લખનૌઃ લખનૌના મલિહાબાદના કસમંડી વિસ્તારમાં આવેલા વિવાદિત કંસના કિલ્લાના સ્થળને લઈને તણાવ સતત વધી રહ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કસમંડીમાં બકરી ઇદની નમાજ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. એ સાથે જ મંગળવારે પાસી સમાજને સુંદરકાંડના પાઠ કરવાની પણ મંજૂરી આપવામાં આવી નહોતી. વિવાદ વધતાં પ્રશાસને આ નિર્ણય લીધો છે. સમગ્ર વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આંદોલનની જાહેરાત કરનાર પાસી સમાજના નેતાઓને પણ પોલીસે નોટિસ પાઠવી છે. પાસી સમાજ પોતાના રાજાઓના ઇતિહાસના આધાર પર આ સ્થળ પર પોતાનો હક હોવાનો દાવો કરી રહ્યો છે.
મુસ્લિમ અને પાસી સમાજ વચ્ચે વિવાદ
મલિહાબાદના કસમંડી કલા વિસ્તારમાં આવેલા મકબરા અને મસ્જિદ પર પાસી સમાજે આજે સુંદરકાંડના પાઠ કરવાની જાહેરાત કરી હતી. પાસી સમાજનો દાવો છે કે આ સ્થળ મહારાજા રાજપાસી કંસનો પ્રાચીન કિલ્લો છે. મલિહાબાદ પોલીસે પાસી સમાજના 15 નેતાઓને નોટિસ પાઠવી છે. પોલીસે ચેતવણી આપી છે કે જો મહારાજા કંસના કિલ્લા આસપાસ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.
પાસી સમાજના અધ્યક્ષને નજરકેદ કરવામાં આવ્યા
સવારે જ ચર્ચા ચાલી રહી હતી કે પાસી સમાજ મોટા મંગળના અવસરે ત્યાં સુંદરકાંડનો પાઠ કરી શકે છે. જોકે પાસી સમાજના અધ્યક્ષને પોલીસે નજરકેદ કરી દીધા હતા. અન્ય સમર્થકોને પણ ત્યાં પહોંચવા દેવામાં આવ્યા નહોતા. પોલીસે વિસ્તારમાં આવનજાવન કરનાર લોકોની પૂછપરછ શરૂ કરી છે અને કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિને નજીક આવવા દેવામાં આવી રહી નથી. ઉન્નાવથી આવેલા બે લોકોને પણ પોલીસે રોકીને પરત મોકલી દીધા હતા.
Malihabad, Uttar Pradesh: In Kasmandi, a mosque–fort dispute has led to heavy deployment of police and Provincial Armed Constabulary (PAC). Several people have been placed under house arrest, while authorities have increased surveillance and denied permission for religious… pic.twitter.com/2K89UEI694
પાસી સમાજની લાખન આર્મીએ મલિહાબાદના કસમંડી સ્થિત કંસ કિલ્લાને બચાવવા માટે આહ્વાન કર્યું હતું. લાખન આર્મીએ સમાજવાદી પાર્ટીના પાસી નેતાઓને પણ સહકાર આપવા અપીલ કરી હતી. જોકે અયોધ્યાના સાંસદ અવધેશ પ્રસાદે પાસી કિલ્લો વિરુદ્ધ મસ્જિદ વિવાદથી દૂર રહેવાનું પસંદ કર્યું હતું. તેમણે આ વિવાદને ભાજપનો એજન્ડા ગણાવ્યો અને કહ્યું હતું કે પાસી સમાજ લોકોને જોડવાનું કામ કરે છે, કોઈ પણ મુદ્દે સામ્પ્રદાયિક સૌહાર્દ બગાડતો નથી.
નવી દિલ્હી: ભારત અને અમેરિકા વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીમાં આજે એક નવો અધ્યાય ઉમેરાયો છે. બંને દેશોએ એક દ્વિપક્ષીય ‘ક્રિટિકલ મિનરલ્સ ફ્રેમવર્ક’ (મહત્વપૂર્ણ ખનિજો માટેના કરાર) પર હસ્તાક્ષર કર્યા છે. આ કરારનો મુખ્ય ઉદ્દેશ્ય અદ્યતન ટેકનોલોજી અને ઊર્જા ક્ષેત્ર માટે જરૂરી એવા પાયાના તત્વો અને ખનિજોનો પુરવઠો વિશ્વસનીય નેટવર્ક દ્વારા સુનિશ્ચિત કરવાનો છે.આ મહત્વપૂર્ણ કરાર ફેબ્રુઆરી ૨૦૨૬માં વોશિંગ્ટન ડી.સી. ખાતે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકો દરમિયાન તૈયાર કરવામાં આવેલી પૃષ્ઠભૂમિ પર આધારિત છે. જ્યાં અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો દ્વારા ‘ફોરમ ઓન રિસોર્સ જીઓસ્ટ્રેટેજિક એન્ગેજમેન્ટ’ (FORGE) ની શરૂઆત કરવામાં આવી હતી.
એકાધિકાર અને બજારના દબાણ સામે સંયુક્ત લડત
આ માળખાકીય કરાર દ્વારા, ભારત અને અમેરિકા સંવેદનશીલ સપ્લાય ચેનને બજારની જોહુકમી અને કોઈપણ એક દેશ પરની નિર્ભરતા (એકાધિકાર) માંથી મુક્ત કરવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે સંયુક્ત પ્રયાસો કરશે. આનાથી વૈશ્વિક સ્તરે ઉભી થતી અછત અને જોખમોને ઘટાડી શકાશે.
મોટું રોકાણ અને આર્થિક સુરક્ષા
અમેરિકી સરકાર ક્રિટિકલ મિનરલ સપ્લાય ચેનને સુરક્ષિત કરવા માટે અભૂતપૂર્વ સંસાધનો એકત્રિત કરી રહી છે. ખાનગી ક્ષેત્રની ભાગીદારી સાથે લોન, રોકાણ અને લેટર્સ ઓફ ઈન્ટરેસ્ટ (LOI)ના રૂપમાં $૩૦ બિલિયન (અંદાજે ૨.૫ લાખ કરોડ રૂપિયા)થી વધુની સહાય પૂરી પાડવામાં આવી રહી છે. ‘પેક્સ સિલિકા’ (Pax Silica) અને નવી રાજદ્વારી ચેનલોના માધ્યમથી આ રોકાણો સરકારી ખર્ચ કરતાં પણ અનેકગણું વધુ ખાનગી મૂડીરોકાણ આકર્ષી રહ્યા છે. જે સપ્લાય ચેનને સુરક્ષિત કરવા માટે અબજો ડોલરના નવા પ્રોજેક્ટ્સ ઊભા કરશે.
