Home Blog Page 4712

ફેસ શિલ્ડ, સર્જિકલ માસ્ક, મેડિકલ ચશ્માની નિકાસમાં છૂટછાટ અપાઈ

નવી દિલ્હીઃ સરકારે ફેસ શિલ્ડ, કેટલાક પ્રકારના સર્જિકલ માસ્ક અને મેડિકલ ચશ્માની નિકાસના નિયમોમાં છૂટછાટ આપી છે, જેની કોરોના વાઇરસ રોગચાળાને કારણે સારી એવી માગ છે. સરકાર ફેસ શિલ્ડની નિકાસને સંપૂર્ણ રીતે મુક્ત કરી દીધી છે. કેટલીક શરતોની સાથે બે-ત્રણ પડવાળા સર્જિકલ માસ્ક અને મેડિકલ ચશ્માંની નિકાસની મંજૂરી આપી છે.

આ પહેલાં કોરોના વાઇરસ રોગચાળાનો કારણે 2-3 સ્તરવાળા સર્જિકલ માસ્ક, મેડિકલ ચશ્માં અને ફેસ શિલ્ડની નિકાસને પ્રતિબંધિત કરી દીધાં હતાં. આ માસ્ક અને ચશ્માંની નિકાસને પ્રતિબંધિત શ્રેણીમાંથી કાઢીને અવરોધિત શ્રેણીમાં સામેલ કરી દીધા હતા. એટલે કે આ ચીજવસ્તુઓની નિકાસ માટે ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT)થી મંજૂરી લેવી પડતી હતી.   

DGFTએ એક નોટિફિકેશનમાં કહ્યું હતું કે 2-3 સ્તરવાળા સર્જિકલ માસ્ક, મેડિકલ ચશ્માંની નિકાસની નીતિને પ્રતિબંધિત શ્રેણીથી અવરોધિત શ્રેણીમાં લાવવામાં આવી છે અને ફેસ શિલ્ડની નિકાસને મુક્ત શ્રેણીમાં લાવવામાં આવી છે. આ નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે 2-3 સ્તરવાળા સર્જિકલ માસ્ક માટે પ્રતિ મહિને 20 લાખ યુનિટનો ક્વોટા નક્કી કરવામાં આવ્યો છે. આ ઉત્પાદનોની કોવિડ-19 રોગચાળાને કારણે ભારે માગ છે.

 

 

‘નગીનદાસ સંઘવી: મારી દ્રષ્ટીએ’: શુક્રવારે સ્મરણાંજલિ સભાનું આયોજન

મુંબઈઃ ગઈ 12મી જુલાઈએ 101 વરસની વયે વિદાય લેનાર પદ્મશ્રી, પ્રાધ્યાપક, ઈતિહાસકાર, લેખક, સમીક્ષક, વિચારક અને જીવનભર કર્મયોગી રહેનાર નગીનદાસ સંઘવી ઉર્ફે નગીનબાપાની સ્મૃતિમાં એક સ્મરણાંજલિ સભાનું આયોજન શુક્રવારે તા. 31 જુલાઈના રોજ સાંજે 6 થી 7 દરમ્યાન કરાયું છે. આ સભામાં જોડાવા ‘સંવિત્તિ એક જાગૃતિ’ (Samvitti Ek Jagruti)ના ફેસબુક પર જોડાવાનું રહેશે.

ફેસબુકના એ જ પેજ પર પછીના દિવસોએ પણ એ જોઈ શકાશે.

લાખો લોકોને પ્રેરણા આપે એવું જીવન જીવનાર અને અંતિમ શ્વાસ સુધી પોતાની લેખન પ્રવૃતિ ચાલુ રાખનાર સત્યનિષ્ઠ -કર્મવીર નગીનદાસ સંઘવીની આ સ્મરણાંજલિ સભામાં તેમની સાથે નિકટતા ધરાવનાર હસ્તીઓ નગીનબાપા વિશે વિચારો-સંસ્મરણોને વાગોળશે. આ હસ્તીઓમાં જન્મભુમિ ગ્રુપના ચીફ એડિટર અને સીઈઓ કુન્દનભાઈ વ્યાસ, ચિત્રલેખાના ભરતભાઈ ઘેલાણી , જાણીતા કટાર લેખિકા વર્ષા પાઠક, લેખક-વક્તા દિપક સોલિયા અને કવિ મુકેશ વૈધનો સમાવેશ થાય છે. કાંદિવલીની જાણીતી સંસ્થા ‘સંવિત્તિ’ અને બોરીવલીની સંસ્થા ‘મહા ગુજરાતી સંઘ’ના સંયુકત ઉપક્રમે આ સભાનું આયોજન થયું છે.

સંવિત્તિના સભ્ય અને સંગીત વિશારદ હાર્દિક ભટ્ટ અને સાથીઓ પ્રાર્થનાગીતો પ્રસ્તુત કરશે. આ પ્રસંગે નગીનબાપાના વકતવ્યની યાદગાર વિડિયો ઝલક પણ દર્શાવાશે.

