Home Blog Page 5654

પીઢ ફિલ્મ, ટેલિવિઝન, રંગભૂમિ અભિનેતા ટોમ ઓલ્ટરને કેન્સર છે; મુંબઈની સૈફી હોસ્પિટલમાં દાખલ

મુંબઈ – હિન્દી ફિલ્મો તેમજ ટીવી સિરિયલો અને રંગભૂમિના જાણીતા અભિનેતા ટોમ ઓલ્ટરને કેન્સર થયું છે. આ ‘પદ્મશ્રી’ સમ્માનિત અભિનેતાને દક્ષિણ મુંબઈના ચર્નીરોડ સ્થિત સૈફી હોસ્પિટલમાં એક અઠવાડિયાથી દાખલ કરવામાં આવ્યા છે. એમના પરિવારે આ દુખદ સમાચાર આજે શેર કર્યા છે.

67 વર્ષીય ટોમ ઓલ્ટર સૈફી હોસ્પિટલમાં નિષ્ણાત ડોક્ટરના સુપરવિઝન અને સારવાર હેઠળ છે.

ઓલ્ટર પુણેની ફિલ્મ ઈન્સ્ટિટ્યૂટમાંથી એક્ટિંગમાં ગોલ્ડ મેડલ સાથે ડિપ્લોમા ગ્રેજ્યુએટ થયા હતા. એમણે 300થી વધુ ફિલ્મો ઉપરાંત અનેક ટીવી શોમાં એક્ટિંગ કરી છે.

સચિન તેંડુલકરે જ્યારે ભારત વતી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું ત્યારે એમનો ઈન્ટરવ્યૂ લેનાર ટોમ ઓલ્ટર પહેલા વ્યક્તિ હતા.

ઓલ્ટર લેખક પણ છે, એમણે ત્રણ પુસ્તક પણ લખ્યા છે.

કળા તથા ફિલ્મના ક્ષેત્રમાં પ્રદાન કરવા બદલ 2008માં ભારત સરકારે એમને ‘પદ્મશ્રી’ ઈલકાબ આપીને એમનું સમ્માન કર્યું હતું.

શેરબજારમાં તેજીની આગેકૂચઃ ભારે લેવાલીથી સેન્સેક્સમાં 276 પોઈન્ટનો ઉછાળો, 32,100ની સપાટી કૂદાવી

અમદાવાદ– શેરબજારમાં બીજા દિવસે તેજીની આગેકૂચ રહી હતી. અમેરિકન સ્ટોક માર્કેટની મજબૂતી પાછળ એશિયાઈ અને યુરોપિયન સ્ટોક માર્કેટ પ્લસ હતા. આથી ભારતીય શેરબજારમાં નવા વિશ્વાસનું વાતાવરણ સર્જાયું હતું, અને તેજીવાળા ખેલાડીઓએ નવી લેવાલી ચાલુ રાખી હતી. આજે બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સે 32,000ની સપાટી કૂદાવી દીધી હતી. ગઈકાલે સોમવારે નિફટીએ 10,000ની અતિમહત્વની સપાટી વટાવી હતી. ટ્રેડિંગ સેશનને અંતે બીએસઈ સેન્સેક્સ વધુ 276.50(0.87 ટકા) ઉછળી 32,158.66 બંધ રહ્યો હતો. અને એનએસઈ નિફટી ઈન્ડેક્સ 87(0.87 ટકા) ઉછળી 10,093.05 બંધ થયો હતો.

અમેરિકામાં આવેલ ઈરમા વાવાઝોડું નબળુ પડી ગયું છે, જે સમાચારને પગલે અમેરિકી સ્ટોક માર્કેટમાં તેજીનો ઉત્સાહ જોવા મળ્યો હતો. ડાઉ જોન્સ 260 પોઈન્ટ ઉછળીને 22,057 બંધ રહ્યો હતો. નેસ્ડેક 72 પોઈન્ટ ઉછળી 6,432 બંધ થયો હતો. તેની પાછળ એશિયાઈ સ્ટોક માર્કેટ સવારે પોઝિટિન નોટમાં ખુલ્યા હતા. તેમજ ઉત્તર કોરિયા પર પ્રતિબંધને લઈને અમેરિકાએ કુણું વલણ રાખ્યું છે, જેથી રોકાણકારોમાં નવા વિશ્વાસનું વાતાવરણ સર્જાયું હતું. પરિણામે વિશ્વના સ્ટોક માર્કેટમાં ન્યૂ બાઈંગ આવ્યું હતું. જુલાઈ મહિનાનો આઈઆઈપી ડેટા પ્રોત્સાહક આવવાનો આશાવાદ હતો. તેમજ ઓગસ્ટનો રીટેઈલ મોંઘવારી દર વધવાની ધારણા રજૂ કરાઈ છે.