ટ્રમ્પ અને પીએમ મોદીના વિઝનને બળ મળ્યું
આ નવું માળખું વિશ્વસનીય અને સ્થિતિસ્થાપક ખનિજ પુરવઠા શૃંખલા તરફનો માર્ગ મોકળો કરે છે. આ કરાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ‘યુનાઈટેડ સ્ટેટ્સ-ઇન્ડિયા જોઇન્ટ લીડર્સ સ્ટેટમેન્ટ’માં નક્કી કરાયેલા મુખ્ય લક્ષ્યોને વધુ મજબૂત બનાવે છે.
આ આંતરરાષ્ટ્રીય સંકલિત પ્રયાસો બંને દેશોના સ્થાનિક અને વૈશ્વિક પ્રોજેક્ટ્સને મજબૂત કરશે, જેનાથી ભારત અને અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા તેમજ આર્થિક ક્ષમતામાં મોટો વધારો થશે.
નવી દિલ્હીઃ અમેરિકાની ખુશામત કરવામાં લાગેલા શહેબાઝ શરીફ અને અસિમ મુનિર સામે રાષ્ટ્રપતિ ટ્રમ્પે એવી શરત મૂકી હતી કે પાકિસ્તાનના શાસકોની ઊંઘ ઊડી ગઈ છે. ટ્રમ્પે પાંચ દેશોને અબ્રાહમ સમજૂતી પર હસ્તાક્ષર કરવાની માગ કરી છે, જેમાં પાકિસ્તાનનું નામ પણ સામેલ છે. આ વાતથી પાકિસ્તાનના સંરક્ષણપ્રધાન ખ્વાજા આસિફ (Khawaja Asif) નારાજ થઈ ગયા અને તેમણે અમેરિકાને સ્પષ્ટ શબ્દોમાં જવાબ આપ્યો હતો.
ખ્વાજા આસિફે કહ્યું હતું કે તેઓ ઇસ્લામાબાદ દ્વારા અબ્રાહમ સમજૂતીમાં જોડાઈને ઇઝરાયેલ સાથે સંબંધ સામાન્ય બનાવવાના પક્ષમાં નથી. ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાન સાથેની વાતચીતમાં સામેલ મુસ્લિમ દેશોએ હવે અબ્રાહમ સમજૂતી પર હસ્તાક્ષર કરવા જોઈએ. UAE અને બહેરિન પહેલેથી જ આ સમજૂતીના સભ્ય છે. જ્યારે સાઇદી અરેબિયા, કતાર, પાકિસ્તાન તુર્કી, ઇજિપ્ત અને જોર્ડન દ્વારા પણ આ સમજૂતી પર હસ્તાક્ષર કરવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે આ સમજૂતી ઇઝરાયેલ અને આરબ દેશો વચ્ચે કૂટનીતિક, આર્થિક અને સુરક્ષા સંબંધો સ્થાપિત કરવા માટે કરવામાં આવી છે.
આ અમારી મૂળ વિચારધારા વિરુદ્ધ છે: આસિફ
ટ્રમ્પે કહ્યું હતું કે હાલના સભ્ય દેશોને આ સમજૂતીથી ઘણો લાભ થયો છે અને ભવિષ્યમાં તેના ફાયદા વધુ વધી શકે છે. ખ્વાજા આસિફે કહ્યું, “વ્યક્તિગત રીતે મને નથી લાગતું કે આપણે એવી કોઈ સમજૂતીમાં જોડાવું જોઈએ, જે અમારી મૂળ વિચારધારાના વિરોધમાં હોય.
પાકિસ્તાનના વલણ પર શું બોલ્યા ખ્વાજા આસિફ?
પાકિસ્તાનના સંરક્ષણપ્રધાને વધુમાં કહ્યું કે તેમનો દેશ લાંબા સમયથી આ વલણ પર અડગ છે કે 1967 પૂર્વની સરહદોને આધારે પૂર્વ યેરુશલેમને રાજધાની બનાવીને સ્વતંત્ર પેલેસ્ટિનિયન રાષ્ટ્રની સ્થાપના ન થાય ત્યાં સુધી તે ઇઝરાયેલને માન્યતા આપશે નહીં. તેમણે કહ્યું હતું કે અમારું વલણ સંપૂર્ણપણે સ્પષ્ટ છે કે આ અમને સ્વીકાર્ય નથી.
જેઓ પર રત્તીભર પણ વિશ્વાસ નથી, તેમની સાથે કેવી રીતે બેસી શકાય?
ખ્વાજા આસિફે વિશ્વસનીયતા અંગે પણ સવાલો ઊભા કર્યા. તેમણે પૂછ્યું હતું કે તમે એવા લોકો સાથે કેવી રીતે બેસી શકો જેમના શબ્દો પર રત્તીભર પણ વિશ્વાસ ન કરી શકાય? તેમણે પાકિસ્તાની પાસપોર્ટનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં લખેલું છે કે તે ઇઝરાયેલની યાત્રા માટે માન્ય નથી.
ગુજરાતના સ્થાનિક રાજકારણને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યની પાંચ મહત્વની મહાનગરપાલિકાઓમાં આગામી અઢી વર્ષના કાર્યકાળ માટે નવા હોદ્દેદારોની સત્તાવાર વરણી કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા અમદાવાદ, જામનગર, મોરબી, નવસારી અને નડિયાદ મનપા માટે મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના મુખ્ય હોદ્દેદારોની નવી ટીમ મેદાનમાં ઉતારી છે. હાઈકમાન્ડ દ્વારા મોટાભાગના સ્થાનો પર નવા અને પાયાના ચહેરાઓને તક આપવામાં આવતા સ્થાનિક રાજકીય સમીકરણોમાં મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે.
