Home Blog Page 2888

અદાણી યુનિવર્સિટી, AHRD વચ્ચે રિસર્ચ કાર્યક્રમો માટે સમજૂતી

અમદાવાદઃ અદાણી યુનિવર્સિટી અને એકેડેમી ઓફ HRD (AHRD) વચ્ચે સર્ટિફિકેશન પ્રોગ્રામ્સ, એક્ઝિક્યુટિવ એજ્યુકેશન અને ડોક્ટરલ ડિગ્રીઝના રિસર્ચ પ્રોગ્રામ્સ માટે સમજૂતી કરવામાં આવી છે. અદાણી યુનિવર્સિટીના પ્રો. ડો. એમ. મુરુગનંત અને HRDAના ચેરપર્સન ડો. રાજેશ ચંદવાણી દ્વારા સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. માનવ સંસાધન સમુદાય અને તેમની ભાવિ માગને પૂરી કરવામા આ ભાગીદારીથી લાભ થશે.

આ પ્રસંગે અદાણી યુનિવર્સિટીના પ્રો. ડો. એમ. મુરુગનંતે જણાવ્યું હતું કે અધ્યયનને વધારવા અને સમાજમાં પ્રભાવ બનાવવાના ઉદ્દેશથી અદાણી યુનિવર્સિટીએ 3T ફ્રેમવર્ક અપનાવ્યું છે. જેમાં ટ્રાન્સલેટ, ટ્રાન્સસેન્ડ અને શ્રેષ્ઠતા હાંસલ કરવા માટે પરિવર્તનનો સમાવેશ થાય છે. આ યાત્રામાં AHRD સાથે ભાગીદારી કરવા બદલ અમે ગર્વ અનુભવીએ છીએ. તેમણે ઉમેર્યું હતું કે યુનિવર્સિટીનું સંશોધન સઘન છે અને તેણે વિશિષ્ટ ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એનર્જી, એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ, મેનેજમેન્ટ, ટેક્નોલોજી, ડિફેન્સ અને હેલ્થકેર વગેરેનો સમાવેશ થાય છે. AHRD સાથેની સમજૂતી દ્વારા વ્યાવસાયિકોને હવે માનવ સંસાધનમાં પેકેજ્ડ/કસ્ટમાઇઝ્ડ સર્ટિફિકેટ્સ (અથવા) ત્રણ-વર્ષનો ડોક્ટરલ પ્રોગ્રામની તક મળશે.

આ ઇવેન્ટમાં AHRDના ચેરપર્સન ડો. રાજેશ ચંદવાણીએ પણ ભારપૂર્વક જણાવ્યું હતું કે સંશોધનમાં શ્રેષ્ઠતાની શોધ હંમેશાં AHRDનું પ્રેરક બળ રહ્યું છે અને અદાણી યુનિવર્સિટી સાથેનો અમારો સહયોગ માત્ર ઉચ્ચ-સ્તરની ગુણવત્તા જાળવવાની અમારી પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરે છે.

આ MOU વૈશ્વિક કુશળતા મેળવવા, શૈક્ષણિક જ્ઞાનેવર્ધન સાથે સમય અને સંસાધનોનો લાભ લેવાની પૂરતી તકો પૂરી પાડે છે. તે પ્રોફેશનલ્સને ઇનસાઇટ્સનો ઉપયોગ કરી રિસર્ચ માર્ગદર્શન અને વધુ વ્યાવસાયિક વિકાસ માટે ટૂંકા અને લાંબા ગાળાના ખાસ પ્રોગ્રામ્સનો ભાગ બનવાની તક આપે છે.

 

 

 

 

ધો.10-12માંનું રિઝલ્ટ ક્યારે આવશે? આવતીકાલે પરિણામના ખોટા સમાચાર થયા વાયરલ

આવતીકાલે ધો. 10-12 CBSEના રિઝલ્ટનો ફેક પત્ર વાઇરલ થઇ રહ્યો છે. જેમાં CBSEનું પરિણામ કાલે હોવાનો ફેક પત્ર સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે. તેમાં પત્ર ખોટો હોવાની સ્પષ્ટતા CBSEએ કરી છે. CBSEએ પત્ર ખોટો હોવાની જાણકારી આપી છે. જેમાં CBSE 10-12નું પરિણામ 11 તારીખે હોવાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ફેક લેટરમાં લખવામાં આવ્યું છે કે CBSE નેશનલ ઇન્ફોર્મેટિક સેન્ટર પરથી જાહેર કરશે. www.cbse.inc.in, www.cbseresults.inc.in અને www.results.inc.in પરથી વિદ્યાર્થીઓ રિઝલ્ટ જોઈ શકશે. ધો. 10 અને 12ની લેવાયેલી CBSEની પરીક્ષાનું રિઝલ્ટ આવતીકાલે 11 મેના રોજ જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ પોતાનું રિઝલ્ટ નેટ પરથી મેળવી શકશે.