  • આજે તમામ સેકટરના શેરોમાં ભારે લેવાલી રહી હતી.
  • તમામ સેકટરના ઈન્ડેક્સ પ્લસ બંધ રહ્યા હતા.
  • રોકડાના શેરોમાં પણ લેવાલી ચાલુ રહી હતી. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 171.21 વધી 16,037.09 બંધ રહ્યો હતો.
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 166.14 ઉછળી 16,617.84 બંધ થયો હતો.

ડોકલામ વિવાદ બાદ હવે નાથૂ લા અંગે ચર્ચા કરવા ચીન તૈયાર

બિજીંગ- ડોકલામ વિવાદ શરુ થાયાના થોડા દિવસોમાં જ ચીને ભારતીયો માટે કૈલાશ માનસરોવર યાત્રા માટે નાથૂ લા પાસ બંધ કરવાની જાહેરાત કરી હતી. આમ કરવા પાછળનું કારણ ભારત પર રાજકીય રીતે દબાણ લાવવાનું હતું. જેથી ભારત ડોકલામમાંથી સેના પરત બોલવવા મજબૂર થાય.

જોકે ડોકલામ મુદ્દે ભારત સામે કૂટનીતિક પરાજય અને ભારતને મળેલા વૈશ્વિક સમર્થનને કારણે ચીનને પોતાનું વલણ બદલવાની ફરજ પડી છે. ચીને હવે કૈલાશ માનસરોવર યાત્રા માટે નાથૂ લા માર્ગ ફરી ખોલવા ભારત સાથે ચર્ચા કરવા તૈયારી દર્શાવી છે.

આપને જણાવી દઈએ કે, સિક્કીમ થઈને પસાર થતો કૈલાશ માનસરોવર યાત્રાનો રસ્તો ચીને ડોકલામ વિવાદને કારણે બંધ કર્યો હતો. આ માર્ગ ઉત્તરાખંડના લિપુલેખ થઈને પસાર થતાં રસ્તાની સરખામણીમાં ઘણો સુવિધાજનક અને સરળ માનવામાં આવે છે. જોકે ડોકલામ વિવાદને કારણે લિપુલેખના રસ્તા ઉપર કોઈ જ અસર પડી નથી. અને કૈલાશ માનસરોવર યાત્રા પહેલાંની જેમ જ યથાવત રહી હતી.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગના જણાવ્યા મુજબ ચીને ભારતીય પ્રવાસીઓને દરેક પ્રકારની સગવડ પહોંચાડવા પુરતા પ્રયાસો કર્યા છે. જોકે તેણે આરોપ લગાવ્યો છે કે, ડોકલામમાં ભારતની ઘૂસણખોરી બાદ ચીને આ રસ્તો બંધ કર્યો હતો. જોકે હવે ચીન આ રસ્તો પ્રવાસીઓ માટે ફરીવાર ખોલવા અને ભારત  સાથે ચર્ચા કરવા તૈયાર થયું છે.

ફોકટમાં લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરનારાઓ પાસેથી મધ્ય રેલવેએ દંડ રૂપે 9 કરોડ રૂપિયાની રકમ વસૂલ કરી

મુંબઈ – ભારતીય રેલવેના મધ્ય રેલવે વિભાગે મુંબઈમાં તેના લોકલ નેટવર્કમાં ટ્રેનોમાં ફોકટમાં ટ્રેન પ્રવાસ કરવા બદલ ખુદાબક્ષ મુસાફરો પાસેથી ગયા ઓગસ્ટ મહિનામાં દંડ રૂપે 9 કરોડ રૂપિયાની રકમ વસૂલ કરી હતી.

લોકલ ટ્રેનોમાં મફતમાં પ્રવાસ કરનાર અને ગેરકાયદેસર રીતે સામાન લઈ જતા લોકો વિરુદ્ધ મધ્ય રેલવેએ ગયા મહિને જોરદાર ઝુંબેશ આદરી હતી.

મધ્ય રેલવેના ટિકિટ ચેકરોએ ગયા મહિને ઉપનગરીય સ્ટેશનો પરથી બે લાખ આઠ હજાર કેસમાં ખુદાબક્ષ મુસાફરોને પકડ્યા હતા અને એમની પાસેથી દંડ રૂપે આઠ કરોડ 99 લાખ રૂપિયા વસૂલ કર્યા હતા.

ગયા વર્ષના ઓગસ્ટ મહિનામાં સાત કરોડ, 12 લાખ રૂપિયા દંડ રૂપે વસૂલ કરવામાં આવ્યા હતા.

2016ના જૂન મહિનામાં એક લાખ, 78 હજાર લોકો પાસેથી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

આ વર્ષે એ રકમમાં 17 ટકાનો વધારો થયો છે.

હવે જૂની નોટ બદલવાની પરવાનગી આપવામાં આવે તો અર્થવ્યવસ્થા પર વિપરીત અસર થશે: SC

નવી દિલ્હી- રદ કરાયેલી રુપિયા 500 અને 1000ની જૂની ચલણી નોટ બદલવા ફરી એક તક મળે તે માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીનો સુપ્રીમ કોર્ટે અસ્વીકાર કર્યો છે.