અમદાવાદ મનપા: હિતેશ બારોટના શિરે અમદાવાદનું સુકાન
રાજ્યની સૌથી મોટી અર્થાત અમદાવાદ મહાનગરપાલિકામાં પક્ષ દ્વારા ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. અમદાવાદના નવા મેયર તરીકે હિતેશ બારોટની વરણી કરવામાં આવી છે, જ્યારે ડેપ્યુટી મેયર પદની જવાબદારી અંજુબેન શાહને સોંપાઈ છે. મનપાની તિજોરીની ચાવી સમાન ગણાતી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે કમલેશ પટેલના નામ પર મહોર મારવામાં આવી છે. આ ઉપરાંત, જશુ ઠાકોરને શાસક પક્ષના નેતા અને અતુલ મિશ્રાને દંડક (વ્હીપ) તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
જામનગર મનપા: મહિલા અનામત હેઠળ મોનિકા વ્યાસ બન્યા મેયર
જામનગર મહાનગરપાલિકામાં ભાજપે ગત ચૂંટણીમાં ૬૪માંથી ૬૦ બેઠકો જીતીને પ્રચંડ બહુમતી મેળવી હતી. અહીં મેયર પદ મહિલા માટે અનામત હોવાથી પક્ષે મોનિકા વ્યાસને નવા મેયર તરીકે નિયુક્ત કર્યા છે. તેમની સાથે ડેપ્યુટી મેયર તરીકે રાકેશ ડેરની પસંદગી કરાઈ છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે ધીરેન મોનાણી, શાસક પક્ષના નેતા તરીકે અમર મોદી જાડેજા અને દંડક તરીકે પ્રવિણાબેન રુપણિયાની વરણી કરવામાં આવી છે.
નવસારી મહાનગરપાલિકાના ઈતિહાસમાં સર્વપ્રથમ મેયર બનવાનું બહુમાન અશોક ધોરાજીયાને ફાળે ગયું છે. છેલ્લા ૪૨ વર્ષથી ભાજપના પાયાના વફાદાર કાર્યકર તરીકે સક્રિય રહેલા ધોરાજીયાને પક્ષે આ મોટી જવાબદારી સોંપી છે. નવસારીમાં ડેપ્યુટી મેયર તરીકે કેયુરી દેસાઈ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મુકેશ અગ્રવાલ, શાસક પક્ષના નેતા તરીકે નરેશ પુરોહિત અને દંડક તરીકે રાકેશ પટેલની નિમણૂક કરવામાં આવી છે.
મોરબી મનપા: ઉત્તમ સુરાણીના હાથમાં મોરબીની કમાન
મોરબી મહાનગરપાલિકામાં પણ સત્તાના સુકાની બદલાયા છે. અહીં નવા મેયર તરીકે ઉત્તમ સુરાણી અને ડેપ્યુટી મેયર તરીકે ચિરાગ રાણપરાના નામની જાહેરાત કરવામાં આવી છે. વિકાસ કામોની દેખરેખ રાખતી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જયંતી પડસુંબિયાને જવાબદારી સોંપાઈ છે. વળી, પક્ષના નેતા તરીકે અર્પિતા જાડેજા અને દંડક તરીકે જયેશ દેસાઈની નિયુક્તિ થતાં કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
નડિયાદ મનપા: મનીષ પટેલ બન્યા નવા સુકાની
ખેડા જિલ્લાના મુખ્ય મથક એવા નડિયાદ મહાનગરપાલિકામાં મેયર તરીકે મનીષ પટેલની નિયુક્તિ કરવામાં આવી છે, જ્યારે ડેપ્યુટી મેયર પદે કલ્પેશકુમાર રાવળ ચૂંટાયા છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પરાગ બ્રહ્મભટ્ટની વરણી કરાઈ છે. ખાસ વાત એ છે કે અહીં શાસક પક્ષના નેતા તરીકે મેઘના શાહ અને દંડક તરીકે પુષ્પા પરમારની બિનહરીફ પસંદગી કરવામાં આવી છે.
સુરત: કોંગો, યુગાન્ડા અને સાઉથ સુદાન જેવા દેશોમાં ઈબોલા વાયરસના કેસો જોવા મળી રહ્યા છે. ગુજરાત કે ભારતમાં હાલની સ્થિતિએ ઈબોલા વાયરસનો એક પણ કેસ નથી. સતર્કતાના ભાગરૂપે કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા અને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) ગુજરાત સરકારને આપવામાં આવી છે. તેનું ચુસ્તપણે પાલન કરવા માટે આરોગ્ય વિભાગની આખી ટીમનું સુવ્યવસ્થિત આયોજન કરી દેવામાં આવ્યું છે. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના માર્ગદર્શન મુજબ કોઈપણ ઈમરજન્સી સ્થિતિને પહોંચી વળવા માટેની આગોતરી તૈયારીના ભાગરૂપે છેલ્લા બે દિવસથી સિવિલ હોસ્પિટલ ખાતે યુદ્ધના ધોરણે આગોતરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.સુરત સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. પારુલ વડગામાએ સજ્જતા અંગે વિગતો આપતા જણાવ્યું કે, “ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ઈબોલાના શંકાસ્પદ દર્દીઓ માટે 10 આઈસોલેશન બેડની અદ્યતન વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ વોર્ડમાં જ વેન્ટિલેટર, મોનિટર અને દર્દીને જરૂરી તમામ દવાઓ સાથેનું નર્સિંગ સ્ટેશન કાર્યરત કરી દેવાયું છે. સંક્રમણ ફેલાવાની શક્યતા ન રહે તે માટે શંકાસ્પદ દર્દીઓ માટે ખાસ લિફ્ટ, અલગ ઓપીડી (OPD), સેપરેટ ડેટા એન્ટ્રી તેમજ તેમની એન્ટ્રી અને એક્ઝિટની વ્યવસ્થા તદ્દન અલગ રાખવામાં આવી છે.”તેમણે વધુમાં કહ્યું કે, આ વ્યવસ્થાને સુચારુ રૂપે ચલાવવા માટે મેડિસિન ડિપાર્ટમેન્ટના ડો.અશ્વિન વસાવાને ‘નોડલ ઓફિસર’ તરીકે નિયુક્ત કરાયા છે. R.M.O. ડૉ. કેતન નાયક અને નર્સિંગ કાઉન્સિલના ઇકબાલ કડીવાળા સહિતની ટીમ આ સમગ્ર આયોજનમાં સહયોગ આપી રહી છે. હોસ્પિટલના મેડિસિન, માઇક્રોબાયોલોજી અને એનેસ્થેસિયા ડિપાર્ટમેન્ટ સહિતના ૭૫ જેટલા ડોક્ટર્સની વિશેષ ટ્રેનિંગ પણ આપવામાં આવી છે. આગામી દિવસોમાં નર્સિંગ સ્ટાફ અને સર્વન્ટ્સને પણ આ અંગેની જરૂરી તાલીમ આપવામાં આવશે.”આફ્રિકાના દેશોમાં ઈબોલાના કેસો નોંધાતા રાજ્ય સરકાર એલર્ટ મોડ પર છે. જોકે, આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ગાંધીનગર ખાતે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં સ્પષ્ટ કર્યું છે કે ગુજરાત કે ભારતમાં હાલની સ્થિતિએ ઈબોલાનો એક પણ કેસ નથી. સુરત સિવિલ પ્રશાસને પણ નાગરિકોને અપીલ કરી છે કે, આ માત્ર આગોતરી સલામતીના ભાગરૂપે કરાયેલી તૈયારીઓ છે, જેથી જનતાએ સહેજ પણ ગભરાવવાની કે ચિંતા કરવાની જરૂર નથી.