ફેક લેટર વાઇરલ ના કરવો

ફેક લેટરમાં વધુમાં લખવામાં આવ્યું છે કે સ્કૂલને આખું રિઝલ્ટ તેમના રજિસ્ટર્ડ ઇ-મેલ આઇડી પર ઉપલબ્ધ થઈ જશે. ઉપરાંત સ્કૂલના ડીજી લોકરમાં પણ રિઝલ્ટ ઉપલબ્ધ થશે. માર્કશીટ-કમ- સર્ટિફિકેટ, માઇગ્રેશન સર્ટિફિકેટ, ઓન સ્કિલ સર્ટિફિકેટ જેવા ડોક્યુમેન્ટ્સ parinam manjusha પર પણ ઉપલબ્ધ થશે, જે ડીજી લોકર સાથે જોડાયેલું છે, જેની લિંક છે http//cbse.digitallocker.gov.in, વિદ્યાર્થીઓના ડિજિટલ માર્કશીટ અને પાસિંગ સર્ટિફિકેટ, માઇગ્રેશન સર્ટિફિકેટ પણ રખાયાં છે. જો કે, આ લેટર આખો ફેક હોવાથી કોઈએ આના પર ધ્યાન આપવું નહીં.

પરિણામ ક્યારે જાહેર થશે?

જો કે બોર્ડ દ્વારા હજુ સુધી પરિણામની તારીખ અને સમય અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. એકવાર પરિણામ જાહેર થઈ ગયા પછી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ CBSEની અધિકૃત વેબસાઇટ cbse.gov.in પર જઈને તેમના પરિણામો ચકાસી શકશે.

તમે પરિણામ ક્યાં તપાસી શકશો?

પરિણામ જાહેર થયા પછી વિદ્યાર્થીઓ CBSE બોર્ડની સત્તાવાર પરિણામ વેબસાઇટ cbse.gov.in, cbseresults.nic.in પર માર્કશીટ ચકાસી શકશે. વિદ્યાર્થીઓ digilocker.gov.in અને UMANG એપ પર પણ તેમનું પરિણામ જોઈ શકશે. પરિણામ ચકાસવા માટે વિદ્યાર્થીઓએ તેમના પરીક્ષા રોલ નંબરની મદદથી લોગિન કરવું પડશે. વિદ્યાર્થીઓ પરિણામ સંબંધિત કોઈપણ નવીનતમ અપડેટ્સ માટે સત્તાવાર વેબસાઇટ પર નજર રાખે છે.

PM મોદી 12 મેએ ગુજરાત પ્રવાસે, ગાંધીનગરમાં ‘આવાસ ઉત્સવ’માં રહેશે ઉપસ્થિત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12મી મેના રોજ ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી અને ગ્રામીણ)ના લાભાર્થીઓ માટેના મકાનોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ સાથે અનેક લાભાર્થીઓને ગૃહપ્રવેશ પણ કરાવશે. શુક્રવારે બપોરે 12 કલાકે મહાત્મા મંદિર ખાતે યોજાનાર આ ‘અમૃત આવાસ ઉત્સવ’ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના કૃષિ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી રાઘવજી પટેલ અને અન્ય મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે.

પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ 7113 મકાનોનું ઉદ્ઘાટન કરવામાં આવશે અને 4331 મકાનોનો શિલાન્યાસ કરવામાં આવશે. બીજી તરફ સરકારની આર્થિક મદદથી 18,997 નવા બનેલા મકાનોમાં ગૃહ પ્રવેશ કરવામાં આવશે. પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ 232 તાલુકાઓના 3740 ગામોમાં 12,000 ઘરોનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ રીતે, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ, કુલ 1946 કરોડ રૂપિયાના ખર્ચે 42,441 મકાનોનું ઉદ્ઘાટન, શિલાન્યાસ અને ગૃહપ્રવેશ કરાવવામાં આવશે.

