અભિનેતા આમિર ખાન માને છે કે ભારતને વધુ થિયેટરોમાં રોકાણ કરવાની સખત જરૂર છે. વેવ્ઝ સમિટ 2025ના બીજા દિવસે ‘સ્ટુડિયો ઓફ ધ ફ્યુચર: પુટિંગ ઈન્ડિયા ઓન વર્લ્ડ સ્ટૂડિયો મેપ’ વિષય પર બોલતી વખતે આમિર ખાને આ વાત કહી. અભિનેતાએ એમ પણ કહ્યું કે ભારત એક ફિલ્મ-પ્રેમી દેશ છે, પરંતુ તેના મોટાભાગના લોકો પાસે સિનેમાની સુવિધા નથી.
‘ઘણા જિલ્લાઓ અને વિસ્તારો એવા છે જ્યાં થિયેટર નથી’
વેવ્ઝ સમિટના બીજા દિવસે બોલતા આમિર ખાને કહ્યું,”મારું માનવું છે કે ભારતમાં આપણને વધુ વિવિધ પ્રકારના થિયેટરોની જરૂર છે. દેશમાં એવા જિલ્લાઓ અને મોટા વિસ્તારો છે જ્યાં એક પણ થિયેટર નથી. મને લાગે છે કે છેલ્લા દાયકાઓમાં આપણે જે સમસ્યાઓનો સામનો કર્યો છે તે વધુ સ્ક્રીનો હોવા અંગે છે. મારું માનવું છે કે આપણે તેમાં રોકાણ કરવું જોઈએ. ભારતમાં ઘણી સંભાવનાઓ છે, પરંતુ તે ફક્ત ત્યારે જ સાકાર થઈ શકે છે જો તમારી પાસે દેશભરમાં વધુ સ્ક્રીનો હોય. જો નહીં, તો લોકો ફિલ્મો જોશે નહીં.”
‘સ્ક્રીનના મામલે આપણે અમેરિકા અને ચીનથી પાછળ છીએ’
આંકડાઓ પર વધુ વાત કરતાં અભિનેતાએ કહ્યું,”સિનેમા સ્ક્રીનોની સંખ્યાના સંદર્ભમાં ભારત અમેરિકા અને ચીનથી ઘણું પાછળ છે. દેશની ક્ષમતા અને અહીં રહેતા લોકોની સંખ્યાના સંદર્ભમાં આપણી પાસે ખૂબ ઓછા થિયેટરો છે. મને લાગે છે કે આપણી પાસે લગભગ 10,000 સ્ક્રીનો છે. ભારતની વસ્તીના ત્રીજા ભાગના લોકો રહેતા અમેરિકામાં 40,000 સ્ક્રીનો છે. તેથી તેઓ આપણાથી ઘણા આગળ છે. જ્યારે ચીનમાં 90,000 સ્ક્રીનો છે.”
કરાચીઃ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવનો માહોલ છે. આ ટેન્શન અને યુદ્ધના ભયને કારણે પાકિસ્તાનનો સ્ટોક માર્કેટમાં બ્લડબાથ થયું છે. પાકિસ્તાની ઈન્ડેક્સ રોજેરોજ નવા ઘટાડાના રેકોર્ડ સ્થાપી રહ્યો છે. ગઈ કાલે PM મોદી દ્વારા બોલાવવામાં આવેલી હાઈ લેવલ મીટિંગના ડરથી પાકિસ્તાની બજારમાં 3500 પોઇન્ટની મોટો ઘટાડો નોંધાયો હતો. . 22 એપ્રિલથી 30 એપ્રિલ સુધીમાં પાકિસ્તાનનો બેન્ચમાર્ક KSE-100 ઈન્ડેક્સ અંદાજે 8000 પોઈન્ટ તૂટી ગયો છે.
PSX પર ‘બ્લડબાથ’
30 એપ્રિલે પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જ (PSX) પર ‘બ્લડબાથ’ જોવા મળ્યો. બુધવારે KSE-100 ઈન્ડેક્સ એક જ દિવસે 3545 પોઈન્ટ (3.09 ટકા) તૂટી ગયો હતો અને 1,11,326.57 પર બંધ થયો હતો. પાકિસ્તાનની મોટી કંપનીઓને ભારે નુકસાન થયું હતું. LUCK, ENGROH, UBL, PPL અને FFC સૌથી વધુ નુકસાન કરનારી કંપનીઓમાં રહી છે, જેની અસરથી ઈન્ડેક્સ 1132 પોઈન્ટ નીચે આવી ગયો છે.
