વિકી કૌશલે આજે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર ફિલ્મ મસાન વિશે એક ભાવુક પોસ્ટ લખી છે. આજે 24 જુલાઈ, 2015 ના રોજ રિલીઝ થયેલી ફિલ્મ મસાનની રિલીઝને 10 વર્ષ પૂર્ણ થયા છે. વિકીએ ફિલ્મના સેટ પરથી ઘણી અદ્ભુત BTS તસવીરો પણ શેર કરી છે.
આજે 24 જુલાઈના રોજ ‘મસાન’ ફિલ્મની રિલીઝની 10મી વર્ષગાંઠ પર વિકીએ ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મના સેટ પરથી કેટલીક ન જોયેલી તસવીરો શેર કરી અને એક સુંદર આભાર નોંધ લખી. પોસ્ટમાં તેણે શાયરી સાથે પોતાની લાગણીઓ વ્યક્ત કરી. વિકીએ લખ્યું, “એક દાયકા થઈ ગયો! શીખવા માટે ઘણું બધું છે, વધવા માટે ઘણું બધું છે… દરેક વસ્તુ માટે આભાર. એવું લાગે છે કે ગઈકાલની જ વાત છે – ‘મુસાફિર હૈં હમ ભી, મુસાફિર હો તુમ ભી… કિસી મોડ પે ફિર મુલકાત હોગી’.”
ફિલ્મ ‘મસાન’ ની આ તસવીરોમાં વિક્કીનો મસાન લુક, દિગ્દર્શક નીરજ ઘાયવાન સાથેનો તેનો ફોટો અને રિચા ચઢ્ઢા, શ્વેતા ત્રિપાઠી, વરુણ ગ્રોવર, અવિનાશ અરુણ વગેરે જેવા મસાનના કલાકારો સાથેના પુનઃમિલનની ઝલક જોવા મળે છે. ‘મસાન’ પહેલા વિકીએ ‘લવ શવ તે ચિકન ખુરાના’ અને ‘બોમ્બે વેલ્વેટ’માં નાની ભૂમિકાઓ ભજવી હતી. આ ઉપરાંત તે ફિલ્મ ‘ગેંગ્સ ઓફ વાસેપુર’માં સહાયક દિગ્દર્શક હતો. ફિલ્મ ‘મસાન’ દર્શકો અને વિવેચકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી હતી અને તે બોક્સ ઓફિસ પર હિટ રહી હતી.
‘મસાન’ ફિલ્મ વિશે વિક્કીની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ટીવી અભિનેત્રી શિરીન મિર્ઝાએ લખ્યું,”વિકી, તું ઘણો આગળ નીકળી ગયો છે, મને તારા પર ગર્વ છે.” અભિનેતા અમોલ પરાશરે પણ તેની પ્રશંસા કરી. અમનદીપ કૌરે લખ્યું, ‘તમારી સર્વકાલીન પ્રિય ફિલ્મ! આવનારા ઘણા દાયકાઓ માટે તમને સિનેમાના પ્રથમ દાયકાની શુભકામનાઓ’, મનીષ મલ્હોત્રાએ પણ પ્રેમ વરસાવ્યો.
વિકી ટૂંક સમયમાં દિગ્દર્શક સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘લવ એન્ડ વોર’માં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે જોવા મળશે. આ ઉપરાંત વિકી ફિલ્મ ‘મહાવતાર’માં પણ જોવા મળશે. તેની છેલ્લી ફિલ્મ ‘છાવા’ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી.
દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ દિવાસાની ખુબ જ ધામધુમથી ઉજવણી કરે છે. ઉત્સવની વિસ્તાર પ્રમાણે ઉજવણીમાં ધરમપુરમાં દિવાસાના દિવસે નાળિયેળ ફોડવાની પ્રથા છે, જયારે નવસારીમાં ઢીંગલાબાપાની યાત્રા નીકળે છે. જયારે ઢીંગલા- ઢીંગલીને લગ્ન કરાવવાનો રિવાજ પણ દક્ષિણ ગુજરાતના આદિવાસીઓમાં છે. તાપી, સુરત, નર્મદા, ભરૂચ જિલ્લાના આદિવાસીઓ દેવપૂજા કરતા હોય છે.
વલસાડ જિલ્લાના ધરમપુરમાં નાળિયેળને ટપલી દાવ આપીને અનોખી ઉજવણી થાય છે. એકબીજાના નાળિયેળને ફોડવાની પ્રથા છે. જેનું નાળિયેળ ફુટી જાય ત્યારે, જેનું નાળિયેળ ન ફુ્ટયું હોય તેને આપી દેવાની પ્રથા છે, એટલે તે જીતેલો ગણાય.
ધરમપુર અને તાલુકાના ગામોમાં નાળિયેળની હાટડીઓ ખુલી જાય છે. ધરમપુરમાં મેળો ભરાય છે. લોકો કામ-ધંધા છોડીને પણ આ ઉત્સવમાં જોડાઇ છે. અષાઢની અમાસને દિવાસા તરીકે ઓળખવામાં આવે છે. વલસાડ જિલ્લામાં આવેલા ધરમપુર, પારડી અને કપરાડા તાલુકામાં વસતા આદિવાસીઓમાં દિવાસાનું મહત્વ અનેરૂ છે.