આ કાર્યક્રમમાં શહેરી વિસ્તારના 4000 અને ગ્રામ્ય વિસ્તારના 3000 લાભાર્થીઓ સહિત કુલ 7000 લાભાર્થીઓ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત મહાનગરો, શહેરો અને ગામડાઓના તમામ લાભાર્થીઓ પસંદગીના સ્થળોએ હાજર રહીને આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે જોડાશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી પોતે પ્રધાનમંત્રી આવાસ (શહેરી અને ગ્રામીણ) યોજનાના 7 લાભાર્થીઓને તેમના ઘરની ચાવીઓ સોંપશે. આ સાથે તેઓ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાજ્યના વિવિધ ક્ષેત્રો સાથે જોડાયેલા અન્ય લાભાર્થીઓ સાથે પણ સંવાદ કરશે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 11.56 લાખ મકાનો પૂર્ણ કરવામાં આવ્યા છે. જેમાં શહેરી વિસ્તારોમાં કુલ 7.50 લાખ મકાનો જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં 4.06 લાખ મકાનોનો સમાવેશ થાય છે.

ગુજરાતના ધારાસભ્ય છોકરીઓને ફ્રીમાં બતાવશે ફિલ્મ ‘The Kerala story’

‘ધ કેરલા સ્ટોરી’ ફિલ્મને સમગ્ર દેશમાં ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ હવે આ ફિલ્મને લઈને નેતાઓ મેદાનમાં ઉતર્યા છે. ભાજપના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ વિદ્યાર્થિનીઓ અને મહિલાઓ આજથી 4 દિવસ વિનામુલ્યે આ ફિલ્મ બતાવવાની જાહેરાત કરી છે.

KANTI AMRUTIYA – MorbiNews

4 દિવસ ‘The Kerala story’ને ફ્રીમાં બતાવાશે 

ધ કેરલા સ્ટોરી’ (The Kerala Story) ફિલ્મને સમગ્ર દેશમાં સમર્થન અને વિરોધનો એક અલગ જ માહોલ જોવા મળી રહ્યો છે. તેમજ આ ફિલ્મને લઈને રાજકારણ પણ ખુબ ગરમાયું છે. ત્યારે આ વચ્ચે ગુજરાતમાં પણ ભાજપના કેટલાક નેતાઓ દ્વારા સમર્થન આપવામા આવી રહ્યું છે. તાજેતરમાં મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ વિદ્યાર્થીનીઓ અને મહિલાઓને 4 દિવસ આ ફિલ્મ ફ્રિ માં બતાવવાનુ આયોજન કરવામ આવ્યું છે.

The kerala story

સ્કાય સિનેમાના તમામ શો બુક

લવ જેહાદ અને ધર્મ પરિવર્તનને ઉજાગર કરતી ફિલ્મ The Kerala story ને લઈને ગુજરાતમાં ભાજપના નેતાઓ મેદાને આવ્યા છે. ત્યારે “ધ કેરેલા સ્ટોરી” મોરબીની વધુમાં વધુ બહેનો જોવે તેના માટેની મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. અને આજથી 4 દિવસ સુધી છોકરીઓ અને મહિલાઓને ફ્રીમાં આ ફિલ્મ બતાવવામા આવશે તેમ જાહેર કર્યું છે. આ માટે આજથી લઈને ચાર દિવસ સુધીના સ્કાય સિનેમાના તમામ શો અત્યારથી જ બુક કરી દેવામા આવ્યા છે.

દર્શિતા શાહે CMને પત્ર લખીને કરી રજૂઆત

એક તરફ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ છોકરીઓને 4 દિવસ સુધી ફ્રીમાં આ ફિલ્મ બતાવવાની જાહેરાત કરી છે. તો બીજી તરફ રાજકોટ પશ્ચિમના ભાજપના MLA ડૉ.દર્શિતા શાહે CMને પત્ર લખીને ગુજરાતમાં ‘ધ કેરાલા સ્ટોરી’ ફિલ્મને કરમુક્ત કરવા રજૂઆત કરી છે. યુપી અને એમપીમાં ‘ધ કેરાલા સ્ટોરી’ ફિલ્મને કરમુક્ત કરાઇ છે ત્યારે દર્શિતા શાહે CMને પત્ર લખીને ગુજરાતમાં પણ આ ફિલ્મને કરમુક્ત કરવાની રજૂઆત કરી છે. દર્શિતા શાહે લખ્યું છે કે ‘લવ જેહાદ રોકવા આ ફિલ્મને પ્રોત્સાહન આપવું જોઈએ અને આ ફિલ્મને કરમુક્ત કરવી જોઈએ’.