અરજી પર સુનાવણી કરવા દરમિયાન સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, જો હવે લોકોને જૂની નોટ બદલવાની તક આપવામાં આવે તો દેશની અર્થવ્યવસ્થા ઉપર તેની વિપરીત અસર પડશે.

નહીં બદલવામાં આવે જૂની નોટ

ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા કાર્ડ ધારક મહિલાની અરજીને રદ્ કરતા કોર્ટે જણાવ્યું કે, બેન્કોને હવે નોટ બદલવા માટે કાઉન્ટર ખોલવા કહી શકાય નહીં.

નિર્ધારિત સમય મર્યાદામાં જમા કરાવવાની હતી નોટ

સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, નિયમ અને કાયદા મુજબ લોકોને જૂની નોટ બદલવા માટે સમય મર્યાદા નક્કી કરવામાં આવી હતી. આ સમય મર્યાદામાં લોકોએ તેની જૂની નોટ બદલાવવાની હતી. જેણે નથી બદલાવી અથવા નથી બદલાવી શક્યા તેની માટે હવે કંઈજ કરી શકાય નહીં. સુપ્રીમ કોર્ટ પણ આ મામલે હસ્તક્ષેપ કરી શકે નહીં.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, નોટબંધીના નોટિફીકેશનને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટની સંવૈધાનિક પીઠમાં પહેલેથી જ સુનાવણી ચાલી રહી છે. જેથી સંવૈધાનિક પીઠનો નિર્ણય આવે ત્યાં સુધી રાહ જોવી યોગ્ય ગણાશે. ત્યાદબાદ જ કોઈ નિર્ણય લઈ શકાય. એમ સુપ્રીમ કોર્ટે જણાવ્યું  છે.

આપને જણાવી દઈએ કે, મહિલાએ પોતાની અરજીમાં ઉલ્લેખ કર્યો હતો કે, NRI માટે નોટ બદલવાની સુવિધા માર્ચ-2017માં બંધ કરવામાં આવી હતી. જોકે પહેલા સરકારે જણાવ્યું હતું કે, કેટલીક શરતોને આધીન આ યોજનાને જૂન-2017 સુધી લંબાવવામાં આવશે. પણ તેમ કરવામાં આવ્યું ન હતું.

અમદાવાદમાં ચારેકોર તંત્રનું ઉત્સાહજનક ચિત્ર, બે દિવસ જાપાની વડાપ્રધાનની સરભરા થશે

  • ઐતિહાસિક સીદી સૈયદની જાળી તેમ જ સાબરમતી આશ્રમની મુલાકાત લેશે
  • એરપોર્ટથી સાબરમતી આશ્રમ માર્ગ પર વિવિધ રાજ્યોના સાંસ્કૃતિક કાર્યક્રમો થકી ભવ્ય સ્વાગત કરાશે
  • ૧૪ સપ્ટેમ્બરે મહાત્મા મંદિરમાં દાંડીકુટિરની મુલાકાત અને બિઝનેસ સમિટ સહિતના કાર્યક્રમો યોજાશે

અમદાવાદ-મુંબઇ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનના પ્રોજેકટ ભૂમિપૂજન માટે કાલે ૧૩મી સપ્ટેમ્બરે જાપાની વડાપ્રધાન શિન્ઝો એબે અને વડાપ્રધાન મોદી ગુજરાતની બે દિવસીય મુલાકાતે છે. તેઓના સ્વાગતમાં અમદાવાદમાં વિવિધ કાર્યક્રમો યોજાશે.મહાનુભાવોના આગમનને લઇને શહેરની શોભા વધારવા તંત્ર કેટલાક દિવસથી દિનરાત મહેનત કરી રહ્યું હતું.

બંને વડાપ્રધાન માણશે આ કાર્યક્રમ

કાલે બપોરે ત્રણ કલાકે અમદાવાદ એરપોર્ટથી તેઓ સીધા સાબરમતી ગાંધીઆશ્રમની મુલાકાત લેશે. બંને મહાનુભાવો આશ્રમમાં થોડો સમય રોકાઇને, તેમના જીવન દર્શનને નિકટતાથી નીહાળશે. આ પહેલાં એરપોર્ટથી સાબરમતી આશ્રમના માર્ગ પર ઠેરઠેર વિવિધ જગ્યાએ વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક ધરોહર સમાન કલાવારસાના દર્શન કરાવતા સાંસ્કૃતિક કાર્યક્રમો થકી મહાનુભાવોનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરાશે. ત્યાર બાદ સાંજે હેરિટેજ સિટી અમદાવાદના ઐતિહાસિક નજરાણાં સમાન સીદી સૈયદની જાળીની પણ મુલાકાત લેનાર છે.

