Nutshell in 99
Nutshell in 99
US: ‘સરકાર વિરુદ્ધ બોલવા પર અસ્તિત્વ ખતમ’, રાહુલ ગાંધીનું દર્દ છલકાયું
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લોકસભાની સદસ્યતામાંથી ગેરલાયક ઠરવા અંગે પ્રથમ વખત વિદેશમાં નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે મને નથી લાગતું કે જ્યારે મેં 2004માં રાજનીતિની શરૂઆત કરી ત્યારે મેં આપણા દેશમાં શું ચાલી રહ્યું છે તે વિશે પણ વિચાર્યું હતું. તે મારી કલ્પના બહાર હતું. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં એક કાર્યક્રમને સંબોધતા કોંગ્રેસના નેતાએ કહ્યું કે, મેં ક્યારેય વિચાર્યું નહોતું કે માનહાનિના કેસમાં સૌથી મોટી સજા મેળવનાર અને લોકસભાની સદસ્યતા ગુમાવનાર હું પહેલો વ્યક્તિ બનીશ. રાહુલે વધુમાં કહ્યું કે, પરંતુ રાજકીય રીતે મને મોટી તક મળી છે. કદાચ મને સંસદમાં બેસીને જે તક મળી હશે તેના કરતાં કંઈક મોટી હશે. રાજનીતિ પણ એવી જ રીતે કામ કરે છે.
It was a pleasure to engage with the learned audience at @Stanford on ‘The New Global Equilibrium’.
We discussed the challenges and opportunities of a changing world order. Actions based on truth is the way forward. pic.twitter.com/6tEoCV6OsM
— Rahul Gandhi (@RahulGandhi) June 1, 2023
માર્ચમાં, સુરત ટ્રાયલ કોર્ટના આદેશના પાલનમાં રાહુલ ગાંધીને વાયનાડ લોકસભા સીટ પરથી સાંસદ તરીકે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. કોર્ટે તેને ફોજદારી માનહાનિના કેસમાં દોષિત ઠેરવ્યો અને તેને બે વર્ષની જેલની સજા ફટકારી. આ કેસમાં તેને જામીન મળી ગયા છે. સંસદ સભ્યપદ ગુમાવવાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે તેમણે કલ્પના પણ નહોતી કરી કે આવું કંઈક શક્ય છે. પરંતુ મને લાગે છે કે સાંસદ તરીકેની બરતરફીએ સંસદમાં બેસવા કરતાં ‘મોટી તક’ આપી હતી, એમ તેમણે ઉમેર્યું હતું. રાહુલે સ્ટેનફોર્ડમાં કહ્યું કે ભારતમાં વિપક્ષ સંઘર્ષ કરી રહ્યો છે. એવું નથી કે વિપક્ષો હવે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, પરંતુ આ બધું લગભગ છ મહિના પહેલા શરૂ થયું હતું.
कुछ लोग मानते हैं उन्हें ‘सब’ पता है।
मगर, देश को आगे बढ़ाने के लिए सुनना, समझना और सीखना ज़रूरी है – यही भारतीय सभ्यता है। pic.twitter.com/q3LCnsEfr3
— Rahul Gandhi (@RahulGandhi) May 31, 2023
રાહુલે કહ્યું કે અમે સંઘર્ષ કરી રહ્યા હતા. ભારતમાં વિપક્ષ સંઘર્ષ કરી રહ્યો છે. કોઈ એજન્સી કામ કરતી નથી. તેમણે કહ્યું કે એવું નથી કે માત્ર એક જ પાર્ટીને નિશાન બનાવવામાં આવી રહી છે. બલ્કે તમામ વિરોધ પક્ષો સરમુખત્યારશાહીથી પરેશાન છે. જ્યારે પણ કોઈ સરકાર વિરુદ્ધ બોલે છે, ત્યારે તે સંસ્થાઓ પર કબજો લેવામાં આવે છે અથવા તેનું અસ્તિત્વ બંધ થઈ જાય છે.