જોકે બજારમાં આજે થોડો ઉછાળો આવ્યો છે. KSE-100 ઈન્ડેક્સ 2179.80 પોઈન્ટ ઊછળી 1,13,506.38 પર બંધ થયો છે, પરંતુ બજાર વિશ્લેષકો ચેતવણી આપી રહ્યા છે કે પડોશી દેશો વચ્ચે તણાવ ઘટે નહીં ત્યાં સુધી આ પ્રકારનો ઉછાળો અસ્થિર રહેશે.
પહેલગામમાં થયેલા 22 એપ્રિલે આતંકવાદી હુમલામાં એક નેપાળી નાગરિક સહિત 27 પ્રવાસીઓનાં મોત થયાં હતાં. તેના જવાબમાં ભારતે કડક પગલાં ભર્યાં છે. ભારતે સિંધુ જળ સંધિ રદ્દ કરી છે, જેને કારણે બંને દેશો વચ્ચે પાણી વહેંચણી પર અસર થઈ છે. અટારી-વાઘા સરહદ બંધ કરી દેવામાં આવી છે, જેના પરિણામે દ્વિપક્ષી જમીન માર્ગે વેપાર બંધ થયો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વેવ્સ 2025’ ના વિઝનથી પ્રેરિત થઈને લાઇકા ગ્રુપ (યુકે-યુરોપ) અને મહાવીર જૈન ફિલ્મ્સે ભારતીય સિનેમાને વૈશ્વિક પ્લેટફોર્મ પર લઈ જવા માટે એક મોટું પગલું ભર્યું છે. સાથે મળીને તેમણે આગામી બે-ત્રણ વર્ષમાં આવી નવ ફિલ્મો બનાવવાની જાહેરાત કરી છે જે ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ અને વાર્તાઓને દુનિયા સમક્ષ લઈ જશે. આ ભાગીદારી ‘વેવ્સ’ સમિટ પહેલનો એક ભાગ છે, જેનો ઉદ્દેશ્ય ભારતને વૈશ્વિક સામગ્રી નિર્માણનું કેન્દ્ર બનાવવાનો છે.
લાઇકા અને મહાવીર જૈન ફિલ્મ્સની ભાગીદારી
Lyca પ્રોડક્શન્સ રજનીકાંતની ‘રોબોટ 2.0’ અને મણિ રત્નમની ‘પોનીયિન સેલ્વન’ ફ્રેન્ચાઈઝી માટે જાણીતું છે. હવે આ પ્રોડક્શન હાઉસ મહાવીર જૈન ફિલ્મ્સ સાથે મળીને નવી વાર્તાઓ બનાવશે. મહાવીર જૈન ફિલ્મ્સે ‘ઊંચાઈ’ જેવી ફિલ્મથી પોતાની ઓળખ બનાવી છે. તે હવે કાર્તિક આર્યનની ‘નાગઝિલા’, વિક્રાંત મેસી અભિનીત શ્રી શ્રી રવિશંકરની બાયોપિક, ઇમ્તિયાઝ અલી સાથેની મિત્રતા પર આધારિત ફિલ્મ અને ગ્રાન્ડમાસ્ટર વિશ્વનાથન આનંદની બાયોપિક જેવા પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે.
‘વેવ્સ’ સમિટમાં પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી
‘વેવ્સ’ સમિટમાં લાઇકા ગ્રુપના ચેરમેન ડૉ. અલીરાજાહ સુબાસ્કરન અને મહાવીર જૈને માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી ડૉ. એલ. મુરુગનને મળ્યા હતા. આ દરમિયાન તેમણે ભારતીય સિનેમાને વૈશ્વિક સ્તરે લઈ જવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
પીએમ મોદીના ખૂબ વખાણ કર્યા
ડૉ. સુબાસ્કરન અને મહાવીર જૈને એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે,”ભારત ભાગ્યશાળી છે કે તેને એક સ્વપ્નદ્રષ્ટા, ઉર્જાવાન અને સંવેદનશીલ પ્રધાનમંત્રી મળ્યા છે. ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ, ફિલસૂફી અને શાણપણને સિનેમેટિક શ્રેષ્ઠતા સાથે દુનિયા સમક્ષ લઈ જવાનો આ યોગ્ય સમય છે. આપણી ફિલ્મો પ્રેમ, કરુણા અને એકતાનો સંદેશ ફેલાવશે.” તેમણે કહ્યું કે આ નવ ફિલ્મો પીએમ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો એક નાનો પ્રયાસ છે. પીએમ મોદી ભારત અને દુનિયાને વધુ સારી જગ્યા બનાવવા માટે અથાક મહેનત કરી રહ્યા છે.
