Home Blog Page 734

AMA ખાતે સાયકોલોજી કોન્ફરન્સનું આયોજન

અમદાવાદ: AMA  ખાતે “કાર્યના ભવિષ્યને આકાર આપતા મનોવૈજ્ઞાનિક પ્રવાહો” વિષય પર એક દિવસીય સાયકોલોજી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. સાયકોલોજી કોન્ફરન્સમાં મનોવિજ્ઞાન, વ્યવસ્થાપન અને સંબંધિત ક્ષેત્રોના અગ્રણી નિષ્ણાતો દ્રારા તેમના મંતવ્યો અને વિચારો રજૂ કરવામાં આવ્યા હતાં.AMA ના પ્રમુખ ડૉ. સાવન ગોડિયાવાલાએ કહ્યું, આ કોન્ફરન્સનો ઉદ્દેશ્ય આધુનિક કાર્યસ્થળના વિકસતા મનોવૈજ્ઞાનિક દૃશ્યનું અન્વેષણ કરવાનો છે, જેમાં એવી નિર્ણાયક પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે કે જે વ્યક્તિઓ અને સંસ્થાઓનું ઘડતર કરે છે અને તેમની પ્રગતિમાં કેવી રીતે ફાળો આપે છે. “બધા વિકારોને પ્રિસ્ક્રિપ્શનની જરૂર નથી. તેમાંથી ૯૦% વિકારોને ઉપચાર દ્રારા ઉકેલી શકાય છે. સકારાત્મક બનો, તમારી જાત સાથે જીવો, ક્ષણમાં જીવો.”

ડૉ. પ્રશાંત ભીમાણી, સિનિયર સાયકોલોજિસ્ટ, સ્પીકર અને લેખકે “કાર્યના ભવિષ્યને આકાર આપતા મનોવૈજ્ઞાનિક પ્રવાહો” વિષય પર મુખ્ય વક્તવ્ય આપ્યું હતું, જણાવ્યું હતું કે “દરેક છઠ્ઠો ભારતીય ચિંતાથી પીડાય છે અને દરેક ચોથો ભારતીય ડિપ્રેશનથી પીડાય છે. કાર્યનું ભવિષ્ય મૂલ્ય આધારિત સ્થિતિસ્થાપકતા, આશાવાદ અને આશા છે.”

પ્રણવ  પંડયાએ, સહ-સ્થાપક અને ચેરમેન, દેવ આઈ.ટી. લિમિટેડ; ભૂતપૂર્વ ચેરમેન અને ડાયરેક્ટર, જેશીયા આઈ.ટી. એસોસિયેશન દ્રારા “કોર્પોરેટ જીવન અને કાર્યસ્થળમાં માનસિક સુખાકારી અને સ્થિતિસ્થાપકતા” વિષય પર સંબોધન કર્યું હતું. જણાવ્યું હતું કે “આપણું કાર્ય હવે શ્રમ-પ્રધાન નથી, પરંતુ ભાવનાત્મક રીતે સઘન છે, આપણે ભાવનાત્મક ગુણોત્તર અને આધ્યાત્મિકતા પર નિર્ણાયક રીતે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.”

ડૉ. મંજુલા પૂજા શ્રોફ, MD અને CEO, કેલોરેક્સ ગ્રુપ દ્રારા “કાર્યસ્થળમાં સુખાકારી: શું આપણે ભવિષ્યના કાર્યબળને સમજીએ છીએ?” વિષય પર સંબોધન કરવામાં આવ્યું હતું અને જણાવ્યું હતું કે “આપણે એક એવી પેઢી બની ગયાં છીએ કે જે સામનો કરી શકતી નથી… છુપાવવાની આદત બની ગઈ છે અને તેથી જ તમે ‘ભૂતિયા પેઢી’ બની ગયા છો. ૧૮-૨૯ વર્ષની વય વચ્ચે ૩૫% આત્મહત્યા સોશિયલ મીડિયાને કારણે થાય છે.”

ડૉ. કામાયની માથુર, ભૂતપૂર્વ ડાયરેક્ટર અને વડા, મનોવિજ્ઞાન વિભાગ, ગુજરાત યુનિવર્સિટી; ડૉ. નીતા સિંહા, એસોસિયેટ પ્રોફેસર, સ્કૂલ ઑફ લિબરલ સ્ટડીઝ, પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી; અને મધુસૂદન મુકરજી, એસોસિયેટ પ્રોફેસર, એસ.એલ.યુ. આર્ટ્સ એન્ડ એચ. એન્ડ પી. ઠાકોર કૉલેજ ફોર ગર્લ્સ દ્રારા “કિશોરોમાં ભાવનાત્મક વિકૃતિઓ, યુવાનોમાં સુખાકારી અને માનસિક સ્વાસ્થ્ય” વિષય પર પેનલ ડિસ્કશન સંબોધવામાં આવ્યું હતું અને પેનલ ડિસ્કશનનું સંચાલન ડૉ. વિશાલ ઘુલે, ડીન, એસોસિયેટ પ્રોફેસર, I/O સાયકોલોજી, સ્કૂલ ઑફ લિબરલ આર્ટ્સ, એમ.આઈ.ટી. વર્લ્ડ પીસ યુનિવર્સિટી દ્રારા કરવામાં આવ્યું હતું. “સારું અનુભવવું અને સારું કરવું એ બંનેમાં તફાવત છે. સુખાકારી એટલે સારું થવું. બધા માટે સહાનુભૂતિ અત્યંત જરૂરી છે.”