‘દિવાસો એટલે ખેતીકામ હળવું થયાનો ઉત્સવ’. આદિવાસીઓ ડાંગરની રોપણી પરિપૂર્ણ કરીને આ તહેવારની ઉજવણી આનંદ ઉલ્લાસ સાથે કરે છે. આ તહેવારને બિયારણનો તહેવાર તરીકે આદિવાસી સમાજ માને છે. ખેતીવાડીમાં પાકનો ઉતારો સારો આવે એ માટે આદિવાસી સમુદાયના લોકો દેવપૂજા કરતાં હોય છે.
દિવાસાની આગલી રાતે ગામમાં ઉજાણી રાખવામાં આવે છે. આ તહેવાર નિમિત્તે આદિવાસીઓ પોતાના પૂર્વજોને (ખત્રીજોને) પૂજે છે અને ખાસ યાદ કરે છે. કારણ કે આદિવાસીઓ એવું માને છે કે પોતાના વડવાઓ એટલે કે પૂર્વજો (ખત્રીજો)ના પ્રતાપે જ આ ખેતીવાડી છે. એમના થકી જ અમે ખેતીકામ કરતાં શીખ્યા છીએ, અને ખેતીવાડીમાં સારૂ ઉત્પાદન મળે છે. દિવાસાના દિવસે ગામના પૂજારાઓ ગામમાં આવેલ હિમારયા દેવની પૂજા કરે છે.
આદિવાસી સમાજમાં ઢીંગલા-ઢીંગલી ઉત્સવ ખુબ જ જાણીતો છે. હવે તો શાળાના બાળકોને પણ આ ઉત્સવ મનાવે છે. લોકો બે દિવસ પહેલાથી જ તૈયારીઓમાં લાગી જાય છે. ઘરે ઘરે ઢીંગલા-ઢીંગલી બનાવી તેને હળદર લગાવે, બારશીંગા પણ બાંધે છે. એક-બીજાને ત્યાં લઇ જાય, પાટલા પર બેસાડે છે. જૂના જમાનામાં કુંવારી છોકરીઓ ઢીંગલા-ઢીંગલીની બાધા રાખતા. લોકો ઘરે આદિવાસી વાનગીઓ ઉંડા, ઢેંકળા વગેરે બનાવે છે. ત્યારબાદ ગીતો ગાતા-ગાતા લગ્ન કરાવી, પરંપરાગત વાદ્યો સાથે નદીએ લઇ જઇ ત્યાં નાની નાની હોડી કે તરાપા બનાવીને વિસર્જન કરે છે. ગીતો પણ ગાય છે.
દિવાસાના દિવસે નવસારી ખાતે ઢીંગલાબાપાની વિશાળ શોભાયાત્રા નીકળે છે. હળપતિ રાઠોડ સમાજના લોકો માટે આ તહેવાર ખુબ જ મહત્વનો છે. નવસારીમાં ૧૦૦ વર્ષ વધુ સમયથી લોકો ઢીંગલાબાપાની પૂજા કરે છે. રોગચાળાની મહામારીથી બચવા આજે પણ આ તહેવારનું ખુબ જ મહાત્મય છે. દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે.
આ ઉપરાંત છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલના વિસ્તારોમાં દિવાસાની ઉજવણી ધામધુમથી કરવામાં આવે છે. જયાં નવાઇના ગરબાઓ ખુબ જ પ્રખ્યાત છે.
અમદાવાદ: જો તમને કોઈ એમ કહે કે તેમની પાસે 3000 વર્ષ કરતાં પણ જૂની કાચની બોટલ છે, તો શું તમે એ વ્યકિતની વાતનો વિશ્વાસ કરશો? આપણા મનમાં તરત જ પ્રશ્ન થાય કે આટલી જૂની કાચની બોટલ અત્યાર સુધી કેવી રીતે સચવાઇ હશે?
પરંતુ આ વાત તમને ત્યારે સાચી લાગે જ્યારે તમે અમદાવાદમાં રહેતા મનોજ સોનીના ઘરમાં પ્રવેશ કરો. ઘરમાં પ્રવેશતા જ ચારે બાજુ તમને કાચની બોટલ જ બોટલ દેખાય. 3000થી વધુ કાચની બોટલનો સંગ્રહ કરવા માટે 63 વર્ષીય મનોજભાઈએ તેમના ઘરને જ સંગ્રહાલયમાં પરિવર્તિત કરી નાખ્યું છે. 25 વર્ષથી ગ્લાસની બોટલનું કલેક્શન કરનાર મનોજ સોની વ્યવસાયે એક પ્લાસ્ટિક ટેક્નોક્રેટ છે.
એમની પાસે 18મી સદીથી લઈને 3000 વર્ષ જૂની કાચની સુંદર બોટલ્સનું કલેક્શન છે. અમેરિકા, ઈંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, ડેનમાર્ક, ઈટલી, રશિયા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, મેક્સિકો અને બ્રાઝિલ જેવાં 50થી વધુ દેશોની સુંદર કાચની બોટલ્સ તેમના કલેક્શનમાં જોવા મળે છે. દુર્લભ કહી શકાય તેવી રોમન, સિરીયન, ઈસ્લામિક, વિક્ટોરિયન સભ્યતાની જેમાં ઝલક જોવા મળે તેવી બોટલ્સ છે.
એમના આ સંગ્રહમાં 18મી સદીની એક સૌથી નાની બોટલ છે, જેની ઉંચાઈ એક સેન્ટિમીટર છે. જ્યારે સૌથી મોટી બોટલ 30 ઈંચની છે. સૌથી ઓછા વજનની બોટલની જો વાત કરવામાં આવે તો તે 0.500 મિલીગ્રામની છે, જ્યારે સૌથી વધુ વજનની 10 કિલોગ્રામની બોટલ છે. ટ્રાન્સપરન્ટ, કોબાલ્ટ બ્લૂ, ગ્રીન, યલ્લો, ઓરેન્જ, સ્કાય બ્લૂ સહિત અનેક કલર્સની બોટલ, વિવિધ આકારની બોટલ્સ, વિવિધ કદની બોટલ્સ, તમને જોતાં જ ગમી જાય તેવી અદ્દભૂત હ્યુમન ફિગરવાળી બોટલ્સ તમને મનોજભાઈના ક્લેક્શનમાં જોવા મળશે.