વેવ્ઝ 2025 સમિટ મુંબઈમાં આયોજિત થઈ રહી છે. આ કાર્યક્રમમાં બોલિવૂડના તમામ પ્રખ્યાત સ્ટાર્સે હાજરી આપી હતી. ગઈકાલે તેના ઉદ્ઘાટનમાં બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન પણ હાજર રહ્યા હતા. તે સ્ટેજ પર ખૂબ જ રમુજી દેખાતો હતો. તે દીપિકા પાદુકોણ અને કરણ જોહર સાથે જોવા મળ્યો હતો. એક ખાસ સત્ર દરમિયાન અભિનેતાએ ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ વાત કરી. પહેલી વાર તેમણે બોલીવુડમાં ચાલી રહેલી ‘ઈનસાઈડર બનામ આઉટસાઈડર’ ચર્ચા વિશે વાત કરી અને કહ્યું કે કોઈ ક્યાંથી આવે છે તેનાથી કોઈ ફરક પડતો નથી. અભિનેતાએ આ મુદ્દા પર પોતાનું ઉદાહરણ આપ્યું અને કહ્યું કે ઉદ્યોગે તેમને ખુલ્લા દિલથી સ્વીકાર્યા છે.
દીપિકા સાથે સ્ટેજ પર જોવા મળ્યો શાહરૂખ ખાન
‘શાહરુખ – ધ જર્ની: ફ્રોમ આઉટસાઇડર ટુ રૂલર’ શીર્ષક સાથે એક ખાસ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આમાં ભાગ લેવા માટે દીપિકા પાદુકોણ પણ સ્ટેજ પર જોડાઈ હતી. આ સત્રનું સંચાલન ફિલ્મ નિર્માતા કરણ જોહર દ્વારા કરવામાં આવ્યું હતું. આ દરમિયાન શાહરૂખ ખાન દીપિકા પાદુકોણનો હાથ પકડીને સ્ટેજ પર આવ્યો. નોંધનીય છે કે શાહરૂખ ખાન કે દીપિકા પાદુકોણ કોઈ પણ ફિલ્મી પૃષ્ઠભૂમિમાંથી નથી આવતા. તેમની ગણતરી બોલિવૂડના સૌથી પ્રખ્યાત સ્ટાર્સમાં થાય છે. આ ચર્ચા દરમિયાન શાહરૂખ ખાને કોઈપણ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાનો પ્રયાસ કરતી વખતે ખરેખર શું મહત્વનું છે તેના પર ભાર મૂક્યો.
શાહરૂખ ખાને આ કહ્યું
શાહરૂખે કહ્યું, ‘હું એક વાત સ્પષ્ટ કરવા માંગુ છું – ભૂખ, મહત્વાકાંક્ષા અને સખત મહેનત જેવા શબ્દો ઘણીવાર રોમેન્ટિક રીતે રજૂ કરવામાં આવે છે. લોકો કહે છે કે મને ખૂબ ભૂખ લાગી હતી, મેં ખૂબ મહેનત કરી હતી, પણ આ તો ખૂબ મોટા શબ્દો છે. અભિનેતાએ ઈનસાઈડર બનામ આઉટસાઈડરને સંબોધિત કર્યું, જે તેમના મતે કોઈ ફરક પડતું નથી. તેમણે કહ્યું, ‘મને પણ અંદરના અને બહારના વ્યક્તિ વચ્ચેના ભેદમાં સમસ્યા છે. મને લાગે છે કે તેઓ મહત્વપૂર્ણ નથી. તમે ક્યાંથી આવો છો તેનાથી કોઈ ફરક પડતો નથી. ખરેખર મહત્વનું એ છે કે તમે જે દુનિયામાં પ્રવેશવા માંગો છો તેમાં તમે તમારી જાતને કેવી રીતે જાળવી રાખો છો, પછી ભલે તે વ્યવસાય હોય, રાજકારણ હોય કે અભિનય હોય.’
