Home Blog Page 313

પંચાંગ 15/01/2026

સુવિચાર – ૧૫ જાન્યુઆરી ૨૦૨૬

૧૫ જાન્યુઆરી ૨૦૨૬

ટ્રમ્પનો વિઝા બોમ્બ, એકસાથે 75 દેશના વિઝા પર મુક્યો પ્રતિબંધ

બુધવારના રોજ અમેરિકાએ 75 દેશોના અરજદારો માટે વિઝા પ્રક્રિયા સંપૂર્ણપણે બંધ કરી દીધી. આ પગલા પાછળ ટ્રમ્પ વહીવટીતંત્રનો તર્ક એ છે કે અમેરિકામાં સંભવિત જાહેર ચાર્જ (સરકારી સહાય પર આધારિત) ગણાતા અરજદારોની નજીકથી દેખરેખ રાખવી. ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા પ્રતિબંધિત દેશોમાં ઈરાન, રશિયા, અફઘાનિસ્તાન, ઇરાક, નાઇજીરીયા અને બ્રાઝિલનો સમાવેશ થાય છે. આ પ્રતિબંધો 21 જાન્યુઆરીથી અમલમાં આવશે અને અનિશ્ચિત સમય માટે અમલમાં રહેશે.

યુએસ દૂતાવાસોને ટ્રમ્પનો નિર્દેશ

ફોક્સ ન્યૂઝ અનુસાર, આ મેમો યુએસ દૂતાવાસોને હાલના કાયદા હેઠળ વિઝા નકારવાનો નિર્દેશ આપે છે. ગયા જાન્યુઆરીમાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પદ સંભાળ્યા પછીથી શરૂ કરાયેલા વ્યાપક ઇમિગ્રેશન ક્રેકડાઉન વચ્ચે આ આવ્યું છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ હવે વિઝા સ્ક્રીનીંગ અને ચકાસણી પ્રક્રિયાઓનું પુનર્મૂલ્યાંકન કરશે.

પાકિસ્તાન સહિત આ દેશો પણ યાદીમાં સામેલ 

ટ્રમ્પ વહીવટીતંત્રે યુનાઇટેડ સ્ટેટ્સના નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. આ યાદીમાં સોમાલિયા, ઇજિપ્ત, થાઇલેન્ડ અને યમનનો પણ સમાવેશ થાય છે. સોમાલિયા પહેલાથી જ યુએસ અધિકારીઓ દ્વારા નજીકથી દેખરેખ હેઠળ છે. આતંકવાદીઓનું આશ્રયસ્થાન, પાકિસ્તાન પણ આ યાદીમાં શામેલ છે. સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા ટોમી પિગોટના જણાવ્યા અનુસાર, યુએસ તેની લાંબા સમયથી ચાલતી સત્તાઓનો ઉપયોગ અમેરિકન જનતાનું શોષણ કરનારા અને કલ્યાણ પર નિર્ભર બનનારાઓને રોકવા માટે કરશે. ભારત આ યાદીમાં શામેલ નથી.

ટ્રમ્પ વહીવટીતંત્ર સ્ક્રીનીંગ નિયમોના અમલીકરણનો નિર્દેશ આપે છે

ગયા નવેમ્બરમાં, ટ્રમ્પ વહીવટીતંત્રે વિશ્વભરના તેના દૂતાવાસોને ઇમિગ્રેશન કાયદાના જાહેર ચાર્જ જોગવાઈ હેઠળ નવા સ્ક્રીનીંગ નિયમો લાગુ કરવા નિર્દેશ આપ્યો હતો. આનાથી એવા અરજદારોને વિઝા નકારી શકાય છે જેઓ જાહેર લાભો પર નિર્ભર બનવાની સંભાવના ધરાવે છે. આ આરોગ્ય, ઉંમર, અંગ્રેજી કુશળતા અને લાંબા ગાળાની તબીબી સંભાળની સંભવિત જરૂરિયાતને પણ ધ્યાનમાં લેશે.

અમેરિકાએ કયા દેશો સામે કાર્યવાહી કરી?

