ્ઞાની હોવ, તો તમે મૌન થઈ જાઓ છો.
છતાં, જ્યારે તમને અજ્ઞાન અથવા નકામા પ્રશ્નોનો સામનો કરવો પડે છે, ત્યારે પણ તમે મૌન રહો છો! તમે બીજું શું કરી શકો છો!
જ્યારે ઈસુને પૂછવામાં આવ્યું, “શું તમે ભગવાનના પુત્ર છો? તો આવો! અમને તે સાબિત કરી બતાવો!” – તે મૌન રહ્યા. તે સૌથી બુદ્ધિશાળી કાર્ય હતું. જ્યારે તમને કોઈ એવી વસ્તુનો પુરાવો પૂછવામાં આવે છે જે સાબિતીની બહાર છે – ત્યારે ઉપાય મૌન છે.
તમે કોઈને કહો છો કે તમારા પગમાં દુખાવો છે, અને સામે વાળી વ્યક્તિ કહે કે, ” તો સાબિત કરીને બતાડો! હું તમારા પર કેવી રીતે વિશ્વાસ કરી શકું?” હવે, તમે તમારા દુખાવાને કેવી રીતે સાબિત કરી શકો છો? જ્યારે તમે પીડા જેવી સ્થૂળ સંવેદનાને સાબિત કરી શકતા નથી, ત્યારે તમે જ્ઞાન અને દિવ્યતા જેવી ઘનિષ્ઠ વસ્તુને કેવી રીતે સાબિત કરી શકો? તો, પછી જ્ઞાની લોકો મૌન થઈ જાય છે. શબ્દો જીવન પર કબજો કરી શકતા નથી – પરંતુ મૌન કરી શકે છે. આકાશ અને મૌન પર્યાયવાચી છે.
તેથી, જ્યારે શબ્દોનો કોઈ પ્રભાવ બંધ થઈ જાય છે, ત્યારે મૌન ગહન સમજણ વ્યક્ત કરે છે. અને જીવનને વાસ્તવિકતા તરફ દોરી જાય છે.
(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)