કોરોના સંક્રમિતોની સંખ્યા 15 લાખને પાર

નવી દિલ્હીઃ તમામ પ્રયાસો છતાં દેશમાં કોરોના વાઇરસના સંક્રમણના કેસોમાં નિરંતર વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 48,513 નવા કેસ સામે આવ્યા છે અને 768 લોકોનાં મોત થયાં છે.દેશમાં સતત પાંચમા દિવસે કોરોનાના 45,000થી વધુ કેસ નોંધાયા છે.  દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 15 લાખને પાર થઈ છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 15,31,669 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 34,193 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 9,88,029 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 5,09,447એ પહોંચી છે. રિકવરી રેટ 64.25 ટકાએ પહોંચ્યો છે.

દેશમાં 1,77,43,740 ટેસ્ટ

28 જુલાઈ સુધીમાં કોવિડ-19ના કુલ 1,77,43,740 સ્મ્પલોના ટેસ્ટિંગ થઈ ચૂક્યાં છે, જેમાં 4,08,805 ટેસ્ટ ગઈ કાલે કરવામાં આવ્યાં હતાં, એમ ICMRએ કહ્યું હતું.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

રફાલ વિમાનથી એરફોર્સની તાકાત અનેકગણી વધી જશેઃ ભદોરિયા

અંબાલાઃ લડાકુ વિમાન રફાલની પહેલી ખેપ આજે અંબાલા એરબસ પર પહોંચશે. આ પ્રસંગે એરફોર્સના પ્રમુખ એર ચીફ માર્શલ આરકેએસ ભદોરિયા વિમાનોને રિસીવ કરવા પહોંચશે. એની સાથે તેઓ પાઇલટો સાથે પણ મુલાકાત યોજશે. ફ્રાન્સથી આવી રહેલા પાંચ રફાલ વિમાન હાલમાં UAE એરબેઝ પર મોજૂદ છે. UAEથી વિમાનો આજે ભારત આવશે.

વિમાનોના લેન્ડિંગ પહેલા અંબાલા એરફોર્સ સ્ટેશનનમી આસપાસ સુરક્ષાના કડક બંદોબસ્ત કરવામાં આવ્યો છે. એરફોર્સની આસપાસ કલમ 144 લગાવવામાં આવી છે. એની સાથે ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ વિસ્તારમાં ચારથી વધુ લોકોને ભેગા થવા પર મનાઈ ફરમાવવામાં આવી છે.

એરફોર્સએ બનાવ્યો બેકઅપ પ્લાન

અંબાલામાં રફાલ વિમાનો પહોંચવાનો અપેક્ષિત સમય બપોરે બે કલાકનો છે, પણ મોસમને કારણે થોડો ફેરફાર થઈ શકે છે. એરફોર્સે મોસમની દરેક સ્થિતિને પહોંચવાની તૈયારી કરી છે. આટલું જ નહીં વિષમ પરિસ્થિતિઓ માટે એરફોર્સે એક બેકઅપ પ્લાન પણ બનાવી રાખ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર જો મોસમ ખરાબ થઈ તો રફાલ વિમાન અંબાલા એરબસને બદલે જોધપુર એરબેઝ પર લેન્ડિંગ કરશે. એના માટે જોધપુર એરબેઝને બેકઅપ બેઝ માટે પણ તૈયાર કરી લેવામાં આવ્યો છે.

અંબાલા એરબસની સુરક્ષાને વહીવટી તંત્ર હાઇ એલર્ટ પર

અંબાલાના DSP (ટ્રાફિક) મુનીષ સહગલે કહ્યું હતું કે રફાલ વિમાનોના લેન્ડિંગને ધ્યાનમાં રાખતાં વહીવટી તંત્ર હાઇ એલર્ટ પર છે.

નો ડ્રોન ઝોન જાહેર

અંબાલા એરબસને રફાલના આગમનના હિસાબે તૈયાર કરવામાં આવ્યું છે. અંબાલા એરબેસના ત્રણ કિલોમીટરના વિસ્તારમાં નો ડ્રોન ઝોન જાહેર કરવામાં આવ્યો છે. એરબેસના ત્રણ કિલોમીટરના વિસ્તારમાં અન્ય કોઈ પણ પ્રકારની ઉડાન પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.

આરકેએસ ભદોરિયા એક સારા પાઇલટ

એરચીફ માર્શલ આરકેએસ ભદોરિયા ભારતીય એરફોર્સના સૌથી ઉમદા પાઇલટોમાંના એક છે. તેમણે 26 પ્રકારના લડાકુ અને પરિવહન વિમાનોએ ઉડાડ્યાં છે. આમાં રફાલ પણ સામેલ છે. તેઓ રફાલ લડાકુ વિમાન ખરીદની ટીમના ચેરમેન રહ્યા છે. રફાલ વિમાન ઉડાડ્યા પછી તેમણે કહ્યું હતું કે રફાલ લડાકુ વિમાન વિશ્વના શ્રેષ્ઠ વિમાન છે. એના આવવાથી ભારતીય એરફોર્સની તાકાત અનેક ગણી વધી જશે.