રિધ્ધિ દોશી પટેલ, સ્થાપક – એલ.એ.જે.એ; ટેડએક્સ સ્પીકર; સર્ટિફાઇડ ચાઈલ્ડ સાયકોલોજિસ્ટ; પેરેન્ટિંગ કાઉન્સેલર; કોર્પોરેટ ટ્રેનર (માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી), ડૉ. વિશાલ ઘુલે અને ડૉ. મનીષ ચાવડા (ટ્રેનર, કન્સલ્ટન્ટ અને કાઉન્સેલર; એચઆર (સ્ટ્રેસ મેનેજમેન્ટ)માં પીએચ. ડી. દ્રારા “નેતૃત્વ માટે સહાનુભૂતિ અને ભાવનાત્મક બુધ્ધિ” વિષય પર સંબોધન કરવામાં આવ્યું હતું. સમાપન અને આભાર દર્શન ડૉ. વિશાલ ઘુલે અને રિધ્ધિ દોશી પટેલ દ્રારા કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ૩૫૦ જેટલાં મનોવિજ્ઞાન, વ્યવસ્થાપન અને સંબંધિત ક્ષેત્રોના અગ્રણી નિષ્ણાતો, સંશોધકો અને વિદ્યાર્થીઓ જોડાયા હતાં. રિધ્ધિ દોશી પટેલે જણાવ્યું હતું કે “એ.એમ.એ.ની આ પહેલ “આસ્ક મી એનિથિંગ” ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તમારી પાસે ફક્ત તમારા માટે જ કેટલાક ઉકેલો હોઈ શકે છે. તેનો હેતુ યુવાનોમાં જાગૃતિ ફેલાવવાનો અને મનોવિજ્ઞાનનો સાચો અર્થ સમજાવવાનો હતો.”

‘સૈયારા’ નવમા દિવસે 200 કરોડ ક્લબમાં સામેલ

‘સૈયારા’ ફિલ્મે બોક્સ ઓફિસ પર કબજો જમાવ્યો છે. 18 જુલાઈ 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મની શરૂઆત શાનદાર શરૂઆતથી થઈ હતી. પહેલા દિવસની કમાણી અને દર્શકોના પ્રતિભાવ પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે આ ફિલ્મ અજાયબીઓ કરશે અને આવું જ થઈ રહ્યું છે. દરરોજ નવા રેકોર્ડ બનાવતી આ ફિલ્મે આજે શનિવારે નવમા દિવસે વધુ એક સિદ્ધિ નોંધાવી છે. તે 200 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

મોહિત સુરી દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મે શરૂઆતના દિવસે 21.5 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તે માત્ર ચાર દિવસમાં 100 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મે પહેલા અઠવાડિયામાં બોક્સ ઓફિસ પર 172.75 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ગઈકાલે, શુક્રવારે, આઠમા દિવસે તેની કમાણી 18 કરોડ રૂપિયા હતી. તે જ સમયે, સમાચાર લખાય ત્યાં સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, આજે શનિવારે, ફિલ્મે અત્યાર સુધીમાં 11.21 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

ફરી એકવાર સપ્તાહના અંતે દર્શકો આ ફિલ્મ જોવા માટે ઉમટી પડ્યા છે. ભારતીય બોક્સ ઓફિસ પર ફિલ્મનું કુલ નેટ કલેક્શન 201.96 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. ફિલ્મનો ચાર્મ ફક્ત દેશમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં પણ અકબંધ છે. વિશ્વવ્યાપી કલેક્શનની દ્રષ્ટિએ તે આ વર્ષની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે.

વિશ્વવ્યાપી કમાણીની દ્રષ્ટિએ, ફક્ત વિકી કૌશલની ફિલ્મ ‘ચાવા’ જ રેસમાં તેનાથી આગળ છે. ‘સૈયારા’ એ વિશ્વવ્યાપી 278.6 કરોડ રૂપિયાનો વ્યવસાય કર્યો છે. ‘ચાવા’ નું વિશ્વવ્યાપી કલેક્શન 797.34 કરોડ રૂપિયા છે. ‘સૈયારા’ એ આ વર્ષની બાકીની ફિલ્મોને પાછળ છોડી દીધી છે. ‘સિતારે જમીન પર’, ‘હાઉસફુલ ૫’, ‘રેડ 2’ બધી પાછળ છે.

‘સૈયારા’ ફિલ્મ એક રોમેન્ટિક મ્યુઝિકલ લવ સ્ટોરી ફિલ્મ છે. યશ રાજ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મ દ્વારા અહાન પાંડે અને અનિત પદ્દા બંનેએ અભિનયની દુનિયામાં પગ મૂક્યો છે. બંનેએ પોતાની પહેલી ફિલ્મથી જ દર્શકો પર જાદુ કર્યો છે. ‘સૈયારા’ ફિલ્મનું બજેટ લગભગ 50-60 કરોડ રૂપિયા છે.

