Home Blog Page 2917

૦૨ મે, ૨૦૨૩

૦૨ મે, ૨૦૨૩

રાશિ ભવિષ્ય 02/05/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ સામાન્ય છે, પ્રવાસનું આયોજન થઈ શકે છે તેમાં ઉત્સાહ પણ જોવા મળી શકે , મિત્રોથકી કોઈ લાભની વાત આપ-લે થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમને તમારી મહેનત મુજબ ફળ મળી શકે છે વેપારમાં કામકાજ નાનું અને અનુભવ મુજબજ કામ કરવુ યોગ્ય છે, વિવાહયોગ્ય વાર્તાલાપ સારી રહે.


આજના દિવસે સાવચેતી રાખવી અને તેમાં પણ ગુસ્સાપર કાબુ રાખવો જરૂરી બને છે, વાહન ધીમે ચલાવવું  સલાહ ભર્યું છે, એલર્જી,ચામડી, લોહીના દર્દીએ તકેદારી રાખવી, વણમાંગી સલાહકે સુચન આજના દિવસે ના આપવા ઈછાનીય છે. વેપારના કામકાજમાં મોટા જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ તમારા માટે સારો છે તમને ઉત્સાહ, આત્મવિશ્વાસ સારો રહે, મનની ઈચ્છા પૂરી થાય તેવું બનવા જોગ પણ છે, વિદ્યાર્થીવર્ગ માટે વિદ્યાભ્યાસમાં વધુ મહેનત કરવાથી સારું ફળ મળી શકે છે, ગણતરી પૂર્વક કામ કરોતો ધાર્યા કામ વધુ થાય, વેપારના કામકાજમાં લાભ અને નવીનજાણકારીની તક મળે.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાત, પ્રવાસ થઈ શકે છે, કોઈ આકસ્મિકનાણાકીય ખર્ચ પણ આવી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં ઓળખાણમાં કામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારના કામકાજમાં નાનું કામ કરવું સલાહ ભર્યું છે, વિવાહયોગ્ય વાર્તાલાપ કોઈના થકી કરવી યોગ્ય કહી શકાય.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો સલાહ ભર્યો છે, ખટપટકરનાર વર્ગથી દુર રહેવું જરૂરી છે, ખરીદી કરવાપાછળ બિનજરૂરી ખર્ચ થઇ શકે છે, મુસાફરી થોડી કંટાળાજનક બની શકે છે , વાહન ધીમે ચલાવવું ,ઉશ્કેરાટથી દુર રહેવું, વેપારના કામકાજમાં જોખમન કરવું, શાંતિથી દિવસ પસાર કરવો.


આજનો દિવસ સામાન્ય છે, મનમાં થોડી માનસિકઅશાંતિ અને ઉદ્વેગ રહ્યા કરે, કામકાજમાં સમયનો અણધાર્યો વ્યય થાય, સાંધા, સ્નાયુ, ગેસની તકલીફજે ભોગવતું હોય તેમના માટે થોડી તકેદારી રાખવી જરૂરી છે, વેપારમાં ગણતરીપૂર્વકનુ કામ કરવું યોગ્ય છે, ઉતાવળિયા નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું.


આજનો દિવસ સારો છે, મનમાં રહેલી ઈચ્છા પૂરી થવાની શક્યતા વધુ છે, ગમતાકાર્ય થઈ શકે છે , નવી ઓળખાણ થાય તેમાં પણ તમારી લાગણી ક્યાંક સંતોષાયકે સારીવાતચીત થાય તેવા સંજોગ બની શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારને કોઈ જાણકારી પ્રાપ્ત થાય, વેપારમાં અણધાર્યો લાભ થઈ શકે છે


આજનો દિવસ થોડી ધીરજ અને સાવચેતી રાખવી યોગ્ય છે, વાહન ધીમે ચલાવવું, નોકરી ધંધામાં પણ  વ્યવહારુ અભિગમ રાખવો ફાયદાકારક છે, કોઈપણ પ્રકારના વિવાથી દુર રહેવાની સલાહ છે , બજારમાં કોઈ મોટા જોખમભર્યા કામના કરવા તેમજ કોઈની પણ સાથે દલીલબાજીના કરવી ઇચ્છનીય છે.


