Home Blog Page 4949

યસ બેન્ક કટોકટીઃ નાણા મંત્રાલય અને PMO રાખી રહ્યા છે નજર

નવી દિલ્હીઃ યસ બેન્ક દેશના ખાનગી ક્ષેત્રની પાંચમી મોટી ધિરાણકર્તા બેન્ક છે. યસ બેન્કમાં હાલ નાણાકીય કટોકટી સર્જાઈ છે, જેથી રિઝર્વ બેન્કે તેનાં કામકાજ પર નિયંત્રણો મૂકી દીધાં છે, રિઝર્વ બેન્કે તેના બોર્ડને પણ સુપરસીડ કર્યું છે અને ગ્રાહકોને તેમના ખાતામાંથી એક મહિનામાં રૂ. 50,000ની ઉપાડમર્યાદા પણ મૂકી છે. જોકે રિઝર્વ બેન્ક યસ બેન્કને બચાવવા માટે રેસ્ક્યુ યોજના પણ બનાવી રહી છે.

 

બેન્ક એક વર્ષથી નવી મૂડી ઊભી કરવા અસમર્થ

યસ બેન્ક છેલ્લા ઘણા લાંબા સમયથી મૂડી ઊભી કરવા અસમર્થ રહી છે. જેને લીધે બેન્કની નાણાકીય સ્થિતિ દિન-પ્રતિદિન કથળતી ગઈ હતી. વળી તાજેતરનાં વર્ષોમાં બેન્કને ગંભીર ગવર્નન્સ ઇસ્યુ પણ ઊભા થતા હતા.

યસ બેન્ક મૂડી ઊભી કરવા માટે સંઘર્ષ કરી રહી હતી ત્યારે બેન્ક માળખાકીય જરૂરિયાત પૂરી કરવા માટે ઉચ્ચ સ્તરીય બેડ લોનોથી ઝઝૂમતી હતી. બેન્ક છેલ્લા એક વર્ષથી બે કરોડ ડોલરની નવી મૂડી ઊભી કરવા માટે પ્રયત્ન કરી રહી હતી અને બેન્કે ડિસેમ્બર ત્રિમાસિક ગાળાનાં પરિણામો પણ ફેબ્રુઆરીમાં મોડેથી જાહેર કર્યાં હતા. એક અહેવાલ પ્રમાણે બેન્ક 2018ના અંતમાં યસ બેન્કના લેન્ડર્સ અને ડેવલપર્સ –બંને ફન્ડિંગનો સામનો કરી રહ્યા હતા.

પી. ચિંદબરમે ઉઠાવ્યા સવાલ

યસ બેન્કના ખાતાધારકો માટે રિઝર્વ બેન્કે પૈસા કાઢવા પર મર્યાદા મૂકી દીધી છે. જેથી રિઝર્વ બેન્કના આ નિર્ણયથી લોકોની ATMની બહાર લાંબી લાઇનો લાગી ગઈ છે. હાત તો હાલત એવી છે કે હવે ATMમાં પણ કેશ ખતમ થવા લાગી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ નાણાપ્રધાન પી. ચિદંબરમે કહ્યું હતું કે આ સંપૂર્ણ રીતે રિઝર્વ બેન્કની નિષ્ફળતા છે. મને આશ્ચર્ય છે કે સરકાર બિલકુલ ચૂપ કેમ છે? હવે જોઈએ કે યસ બેન્કના જમાકર્તા શું કરે છે? મને લાગે છે કે PMC બેન્કના જમાકર્તાની જેમ ચિંતિત છે. જોઈએ હવે આગળ શું થાય છે.

રિઝર્વ બેન્કે CFO પ્રશાંત કુમારને નિયુક્ત કર્યા

રિઝર્વ બેન્કે કહ્યું હતું તો બેન્કના મેનેજમેન્ટ સાથે સતત સંપર્કમાં છે અને બેન્કની બેલેન્સશીટ અને રોકડ તરલતા કઈ રીકે હળવી બને એ માટે પ્રયાસ કરી રહી છે. રિઝર્વ બેન્કે યસ બેન્કના બોર્ડને સુપરસીડ કરવા સાથે મેનેજમેન્ટને ટેકઓવર કર્યું છે. બેન્કે SBIના ભૂતપૂર્વ CFO પ્રશાત કુમારને એડમિનિસ્ટ્રેટર તરીકે નિમણૂક કરી છે.