અભિનેતાએ આ જ સંદર્ભમાં કહ્યું કે ફિલ્મ ઉદ્યોગે તેમને ખુલ્લા હાથે સ્વીકાર્યા જેનાથી તેમને વિશ્વાસ થયો કે આ જ તેમની દુનિયા અને ઉદ્યોગ છે. તમને જણાવી દઈએ કે, શાહરૂખ ત્રણ દાયકાથી વધુ સમયથી ઈન્ડસ્ટ્રી પર રાજ કરી રહ્યા છે. તેમણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું અને પોતાની છાપ છોડી. તે છેલ્લે 2023 માં રિલીઝ થયેલી ‘ડંકી’ માં જોવા મળ્યો હતો. આ વર્ષે અભિનેતાએ 3 સુપરહિટ ફિલ્મો આપી. હવે તે ટૂંક સમયમાં તેની પુત્રી સુહાના ખાન સાથે ‘કિંગ’માં જોવા મળશે. એવું માનવામાં આવે છે કે આ ફિલ્મ આવતા વર્ષે 2026 માં રિલીઝ થશે.
આ સ્ટાર્સ વેવ્ઝ 2025 માં જોડાયા
WAVES 2025 નું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમાં રજનીકાંત, મોહનલાલ, ચિરંજીવી, આમિર ખાન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, અલ્લુ અર્જુન, અનિલ કપૂર, હેમા માલિની, સૈફ અલી ખાન અને શાહિદ કપૂર સહિત અનેક સ્ટાર્સે હાજરી આપી હતી. મુંબઈમાં આયોજિત આ કાર્યક્રમ સપ્તાહના અંતે ચાલુ રહેશે અને 4 મેના રોજ સમાપ્ત થશે.
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં આતંકવાદીઓ પાળવામાં આવે છે એમ સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફના નિવેદન પર ભૂતપૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ પણ સત્તાવાર મોહર મારી છે. ભુટ્ટોએ કહ્યું હતું કે આ મામલે પાકિસ્તાનનો પોતાનો એક ભૂતકાળ રહ્યો છે. પાકિસ્તાનનો ઈતિહાસ આતંકવાદથી ભરેલો રહ્યો છે. પાકિસ્તાનમાં પાળવામાં આવેલા આતંકવાદીઓએ જ મારી માની (બેનઝીર ભુટ્ટો)ની હત્યા કરી હતી. હું પોતે પણ આ આતંકવાદીઓનો શિકાર રહ્યો છું.
સ્કાય ન્યૂઝ સાથેની વાતચીત દરમિયાન તેમણે કહ્યું હતું કે મને લાગતું નથી કે આ કોઈ ગુપ્ત બાબત છે કે પાકિસ્તાનનો એક એવો ભૂતકાળ રહ્યો છે. અમે તેની ભારે કિંમંત ચૂકવી છે. અમને અતિરેકવાદની અનેક લહેરોનો સામનો કરવો પડ્યો છે અને એમાંથી અમને ઘણા પાઠ મળ્યા છે. હવે અમે આંતરિક સુધારાઓ કર્યા છે. હવે આ બધું ભૂતકાળ છે અને હવે અમે તેમાં સામેલ નથી.
આ રીતે બિલાવલ ભુટ્ટોએ આતંકવાદ સાથે જોડાયેલા પાકિસ્તાનના ભૂતકાળને સ્વીકારતાં કહ્યું કે પાકિસ્તાનનો એક ભૂતકાળ છે અને દેશે આ માટે ઘણું સહન કર્યું છે. આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે થોડા સમય પહેલાં પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે પણ સ્કાય ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યૂમાં સ્વીકારી લીધું કે પાકિસ્તાને દાયકાઓ સુધી આતંકવાદી સંગઠનોને ટેકો અને ફંડિંગ આપ્યું છે.
Bilawal Bhutto accepting on SKY NEWS that giving shelter and support to terror outfits was a policy of Pak army and ISI. “Then why point a finger towards India” he was asked – and he falters #Pahalgampic.twitter.com/0p5LqsYwDh
પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફનું અમેરિકા માટે ડર્ટી વર્ક (ગંદું કામ) કરવાના નિવેદન પર વિવાદ હજી શમ્યો નહોતો, ત્યાં બિલાવલ ભુટ્ટોએ પણ તેવી જ વાતો પુનરોચ્ચાર કરી સ્વીકારી લીધું છે કે પાકિસ્તાન આતંકવાદને પોષે છે.