‘સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ 2025’નો પ્રારંભ

ડાંગ: ગિરિમથક સાપુતારા ખાતે 26 જુલાઈથી ‘સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ-2025’નો પ્રારંભ થયો. સમારોહ રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ, ક્લાયમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મૂળુભાઇ બેરાના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. વર્ષાઋતુની અસલી મજા, પ્રાકૃતિક સૌંદર્ય, સંસ્કૃતિ અને મનોરંજક કાર્યક્રમોની લિજ્જત માણવા પ્રવાસીઓ સાપુતારા પહોંચ્યા છે.તા.૧૭ ઓગસ્ટ સુધી દરરોજ નવા આકર્ષણ સાથે ચાલનારા આ મહોત્સવમાં એક ભારત, શ્રેષ્ઠ ભારત આધારિત પરેડ, સાંસ્કૃતિક અને સંગીત કોન્સર્ટ, ક્રાફટ અને આદિવાસી કલા વર્કશોપ, આઉટડોર અને સાહસિક પ્રવૃતિઓ, સ્થાનિક વ્યંજનો અને નેચર ટ્રેઈલ તેમજ રેઇન ડાન્સ અને સેલ્ફી પોઇન્ટ જેવાં આકર્ષણો સાથે ઉત્સવની શરૂઆત કરવામાં આવી.મૂળુભાઇ બેરાએ આ પ્રાસંગે જણાવ્યું, આપના સૌના મનોરંજન માટે આ ફેસ્ટિવલમાં દૈનિક સાંસ્કૃતિક કાર્યક્રમો, નવા-નવા આકર્ષણોનું આયોજન કરવામાં આવ્યું છે. સાપુતારાનો લેક ગાર્ડન, ગવર્નર હિલ, સનસેટ પોઇન્ટ જેવા રમણીય સ્થળો સાથે વારસો, વૈવિધ્ય અને સંસ્કૃતિના સમન્વય કરી આપ સૌ પ્રવાસીઓ માટે ભવ્ય આયોજનનો લાભ લો તેવી સૌને શુભેચ્છા.આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગના રાજ્ય મંત્રી તેમજ ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઇ હળપતિ પણ ઉદ્ઘાટન સમારોહમાં હાજર હતા. તેમણે જણાવ્યું કે સાપુતારા જેવું નાનકડું ગામ આજે વિશ્વના નકશામાં ઉભરી આવ્યું છે. સરકારે અહીંના આદિવાસી ભાઈઓ અને બહેનો માટે અનેકવિધ યોજનાઓ લાગુ પાડી છે તેમજ પ્રવાસીઓને આકર્ષવા કેટકેટલી સુવિધાઓ રજૂ કરી છે.ઉદ્ઘાટન સમારોહની સાથે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 13 રાજ્યના 110 કલાકારો સહિતનું નેશનલ એવોર્ડી કોરિયોગ્રાફી નૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. તેમજ સ્થાનિક કલાકારો દ્વારા ડાંગી નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું.

ચૂંટણી પહેલાં ચિરાગ પાસવાન ખેલો કરશે?

પટનાઃ બિહાર વિધાનસભાની ચૂંટણીઓ આ વર્ષની અંતે યોજાવાની છે અને એ પહેલાં રાજ્યમાં કાયદો વ્યવસ્થાને મુદ્દે રાજકીય ગરમાટો છે. તાજેતરમાં થયેલી હત્યાઓ અને ગુનાઓના નવા બનાવોને કારણે CM નીતીશકુમાર પર જ્યાં વિપક્ષમાં બેઠેલી RJD અને કોંગ્રેસ તો નિશાન સાધી રહી છે, ત્યાં હવે NDAના સાથી ચિરાગ પાસવાને પણ મોરચો ખોલી દીધો છે.

ચિરાગ પાસવાને નીતીશકુમારની સરકાર પર હુમલો કરતાં કહ્યું હતું કે મને દુઃખ છે કે હું એવી સરકારને સમર્થન આપી રહ્યો છું જ્યાં ગુનાઓ બેકાબૂ થયા છે.

તેમણે કહ્યું હતું કે કાયદો અને વ્યવસ્થાને કાબૂમાં લાવવી બહુ જરૂરી છે, નહિતર પરિણામ ખરાબ આવી શકે છે. તેમણે વહીવટી તંત્ર પર આરોપ મૂકતાં કહ્યું હતું કે રાજ્યમાં અપરાધીઓ સામે વહીવટી તંત્ર નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે. ચિરાગે કહ્યું હતું કે રાજ્યમાં હત્યા, બળાત્કાર, સામૂહિક બળાત્કાર, દાકૂતી, ચોરી અને છેડાછાડ જેવા ગુનાઓ સતત વધી રહ્યા છે.

આવી ઘટનાઓ કેમ થઈ રહી છે?
જોકે ચિરાગ પાસવાને એ પણ સ્વીકાર્યું છે કે કાર્યવાહી અને ધરપકડ થઈ રહી છે, પરંતુ પ્રશ્ન છે કે આવી ઘટનાઓ સતત કેમ થઈ રહી છે?