14મી રાત્રે સીધા જ રવાના થશે એબે

૧૪ સપ્ટેમ્બરે દેશના સૌ પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેકટનું એથ્લેટીક્સ ગ્રાઉન્ડ, સાબરમતી રેલવે સ્ટેડિયમ ખાતે ખાતમુહૂર્ત કરશે. ત્યાંથી મહાત્મા મંદિરમાં દાંડી કુટિરની મુલાકાત લેશે. જેમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જીવન ચારિત્ર્યને લગતી આોડિયો વિઝ્યુઅલ ઝાંખીનું ભવ્ય પ્રદશર્ન છે તે નિહાળશે. દિવસ દરમિયાન જાપાનના ડેલીગેશન સાથે ‘ડેલીગેશન લેવલ ટોક’, બિઝનેસ ઇવેન્ટ સહિતના વિવિધ બિઝનેસને લગતાં કાર્યક્રમો યોજાશે, તેમાં પણ બંને વડાપ્રધાન ઉપસ્થિત રહેશે. સાંજે સાયન્સ સિટીની મુલાકાત લઇને  14મીએ રાત્રે જ બંને વડાપ્રધાન પોતાના ગંતવ્ય સ્થાને ટોકિયો અને દિલ્હી જવા રવાના થશે.

Chitralekha Exclusive ‘Chhoti Si Mulaakat’ with Bhagwatikumar Sharma

રાશિ ભવિષ્ય

 

(તા. 18/09/2017)

મેષ 40_2સહકર્મીઓ તથા કુટુંબીજનો સાથે મનમેળ વધે, અપેક્ષા કરતા વધુ પરિણામ મેળવી શકો, કુટુંબમાં આનંદનો માહોલ રહે.

——————————————

વૃષભ 40વ્યવસાયમાં નવા ઉત્પાદન કે સાહસ માટે સારો સમય સાબિત થઇ શકે, અયોજનપૂર્વકનું કાર્ય તમને સફળતા અપાવે.

——————————————-

મિથુન 40_1 સામાજિક માનમોભો વધે તેવું કાર્ય કરી શકો, કોઈ નવી વ્યક્તિ સાથે મુલાકાત થાય, જેનાથી તમારા જ્ઞાનમાં વધારો થાય.

——————————————-

કર્ક 40કાર્યક્ષેત્રે તમારા કાર્યની પ્રસંશા થાય, સંતાન તરફથી સારા સમાચાર મળી શકે, કૌટુંબિક તણાવનો અંત આવે.

——————————————–

સિંહ 40_4 વ્યવસાયમાં અન્યની સાથે આર્થિક બાબતે વાદ-વિવાદ થતો ટાળવો હિતાવહ, પગના ભાગે ઈજાથી બચવું.

———————————————

કન્યા 40 દિનચર્યામાં થોડો બદલાવ કરવાથી શરીરમાં નવી સ્ફૂર્તિનો અનુભવ થાય, કાર્ય સંદર્ભે બહારગામ જવું પડી શકે.

——————————————–

તુલા 40_2આજના દિવસે આત્મવિશ્વાસમાં વધારો થતો જોવા મળશે, ધાર્મિક બાબતોમાં મન પરોવાય, માનસિક ચિંતાઓ દૂર થતી જણાય.

——————————————–

વૃશ્ચિક 40મહત્વપૂર્ણ નિર્ણય લેવાનો હોય તો હાલ પુરતો મુલતવી રાખવો, માનસિક થાક અને બેચેનીનો અનુભવ થાય.

——————————————–

ધન 40પરિવારમાં શુભ પ્રસંગનું આયોજન થઇ શકે, યોગ્ય સમયે વ્યવસાય કે નોકરીમાં માર્ગદર્શન મળતા દિવસ આનંદમય રહે.

——————————————–

મકર 40નવી આર્થિક તકોનું સર્જન થઇ શકે, નાણાકીય બાબતો તકેદારી લેવી જરૂરી, સ્ત્રી વર્ગને શારીરિક શ્રમ વધી શકે.

——————————————–

કુંભ 40_1નોકરી કે વ્યવસાયમાં થોડો સમય તકલીફ પછી સફળતા મળી શકે, માથાના ભાગે તકલીફ હોય તો તેમાં ધ્યાન રાખવું.

——————————————–

મીન 40_1ખોટા વાણીવિલાસથી દુર રહેવાથી ફાયદો થશે, વિદ્યાર્થીઓ અભ્યાસમાં પરિવર્તન લાવી શકે, અવિચારી ખર્ચથી બચવું.



 

(તા. 18/09/2017 થી 24/09/2017) સોમવારથી રવિવાર સુધી

meshમેષ રાશિના જાતકોને આ સપ્તાહ દરમ્યાન પોતાની ફરજ અને સ્વતંત્રતા જેવા વિષયો પર વધુ ધ્યાન આપવું પડી શકે. તમે નોકરી કે ઘરના કાર્યોમાં પોતાની નિશ્ચિત ફરજને લીધે બંધાઈ જાઓ તેવું બની શકે. અલબત તમારી પાસે પોતાની યોગ્યતા સાબિત કરવા માટે જરૂરી કાબેલિયત પણ હશે. નોકરીમાં નજીકના સમયમાં આવતો બદલાવ તમને મદદરૂપ થશે, તમારે આત્મવિશ્વાસ સાથે પોતાના ધ્યેયમાં લાગેલા રહેવાનું છે. મોટું કાર્ય પૂર્ણ થઇ શકે. સ્વાસ્થ્ય સારું રહેશે.