‘હું કોઈને મદદ માટે નથી પૂછતો’
રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું કે શું તેઓ સ્થાનિક પડકારોનો સામનો કરવા માટે વિદેશી મદદ માંગી રહ્યા છે. તેણે ના પાડી અને કહ્યું, ‘હું કોઈનો ટેકો નથી માંગતો. હું જાણું છું કે અમારી લડાઈ અમારી લડાઈ છે. પણ હા, અહીં ભારતના યુવા વિદ્યાર્થીઓ છે અને હું તેમની સાથે વાતચીત કરવા માંગુ છું અને તે મારો અધિકાર છે. તેમણે કહ્યું કે પીએમ મોદીએ પણ લોકો સાથે વાત કરવી જોઈએ અને “કેટલાક અઘરા સવાલોના જવાબ” આપવા જોઈએ.
ભિવંડીમાં ઓટોરિક્ષા નાળામાં પડતાં 3 મહિલાનું મરણ, અન્ય ચારને ઈજા
મુંબઈઃ પડોશના થાણે જિલ્લાના ભિવંડી શહેરમાં આજે બનેલા એક ગમખ્વાર અકસ્માતમાં એક ઓટોરિક્ષા એક નાળામાં પડી જતાં એમાં બેઠેલી ત્રણ મહિલાનું મૃત્યુ થયું છે તથા અન્ય ચાર જણ ઘાયલ થયા છે. મૃતકો ઓટોરિક્ષા ડ્રાઈવરનાં સગાંસંબંધી હતાં.
આ દુર્ઘટના બુધવાર-ગુરુવારની મધરાતે મુંબઈ-નાશિક હાઈવે પર થઈ હતી. અકસ્માતમાં રિક્ષા ડ્રાઈવરની પત્ની, પુત્રી અને સાળીનું મૃત્યુ થયું છે. તેઓ મુંબઈથી ભિવંડી પાછા ફરતા હતા ત્યારે અકસ્માત થયો હતો. રાહદારીઓએ બચાવ પ્રયત્નોમાં મદદ કરી હતી. ઈજાગ્રસ્ત લોકો પણ ડ્રાઈવરના સગાંસંબંધી છે.
આઇસી15 ઇન્ડેક્સ વધુ 136 પોઇન્ટ ઘટ્યો
મુંબઈઃ અમેરિકામાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરે એવી શક્યતા દેખાતાં ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ઘસારો વધ્યો છે. માર્કેટનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ ગુરુવારે 136 પોઇન્ટ ઘટ્યો હતો. એના મુખ્ય ઘટેલા કોઇન કાર્ડાનો, પોલકાડોટ, ટ્રોન અને ચેઇનલિંક હતા. લાઇટકોઇન, પોલીગોન, અવાલાંશ અને ડોઝકોઇનમાં વધારો નોંધાયો હતો.
દરમિયાન, યુરોપિયન યુનિયનના નાણાપ્રધાનોએ આપેલી મંજૂરીને પગલે માર્કેટ્સ ઇન ક્રીપ્ટો એસેટ્સ રેગ્યુલેશન નામનો કાયદો ઘડાયો છે. યુનાઇટેડ આરબ અમીરાત્સની કેન્દ્રીય બેન્કે એન્ટિ મની લોન્ડરિંગ અને આતંકવાદવિરોધી માર્ગદર્શિકા બહાર પાડી છે, જેનું વર્ચ્યુઅલ એસેટ્સમાં કામ કરનારી તમામ પરવાનાધારક નાણાકીય સંસ્થાઓએ પાલન કરવાનું રહેશે. આ સંસ્થાઓએ તમામ ક્લાયન્ટ્સની ઓળખની ચકાસણી કરવાની રહેશે.
અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 ગુરુવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.36 ટકા (136 પોઇન્ટ) ઘટીને 37,460 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 37,596 ખૂલીને 37,824ની ઉપલી અને 37,219 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.
વડાપ્રધાન મોદી સરકારના 9 વર્ષોમાં ગુજરાતમાં થયેલા વિકાસકાર્યો
26 મેના રોજ કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્ત્વના 9 વર્ષ પૂર્ણ થયા. આ નવ વર્ષોમાં મોદીએ દરેક ક્ષેત્રમાં ભારતને અગ્રેસર બનાવવા માટે અથાગ પ્રયત્નો કર્યા છે અને વૈશ્વિક સ્તરે ભારતને આગવી ઓળખ અપાવી છે. આ નવ વર્ષો દરમિયાન તેમણે દેશને અનેક ભેટ આપી છે, અને પોતાના હોમ સ્ટેટ ગુજરાતના વિકાસને પણ તેમણે પ્રાથમિકતા આપી છે.