અમદાવાદઃ દેશની સૌથી મોટી નવીનીકરણીય ઊર્જા કંપની અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL)એ પ્રતિ કલાક ૩.૩૭ ગિગાવોટ ક્ષમતાની બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) કાર્યરત કરી છે, જે ચીનની બહાર તહેનાત વિશ્વની સૌથી મોટી અને વૈશ્વિક સ્તરે સૌથી ઝડપી અમલમાં મુકાયેલી સિંગલ-લોકેશન બેટરી સ્ટોરેજ છે આ તહેનાતીમાં માર્ચ, ૨૦૨૬માં આરંભ કરાયેલી પ્રતિ કલાક ૧.૩૭ ગિગાવોટની ક્ષમતા સામેલ છે. વૈશ્વિક સ્તરે સૌથી ઝડપી યુટિલિટી-સ્કેલ બેટરી સ્ટોરેજની તહેનાતીમાંનો એક એવો આ પ્રકલ્પ ઓન-સાઇટ બાંધકામ શરૂ થયાના માત્ર ૧૦ મહિનામાં જ શરૂ કરવામાં આવ્યો હતો.
અદાણી ગ્રીનનો ઇરાદો નાણા વર્ષ ૨૭માં પ્રતિ કલાક ૧૦ ગિગાવોટથી વધુ બેટરી સ્ટોરેજ ક્ષમતા ઉમેરવાની અને આગામી પાંચ વર્ષમાં તેને પ્રતિ કલાક ૫૦ ગિગાવોટ સુધી લઈ જવાનો છે. પ્રતિ કલાક ૩.૩૭ ગિગાવોટની ક્ષમતાનું કંપનીનું બેટરી સ્ટોરેજ દિવસભર લગભગ દસ લાખ ઘરોને વીજળી આપવા માટે પૂરતા પ્રમાણમાં સ્વચ્છ ઊર્જા સંગ્રહ કરીને ઇન્દોર, ચંદીગઢ અથવા ગોવા રાજ્ય જેવાં શહેરોની ટોચની વીજળી માગને પોષીને દસ કલાક સુધી સતત ૧૨ મિલિયનથી વધુ LED બલ્બને પ્રજ્વલિત રાખી શકે છે. બેટરી સ્ટોરેજ રિન્યુએબલ હેવી ગ્રીડને સ્થિર રાખી ચોવીસ કલાક હરિત ઊર્જા પહોંચાડવામાં મદદ કરનાર આ વ્યવસ્થા ગેમ ચેન્જર પુરવાર થશે.
કંપનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સાગર અદાણીએ જણાવ્યું હતું કે સ્વચ્છ ઊર્જા સંક્રમણના આગામી તબક્કામાં મોટા પાયે ઊર્જા સંગ્રહના ક્ષેત્રમાં ભારત નિર્ણાયક ભૂમિકા ભજવશે. નવીનીકરણીય ઊર્જા ઉત્પાદનની ક્ષમતામાં ઝડપથી થઈ રહેલા વધારાના પરિપ્રેક્ષ્યમાં ભરોસાપાત્ર ચોવીસ કલાક સ્વચ્છ ઊર્જા પહોંચાડવા માટે સ્ટોરેજનું સુગ્રથિત માળખું મહત્વનું બની રહે છે. તેમણે કહ્યું હતું કે ખાવડામાં પ્રતિ કલાક ૩.૩૭ ગિગાવોટ ક્ષમતાની સ્ટોરેજ સિસ્ટમની શરૂઆત સાથે સ્થિતિસ્થાપક, પ્રદાનપાત્ર અને લવચિક ઊર્જા પ્રણાલીઓનો પાયો કંપની મજબૂત કરી રહી છે ત્યારે બેટરી સ્ટોરેજમાં અમારાં મૂડીરોકાણો વૈશ્વિક સ્તરે ભવિષ્યના તૈયાર સ્વચ્છ ઊર્જા માળખાનું નિર્માણ કરવા માટે લાંબા ગાળાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
India’s clean energy transition is entering a new phase, powered not just by renewable generation, but by reliable renewable delivery.
Adani Green Energy has commissioned 3.37 GWh of Battery Energy Storage Systems (BESS) capacity at Khavda, Gujarat, marking the world’s largest… pic.twitter.com/pYJtWzR6mu
— Adani Green Energy Ltd. (@AdaniGreen) May 26, 2026
લિથિયમ-આયર્ન બેટરી ટેક્નોલોજી સાથે અદ્યતન ઊર્જા વ્યવસ્થાપન પ્રણાલીઓ સાથે સંકલિત આ પ્રકલ્પ કાર્યક્ષમતા, વિશ્વસનીયતા અને ગ્રીડની પ્રતિભાવને શ્રેષ્ઠ બનાવવાની દિશામાં ક્રાંતિકારી છે. ગુજરાતના ખાવડા ખાતે વ્યૂહાત્મક રીતે સ્થિત કંપનીનો બેટરી સ્ટોરેજ પ્રકલ્પ મારફત ૨૦૨૯ની સાલ સુધીમાં ૩૦ ગિગાવોટની ક્ષમતા વિકસાવી રહ્યું છે. જેમાંથી 9.9 GW પહેલેથી જ કાર્યરત છે.
