બેંગલુરુઃ કર્ણાટકના મંત્રીમંડળમાં ફેરબદલની ચર્ચાઓ વચ્ચે રાજકીય વિશ્લેષકો CM સિદ્ધારમૈયા અને ઉપ મુખ્ય મંત્રી ડી.કે.શિવકુમારની નવી દિલ્હી યાત્રા પર ચાંપતી નજર રાખી રહ્યા છે. કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર નવેમ્બરમાં અઢી વર્ષ પૂરા કરવા જઈ રહી છે. કેટલાક લોકો તેને ‘નવેમ્બર ક્રાંતિ’ કહે છે. CM સિદ્ધારમૈયા સાથે થયેલા અઢી વર્ષના કહેવાતા કરાર મુજબ ડી.કે. શિવકુમાર હવે CM બનશે એવી અટકળોએ જોર પકડી છે.
CM સિદ્ધારમૈયા સોમવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત કરે એવી શક્યતા છે. કોંગ્રેસ નેતાઓએ તેને શિસ્તભાવની મુલાકાત ગણાવી છે, પરંતુ સૂત્રો કહે છે કે સિદ્ધારમૈયા રાજ્યમાં મંત્રીમંડળ વિસ્તાર પર ચર્ચા કરે એવી શક્યતા છે.રાજ્યનાં રાજકીય વર્તુળોમાં ખાસ કરીને સત્તાધારી કોંગ્રેસની અંદર, છેલ્લા થોડા સમયથી CM પદમાં બદલાવ અંગે ચર્ચાઓ ચાલી રહી છે. જોકે પક્ષ તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. આ વચ્ચે, ડી.કે. શિવકુમારે પ્રદેશ કોંગ્રેસ સમિતિ અધ્યક્ષપદેથી પોતે રાજીનામું આપ્યું હોવાના સમાચારને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે તેઓ હજુ પણ પાર્ટીના અનુકૂળ અને શિસ્તબદ્ધ કાર્યકર છે. શિવકુમારે રવિવારે કોંગ્રેસ નેતૃત્વ સાથે મુલાકાત કરી હતી.

કર્ણાટકના ડેપ્યુટી CM ડી.કે. શિવકુમારે મુખ્ય મંત્રી પદમાં બદલાવ અંગે ચાલી રહેલી ચર્ચા વચ્ચે કોંગ્રેસાધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથેની તેમની મુલાકાતને ખાસ મહત્વ આપ્યું નથી. આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર નવેમ્બરમાં અઢી વર્ષ પૂરાં કરી રહી છે. કેટલાક લોકો તેને ‘નવેમ્બર ક્રાંતિ’ કહેવાં લાગ્યા છે. સિદ્ધારમૈયા સાથે થયેલા અઢી વર્ષના કહેવાતા કરાર મુજબ હવે શિવકુમાર CM બનશે, એવી અટકળો તેજ છે.
પક્ષના સૂત્રોના જણાવ્યા મુજબ, જો કોંગ્રેસ હાઇકમાન્ડ મંત્રીમંડળ ફેરબદલને મંજૂરી આપે છે, તો તેનો અર્થ એ થશે કે વર્તમાન CM સિદ્ધારમૈયા પોતાનો કાર્યકાળ પૂરો કરશે. તેનાથી શિવકુમારના CM બનવાની શક્યતાઓ ઘટે એવી શક્યતા છે.






વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળમાં ૨૦૦૯માં આ સી.એમ. ફેલોશીપની શરૂઆત કરાવીને તેજસ્વી યુવાઓના ઈનોવેટિવ આઈડિયાઝથી ગુડ ગવર્નન્સનો રાહ દેશને ચીંધ્યો છે. આ અભિગમને પ્રશાસનિક વ્યવસ્થાને વધુ લોકાભીમુખ બનાવીને ટેકનોલોજીના ઉપયોગથી લોકહિતના કામો માટેના પથપ્રદર્શક ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, “અમે સરકાર ચલાવવા નહીં દેશમાં બદલાવ લાવવાના હેતુ સાથે કામ કરીએ છીએ.”
આ એક દિવસીય શિબિરના પ્રારંભે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સ્પીપા અને આઈ.આઈ.એમ. ઈન્દોર વચ્ચે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા. સ્પીપાના ડાયરેક્ટર જનરલ હરિત શુક્લા અને આઈ.આઈ.એમ. ઈન્દોરના ડિરેક્ટર હિમાંશુ સિંઘે આ એમ.ઓ.યુ. પરસ્પર એક્સચેન્જ કર્યા હતા. વિવિધ ૧૧ જેટલા વિષયોમાં પબ્લિક પોલીસી મેનેજમેન્ટ સંદર્ભે કેપીસીટી બિલ્ડીંગ તાલીમ કાર્યક્રમના સંયુક્તપણે આયોજન માટે આ એમ.ઓ.યુ. ઉપયોગ બનશે.
આ એક દિવસીય શિબિરમાં મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા અને રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવ ઓએ સી.એમ. ફેલોને માર્ગદર્શન આપ્યું હતું. સી.એમ. ફેલોએ પોતાના પ્રેઝન્ટેશન્સ પ્રસ્તુત કર્યા હતા અને બેસ્ટ પ્રેક્ટિસીસનું શેરીંગ કર્યુ હતું.