 

 

રાશિ ભવિષ્ય 29/07/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજના દિવસમાં તમને થોડો વધુ ઉત્સાહ જોવા મળી શકે છે અને તેમાં પણ તમે વાર્તાલાપમાં સારો સમય પસાર કરીદો તો નવાઈ નહિ, તમારી કોઇ જૂનીઓળખાણ તાજી થાય અને તે મિલનમુલાકાત દરમિયાન જૂનીયાદોના સુખદસ્મરણોથી આનંદની લાગણી તમારામાં વધુ જોવા મળે તેવું બની શકે છે.


તમારા સગાસ્નેહી, જુનાપરિચિત સાથે હરવા-ફરવાના યોગ છે અને તેમાં તમને સારો ઉત્સાહ જોવા મળે તેમજ તમને કોઈ તક મળતા તમારા મનની કોઈવાત પણ ક્યાંક રજુ કરો તેવું બની છે, આરોગ્યબાબત થોડા મોજમસ્તીના મુડમાં હોવાથી કયાંક બેદરકાર પણ બનો, યુવાવર્ગને પસંદગીના કામ થઈ શકે.


નાનીમોટી મુસાફરીના યોગ છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખ્વવું, આકસ્મિકખર્ચા થવાથી તમને મનમાં ખર્ચ થયાનો રંજ રહ્યા કરે, કામકાજ દરમિયાન થોડી અશાંતિનો સામનો કરવો પડે.


લોકોમાં તમારો અલગ પ્રભાવ જોવા મળશે, તેમાંપણ તમારા કામકાજકે વાર્તાલાપ દરમિયાન તમારી વાતને યોગ્યપ્રતિસાદ મળી શકે છે, કઈક લાભની વાત આપલે થઇ શકે છે, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છો અને કોઈની મદદ કરવાની તમારામાં થોડી વૃતિ પણ જાગી શકે છે.


મિત્રો સાથે સમય વધુ ફાળવાય અને કયાંક કોઈકારણસર મુસાફરીના યોગ બની શકે છે, કોઈની પાછળ કોઈ કારણસર  આકસ્મિકખર્ચકે ધાર્યા કરતા વધુ ખર્ચા થઇ શકે છે, કોઈજગ્યાએથી મનને ગમતી વાત સંભાળવા મળે અને તેમાં તમારી ખુશીની કોઈ સીમાના રહે તેવું બની છે.


આજના દિવસે નાનીનાની વાતમાં ગુસ્સો આવી શકે છે માટે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી બને છે, કોઈ મશ્કરી કરેતો વાણીવિલાસના થાય તેનું ધ્યાન રાખવું ઈચ્છાનીય છે, કામકાજમાં તેમજ અંગત વ્યવહારમાં કોઈની સાથે મતભેદના થાય તેની કાળજી રાખવી, વેપારમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.


આજના દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે અને તેના કારણે તમને કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, તમારા કોઈ કામકાજમાં અન્યનો સાથસહકાર અને માર્ગદર્શન પણ સારું મળી શકે છે, કોઈની સાથે થયેલ આકામિક મિલનમુલાકાત આનંદદાયી અને યાદગાર બની રહે તેવું પણ બનવા જોગ છે.


આજે તમે મજાક કરવાની વૃતિમાં જોવા મળો અને તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું વડીલ કે પરિચિત સાથે ફરવાના યોગ પણ બને છે તેમાં તમારા માટે કોઈ લાભકારી વાતચિત થાય અને તેનો તમને ક્યાંક ફાયદો પણ થઈ શકે છે, તમારા અટકેલા કોઈકામ આગળ વધારવાની કોશિશ કરવી સારી.


મુસાફરી દરમિયાન બહુ જૂનીઓળખાણકે યાદતાજી થાય તેવું બને, નજીકના સગાકે પડોસી સાથે વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી જેથી કોઈ બાબતપર કોઈ ગેરસમજ ટાળી શકાય, મનમાંને મનમાં કોઈ વાત રહેલી હોય તેનો ક્યાયક ખુલાસો કરવાની તક મળી શકે છે, વેપારમાં ધીરજ રાખી કામકાજ કરવું યોગ્ય છે.


થોડી માનસિક અશાંતિ રહી શકે છે કારણકે તમને મનમાં કોઈક વાતનો અજંપો પરેશાન કરતો હોય, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, દિવસ દરમિયાન કામમાં એકાગ્રતા રાખવી, વેપારમાં ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું ઇચ્છનીય છે.


ધાર્મિકસ્થળની મુલાકાત થઈ શકે છે, સંતાન સાથે વાર્તાલાપકે ખરીદી કરવાના યોગ બની શકે છે, આજે પોતાની પસંદગીની કોઈવાત સંભાળવા મળે તેમાં તમને ખુશીની લાગણી અનુભવાય અને તમને  કોઈ સારા કામમાટેની ઈચ્છા થાય અને તમારા મનના રહેલા દુખ ભુલાઈ જાય.