નવી દિલ્હીઃ દિલ્હી-NCRમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી ભીષણ ગરમી બાદ આજે સવારે વંટોળ પછી ભારે વરસાદ પડ્યો હતો, જેને કારણે લોકોને ગરમીથી રાહત મળી છે. જોકે ઘણા વિસ્તારોમાં પાણી ભરાવાથી લોકોની ચિંતા વધી છે. હવામાન વિભાગ (IMD)એ દિલ્હી, નોઈડા, ગુરુગ્રામ, ફરીદાબાદ અને ગાઝિયાબાદમાં પહેલી મેથી ચોથી મે સુધી તીવ્ર વંટોળ અને વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આ સમય દરમિયાન પવનની ગતિ 60 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, જેને કારણે તાપમાને ઘટાડો થવાની આશા છે. IMDએ યેલો એલર્ટ જાહેર કરીને લોકોને સતર્ક રહેવાની સલાહ આપી છે.
ભારે વરસાદને કારણે દિલ્હીથી ઊડાન ભરનાર 100થી વધુ ફ્લાઈટ્સ વિલંબિત થઈ છે. દિલ્હી, નોઈડા અને ગાઝિયાબાદમાં આજે તેજ પવનોને લીધે ઘણા વિસ્તારોમાં વૃક્ષો અને વીજળીના થાંભલાઓ પડવાની ઘટનાઓ ઘટી છે. રસ્તાઓ પર પાણી ભરાવાથી ટ્રાફિક પણ ભારે અસરગ્રસ્ત થયો છે. હવામાન વિભાગે નાગરિકોને ઘરમાં સુરક્ષિત રહેવાની અને અનાવશ્યક રીતે બહાર ન જવાની સલાહ આપી છે તેમ જ નબળાં બાંધકામોથી દૂર રહેવા અને વીજળી પડવાની શક્યતાને ધ્યાનમાં રાખીને ખુલ્લા વિસ્તારોમાં શરણ ન લેવા સૂચના આપી છે. હવામાન વિભાગે ભારે વરસાદ અને વંટોળ-તોફાનને ધ્યાનમાં રાખીને દિલ્હી-NCRમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.
દિલ્હીમાં ઈંદિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ટીન શેડનો એક ભાગ તૂટી પડ્યો હતો. અનેક ફ્લાઈટ્સના સંચાલનમાં વિક્ષેપ પડ્યો છે. ધૂળભર્યા વંટોળ અને ભારે વરસાદને કારણે આજે આશરે 120 ફ્લાઈટ્સ વિલંબિત થઈ છે. વિમાનમથકનું સંચાલન કરતી કંપની ‘દિલ્લી ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ’ (DIAL)એ જણાવ્યું કે ખરાબ હવામાનને કારણે કેટલીક ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ છે. એર ઈન્ડિયાએ જણાવ્યું કે પ્રતિકૂળ હવામાનને કારણે ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં વિમાનોના સંચાલન પર અસર પડી છે. હવામાનના અસર ટ્રેનો પર પણ જોવા મળી છે. આશરે 25થી વધુ ટ્રેનો પણ મોડી ચાલી રહી છે.
Recorded squally winds in gust at during 0530-0550 Pragati Maidan 78 kmph; Lodhi Road 59 kmph; Pitam Pura 59 kmph; Nazafgarh 56 kmph; IGNOU 52 kmph; Palam 62 kmph
— India Meteorological Department (@Indiametdept) May 2, 2025
દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ ખારખરી નહેર ગામમાં ખેતરમાં બનાવેલા ટ્યુબવેલના રૂમ પર ઝાડ પડી ગયું. આ રૂમમાં કુલ પાંચ લોકો ઊંઘી રહ્યા હતા, જેમાંથી ચાર લોકોનાં મોત થયાં છે અને એક વ્યક્તિ ઘાયલ થઈ છે.
પ્રશ્ન: મારા રિપોર્ટ્સમાં મને ફૅટી લીવર હોવાનું ડિટેક્ટ થયું છે, તો શું એ ચિંતાજનક કહેવાય? આ સ્થિતિમાં મારે ડાયેટમાં શું ધ્યાન રાખવું જોઈએ?
– અવનિ ફીચડિયા (રાજકોટ)
ઉત્તર: ફૅટી લીવરનો અગર પ્રારંભિક તબક્કો છે તો એ મોટા ભાગે ચિંતાજનક ના કહી શકાય, પરંતુ એ વખતે ધ્યાન આપવામાં ન આવે તો સ્થિતિ ગંભીર બની શકે છે અને એ લીવરને નુકસાન પહોંચાડી શકે છે. તમારા લીવરમાં ચરબીનું વધુ પ્રમાણ પણ તમને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અથવા કિડનીને લગતા ડિસીઝને આમંત્રણ આપી શકે છે. આવા સમયે ડૉક્ટરે સૂચવેલી દવા ઉપરાંત આહારનિયંત્રણ પણ જરૂરી છે.
