બેંગલુરુઃ કર્ણાટકમાં આવતા મહિને વિધાનસભાની ચૂંટણી માટે નામાંકન પત્ર દાખલ કરવા માટેની પ્રક્રિયા ગુરુવારે (20 એપ્રિલે) પૂરી થઈ ગઈ છે. ચૂંટણી પંચે ચૂંટણીને ધ્યાનમાં રાખતાં બધા ઉમેદવારોએ પોતપોતાનું નામાંકન પત્ર સોંપવા માટે 13થી 20 એપ્રિલ સુધીનો સમય નિર્ધારિત કર્યો હતો. ચૂંટણી પંચના અધિકારીઓના જણાવ્યાનુસાર નામાંકન પત્ર દાખલ કરવાનું કામ શરૂ થયા પછી 3600થી વધુ ઉમેદવારોએ કુલ 5102 નામાંકન દાખલ કર્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે છેલ્લા દિવસે 1900થી વધુ નામાંકન દાખલ કરવામાં આવ્યાં હતાં. આ નામાંકન પત્રોની તપાસ શુક્રવારે (21 એપ્રિલ) થશે.ચૂંટણી મેદાનમાંથી નામ પાછું ખેંચવાની છેલ્લી તારીખ 24 એપ્રિલ છે.
કર્ણાટકની વિધાનસભાની ચૂંટણીમાં કુલ 4710 નામાંકનમાંથી 3327 પુરુષ ઉમેદવારોએ અને 391 નામાંકનમાંથી 304 મહિલા ઉમેદવારોએ નામાંકન પત્ર ભર્યાં છે. જ્યારે એક અન્ય જાતિના ઉમેદવારે નામાંકન પત્ર ભર્યું છે, એમ મુખ્ય ચૂંટણી અધિકારીએ કહ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે ભાજપના 707 ઉમેદવારોએ, જ્યારે કોંગ્રેસના 651 અને જનતા દળ (એસ)ના 455 ઉમેદવારોએ નામાંકન પત્ર ભર્યાં છે. છેલ્લા દિવસે અનેક અગ્રણી નેતાઓએ નામાંકન પત્ર ભર્યાં હતાં. કોંગ્રેસ નેતા ડીકે શિવકુમારે પારંપરિક સીટ પર તેમના ભાઈએ નામાંકન દાખલ કરીને સૌને ચોંકાવ્યા હતા. ડીકે સુરેશે કનકપુરા વિધાનસભા સીટ પરથી નામાંકન પત્ર કર્યું હતું. કેટલાક કોંગ્રેસ નેતાઓનું કહેવું હતું કે સુરેશે શિવકુમારનું નામાંકન રદ થવાની સ્થિતિમાં બેકઅપ પ્લાન તરીકે અહીંથી નામાંકન દાખલ કર્યું છે.













શ્રેષ્ઠ સંસ્કૃતિ ગણી શકાય. એક સમય હતો જયારે વિદેશથી યાત્રીઓ ભારતને સમજવા આવતા. ભારતીય શિક્ષણની ખ્યાતી એટલે દુર સુધી પહોંચી કે વિદેશી વિદ્યાર્થીઓ આપણી વિદ્યાપીઠો માં અભ્યાસ અર્થે આવતા. આકર્ષણ એટલું વધ્યું કે કેટલાક લોકોને ભારતને પોતાનું કરી લેવાની ઈચ્છા થઇ અને આક્રમણો પણ થયા. ક્યારેક ભૂમિ તો ક્યારે અન્ય કશુક પામવા માટે અલગ અલગ પ્રજાએ ભારત ને પામવા પ્રયત્ન કર્યા અને એમથી કેટલાક સફળ પણ રહ્યા. જયારે જયારે કોઈ રાજવી અન્ય રાજ્ય પર રાજ્ય કરે ત્યારે પ્રજા એના પ્રભાવમાં આવે તે સ્વાભાવિક છે. પણ કોઈ સત્તા છોડી દે પછી પણ એનો પ્રભાવ વધ્યા કરે એ અચંબો પમાડી શકે. આપણે પશ્ચિમના રંગે એવા રંગાયા કે ભૌતિક્તાવાદ આપણા આધ્યાત્મવાદ પર સવાર થઇ ગયો. હવે આપણે આપણી જ સંસ્કૃતિ પર સંશોધન કરવું પડે એવી સ્થિતિ આવી ગઈ છે. આવા સમયે આપણા શાસ્ત્રોની સમજણ આપણને સાચો માર્ગ સુજાડી શકે છે. એમાંથી સુખી થવાના નિયમો આપતું શાસ્ત્ર એટલે વાસ્તુ શાસ્ત્ર.



