નવી દિલ્હીઃ દિલ્હીમાં થયેલા બોમ્બ વિસ્ફોટ પર ભૂટાનમાંથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ ઘટનાની પાછળ રહેલા કાવતરાખોરોને બિલકુલ છોડવામાં નહીં આવે. બધા જવાબદાર લોકોને ન્યાયના દાયરામાં લાવવામાં આવશે.
તેમણે કહ્યું હતું કે આજે હું અહીં ખૂબ જ ભારે દિલથી આવ્યો છું. ગઈ કાલે સાંજે દિલ્હીમાં થયેલી ભયાનક ઘટનાએ દરેકના મનને ગ્લાનિથી ભરી દીધા છે. હું પીડિત પરિવારજનોની પીડા સમજું છું. દેશ આજે તેમની સાથે છે. ગઈ કાલે રાત્રે હું તમામ તપાસ એજન્સીઓ અને મહત્વપૂર્ણ લોકો સાથે સંપર્કમાં હતો. વિચારોનું મંથન ચાલી રહ્યું હતું, માહિતીઓના તાર જોડવામાં આવી રહ્યા હતા. એજન્સીઓ આ ષડયંત્રના મૂળ સુધી જશે. અને જેના પણ પાછળ હાથ હશે, તેમને છોડવામાં નહીં આવે.તેમણે વધુમાં કહ્યું હતું કે ગઈ કાલે રાતઆખી હું તપાસમાં સંલગ્ન તમામ એજન્સીઓ સાથે સતત સંપર્કમાં હતો. સતત ચર્ચા-વિચારણા થઈ રહી હતી, માહિતીઓ એકઠી અને જોડવામાં આવી રહી હતી. અમારી એજન્સીઓ આ ષડયંત્રની ગંભીરતા સુધી જઈને સત્ય બહાર લાવશે.
Speaking in Thimphu, Bhutan. Watch. https://t.co/nLu0f5q5WY
— Narendra Modi (@narendramodi) November 11, 2025
તેમણે કહ્યું હતું કે આજનો દિવસ ભૂટાન માટે, ભૂટાનના રાજ પરિવારમાં માટે અને વિશ્વ શાંતિમાં વિશ્વાસ રાખનારા દરેક માટે ખૂબ જ મહત્વનો છે. સદીઓથી ભારત અને ભૂટાન વચ્ચે અત્યંત ગાઢ, આત્મીય અને સાંસ્કૃતિક સંબંધ રહ્યો છે. તેથી આ મહત્વપૂર્ણ પ્રસંગમાં હાજર રહેવું, ભારત અને મારા માટે પ્રતિબદ્ધતા છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે તમારામાંથી ઘણા લોકોને ખબર નહીં હોય કે મારું જન્મસ્થાન વડનગર બુદ્ધ પરંપરાથી જોડાયેલું છે. મારી કર્મભૂમિ વારાણસી, પણ બુદ્ધ ભક્તિનું સ્થાન છે. તેથી આ સમારોહમાં આવવું મારા માટે ખાસ છે. શાંતિ માટે મારી પ્રાર્થના અને આ દીપક ભૂટાન તેમ જ વિશ્વના દરેક ઘરને પ્રકાશિત કરે.




કિશનગંજ, જમુઈ સહિત 5 જિલ્લામાં 6 બૂથ પર EVM ખરાબ થવાને કારણે મતદાન મોડું શરૂ થયું. પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવે કહ્યું, “જાણી જોઈને EVMમાં ખરાબીની વાત કહેવામાં આવી રહી છે, જેથી મતની ચોરી થઈ શકે.” 20 જિલ્લાના 45,399 બૂથ પર મતદાન થઈ રહ્યું છે. જેમાં 4,109 બૂથને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. સંવેદનશીલ બૂથો પર સાંજે 4 થી 5 વાગ્યા સુધી મતદાન થશે. જ્યારે અન્ય બૂથો પર સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. પરિણામો 14 નવેમ્બરના રોજ આવશે.
બીજા તબક્કાના મતદાનમાં કુલ ચાર લાખથી વધુ કર્મચારીઓ ફરજ બજાવશે. કુલ 45,399 મતદાન મથકો પર મતદાન થશે, તેમાથી 40,073 મતદાન મથક ગ્રામીણ વિસ્તારમાં આવેલા છે. કુલ મતદાતાઓમાં અડધા ઉપરાંતના એટલે કે 2.28 કરોડ જેટલા મતદાતા 30 થી 60 વર્ષની વયના છે. જ્યારે ફક્ત 7.69 લાખ મતદાતા જ 18 થી 19 વર્ષના વયજૂથમાં છે.
122 મતવિસ્તારોમાં મહિલા મતદારોની સંખ્યા 1.75 કરોડ છે. 3.67 લાખ મતદારો સાથે નવાડા જિલ્લાની હિસુઓ બેઠક સૌથી મોટો મતવિસ્તાર છે. જ્યારે લૌરિયા, ચંપતિયા, રાક્સોલ, ત્રિવેણીગંજ, સુગૌલી અને બન્મખીમાં સૌથી વધુ 22-22 ઉમેદવાર મેદાનમાં ઉતર્યા છે. ઉલ્લેખનીય છે કે પ્રથમ તબક્કામાં 121 મતવિસ્તારોમાં 65 ટકા જેટલું ઊંચું મતદાન થયું છે.




માણસને ગૂમડું થાય અને જ્યાં સુધી એ પાકીને ફૂટી ના જાય ત્યાં સુધી લબકારા માટે અને અસહ્ય પીડા થાય. પણ જેવું ગૂમડું ફાટે અથવા વેરાઈ જાય એટલે એ પીડા ધીરે ધીરે સમી જાય.
સંજીવકુમાર તેમનું વધેલું વજન અને ખાસ કરીને ગીતમાં દેખાતો પેટનો ભાગ જોઈને નાખુશ થયા હતા. એ માટે કેવો પ્રયત્ન કર્યો હતો અને શું પરિણામ આવ્યું હતું એનો રસપ્રદ કિસ્સો નિર્દેશક બી.આર. ચોપરાએ એક મુલાકાતમાં તબસ્સુમને કહ્યો હતો. સંજીવકુમાર તે સમયના સૌથી પ્રતિભાશાળી અને બહુમુખી અભિનેતા ગણાતા હતા. તેમને આ ફિલ્મમાં એક એવા સામાન્ય મધ્યમવર્ગીય પતિ રણજીત તરીકે કાસ્ટ કરવામાં આવ્યા હતા જે પોતાના લગ્નજીવનમાં સંતોષ હોવા છતાં નવી સચિવના પ્રેમમાં પડે છે.