અફઘાનિસ્તાન, અલ્બેનિયા, અલ્જેરિયા, એન્ટિગુઆ અને બાર્બુડા, આર્મેનિયા, અઝરબૈજાન, બહામાસ, બાંગ્લાદેશ, બાર્બાડોસ, બેલારુસ, બેલીઝ, ભૂતાન, બોસ્નિયા, બ્રાઝિલ, બર્મા, કંબોડિયા, કેમરૂન, કેપ વર્ડે, કોલંબિયા, કોટ ડી’આઇવોર, ક્યુબા, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, ડોમિનિકા, ઇજિપ્ત, એરિટ્રિયા, ઇથોપિયા, ફીજી, ગામ્બિયા, જ્યોર્જિયા, ઘાના, ગ્રેનાડા, ગ્વાટેમાલા, ગિની, હૈતી, ઈરાન, ઇરાક, જમૈકા, જોર્ડન, કઝાકિસ્તાન, કોસોવો, કુવૈત, કિર્ગિસ્તાન, લાઓસ, લેબનોન, લાઇબેરિયા, લિબિયા, મેસેડોનિયા, મોલ્ડોવા, મોંગોલિયા, મોરોક્કો, નેપાળ, નિકારાગુઆ, નાઇજીરીયા, પાકિસ્તાન, રિપબ્લિક ઓફ કોંગો, રશિયા, રવાન્ડા, સેન્ટ કિટ્સ અને નેવિસ, સેન્ટ લુસિયા, સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઇન્સ, સેનેગલ, સીએરા લિયોન, સોમાલિયા, દક્ષિણ સુદાન, સુદાન, સીરિયા, તાંઝાનિયા, થાઇલેન્ડ, ટોગો, ટ્યુનિશિયા, યુગાન્ડા, ઉરુગ્વે, ઉઝબેકિસ્તાન અને યમન.

IND vs NZ : બીજી ટી-20માં ન્યુઝીલેન્ડે ભારતને 7 વિકેટે હરાવ્યું

રાજકોટના ખાંદેરી સ્થિત નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમાયેલી બીજી ODI માં ન્યૂઝીલેન્ડે ટીમ ઇન્ડિયાને 7 વિકેટથી હરાવ્યું. ન્યૂઝીલેન્ડે ભારતીય ટીમ દ્વારા આપવામાં આવેલા 285 રનના લક્ષ્યને ફક્ત 3 વિકેટ ગુમાવીને 47.3 ઓવરમાં સરળતાથી પ્રાપ્ત કરી લીધું.

કિવી ટીમ માટે, ડેરિલ મિશેલે શાનદાર બેટિંગ કરી, 117 બોલમાં 131 રન બનાવ્યા. વિલ યંગે પણ 98 બોલમાં 87 રન બનાવ્યા. સાથે મળીને, તેઓએ ત્રીજી વિકેટ માટે 162 રનની ભાગીદારી કરી, મેચને સંપૂર્ણ એકતરફી મેચમાં ફેરવી દીધી.

અગાઉ, ભારતીય ટીમે 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 284 રન બનાવ્યા. કેએલ રાહુલે શાનદાર બેટિંગ પ્રદર્શન સાથે ટીમનું નેતૃત્વ કર્યું, 92 બોલમાં અણનમ 112 રન બનાવ્યા. કેપ્ટન શુભમન ગિલે ૫૬ રનનું યોગદાન આપ્યું. બોલિંગમાં, ન્યુઝીલેન્ડ તરફથી ક્રિશ્ચિયન ક્લાર્કે ત્રણ વિકેટ લીધી.

આ પહેલા ભારતીય ટીમની બેટિંગની વાત કરીએ તો શરૂઆત બહુ ધીમી રહી હતી. રોહિત શર્મા અને શુભમન ગિલ બંને શરૂઆતમાં સંઘર્ષ કરતા નજરે પડ્યા. છ ઓવર પછી ભારતનો સ્કોર માત્ર 18 રન હતો. ત્યારબાદ બંનેએ ગતિ વધારી અને પાવરપ્લે પૂરું થતાં સ્કોર 57 સુધી પહોંચ્યો. રોહિત શર્મા 24 રન બનાવીને આઉટ થયા, જ્યારે શુભમન ગિલે 47 બોલમાં પોતાની અર્ધશતકી પૂરી કરી અને અંતે 56 રન બનાવી પેવેલિયન પરત ફર્યા.