આ સમયે એવો ડાયેટ જરૂરી છે કે જેમાં ફ્રૂટ-શાકભાજી સારા પ્રમાણમાં હોય અને આખાં અનાજનો ઉપયોગ હેલ્ધી ફૅટની સાથે થયો હોય. ખોરાકનું પ્રમાણ તમે કેટલું જાળવો છો એ પણ મહત્ત્વનું છે. આ ગાળામાં શુદ્ધ શર્કરા (સિમ્પલ સુગર) ધરાવતા આહારને ટાળવો. નિયમિત એક્સરસાઈઝ પણ થવી જોઈએ. સીઝનમાં તાજાં મળતાં અલગ અલગ પ્રકારનાં નૉન સ્ટાર્ચી શાક, લીલોતરીવાળી ભાજી અને ફ્રૂટ્સનો ઉપયોગ કરવો. ઓટ્સ, ઘઉંના ફાડા, બ્રાઉન રાઈસ, વગેરેનો ઉપયોગ પણ કરી શકાય. સાથે સારા પ્રકારનાં પ્રોટીન અને ફાઈબર માટે બદામ, અખરોટ, શીંગ, પમ્પકીન સીડ્સ અને સનફ્લાવર સીડ્સ લઈ શકાય.
ઓલિવ ઑઈલ, બદામ, બધા પ્રકારનાં સીડ્સ, એવોકાડો, કોકોનટ ઑઈલ, વગેરે ઍન્ટિ-ઈન્ફ્લેમેટરી પ્રૉપર્ટી ધરાવતાં હેલ્ધી ફૅટ્સ છે, જેનો ઉપયોગ આ સમયે કરી શકશો.
ન લઈ શકાય એવા ખાદ્યોમાં વધુપડતી સાકર ધરાવતાં સ્પોર્ટ્સ ડ્રિન્ક, ઠંડાં પીણાં, જ્યૂસ, વગેરે ટાળવાં. મીઠાઈ, કેક, પેસ્ટ્રી જેવાં પ્રોસેસ્ડ ફૂડ બને ત્યાં સુધી ન લેવાં. વધુપડતી ચરબીવાળો આહાર તથા બટર, ચીઝ, વગેરે પણ ઓછી માત્રામાં લેવાં. મેંદામાંથી બનતી વાનગી, ભાત, બટેટાનો ઉપયોગ ઘટાડવો. આલ્કોહોલની ટેવ હોય તો એવા લોકોએ અતિ અલ્પ માત્રામાં સેવન કરવું. અગર તમે ઓવરવેઈટ કે મેદસ્વી છો તો વજન ઉતારવાનો પ્રયત્ન કરવો, જેના માટે ઓછામાં ઓછી 45 મિનિટ કસરત કરવી.
પ્રશ્ન: સવારના નરણા કોઠે લીંબુપાણી પીવાથી વજન ઉતારવામાં મદદ મળે છે એ વાતમાં તથ્ય છે?
– વિવેક ઠક્કર (અમદાવાદ)
ઉત્તર: લીંબુપાણી એ ગરમીમાં પીવા માટેનું આદર્શ પ્રવાહી છે. લીંબુમાં વિટામિન સી ભારોભાર હોય છે, જે આપણને સ્ફૂર્તિ અપાવે છે, હાઈડ્રેટ રાખે છે તથા પાચન સુધારવામાં મદદ કરે છે. અલબત્ત, આડકતરી રીતે એ વજન ઉતારવામાં મદદ કરી શકે, પરંતુ એની સાથે લો કૅલરી ઈન્ટેક, બૅલેન્સ ડાયેટ અને રેગ્યુલર એક્સરસાઈઝ કરવી પણ જરૂરી છે. બીજા કોઈ પ્રયત્ન વગર અગર ફક્ત લીંબુપાણીનો ઉપયોગ જ કરવામાં આવે તો ચોક્કસપણે વજન ન ઊતરી શકે. શરીરમાં રહેલી ચરબીને બાળવા માટે ઉપયુક્ત પ્રયત્નો પણ એટલા જ જરૂરી છે. બાકી, બજારમાં મળતાં તૈયાર એનર્જી ડ્રિન્ક્સ કે ઠંડાં પીણાંની સરખામણીએ લીંબુપાણીમાં કૅલરી પણ ઓછી હોય છે અને ઍન્ટિઑક્સિડન્ટ હોવાથી નિ:શંકપણે એ ફાયદેમંદ છે.