તેમણે કહ્યું હતું  કે ગુનાઓનો એક સિલસિલો થઈ રહ્યો છે. જો આવું જ ચાલુ રહેશે તો સ્થિતિ ભયાનક બને એવી શક્યતા છે.ખરેખર સ્થિતિ ભયજનક બની ગઈ છે.

તેમણે આગળ કહ્યું હતું કે જો કોઈ કહે કે આ ચૂંટણીને ધ્યાનમાં રાખીને થઈ રહ્યું છે, તો તે પણ સંભવ છે – આ સરકારને બદનામ કરવાનું કાવતરું પણ હોઈ શકે છે, પણ તેમ છતાં તેને રોકવું એ વહીવટી તંત્રની જવાબદારી છે.

શું ફરાહ ખાને દીપિકા પાદુકોણની આઠ કલાકની વર્કિંગ શિફ્ટ પર કટાક્ષ કર્યો?

ફરાહ ખાને તેના તાજેતરના વ્લોગમાં રાધિકા મદાન સાથે વાત કરતી વખતે કામના કલાકો વિશે વાત કરી હતી. રાધિકાના શૂટિંગના સમય વિશે જાણીને તે ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. તેણે આ માટે રાધિકાની પ્રશંસા કરી હતી. ઉપરાંત, ફરાહે કરેલી ટિપ્પણી પરથી એવું લાગે છે કે તે દીપિકા પાદુકોણની આઠ કલાક કામ કરવાની માંગને સમર્થન આપી રહી નથી.

ફરાહ ખાન તેના યુટ્યુબ ચેનલના વ્લોગ માટે સેલિબ્રિટીઓના ઘરે કોઈ એક વાનગી બનાવે છે. તે સેલિબ્રિટીઓ સાથે રસોઈ બનાવે છે અને તેમની કારકિર્દી વિશે વાત કરે છે. તાજેતરમાં ફરાહ ખાન ટીવી પરથી ફિલ્મોમાં આવેલી અભિનેત્રી રાધિકા મદાનના ઘરે ગઈ હતી. વ્લોગમાં રાધિકા સાથે વાત કરતી વખતે ફરાહે પૂછ્યું,’શું તમારી ટીવી સિરિયલના દિવસોમાં તમારી પાસે 8 કલાકની શિફ્ટ નહોતી?’ રાધિકાએ જવાબ આપ્યો, ‘અમે 48 થી 56 કલાક સુધી બ્રેક વગર શૂટિંગ કરતા હતા.’ આ સાંભળીને ફરાહે કહ્યું, ‘સોનું ફક્ત આવી જ રીતે તપીને બને છે.’ ફરાહનું આ નિવેદન દર્શાવે છે કે તે આઠ કલાકની શૂટિંગ શિફ્ટને ટેકો આપી રહી નથી. આ રીતે તે દીપિકાને ટેકો આપતી પણ જોવા મળતી નથી.

તમને જણાવી દઈએ કે ફરાહ ખાને શાહરુખ ખાન સાથે ‘ઓમ શાંતિ ઓમ (2007)’ ફિલ્મ બનાવી હતી, જેમાં દીપિકા પાદુકોણને હીરોઈન તરીકે કાસ્ટ કરવામાં આવી હતી, આ દીપિકાની બોલિવૂડમાં પહેલી ફિલ્મ હતી. આ ફિલ્મે દીપિકા પાદુકોણને બોલિવૂડમાં સ્ટાર બનાવી હતી. આજે પણ ફરાહ ખાન અને દીપિકા પાદુકોણ વચ્ચે સારું બોન્ડિંગ છે.

સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ ‘સ્પિરિટ’માં કામ કરતી વખતે દીપિકા પાદુકોણે માંગ કરી હતી કે તેણી ફક્ત 6 થી 8 કલાક શૂટિંગ કરે. વાસ્તવમાં, તે તેની પુત્રીને સમય આપવા માંગતી હતી અને આખો સમય શૂટિંગમાં રહેવા માંગતી ન હતી. આ પછી, તેણીને ફિલ્મ ‘સ્પિરિટ’માંથી બદલીને તૃપ્તિ ડિમરીને લેવામાં આવી. સંદીપ રેડ્ડીએ બાદમાં એક સોશિયલ મીડિયા પોસ્ટ કરી જેમાં તેણે દીપિકા વિશે ખરાબ વાતો પણ કહી. આ પછી જ આ વિવાદ શરૂ થયો. આ સાથે, માતા બનેલી હિરોઇનોને આઠ કલાક શૂટિંગ કરવાની માંગ વધવા લાગી.

મહિલાઓનો તૂટ્યો વિશ્વાસ, 72000 ખાનગી સેલ્ફી લીક

નવી દિલ્હીઃ મહિલાઓ માટે ઉપલબ્ધ ડેટિંગ એડવાઇસ ટી એપ Tea Appને યુઝર ફોરમ 4chan દ્વારા હેક કરવામાં આવ્યો હતો. આ એપ સીન કુક દ્વારા બનાવવામાં આવી છે. આ એપ પર ઘણા એવા યુઝર્સ છે જેમની ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે. હાલમાં એવા સમાચાર આવ્યા છે કે આ યુઝર્સના ડેટામાં ઘૂસણખોરી થઈ છે અને આશરે 72,000 વેરિફિકેશન સેલ્ફી લીક થયાની માહિતી સામે આવી છે.