ઈન્વેસ્ટરોને એનએસઈની ચેતવણી

મુંબઈઃ રોકાણકારો છેતરપિંડીનો અને અન્ય લોકોના ગેરકાનૂની કૃત્યનો ભોગ બનતાં અટકે એ માટે નેશનલ સ્ટોક એક્સચેન્જ ગેરકાનૂની વેપાર કરતા લોકો અને તેમના ફોન નંબરો જાહેર કરતું રહે છે એ ક્રમમાં એક્સચેન્જે જણાવ્યું છે કે “ટાઈટેનિયમ એન્ટરપ્રાઈઝીસ” મારફત કામ કરતી “શ્રેયા” નામની વ્યક્તિ રોકાણકારોને મૂડીરોકાણ પર ગેરન્ટેડ વળતર ઓફર કરી રહી છે અને રોકાણકારોને તેમનાં ટ્રેડિંગ એકાઉન્ટ હેન્ડલ કરવાની પણ ઓફર કરી રહી છે. આ વ્યક્તિ મોબાઈલ નંબર ‘9099645054” મારફત ઓપરેટ કરે છે અને ઈન્વેસ્ટરોને એમની વિગતો શેર કરવા જણાવે છે.

ઈન્વેસ્ટરોને આ સાથે ચેતવવામાં આવે છે અને સલાહ આપવામાં આવે છે કે તેમણે શેરબજારમાં ગેરન્ટેડ વળતરની ખાતરી આપતી કોઈ પણ વ્યક્તિ કે કંપની દ્વારા ઓફર કરાતી સ્કીમ કે પ્રોડક્ટમાં સહભાગી ન થાય, કારણ કે કાયદા અનુસાર આ પ્રતિબંધિત છે. ઈન્વેસ્ટરોએ આવી વ્યક્તિઓને ક્યારેય યૂઝર આઈડી, પાસવર્ડ જેવી પોતાની ટ્રેડિંગ વિગતો શેર કરવી નહીં.

આવી પ્રતિબંધિત યોજનાઓ સંબંધિત કોઈ પણ વિવાદ માટે ઈન્વેસ્ટરોને નિમ્નલિખિતમાંથી કોઈ પણ સહારો ઉપલબ્ધ નહીં થાય.

  1. એક્સચેન્જના કાર્યક્ષેત્ર હેઠળ ઈન્વેસ્ટર પ્રોટેક્શનના લાભ
  2. એક્સચેન્જ ડિસ્પ્યૂટ રિઝોલ્યૂશન મિકેનિઝમ
  3. એક્સચેન્જ દ્વારા સંચાલિત ઈન્વેસ્ટર ગ્રીવન્સ રીડ્રેસલ મિકેનિઝમ

હવે મધ્યપ્રદેશમાં ફિલ્મ ધ કેરળ સ્ટોરી પર ટેક્સ લાગશે

મધ્યપ્રદેશ સરકારે ધ કેરળ સ્ટોરીનો ટેક્સ ફ્રી સ્ટેટસ પાછો ખેંચી લીધો છે. 6 મેના રોજ રાજ્ય સરકારના કોમર્શિયલ ટેક્સ વિભાગે ફિલ્મને કરમુક્ત બનાવવાનો આદેશ જારી કર્યો હતો. 10મી મેના રોજ નવો ઓર્ડર જારી કરીને જૂનો ઓર્ડર રદ કરવામાં આવ્યો હતો. વાણિજ્ય વેરા વિભાગના ડેપ્યુટી સેક્રેટરી આરપી શ્રીવાસ્તવે 10 મેના રોજ એક આદેશ જારી કર્યો હતો, જેમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર 10 મે, 2023થી અમલમાં આવતા 06.05.2023ના વિભાગના આદેશ નંબર 1145/2023/05 (સેક્શન-1)ને રદ કરે છે. રાજ્ય સરકારના નિર્ણય પર સવાલો ઉઠી રહ્યા છે કારણ કે કર્ણાટકમાં મતદાન ચાલી રહ્યું છે તેવા દિવસે રદ કરવાનો આદેશ આવ્યો છે. જેના કારણે વિપક્ષ આ ફિલ્મનો સમય, તેને ટેક્સ ફ્રી કરવાનો આદેશ અને હવે તેને ફરીથી ટેક્સેબલ બનાવવાના આદેશને રાજકીય પ્રેરિત ગણાવી રહ્યો છે.

MP govt revokes order to make film The Kerala Story tax free today | The  Kerala Story पर MP में यू टर्न! ! 4 दिन पहले की थी टैक्स फ्री करने की

તેની રજૂઆત બાદથી વિવાદો

સુદીપ્તો સેન દ્વારા દિગ્દર્શિત અને અદા શર્મા અભિનીત ફિલ્મ ધ કેરલા સ્ટોરી, તેનું ટ્રેલર રિલીઝ થયું ત્યારથી જ વિવાદોમાં ઘેરાયેલું છે. ઘણા રાજ્યોમાં આ ફિલ્મનો જોરદાર વિરોધ પણ થઈ રહ્યો છે. ઘણા લોકો ‘ધ કેરળ સ્ટોરી’ની તરફેણમાં પણ છે. તે કેટલાક રાજ્યોમાં કરમુક્ત છે. અને પશ્ચિમ બંગાળમાં તો ફિલ્મ પર જ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