તમને કોઈનો સાથ સહકાર મળે જેણે કારણે તમે થોડા ઉત્સાહી બનો અને જુનાઅટકેલા કામ બાબત કોઈ વાત આગળ વધે તેવા સંજોગ બની શકે છે, તમારામાં રહેલી લાગણીની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થવાથી તમારામાં થોડી પરોપકારી વૃતિ પણ જાગે તેવા સંજોગો બની શકે છે, આનંદમય દિવસ બની શકે છે.

પંચાંગ 29/07/2020

સુશાંત કેસમાં વળાંકઃ પિતાએ રિયા ચક્રવર્તી સામે FIR નોંધાવી

મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂતના કેસમાં એક નવો મોડ આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુશાંતના પિતા કે. કે. સિંહે રિયા ચક્રવર્તીની સામે પટના પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવ્યો છે. રિયા ચક્રવર્તી સુશાંતની ગર્લફ્રેન્ડ હતી અને મુંબઈ સ્થિત એના ફ્લેટમાં તેની સાથે રહેતી હતી. પોલીસે આ સંબંધે IPCની કલમ 341,342, 380,406, 420 અને 306 હેઠળ કેસ નોંધ્યો છે.  

આત્મહત્યા માટે ઉશ્કેર્યો

સુશાંતના પિતા પટનાના રાજીવનગર પોલીસ સ્ટેશનમાં રિયા ચક્રવર્તીની સામે FIR નોંધાવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે રિયાએ સુશાંતને જાળમાં ફસાવીને તેના પૈસા ઝૂંટવી લીધા અને તેને સુસાઇડ કરવા માટે ઉશ્કેર્યો હતો.

IGએ માહિતી આપી

સૂત્રોના જણાવ્યા મુજબ સુશાંતના પરિવારને મુંબઈ પોલીસ પર વિશ્વાસ નથી થઈ રહ્યો. તેમણે આ અસંતોષને કારણે પટનામાં કેસ નોંધાવ્યો છે. ત્યાં પટના સેન્ટ્રલ ઝોનના IG સંજય સિંહને મામલે માહિતી આપતાં કહ્યું હતું કે ચાર સભ્યોની એક ટીમને મુંબઈ રવાના કરવામાં આવી છે. આ ટીમ મુંબઈ પોલીસ પાસેથી કેસ ની ફાઇલની સાથે-સાથે બધા જરૂરી કાગળિયાં એકત્ર કરશે અને પછી કાર્યવાહી શરૂ કરશે.

FIRમાં શું છે?

સુશાંતના પિતા કેકે સિંહે કહ્યું છે કે રિયાની મિત્રતા પછી ફિલ્મો કેમ ઓછી થઈ ગઈ છે. તેમણે રિયા ચક્રવર્તી અને એના પરિવારના સભ્યો પર ગંભીર આરોપ લગાવ્યા છે. રિયાએ સુશાંતને છેહ દીધો છે. તેના પૈસા છીનવી લીધા છે. રિયાએ સુશાંતને પરિવારથી અલગ કરી દીધો હતો.  આ ઉપરાંત સુશાંતના ખાતામાંથી 17 કરોડની લેવડદેવડ થઈ છે.

તેમણે જણાવ્યું હતું કે રિયાએ સુશાંતના ઘરેથી રોકડ, ઝવેરાત, લેપટોપ, પાસવર્ડ, ક્રેડિટ કાર્ડ અને એના પિન નંબર-જેમાં મહત્ત્વના દસ્તાવેજ, સારવારના બધાં કાગળિયાં લઈને ચાલી ગઈ છે.

સુશાંત સિંહ રાજપૂતનો વિસરા રિપોર્ટ, આ ખુલાસો થયો…

બોલિવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને મુંબઈના બાંદરા સ્થિત ઘરમાં આપઘાત કરી લીધો હતો. પોલીસને તેની પાસે કોઈ સુસાઇડ નોટ નથી મળી. સુશાંત સિંહના અંતિમ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માલૂમ પડ્યું છે કે તેના શરીર પર કોઈ પણ પ્રકારની ઇજાનાં નિશાન નથી મળ્યાં. એમાં જણાવવામાં આવ્યું છે કે તેનું મોત ગળેફાંસો ખાવાને કારણે શ્વાસ રૂંધાતાં થયું હતું. ત્યાર બાદ તેનો કામચલાઉ વિસરા રિપોર્ટ સામે આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે તેના શરીરમાં કોઈ પણ પ્રકારનું કેમિકલ અથવા ઝેર નથી મળ્યું.

સુશાંત સિંહ રાજપૂતનો અંતિમ વિસરા રિપોર્ટ આવ્યો
હવે સુશાંત સિંહ રાજપૂતનો અંતિમ વિસરા રિપોર્ટ આવ્યો છે. આ અંતિમ વિસરા રિપોર્ટને આધારે પોલીસે કોઈ પણ પ્રકારની ગરબડ થઈ હોવાનો ઇનકાર કર્યો હતો. વિસરા રિપોર્ટ પછી પોલીસે જણાવ્યું હતું કે સુશાંતના શરીરમાં કોઈ પણ પ્રકારના ઝેરી અથવા રાસાયણિક પદાર્થ નથી મળ્યો. હવે પોલીસ સુશાંતના પેટ અને નખના ફોરેન્સિક રિપોર્ટ આવવાની રાહ જોઈ રહી છે.