આજનો દિવસ તમારા માટે સારો છે, તમને તમારા કામ અને વ્યવહારથી માન મળી શકે છે, કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, ભૂતકાળમાં કરેલ કામની પ્રશંશા થાય અને તમારી લાગણી સંતોષાય તેવું બની શકે છે, નવીઓળખાણથી કોઈ લાભની વાત થઈ શકે છે, વેપારમાં લાભ થાય તેવા સંજોગો ઉભા થાય.


આજનો દિવસ તમાર માટે સાવચેતી અને શાંતિ રાખવાની સલાહ ભર્યો છે, તમારામાં થોડી નિરાશા જોવા મળી શકે છે તેમજ કામ ટાળવા માટેની વૃતિ જાગી શકેછે, ખટપટ કરનારથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, કમર, હાડકા,માથાની તકલીફથી સાચવવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.


આજનો દિવસ તમને સારી આશા અને ઈચ્છા જગાડી શકે તેવો છે, તમારા ધાર્યાકામ થઇ શકે છે  તેમજ જો નસીબ સાથ આપેતો ઘણું બધું કાર્ય થઇ શકે. મુસાફરી થઈ શકે છે, માર્કેટિંગ,સલાહકાર,કોમ્પુટર,ધાતુક્ષેત્રમાં કામ કરનારવર્ગને સારું રહે, વેપારમાં લાભ અને નવીન ઓળખાણ થવાના સંજોગો ઉભા થઈ શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં ધાર્યા કરતા વધુ સમયનો વ્યય થાય તેવું બની શકે છે, પેટ, આંતરડા, ડાયાબીટીસના દર્દીએ સાચવવું, બેન્કિંગ,વીમા,મેનેજમેન્ટ,સરકારીક્ષેત્રમાં કામ કરનારને માનસિકથાકની લાગણી વધુ જોવા મળી શકે તેવું બની શકે. વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામ જ યોગ્ય છે.

પંચાંગ 02/05/2023

22 રાજ્યોમાં રોજગાર મેળાનું આયોજન, PM મોદી આપશે 70 હજારથી વધુ નિમણૂક પત્ર

કેન્દ્ર સરકાર આગામી સમયમાં વિવિધ મંત્રાલયોમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે મિશન મોડમાં છે. માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું કે રોજગારી આપવા માટે 22 રાજ્યોમાં રોજગાર મેળા (16 મે)નું આયોજન કરવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું કે રોજગાર અભિયાન હેઠળ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 70,000 થી વધુ નવી ભરતીના નિમણૂક પત્રોનું વિતરણ કરશે. વડાપ્રધાને ગયા વર્ષે ઓક્ટોબરમાં રોજગાર મેળા યોજના શરૂ કરી હતી. આ વખતે 45 કેન્દ્રો પર રોજગાર મેળાનું આયોજન કરવામાં આવશે.

22 ઓક્ટોબર, 2022ના રોજ પ્રથમ નોકરી મેળો

અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ભરતી પ્રક્રિયામાં ઝડપ આવવાની સંભાવના છે કારણ કે કેન્દ્ર સરકાર 2019 માં સત્તામાં આવી હતી, જે તેના કાર્યકાળના છેલ્લા વર્ષમાં છે. જણાવી દઈએ કે 22 ઓક્ટોબર, 2022ના રોજ પ્રથમ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 75,000 લોકોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા. 22 નવેમ્બર, 2022 ના રોજ બીજા જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લગભગ 71,000 નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા. જ્યારે, ત્રીજી આવૃત્તિ 20 જાન્યુઆરીએ અને ચોથી આવૃત્તિ 13 એપ્રિલે થઈ હતી. તેમાં પણ 71,000 જેટલા નિમણૂક પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું

મિશન મોડમાં તૈયારી કરો

અધિકારીઓએ કહ્યું કે તમામ મંત્રાલયો અને વિભાગો હાલમાં મિશન મોડમાં ખાલી જગ્યાઓ ભરવા માટે કામ કરી રહ્યા છે. માહિતીમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્રીય મંત્રી પોતે દરેક મંત્રાલયમાં નિમણૂકો અને ખાલી જગ્યાઓ ભરવા પર નજર રાખી રહ્યા છે.