સોશિયલ મિડિયા પર વાયરલ થયેલી પોસ્ટમાં સાઇનઅપ દરમિયાન અપલોડ કરેલી ખાનગી તસવીરોનું એક્સેસ જોવા મળ્યું છે, જેમાં સરકારી ઓળખપત્ર જેવી સંવેદનશીલ માહિતી પણ સામેલ છે. Tea Appની સિક્યોરિટી ચેતવણીમાં લખાયું હતું કે રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં વેરિફિકેશન માટે યુઝર્સને સેલ્ફી અપલોડ કરવી ફરજિયાત છે. આ ફોટા સુરક્ષિત રીતે પ્રોસેસ કરવામાં આવે છે અને ફક્ત તાત્કાલિક સમય માટે જ સ્ટોર થાય છે અને વેરિફિકેશન થયા પછી તરત જ ડિલીટ કરવામાં આવે છે, પરંતુ હવે આ સેલ્ફીઓ લીક થયા બાદ ચિંતાનું વાતાવરણ છવાયું છે.

Tea Appનું નિવેદન

Tea Appના સ્થાપક સીન કુકે જણાવ્યું હતું કે હેકરે તેમની એક સિસ્ટમ સુધી ઓથોરાઇઝ્ડ એક્સેસ મેળવી લીધી હતી, જેને કારણે આ ભૂલ થઈ હોવાની શક્યતા છે. આ મામલે ઔપચારિક તપાસ શરૂ કરવામાં આવી છે. કેટલાય યુઝર્સે દાવો કર્યો છે કે આ ભંગાણનું મુખ્ય કારણ Tea Appની Firebase કોન્ફિગરેશનમાં ખામી હતી. એક યુઝરે કહ્યું હતું  કે આ તો કેસ લાયક બાબત છે, કારણ કે તેમણે આ બધું ખુલ્લા ડેટાબેસમાં સ્ટોર કર્યું હતું, જે ઇન્ટરનેટ પર સીધું જ ઉપલબ્ધ હતું. જેમને URL લિંક મળી ગઈ હોય તેઓ કોઈ પણ સમય તેમાં પ્રવેશ મેળવી શકતા હતા. તેમાં કોઇ પણ પ્રકારની સુરક્ષા ન હતી.

રાજ્ય સરકારનો શિક્ષકોની ભરતી મુદ્દે મહત્વનો નિર્ણય

શિક્ષકોની ભરતી મુદ્દે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં શાળાઓમાં શિક્ષકોની ઘટ્ટ સામે હવે નિવૃત્ત શિક્ષકોને માનદ વેતન સાથે ફરજ સોંપવામાં આવશે. રાજ્યમાં કચ્છ સહિતના જિલ્લાના અનેક શાળાઓમાં શિક્ષકોની ઘટ છે, ત્યારે કાયમી શિક્ષકો, જ્ઞાન સહાયકોની નિમણૂક બાદ હવે ખાલી રહેતી જગ્યા પર નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવાને લઈને શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો છે.

શિક્ષણ વિભાગે શૈક્ષણિક કાર્ય ખોરવાય નહીં તે માટે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે નિવૃત્ત શિક્ષકોને માનદવેતનથી ભરતી કરવાનો નિર્ણય કર્યો છે. જો કે તેને કાયમી શિક્ષક કે ફિક્સ પગારમાં કામ કરતા શિક્ષકોને મળતા એકપણ લાભ મળવા પાત્ર રહેશે નહીં.

હવામાન વિભાગની મોટી આગાહી, 5 જિલ્લા માટે રેડ એલર્ટ

રાજ્યમાં વરસાદને લઈને ફરી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હાલમાં સતત વરસાદથી હવામાનમાં થોડો બદલાવ જોવા મળ્યો છે. આવનારા દિવસોમાં પણ આવું જ જોવા મળશે. જો કે આઈએમડીએ કેટલાય જિલ્લામાં વરસાદની ચેતવણી જાહેર કરી છે. હાલમાં ચોમાસામાં કોઈ એક્ટિવિટી પણ નથી. આ અગાઉ રાજ્યમાં ચોમાસું અચાનક આવ્યું, જેમાં કેટલીય જગ્યાએ કમોસમી વરસાદ જોવા મળ્યો હતો.

હવામાન વિભાગે રાજ્યના દમણ, દાદરા, ડાંગ, નવસારી, વલસાડ અને નગર હવેલીમાં ખૂબ જ ભારે વરસાદની આગાહી કરી છે. આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તે જ સમયે, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, સુરતમાં આજે ભારે વરસાદ પડશે. આ ઉપરાંત, અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, પંચમહાલ, દાહોદમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, બોટાદ, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, દીવ અને કચ્છમાં પણ હળવા વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.