મોદી 13 વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા હતા, અને પોતાના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન તેમણે ગુજરાતને દેશના વિકાસ મોડેલ તરીકે પ્રસ્થાપિત કર્યું હતું. પરંતુ, કેટલાંક વિષયો ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમના કાર્યક્ષેત્રની બહાર હતા, જેના માટે તેમને કેન્દ્ર સરકારના સહકારની જરૂર હતી. વર્ષ 2014માં દેશના વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યા પછી, તેમણે પ્રાથમિકતાના ધોરણે આવા મુદ્દાઓ પર ધ્યાન આપ્યું, અને ગુજરાતની વિકાસયાત્રાની ગતિને અવરોધતા પરિબળોને દૂર કર્યા. ગુજરાતના હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડાપ્રધાન મોદીએ દર્શાવેલા પથને અનુસરીને રાજ્યના વિકાસની ગતિને આગળ વધારી રહ્યા છે.
આ નવ વર્ષોમાં ગુજરાતના હિત માટે કેન્દ્ર સરકારે રાજ્યને આપેલી કેટલીક મોટી ભેટ વિશે માહિતી મેળવીએ.
સરદાર સરોવર ડેમ પર દરવાજા લગાવવાની મંજૂરી
વર્ષ 2014માં વડાપ્રધાન પદના શપથ લીધાના ફક્ત 17 જ દિવસમાં નરેન્દ્ર મોદીએ સરદાર સરોવર ડેમ પર દરવાજા લગાવવાની મંજૂરી આપી દીધી હતી. વર્ષ 2016માં તમામ 30 દરવાજાઓના નિર્માણની કામગીરી પૂર્ણ કરવામાં આવી. 15 સપ્ટેમ્બર, 2019ના રોજ સરદાર સરોવર ડેમ તેની સંપૂર્ણ જળસપાટી એટલે કે 138.68 મીટર સુધી પાણીથી છલકાયો હતો અને ગુજરાતની પ્રજાનું વર્ષો જૂનું સપનું આખરે સાકાર થયું હતું.
વર્ષોથી લેવાની બાકી નીકળતી ક્રૂડ રોયલ્ટી ગુજરાતને મળી
વડાપ્રધાન બન્યા પછી, મોદીએ માર્ચ 2015 માં ક્રૂડ ઓઇલની રોયલ્ટી સાથે સંબંધિત અન્ય એક મોટા મુદ્દાને ઉકેલવા માટે નિર્ણય કર્યો. તેઓએ ગુજરાતને ક્રૂડ ઓઈલની રોયલ્ટી તરીકે લગભગ રૂ.800 કરોડ આપવાનું નક્કી કર્યું.
બુલેટ ટ્રેન
14 સપ્ટેમ્બર, 2017ના રોજ મોદીએ જાપાનના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. શિંજો આબેની ઉપસ્થિતિમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો શિલાન્યાસ કરીને ગુજરાતની જનતાને એક મોટી ભેટ આપી હતી. ગુજરાતનું અમદાવાદ અને મહારાષ્ટ્રનું મુંબઈ, આ બંને એવા પ્રથમ શહેરો બનશે જે ઝડપી ગતિએ દોડતી બુલેટ ટ્રેનના પ્રત્યક્ષ સાક્ષી બનશે.
સેક્ટર સ્પેસિફિક એજ્યુકેશન હેઠળ ગુજરાતના વડોદરામાં રેલવે યુનિવર્સિટીની સ્થાપના
ગુજરાત પહેલેથી જ સેક્ટર સ્પેસિફિક એજ્યુકેશનનું કેન્દ્ર રહ્યું છે. વડાપ્રધાન મોદીએ સપ્ટેમ્બર 2018માં ગુજરાતના વડોદરા શહેરને દેશની પ્રથમ રેલવે અને પરિવહન યુનિવર્સિટી (નેશનલ રેલ એન્ડ ટ્રાન્સપોર્ટેશન ઇન્સ્ટિટ્યૂટ)ની ભેટ આપી હતી.
રાજકોટ ગ્રીનફિલ્ડ એરપોર્ટ
આધુનિક સુવિધાયુક્ત એક નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટની ભેટ પણ મોદીએ ગુજરાતના રાજકોટ શહેરને આપી છે. રાજકોટમાં આ નવું એરપોર્ટ અમદાવાદ-રાજકોટ હાઇવે પર રૂ.2500 કરોડના અંદાજિત ખર્ચે બનાવવામાં આવી રહ્યું છે.
ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (GFSU) અને રક્ષાશક્તિ યુનિવર્સિટી (RSU) ને રાષ્ટ્રીય દરજ્જો
મોદી સરકારે સપ્ટેમ્બર 2020માં ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (GFSU) અને રક્ષાશક્તિ યુનિવર્સિટી (RSU) ને રાષ્ટ્રીય મહત્વ આપીને બંનેને કેન્દ્રીય યુનિવર્સિટીનો દરજ્જો આપ્યો છે.
AIIMS, રાજકોટ
ગુજરાતના નાગરિકોને પોસાય તેવા દરે ઉત્તમ સ્વાસ્થ્ય સુવિધાઓ મળી રહે તે માટે વડાપ્રધાન મોદીએ 31 ડિસેમ્બર, 2020ના રોજ ગુજરાતના રાજકોટ શહેરમાં AIIMS જેવી અદ્યતન મેડિકલ કોલેજ અને હોસ્પિટલનો શિલાન્યાસ કર્યો હતો.
કચ્છ ખાતે વિશ્વના સૌથી મોટા હાયબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્કની ભેટ
ગુજરાતમાં કચ્છના ખાવડા ખાતે વિશ્વના સૌથી મોટા હાયબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્કની વડાપ્રધાન મોદીએ ભેટ આપી છે. આ પાર્કનો વર્ષ 2024 સુધીમાં 30,000 મેગાવોટ (પવન ઊર્જા + સૌર ઊર્જા) ઊર્જાનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક છે.
લાઇટ હાઉસ પ્રોજેક્ટ (LHP) – રાજકોટ
લાઇટહાઉસ પ્રોજેક્ટ એ કેન્દ્રીય શહેરી બાબતોના મંત્રાલયની મહત્વાકાંક્ષી યોજના છે. ગુજરાતમાં રાજકોટ શહેરને આ પ્રોજેક્ટ માટે પસંદ કરવામાં આવ્યું છે, જે હેઠળ રાજકોટમાં 1144 આવાસો બનાવવામાં આવ્યા છે.
સ્ટેચ્યુ ઑફ યુનિટી (SoU) સુધી રેલવે કનેક્ટિવિટી
ગુજરાતના કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઑફ યુનિટ આજે વૈશ્વિક પ્રવાસન નકશામાં ઉભર્યું છે. વિશ્વભરમાંથી પ્રવાસીઓ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની આ સૌથી ઊંચી પ્રતિમાને જોવા માટે આવે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચવુ પ્રવાસીઓ માટે સરળ બને તે માટે વડાપ્રધાન મોદીએ જાન્યુઆરી 2021ના રોજ કેવડિયા રેલવે સ્ટેશનનું ઉદઘાટન કર્યું હતું.
ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન, જામનગર
મે, 2022માં વડાપ્રધાન મોદીના હસ્તે ગુજરાતના જામનગરમાં વિશ્વના પ્રથમ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (GCTM)નો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથ અને WHOના ડાયરેક્ટર જનરલ ડૉ. ટેડ્રોસ ઘેબ્રેયસસ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન
સપ્ટેમ્બર, 2022માં વડાપ્રધાન મોદીએ ગુજરાતને ‘વંદે ભારત એક્સપ્રેસ’ ટ્રેનની ભેટ આપી હતી. ભારતની સ્વદેશી સેમી હાઈ સ્પીડ ટ્રેન હવે ગુજરાતના પાટા પર દોડી રહી છે.
GIFT સીટીમાં ભારતના પ્રથમ આંતરરાષ્ટ્રીય ફાયનાન્સિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટી (IFSCA)ના હેડક્વાર્ટરનો શિલાન્યાસ
ગાંધીનગર સ્થિત ફાઇનાન્શિયલ ટેક સિટી GIFT સિટી ખાતે ઓગસ્ટ, 2022માં મોદીએ આંતરરરાષ્ટ્રીય ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટી (IFSCA)ના હેડક્વાર્ટરનો શિલાન્યાસ કર્યો હતો.