આ જગ્યાઓ પર ભરતી

કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો, ઇન્સ્પેક્ટર, સબ-ઇન્સ્પેક્ટર, કોન્સ્ટેબલ, ક્લાર્ક, સ્ટેનોગ્રાફર, પર્સનલ આસિસ્ટન્ટ, ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટર, ટેક્સ આસિસ્ટન્ટ, જુનિયર એન્જિનિયર, લોકો પાયલટ, ટેકનિશિયન, પોસ્ટલ આસિસ્ટન્ટ, આસિસ્ટન્ટ પ્રોફેસર, અત્યાર સુધી આપવામાં આવેલા જોબ ફેરમાં, શિક્ષકો અને ગ્રંથપાલ વગેરે

અધિકારીઓએ જણાવ્યું હતું કે ગૃહ મંત્રાલય વિવિધ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF) માં મોટી સંખ્યામાં પદો પર ભરતી કરી રહ્યું છે. UPSC, SSC અને રેલવે ભરતી બોર્ડ જેવી ભરતી એજન્સીઓ દ્વારા ભરતી કરવામાં આવી રહી છે. આમાં, ઝડપી ભરતી માટે પસંદગી પ્રક્રિયાને સરળ બનાવવામાં આવી છે.

માર્ચમાં 47 લાખ Whatsapp એકાઉન્ટ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો

મેટા-માલિકીના ડિજિટલ પ્લેટફોર્મ વોટ્સએપે માર્ચમાં ભારતમાં 47 લાખથી વધુ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો હતો. ફેબ્રુઆરીમાં આ સંખ્યા 45 લાખ હતી. વોટ્સએપના પ્રવક્તાએ કહ્યું કે માર્ચ 2023માં મળેલી ફરિયાદો પર કાર્યવાહી કરીને 47 લાખથી વધુ એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. અગાઉ ફેબ્રુઆરીમાં 45 લાખ, જાન્યુઆરીમાં 29 લાખ, ડિસેમ્બરમાં 36 લાખ અને નવેમ્બર 2022માં 37 લાખ ખાતા ફ્રીઝ કરવામાં આવ્યા હતા.

WhatsApp continues to ban accounts in India, over 16 lakh accounts were  banned in April- Technology News, Firstpost

શું છે રિપોર્ટમાં?

વોટ્સએપે તેના માસિક અહેવાલમાં જણાવ્યું હતું કે માર્ચ મહિનામાં નવી રચાયેલી ફરિયાદ અપીલ સમિતિ (GAC) તરફથી ત્રણ આદેશો મળ્યા હતા, જેનો અમલ કરવામાં આવ્યો હતો. રિપોર્ટ અનુસાર, 1 માર્ચથી 31 માર્ચ સુધી કુલ 47,15,906 એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેમાંથી 16,59,385 એકાઉન્ટ પર વોટ્સએપ દ્વારા પોતાની રીતે કાર્યવાહી કરવામાં આવી હતી.

GB WhatsApp: How to Lift the WhatsApp Ban - CIOL

વોટ્સએપે કહ્યું કે અમે તમામ ફરિયાદો પર કાર્યવાહી કરીએ છીએ, જો કે તે અગાઉની ફરિયાદની ડુપ્લિકેટ ન હોય. ફરિયાદના આધારે, એકાઉન્ટને પ્રતિબંધિત કરવામાં આવે છે અથવા અગાઉ પ્રતિબંધિત એકાઉન્ટને પુનઃસ્થાપિત કરવામાં આવે છે. ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના નિયમો મુજબ, 5 મિલિયનથી વધુ વપરાશકર્તાઓ ધરાવતા મોટા ડિજિટલ પ્લેટફોર્મને દર મહિને અનુપાલન રિપોર્ટ્સ જારી કરવાની જરૂર છે. આ રિપોર્ટમાં તેમને મળેલી ફરિયાદો અને તેના પર કરવામાં આવેલી કાર્યવાહીની વિગતો આપવાની રહેશે.