હવામાન વિભાગે 27 જુલાઈએ નર્મદા, દાહોદ, છોટા ઉદેપુર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે.તે સાથે જ અરવલ્લી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, વડોદરા, પંચમહાલ, સુરચ, ભરૂચમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 28મી જુલાઈએ ખેડા, વડોદરા, પંચમહાલ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, નર્મદા, સુરત, તાપી, નવસારી જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી છે. 29 જુલાઈએ વલસાડ, દાહોદ, અમરેલી, ભાવનગર, નવસારી, મહિસાગર અને સાબરકાંઠામાં યલો એલર્ટ છે. તે જ સમયે, 30-31 જુલાઈના રોજ, સૌરાષ્ટ્ર, કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, જામનગર, ખેડા, વડોદરા અને સમગ્ર મધ્ય ગુજરાતમાં ઘણા સ્થળોએ હળવા વરસાદની સંભાવના છે.

ક્યા પ્રયત્નોએ અમદાવાદને બનાવ્યું સ્વચ્છ શહેર?

કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2024 એવોર્ડમાં આ વખતે 10 લાખ કરતાં વધુ વસતિ ધરાવતાં સૌથી સ્વચ્છ શહેરોની કેટેગરીમાં અમદાવાદે બાજી મારી. આજે અમારા ‘છોટી સી મુલાકાત’ વિભાગમાં અમે અમદાવાદના મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાની સાથે વાતચીત કરીને જાણવાનો પ્રયત્ન કર્યો કે આખરે એ ક્યા પ્રયાસો હતા, જેના પગલે શહેર સ્વચ્છતામાં અગ્રેસર બન્યું!

 

 

ચિત્રલેખા.કોમઃ શહેરને વધારે સ્વચ્છ બનાવવા માટે કઈ નવી ટેક્નોલોજી અને પદ્ધતિઓ અપનાવવામાં આવી ?

બંછાનિધિ પાની: RRR એટલે કે રિડયુઝ, રિયુઝ, રિસાયકલ થીમ આધારિત શહેરમાં મોબાઈલ RRR વાન અને સાત RRR સેન્ટરો શરૂ કરવામાં આવ્યા, જ્યાં નાગરિકો પોતાની જૂની ચીજ-વસ્તુઓને આપી શકે છે. આ વસ્તુઓને જરૂરિયાતવાળા લોકોને આપવામાં આવે છે, જેથી શહેરમાં કચરાની માત્રામાં ઘટાડો થયો.

  • ડોર ટુ ડોર સિસ્ટમ હેઠળ 1,850 જેટલાં વાહનો મૂકવામાં આવ્યા, સાથે-સાથે નવી ટેક્નોલૉજીવાળી ઇ-રીક્ષા પ્રકારના વાહનો પણ નાના રસ્તાઓ ધરાવતી સોસાયટીઓનાં કવરેજ માટે મૂકવામાં આવ્યા.
  • શહેરમાં 9,000 કરતાં વધુ મેન્યુઅલ સફાઈ કામદારો અને 4,800 કોન્ટ્રાક્ટ સફાઈ કામદારો દ્વારા દૈનિક ધોરણે રેસિડેન્શિયલ વિસ્તારોમાં એકવાર અને કોમર્શિયલ વિસ્તારોમાં બે વાર ખાસ કરીને રાત્રિના સમયે મુખ્ય માર્ગોની સફાઈ કરવામાં આવી.
  • સાબરમતી નદીની સફાઈ માટે અધતન ટેક્નોલોજીવાળા ટ્રેશ સ્ક્રીમર મશીન મૂકવામાં આવ્યા. શહેરમાં ન્યૂસન્સ કરતાં ઇસમો-એકમોને ઓનલાઈન m-challan કાર્યવાહી પારદર્શિતા સુનિશ્વિત કરે છે.
  • શહેરમાં નાગરિકો – વાહનો દ્વારા જાહેર રસ્તાઓ ઉપર કચરો છૂટો નાંખવામાં આવતો હોય, તેવાં 283થી વધારે ન્યૂસન્સ પોઈન્ટો CCTV મારફતે રોજે-રોજ મોનિટરિંગ કરવામાં આવે છે.
  • ટ્રાફિક જંકશનો ઉપર વાહનો ઉપરથી રસ્તા ઉપર પાન-મસાલા ખાઈ થૂંકતા ઇસમો સામે ઇ-મેમો જનરેટ કરવાની કાર્યપ્રણાલી પણ અમલવારીમાં છે.
  • સી એન્ડ ડી વેસ્ટનાં વિના મૂલ્યે નિકાલ માટે 25 કલેક્શન સેન્ટરોની સાથે-સાથે નાગરિકો માટે ઉપયોગી એવું હેંડશેક મોડયુલ પણ કાર્યરત કરવામાં આવેલ છે.

જાહેર જનતાની ભાગીદારી કેટલી મહત્વની રહી? લોકોના સહકાર મેળવવા શું ખાસ અભિયાનો ચલાવ્યા?

સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી વિવિધ જન જાગૃતિ કાર્યક્રમો હાથ ધરવામાં આવેલ છે. જેમાં ‘ગ્રીન સ્વચ્છ સોસાયટી લીગ’ હેઠળ 6,000થી વધારે સોસાયટીઓને આવરી લઈ વોર્ડ, ઝોન અને શહેર કક્ષાએ કરેલ સ્પર્ધાત્મક હરીફાઈ મુખ્ય પરિબળ બની.