મિડલ ઓવર્સમાં ભારતને ઝડપી ઝટકા લાગ્યા. શ્રેયસ અય્યર માત્ર 8 રન બનાવી આઉટ થયા અને ત્યારબાદ વિરાટ કોહલી 23 રને બોલ્ડ થયા. એક સમયે ભારત 118 રન પર ચાર વિકેટ ગુમાવી ચૂક્યું હતું અને દબાણમાં હતું. આવા સમયે કે.એલ. રાહુલે એક છેડે મોરચો સંભાળ્યો અને ઇનિંગ્સને સ્થિરતા આપી.

રવિન્દ્ર જાડેજા સાથે રાહુલે મહત્વપૂર્ણ ભાગીદારી કરી, પરંતુ જાડેજા 27 રન બનાવી આઉટ થયા. ત્યારબાદ નીતીશ રેડ્ડી સાથેની ભાગીદારીમાં રાહુલે સ્કોરને આગળ ધપાવ્યો. નીતીશ રેડ્ડી 20 રન બનાવી આઉટ થયા, પરંતુ ત્યાં સુધી ભારત સન્માનજનક સ્થિતિમાં પહોંચી ગયું હતું. અંતિમ ઓવર્સમાં રાહુલે પોતાનું શતક પૂર્ણ કર્યું, જે 19 ઇનિંગ્સ બાદ આવ્યું હતું.

કે.એલ. રાહુલ 112 રન બનાવી નાબાદ રહ્યા અને તેમની ઇનિંગ્સના દમ પર ભારતે 284 રનનો સ્કોર ઉભો કર્યો. આ સ્કોર જીત માટે પૂરતો લાગતો હતો, પરંતુ બોલિંગ અને ફિલ્ડિંગમાં થયેલી ભૂલોએ ભારતની મહેનત પર પાણી ફેરવી દીધું. હવે બંને ટીમોનું ધ્યાન ઇન્દોરમાં રમાનારા નિર્ણાયક વનડે પર રહેશે, જ્યાં સિરીઝ વિજેતા નક્કી થશે.

ભારત સરકારે ભારતીયોને તાત્કાલિક ઈરાન છોડવા માટે એડવાઈઝરી જાહેર કરી

ઈરાનમાં સતત વધી રહેલી અસ્થિર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ત્યાં રહેલા પોતાના નાગરિકો માટે તાત્કાલિક ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે. વિદેશ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વર્તમાન સંજોગોમાં ઈરાનમાં રહેવું જોખમી બની શકે છે અને ભારતીય નાગરિકોએ શક્ય તેટલી વહેલી તકે દેશ છોડવાની વ્યવસ્થા કરવી જોઈએ.

સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈરાનના અનેક વિસ્તારોમાં હિંસા, વિરોધ પ્રદર્શન અને સુરક્ષા સંબંધિત ઘટનાઓમાં વધારો થયો છે. આવી સ્થિતિમાં ભારતીય વિદ્યાર્થીઓ, વ્યાવસાયિકો અને કામદારોની સુરક્ષા સરકારની પ્રાથમિકતા છે. એડવાઈઝરીમાં ખાસ કરીને બિનજરૂરી મુસાફરીથી દૂર રહેવા અને સ્થાનિક સત્તાવાળાઓના સૂચનોનું પાલન કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યો છે અને મુશ્કેલીમાં મુકાયેલા નાગરિકોને મદદ પહોંચાડવા માટે તમામ શક્ય પગલાં લેવામાં આવી રહ્યા છે. ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ દૂતાવાસ સાથે સંપર્કમાં રહે, પોતાની વિગતો નોંધાવે અને કોઈ પણ ઇમરજન્સી સ્થિતિમાં તરત જાણ કરે.

આ એડવાઈઝરી એવા સમયે આવી છે જ્યારે પશ્ચિમ એશિયામાં ભૂરાજકીય તણાવ વધતો જઈ રહ્યો છે અને અનેક દેશોએ પોતાના નાગરિકો માટે ચેતવણી જાહેર કરી છે. ભારત સરકારનું કહેવું છે કે સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી આગળની સૂચનાઓનું કડક પાલન કરવું અત્યંત જરૂરી છે.