———————————————————————————————————————-

vrushabhવૃષભ રાશિના જાતકો સમૃદ્ધ જીવનશૈલીના ચાહકો છે, તેઓ કીમતી વસ્તુઓને પણ ખુબ ચાહે છે, પ્રેમમાં પણ તેઓ ખુબ ઉત્સાહી રહે છે. આ સપ્તાહે તમે અંગત સંબંધોમાં તકલીફનો અનુભવ કરશો. તમે પોતાને વ્યક્ત કરવામાં અવરોધ અનુભવો, અજાણ્યો ડર તમને સતાવી શકે. કાર્યોમાં તમે ભૂતકાળને યાદ કરશો, તમારા નજીકના ભૂતકાળમાં કરેલ મહત્વના કાર્યની અસર આ સમયે તમે અનુભવો તેવું બને. કુટુંબીજનોનો સાથ સહકાર વધશે, મન સ્થિર કરીને આગળ વધવું. સ્વાસ્થ્ય મધ્યમ રહે.

———————————————————————————————————————–

mithunમિથુન રાશિના જાતકોને આ સપ્તાહ કુટુંબ અને સામાજિક બાબતો માટે મહત્વનું રહેશે. આ સમય દરમ્યાન તમે ટૂંકા પ્રવાસનું આયોજન કે દુરના સ્થળોની મુલાકાત લેવાનું પસંદ કરશો. નાણાકીય બાબતોમાં તમે પોતાના આયોજનને બદલો તેવું બની શકે, તમારી ધારણા પ્રમાણે આર્થિક પ્રવાહ ના જળવાય તેવું બને. મોટા આર્થિક નિર્ણયમાં તમારે જાણકાર વ્યક્તિની સલાહ લેવી જોઈએ. સંતાન પક્ષે તમને શુભ સમાચાર મળી શકે. સ્વાસ્થ્ય બાબતે તમે વધુ જાગૃત બનશો.

———————————————————————————————————————–

karakકર્ક રાશિના જાતકોને આ સપ્તાહ દરમ્યાન પોતાના લક્ષ્ય વિષે વધુ સ્પષ્ટતા મળશે, તમે કારકિર્દી વિષયક કે વ્યવસાય બાબતે કોઈ મહત્વનો નિર્ણય લેવા માંગતા હોવ તો તેમાં મૂંઝવણ દુર થઇ શકે. તમારે આ દરમ્યાન કાર્યમાં ધીરજ અને આયોજન બંનેને ધ્યાનમાં લેવાના છે. આ સપ્તાહે નાણાંકીય સોદા પાર પડી શકે. સ્થિર સંપતિના વેચાણમાં નિર્ણય થઇ શકશે. સંતાન પક્ષે વધુ ખર્ચ થઇ શકે. સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ આવી શકે, સ્વાસ્થ્ય બાબતે સજાગ રહેવું જોઈએ.

———————————————————————————————————————–

leoસિંહ રાશિના જાતકોને પાછલા સપ્તાહે કાર્યોમાં જે અવરોધ આવ્યો હશે તે આ સપ્તાહે દુર થશે. તમે પોતાના અનુભવ અને આવડતના જોરે પોતાના કાર્યને આગળ વધારી શકશો, તમને કુદરતી સહાય મળી રહે. મન આનંદ અનુભવે તથા નવા વિચારોમાં અમલ પણ થઇ શકે. કુટુંબના સભ્યો અને મિત્રો ખુલીને તમારી સાથે પોતાની લાગણીઓ વ્યક્ત કરશે. નવી ચીજ વસ્તુઓની ખરીદી થઇ શકશે. લગ્ન વિષયક નિર્ણય થઇ શકશે. કોઈ રોગ કે તકલીફ હોય તો તે ઝટ દુર થાય.

———————————————————————————————————————–

kanyaકન્યા રાશિના જાતકોને ગુરુ અને શુક્રના શુભ કર્તરી યોગ થકી જીવનમાં આનંદ અને ઉત્સાહનો સંચાર થશે. તમે શારીરિક અને માનસિક રીતે વધુ ઉર્જા અને તંદુરસ્તીનો અનુભવ કરશો. નવ યુવાનોને પોતાના મહત્વના નિર્ણયોમાં મદદ મળી રહેશે. કારકિર્દી બાબતે તમે વધુ ભાગ્યશાળી બનશો, નવા સ્થળે નવી વ્યક્તિઓ સાથે મુલાકાત તમને ખુબ મદદરૂપ થશે. આ રાશિના જાતકોને પ્રેમ પ્રસંગમાં સફળતા મળી શકે, એકબીજા પ્રત્યે વિશ્વાસ અને પ્રેમ વધે. સ્વાસ્થ્ય સારું રહેશે.