પોતાના આ શોખ વિશે વાત કરતા મનોજ સોની કહે છે, “મારા પિતાજીને જૂની વસ્તુઓનો સંગ્રહ કરવાનો શોખ હતો. તેમની પાસેથી મને આ પ્રેરણા તેમની પાસેથી મળી છે. પિતાજી સાથે જ લગભગ 1997ના વર્ષમાં હું અમદાવાદના ગુજરી બજારમાં ગયો હતો. ત્યાં મેં અણીવાળી સોડાની બોટલ જોઈ, જેને ટોરપીડો બોટલ કહે છે તે મેં ખરીદી હતી. આ બોટલ વિશે ઈન્ટરનેટ પર તપાસ કરતાં જાણવા મળ્યું કે યુરોપમાં તેને હેમિલટન બોટલ કહે છે. ત્યાર બાદ મને યુરોપ અને અમેરિકામાં ગ્લાસ બોટલ સંગ્રહ કરનાર લોકો વિશે માહિતી મળી. ત્યારબાદ મેં ગ્લાસ બોટલ ક્લેક્ટ કરવાનું શરૂ કર્યું. કાચ તૂટવા માટે સર્જાયો છે તેથી જે બચ્યું છે તે રેર છે. તેથી કાચની વસ્તુઓનું કલેક્શન કરવા માટે સંવેદના તેમજ ધીરજ પણ ખૂબ જ જરૂરી છે.”મનોજભાઈને પછી તો એવો શોખ લાગ્યો કે, પછી તો તેઓ સમગ્ર શહેરમાં જ નહીં અનેક રાજ્યોમાં બોટલનું કલેક્શન કરવા માટે ફરતા થયા. ઈન્ટરનેટના માધ્યમથી હજારો મિત્રો બનાવ્યા, જેમને આ પ્રકારનો શોખ હોય. ત્યાં સુધી કે તેમણે લગભગ પોતાના નામના 5000 જેટલાં કાર્ડ છપાવીને ફેરિયાઓને આપ્યા. જેથી તેમની પાસે કોઈ પણ પ્રકારની આવી એન્ટિક બોટલ તેમની પાસે આવે તો મનોજભાઈ સુધી પહોંચાડે. પછી તો મનોજભાઈ કોથાળાને કોથળા ભરીને બોટલો ઘરે લાવવા લાગ્યા. જેમાંથી માત્ર એક કે બે જ કામની નીકળતી.આ બોટલ્સ પણ અહીં વિવિધ કેટેગરીમાં ગોઠવવામાં આવી છે. જેમ કે, પર્ફ્યૂમ કલેક્શન, ફિડર બોટલ ક્લેકશન, વાઈન કલેક્શન, પોઈઝન કલેક્શન, મેડિસિન વગેરે.
આ બોટલ્સ એક્ઠી કરવી મનોજભાઈ માટે કોઈ સરળ વાત ન હતી. તેઓ વ્યવસાયે પ્લાસ્ટિક ટેક્નોક્રેટ હોવા છતાં આ બોટલ્સના ઈતિહાસના રૂટ સુધી પહોંચ્યા છે. તેમના ક્લેક્શનમાં રહેલી દરેક બોટલ વિશે તેઓ ખૂબ જ ઉંડાણપૂર્વક વાત કરી શકે તેટલું જ્ઞાન તેમણે એક્ઠું કર્યું છે. આ શોખના કારણે જ લગભગ 10 દેશના અન્ય બોટલ ક્લેક્ટર સાથે તેમની મિત્રતા થઈ છે, જેમની પાસેથી તેઓ જ્ઞાન અને બોટલ બન્નેની આપ-લે કરતાં હોય છે.કાચની જાણવળી કરવી કેટલી મુશ્કેલ છે તે દરેક વ્યક્તિ જાણે જ છે. એકવાર કાચ હાથમાંથી પડી ગયો પછી તેને પરત જોડી શકાતો નથી. આથી આ બોટલ્સની જાળવણી કરવી પણ કેટલી અઘરી છે તેની કલ્પના કરી શકાય છે. જો કે આ વિશે મનોજભાઈ એવું માને છે કે, “દરેક મનુષ્યની જેમ દરેક બોટલ પણ પોતાની આવરદા લખાવીને જ આવે છે. આથી તેના તૂટ્યા પછી દુઃખ જરૂર થાય પણ અફસોસ કરવાનો કોઈ જ અર્થ નથી.” મનોજભાઈના આ પેશનને ફોલો કરવામાં અને સાચવવામાં તેમના પરિવારનો પણ એટલો જ ફાળો છે.લાખો રૂપિયા ખર્ચીને મૂલ્યવાન ખજાનાની જેમ ભેગી કરેલી આ બોટલ્સના શોખ માટે મનોજભાઈને અનેક એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. તેમને “અતુલ્ય વારસો આઈડેન્ટિટી” એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. જાણીતા લોકકલા સંશોધક-લેખક જોરાવરસિંહ જાદવના હસ્તે આ એવોર્ડ તેમને એનાયત કરવામાં આવ્યો હતો.