The Kerala Story' made tax-free in Madhya Pradesh: CM Chouhan , The Kerala  Story, tax-free, Madhya Pradesh, Movies latest news, Kerala story review,  movies updates

શિવરાજે વકીલાત કરી હતી

ચાર દિવસ પહેલા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું હતું કે અમે મધ્યપ્રદેશમાં ધર્મ પરિવર્તન વિરુદ્ધ કાયદો બનાવી ચુક્યા છે. આ મૂવી જાગરૂકતા બનાવે છે, તેથી જ દરેક વ્યક્તિએ આ ફિલ્મ જોવી જોઈએ. માતા-પિતા, પુત્ર-પુત્રીઓએ અવશ્ય જોવું. આ કારણે મધ્યપ્રદેશ સરકાર ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ને ટેક્સ ફ્રી કરવા જઈ રહી છે. આ ફિલ્મ જણાવે છે કે કેવી રીતે દીકરીઓ ક્ષણિક લાગણીના કારણે ‘લવ જેહાદ’ની જાળમાં ફસાઈને પોતાનું જીવન બરબાદ કરે છે. આ ફિલ્મ આતંકવાદના વિવિધ સ્વરૂપોને પણ ઉજાગર કરે છે.

તમે વોટ્સએપ વાપરો છો ? તો હાલમાં જ તેના ઉપયોગને લઈને સામે આવ્યા ચોંકાવનારા સમાચાર

સોશિયલ મીડિયા અને સ્માર્ટફોનના યુગમાં દરેક વ્યક્તિ મેસેજિંગ અને ચેટિંગ માટે વોટ્સએપનો ઉપયોગ કરે છે. પરંતુ હવે વોટ્સએપ પર યુઝર્સની પ્રાઈવસી પર સવાલો ઉભા થઈ રહ્યા છે. વોટ્સએપ પર એપનો ઉપયોગ ન હોય ત્યારે પણ તેમની સંમતિ વિના વપરાશકર્તાઓના માઇક્રોફોનને એક્સેસ કરવાનો આરોપ છે. અહેવાલો અનુસાર, એપ્લિકેશન પૃષ્ઠભૂમિમાં માઇક્રોફોનને ઍક્સેસ કરવાનું ચાલુ રાખે છે, જે વપરાશકર્તાની ગોપનીયતા વિશે ચિંતાઓ ઉભી કરે છે. ટ્વિટરના માલિક ઈલોન મસ્કે પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. જ્યારે કંપનીએ આ દાવાને નકારી કાઢ્યો છે. હવે સરકારે ગોપનીયતાની ફરિયાદોને ધ્યાનમાં રાખીને તપાસના આદેશ આપ્યા છે.

WhatsApp Alleged to be Using Microphone While User Sleeps, Company  Clarifies - Gizbot News

વોટ્સએપ પર શું છે આરોપ?

ઘણા યુઝર્સ દ્વારા WhatsApp પર આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે પ્લેટફોર્મ તેમના માઇક્રોફોનને એક્સેસ કરી રહ્યું છે ત્યારે પણ તેઓ એપનો ઉપયોગ નથી કરી રહ્યા. આ સમસ્યા ઘણા વપરાશકર્તાઓ દ્વારા જોવામાં આવી છે. જ્યારે સ્માર્ટફોન માઇક્રોફોન અને કેમેરા જેવા ગોપનીયતા સૂચકાંકોને ઍક્સેસ કરે છે ત્યારે લીલી સૂચના દેખાય છે, જે વપરાશકર્તા ચેતવણી તરીકે કાર્ય કરે છે. આ રીતે યુઝર્સને વોટ્સએપના માઇક્રોફોન એક્સેસ વિશે ખબર પડી. યુઝર્સે જોયું કે એપ તેમના ફોન પર માઇક્રોફોનનો ઉપયોગ કરી રહી છે ત્યારે પણ તેઓ WhatsApp એપનો ઉપયોગ કરી રહ્યા ન હતા.

WhatsApp Will Soon Let You Edit Messages

એલોન મસ્કે ચિંતા વ્યક્ત કરી હતી

મસ્કે ટ્વિટર પર ટ્વિટર એન્જિનિયરની પોસ્ટ શેર કરીને WhatsAppના માઇક્રોફોન એક્સેસ અંગે ચિંતા વ્યક્ત કરી છે. ખરેખર, ફોડ ડાબીરી, ટ્વિટર એન્જિનિયરે દાવો કર્યો હતો કે જ્યારે તેઓ ઊંઘતા હતા ત્યારે તેમની WhatsApp એપ્લિકેશન સતત માઇક્રોફોનનો ઉપયોગ કરતી હતી. દાબીરીએ તેનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર પણ શેર કર્યો છે. ડાબીરીનું ટ્વીટ વાયરલ થયું છે અને તેને અત્યાર સુધીમાં 65 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યું છે.