———————————————————————————————————————–

tulaaતુલા રાશિના જાતકો માટે આ સમય પોતાના ડર અને મર્યાદાઓ પર વિજય મેળવવાનો છે. તમે શુભ સમાચાર મેળવશો, તમે સફળ વ્યક્તિ તરીકે પોતાને રજૂ કરી શકશો. પરંતુ આ સમય દરમ્યાન તમારે પોતાના અહમને પણ કાબુમાં રાખવો પડશે, તમે પોતાની સફળતા સાથે અન્યને ભૂલી ના જાઓ તેનું ધ્યાન રાખશો. જીવનસાથી અને ઘરના સભ્યોને ખુશ રાખવું જરૂરી રહેશે. આરામ અને વધુ પડતો આહાર તમારા સ્વાસ્થ્યને તકલીફ આપી શકે છે, દિનચર્યામાં નિયમિતતા જાળવવી.

———————————————————————————————————————–

wrussikવૃશ્ચિક રાશિના જાતકોને આ સપ્તાહે કાર્યો અસામાન્ય ગતિથી આગળ વધે, તમે પોતાની આસ્થા અને આત્મવિશ્વાસના જોરે અઘરા લાગતા કાર્યને પાર પાડી શકશો. લાભ ભાવે થતી અમાસ તમારા આર્થિક કાર્યોને પૂર્ણતા તરફ આગળ વધારશે. સપ્તાહ દરમ્યાન આવનાર સમય માટે તમે અનેક યોજનાઓ ઘડી કાઢો તેવું બની શકે, પરંતુ તમારે યોગ્ય સમયે જ પોતાના નિર્ણય જાહેર કરવા જોઈએ. લગ્નવિષયક નિર્ણય થઇ શકશે. સ્વાસ્થ્યસુખ સારું રહે.

———————————————————————————————————————–

dhanધન રાશિના જાતકોને આ સપ્તાહ સંબંધ થકી સફળતાના યોગ કરે છે. તમે મહત્વના કાર્યમાં કઈક ખૂટતું  હોય તેવો અનુભવ કરશો, પરંતુ નજીકની વ્યક્તિ કે તમારો સાથીદાર આ બાબતે તમને ખુબ મદદરૂપ થઇ શકે. નોકરીના સ્થળે તમે જવાબદારીઓમાં વધારો અનુભવશો. પોતાની સાથે કાર્ય કરતા વ્યક્તિઓમાં બદલાવ આવી શકે, નવી વ્યક્તિનું આગમન થઇ શકે. સામાજિક બાબતોમાં તમારે જીવનસાથીની સલાહ લેવી જોઈએ. સ્વાસ્થ્ય બાબતે વધુ સજાગ રહેવું જોઈએ.

———————————————————————————————————————–

makarમકર રાશિના જાતકોને આ સમય દરમ્યાન પોતાના કાર્યમાં વધુ પ્રયત્ન કરવા પડશે, તમે અન્ય લોકોના પ્રતિભાવને કારણે થોડા સમય માટે હતાશ થઇ જાઓ તેવું બને. તમારે પોતાના કાર્યને જ ધ્યાનમાં લેવું જોઈએ. પોતાની જવાબદારીઓ પૂર્ણ થાય તે તમારું લક્ષ્ય હોવું જોઈએ. વ્યવસાયમાં મહત્વના સોદામાં રાહ જોવી પડી શકે. ભાઈભાંડુઓ સાથે મનમેળ વધશે, તમે એકબીજાને મદદરૂપ થઇ શકશો. મોટી ઉંમરની વ્યક્તિઓને સ્વાસ્થ્ય બાબતે વધુ તકેદારી રાખવી પડી શકે.

———————————————————————————————————————–

kumbhકુંભ રાશિના જાતકોને આ સમય ધન અને સંપતિના વિષયો પ્રત્યે વધુ આકર્ષિત કરી શકે છે. તમે કોઈ મોટી કીમતી વસ્તુની ખરીદી માટે નિર્ણય લો તેવું બને. સપ્તમ ભાવે મંગળ તમને લગ્ન વિષયક અને જીવનસાથી પક્ષે વધુ ધ્યાન આપવા કહે છે. સંબંધોમાં તમારે વધુ આવેશ કે ઉતાવળથી બચવું જોઈએ. નાની વાતને લઈને નાની વાતનું મોટું સ્વરૂપના બની જાય તેનું ધ્યાન રાખશો. ધાર્મિક કાર્યનો અવસર મળે, કુટુંબના સભ્યો સાથે મનદુઃખ હોય તો દુર થશે. સ્વાસ્થ્ય સારું રહેશે.