અભિનેતા અને આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણે અભિનેતા અને મુખ્યમંત્રી વિજય વિશે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તે ચર્ચાનો વિષય બન્યો છે.
અભિનેતામાંથી રાજકારણી બનેલા થલાપતિ વિજય તમિલનાડુના મુખ્યમંત્રી બન્યા છે. ઘણી સેલિબ્રિટીઓ તેમના વિશે વિવિધ રીતે વાત કરી રહી છે. તાજેતરમાં, અભિનેતા અને આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણે તેમના વિશે વાત કરતા કહ્યું કે તેમને વિજયની ઈર્ષ્યા થાય છે.
પવનની સરખામણી વિજય સાથે થઈ રહી છે
વિજયની પાર્ટી, તમિલનાડુ વેટ્રી કઝગમ (ટીવીકે) એ તેની પહેલી ચૂંટણીમાં સૌથી વધુ બેઠકો જીતી લીધા બાદ પવન કલ્યાણે આ નિવેદન આપ્યું હતું. વિજય તમિલનાડુના મુખ્યમંત્રી બન્યા ત્યારથી, પવન કલ્યાણ અને વિજય વચ્ચે વારંવાર સરખામણી થઈ રહી છે. પવને તેમની લાંબી રાજકીય સફર વિશે પણ વાત કરી અને કહ્યું કે પાર્ટી ચલાવવા માટે લાખો લોકોની અપેક્ષાઓથી વાકેફ રહેવું જરૂરી છે.
પવન કલ્યાણનું નિવેદન
આ કાર્યક્રમ દરમિયાન પવને કહ્યું,”હું આજકાલ તમિલનાડુના રાજકારણને જોઉં છું, અને તેઓએ કેટલી સરળતાથી બધું કરી નાખ્યું છે. મને ઈર્ષ્યા થાય છે. તેઓ કટઆઉટ અને હોલોગ્રામનો ઉપયોગ કરીને ખુશીથી જીત્યા. હું 15 વર્ષ સુધી શેરીઓમાં ફરતો રહ્યો. સારું, હું મજાક કરી રહ્યો છું.”
તેમણે આગળ કહ્યું,”આપણે માનવીય દ્રષ્ટિકોણથી વિચારવાની જરૂર છે. કંઈપણ કહેવા માટે તમારી પાસે ઘણું જ્ઞાન હોવું જોઈએ. મેં 15 વર્ષ સુધી આટલી મહેનત કેમ કરી? કારણ કે પાર્ટી ચલાવવા માટે લાખો લોકોની અપેક્ષાઓ સમજવી જરૂરી છે.”
પવનની પાર્ટી નિરાશાજનક
પવન કલ્યાણે 2014 માં આંધ્રપ્રદેશના રાજકારણમાં પરિવર્તન લાવવાના વચન સાથે જનસેના પાર્ટીની શરૂઆત કરી હતી. જોકે, ઘણા વર્ષો સુધી પાર્ટી પોતાના દમ પર નોંધપાત્ર ચૂંટણી સફળતા મેળવી શકી ન હતી, વારંવાર ચૂંટણીમાં નિરાશાઓનો સામનો કરવો પડ્યો હતો. 2019માં પવન પોતે લડેલી બંને વિધાનસભા બેઠકો હારી ગયા, જ્યારે જનસેના પાર્ટી ફક્ત એક જ જીતી શકી.
2024માં સફળતા
તેલુગુ દેશમ પાર્ટીના નેતૃત્વ હેઠળના જોડાણ સાથે જોડા્યા પછી પવન કલ્યાણનું રાજકીય ભાગ્ય બદલાઈ ગયું. 2024 ની આંધ્રપ્રદેશની ચૂંટણીમાં આ ગઠબંધને જંગી વિજય મેળવ્યો, જેનાથી પવન કલ્યાણને રાજ્યના નાયબ મુખ્યમંત્રી બનવાનો માર્ગ મોકળો થયો.
નવી દિલ્હીઃ વિદેશ મંત્રી એસ જયશંકરે ક્વાડ દેશોની વિદેશ મંત્રીઓની બેઠક બાદ મંગળવારે જણાવ્યું હતું કે ચારેય સભ્ય દેશો વેપાર, આરોગ્ય સેવા અને ડિજિટલ સહકાર જેવાં ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ દ્વારા સંશોધનને પ્રોત્સાહન આપી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે લોકશાહી રાષ્ટ્રો તરીકે અમે આતંકવાદના સામૂહિક ખતરા સામે લડવા પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આતંકવાદ પ્રત્યે જરા પણ સહનશીલતા ન હોવી જોઈએ અને આતંકી હુમલાનો ભોગ બનેલા દેશોને પોતાની સુરક્ષા કરવાનો સંપૂર્ણ અધિકાર છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ક્વાડમાં સામેલ દેશોએ આતંકવાદ સામે એકજૂટ થવું પડશે.
તેમણે જણાવ્યું હતું કે ભવિષ્યમાં આર્થિક પ્રવૃત્તિઓ હોય કે સમુદ્રી વેપાર, હિંદ-પ્રશાંત વિસ્તાર વિશ્વ માટે વધુ મહત્વનો બનશે. તેમણે કહ્યું હતું કે ચારેય દેશો વચ્ચેનો સહકાર ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યો છે.