સરકાર તપાસ કરશે

ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે WhatsAppની ગોપનીયતાની ચિંતાઓ અંગે તપાસ કરવા જણાવ્યું છે. દાબીરીના ટ્વીટનો જવાબ આપતા ચંદ્રશેખરે કહ્યું કે આ એક અસ્વીકાર્ય ઉલ્લંઘન અને ગોપનીયતાનું આક્રમણ છે. તેમણે કહ્યું કે સરકાર એવા દાવાઓની તપાસ કરશે કે જ્યારે ફોન ઉપયોગમાં ન હતો ત્યારે WhatsApp સ્માર્ટફોન વપરાશકર્તાઓના માઇક્રોફોનને એક્સેસ કરે છે. તમને જણાવી દઈએ કે WhatsApp સમગ્ર વિશ્વમાં લોકપ્રિય છે અને તેના 2.24 અબજ માસિક યુઝર્સ છે.

વોટ્સએપે આ દાવાને નકારી કાઢ્યો હતો

ટ્વિટર એન્જિનિયરની પોસ્ટ વાયરલ થયા બાદ વોટ્સએપે પ્રતિક્રિયા આપી છે. વોટ્સએપે જવાબ આપ્યો કે તે છેલ્લા 24 કલાકથી ટ્વિટર એન્જિનિયરના સંપર્કમાં છે, જેણે તેના પિક્સેલ ફોન અને વોટ્સએપ સાથે સમસ્યા પોસ્ટ કરી છે. વોટ્સએપે તેના ટ્વીટમાં કહ્યું કે અમારું માનવું છે કે આ એક એન્ડ્રોઇડ બગ છે જે તેમના પ્રાઇવસી ડેશબોર્ડમાં માહિતીને ખોટી રીતે રજૂ કરે છે અને અમે ગૂગલને તેની તપાસ કરવા અને તેને ઠીક કરવા કહ્યું છે.

શેરબજાર તેજી સાથે બંધ, નિફ્ટી 18,300 પાર

સ્થાનિક શેરબજાર આખરે દિવસભરના ઉછાળા બાદ બુધવારે લીલા નિશાન પર બંધ થયું હતું. સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે સેન્સેક્સ 179 પોઈન્ટ ચઢ્યો હતો, જ્યારે નિફ્ટી 18,300ને પાર કરી ગયો હતો. આ દરમિયાન સેન્સેક્સ 178.87 (0.29%) પોઈન્ટના વધારા સાથે 61,940.20 પોઈન્ટના સ્તરે બંધ રહ્યો હતો. બીજી તરફ નિફ્ટી 49.15 (0.27%) પોઈન્ટના વધારા સાથે 18,315.10 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. ઓટો અને રિયલ્ટી સેક્ટરે બજારની વૃદ્ધિમાં સૌથી વધુ ફાળો આપ્યો હતો. નિફ્ટીમાં ઇન્ડસઇન્ડ બેન્ક 2.8%ના વધારા સાથે ટોપ ગેઇનર હતી. તે જ સમયે, યુપીએલના શેર 2% ની નબળાઈ સાથે ટોપ લૂઝર હતા.

 આજના ટ્રેડિંગ સેશનમાં ઓટો, બેન્કિંગ, એફએમસીજી, ઓઈલ એન્ડ ગેસ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઈન્ફ્રા, એનર્જી, મીડિયા જેવા સેક્ટરના શેર્સ વધીને બંધ થયા હતા. જ્યારે ફાર્મા, હેલ્થકેર અને મેટલ્સ સેક્ટર ઘટાડા સાથે બંધ થયા છે. આજના ટ્રેડિંગ સેશનમાં મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ પણ તેજી સાથે બંધ થયા છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 21 વધ્યા અને 9 નુકસાન સાથે બંધ થયા. જ્યારે નિફ્ટીના 50 શેરોમાંથી 36 શેરો તેજી સાથે અને 14 ઘટાડા સાથે બંધ થયા હતા.

