નવી દિલ્હીઃ લગભગ એક કરોડથી વધુ કેન્દ્રિય પગારદાર કર્મચારીઓ અને પેન્શનધારકો માટે મોટા ખુશખબર છે. કેન્દ્ર સરકારે મંગળવારે ઔપચારિક રીતે આઠમા વેતન પંચની રચનાને મંજૂરી આપી છે. સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જસ્ટિસ રંજન પ્રકાશ દેસાઈ પંચના અધ્યક્ષ રહેશે, જ્યારે IIM બેંગલુરુના પ્રોફેસર પુલક ઘોષ અને પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય (MoPNG)ના સચિવ પંકજ જૈનને સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
ભલામણો મોકલવા માટે 18 મહિનાનો સમય
પંચ પોતાની ભલામણો આગામી 18 મહિનામાં સરકારને સુપરત કરશે, જેને આધારે વર્ષ 2027થી વેતન અને પેન્શનમાં વધારો અમલમાં આવી શકે છે. કેબિનેટની બેઠક બાદ જારી થયેલી પ્રેસ નોટમાં જણાવવામાં આવ્યું છે કે આઠમા વેતન પંચ માટે ટર્મ ઓફ રેફરેન્સને મંજૂરી આપવામાં આવી છે. વેતન પંચમાં એક અધ્યક્ષ, એક પાર્ટ-ટાઈમ સભ્ય અને એક સભ્ય સચિવ રહેશે. ગઠન પછી ભલામણો મોકલવા માટે પંચને 18 મહિના સમય આપવામાં આવ્યો છે.
NC-JCM (સ્ટાફ સાઈડ)ના સચિવ શિવ ગોપાલ મિશ્રાના જણાવ્યા અનુસાર 8મા વેતન પંચ અમલમાં મૂકવામાં ભલે મોડું થાય, પરંતુ તેને એક જાન્યુઆરી 2026થી અસરકારક માનવામાં આવશે, એટલે કે જો મોડું થશે તો 1 જાન્યુઆરી 2026થી કર્મચારીઓને એરિયર્સ સાથે ચુકવણી મળવાની શક્યતા છે.
Union Cabinet approves the Terms of Reference of 8th #CentralPayCommission
The Terms of Reference has been finalised after consultation with various Ministries, State Governments and staff side of Joint Consultative Machinery (JCM)
The commission will present its reports… pic.twitter.com/9hsaKRkexK
— PIB India (@PIB_India) October 28, 2025
2027માં એરિયર્સ સાથે વધેલા પગારવધારો
આ પહેલાં 7મા વેતન પંચ લાગુ કરવામાં પણ મોડું થયું હતું અને તે સમયે તમામ કર્મચારીઓને એરિયર્સ આપવામાં આવ્યું હતું. કેન્દ્રીય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને પ્રતિનિધિત્વ આપતા ફોરમ NC-JCM તરફથી જાન્યુઆરીમાં જ સરકારને ટર્મ ઓફ રેફરેન્સ આપવામાં આવ્યો હતો.
, દેશમાં વધતી મોંઘવારી અને અન્ય પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને દર 10 વર્ષે નવા વેતન પંચની રચના કરવામાં આવે છે, જેમાં કેન્દ્રીય કર્મચારીઓના વેતન, ભથ્થાં અને સુવિધાઓમાં સુધારા કરવામાં આવે છે. આ હિસાબે જોઈએ તો 1 જાન્યુઆરી 2026થી આઠમા વેતન પંચને અસરકારક માનવામાં આવશે.




કોયારી-ગરૂડેશ્વર મામલતદાર કચેરી પાસે બનાવાયેલા ડોમમાં રહેણાકથી લઈ ભોજન સુધીની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા કુલ ૧૧ ડોમ ઊભા કરવામાં આવ્યા છે. જેમાંથી ૭ ડોમ અન્ય રાજ્ય અને જિલ્લાઓથી આવતા નાગરિકો માટે, ૨ ડોમ બંદોબસ્ત માટે ફરજ બજાવનાર પોલીસ જવાનો માટે તથા ૨ ડોમ ભોજન માટે બનાવવામાં આવ્યા છે. આ ડોમમાં કુલ ૯૦૧૪ લોકોની અને ૧૪૦૦ પોલીસકર્મીઓ માટે સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
હતી, પણ એની મેદસ્વિતાને લઇને ઓફિસના કેટલાક સહકર્મચારીઓ હંમેશા એની મજાક કરતા.
શરીરનો સ્વાભાવિક તબક્કો છે. આ સત્યને સમજવું જરૂરી છે. એક મહિલાનું અસ્તિત્વ, લાગણીઓ અને શક્તિ એ આકારથી ક્યાંય ઓછા કે વધારે થતી નથી.
શરીરના આકારથી માપે છે.
ને પગલે સમાજના મ્હેણાં ટોણા સાંભળવા પડે છે. ઘરના જ લોકો જાડી, ટૂન ટૂનને બીજા ઘણા નામોથી મજાક ઉડાવતા હોય છે.






સરદાર વલ્લભભાઈ પટેલના વંશજોમાં ગૌતમ ડાહ્યાભાઈ પટેલ (સરદાર પટેલના પૌત્ર), કે જેઓ હાલમાં ૮૦ વર્ષના છે, તેઓ પરિવારના વરિષ્ઠ સભ્ય તરીકે ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ગૌતમભાઈના પત્ની ડો. નંદિતા પટેલ, સરદાર પટેલના પ્રપૌત્ર કેદાર ગૌતમ પટેલ પણ પરિવાર સાથે ઉપસ્થિત રહેશે. ગૌતમભાઈના પત્ની રીના પટેલ તથા તેમની પુત્રી કરીના કેદાર પટેલ પણ એકતા નગર ખાતે હાજર રહેશે. આ ઉપરાંત ગૌતમ ડાહ્યાભાઈ પટેલના પિતરાઈ સમીર ઇન્દ્રકાંત પટેલ, તેમના પત્ની રીતા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેવાના છે.

પાંચ મજૂરોને જયપુર મોકલાયા