પ્રશ્ન:: હું 24 વર્ષનો છું. મારે શરીરમાં ચરબીનું લેવલ, પાણીનું લેવલ તથા પ્રોટીન સ્ટ્રેન્થ અને મસલ વેઈટ ચકાસવાં હોય તો એ માટે કયા પ્રકારની ટેસ્ટ કરાવી શકાય? અગર એ ખયાલ આવે તો એ મુજબ હું મારો ડાયેટ સેટ કરી શકું. હું નિયમિત વર્કઆઉટ કરું છું, પણ મારે સિક્સ પૅક ઍબ્સ બનાવવી છે તો હું કયાં પ્રોટીન સપ્લિમેન્ટ્સ લઈ શકું?
– આદિત્ય વોરા (ભૂજ)
ઉત્તર: ચરબીનું લેવલ, પાણીનું લેવલ, પ્રોટીન સ્ટ્રેન્થ તથા મસલ વેઈટ ચકાસવા માટે બીસીએ (બૉડી કમ્પોઝિશન ઍનાલિસિસ) કરાવી શકાય. એ કરાવ્યા પછી તમે વર્કઆઉટ સાથે સિક્સ પૅક ઍબ્સ બનાવવા માગતા હો તો તમારી જાતે નક્કી કરવાની બદલે કોઈ સારા આહારશાસ્ત્રીને મળી તમારી જરૂરત મુજબ પ્લાન કરાવી શકો. સામાન્ય રીતે મસલ્સ ડેવલપમેન્ટ માટે સારી ગુણવત્તાવાળું પ્રોટીન નિયમિત લેવું જરૂરી છે. બીજું, કાર્બોહાઈડ્રેટયુક્ત આહારની માત્રા ખૂબ ઓછી રાખવી. શરીરની પ્રોટીનની જરૂરત તમારા વજન જેટલી જ એટલે કે અગર તમે ૬૫ કિલો વજન ધરાવતા હો તો તમારી પ્રોટીનની જરૂરત 65 ગ્રામ છે. જો તમે વર્કઆઉટ કરો છો તો એના પ્રકારને અનુરૂપ પ્રોટીનની જરૂરતમાં વધારો થઈ શકે છે, કારણ કે પ્રોટીન મસલ ડેવલપ માટે જવાબદાર છે. મારી સલાહ એ છે કે જિમમાં સૂચવવામાં આવતાં પ્રોટીન સપ્લિમેન્ટ્સનો ઉપયોગ કેટલી માત્રામાં કરવો એ પ્રમાણ અને એની આડઅસરો વિશે જાણવું જરૂરી છે. ઘણી વખત અતિશયોક્તિ નુકસાનકર્તા નીવડે છે આથી કુદરતી આહાર સિવાયની પ્રોડક્ટ્સ લેતાં પહેલાં એના વિશે પૂરતી માહિતી મેળવવી.
ચિત્રલેખાના આ વિભાગના નિષ્ણાત પાસેથી તમારે કોઈ સમસ્યાનો ઈલાજ જાણવો હોય તો 72087 23543 એ નંબર પર વ્હૉટ્સઍપ કરો અથવા ઈ-મેલ કરો: editorial@chitralekha.com
Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.
જરા વિચારો, જો કોઈ સરહદ જ હોય તો? દુનિયાની મોટા ભાગની સમસ્યાઓ ઓછી થઇ જાય. એક ખેડૂત પોતાનો શેઢો મોટો કરવાની લ્હ્યાયમાં આખી જિંદગી કાઢી નાખે છે. એ જ રીતે એક શાશક પોતાની જમીન વધારવા પરિવારને છોડીને આખી જિંદગી બહાર લડ્યા કર્યાનો ઈતિહાસ પણ છે જ. મૃત્યુ સમયે પરિવાર સાથે ન હોય એવું મૃત્યુ શું કામનું? પહેલા શાશકો જાતે લડવા જતા. હવે શાશકો માત્ર નિર્ણયો લે છે. પણ જો સરહદનો વિવાદ જ ન હોય તો? સમગ્ર વિશ્વમાં મોંઘા હથિયારોનો વેપાર બંધ થાય. સોંઘવારી આવે. માનસિક, શારીરિક અને આર્થિક સુખ પણ દેખાય.
મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે દર્શાવેલા ઈમેઈલ પર ચોક્કસ પૂછી શકો છો.