તેજીવાળા શેરો

આજના ટ્રેડિંગ સેશનમાં ઇન્ડસઇન્ડ બેન્ક 2.84 ટકા, પાવર ગ્રીડ 1.58 ટકા, બજાજ ફાઇનાન્સ 1.24 ટકા, ટાટા મોટર્સ 1.17 ટકા, રિલાયન્સ 0.69 ટકા, મારુતુ સુઝુકી 0.59 ટકા, એનટી 4પીસી 0.4 ટકાના વધારા સાથે બંધ થયા હતા. જ્યારે ઈન્ફોસિસ 0.59 ટકા, સન ફાર્મા 0.41 ટકા, SBI 0.34 ટકા, લાર્સન 0.30 ટકા, ટાટા સ્ટીલ 0.27 ટકા, ટેક મહિન્દ્રા 0.19 ટકા ઘટીને બંધ રહ્યા હતા.

બાપુનગરમાં વિકાસ એસ્ટેટમાં ફટાકડાની ફેક્ટરીમાં આગ, સાત ઘાયલ

અમદાવાદઃ બાપુનગર વિસ્તારમાં આવેલી વિકાસ એસ્ટેટમાં આગ લાગી છે. આ આગ લાગતાં સ્થાનિકોમાં અફડાતફડીનો માહોલ જોવા મળ્યો હતો.  આ આગે એકસાથે 25-30 દુકાનોને પણ લપેટમાં લાગી ગઈ હતી.   આ આગને પગલે ફાયરબ્રિગેડની 19 ગાડીઓ આગ ઘટનાસ્થળે પહોંચી છે. આ આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને કાબૂમાં લીધી હતી. આ આગમાં સાત લોકો ઘાયલ થયા હતા, જેમનો હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

અનિલ સ્ટાર્ચ મિલ પાસે આવેલી ફટાકડાની ફેક્ટરીમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી અને જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું.આ આગમાં ફટાકડા ચપેટમાં આવતાં ફૂટતાં સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો હતો.  

આ આગ બપોરે લાગી હતી, જે પછી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને બેથી ત્રણ કિલોમીટર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આ આગ લાગવાને કારણે સોસાયટીઓમાં લોકોનો ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ ઉપરાંત આસપાસની સોસાયટીઓ ખાલી કરાવવામાં આવી હતી. જોકે આ આગને ફાયરબ્રિગ્રેડે કાબૂમાં લીધી હતી.

 

 

 

મુસાફરી દરમ્યાન મળેલા આર્થિક બોધપાઠઃ નાની બચતના મોટા પરિણામ

ફોરમ શાહ

મને રેલ્વે પ્રવાસ કરવો ગમે છે. બાળપણમાં કે આજે પણ જ્યારે પણ અમારે શહેરની બહાર જવાનું થાય તો રેલ્વે એ મારી પહેલી પસંદ હોય છે. પોતે વેચતા સામાન તરફ ધ્યાન દોરવા માટે વચ્ચે-વચ્ચે બૂમો પાડતા ફેરિયાઓ, સહયાત્રીઓની વાતો આ બધું બહુ રસપ્રદ હોય છે. અને તમે જો તહેવારો દરમ્યાન તમારા વતન ભણી જતા હો ત્યારે તો એક નાનો સવાલ પણ અજાણ્યાઓ સાથે વાતચીતનો દોર શરૂ કરવા માટે પૂરતો હોય છે.

આવી મુસાફરીઓ આપણને ઘણું બધું શીખવે છે – જેમ કે બીજાને અનૂકુળ થવું, જીવનની નાની નાની વસ્તુઓની મજા માણવી, વગેરે અને ઘણી વાર તો જીવનના મોટા બોધપાઠ પણ શીખવા મળી શકે છે.

મારી દેવલાલીની મુસાફરી દરમ્યાન મને આવો જ એક બોધપાઠ શીખવા મળ્યો. મુંબઈથી ત્રણ કલાકની મુસાફરી દરમ્યાન મને જીવન અને આર્થિક બાબત વિષે બહુ મોટો બોધપાઠ મળ્યો. મુસાફરી દરમ્યાન અમે એક પ્રૌઢ વ્યક્તિને મળ્યા. તેઓ તેમના વતન ભણી જઈ રહ્યાં હતાં. સામાન્ય રીતે વૃધ્ધ વ્યક્તિઓને લોકો સાથે વાતો કરવાનું ગમતું હોય છે. તેમને વાતચીતમાં મજા આવે છે.