નાણાં મંત્રાલય અને PMOની નજર

પ્રાપ્ત માહિતી અનુસાર યસ બેન્કની સર્જાયેલી નાણાકીય કટોકટી પર નાણાં મંત્રાલયની નજર છે. આ મામલે વડા પ્રધાન કાર્યાલયને પણ સતત માહિતી આપવામાં આવી હતી. રિઝર્વ બેન્ક પણ નાણા મંત્રાલય સાથે સંપર્કમાં છે.

ગ્રાહકોએ ગભરાવાની જરૂર નહીઃ RBI

રિઝર્વ બેન્ક એ નિષ્કર્ષ પર પહોંચી છે કે પુનરુદ્ધારની યોજનાનો અભાવ, જાહેર હિત અને બેન્કના ડિપોઝિટર્સના હિતને ધ્યાનમાં રાખીને બેન્ક પાસે નિયંત્રણો મૂકવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. જોકે યસ બેન્કના ડિપોઝિટર્સને આશ્વાસન આપવામાં આવ્યું છે કે તેમનાં હિતોને સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે, માટે તેમણે ગભરાવાની જરૂર નથી.

સંસદમાં કોંગ્રેસના સાત સાંસદોના સસ્પેન્શન પર સરકાર અડગ

નવી દિલ્હીઃ કોંગ્રેસના સાત સાંસદોના સસ્પેન્શન પર સરકાર અડગ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જો પોતાના અસંસદીય આચરણ માટે ક્ષમા પણ તેઓ માંગી લેશે તો પણ સસ્પેન્શન પાછુ નહી ખેંચાય. તો કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈની લોકસભાની સદસ્યતા રદ્દ કરવા પર પણ વિચાર થઈ રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે, ઘટનાક્રમની તપાસ માટે બનેલી સમિતિની સદસ્યતા ઓછી કરવા પર વિચાર કરી શકે છે. ગોગોઈ પર આરોપ છે કે, તેમણે કાગળ છીનવીને ફાડી નાંખ્યા છે. ઉલ્લેખનીય છે કે બજેટ સત્ર દરમિયાન ભાગ દરમિયાન લોકસભામાં હંગામો કરવા અને અયોગ્ય આચરણ માટે કોંગ્રેસના સાત સાંસદોને બાકી રહેલા સંસદ સત્ર માટે સસ્પેન્ડ કરી દીધા છે. કોંગ્રેસના સાત લોકસભા સભ્યોને ગુરુવારના રોજ સદનનું અપમાન કરવા અને ગેર વર્તણૂંક મામલે વર્તમાન સંસદ સત્રના બાકી રહેલા સમય માટે સસ્પેન્ડ કરી દીધા છે. સભાપતિ મીનાક્ષી લેખીએ કહ્યું કે, કોંગ્રેસના સભ્યો દ્વારા અધ્યક્ષીય પીઠથી બળપૂર્વક કાગળ છીનવી લેવા અને તેને ઉછાળવાનું આવું દુર્ભાગ્યપૂર્ણ આચરણ સંસદીય ઈતિહાસમાં કદાચ પહેલીવાર થયું છે. સસ્પેન્ડ સાંસદ ગૌરવ ગોગોઈ, ટીએન પ્રતાપન, એડવોકેટ ડીન કુરિયાકોસ, બેની બેહનન, મણિક્કમ ટૈગોર, રાજમોહન ઉન્નીથન તેમજ ગુરજીત સિંહ ઔજલા છે. સ્પીકરે કોંગ્રેસ સાંસદોની સદસ્યતા ખતમ કરવાની સરકારની માંગ પર તપાસ માટે સમિતિ બનાવવા માટેની પણ મંજૂરી આપી દીધી છે.

સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોષીએ કોંગ્રેસ સદસ્યો ગૌરવ ગોગોઈ, ટીએમ પ્રતાપન, ડીન કુરિયાકોસ, રાજમોહન ઉન્નીથન, બૈની બહનાન, મણિક્કમ ટાગોર અને ગુરજીત સિંહ ઓજલાને સસ્પેન્ડ કરવા સંબંધિત પ્રસ્તાવને રજૂ કર્યો જેને સદને ધ્વનિમતથી પારિત કરી દીધું. પીઠાસીન સભાપતિ મીનાક્ષી લેખીએ કહ્યું કે, જે માનનીય સદસ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તેઓ તુરંત જ બહાર જતા રહે. કોંગ્રેસના નેતા અધીર રંજન ચોધરીએ કહ્યું કે, આજે સંસદમાં જે થયું તે લોકતંત્ર માટે શરમજનક બાબત છે. વિપક્ષ સરકાર પાસેથી માંગ કરી રહ્યું છે કે, દિલ્હીના તોફાનો પર ચર્ચા થાય કારણ કે દેશની છબી બગડી રહી છે. દેશ માટે સદનમાં ચર્ચા થાય.

મધ્યપ્રદેશમાં રાજકીય ડ્રામાનો રંગ જામતો જાય છે…

ભોપાલઃ મધ્યપ્રદેશમાં કોંગ્રેસ ધારાસભ્ય હરદીપ સિંહ ડંગગે રાજીનામું આપ્યાની સાથે જ હવે રાજનૈતિક ડ્રામામાં નવો વળાંક આવ્યો છે. સિંહનો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. પત્રમાં ડંગે લખ્યું કે, બીજીવાર લોકોનો જનાદેશ મળવા છતાય પાર્ટી દ્વારા તેમની સતત અવગણના કરવામાં આવી રહી છે. ડંગના રાજીનામાના તુરંત જ બાદમાં ભાજપના બે ધારાસભ્યોએ મુખ્યમંત્રી કમલનાથ સાથે તેમના સત્તાવાર આવાસ પર મુલાકાત કરી. મૈહર સીટથી ભાજપના ધારાસભ્ય નારાયણ ત્રિપાઠીએ કેબિમેટ મંત્રી સુરેન્દ્ર સિંહ સાથે કમલનાથના ઘરે પહોંચ્યા હતા. બાદમાં તેમણે વિધાનસભા અધ્યક્ષ સાથે મુલાકાત કરી. કયાસ લગાવવામાં આવી રહ્યા છે કે, તેમણે રાજીનામું આપી દીધું છે. જો કે તેમણે આ મામલે કહ્યું કે ના આવું કશું જ નથી. રાત્રે આશરે એક વાગ્યે ભાજપના અન્ય ધારાસભ્ય સંજય પાઠક પણ મુખ્યમંત્રી આવાસથી બહાર નિકળતા દેખાયા હતા.

તો મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને ભાજપના નેતા ગોપાલ ભાર્ગવ અને નરોત્તમ મિશ્રા પણ દિલ્હી પહોંચ્યા અને તેમણે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા અને કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર સાથે બેઠક કરી. આ વચ્ચે કોંગ્રેસના બે ધારાસભ્યો, પૂર્વ મંત્રી બિસાહૂલાલ સિંહ અને રઘુરાજ કનસાના અને એક નિર્દલીય ધારાસભ્ય સુરેન્દ્ર સિંહ શેરાએ મૌન ધારણ કર્યું છે. ત્રણેય ધારાસભ્ય છેલ્લા કેટલાક દીવસથી ગાયબ છે.

મધ્યપ્રદેશની રાજનીતિમાં તે સમયે હોબાળો શરુ થયો કે જ્યારે સુવાસરાથી કોંગ્રેસના ધારાસભ્ય હરદીપ ડંગે રાજીનામું આપ્યું છે. તો છેલ્લા કેટલાક દિવસોથી ગાયબ ધારાસભ્યોએ કોંગ્રેસના ભાજપ પર ધારાસભ્યોને બંધક બનાવવામાં આવેલા આરોપોને ફગાવ્યા છે. કોંગ્રેસ ધારાસભ્ય હરદીપ ડંગે પોતાનું રાજીનામું વિધાનસભા સચિવાલય અને મુખ્યમંત્રીને આપ્યું છે.