મહેશ ભટ્ટની પૂછપરછ

સુશાંત સિંહ રાજપૂત મામલાની તપાસ કરી રહેલી મુંબઈ પોલીસે હિન્દી ફિલ્મ ઉદ્યોગના જાણીતા ડિરેક્ટર મહેશ ભટ્ટથી પૂછપરછ કરી હતી. આશરે બે કલાક સુધી પોલીસ પૂછપરછમાં મહેશ ભટ્ટથી મુંબઈ પોલીસે સુશાંતથી થયેલી મુલાકાત, રિયાની સાથે તેમની ઓળખાણ, રિયાની સાથે કરેલી ફિલ્મો, સુશાંતની સાથે થયેલી કામને લઈને ચર્ચા સિવાય બોલિવુડમાં નેપોટિઝમ, સુશાંતના ડિપ્રેશન અને સુશાંત-રિયાની સાથે સંબંધોમાં તિરાડ કરવા બદલ તેમના પર લાગેલા આરોપો વિશે પૂછપરછ કરી હતી.

પોલીસ દરેક પાસાથી તપાસ કરી રહી છે

મુંબઈ પોલીસે સુશાંત સિંહના મોતનાં કારણોની વિવિધ પાસાંઓથી તપાસ કરી રહી છે. આ કેસમાં પોલીસે સુશાંતના પરિવાર અને મિત્રો સહિત 30થી વધુ લોકોનાં નિવેદનો નોંધી ચૂકી છે. આ મામલે એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે પોલીસ સુશાંત સિંહની આત્મહત્યાના પાછળનું કારણ સમજવાના પ્રયાસો કરી રહી છે અને એ જાણવા પ્રયત્નો કરી રહી છે કે શું પ્રોફેશનલ સ્પર્ધા અથવા કોઈ શખસ સુશાંતની હતાશા માટે જવાબદાર હતો.

 

 

 

 

પીઢ અભિનેત્રી કુમકુમ (86)નું મુંબઈમાં નિધન

મુંબઈઃ વીતી ગયેલા વર્ષોની હિન્દી ફિલ્મોનાં પીઢ અભિનેત્રી કુમકુમનું આજે અહીં બાન્દ્રા ઉપનગરમાં એમનાં નિવાસસ્થાને આજે અવસાન થયું છે. એમની વય 86 વર્ષ હતી.

કુમકુમે 115 ફિલ્મોમાં અભિનય કર્યો હતો. એમની અમુક જાણીતી ફિલ્મોના નામ છેઃ આરપાર (1954), પ્યાસા, મેમ સાહેબ, ચાર દિલ ચાર રાહેં, મિસ્ટર એક્સ ઈન બોમ્બે, મધર ઈન્ડિયા, સન ઓફ ઈન્ડિયા, કોહિનૂર, ઉજાલા, નયા દૌર, શ્રીમાન ફન્ટૂશ, રાજા ઔર રંક, લલકાર અને ગીત.

આર પાર ફિલ્મના ખૂબ જાણીતા થયેલા ગીત કભી આર કભી પાર લાગા તીરે નજરમાં કુમકુમે ડાન્સ કર્યો હતો. નિર્માતા-દિગ્દર્શક ગુરુ દત્તે અનેક સારી ડાન્સરની ચકાસણી કર્યા બાદ કુમકુમ પર પસંદગી ઉતારી હતી. ત્યારબાદ ગુરુ દત્તે કુમકુમને પોતાની અન્ય ફિલ્મ પ્યાસામાં એમને રોલ આપ્યો હતો.

1956માં આવેલી ફિલ્મ મેમ સાહેબમાં કુમકુમે શમ્મી કપૂર સાથે કામ કર્યું હતું અને 1959માં ચાર દિલ ચાર રાહેંમાં એમણે શમ્મી કપૂરની મુખ્ય અભિનેત્રી તરીકે કામ કર્યું હતું. લલકાર ફિલ્મમાં એ ધર્મેન્દ્ર સાથે રોમાન્સ કરતા જોવા મળ્યાં હતાં.

1934ની 22 એપ્રિલે બિહારના હુસૈનાબાદમાં જન્મેલાં કુમકુમનું ખરું નામ ઝૈબુનિસા હતું. એમનાં પિતા હુસૈનાબાદના નવાબ હતા.

કુમકુમ ઉત્તમ કથ્થક નૃત્યાંગના હતાં. એમણે તે માટે પંડિત શંભુ મહારાજ પાસે તાલીમ લીધી હતી.

દિલીપકુમાર અભિનીત કોહિનૂર ફિલ્મના મધુબન મેં રાધિકા નાચે રે ગીતમાં કુમકુમે કથ્થક નૃત્ય કર્યું હતું.