ચારેય દેશોના વિદેશ મંત્રીઓ બેઠકમાં જોડાયા
વિદેશ મંત્રી એસ. જયશંકરની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં ક્વાડ દેશોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અમેરિકાના વિદેશ મંત્રી માર્ક રુબિયો, ઓસ્ટ્રેલિયાની વિદેશ મંત્રી પેન્ની વોંગ (Penny Wong) અને જાપાનના વિદેશ મંત્રી ટોશિમિત્સુ મોટેજી (Toshimitsu Motegi) હાજર રહ્યા હતા. ક્વાડ એટલે ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાનનો એવો સમૂહ, જે ખાસ કરીને હિંદ-પ્રશાંત વિસ્તારમાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. હાલ ભારત આ સમૂહનો અધ્યક્ષ દેશ હોવાથી બેઠકનું આયોજન ભારતે કર્યું હતું. લગભગ એક વર્ષ પહેલાં ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓની બેઠક વોશિંગ્ટન ડી.સી.માં યોજાઈ હતી. આ બેઠક બાદ અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ જણાવ્યું કે હિંદ-પ્રશાંત સમુદ્રી દેખરેખ સહકાર પહેલ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે હિંદ-પ્રશાંત વિસ્તારમાં સમુદ્રી સુરક્ષા માત્ર ક્વાડ દેશો માટે જ નહીં, પરંતુ વિશ્વના અનેક દેશો માટે મહત્વપૂર્ણ રાષ્ટ્રીય હિતનો વિષય છે.
જયશંકરે એકતરફી પ્રતિબંધોની ટીકા કરી
બ્રિક્સ દેશોના વિદેશ મંત્રીઓની નવી દિલ્હીમાં યોજાયેલી બેઠક દરમિયાન એસ. જયશંકરે ગ્લોબલ સાઉથના રાજદ્વારી સહકારમાં ઝડપ લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. એ ઉપરાંત તેમણે એકતરફી પ્રતિબંધો લગાવવાની નીતિ અને અયોગ્ય ઉપાયો દ્વારા સંવાદ આગળ વધારવાના પ્રયાસોની આકરી ટીકા કરી હતી.
વ્યવસાયમા શુભ અને પ્રગતિના સમાચાર મળે, કામકાજ દરમિયાન વધુવિચારો આવવાના કારણે તમને તમારા કામની ગતિ ઓછી થાય તેમજ કામનો થાક હોય તેવી લાગણી મનમાને મનમા રહ્યા કરે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારવર્ગ માટે સમયનો સદુપયોગ ઓછો થાય તેવા સંજોગો બની શકે છે, ખરીદી કરવા પાછળ તેમજ સામાજિકપ્રવૃત્તિના કારણે નાણા અને સમયનો વ્યય થઈ શકે છે, મોસાળપક્ષ તરફથી કોઈ જાણવા જેવા સમાચાર સાંભળવા મળી શકે છે, આરામકરવાની વૃતિ વધુ જોવા મળી શકે, બજારમા અનુભવના આધારે નાનુ કામકાજ કરવુ વધુ યોગ્ય છે, યુવાવર્ગને મનોરંજનમા મન વધુ લાગે.
અચાનક કોઈ સારીવાત સાંભળવા મળી જાય અને તમે સારો ઉત્સાહ અનુભવો, લગ્નબાબત કોઈજગ્યાએ વાતચીત ચાલતી હોયતો તેમા પણ કઈ સારી આશા જાગવાના સંજોગ ઉભા થઇ શકે છે, જુના મિત્રવર્તુળ સાથે મિલનમુલાકાત દરમિયાન તમે સારી મસ્તીમજાક કરો અને ભૂતકાળના સ્મરણો તાજા થાય, વિદ્યાર્થી વર્ગ માટે સપ્તાહ દરમિયાન નવીનજાણકારીકે શીખવાની તક મળે, તમારા પોતાનુ માન જળવાય અને તમારા કામકાજમા અન્યનો સાથસહકાર મળે જેમા તમે ખુશીની લાગણી અનુભવો. બજારના કામકાજ તમને આત્મવિશ્વાસ જોવા મળે તેમજ ક્યાય લાભ થાય તેવુ બનવાથી તમારી ખુશીમા વધારો પણ થાય.
આ સપ્તાહ દરમિયાન તમારા મનને કોઈવાતની શાંતિનો અનુભવ થાય, તમારા કામકાજમા ઉત્સાહ વધુ જોવા મળે તેમજ કામની બાબતમા થોડી ઉતાવળ કરવાનીવૃતી રહે, ઘરમા કે ઓફીસમા તમારી અન્ય સાથે દલીલબાજી થાય પરંતુ ધીરજ અને શાંતિ રાખવાથી પરિસ્થિતિ પણ ઘણી નિયંત્રણમાં રહી શકે છે, તમારા કામકાજમા અન્યનો સાથસહકાર જોવા મળી શકે છે તેમજ તમને પણ અન્યને સહયોગી થવામા થોડા ઉત્સાહી બનો, વેપારના કામકાજમા થોડી રઘવાટ અનુભવો અને તેની અસર તમારા કામકાજમા થઇ શકે છે, લગ્નબાબતની વાર્તાલાપમા યોગ્ય પ્રયત્ન કરવાથી વાત આગળ ચાલે તેવા સંજોગો પણ બની શકે.
વિદ્યાર્થીવર્ગને થોડી તકેદારી રાખવી, આર્થિકક્ષેત્રમા થોડો ઉતર-ચઢાવ આવી શકે છે, સંતાનબાબત,ઘર, કુટુંબમા ભાઈ-બહેનની કોઈ ચિંતા થાય તેવુ બની શકે છે, કામકાજમાં કોઈનો સાથ-સહકાર ઓછો જોવા મળી શકે છે, લગ્ન માટે જેમની વાતચીત ચાલતી હોય તેવા લોકોને અન્ય તરફથી કોઈ ખટપટ ના થાય તેનુ ધ્યાન રાખવું ઇચ્છનીય છે, બજારના કામકાજ ધીરજ રાખવી સારી કહી શકાય, તમારી વાણી-વર્તણુકના કારણે ક્યાય ગેરસમજ ના થાય તેનુ ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવુ, મુસાફરી થોડી કંટાળાજનક બને અને તેનો માનસિકથાક વધુ વર્તાય, પ્રિયજન સાથે મતભેદ ના થાય તેનુ ધ્યાન રાખવુ.
સામાન્ય પરિસ્થિતિ જોવા મળે, ધીરજ રાખવી જરૂરી છે કેમકે ક્ષણિકઆવેશ પણ તમારા માટે કોઈ સમસ્યા સર્જી શકે છે. અણધાર્યાખર્ચને કારણે તમને થોડી અકળામણ આવી શકે છે પણ તેમા તમને કોઈ મોટી સમસ્યા થાય તેવુ જણાતુ નથી. તમને કોઈપણ બાબતના વિચારો વધુ આવે અને તેની અસર તમારા કામ અને વર્તન પર સ્પષ્ટ દેખાઈ આવે, ક્યાય મુસાફરી પણ થઈ શકે છે તેમા તમે કંટાળાની લાગણી વધુ અનુભવી શકો છો, કોઈજગ્યાએ વાતચીત દરમિયાન તકેદારીકે ચોખવટ જેવી બાબતનુ ધ્યાન રાખવુ સારુ, બજારના કોઈપણ પ્રકારના કામકાજમા ઉતાવળિયો નિર્ણય ના લેવાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે.