ગુજરાત સાયન્સ સિટીમાં આંતરરાષ્ટ્રીય મૂન ડે (International Moon Day) ઉત્સાહપૂર્વક અને વૈજ્ઞાનિક ઊર્જા સાથે ઉજવવામાં આવ્યો. આ વિશિષ્ટ અવસરે, વિવિધ શાળાઓમાંથી વિદ્યાર્થીઓએ એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરીની મુલાકાત લીધી અને ચંદ્ર વિશેની રસપ્રદ અને માહિતીપ્રદ વાતો જાણવાની તક મેળવી.
આ પ્રસંગે ISRO (ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા)ના વૈજ્ઞાનિક આશિષ સોની ખાસ ઉપસ્થિત રહ્યા, અને “ચંદ્ર અને તેના વૈજ્ઞાનિક રહસ્યો” વિષય પર વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓને રસપ્રદ માહિતી આપી. તેમણે ચંદ્રયાન મિશનો, ચંદ્રની પૃષ્ઠભૂમિ, ગ્રેવિટી તેમજ ISROના Moon Missionsના અનુભવો શેર કરતા વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા.
સાયન્સ સિટીના એસ્ટ્રોનોમી ગેલેરી ખાતે વિદ્યાર્થીઓ માટે ચંદ્ર પર આધારિત મોડલ બનાવવા, “મેક યોર ઓન પ્લેનેટ”, અને “ચંદ્રના તબક્કા” જેવી STEM પ્રવૃત્તિઓ પણ આયોજિત કરવામાં આવી, જેમાં વિદ્યાર્થીઓએ હર્ષભેર ભાગ લીધો.
ગુજરાત સાયન્સ સિટી સતત એવું પ્લેટફોર્મ બની રહ્યું છે જ્યાં વિજ્ઞાન અને અવકાશ ક્ષેત્રે વિદ્યાર્થીઓને અનુભવ આધારિત શિક્ષણ મળી રહે છે. આવી ઉજવણી દ્વારા વિદ્યાર્થીઓમાં અવકાશ વિજ્ઞાન પ્રત્યે જિજ્ઞાસા અને પ્રેરણા વધુ વેગ પામે છે
ઘણી બોલિવૂડ અભિનેત્રીઓએ કહ્યું છે કે ફિલ્મ ઉદ્યોગમાં કામ કરવું સરળ નથી. અનેક કલાકારોને ઘણીવાર તેમના માર્ગમાં અવરોધોનો સામનો કરવો પડે છે. આમાં સૌથી મોટો અવરોધ કાસ્ટિંગ કાઉચ છે. તાજેતરમાં જ જોની લીવરની પુત્રી જેમીએ જણાવ્યું હતું કે એક સમયે કામ આપવાના નામે તેની સાથે એક મોટું કૌભાંડ થવાનું હતું. આ અનુભવથી તે ડરી ગઈ હતી.
જેમીએ કહ્યું કે તેણે લોકો પાસેથી કાસ્ટિંગ કાઉચના અનુભવો વિશે સાંભળ્યું હતું, પરંતુ તે માનતી હતી કે તેના પિતાની ઇન્ડસ્ટ્રીમાં હાજરી તેના માટે રાહતનો વિષય હતી. જેમીના મતે તેની કારકિર્દીના શરૂઆતના તબક્કામાં તેનો કોઈ મેનેજર નહોતો અને તે પોતાનું કામ જાતે કરતી હતી. એકવાર તેને એક વ્યક્તિનો ફોન આવ્યો જે તેને એક મોટા પ્રોજેક્ટમાં કાસ્ટ કરવાનો ડોળ કરી રહ્યો હતો. જેમીએ ઝૂમ સાથેની વાતચીતમાં જણાવ્યું કે ‘તેણે પૂછ્યું કે શું હું ઓડિશન આપવા માંગુ છું. આવી તકો અમારા માટે મોટી વાત છે, તેથી મેં હા પાડી.’
જેમીને કહેવામાં આવ્યું હતું કે ઓડિશન એક વીડિયો કોલ પર થશે જ્યાં તે ડિરેક્ટર સાથે વાત કરશે. જેમીએ કહ્યું,’તેઓએ કહ્યું કે અમે સ્ક્રિપ્ટ નહીં આપીએ.’ આ પછી તેને મીટિંગની લિંક મળી. જેમીએ લિંક પર ક્લિક કરતાની સાથે જ તેનો વીડિયો શરૂ થયો. જોકે, બીજી બાજુ બેઠેલા વ્યક્તિએ તેનો વીડિયો બતાવ્યો નહીં. તેણે કહ્યું, ‘હું મુસાફરી કરી રહ્યો છું તેથી હું મારો વીડિયો ચાલુ કરી શકતો નથી, પરંતુ આ એક આંતરરાષ્ટ્રીય ફિલ્મ છે જેના માટે અમે કાસ્ટ કરી રહ્યા છીએ અને તમે આ ભૂમિકામાં બરાબર ફિટ છો.’
જેમીને કપડાં ઉતારવાનું કહેવામાં આવ્યું
જેમીને કહેવામાં આવ્યું કે તે એક બોલ્ડ પાત્ર માટે ઓડિશન આપી રહી છે. આવી સ્થિતિમાં તેણીએ વીડિયો કોલ પર એવી રીતે અભિનય કરવો પડે છે જાણે તે 50 વર્ષના પુરુષને પ્રભાવિત કરી રહી હોય. આ દરમિયાન જેમીને પણ તેના કપડાં ઉતારવાનું કહેવામાં આવ્યું. આના પર, જેમીએ કહ્યું કે જો કોઈ સ્ક્રિપ્ટ હોય, તો તે તેના મુજબ કામ કરશે. આવી સ્થિતિમાં બીજી બાજુથી કહેવામાં આવ્યું, ‘કોઈ સ્ક્રિપ્ટ નથી. જો તમે કંઈક કહેવા માંગતા હો અથવા કંઈક બીજું કરવા માંગતા હો, તો મુક્ત રહો.’