US એમ્બેસેડર સર્ગિયો ગોરે રાષ્ટ્રપતિ મુર્મુને ઓળખપત્રો સોંપ્યાં

નવી દિલ્હીઃ અમેરિકાના રાજદૂત સર્ગિયો ગોરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનો પરિચય પત્ર એટલે કે ક્રેડેન્શિયલ્સ સોંપ્યા હતા. 38 વર્ષીય ગોરે ગયા વર્ષના નવેમ્બરના મધ્યમાં ભારત માટે અમેરિકાના રાજદૂત તરીકે શપથ લીધા હતા. અમેરિકી સેનેટે ગયા વર્ષના ઓક્ટોબરમાં તેમની નિમણૂકને મંજૂરી આપી હતી. તેઓ અગાઉ વ્હાઇટ હાઉસ (અમેરિકાના રાષ્ટ્રપતિનું અધિકૃત નિવાસસ્થાન અને કાર્યાલય)માં પર્સનલ ડિરેક્ટર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઓગસ્ટ, 2025માં તેમની ભારત માટે આગામી અમેરિકી રાજદૂત તરીકે નિમણૂક કરી હતી.

રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક સમારંભમાં મુર્મુએ ગોર પાસેથી તેમનું પરિચય પત્ર સ્વીકાર્યું હતું. ગોરે સોમવારે તણાવપૂર્ણ સંબંધોને ફરી સુધારવાના ઇરાદાની ઝાંખી આપતાં કહ્યું હતું કે અમેરિકા માટે ભારત જેટલું મહત્વપૂર્ણ બીજો કોઈ દેશ નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે બંને દેશો વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે સક્રિય રીતે પ્રયત્નશીલ છે.

ભારત-અમેરિકા સંબંધોમાં તણાવ ત્યારે શરૂ થયો જ્યારે ટ્રમ્પે ભારત પર 50 ટકા ટેરિફ લગાવ્યો હતો. તેમાં ભારત દ્વારા રશિયન ક્રૂડ ઓઇલની ખરીદી પર 25 ટકાનો વધારાનો ટેરિફ પણ સામેલ હતો. નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ગોર સિવાય ત્રિનિદાદ અને ટોબેગો ગણરાજ્યના ઉચ્ચાયુક્ત ચંદ્રદાથ સિંહ અને ઓસ્ટ્રિયા ગણરાજ્યના રાજદૂત રોબર્ટ જિશ્ચગે પણ મુર્મુને પોતાનું પરિચય પત્ર રજૂ કર્યું હતું.

દિલ્હીમાં અમેરિકાના નવા રાજદૂત સર્ગિયો ગોરે તણાવ દૂર કરીને દ્વિપક્ષી સંબંધોને ફરી મજબૂત કરવાનો સંકેત આપતાં સોમવારે કહ્યું હતું કે વોશિંગ્ટન માટે ભારત જેટલું જરૂરી બીજો કોઈ દેશ નથી. તેમણે જણાવ્યું હતું કે બંને પક્ષો વેપાર કરારને અંતિમ રૂપ આપવા માટે કામ કરી રહ્યા છે.

તેમના આગમન સંબોધનમાં ગોરે મહત્વપૂર્ણ ખનિજો અને AI  ક્ષેત્રે અમેરિકાના નેતૃત્વ હેઠળના વ્યૂહાત્મક ગઠબંધન ‘પેક્સ સિલિકા’માં ભારતને જોડાવા માટે આમંત્રણ આપવાની પણ જાહેરાત કરી હતી. ગોરે કહ્યું  હતું કે અમેરિકા અને ભારત માત્ર સહભાગી હિતોથી જ જોડાયેલા નથી, પરંતુ આ સંબંધ સર્વોચ્ચ સ્તરે આધારિત છે.

તેમણે આશા વ્યક્ત કરી હતી કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી વર્ષે અથવા તેના પછીના વર્ષે ભારતની મુલાકાત લેશે. પદભાર સંભાળ્યા પછી માત્ર થોડા કલાકોમાં ગોર દ્વારા આપવામાં આવેલાં આ નિવેદનોને ટ્રમ્પ પ્રશાસનની તરફથી એક સકારાત્મક પહેલ તરીકે જોવામાં આવી રહ્યા છે, એવા સમયે જ્યારે તાજેતરના મહિનાઓમાં ટેરિફ અને H-1B વિઝાને લઈને ભારત પર દબાણ વધારવામાં આવ્યું છે.