સવાલ: આતંક એટલે શું? શું કોઈને હથિયારથી મારી નાખવાને જ આતંક કહે છે? એક નિશાળ વિદ્યાર્થીના વાળી પાસેથી તગડી ફી લીધા પછી પણ વારે તહેવારે આ ખર્ચો અને તે ખર્ચો આપવો પડશે નહીતો વિદ્યાર્થીને નિશાળ બદલવી પડશે એવું કહે એને આતંક ન કહેવાય? એક ખંડણીખોર આખાને આખા પરિવારને આત્મહત્યા કરવા પ્રેરે એને આતંક ન કહેવાય? એક પ્રેમી એના પ્રિય પાત્રને પોતાને ગમતું કરાવી અને છોડી દે એને આતંક ન કહેવાય? એક વ્યક્તિ નોકરીમાં ઓછા પગારે વધારે કામ કરે કારણકે એના પરિવારને એની જરૂર છે તો એ નોકરીના નિયમોને આતંક ન કહેવાય? એક માણસ નકલી માલ વેંચી અનેકના સ્વાસ્થ્ય સાથે ચેડા કરે એને આતંક ન કહેવાય? શું આ બધા પર કોઈ કંટ્રોલ જરૂરી નથી?
જવાબ: આપના સવાલો યોગ્ય છે. પણ આતંક ભય સાથે જોડાયેલ શબ્દ છે. આપે જે પ્રક્રિયાઓ જણાવી છે એનાથી આપણો સમાજ ટેવાઈ ગયો છે. બધા પોતાનો હક મારી રહ્યા છે. મારી દ્રષ્ટીએ તો એ લોકો પોતાના મન સાથે જ આતંક કરી રહ્યા છે. ખોટી વસ્તુ સહન શા માટે કરવી જોઈએ? લાખો રૂપિયાની ફી ભર્યા પછી જયારે શિક્ષક ધમકી આપે તો પોતાના બાળકને ઘરે ભણાવવાની તૈયારી છે કોઈની? આપણે ત્યાં હોમ સ્કુલ પણ છે. એ સમય દુર નથી કે જયારે માત્ર આવડતના આધારે કામ મળશે. હાથમાં ડીગ્રી લઈને નોકરી શોધતા યુવાનોનો સમય બદલાઈ રહ્યો છે. માત્ર ડીગ્રીઓ શું કામની? કોઈની પાસે વધારે વ્યાજના પૈસા લેવાનું બંધ કરવું જોઈએ. કોઈ ખંડણી માંગે તો એની ફરિયાદ કરવી જોઈએ. પોતાને ન ગમતું કશું પણ કરવાનું થાય ત્યારે પોતાની જાતને જ સવાલ પૂછવો જોઈએ કે શું આ મારા માટે યોગ્ય છે?
આજે તો નાના નાના ગ્રુપ, સોસાયટીમાં પણ રાજકારણ ઘુસી ગયું છે. લોકો અર્થ ઉપાર્જન માટે કમિટીમાં આવીને અન્યનું દમન કરે છે અને લોકો ડરના માર્યા સહન કર્યા કરે છે. આપણે એ ભૂલી ગયા છીએ કે લીડર્સ આપણે એમને આપણા પ્રતિનિધિ બનાવ્યા છે. એ આપણા માલિક નથી. જે પોતાના હક બીજાને સોંપે છે એ ફરીયાદ જ કરવાના. કોઈ ન ગમતું કરે તો એને શરૂઆતમાં જ રોકો. પછી એને આદત પડી જશે.
વળી કાશ્મીરમાં હુમલો થયા પછી પણ લોકો ત્યાં ફરવા જાય છે. અંતે દોષ સરકારને જ દેવાના. સ્વ માટેની સભાનતા પણ ખુબ જરૂરી છે. કાશ્મીર ફરવા જતી વખતે સ્વરક્ષા માટે લોકો કોઈ પ્લાન વિચારે છે? જો નથી વિચાર્યો તો સંજોગોને સ્વીકારવાનું શીખવું પડે. માત્ર ફરિયાદ કરવાનો કોઈ અર્થ નથી. દુનિયાની કોઈ પણ સરકાર દેશના ખૂણે ખૂણે સુરક્ષા નહિ આપી શકે. એના માટે લોકોએ જ જાગૃત થવું પડશે.
સવાલ: શું ઈશાનનો દોષ હોય તો અકાળ મૃત્યુ થાય?
જવાબ: ઇશાન એ હૃદય સાથે જોડાયેલી દિશા છે. તેથી હૃદયને લગતી સમસ્યા આવી શકે.
સુચન: મંત્ર એ સાંભળવાની ક્રિયા નથી. મંત્ર ચેતના જાગૃત કરે છે. પણ એના માટે જાતે મંત્ર કરવા જરૂરી છે.