જેમીને વાત કરવામાં અસ્વસ્થતા અનુભવાઈ
આવી વાતો સાંભળીને જેમી ચોંકી ગયો. તેણે કહ્યું કે તે આ કરવામાં આરામદાયક નથી. આના પર, બીજી બાજુથી કહેવામાં આવ્યું, ‘આ એક ખૂબ મોટો પ્રોજેક્ટ છે અને અમે ખરેખર તમને કાસ્ટ કરવા માંગીએ છીએ, આ તમારા માટે એક મોટી તક છે.’ આ પછી, જેમીએ તેને કહ્યું કે તે આ સમયે તેની સાથે વાત કરવામાં આરામદાયક નથી. આ પછી તેણે વિડિઓ બંધ કરી દીધો.
આ અનુભવથી જેમી ડરી ગઈ
બાદમાં જેમીને ખ્યાલ આવ્યો કે તેણી છેતરાઈ ગઈ હોઈ શકે છે. જેમી લીવરે કહ્યું કે જો હું તેની સામે કંઈ કરત, તો તે મારો વીડિયો બનાવત અને મને હેરાન કરી શકત. આ અનુભવથી તે ડરી ગઈ. તેણે મુંબઈમાં આ પહેલા ક્યારેય આવું કંઈ જોયું નહોતું.
નવી દિલ્હીઃ ભારત અને બ્રિટન વચ્ચે મુક્ત વેપાર કરાર (FTA) પર 24 જુલાઈએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની યાત્રા દરમિયાન હસ્તાક્ષર થયા. આ સોદો છ મેએ થયો હતો અને તેને આખરી સ્વરૂપ આપવા માટે લગભગ ત્રણ મહિના લાગ્યા. આ સમયગાળામાં કાનૂની તપાસ અને ઓટોમોબાઇલ્સ પર ટેરિફ છૂટથી સંબંધિત મુદ્દાઓને નક્કી કરવામાં આવ્યા હતા. બંને દેશો વચ્ચે દ્વિપક્ષી વેપારમાં આશરે 34 અબજ ડોલરનો વધારો થશે.
મોદી સરકારે કહ્યું હતું કે દેશનાં કપડાં, જૂતાં, સમુદ્રી ખાદ્યપદાર્થો, એન્જિનિયરિંગ સાધનો, રત્નો અને આભૂષણો બ્રિટિશ બજારમાં વધુ સરળ રીતે પહોંચી શકશે. દેશના કૃષિ અને ખાદ્ય પ્રોસેસિંગ ઉત્પાદનો માટે પણ નવી તકો ખૂલશે. આ FTA ખાસ કરીને ભારતના યુવાનો અને ખેડૂતો માટે લાભદાયક રહેશે. જ્યારે બ્રિટનના મેડિકલ ડિવાઇસ અને એરોસ્પેસ પાર્ટ્સ જેવાં ઉત્પાદનો હવે ભારતમાં ઓછી કિંમતે ઉપલબ્ધ થશે.
વાણિજ્ય મંત્રી પિયૂષ ગોયલે જણાવ્યું હતું કે આ કરાર ખેડૂતો માટે મોટી જીત છે, કારણ કે લગભગ 95 ટકા કૃષિ ઉત્પાદનો હવે શૂન્ય શુલ્ક (ડ્યુટી-ફ્રી) પર નિકાસ કરી શકાશે. સમુદ્રી ઉત્પાદનો માટે પણ 99 ટકા પર ટેરિફ રદ થઈ જશે, જે માછીમારોની આવક વધારશે.
બ્રિટિશ PM કહે છે,સૌથી મોટો કરાર
બ્રિટનના વડા પ્રધાન કિર સ્ટાર્મરે કહ્યું હતું કે આ સમજૂતી કરાર યુરોપિયન યુનિયનમાંથી બહાર આવ્યા બાદ બ્રિટન માટે “સૌથી મોટો અને આર્થિક રીતે સૌથી મહત્વપૂર્ણ” કરાર છે. આ કરાર બંને દેશો માટે લાભદાયક છે. આ કરાર મજૂરી વધારશે, જીવન સ્તર સુધારશે અને સામાન્ય નાગરિકોના ખિસ્સામાં વધુ પૈસા મૂકશે. આ રોજગાર, વેપાર, ટેરિફ ઘટાડો અને વેપારને સરળ, ઝડપી અને સસ્તું બનાવશે.
𝐀 𝐏𝐞𝐨𝐩𝐥𝐞’𝐬 𝐃𝐞𝐚𝐥 𝐁𝐞𝐠𝐢𝐧𝐬 𝐍𝐨𝐰!
PM @narendramodi signed the historic India-UK Free Trade Agreement (FTA) a game-changing pact opening new global doors for farmers, youth, MSMEs, women and professionals.
બ્રિટિશ હાઈ કમિશનના નિવેદન પ્રમાણે ભારત-બ્રિટેન વેપાર કરારથી દર વર્ષે £ 25.5 અબજના દ્વિપક્ષી વેપારમાં વધારો થવાની અપેક્ષા છે. આ કરાર હજારો નોકરીઓને પ્રોત્સાહન આપશે, ટેરિફ ઘટાડશે અને બંને દેશોના બિઝનેસ માટે બજારમાં પ્રવેશ સરળ બનાવશે.