I-PAC મામલોઃ ફાઈલો મમતા બેનર્જી લઈ ગયાંનો HCમાં EDનો દાવો

કોલકાતાઃ પોલિટિકલ કન્સલ્ટન્સી ફર્મ I-PAC અને તેના કો-ફાઉન્ડર પ્રતીક જૈનનાં ઘરો પર થયેલી દરોડાની કાર્યવાહી મામલે EDએ કલકત્તા હાઈકોર્ટમાં સુનાવણી મોકૂફ રાખવાની માગ કરી છે, જ્યારે તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વકીલે તેનો વિરોધ કર્યો છે. આ મુદ્દે બંને પક્ષો વચ્ચે તીવ્ર દલીલો થઈ હતી.

ED તરફથી હાજર એડિશનલ સોલિસિટર જનરલ (ASG) એસ.વી. રાજુએ જણાવ્યું હતું કે આવી જ એક અરજી સુપ્રીમ કોર્ટમાં પણ લંબિત છે અને ત્યાં જલદી સુનાવણી થવાની શક્યતા છે, તેથી હાઈકોર્ટમાં આ મામલે હાલની સુનાવણી ટાળી દેવી જોઈએ. તેમણે કહ્યું હતું કે હાઈકોર્ટમાં દાખલ થયેલી અરજી જેવી જ માગ સાથે સુપ્રીમ કોર્ટમાં પણ કેસ પેન્ડિંગ છે.

TMC તરફથી વકીલ મેનકા ગુરુસ્વામીએ કહ્યું હતું કે અમે સુપ્રીમ કોર્ટમાં પક્ષકાર નથી. દરોડાની કાર્યવાહી થઈ હતી, પરંતુ અમારી ગોપનીયતા જળવાઈ રહેવી જોઈએ. અમે એક બંધારણીય લોકશાહીમાં જીવીએ છીએ. અમારો રાજકીય ડેટા સુરક્ષિત રહેવો જોઈએ. ગોપનીયતાનો અધિકાર અમારો હક છે.

TMCએ હાઈકોર્ટને જણાવ્યું હતું કે તેમની મુખ્ય માગ એ છે કે તેમનો રાજકીય ડેટા સુરક્ષિત રાખવામાં આવે, તેને મિડિયા સાથે જાહેર ન કરવામાં આવે અને રાજકીય હેતુઓ માટે તેનો ઉપયોગ ન થાય. TMCએ એ પણ કહ્યું કે તેઓ સુપ્રીમ કોર્ટમાં પક્ષકાર નથી.

8 જાન્યુઆરીએ I-PAC અને પ્રતીક જૈનના નિવાસસ્થાને EDની દરોડાની કાર્યવાહી દરમિયાન પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનર્જી વરિષ્ઠ અધિકારીઓ સાથે ત્યાં પહોંચી ગયાં હતાં. આ ઘટનાને લઈને EDએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે અને ભારતીય ન્યાય સંહિતા હેઠળ 17 ગુનાઓની CBI તપાસની માંગ કરી છે. અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે મમતા બેનર્જી, બંગાળના ડીજીપી અને કોલકાતાના પોલીસ કમિશનરે દરોડા દરમિયાન માત્ર અવરોધ જ ઊભો કર્યો નહોતો, પરંતુ અધિકારીઓને ડરાવી-ધમકાવીને પુરાવાઓ સાથે પણ ચેડાં કર્યાં હતાં.

Makar Sankranti 2026: CM ભૂપેન્દ્રભાઈ પટેલે ઉત્તરાયણની ઉજવણી કરી

રાજ્યભરમાં ઉતરાયણનો તહેવાર રંગેચંગે ઉજવાઈ રહ્યો છે. જેમ જેમ દિવસ આગળ વધે છે, તેમ તેમ પતંગરસિકોનો ઉત્સાહ પણ બમણો થઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં વ્યવસ્થાની કમાન સંભાળતા મુખ્યમંત્રીએ આજે હાથમાં પતંગની દોરી પણ સંભાળી લીધી હતી. ઉંમર અને હોદ્દાને ભૂલીને સામાન્ય નાગરિકની જેમ તેમણે પણ પતંગ મહોત્સવની મજા લૂંટી હતી. એક બાજુ જ્યા વહેલી સવારથી આકાશ રંગબેરંગી પતંગોથી ભરી ગયું હતું. ત્યા બીજી બાજુ રાજ્યના કર્તાહર્તા મુખ્યમંત્રી પણ પતંગના પેચ લડાવવા નીકળી પડ્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મકરસંક્રાંતિના પર્વની ઉજવણી અમદાવાદના ઐતિહાસિક એવા દરિયાપુર વિસ્તારમાં કરી હતી. દરિયાપુરના વાડીગામ ખાતે સ્થાનિક રહીશોનો તેમણે ઉત્સાહ વધાર્યો હતો. મુખ્યમંત્રીએ આ અવસરે રાજ્યના તમામ નાગરિકોને મકરસંક્રાંતિની શુભેચ્છાઓ પાઠવતા સુખ, શાંતિ અને સમૃદ્ધિની કામના કરી હતી. જેમ પતંગ આકાશની ઊંચાઈઓને આંબે છે. તેમ ગુજરાત વિકાસની નવી ઊંચાઈઓ સર કરે તેવી તેમણે ભગવાન પાસે પ્રાર્થના કરી હતી.

ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગ્રાઉન્ડ ખાતે સહાય ફાઉન્ડેશન દ્વારા પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બલુન્સને આકાશમાં છોડીને ભવ્ય શુભારંભ કરાવ્યો હતો. ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નગરજનો સાથે મળીને પતંગ ઉડાવ્યો હતો. અને આનંદ માણ્યો હતો. ઉત્તરાયણ પર્વ પર પતંગ ઉડાવતા મુખ્યમંત્રીએ સૌ નાગરિકજનોને મકરસંક્રાંતિની શુભેચ્છાઓ પાઠવી હતી. તથા કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ બાળકોને મમરાના લાડુ અને તલની ચિક્કીનું વિતરણ કર્યું હતું.

ઓનલાઇન મહિલાથી મિત્રતા પડી ભારે, યુવકે ગુમાવ્યા રૂ. 1.92 કરોડ

લખનૌઃ શહેરમાંથી એક મોટો સાયબર ફ્રોડનો મામલો સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિની ઓનલાઈન મળી આવેલી એક મહિલાથી વોટ્સએપ પર થયેલી મિત્રતા મોટી સાયબર છેતરપિંડીમાં ફેરવાઈ ગઈ હતી, જેમાં તેને રૂ. 1.92 કરોડનું નુકસાન થયું હતું. વધુ મોટો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે પોલીસે શોધી કાઢ્યું કે ‘મહિલા’ હકીકતમાં એક પુરુષ હતો, જેણે ખોટી ઓળખ બનાવીને તેને ફસાવવાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસના જણાવ્યાનુસાર આરોપી ઇમરાન ગાજી (ઉંમર 34), જે ગુડંબા પોલીસ સ્ટેશન વિસ્તારના મિશ્રિપુર ડિપો વિસ્તારનો રહેવાસી છે, તેની મંગળવારે ધરપકડ કરવામાં આવી છે.2 જૂન, 2025એ પીડિત શલભ પાંડે દ્વારા દાખલ કરાયેલી ફરિયાદ મુજબ આરોપીએ વોટ્સએપ પર પોતાનું નામ ભાવિકા શેટ્ટી બતાવી પરિચય આપ્યો હતો અને નિયમિત વાતચીત શરૂ કરી હતી. ધીમે-ધીમે તેણે પાંડેને ઊંચા રિટર્ન આપતી યોજનાઓમાં રોકાણ કરવા માટે રાજી કર્યો હતો. આ દાવાઓ પર વિશ્વાસ કરીને પાંડેએ વિવિધ બેંક ખાતાઓમાં કુલ રૂ. 1.92 કરોડ ટ્રાન્સફર કરી દીધા, પરંતુ બાદમાં તેને ખબર પડી કે તેની સાથે છેતરપિંડી થઈ છે.

IT એક્ટ હેઠળ કેસ નોંધાયો

સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા તેમ જ IT એક્ટની કલમ 66(ડી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે, જે કોમ્પ્યુટર દ્વારા ખોટી ઓળખ બનાવીને કરાતી છેતરપિંડી સંબંધિત છે.

પોલીસે જણાવ્યું હતું કે પૂછપરછ દરમિયાન આરોપી ઇમરાન ગાજીએ ખુલાસો કર્યો હતો કે એક્સિસ બેંકમાં તેનું ખાતું ફ્રીઝ થઈ ગયા બાદ તેણે શહજાદ નામના એક સાગરિતની મદદથી નકલી આધાર અને પેન કાર્ડ બનાવડાવ્યા અને તેને આધારે અનેક બેંક ખાતાઓ ખોલ્યાં, જેના દ્વારા તે છેતરપિંડીની રકમ હાંસલ કરતો રહ્યો હતો.