દિલ્હી હિંસા પર સંસદમાં હોબાળાને લઈને સરકારે શું નિર્ણય કર્યો?

નવી દિલ્હીઃ દિલ્હી હિંસાને લઈને સંસદમાં ચાલી રહેલા હોબાળાને જોતા મોદી સરકારે બજેટ સત્રમાં તમામ મંત્રાલયોને ગ્રાન્ટ માટેની માગણીને પસાર કરવા માટે ગિલોટિનનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય સરકારો પહેલા પણ કરતી રહી છે. સરકારને ત્રણ એપ્રિલ પહેલા બજેટ પારિત કરાવવાનું છે. 16 માર્ચના રોજ લોકસભામાં ગિલોટિન થશે. આ પ્રકારે રાજ્યસભા માટે 14 દિવસ વધારે મળી જશે. આ વચ્ચે સરકારને બે અધ્યાદેશ પણ પસાર કરાવવાના છે. સરકારનો દાવો છે કે આવું પહેલીવાર નથી થયું. યૂપીએ-2 ના સમયમાં હોબાળા વચ્ચે 18 બિલ પારિત કરાવવામાં આવ્યા હતા. સરકારે દિલ્હી હિંસા પર બુધવારના રોજ લોકસભા અને ગુરુવારના રોજ રાજ્યસભામાં ચર્ચાનો પ્રસ્તાવ મૂક્યો છે. સોમાર અને મંગળવારના રોજ હોળીના કારણે સંસદમાં રજા છે.

જૂના સમયમાં યૂરોપીય દેશોમાં એક ગિલોટિનનું એક પ્રકારનું યંત્ર હતું કે જેનો ઉપયોગ મૃત્યુંની સજામાં થાય છે. પરંતુ સંસદમાં આ શબ્દ અલગ-અલગ અર્થોમાં ઉપયોગ થવા લાગ્યો છે. ભારતીય સંવિધાનમાં બજેટ સત્રમાં મંત્રાલયોની માંગોને ચર્ચા વગર પારિત કરાવવાની પ્રક્રિયાને ગિલોટિન કહેવામાં આવે છે. તો સામાન્ય પ્રક્રિયા છે કે મંત્રાલયોની અનુદાનની માંગો પર ચર્ચા થાય છે અને બાદમાં સદન આને સંશોધન અથવા તેના વિના પારિત કરી દે છે. પરંતુ ભારતમાં ઘણા મંત્રાલય છે, તમામ ચર્ચા થવી શક્ય નથી એટલા માટે જે માંગો પર ચર્ચા નથી થઈ શકતી તેના પર મતદાન કરાવીને પાસ કરી દિધા છે જેને ગિલોટિન કહેવામાં આવે છે.

કોંગ્રેસના સાત સાંસદોના સસ્પેન્શન પર સરકાર અડગ છે. સૂત્રોએ કહ્યું કે, જો પોતાના અસંસદીય આચરણ માટે ક્ષમા પણ માંગી લે, ત્યારે પણ સસ્પેન્શન પાછું નહી લેવાય. તો કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈની લોકસભાની સદસ્યતા રદ્દ કરવા માટે વિચાર થઈ રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે ઘટનાક્રમની તપાસ માટે બનેલી સમિતિ સદસ્યતા ખતમ કરવા પર વિચાર કરી શકે છે.