આશા-નિરાશા જેવા પરિબળો વચ્ચે સપ્તાહ પસાર થાય, ક્યાંક તમારાથી કોઈની અવગણના ના થઇ જાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે. લગ્ન માટે ક્યાય વાર્તાલાપકે મિલન-મુલાકાતમા તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર થોડી સારી રીતે પડી શકે છે, તમે થોડા ચંચળ અને ક્યાંક વધુ પડતા ઉદારવાદી પણ બની શકો છો પણ તેમ થોડું સજાગ રહેવુ જેથી ક્યાય ગેરસમજ ના વર્તાય, બજારના કામકાજમા તમે થોડી અપેક્ષા વધુ રાખો પણ કામકાજતો રાબેતા મુજબનુ થાય, અચાનક કોઈ પસંદગીની વ્યક્તિ સાથે મુલાકાત થવાથી તમારી ખુશીમા વધારો થઈ જાય, તમારામા થોડી ક્યાંક કામ ટાળવાની નીતિ જોવા મળી શકે છે.
કામકાજમા રુકાવટને કારણે તમે કામકાજમા વ્યસ્ત વધુ રહો, સામાજિકકે ધાર્મિકકાર્યક્રમમા તમારી હાજરી થોડી પ્રભાવશાળી બને અને તેમા તમને આત્મસંતોષ વધુ જોવા મળી શકે, કોઈક નવીનકામકાજ થાય તેવુ પણ બની શકે છે, અણધાર્યા નાણાકીયખર્ચ થાય, તમે કોઈના કામકાજમા સારી રીતે સહભાગી બની શકો છો અને તમારા કામની સારીનોધ પણ લેવાય, કામકાજની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ જૂનીવાતકે કામ ક્યાય અટકેલુ હોય તેમા પણ તમે કોઈનો સહયોગ ઈચ્છોતો મળી શકે છે. બજારમા કામકાજ દરમિયાન ગણતરીપૂર્વક વર્તવુ યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમા મહેનત પ્રમાણે ફળ મળે.
તમારે પુરુષાર્થ વધુ કરવો પડે અને કામનુ જે ફળ મળે તેનો સંતોષ રાખવો, મિત્રો સાથે મિલન-મુલાકાતમા તમે ખુશીની લગાણીની સાથે માનસિકથાક અને કંટાળાનો પણ અનુભવ કરો, જુના કોઈ અટકેલા કામકાજમા મહેનત કરોતો તેમા પણ થોડી ગતિ જોવા મળી શકે છે, સ્વાસ્થબાબત થોડી કાળજી રાખવી તેમા પણ જેમને શરદી, તાવ, કફ, આંખ, માથા અંગેની ફરિયાદ હાલમા ચાલતી હોય તેવા લોકોએ ચોકસાઈ વધુ રાખવી સારી કહી શકાય, બજારમા નાનુ અને આયોજનપૂર્વકનુજ કામ કરવુ ઇચ્છનીય છે, યુવાવર્ગને ઈતર પ્રવૃત્તિમા વધારો થાય અને કયાંક આસ્મિક નાણાકીયખર્ચા પણ થઈ શકે છે માટે તકેદારી રાખવી.
વડીલવર્ગની આરોગ્યબાબત થોડી ચિંતા થાય, કોઈ કામની બાબતમા થોડુ અધીરાપણુ વધુ જોવા મળે તેના કારણે તમે કોઈના ઉશ્કેરાટના ભોગ પણ બની શકો છો પરંતુ તમારા કામકાજમા તમને કોઈનો સાથ-સહકાર પણ સારો મળી શકે છે અને તેમે થોડી ખુશી પણ અનુભવો, ઘરમાકે ઓફીસમા તમારા વિચાર મતભેદને કારણે ક્યાંક અણગમો વર્તાય પરંતુ તમારી વ્યવહારકુશળતાના કારણે તમે પરિસ્થિતિને કાબુમા લાવીદો. બજારના કામકાજમા તમને નિર્ણયશક્તિનો અભાવ વર્તાય અને તેની અસર તમારા કામકાજ પર પડી શકે માટે શાંતિ અને ગણતરીપુર્વક જ કામ કરવુ જોઈએ, વાહન ધીમે ચલાવવુ સલાહભર્યું છે.
જીવનસાથી સાથે આત્મીયતા વધે તેથી ઉત્સાહ જોવા મળે અને તેમા પણ તમારી કોઈ પસંદગીની વ્યક્તિ સાથે કોઈ સારીવાતની આપ-લે થાય, તમારી લાગણીની કદર થાય, કોઈજગ્યાએ તમારાથી કોઈ નાખુશ થયુ હોય તેવા લોકો તરફથી પણ સારો આદરકે પ્રતિભાવ જોવા મળે, તમારી લાગણીનો કોઈ દુરુપયોગ ના કરે તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, લગ્નનીવાત કોઈજગ્યાએ ચાલતી હોય તેમા પણ તમને સારો પ્રતિભાવ કે જાણવા જેવી વાત સાંભળવા મળી શકે છે, તમે થોડા ધાર્મિકવૃતિ તરફ ધ્યાન વધુ આપો તેવુ પણ બની શકે છે, બજારના કામકાજમા તમારા અનુભવનો ઉપયોગ તમે સારી રીતે કરીને લાભ મેળવી શકો છો.