કુમકુમે 1970ના દાયકા સુધી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું હતું. ત્યારબાદ એમણે લગ્ન કર્યાં હતાં અને સાઉદી અરેબિયા જતાં રહ્યાં હતાં. અમુક વર્ષો બાદ એ ભારત પાછાં ફર્યાં હતાં. મુંબઈમાં બાન્દ્રા ખાતે પોતાનાં ઘરમાં એ નિવૃત્ત જીવન જીવતાં હતાં.

શાળા બંધ, પણ શિક્ષણ નહીં… રોપડા ગામમાં ડિજિટલ શિક્ષણ

અમદાવાદ: નાનકડા એવા રોપડા ગામમાં ભગવતીબેન આમ તો ઓછું ભણેલા છે પરંતુ ૪ બાળકોને ઘરેથી જ ગૃહકાર્ય કરાવે છે. એટલું જ નહીં પડોશમાં રહેતા તેમના ભાઈના અને અન્ય પરિવારના ૮ બાળકોને ઘરેથી જ ગૃહકાર્ય કરાવવાની જવાબદારી ઉપાડે છે. ભગવતીબેન રોપડા ગામના જાગૃત વાલીઓ પૈકીના એક છે કે, જેઓ પોતાના બાળકોને સમયસર બાળકોને ઘેરથી અભ્યાસ સાથે અન્ય પ્રવૃતિઓ પણ કરાવે છે. બાળકોને વાંચન લેખનની સાથે કેટલીક પ્રવૃત્તિને પણ કરી એક ઉત્તમ ઉદાહરણ રૂપી કાર્ય કરી રહ્યા છે.’

કોવિડ-19 વિશ્વ મહામારીના કપરા સમયમાં વિશ્વને ઘણું વેઠવું પડ્યું છે. આમાં શિક્ષણ પર ઘણી અસર થઈ છે. અમદાવાદ જિલ્લા પંચાયત હસ્તકની શાળાઓ આવા કપરા સમયમાં પણ ખૂબ સુંદર કાર્ય કરી રહી છે.
‘શાળા બંધ છે પણ શિક્ષણ નહીં…’ના ધ્યેય સાથે અમદાવાદ જિલ્લાની ગામડી પે સેન્ટર શાળાના શિક્ષકોએ એક વોટ્સએપ ગૃપ બનાવી બાળકોને કેવી રીતે કાર્ય કરવું તેના દરરોજ મેસેજ આપીને સમજાવવામાં આવે છે. કેટલા બાળકો કયા માધ્યમ દ્વારા શિક્ષણ મેળવી રહ્યા છે…? તે જાણવા ફોન કોલ પણ કરવામાં આવે છે. બાળકોને ઘેર ઘેર જઈ હોમ લર્નિંગ સ્ટડી મટીરીયલ પૂરું પાડવાની સાથે સાથે પાઠ્યપુસ્તકો સાથે એકમ કસોટીની બુક પણ બાળક દીઠ પૂરી પાડી છે.


શાળાના આચાર્ય નિશીથભાઈ કહે છે કે, આજે ડિઝિટલ શિક્ષણની જરૂરિયાત ઉભી થઈ છે ત્યારે અમારી શાળાના શિક્ષકોએ આ નવતર પ્રયોગ કરી બાળકો અને વાલીઓને સહાયરૂપ બનવાનો પ્રયાસ કર્યો છે. દૂરદર્શન ડીડી ગિરનાર પરથી પ્રકાશિત થનાર શૈક્ષણિક કાર્યક્રમ નિહાળવા માટે બાળકોના વાલી સાથે સંપર્ક કરવામાં આવે છે અને વોટ્સએપ ગ્રુપમાં યુટ્યુબ લીંક પણ મોકલવામાં આવે છે. બાળકો ડિજિટલ માધ્યમે હોમવર્ક પણ કરે છે.

બાળકો ઘરે રહી નોટબુક કે ચોપડીમાં જે અભ્યાસ કરે છે તે કાર્યનો ફોટો ગ્રુપમાં મંગાવી તેની ચકાસણી કરી બાળકોને માહિતગાર કરાય છે. બાળકો સાથે વિવિધ એપના માધ્યમ કે સોશિયલ મીડિયાના માધ્યમથી ઓનલાઇન શિક્ષણ સાથે કેટલીક વાતો જાણવા ઓનલાઇન શિક્ષણ પણ અપાઈ રહ્યું છે. જેમાં બાળકો જોડાઈને પોતાની રજૂઆત કરી શિક્ષણ પણ મેળવી રહ્યા છે.

બાળકોમાં સર્જનાત્મકતાનો વિકાસ થાય તે માટે ઓનલાઇન સમર કેમ્પ સાથે ‘નયા આવિષ્કાર કરે’ જેવા કાર્યક્રમમાં જોડી તેઓના વિસ્તારની સમસ્યા જાણી તેનો ઉકેલ મેળવી શકે છે. વિદ્યાર્થીના ઘરનો સંપર્ક કરી તેઓને માહિતી આપી કાર્ય કરવા પ્રેરિત કરાય છે.