પ્યારની વાત – ૬ માર્ચ, ૨૦૨૦

કોરોના વાઈરસ ચીનની બહાર 17 ગણી ઝડપે ફેલાઈ રહ્યો છે: WHOની ચેતવણી

ન્યૂયોર્કઃ આખું વિશ્વ હાલ કોરોના વાઈરસ રોગચાળાની ઝપટમાં આવી ગયું છે. આ રોગચાળો ચીનથી શરૂ થયો છે અને અત્યાર સુધીમાં 80 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે, જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. દુનિયાભરમાં કોરોનાનાં 97,510 કેસો નોંધાયા છે. કુલ 3,345 જણનાં મરણ નિપજ્યા છે. એકલા ચીનમાં જ 2,900 જણના જાન ગયા છે.

ઈટાલીમાં મરણાંક વધીને 148 થયો, કોરોનાનાં કન્ફર્મ્ડ કેસોની સંખ્યા 3,858 પર પહોંચી છે. બ્રિટનમાં કોરોનાને કારણે પહેલું મરણ નોંધાયું છે અને કેસોની સંખ્યા 115 થઈ છે.

દરમિયાન વિશ્વ આરોગ્ય સંસ્થાએ ચેતવણી આપી છે કે આ રોગચાળો ચીનથી બહાર 17 ગણી વધારે ઝડપે ફેલાઈ રહ્યો છે તેથી લોકોએ આ રોગચાળાને ધીમો પાડવા માટે તમામ પગલાં લેવા.

ઈરાનમાં 90 જણના મરણ થઈ ચૂક્યા છે. અમેરિકામાં પણ 9 જણનાં મરણના સમાચાર છે.

ભારતમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 30 થઈ

દરમિયાન, કોરોના વાઈરસ ભારતમાં પણ ઘૂસી ગયો છે. એનો શિકાર બનેલા લોકોની સંખ્યા વધીને 30 થઈ છે. આમાં 16 જણ ઈટાલીથી આવેલા પર્યટકો છે.

ભારતમાં છેલ્લા બે દિવસમાં કોરોનાનાં દર્દીઓની સંખ્યા ઝડપથી વધી છે.

કોરોના રોગચાળાને કારણે રાષ્ટ્રપતિ કોવિંદ, વડા પ્રધાન મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ સહિત અનેક નેતાઓએ આ વખતે હોળી-ધૂળેટીનો તહેવાર ન ઉજવવા તથા કોઈ પણ હોલી મિલન કાર્યક્રમની ઉજવણીમાં ભાગ ન લેવાનું નક્કી કર્યું છે.

દિલ્હીમાં, 31 માર્ચ સુધી તમામ પ્રાથમિક શાળાઓને બંધ રાખવાનો ત્યાંની સરકારે આદેશ આપ્યો છે.

Chitralekha Marathi – March 16, 2020

  E-Magazine – Desktop Version PDF Version
This post is only available to members.

Chitralekha Gujarati – March 16, 2020

E-Magazine – Desktop Version PDF Version

મંગળ ગ્રહ પર રહસ્યમયી છેદઃ જીવન હોવાની શક્યતા

અમેરિકી અંતરિક્ષ એજન્સી નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (NASA)એ મંગળ ગ્રહની 2011માં લીધેલો ફોટાને પહેલી માર્ચે જારી કર્યો છે. આ ફોટામાં એક રહસ્યમય છેદ નજરે પડે છે. વિજ્ઞાનીઓના મતે મંગળ ગ્રહ પર જીવનના હોવાના કેટલાક પુરાવા મળી શકે છે. 35 મીટર વ્યાસવાળા છેદમાં કેટલીક ગુફાઓ હોવાનું માલૂમ પડ્યું છે. વિજ્ઞાનીઓ આ ફોટા પર વધુ અભ્યાસ કરી રહ્યા છે.

નાસાએ એક રોબોટ મોકલ્યો હતો, જેનું નામ ઓર્બિટર છે, એ સતત મંગળ ગ્રહના ફોટો મોકલી રહ્યું છે. આ ફોટો ઓર્બિટરે મોકલ્યો હતો. જ્યારે છેદ માલૂમ પડ્યો ત્યારે નાસાએ વધુ વિશ્લેષણ કર્યું હતું, જેમાં આ ગુફા આશરે 20 મોટી ઊંડી હતી.