ભારતીય નિકાસકારોને મોટો ફાયદો
આ કરારથી ભારતીય નિકાસકારોને મોટો લાભ થશે, કારણ કે લગભગ 99 ટકા ટેરિફ લાઈનો પર શૂલ્ક સમાપ્ત કરવામાં આવશે. આ લગભગ સમગ્ર વેપાર મૂલ્યને આવરી લે છે. ખાસ કરીને શ્રમ આધારિત ક્ષેત્રો જેમ કે ટેક્સટાઇલ્સ, સમુદ્રી ઉત્પાદનો, ચામડાં, જૂતાં-ચપ્પલ, રમતગમતનું સામાન, રમકડાં, રત્ન અને આભૂષણોના નિકાસમાં વધારો થશે.
અમદાવાદ: અદાણી યુનિવર્સિટીએ 21 જુલાઈ, 2025ના રોજ તેના શૈક્ષણિક ઇન્ડક્શન પ્રોગ્રામ, નવદીક્ષા 2025નું ઉદ્ઘાટન કર્યું. જેમાં બી.ટેક + એમ.બી.એ./એમ. ટેક કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓના નવા જૂથનું સ્વાગત કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ટકાઉપણું અને રાષ્ટ્ર નિર્માણ દ્વારા આકાર પામેલા નવા ઔદ્યોગિક યુગ માટે ભારતના યુવાનોને તૈયાર કરવા માટે યુનિવર્સિટીની પ્રતિબદ્ધતા પર ભાર મૂકવામાં આવ્યો.સરકારની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 અનુસાર ડિઝાઇન કરાયેલ, સંકલિત કાર્યક્રમો અદાણી યુનિવર્સિટીના ટેકનોલોજી, ઊર્જા અને માળખાગત સુવિધાઓમાં વાસ્તવિક દુનિયાના કાર્યક્રમોમાં ઊંડા વૈજ્ઞાનિક કુશળતા, બહુ-શાખાકીય શિક્ષણ અને નેતૃત્વને પ્રોત્સાહન આપવાની નીતિને પ્રતિબિંબિત કરે છે. કાર્યક્રમમાં પ્રખ્યાત મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ અને હાર્વર્ડ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી ડૉ. રામ ચરણ અને અદાણી ગ્રુપના ચીફ ટ્રાન્સફોર્મેશન ઓફિસર (CTO) સુદિપ્ત ભટ્ટાચાર્ય સહિત વૈશ્વિક વિચારશીલ નેતાઓને એકત્ર કરવામાં આવ્યા, જે સંસ્થાના વૈશ્વિક દૃષ્ટિકોણ અને રાષ્ટ્રના વિકાસ મિશનમાં મૂળિયાને મજબૂત બનાવે છે.
અદાણી યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટિના ડીન પ્રોફેસર સુનિલ ઝાએ “ભૌતિક AI” ના યુગમાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને ગણિતના વધતા મહત્વ પર ભાર મૂકીને સમારોહનું ઉદ્ઘાટન કર્યું. બેઇજિંગથી NBDSના CEO જેનસેન વોંગની વૈશ્વિક સલાહને ટાંકીને, પ્રોફેસર ઝાએ વિદ્યાર્થીઓને કોડિંગથી આગળ જોવા અને વાસ્તવિક દુનિયાના મિકેનિક્સ સમજવા વિનંતી કરી: “જેમ જેમ AI રોબોટિક્સ અને ઓટોમેશન સાથે સંકલિત થાય છે, ભૌતિક કાયદાઓને સમજવું સફળતાને વ્યાખ્યાયિત કરશે.”
ડો. રામ ચરણ ખંડોમાં છ દાયકાના અનુભવ પર પ્રતિબિંબિત થયા. તેમનો સંદેશ સરળ છતાં ગહન હતો: “તમારી ભગવાને આપેલી પ્રતિભા શોધો, તેને પ્રતિબદ્ધતા સાથે અનુસરો, અને ક્યારેય શીખવાનું બંધ ન કરો.”
સંબોધનમાં, અદાણી યુનિવર્સિટીના ડૉ. રવિ પી. સિંહે કહ્યું કે, “ભલે તમારું ધ્યાન AI, ટકાઉપણું અથવા માળખાગત સુવિધા પર હોય, તમે યોગ્ય સમયે યોગ્ય સ્થાને છો.”
ભટ્ટાચાર્યએ ભવિષ્ય માટે એક આકર્ષક રોડમેપ રજૂ કર્યો. તેમણે AI ક્રાંતિને માનવીય સમજશક્તિને પડકારવા માટેના પ્રથમ ઔદ્યોગિક પરિવર્તન તરીકે રજૂ કરી, વિદ્યાર્થીઓને બોલ્ડ, જિજ્ઞાસુ નવીનતાવાદી બનવા વિનંતી કરી. તેમણે અદાણી ગ્રુપના ચાલુ $90 બિલિયનના રોકાણના પ્રયાસને ટેકનોલોજી અને માળખાગત ક્ષેત્રમાં ભવિષ્યના વ્યાવસાયિકો માટે એક વિશાળ તક તરીકે પણ પ્રકાશિત કર્યો.
અદાણી યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉ. અમીષકુમાર વ્યાસે હૃદયપૂર્વક આભાર માનતા કાર્યક્રમનું સમાપન કર્યું, આ નવો સમૂહ સંસ્થામાં જે ઉત્સાહ અને સંભાવના લાવે છે તેની નોંધ લીધી.