CM ભૂપેન્દ્ર પટેલના પુત્રની તબિયત નાદુરસ્ત, હર્ષ સંઘવી મુંબઈ જવા રવાના

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્રની હિંદુજા હોસ્પિટલમાં સર્જરી કરાશે. જેમાં અનુજ પટેલની સર્જરીની પ્રક્રિયા હાથ ધરાશે. તથા ઓપરેશન બાદ અનુજ પટેલને ICUમાં રખાશે. તેમજ મુંબઈની હિંદુજા હોસ્પિટલે હેલ્થ બુલેટિન જાહેર કર્યું છે. બીજી સર્જરી કર્યા બાદ 24 કલાક ઓબ્ઝર્વેશન હેઠળ રખાશે. તથા નિષ્ણાંત તબીબોની સૂચના બાદ મુ્ંબઈ સારવાર લઈ જવાયા હતા.

CM ભુપેન્દ્ર પટેલના પુત્ર અનુજની તબિયત નાદુરસ્ત છે. જેમાં અનુજ પટેલને સારવાર માટે મુંબઈ લઈ જવાયા છે. તેમાં મુંબઈની હિંદૂજા હોસ્પિટલમાં અનુજ પટેલને આજે સવારે લાવવામાં આવ્યા છે. તથા CM ભૂપેન્દ્ર પટેલ પત્ની સાથે હિંદૂજા હોસ્પિટલ પહોંચ્યા છે. સાથે મહારાષ્ટ્રના CM એકનાથ શિંદે પણ હોસ્પિટલ પહોંચ્યા છે. ન્યૂરો સર્જન પી.પી.અશોક અનુજ પટેલની સારવાર કરશે. તથા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ મુંબઈ જશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને બ્રેઇન સ્ટ્રોક આવ્યો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને મુંબઇની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્રના ખબર જાણવા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી મુંબઈ જવા રવાના થયા છે. તેઓ પણ હિન્દુજા હોસ્પિટલ જશે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો. જે પછી અનુજ પટેલને તાત્કાલિક ધોરણે સારવાર માટે કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે પછી તેમનું બે કલાક સુધી ઓપરેશન ચાલ્યું હતું. આ દરમિયાન મુખ્યમંત્રી સહિત તેમનો સમગ્ર પરિવાર હોસ્પિટલમાં હાજર રહ્યો હતો. જે પછી અનુજ પટેલને બે દિવસ હોસ્પિટલમાં રાખવામાં આવશે તેવી પણ માહિતી આપવામાં આવી હતી. જો કે બાદમાં અનુજ પટેલને મુંબઇની હિન્દુજા હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા છે.

 

પાકિસ્તાનમાં પત્રકારો પર હુમલાની ઘટનામાં 40% વધારો નોંધાયો

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનમાં છેલ્લા એક વર્ષમાં પત્રકારો પર હુમલા અને ધમકી આપવાના ઓછામાં ઓછા 140 કેસ નોંધાયા છે. પાછલા વર્ષની તુલનાએ આ આંકડો 40 ટકા વધારો સૂચવે છે.

પાકિસ્તાન પ્રેસ ફ્રીડમના અહેવાલ અનુસાર, પત્રકારો પર સૌથી વધારે હુમલા રાષ્ટ્રીય પાટનગર ઈસ્લામાબાદમાં જ થયા છે. પત્રકારો માટે આ શહેર સૌથી જોખમી છે. બીજા નંબરે પંજાબ પ્રાંત અને ત્રીજા નંબરે સિંધ પ્રાંત આવે છે.

કોર્ટમાં રજૂ કરતી વખતે યુવરાજસિંહે કહ્યું – ‘હજુ ઘણું બધું બહાર આવશે’

હાલમાં રાજ્યભરમાં ડમીકાંડને લઈને ચર્ચા ચાલી રહી છે. એકબાજુ સરકાર સામે ડમીકાંડ મોટી સમસ્યા ઉભી થઈ રહી છે તો બીજી તરફ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ એક પછી એક ડમી કાંડને લઈને ખુલાસા કરી રહ્યા છે. ત્યારે હવે ડમી ઉમેદવાર કૌભાંડના તોડકાંડના આરોપી યુવરાજસિંહને હાલમાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ત્યારે તેણે વધુ એક મોટો નિવેદન આપ્યું હતું જેના પગલે ફરી ખળભળાટ મચી ગયો છે. રિમાન્ડ પૂર્ણ થતાં યુવરાજસિંહ જાડેજાને કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટમાં રજૂ કરતી વખતે યુવરાજસિંહે મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.