નાસે પોતાના બ્લોગમાં કહ્યું હતું કે આ છેદની આસપાસ કેટલીક સુરક્ષિત સુફાઓ હતી. જેની લંબાઈ 35 મીટર અને ઊંડાઈ 20 મીટર સુધી હોવાનું અનુમાન છે. વિજ્ઞાનીઓ વધુ અભ્યાસ કરી રહ્યા છે.

 

 

 

નીના ગુપ્તા ખોલી રહી છે અંગત જીવનના રાઝ…

નવી દિલ્હીઃ બોલીવુડ એક્ટ્રેસ નીના ગુપ્તાએ પોતાની એક્ટિંગથી બોલીવુડની દુનિયામાં ખૂબ નામ કમાયું છે. પરંતુ તાજેતરમાં જ એક્ટ્રેસે પોતાના ઈન્ટરવ્યૂ દરમિયાન પોતાની પર્સનલ લાઈફ સાથે જોડાયેલા કેટલાક રહસ્યો જણાવ્યા છે. તેમણે જણાવ્યું કે, ઘણા લોકો મારી સાથે લગ્ન કરવા માટે તૈયાર થઈ ગયા હતા, જેનાથી તેઓ મારી દિકરીને પોતાનું નામ આપી શકે. પરંતુ આના માટે નીના ગુપ્તાએ સ્પષ્ટ ઈનકાર કર્યો અને પોતાની દીકરી મસાબાને એકલા જ ઉછેરીને મોટી કરવા મામલે વિચાર કર્યો. નીના ગુપ્તાએ ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યું કે, મારી પર્સનલ લાઈફ મારી પર્સનાલિટીથી એકદમ અલગ જ છે. નીના ગુપ્તાએ પોતાની દીકરી મસાબા સાથે જોડાયેલી વાત જણાવતા કહ્યું કે, કેટલાક લોકો માટે હું બહાદૂર છું, પરંતુ બધી જ બહાદૂર બનવા માત્રની વાત નથી. મને લાગે છે કે એ નક્કી કરવું મુશ્કેલ નથી કે બાળકને જન્મ આપવો કે નહી. પરંતુ પોતાના નિર્ણય પર અડગ રહીને તેની સાથે જીવન જીવવું અઘરું છે. મને બહાદૂર કહેવામાં આવે છે પરંતુ આ વાતે મને નકારાત્મક છબી આપી છે. તેમણે કહ્યું કે, ઘણા લોકોએ અચાનક મને સાંત્વના આપવાની શરુ કરી દીધી. મારા મીત્રોએ મને કહેવાનું શરુ કરી દીધું કે હું તમારી સાથે લગ્ન કરીશ. આમ કરીને હું તારી દીકરીને મારું નામ આપી શકીશ. અને મને લાગ્યું કે, માત્ર સરનેમ માટે જ શું કરવા લગ્ન કરું? હું તેને મારું પોતાનું નામ આપીશ અને આના માટે મેં કામ કરવાનું શરુ કર્યું.

નીના ગુપ્તાએ જણાવ્યું કે, હું સિગલ મધર વધારેમાં વધારે 2 વર્ષ માટે રહી. બાદમાં મારા પિતા મારી પાસે આવી ગયા હતા અને તેઓ મારી સાથે રહેતા હતા. તેમણે મારું ઘર જોયું, મારી દીકરીને સાચવી અને મારા માટે બધુ જ તેઓ બની ગયા હતા. મારી પાસે પતિ નહોતા તો ભગવાને મને પિતા આપ્યા. મારી માતાનું નિધન ખૂબ પહેલા થઈ ચૂક્યું હતું. તો પિતા મારી સાથે રહેતા હતા. અમારો પરિવાર બાકી પરિવારની જેમ નહોતો. ઉલ્લેખનીય છે કે બોલીવુડ એક્ટ્રેસ નીના ગુપ્તા 80 ના દશકમાં વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ક્રિકેટર વિવિયન રિચર્ડ સાથે રિલેશનશીપમાં હતી. જો કે તેમણે એકબીજા સાથે લગ્ન નહોતા કર્યા.