પટનાઃ RJDના નેતા તેજસ્વી યાદવે ગુરુવારે કહ્યું હતું કે બિહારમાં મતદારોની યાદીની વિશેષ સમીક્ષા પ્રક્રિયા સાથે જોડાયેલી વિવાદાસ્પદ પરિસ્થિતિને પગલે તેમના પક્ષે આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાનો વિકલ્પ ખુલ્લો રાખ્યો છે. વિપક્ષના નેતાએ વિધાનસભાના ચોમાસુ સત્રના અંતિમ દિવસે વિધાનસભા બહાર પત્રકારો સાથે વાતચીત દરમિયાન આ ટિપ્પણી કરી હતી.
સત્તારૂઢ NDA આ કામગીરીને સમર્થન આપી રહ્યું છે, કારણ કે ચૂંટણી પંચ સરકારના રાજકીય કઠપૂતળી તરીકે કામ કરી રહ્યું છે. મતદાર યાદીને લઈને જે કંઈ ચાલી રહ્યું છે એ મુદ્દે અમે ગહન વિચાર કરી રહ્યા છીએ. અમે અમારા પક્ષના નેતાઓ સાથે ચર્ચા કરીશું અને ચૂંટણી બહિષ્કાર કરવાનો વિકલ્પ ખુલ્લો રાખ્યો છે. સરકાર પર કટાક્ષ કરતાં તેમણે કહ્યું હતું કે જ્યારે બધા લોકોએ સેટ આપવાનો છે તો એવી રીતે આપી દો, આવી સ્થિતિમાં ચૂંટણીનો કોઈ અર્થ નથી રહેતો.
તેજસ્વી યાદવે વધુમાં જણાવ્યું હતું કે તેઓ અને બિહારની જનતા આશા રાખી રહી હતી કે CM નીતીશકુમાર વિધાનસભામાં જવાબ આપશે, પરંતુ એવું બન્યું નહીં. સરકારના જવાબનો સીધો અર્થ એ છે કે તે ચૂંટણી પંચની પ્રક્રિયાને સાચી માને છે, જ્યારે અમને તો એમાં ગોટાળો લાગે છે.
તેમણે દાવો કર્યો હતો કે એક જ જગ્યા પર લાખો ફોર્મ ભરીને, એકબીજાની સહી કરીને તદ્દન ગેરકાયદે રીતે તેઓ ફોર્મ ભરી રહ્યા છે. આવા ઘણા વિડિયો અમારા પાસે છે અને અમે તે જાહેર પણ કર્યા છે.
VIDEO | Delhi: On RJD leader Tejashwi Yadav’s ‘may boycott Bihar elections’ statement, Union Minister Rajiv Ranjan Singh (@LalanSingh_1) says, “This means he has already accepted the defeat. He is feeling that they will lose elections. When their forgery has been exposed then… pic.twitter.com/UfTC2ChX7j
તેજસ્વી યાદવે કહ્યું કે સરકાર માત્ર આંકડાઓ પૂરા કરવા માટે આ ગોટાળા પ્રવૃત્તિને યોગ્ય ઠેરવી રહી છે. તેઓ નથી ઇચ્છતા કે ગેરકાયદે અથવા બહારથી આવેલા મતદારો મતદાન કરે. સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચ દ્વારા રજૂ કરેલા દસ્તાવેજોમાં પણ જણાવાયું છે કે કોઈ વિદેશી સામેલ નથી, છતાં પણ સરકારની ભૂમિકા શંકાસ્પદ જણાય છે, એમ તેમણે કહ્યું હતું.
રંગકર્મી અને શ્રી રામ સેન્ટરના પ્રથમ નિર્દેશક, રાજિન્દર નાથનું ગુરુવારે સવારે તેમના નિવાસસ્થાને વય-સંબંધિત બીમારીઓને કારણે અવસાન થયું. તેઓ 91 વર્ષના હતા. તેઓ છેલ્લા ત્રણ-ચાર વર્ષથી બિમાર હતા પરંતુ છેલ્લા 10 દિવસથી તેમની તબિયત વધુ બગડી ગઈ હતી. આજે સવારે તેમનું તેમના ઘરે અવસાન થયું, એવું થિયેટર નિર્દેશક અને લાંબા સમયથી સહયોગી સુભાષ ગુપ્તાએ પીટીઆઈને જણાવ્યું.
દિગ્ગજ રંગકર્મી રાજિન્દર નાથનું નિધન થયું છે. નાટ્ય જગતની હસ્તીઓ તેમના નિધન પર શૉક વ્યક્ત કરી રહી છે. નાથના પરિવારમાં એક પુત્ર અને એક પુત્રી છે.
અભિયાન થિયેટર ગ્રુપની સ્થાપના
ઓગસ્ટ 1934માં દલવાલ (હવે પાકિસ્તાનમાં) માં જન્મેલા નાથ મોટા થઈને એક અનુભવી થિયેટર કલાકાર બન્યા. તેઓ 1976-81 અને પછી 1983-89 દરમિયાન શ્રી રામ સેન્ટર ફોર પર્ફોર્મિંગ આર્ટ્સ (SRCPA) ના પ્રથમ ડિરેક્ટર હતા.
તેમણે હિન્દી થિયેટરમાં મૂળ ભારતીય સ્ક્રિપ્ટો બહાર લાવવા માટે 1967માં દિલ્હીમાં ‘અભિયાન થિયેટર ગ્રુપ’ ની સ્થાપના કરી. 2019માં જૂથનું નિર્દેશન ગુપ્તાને સોંપવામાં આવ્યું.