થોડીક વાતો પછી અમે એમને એમના પરિવાર વિષે પૂછ્યું. અને એ સમજી ગયા કે અમે વાતો કરવા માટે તૈયાર છીએ એટલે એમણે પોતાની વાત શરૂ કરી. એ મધ્યપ્રદેશના ભોપાલ પાસેના એક નાના ગામના હતાં. ત્યાં એ એમનાં પિતાને ખેતરમાં મદદ કરતા હતાં પણ એમનું સ્વપ્ન કઈંક વિશેષ  મેળવવાનું હતું. એ લક્ષ્ય સાથે એ મુંબઈ આવ્યા. એમણે ટેક્સી ડ્રાઈવર તરીકેનું કામ શરૂ કર્યું. શરૂઆતમાં તો એ ફક્ત બે છેડા ભેગા થાય એટલું જ કમાઈ શકતા હતા. પરંતુ સમય સાથે એમણે નિયમિત રીતે નાની બચત કરવાનું શરૂ કર્યું. એમનાં પર એમનાં માતા-પિતાની તબિયત માટેની અને નાના ભાઈના શિક્ષણ માટેની જવાબદારીઓ હતી. માતા-પિતા દરરોજની જરૂરીયાતો એમની ખેતીની આવકમાંથી પૂરી કરતા હતાં. સમય વિતવાની સાથે એમનો પોતાનો પરિવાર પણ વધ્યો. સાથે જ પાયાની જરૂરીયાતો પણ વધી. તેમ છતાં એમણે એમની આવકમાંથી નિયમિત રીતે બચત કરવાની આદત છોડી નહીં.

બીજા લઈ ગયા, અમે રહી ગયા

એમને મારા ચહેરા પર આશ્ચર્ય દેખાયું. મેં એમને પૂછ્યું કે પરિવારની જરૂરીયાતો વધી ગઈ તેમ છતાં નિયમિત બચત કેવી રીતે શક્ય બની? એમણે ત્વરિત જવાબ આપ્યો કે અમે પાયાની જરૂરીયાતો અને બચતમાં માનીએ છીએ. અમે ઝડપી રીતે પૈસા બનાવવામાં માનતા નથી અને એટલે અમને સમજ પડતી હતી એવા જ સાધનોમાં રોકાણ કર્યું હતું. આજકાલ જોવામાં આવે છે કે યંગસ્ટર્સ વધુ અને ઝડપી પૈસા કમાવા માટે વિવિધ રીતો અપનાવતા હોય છે. આમાં કંઈ ખોટું નથી પરંતુ આ નિર્ણય સમજીને લીધેલો હોવો જોઈએ. FOMO (Fear Of Missing Out) એટલે કે ‘બધા લઈ ગયા અને અમે રહી ગયા’ એવી લાગણીથી રોકાણ ન કરવું જોઈએ. એમણે આગળ જણાવ્યું કે એમની પત્નીએ પણ આવકનો અમુક હિસ્સો અચૂક રીતે બચાવવાની કાળજી રાખી. એણે ઘરખર્ચને બહુ સારી રીતે સંભાળ્યો.

મને એમનાં ચહેરા પર આનદ અને સંતોષની લહેર દેખાઈ. એક ટેક્સી ડ્રાઈવર તરીકે શરૂઆત કરીને આજે એમની પાસે ટેક્સીઓનો કાફલો છે. એમને જે જોઈતું હતું એ એમણે મેળવ્યું હતું. એમનાં આ વર્ણન પરથી મને કેટલાંક અમૂલ્ય આર્થિક બાબતનાં બોધપાઠ મળ્યા.

૧. બચતની શરૂઆત બને એટલી વહેલી કરો. આવક વધવાની રાહ ન જુઓ. વધુ બચત કરવાથી કોઈ શ્રીમંત નથી બનતું, પરંતુ શિસ્તબદ્ધ રીતે બચત કરવાથી શ્રીમંત બનાય છે.

૨. તમને સમજ પડે એવા સાધનમાં જ રોકાણ કરો અને મૂળને વળગી રહો. FOMO ની લાગણી આર્થિક સુખાકારી માટે ઘાતક નીવડી શકે છે. તમારા મિત્ર, સહકર્મચારી, કે પછી પડોશીએ કોઈ એક સાધનમાં રોકાણ કર્યું એટલે તમારે પણ સમજ્યા વગર એવું ન કરવું.

૩. ખર્ચાઓ વધે ત્યારે પણ બચત કરવાનું ચાલુ રાખો. આની અસર ઘણી મોટી છે. આપણાં ખર્ચાઓને પહોંચી વળવા માટે આપણે બચતને ટાળીએ છીએ. બચતની આદત એની રકમ કરતા વધુ મહત્વની છે. રકમ ઓછી થાય તો કરકસર કરીને પણ બચત કરવાનું રોકો નહીં.

૪. ખર્ચનો હિસાબ રાખો. બધા જ ખર્ચને નોંધો. બજેટ બનાવો અને આયોજન કરો. આ આદત ખર્ચ ઉપર કાપ મૂકવામાં અને બચત કરવામાં સહાયરૂપ નીવડશે.

(ફોરમ શાહ)

(લેખિકા ફાઈનાન્સિયલ પ્લાનર છે)