મળતી માહિતી મુજબ યુવરાજસિંહે કહ્યું કે જો સરકાર કે પોલીસ હેરાન કરશે તો મારા 5 પાંડવો બહાર આવશે. યુવરાજે દાવો કર્યો કે આ તો શરૂઆત છે, અંત હજુ બાકી છે અને હજુ પણ ઘણુ બધું સામે આવવાનું બાકી છે. ડમીકાંડના પર્દાફાશ સમયે યુવરાજસિંહે 5 પાંડવોની વાત કરી હતી. જેમની પાસે કૌભાંડોના દસ્તાવેજ હોવાનો દાવો કરાયો હતો. ત્યારે અહીં સવાલ એ સર્જાય કે યુવરાજના 5 પાંડવો કોણ અને આ પાંડવો આખરે ક્યારે સામે આવશે.

ગુજરાતના ભાવનગરમાં તોડકાંડના આરોપી યુવરાજસિંહને પોલીસ દ્વારા કોર્ટ માં રજૂ કરાતા કોર્ટે યુવરાજસિંહ ને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે. જ્યારે યુવરાજસિંહ જેલમાં જતા પહેલા કહ્યું કે આ અસત્ય સામે સત્યની લડાઈ છે. આ અલ્પવિરામ છે પૂર્ણ વિરામ નથી, લડાઈ શરૂ રહેશે, હજુ ઘણું આવવાનું બાકી છે. જ્યારે પોલીસના કબજામાંથી યુવરાજસિંહ નીકળતા જ હુકાર કર્યો છે. યુવરાજસિંહ સાથે તોડકાંડ ના આરોપી કાનભા અને અલફઝ ઉર્ફે રાજુને પણ જેલ હવાલે કરવામાં આવ્યા છે.

આ અગાઉ આ કેસમાં કોર્ટે સાત દિવસના મંજૂર રિમાન્ડ કર્યા હતા, ઉલ્લેખનીય છે કે, તોડકાંડમાં યુવરાજ સિંહ અને તેના સાળા કાનભાના 29 એપ્રિલના રોજ બે દિવસના રીમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. પોલીસે પાંચ દિવસના રિમાન્ડની કરી હતી માંગણી કરી હતી. આ અગાઉ આ કેસમાં કોર્ટે સાત દિવસના મંજૂર રિમાન્ડ કર્યા હતા. નોંધનીય છે કે આ પૂર્વે પણ તોડકાંડમાં સંડોવાયેલા છઠ્ઠા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. SITની ટીમે અલફાઝખાન પઠાણ ઉર્ફે રાજુને ઝડપી પાડ્યો હતો. અલફાઝ ઉપર બે લોકો પાસેથી બળજબરીપૂર્વક રૂપિયા પડાવવાનો આરોપ છે. અલફાઝે PK દવે પાસે 45 લાખ અને પ્રદિપ બારૈયા પાસેથી 55 લાખ લીધાનો આરોપ છે.

બ્રિજભૂષણ સિંહની અપીલ, કહ્યું- મને ફાંસી આપો પણ યુવા ખેલાડીઓના ભવિષ્ય સાથે રમત ન રમો

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહે મીડિયા સાથે વાત કરતા કુસ્તીબાજોને કુસ્તીના કાર્યક્રમોમાં વિક્ષેપ ન લાવવા વિનંતી કરી છે. આ દરમિયાન તેણે એમ પણ કહ્યું કે ભલે તેને ફાંસી આપવામાં આવે પણ યુવા ખેલાડીઓના ભવિષ્ય સાથે ખેલ ન કરવો જોઈએ. તેણે કહ્યું કે દેશના ટોચના ખેલાડીઓ હડતાળ પર બેસી ગયા બાદ તમામ કુસ્તી પ્રવૃત્તિઓ ઠપ થઈ ગઈ છે. તેણે કહ્યું છે કે તે ફાંસી પર લટકાવવા માટે તૈયાર છે પરંતુ, કુસ્તી સંબંધિત કાર્યક્રમો ચાલુ રાખવા જોઈએ. જો તેના કાર્યક્રમો બંધ રહેશે તો તે કેડેટ્સ અને જુનિયર ખેલાડીઓ માટે નુકસાનકારક સાબિત થશે.