ગામના જશુભાઈ અને તેમનો પરિવાર ખેતરમાં રહે છે. ત્યારે તેઓના પાસે સ્માર્ટ ફોન ન હોવાથી બાળકોએ અભ્યાસમાં તકલીફ પડે છે અને ખેતર વિસ્તારમાં લાઈટની આવ-જા ચાલુ હોવાથી ટીવી કાર્યક્રમ વ્યવસ્થિત જોઈ શકાતો નથી તેવામાં તેમની દીકરી અને ભૂતપૂર્વ વિદ્યાર્થીની દક્ષા તેના નાના ભાઈ બહેન સાથે તેના પાડોશમાં રહેતા બાળકને પણ ઘેર રહી અભ્યાસ કરાવે છે. તેને મુશ્કેલ જણાય તો શિક્ષકનો સંપર્ક કરી માહિતી મેળવી લે છે.

આ સાથે શિક્ષકો દ્વારા દરરોજ શાળાએ જઈ બાળકોના સંપર્ક કરવાની સાથે ટીવી પર આવતા કાર્યક્રમ તેઓ પોતે પણ નિહાળે છે જેથી મૂલ્યાંકનમાં મદદરૂપ થાય છે. બસ સ્થિતિ ક્યારે સામાન્ય થાય અને શાળા બાળકોના કલરવથી ગુંજી ઊઠે તે તરફ સૌ કોઈ મીટ માંડીને બેઠા છે.

કોરોનાના ચેપના ભયથી પાલતુ પ્રાણીઓને ત્યજી દેશો નહીં

કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે ભારતમાં જ્યારે પહેલી વાર લોકડાઉન લાગુ કરાયું હતું ત્યારે પોતાના પાલતુ પ્રાણીઓને રોગનો ચેપ લાગવાના ખોટા ભયથી ઘણા માલિકો એમના પેટ્સનો ત્યાગ કરી દેતા હોવાના કિસ્સા બન્યા હતા.

ગુજરાત, ઉત્તર પ્રદેશના ઘણા શહેરો ઉપરાંત દિલ્હી, પુણેમાં ઘણા લોકોએ રસ્તા પર એમને કોઈ જોતું ન હોય ત્યારે એમના પાલતુ કૂતરાઓને રસ્તા પર છોડી દીધા હતા. હાલમાં જ મુંબઈના લોખંડવાલા વિસ્તારમાં ઈન્ફિનિટી મોલ નજીક એક વોચમેને Shih Tzu નામના એક 3 વર્ષના કૂતરાને રસ્તા પર રઝળતો મૂકી દીધો હતો. એ માટે એને કૂતરાની માલિકણે 2000 રૂપિયા આપ્યા હતા.

એ ઘટના પોતાની આંખે જોનાર ગૌરવ ડુડે નામના એક નાગરિકે કહ્યું કે ખોટી અફવાઓને લીધે પાલતુ પ્રાણીઓનો ત્યાગ કરી દેવાનો દર ઊંચે ગયો છે. લોકો એવું સમજે છે કે પ્રાણીઓથી પોતાને કોરોના રોગ લાગુ પડશે. તે ઉપરાંત બીજો ડર એ પણ હોય છે કે ધારો કે પોતાને ચેપ લાગે અને ક્વોરન્ટાઈનમાં જવું પડે તો કૂતરાઓની સારસંભાળ કોણ રાખશે તેમજ લોકડાઉનને કારણે કામધંધા બંધ હોઈ આવક ઘટી જતાં આર્થિક સમસ્યા પણ પાલતુ કૂતરાઓનો ત્યાગ કરવા પાછળનું એક કારણ હોઈ શકે. બીજું કારણ એ પણ હોઈ શકે કે એવા લોકોને ભાડાનું ઘર છોડીને એમના વતનમાં પાછા જવું પડ્યું હોય. એવી સ્થિતિમાં પાલતુ કૂતરાઓની હાલત દયાજનક થઈ જાય છે. એવા કૂતરા તરછોડી દેવાયા બાદ રસ્તાઓ પર જીવી શકવાની ક્ષમતા ધરાવતા નથી હોતા. અન્ય રખડૂ કૂતરાઓ કે લોકો એવા કૂતરાઓને અત્યંત પરેશાન કરતા હોય છે.

તેથી કોરોનાને લગતી આવી ખોટી માન્યતાની ચેન તોડવાની જરૂર છે. Humane Society International/India સંસ્થાએ લોકો એમનાં પાલતુ કૂતરાઓને રસ્તા પર છોડી ન દે એ માટે એમને સમજાવવા માટે પોતાના અભિપ્રાયો શેર કર્યા છે.

World Organisation for Animal Health (OIE), World Health Organization અને CDC જેવી સંસ્થાઓનું કહેવું છે કે કૂતરા, બિલાડી કે બીજા કોઈ પાલતુ પ્રાણીઓથી કોવિડ-19 (કોરોના વાઈરસ) રોગ ફેલાતો હોવાના કોઈ પુરાવા મળ્યા નથી.