  • જાગૃતિ લાવવાના હેતુથી વિવિધ જન જાગૃતિ કાર્યક્રમો હાથ ધરવામાં આવેલ છે. જેમાં ‘ઇ-શપથ’ કાર્યક્રમની શરૂઆત પણ કરવામાં આવેલ છે આ કાર્યક્રમ અંતર્ગત, અત્યાર સુધીમાં 11 લાખથી વધારે નાગરિકો ડિજિટલ માધ્યમ દ્વારા શપથ લઈ ચૂક્યા છે. જે સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ માટે AMCના પ્રયાસોને મજબૂતી આપે છે.
  • માય સિટી, માય પ્રાઇડ અભિયાન હેઠળ વિવિધ ઝુંબેશોમાં છેલ્લાં એક વર્ષમાં લાખો નાગરિકો, સામાજિક સંસ્થાનાં પ્રતિનિધીઓ અને NGO તેમજ ધાર્મિક સંસ્થાઓ દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત મોટાપાયા ઉપર શ્રમદાન કરી શહેરને સ્વચ્છ બનાવેલ છે.

પિરાણા લેન્ડફિલ સાઈટના રીમેડિએશન અંગે વધુ માહિતી આપો. કામગીરી કેટલાં સમયમાં અને કેવી રીતે પૂર્ણ થઈ?

વર્ષ 1980થી પિરાણા ડમ્પ સાઈટ અમદાવાદ શહેરનો દૈનિક ધોરણે કચરાનો નિકાલ કરવામાં આવતો હતો. જેના મોટા બે ઢગલાઓના બાયો રિમેડિએશન માટે વર્ષ 2019થી કામગીરી શરૂ કરવામાં આવી હતી અને ડિસેમ્બર-2024 સુધીમાં તે કામગીરી પૂર્ણ કરવામાં આવી. વર્ષ 1980થી પિરાણા ડમ્પ સાઇટનો દૈનિક ધોરણે કચરાનો નિકાલ કરવામાં આવતો હતો. આ કામગીરીમાં 60 જેટલાં ટ્રોમેલ મશીનો મૂકવામાં આવેલ હતા અને લગભગ 125 લાખ મેટ્રિક ટનથી વધુ જૂના કચરાનું બાયોમાઇનિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 45 એકર જેટલી જમીન ખુલ્લી કરવામાં આવી, જે પૈકી નીકળતા ઇનર્ટ-માટીને ધોલેરા એકસપ્રેસ હાઇવે ખાતે પુરાણ માટે ઉપયોગ કરવામાં આવેલ છે.

આ ઉપરાંત RDF મટિરિયલ માટેનો પ્રોસેસીંગ પ્લાન્ટ કાર્યરત છે, જેમાં RDF પ્રોસેસ કરી સિમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં બળતણ માટે મોકલી આપવામાં આવેલ છે. પિરાણા બાયોમાઈનીંગ પ્રક્રિયામાં નાગરિકોની સુવિધા માટે એર ક્વોલિટી માટે મિસ્ટ વાન વાહનો પણ ઉપયોગમાં લેવામાં આવે છે.

આ પુરસ્કારથી AMCની જવાબદારી વધી છે, હવે આગળના લક્ષ્યાંકો શું રહેશે?

અમદાવાદ શહેરને સંપૂર્ણપણે પ્રતિબંધીત પ્લાસ્ટીક ફ્રી કરવાનો લક્ષ્યાંક છે.

  • શહેરમાં ઘરના સ્તરે 100% સૂકો અને ભીનો કચરો અલગ કરવાની પ્રક્રિયાને વધુ મજબૂત બનાવાશે.
  • વેસ્ટ-ટુ-એનર્જી પ્રોજેક્ટ્સ દ્વારા ઓર્ગેનિક કચરાથી ઊર્જા અને ખાતર ઉત્પન્ન કરવા વધુ પ્રયાસ થશે.
  • ટેકનોલોજી આધારિત મોનિટરિંગ જેવી કે GPS અને AI વડે સફાઈ કામગીરીને વધુ અસરકારક બનાવવામાં આવશે.
  • નાગરિકો અને શૈક્ષણિક સંસ્થાઓની સહભાગિતા વધારવા માટે વ્યાપક જાગૃતિ અભિયાનો ચલાવવામાં આવશે.
  • શહેરમાં સોસાયટીઓની સાથે-સાથે વિવિધ વાણિજયક એકમોને પણ સ્વચ્છતા અંગે પ્રોત્સાહિત કરવા માટે ‘ગ્રીન સ્વચ્છ સોસાયટી લીગ 0’ શરૂ કરવામાં આવશે.

અમદાવાદના નાગરિકોને તમારે શું સંદેશ આપવો છે? ખાસ કરીને સ્વચ્છતા જાળવવા અંગે.

સૌએ ઘરમાંથી કચરો સૂકો અને ભીનો અલગ કરીને આપવો, જાહેર સ્થળે કચરો ન ફેંકવો અને સ્વચ્છતા જાળવવા માટે અન્યને પ્રેરિત કરવાં જોઈએ. સાથે જ સફાઈ કામદારોના પરિશ્રમનું સન્માન કરી તેમને સહકાર આપવો જોઈએ. “મારું શહેર, મારી જવાબદારી”ના સિદ્ધાંતને સમજીને આપણે એક સ્વચ્છ, આરોગ્યદાયક અને ગૌરવભર્યું અમદાવાદ બનાવી શકીએ, જ્યાં સફાઈ ફક્ત અભિયાન નહીં પરંતુ એક સંસ્કાર બને.