જોય સેનગુપ્તાએ પણ ફેસબુક પર એક પોસ્ટમાં નાથના અવસાન પર શોક વ્યક્ત કર્યો.
તેમણે લખ્યું કે,’મારા મોટા ભાઈ રાજિન્દર નાથજી, જે મારા માટે પિતા જેવા હતા અને જેમની સાથે મારો છેલ્લા 50 વર્ષથી અતૂટ સંબંધ હતો, તેઓ આજે આ દુનિયા છોડી ગયા. રંગભૂમિ અને ચળવળની દુનિયામાં તેમનું યોગદાન ક્યારેય ભૂલી શકાશે નહીં. તેઓ ઘણી યાદો પાછળ છોડી ગયા છે જેને હું જીવનભર યાદ રાખીશ. હું તમને મારા આખા જીવન, દરેક ક્ષણે યાદ રાખીશ.’
સંગીત નાટક અકાદમી તરફથી પુરસ્કાર પ્રાપ્ત
1980માં નાથે SRCPA રેપર્ટરી કંપની અને શાળાના વાર્ષિક નાટક મહોત્સવની પણ શરૂઆત કરી. 1977માં તેમને દિગ્દર્શન માટે સંગીત નાટક અકાદમી પુરસ્કારથી નવાજવામાં આવ્યા.
પ્રેસ ક્લબ ઓફ ઈન્ડિયાએ આ થિયેટર દિગ્ગજ અને તેના એક વરિષ્ઠ સભ્યના અવસાન પર “ગહન શોક” વ્યક્ત કર્યો.
બૉલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન, જેઓ મોંઘી કાર ચલાવે છે, તેમને કર્ણાટક આરટીઓ દ્વારા દંડ ફટકારવામાં આવ્યો છે. હા, તમે સાચું સાંભળ્યું. આ બંને સ્ટાર્સે રોડ ટેક્સ ભર્યો નથી, જેના કારણે તેમના નામ આરટીઓની દંડ નોટિસમાં દેખાઈ રહ્યા છે. જાણો શું છે આખો મામલો અને કોણ છે કેજીએફ બાબુ.
(Photo: IANS)
વાસ્તવમાં, રોડ ટેક્સ ન ભરવા બદલ કર્ણાટકના RTOમાં બે રોલ્સ રોયસ કારને લાખો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ બંને કાર અમિતાભ બચ્ચન અને આમિર ખાન જેવા સ્ટાર્સના નામે છે. જોકે, હાલમાં અમિતાભ કે આમિર ખાન બંને આ કારના માલિક નથી. તેના બદલે, બેંગ્લોરના ઉદ્યોગપતિ અને રાજકારણી યુસુફ શરીફ ઉર્ફે ‘KGF બાબુ’ આ કારના વર્તમાન માલિક છે. આ દંડ KGF બાબુ પર પણ લાદવામાં આવ્યો છે. કર્ણાટકમાં સ્થાનિક રોડ ટેક્સ ભર્યા વિના લક્ઝરી કાર ચલાવવા બદલ યુસુફ શરીફને હવે કુલ 38.26 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આમાંથી એક રોલ્સ રોયસ ફેન્ટમ છે, જે એક સમયે બિગ બીની હતી અને બીજી રોલ્સ રોયસ ઘોસ્ટ છે, જે પહેલા આમિર ખાનની હતી. આ બંને કાર હજુ પણ મહારાષ્ટ્રમાં બંને સુપરસ્ટારના નામે સત્તાવાર રીતે નોંધાયેલી છે. જોકે, હવે બંનેમાંથી કોઈ પણ આ કારના માલિક નથી.
પરિવહન અધિકારીઓએ માહિતી આપી હતી કે 2021થી બેંગલુરુના રસ્તાઓ પર ફેન્ટમ અને 2023થી ઘોસ્ટ જોવા મળી રહ્યા છે. કર્ણાટકના કાયદા મુજબ રાજ્યમાં એક વર્ષથી વધુ સમયથી ઉપયોગમાં લેવાતા વાહનોનું સ્થાનિક રીતે ફરીથી નોંધણી કરાવવી પડે છે અને તે મુજબ કર વસૂલવો પડે છે. પરંતુ આ બંને વાહનોએ તેમ કર્યું નથી અને બંનેનો સમય પણ સમાપ્ત થઈ ગયો છે. તેથી, RTO એ ફેન્ટમ પર 18.53 લાખ રૂપિયા અને ઘોસ્ટ પર 19.73 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
વાહનો ટ્રાન્સફર કરવામાં આવ્યા ન હતા
રસપ્રદ વાત એ છે કે બંને વાહનોની માલિકી બદલાઈ ગઈ છે, પરંતુ કાગળ પર કોઈ ફેરફાર થયો નથી. તેથી, બંને વાહનો હજુ પણ બોલિવૂડ સ્ટાર્સના નામે નોંધાયેલા છે. યુસુફ શરીફ ઉર્ફે ‘KGF બાબુ’ એ ક્યારેય વાહનો પોતાના નામે ટ્રાન્સફર કરાવ્યા નથી. RTO અધિકારીઓએ માહિતી આપી હતી કે બંને વાહનોનો સતત ઉપયોગ થઈ રહ્યો છે. પરંતુ દસ્તાવેજોના આધારે, બંને વાહનો હજુ પણ અમિતાભ બચ્ચન અને આમિર ખાનના નામે છે.