હોંગકોંગમાં, ગયા ફેબ્રુઆરીમાં 17 વર્ષના પોમેરિયન જાતિના એક કૂતરાનો કોરોના વાઈરસનો રિપોર્ટ થોડોક પોઝિટીવ આવ્યો હતો, પણ ત્યારબાદનો ટેસ્ટ-રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. માર્ચમાં જર્મન શેફર્ડ પાલતુ કૂતરો કોરોના પોઝિટીવ બન્યો હતો જ્યારે અમેરિકાના જ્યોર્જિયામાં 6-વર્ષના એક મિશ્ર જાતિનો પાલતુ કૂતરો ન્યૂરોલોજિકલ બીમારીથી પીડાતો હોવાનું માલૂમ પડ્યું હતું. પાલતુ કૂતરાઓનો કોરોના ટેસ્ટ કરાયો એ પૂર્વે એ તમામના માલિકોને કોવિડ-19 હોવાનું માલૂમ પડ્યું હતું. એટલે પાલતુ કૂતરાઓના પોઝિટીવ ટેસ્ટ રિપોર્ટ પરથી એવો અર્થ કરી ન શકાય કે પ્રાણીઓથી રોગ ટ્રાન્સમિટ થઈ શકે છે.

OIE દ્વારા પાલતુ પ્રાણીઓના માલિકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ સ્વચ્છતાને લગતા નિયમો પાળે, જેમ કે પ્રાણીઓને સંભાળતા પહેલા અને ત્યારપછી હાથ ધોઈ નાખવાના. તેમજ ઘરની કોઈ વ્યક્તિને કોરોના થાય તો પરિવારના અન્ય સભ્યોએ જે સાવચેતીઓ રાખવી પડે એવી જ સાવચેતીઓથી પાલતુ પ્રાણીઓને પણ રક્ષણ આપવું જોઈએ.

HSI કંપનીના કમ્પેનિયન એનિમલ્સ એન્ડ એન્ગેજમેન્ટ વિભાગના ઈન્ટરિમ ડાયરેક્ટર કેરેન નાઝરેથનું કહેવું છે કે આપણને પાલતુ પ્રાણીઓની જેટલી જરૂર છે એટલી જ એમની આપણે કાળજી પણ લેવી જોઈએ. આ વૈશ્વિક મહામારીના સમયમાં આપણે એમના આરોગ્ય અને સલામતીને પણ એટલું જ પ્રાધાન્ય આપવું જોઈએ. આ વાઈરસને આપણા પેટ શ્વાન ટ્રાન્સમિટ કરે છે એવો હજી સુધી કોઈ પુરાવો મળ્યો નથી. તેથી મહેરબાની કરીને તમારા પેટ્સનો ત્યાગ કરશો નહીં.

ધારો કે કોઈને સેલ્ફ-ક્વોરન્ટાઈન થવાનું આવે કે કોઈ પરિવારજનને કોરોનાનો ચેપ લાગે તો પાલતુ પ્રાણીઓને પણ સેલ્ફ-આઈસોલેશનના સમયગાળા સુધી કોઈ સ્થાનિક ‘પેટ બોર્ડિંગ’માં શિફ્ટ કરી શકાય. પાલતુ પ્રાણીઓને બહારના પ્રાણીઓ સાથે હળવામળવાનું શક્ય એટલું ઓછું રાખવું જોઈએ. ધારો કે કોઈ પ્રાણીઓ તમે આપતા હો એવા ખોરાક કે પાણી પર નભતા હોય તો એને હાથ લગાડ્યા વગર આપો, કારણ કે મોહલ્લાના બીજા ઘણા લોકો પણ એમને ખવડાવતા હોય, જેમના આરોગ્ય વિશે કે એમના પ્રવાસને લગતી તમને કોઈ જાણકારી ન હોય.

બીજું, પાલતુ પ્રાણીઓ માટેના ફૂડ સપ્લાયનો બે અઠવાડિયા સુધી સ્ટોક કરી રાખવો જોઈએ તેમજ શક્ય હોય ત્યારે એમને ટૂંકા સમય માટે વોક માટે લઈ જઈ શકાય. ઘેર પાછા ફર્યા બાદ, એમના પંજાઓને પાણીથી સરખા ધોઈ નાખવા જોઈએ.

ભારત સરકાર પણ પ્રાણીઓ માટેની સેવાઓને આવશ્યક સેવા તરીકે ઘોષિત કરી છે અને પ્રાણીઓની હોસ્પિટલો તથા ક્લિનિક્સને સૂચના આપી છે કે તેમણે એ ખુલ્લી જ રાખવી. તે છતાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું પાલન કરવું જરૂરી હોવાથી માલિકે પહેલાં એના પશુચિકિત્સકને ફોન કરવો અને તે પછી સમય નક્કી કરાયા મુજબ જ પોતાના પેટને ક્લિનિક ખાતે લઈ જવું.