નવી દિલ્હીઃ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં ઓઇલ લઈ જતી એક નૌકામાં આગ લાગી હતી અને એ ઊંધી વળી જતાં કમસે કમ 148 લોકોનાં મોત થયાં છે અને અનેક લાપતા થયા છે, એમ અધિકારીઓએ માહિતી આપી હતી. 
સ્થાનિક અધિકારીઓના અહેવાલ અનુસાર એક લાકડાની નૌકામાં કુલ 500 જેટલા મુસાફરો સવાર હતા,જેમાં મહિલા અને બાળકો પણ સામેલ હતા. એ દરમ્યાન આગ લાગી હતી. આ દુર્ઘટના કોંગોના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં સર્જાઈ હતી. આ દુર્ઘટના ઇક્વેટરની રાજધાની મબંડાકાની પાસે અ કોંગો નદીના સંગમ પર થઈ હતી. કોંગો વિશ્વની સૌથી ઊંડી નદી છે.
એક મહિલાએ ખાવાનું બનાવવા માટે આગ લગાડી હતી, એની ચિંગારીથી પાસે રહેલા ઓઇલમાં આગ લાગી હતી અને એનાથી ધડાકો થયો હતો, જેને કારણે નૌકા પલટી ગઈ હતી, એમ એખ અધિકારીએ જણાવ્યું હતું.કોંગોમાં બોટ દુર્ઘટના સામાન્ય વાત છે. અહીં લાકડાની બનેલી બોટો પરિવહનનું મુખ્ય સાધન મનાય છે અને અનેક વાર તેમાં ક્ષમતા કરતાં વધારે લોકોની અવર-જવર કરવામાં આવે છે, જે દુર્ઘટનાનું કારણ બને છે. તાજેતરની દુર્ઘટનામાં હજુ પણ સેંકડો લોકો ગુમ છે જેને કારણે મૃત્યુઆંક વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પહેલા મૃતકાંક 50 જણાવાયો હતો જોકે પછીથી આંકડો વધ્યો હતો. આ બોટ મટનકુમુ પોર્ટથી બોલોમ્બા માટે જવા રવાના થઈ હતી એમ અહેવાલ કહે છે.


પોસ્ટર પણ જોયું હશે એમને ખબર હશે કે એમાં નિર્દેશક તરીકે પહેલાં પ્રયાગ રાજ અને મનમોહન દેસાઇનું બંનેનું નામ લખાયું છે. અમિતાભ સાથે ફિલ્મ ‘નસીબ’ (1981) પછી મનમોહન દેસાઇએ ‘કુલી’ પર કામ શરૂ કરી દીધું હતું. પરંતુ ‘દેશપ્રેમી’ (1982) નું નિર્દેશન કરી રહ્યા હોવાથી મોડેથી શરૂ કરવી પડી હતી. એમની ઘણી ફિલ્મોના વાર્તાલેખક પ્રયાગ રાજને ‘કુલી’ ના નિર્દેશક તરીકે નક્કી કર્યા હતા.









બાંધકામની દ્રષ્ટિએ ભુજિયો કોઠો તેના ઘેરાવા અને ઊંચાઈના કારણે અજોડ છે. 137 ફૂટની ઉંચાઈ ધરાવતું આ સ્ટ્રક્ચર તે સમયે સૌરાષ્ટ્રની સૌથી ઉંચી ઐતિહાસિક ઈમારત હતી. કોઠાના બાંધકામમાં કુલ ચાર લાખ પચીસ હજાર કોરીનું ખર્ચ થયું હતું. ભુજીયો કોઠો પાંચ માળનો છે. 66 પગથિયા ચડ્યા બાદ પ્રથમ માળે પહોંચી શકાય છે. ભુજીયાકોઠામાં સિંહદ્વાર ઉપરાંત કાષ્ઠ થાંભલાની હાર અને મકરા કૃતિ કમાનોથી સુશોભિત ડાયમંડ અને લુમાઓના શણગાર સુશોભિત રંગમંડપ, સુંદર પડસાળ, ચોતરફ વર્તુળાકારે ફરતી અટારી આવેલી છે. ભુજીયા કોઠા પરથી નજર કરતા શહેરનું મનોહ૨ દૃશ્ય દેખાય છે.


હજુ અંદાજે રૂ.12 કરોડના ખર્ચે માંડવી ટાવર, દરબારગઢ અને એકદંડિયા મહેલનું પુન:નિર્માણ થવાનું કામ બાકી છે. ભુજીયા કોઠાના રેસ્ટોરેશનની કામગીરીમાં પ્રથમ તબક્કાનું કામ જૂન-2025 પહેલાં પૂર્ણ થઇ જશે તથા બીજા તબક્કાનું કામ અંદાજે વર્ષ ૨૦૨૫ના અંતમાં પૂર્ણ થશે તેમ જામનગર મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ કમિશનરશ્રી ભાવેશ જાનીએ જણાવ્યું છે.