———————————————————————————————————————–

minમીન રાશિના જાતકો માટે આ સમય સફળતા માટે સંભાવનાઓથી ભરપુર રહેશે. તમે પોતાના શત્રુઓને યોગ્ય જવાબ આપી શકશો. સ્પર્ધાત્મક બાબતો, કોર્ટ-કચેરી કે કાયદાકીય કાર્યોમાં તમને જીત મળી શકે. ઘરમાં નવા સભ્યનું આગમન થઇ શકે, શુભ સમાચાર મળી શકે. તમે વ્યવસાયમાં નવીનીકરણ કરી શકશો, નવી પદ્ધતિઓ અને નવી વ્યક્તિઓ સાથે તમારું કાર્ય સરળ બનશે. વિદ્યાર્થી વર્ગને મહેનતનું શુભ અને સફળ પરિણામ મળે. સ્વાસ્થ્ય બાબતે વધુ સજાગ રહેવું, માનસિક સ્વસ્થતા જરૂરી.

———————————————————————————————————————–



 

(તા. 16/09/2017 થી 30/09/2017 સુધી)

અંક સ્વામી: સૂર્ય (જન્મતારીખ ૧,૧૦,૧૯ અથવા ૨૮)

તમે આ સમય દરમ્યાન પોતાની અનન્યતા અને પોતાની પાસે ઉપલબ્ધ કૌશલ્યનો અનુભવ કરશો. તમે અન્ય લોકોને તેમની અપેક્ષા મુજબ ઉત્તર આપી શકશો. તમારો આત્મવિશ્વાસ નવી ઊંચાઈએ હશે. ખેલકૂદ, શારીરિક કસરત અને રમતગમતના વિષયોમાં રુચિ વધશે. કુટુંબના સભ્યો તમારાથી ખુબ આનંદનો અનુભવ કરશે. તમે આર્થિક રીતે પણ વધુ આત્મવિશ્વાસ અનુભવશો. જીવનમાં સકારાત્મકતા મહત્વની બની રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે.

—————————————————————————————————————————————

mudank 02અંક સ્વામી: ચંદ્ર (જન્મતારીખ ૨,૧૧,૨૦ અથવા ૨૯)

આ સમય દરમ્યાન તમારી માનસિક સ્વસ્થતા ખુબ સારી રહેશે, તમે મન અને તન વચ્ચે સંતુલન અનુભવશો. પોતાના કાર્ય સમયસર પૂર્ણ થવાથી તમે આનંદમાં રહેશો. પોતાના શોખ અને પસંદગી અનુસાર તમે નવી ચીજવસ્તુઓની ખરીદી કરશો. વિજાતીય મિત્રો કે જીવનસાથી સાથે તમે વધુ સમય પસાર કરશો જે તમારી એકબીજા પ્રત્યેની સમજને ઓર વધારશે. વ્યવસાયમાં નવી તકોનું સર્જન થઇ શકે. સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગૃત રહેવું જોઈએ.

————————————————————————————————————————————-

અંક સ્વામી: ગુરુ (જન્મતારીખ ૩,૧૨,૨૧ અથવા ૩૦)

તમે આ સમય દરમ્યાન નજીકના ભવિષ્યને લઈને કોઈ યોજના તૈયાર કરી રહ્યા હોવ અથવા મહત્વની મુલાકાત માટે તૈયાર થઇ રહ્યા હોવ એવું બની શકે. તમે આવનાર સમય માટે વધુ ઉત્સાહિત છો, તમને ડરની સાથે રોમાંચ પણ હશે. નોકરીમાં બદલાવ કે વ્યવસાયમાં નવી પદ્ધતિ તમને મદદરૂપ થઇ શકે. વાંચન અને આધ્યાત્મ તમારી રુચિના વિષયો બની શકે. સંતાન પ્રત્યે વધુ જવાબદારીનો અનુભવ થઇ શકે. સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર રહેવું તકલીફ આપી શકે.

————————————————————————————————————————————–

અંક સ્વામી: રાહુ (જન્મતારીખ ૪,૧૩,૨૨ અથવા ૩૧)

મૂળાંક ૪ ધારકોને આ સમય દરમ્યાન પોતાની પાસે ઉપ્લબ્ધ નાણા અને સમયનો સદુપયોગ કરવો પડશે. તમે ઘણા બધા કાર્યો એક સાથે કરવા માંગતા હોવ તેવું બની શકે. તમે રોજીંદા કાર્યોમાં સતત વ્યસ્ત રહો તેવું બને, પરંતુ તમારે પોતાના આર્થિક અને માનસિક વિકાસ માટે પણ નવીન કાર્ય કરવા પડશે. તમારો સ્વભાવ મોટું સર્જન તથા પ્રવાહથી કંઇક અલગ કરવાનો છે, તમારે પોતાને નવા કાર્યો માટે પોષતા પણ રહેવું જોઈએ. સ્વાસ્થ્ય નબળું રહી શકે.