બ્રિજભૂષણ શરણ સિંહે આ સમયગાળા દરમિયાન બાળકોના ભવિષ્ય સાથે રમત ન કરવા અપીલ કરી છે. તેમણે વિનંતી કરી હતી કે કેડેટ્સ નેશનલ ગેમ્સને થવા દેવામાં આવે, પછી ભલે તે કોઈપણ રાજ્ય તેનું આયોજન કરે. મહારાષ્ટ્ર, તમિલનાડુ, ત્રિપુરા કોઈપણ રાજ્ય હોય પરંતુ કુસ્તીની પ્રવૃત્તિ બંધ ન થવી જોઈએ.

ભારતના ટોચના કુસ્તીબાજો આ દિવસોમાં દિલ્હીના જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજ ભૂષણ સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. આ ખેલાડીઓમાં મુખ્યત્વે બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને વિનેશ ફોગાટનો સમાવેશ થાય છે. રેસલર્સે બ્રિજ ભૂષણ પર મહિલા રેસલર્સનું યૌન ઉત્પીડન કરવાનો આરોપ લગાવ્યો છે.


બીજેપી સાંસદ બ્રિજ ભૂષણ સામે બે એફઆઈઆર નોંધવામાં આવી છે, જેમાંથી પ્રથમ સગીરની નમ્રતા પર અત્યાચાર કરવા બદલ છે, જે જાતીય સતામણીના POCSO કલમ હેઠળ નોંધવામાં આવી છે. બીજી તરફ, બીજો કેસ પુખ્ત મહિલાઓ દ્વારા નોંધવામાં આવ્યો છે, જેમાં જાતીય સતામણીની સંબંધિત કલમો હેઠળ પણ કેસ નોંધવામાં આવ્યા છે.

આ મામલે કાર્યવાહી કરતા રમતગમત મંત્રાલયે 7 મેના રોજ યોજાનારી એસોસિએશનની ચૂંટણી પર પ્રતિબંધ લગાવી દીધો છે. મંત્રાલયે ભારતીય ઓલિમ્પિક એસોસિએશનને એક સમિતિ બનાવવા અને 45 દિવસમાં ચૂંટણી કરાવવા માટે કહ્યું છે. એટલું જ નહીં મંત્રાલયે IOAને સ્પોર્ટ્સ બોડીનું પણ સંચાલન કરવા કહ્યું છે.

ભારત-બ્રિટન લશ્કરના જવાનો દ્વારા સંયુક્ત કવાયત

ભારતીય સેના અને બ્રિટિશ આર્મી તેમના જવાનો માટે દર બે વર્ષે સંયુક્ત કવાયત યોજે છે, જેને ‘અજેય વોરિઅર-2023’ નામ આપવામાં આવ્યું છે. આ વખતે આ સાતમી આવૃત્તિની સંયુક્ત કવાયતનું આયોજન બ્રિટનના સેલિસબરી મેદાન વિસ્તારમાં કરવામાં આવ્યું છે. તે દરમિયાન બંને સેનાના જવાનો અનેક વ્યૂહાત્મક ડ્રિલ્સ ઉપર સંયુક્તપણે તાલીમ લઈ રહ્યા છે. આ કવાયત 27 એપ્રિલથી શરૂ થઈ છે અને 11 મે સુધી ચાલશે. આ વખતની કવાયતમાં બ્રિટિશ સેનાના રોયલ ગોરખા રાઈફલ્સ દળના જવાનો અને ભારતીય સેનાની બિહાર રેજિમેન્ટના જવાનો જોડાયા છે.

ગયા વખતે – 2021ના ઓક્ટોબરમાં આ સંયુક્ત કવાયત ઉત્તરાખંડમાં યોજવામાં આવી હતી.

(તસવીર સૌજન્યઃ @adgpi)