યુવાવર્ગને નાનીવાતમા ગુસ્સો આવી જવો અને નારાજ થઇ જવુ તે મુજબનુ વર્તન જોવા મળી શકે છે પરંતુ ક્યાંકથી આકસ્મિકનાણાકીય કે કોઈબાબતે ખુશી થવાય તેવો લાભ પણ બની શકે છે, કમર, સાંધા, સ્નાયુ જેવી તકલીફ ભોગવતા હોય તેવા લોકોએ થોડી તકેદારી રાખવી જરૂરી છે, સગા-સ્નેહી સાથેની વાર્તાલાપમા તમને ગમતી કોઇ વાત સાંભળવા મળી શકે છે, તમારા હિતશત્રુ તમને ઉશ્કેરે નહિ તે બાબતની કાળજી રાખવી જરૂરી છે, તમારી પસંદગીની કોઈવસ્તુ ખરીદવાની ઈચ્છા રાખતા હોવતો તે માટે પણ તમને તક મળી શકે છે, બજારના કામકાજમા પસંદગી અનુરૂપ નાના કામ કરવા યોગ્ય છે.
તમારા કામકાજમા અન્યનો સાથ-સહકાર ઓછો મળી શકે છે, તમારા કામમા ગણતરી અને મહેનતના પ્રમાણમા ઓછુફળ મળી શકે છે, લગ્નની માટેની વાતચીત ક્યાય ચાલતી હોયતો તેની વાર્તાલાપ અને મિલન-મુલાકાતમા અતિઉત્સાહ ના રાખવો ફક્ત એટલુ ધ્યાન રાખવુંકે ઈર્ષાળુ કોઈ ખટપટ ના કરી જાય, યાત્રા-પ્રવાસ પણ તમને ઓછા ઉત્સાહવાળો રહે, મિત્રવર્તુળ સાથે કોઈ નવીનવાતની આપલે પણ થઇ શકે છે, બજારના કામકાજમા તમને સારુ કરવાની લાગણી જન્મી શકે છે અને આયોજનપૂર્વક કામ કરોતો થોડો લાભ થઈ શકે છે, કોઈ કારણસર આકસ્મિકખર્ચ થવાથી મન થોડુ નાખુશ રહે તેવુ પણ બનવા જોગ છે.
જયપુરઃ રાજસ્થાનની સરકારી હોસ્પિટલોમાં ઉપયોગમાં લેવાતી દવાઓની ગુણવત્તા અંગે મોટો સવાલ ઊભો થયો છે. પ્રસૂતિ દરમિયાન મહિલાઓમાં બ્લીડિંગ રોકવા માટે આપવામાં આવતાં ઓક્સિટોસિન ઇન્જેક્શનની એક બેચ તપાસમાં નકલી હોવાનું સામે આવ્યું છે. આ ખુલાસો એવા સમયે થયો છે જ્યારે કોટાની ન્યુ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ડિલિવરી બાદ ચાર મહિલાઓનાં મોતનો મામલો સામે આવ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ મૃત મહિલાઓને પણ આ જ બેચનું ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું, જેને કારણે સમગ્ર આરોગ્ય વિભાગમાં હડકંપ મચી ગયો છે.
રાજસ્થાન ડ્રગ કન્ટ્રોલ વિભાગની તપાસમાં જાણવા મળ્યું કે ઇન્જેક્શનમાં તે સક્રિય તત્ત્વ જ હાજર નહોતું, જે પ્રસૂતિ બાદ વધુ રક્તસ્ત્રાવ રોકવા માટે જરૂરી હોય છે. રિપોર્ટ આવ્યા બાદ વિભાગે રાજ્યમાં આ દવાના વેચાણ અને ઉપયોગ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકી દીધો છે. એ સાથે જ હોસ્પિટલ અને મેડિકલ સ્ટોરમાંથી આ દવાનો સ્ટોક હટાવવાના આદેશ પણ આપવામાં આવ્યા છે.
તપાસમાં સેમ્પલ ફેલ
રાજસ્થાનના ડ્રગ કન્ટ્રોલર અજય ફાટકે જણાવ્યું કે અમૃતસર સ્થિત જેક્સન લેબોરેટરીઝ દ્વારા બનાવવામાં આવેલા ઓક્સિટોસિન ઇન્જેક્શનનું સેમ્પલ લેબ તપાસમાં ફેલ થયું હતું. ત્યાર બાદ કોટાની ન્યુ મેડિકલ કોલેજ હોસ્પિટલમાંથી આ બેચનો સંપૂર્ણ સ્ટોક જપ્ત કરવામાં આવ્યો છે. વિભાગ હવે તપાસ કરી રહ્યો છે કે આ દવા કયા-કયા હોસ્પિટલ અને સપ્લાય ચેનલ સુધી પહોંચી હતી. જોકે હોસ્પિટલ પ્રશાસને મહિલાઓના મોતને સીધા નકલી ઇન્જેક્શન સાથે જોડવાનો ઇનકાર કર્યો છે. હોસ્પિટલનું કહેવું છે કે મામલાની તપાસ માટે નિષ્ણાતોની સમિતિ બનાવવામાં આવી છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ સહિતનાં મેડિકલ તથ્યોને આધારે જ અંતિમ નિષ્કર્ષ જાહેર કરવામાં આવશે. અધિકારીઓના જણાવ્યા મુજબ તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારનો દાવો કરવો વહેલું ગણાશે.
આ રાજ્યોમાં બનતી હતી દવાઓ
આ ઘટનાએ રાજસ્થાનમાં દવાઓની ગુણવત્તા નિયંત્રણ વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. છેલ્લા દસ દિવસ દરમિયાન રાજ્યમાં વેચાતી 11 દવાઓના સેમ્પલ તપાસમાં ફેલ થયાં છે. તેમાં તાવ, એલર્જી, એન્ટિબાયોટિક, પેટના ચેપ અને ઇમરજન્સીમાં ઉપયોગમાં લેવાતી પેઇનકિલર દવાઓનો સમાવેશ થાય છે. આરોગ્ય વિભાગના રિપોર્ટ અનુસાર આ દવાઓ રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, આંધ્ર પ્રદેશ, ગુજરાત, ઉત્તરાખંડ, દિલ્હી અને મહારાષ્ટ્રની વિવિધ કંપનીઓમાં બનાવવામાં આવી રહી હતી. વિભાગ હવે સંબંધિત કંપનીઓ સામે કાનૂની કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. નિષ્ણાતોનું કહેવું છે કે સરકારી હોસ્પિટલોમાં સપ્લાય થતી દવાઓની નિયમિત અને કડક તપાસ અત્યંત જરૂરી છે, કારણ કે નાની બેદરકારી પણ દર્દીઓના જીવન માટે ભારે પડી શકે છે.