તેલંગાણાની 24 વર્ષીય ચેરિયાલ કલાકાર સી.એચ.વંશિથા અને તેના માતા તેમના પ્રાંતની સંસ્કૃતિની સદીઓ જૂની વાર્તાને ચેરિયાલ પેઇન્ટિંગ્સ દ્વારા રજૂ કરવા અને આ કળાને સાચવવાના મિશન પર છે. ચેરિયાલ કળા એ તેલંગાણાના ચેરિયાલ ગામની એક પરંપરાગત સ્ક્રોલ પેઇન્ટિંગ શૈલી છે, જે હિન્દુ પૌરાણિક કથાઓ, લોકકથાઓ અને ગ્રામીણ જીવનના દ્રશ્યો દર્શાવે છે. આ કળામાં જીવંત અને જટિલ કથાત્મક ચિત્રો ખાદીના કાપડ પર બનાવવામાં આવે છે. તેમાં આમલીના બીજની પેસ્ટ, ચોખાનો સ્ટાર્ચ અને ચૉક પાઉડરના મિશ્રણનો ઉપયોગ થાય છે, જે પેઇન્ટિંગ માટે મજબૂત બેઝ તૈયાર કરે છે.
તેલંગાણાની ચેરિયાલ પેઇન્ટિંગ્સ સાંસ્કૃતિક અભિવ્યક્તિનું સુંદર માધ્યમ છે, જેના રંગો મંત્રમુગ્ધ કરી નાખે છે. આ કળાને તેના સાંસ્કૃતિક વારસા માટે જિઓગ્રાફિકલ ઇન્ડિકેશન (જીઆઇ) ટૅગ મળ્યો છે. ચેરિયાલ પેઇન્ટિંગ્સની ખાસિયત તેના કુદરતી રંગો છે. કલાકારો ખનિજો, ફૂલો, દરિયાઇ શેલ વગેરેમાંથી કલર મેળવે છે અને તેને હેન્ડમેડ બ્રશ દ્વારા કાપડ પર ઉતારે છે. રામાયણ, મહાભારત અને સ્થાનિક લોકકથાઓ જેવા ભારતીય મહાકાવ્યોના દ્રશ્યો આ પેઇન્ટિંગ્સમાં અદભુત લાગે છે. દરેક ચિત્ર એક જીવંત વિઝ્યુઅલ સ્ટોરીની જેમ પ્રગટ થાય છે, જે ગ્રામીણ તેલંગાણાની સમૃદ્ધ પરંપરાઓ અને જીવનશૈલીનું વર્ણન કરે છે.
બૅકગ્રાઉન્ડમાં ચળકતો લાલ રંગ, ચહેરાની અભિવ્યક્તિ અને બોલ્ડ આઉટલાઇન ચેરિયાલ પેઇન્ટિંગ્સની ઓળખ છે. પરંપરાગત રીતે લોક ગાયકો અને કલાકારો દ્વારા તેમની વાર્તા રજૂ કરવા માટે આ ચિત્રોનો ઉપયોગ કરે છે, પરંતુ આજે આ હસ્તકલા વૉલ હેન્ગિંગ્સ (ફોટોફ્રેમ કે પોસ્ટર્સ), માસ્ક અને કલાત્મક સુશોભનની વસ્તુઓ સુધી પણ વિસ્તરી છે. આ હસ્તકલાને નકશી કલાકારો (ચેરિયાલ ચિત્રકારો)ની પેઢીઓ આગળ ધપાવી રહી છે, જેઓ સદીઓ જૂની તકનીકોને જાળવી રાખીને તેમાં નવીનતા ઉમેરી રહ્યા છે.
ભારત પર્વ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓએ ચેરિયાલ પેઇન્ટિંગ્સને રસપૂર્વક નિહાળી હતી અને પૌરાણિક કથાઓ દર્શાવતા ચિત્રોનું વર્ણન પણ સાંભળ્યું હતું. પહેલી વખત ભારત પર્વ જેવા કાર્યક્રમમાં સામેલ થનારી અને બી.ટેક.ની ડિગ્રી ધરાવતી સી.એચ. વંશિથાએ જણાવ્યું કે, “હું બાળપણથી જ આ કળાના પરિચયમાં છું. મારી માતા છેલ્લા 15 વર્ષોથી આ કળા પ્રત્યે સમર્પિત છે અને હું છેલ્લા ચાર વર્ષથી આ કળા સાથે જોડાયેલી છું. અમે બનાવેલા દરેક ચિત્રમાં આપણાં દેવતાઓ, પૂર્વજોની વાર્તાઓ છે. અમારું લક્ષ્ય છે કે આ કળાના માધ્યમથી દુનિયા જાણે કે આપણો વારસો કેટલો સમૃદ્ધ છે.”
આ જ ઉદ્દેશ્યને જીવંત કરવા માટે બ્રહ્માકુમારી સંસ્થા, ખાસ કરીને બ્રહ્માકુમારી ગુજરાત, પોતાના હીરક જયંતિ મહોત્સવના પાવન અવસર પર એક વિશાળ અને દિવ્ય આયોજન કરી રહી છે. સમગ્ર રાજ્યમાં શાંતિનો સંદેશ પહોંચાડવા માટે 23મી નવેમ્બરનાં રોજ સવારે 7 થી 8 દરમિયાન, એક જ દિવસે અને એક જ સમયે, શાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.