(રાધિકા રાઓલ – અમદાવાદ)

ફિલ્મ સ્ક્રીનિંગમાં દિગ્દર્શકને ચપ્પલ મારનાર અભિનેત્રી રુચિ ગુર્જર કોણ છે?

મુંબઈમાં, અભિનેત્રી રૂચિ ગુર્જરે એક શોના સ્ક્રીનિંગ દરમિયાન નિર્માતા-દિગ્દર્શક માન સિંહને ચંપલથી માર માર્યો હતો. તે ગુસ્સે થતી પણ જોવા મળી રહી છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેણીએ નિર્માતા પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. જાણો શું છે આખી ઘટના?

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયો મુંબઈના એક થિયેટરમાં ‘સો લોંગ વેલી’ ફિલ્મના સ્ક્રીનિંગનો છે, જેમાં અભિનેત્રી રૂચિ ગુર્જર નિર્માતાઓ સાથે દલીલ કરતી વખતે બૂમો પાડતી જોવા મળે છે. આ પછી તે ગુસ્સે થઈ જાય છે અને નિર્માતા માન સિંહ પર ચંપલથી હુમલો કરે છે. આ ઉપરાંત, વીડિયોમાં જોવા મળ્યું હતું કે અભિનેત્રીના સમર્થકો નિર્માતાના આગામી પ્રોજેક્ટના પોસ્ટરો પકડીને રાખેલા જોવા મળે છે, જેના પર લાલ ક્રોસનું નિશાન પણ છે. કેટલાક પોસ્ટરોમાં, નિર્માતાઓને ગધેડા પર બેઠેલા દર્શાવવામાં આવ્યા છે. આ બતાવે છે કે અભિનેત્રી વિરોધ કરવાના ઇરાદાથી ત્યાં પહોંચી હતી.

અભિનેત્રી રુચિ ગુર્જરે ઓશિવારા પોલીસ સ્ટેશનમાં નિર્માતા કરણ સિંહ ચૌહાણ વિરુદ્ધ 25 લાખ રૂપિયાની છેતરપિંડીનો આરોપ લગાવીને FIR નોંધાવી છે. અભિનેત્રીએ દાવો કર્યો છે કે તેણે આ પૈસા કરણ ચૌહાણની કંપનીના સ્ટુડિયો એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by SpotlightBollywood (@spotlightbolly)

આ સમગ્ર મામલો 2023 માં શરૂ થયો હતો, જ્યારે રુચિ ગુર્જર કરણ સિંહ ચૌહાણને મળી હતી. અભિનેત્રીએ આરોપ લગાવ્યો હતો કે કરણે તેનો પરિચય નાઝિયા શેખ નામની મહિલા સાથે કરાવ્યો હતો અને દાવો કર્યો હતો કે તે સોની ટીવીમાં કામ કરે છે અને તેની પ્રસ્તાવિત સિરિયલને મંજૂરી આપશે. ઉપરાંત, નિર્માતાએ અભિનેત્રીને તેના આગામી પ્રોજેક્ટમાં સહ-નિર્માતા તરીકે ઉમેરવાની વાત કરી હતી. આ પછી, કરણે અભિનેત્રી પાસેથી સિરિયલ બનાવવા માટે પૈસા માંગ્યા અને અભિનેત્રીએ અનેક હપ્તામાં કુલ 25 લાખ રૂપિયા આપ્યા. જોકે, જ્યારે અભિનેત્રીને સિરિયલના નિર્માણ વિશે કોઈ માહિતી મળી નહીં, ત્યારે રુચિએ મહિલા સાથે વાત કરી, પછી તેણે કહ્યું કે તે કોઈ પ્રોજેક્ટમાં સામેલ નથી. આ પછી અભિનેત્રીને લાગ્યું કે આ બધું છેતરપિંડીનો કેસ છે અને તેણે તેના પર કાર્યવાહી શરૂ કરી.

રૂચી ગુજ્જર કોણ છે?
રૂચી ગુજ્જર 2023 માં મિસ હરિયાણા બની ચૂકી છે.તે એક મોડેલ અને અભિનેત્રી છે. ગ્લેમર ઉપરાંત, રૂચી ગુજ્જર ભારતના મનોરંજન ઉદ્યોગમાં પોતાની ઓળખ બનાવી રહી છે. રૂચી જયપુરની મહારાણી કોલેજમાંથી સ્નાતક થઈછે. આ પછી, તે અભિનયની દુનિયામાં કારકિર્દી બનાવવાના પોતાના સ્વપ્નને પૂર્ણ કરવા માટે મુંબઈ આવી હતી. રૂચી ગુજ્જર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2025 માં તેના ડ્રેસને કારણે ચર્ચામાં આવી હતી. કાન્સમાં અભિનેત્રી પીએમ મોદીના ફોટા વાળો હાર પહેરી પહોંચી હતી. ત્યાર બાદ તે ખૂબ ચર્ચામાં આવી હતી.