————————————————————————————————————————————–

અંક સ્વામી: બુધ (જન્મતારીખ ૫,૧૪ અથવા ૨૩)

તમને આ સમય દરમ્યાન કાયદાકીય કાર્યો અને તર્કના વિષયો વધુ આકર્ષિત કરી શકે. તમે નવા મકાન કે વાહનને લીધે ખુબ આનંદમાં રહેશો. પોતાના સંતાન પ્રત્યે વધુ રુચિ અને પ્રેમ પણ અનુભવશો. તમે પોતાને એક નવી શરૂઆતના દ્વારે ઉભા હોવ તેવું અનુભવશો, નોકરી કે વ્યવસાયમાં હાલમાં આવેલ બદલાવ આવનાર ભવિષ્યને બદલી શકે તેની પ્રચુર સંભાવનાઓ છે. ખાન-પાનની અનિયમિતતા અને વધુ આરામપ્રિય જીવનશૈલી તમારા સ્વાસ્થ્ય માટે હિતાવહ નથી.

————————————————————————————————————————————-

અંક સ્વામી: શુક્ર (જન્મતારીખ ૬,૧૫ અથવા ૨૪)

મૂળાંક ૬ ધારકો આ સમય દરમ્યાન પોતાના જીવનમાં સંતુલન લાવવા માટે વધુ પ્રયત્નશીલ રહેશે. તમે આર્થિક બાબતો અને સામાજિક બાબતોમાં અસંતુલનનો અનુભવ કરશો, શક્ય છે કે જીવનસાથી તમને આ બાબતે ખુબ જ મદદરૂપ થઇ શકે. વ્યવસાયમાં નવી વ્યક્તિનું આગમન કે મુલાકાત તમને મદદરૂપ થશે. જે જાતકોને લગ્નવિષયક પ્રશ્નો છે તેમને આ સમય દરમ્યાન તેનો ઉકેલ મળી શકે છે. તમારે વધુ શિસ્તબદ્ધ જીવન જીવવું જરૂરી છે. સ્વાસ્થ્ય સારું રહેશે.

————————————————————————————————————————————–

mudank 07અંક સ્વામી: કેતુ (જન્મતારીખ ૭,૧૬ અથવા ૨૫)

મૂળાંક ૭ ધારકો આ સમય દરમ્યાન નવા સાહસ અને નવા કાર્યમાં આગળ વધશે. તમારા જીવનમાં આમૂલ પરિવર્તન આવી શકે, તમે સકારાત્મક રહેશો, તમારી બુદ્ધિ અને આવડત તમને સાથ આપશે. તમારે શક્ય તેટલી વધુ મહેનત કરવી જોઈએ. ભૂતકાળના અનુભવો કે દુઃખદ ઘટના તમને સ્મરણમાં આવતી રહે પરંતુ આવનારો સમય તમારા હાથમાં છે, ભવિષ્ય તમારા કર્મ પર અવલંબે છે તે તમારે ના ભૂલવું જોઈએ. સ્વાસ્થ્ય બાબતે વહેમ દુર કરવો અને ખુશ રહેવું.

————————————————————————————————————————————–

અંક સ્વામી: શનિ (જન્મતારીખ ૮,૧૭ અથવા ૨૬)

મૂળાંક ૮ ધારકો જીવનની તકલીફોને વધુ મહેનતથી જ જવાબ આપે છે, આ સમય દરમ્યાન તમે પોતાના મહેનતનું ફળ મેળવશો. આ સમય દરમ્યાન તમને કાર્યોમાં લાભ થઇ શકે. આર્થિક બાબતો કે નોકરી વિષયક બાબતોમાં તમને સફળતા મળશે. તમે આધ્યાત્મિક બાબતો અને ધાર્મિક બાબતોમાં વધુ રુચિ કેળવશો, જે તમને મદદરૂપ બનશે. નજીકના મિત્ર કે સંબંધી બાબતે તમને ચિંતાનો અનુભવ થાય. તમે અન્યને મદદરૂપ થઇ શકશો. સ્વાસ્થ્ય સારું રહેશે.

—————————————————————————————————————————————

અંક સ્વામી: મંગળ (જન્મતારીખ ૯ , ૧૮ અથવા ૨૭)

મૂળાંક ૯એ પૂર્ણતાને દર્શાવે છે, તેમાં દરેક અનુભવ અને ઉર્જાનો સમન્વય છે. આ સમય દરમ્યાન મૂળાંક ૯ ધારકોને વધુ ખર્ચ અને સમય આયોજનમાં તકલીફનો સામનો કરવો પડી શકે. તમે ટૂંક સમય માટે સ્વાસ્થ્યમાં પણ ઉતાર-ચઢાવ અનુભવો જે તમને માનસિક રીતે વિચલિત કરે, માટે તમારે વધુ સમય પોતાના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને જ આપવો જોઈએ. શરીર અને મન તંદુરસ્ત હશે તો તમે તકલીફને અવસરમાં બદલી દેશો તેમાં કોઈ સંશય નથી.

 

Chitralekha Exclusive Chhoti Si Mulaakat with Amit Shah