GIFT સિટી ખાતે ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX)
મોદી જુલાઈ, 2022માં ગાંધીનગર GIFT સિટી ખાતે દેશના પ્રથમ ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX) તેમજ NSC IFSC-SGX કનેક્ટને લોન્ચ કરવામાં આવ્યા હતા. ભારતને સોનાના વૈશ્વિક ટ્રેડીંગ બજારમાં એક પ્રભાવી દેશ તરીકે પ્રસ્થાપિત કરવાની દિશામાં આ IIBX એક મહત્વપૂર્ણ નિર્ણય છે.
અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનો પ્રારંભ
મોદીએ ગુજરાતમાં અમદાવાદ મેટ્રો અને સુરત મેટ્રો પ્રોજેક્ટની ભેટ આપી છે. આ પ્રોજેક્ટ હેઠળ અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો ગત વર્ષે પૂર્ણ થયો હતો. સપ્ટેમ્બર 2022માં એમણે થલતેજથી વસ્ત્રાલ રૂટ પર મેટ્રો રેલવેનો પ્રારંભ કરાવ્યો હતો.
તારંગા હિલ-અંબાજી આબુ રોડ રેલવે લાઇન પ્રોજેક્ટને મંજૂરી
જૂલાઇ 2022માં મોદીના કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા તારંગા હિલથી અંબાજી આબુ રોડના 116.65 કિમી લાંબા રેલવે લાઇન પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી હતી.
રાજ્યના પાંચ જિલ્લાઓને મેડિકલ કોલેજની ભેટ
મોદીના નેતૃત્ત્વવાળી કેન્દ્ર સરકારે ગત વર્ષે ગુજરાતના પાંચ જિલ્લાઓ નવસારી, નર્મદા, પંચમહાલ, મોરબી અને પોરબંદર ખાતે રૂ.2250 કરોડના ખર્ચે નવી સરકારી મેડિકલ કોલેજની ભેટ આપી હતી.
દાહોદમાં ઇલેક્ટ્રિક લોકોમોટિવ મશીન ઉત્પાદન એકમનો શિલાન્યાસ
મોદીએ એપ્રિલ, 2022માં ભારતીય રેલવે દ્વારા દાહોદ વર્કશોપમાં અંદાજે રૂ.20 હજાર કરોડના ખર્ચે નિર્માણ થનાર નવ હજાર હોર્સ પાવરના ઇલેક્ટ્રિક લોકોમોટિવ મશીન ઉત્પાદન એકમનો શિલાન્યાસ કર્યો હતો.
ભરૂચમાં બલ્ક ડ્રગ પાર્કની ભેટ
ઓક્ટોબર 2022માં વડાપ્રધાન મોદીએ ભરૂચ ખાતે રૂ.2500 કરોડથી વધુના ખર્ચે તૈયાર થનારા રાજ્યના પ્રથમ સર્વ સુવિધાયુક્ત બલ્ક ડ્રગપાર્કનું ખાતમુહુર્ત કર્યું હતું. આ બલ્ક ડ્રગ પાર્ક ઉપરાંત, 4 ટ્રાઇબલ પાર્ક, 1 એગ્રો પાર્ક, 1 સી-ફૂડ પાર્ક, 1 MSME પાર્ક અને 2 બહુ-સ્તરીય ઔદ્યોગિક શેડનું ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું હતું.
ભારતમાલા પરિયોજના
ભારત સરકારની ‘ભારતમાલા પરિયોજના’ હેઠળ ગુજરાતમાં 1000 કિમીથી વધુના રોડ-રસ્તાઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
ગુજરાતમાં નેશનલ ગેમ્સનું આયોજન
ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં મોદીએ અમદાવાદસ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 36મી નેશનલ ગેમ્સનું ઉદઘાટન કર્યું હતું. ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર રમત-ગમત ક્ષેત્રે આટલા મોટા પાયે કોઈ આયોજન કરવામાં આવ્યું હતું.
ભારતની જી20 અધ્યક્ષતા હેઠળ ગુજરાતમાં 18 બેઠકોનું આયોજન
વડાપ્રધાન મોદીના નેતૃત્ત્વ હેઠળ ભારતને 1 ડિસેમ્બર, 2022થી 30 નવેમ્બર, 2023 સુધી 1 વર્ષ માટે જી20ના સભ્ય દેશોની અધ્યક્ષતા પ્રાપ્ત થઈ છે. જી20 અંતર્ગત ભારતમાં કુલ 200 મીટિંગો આયોજિત થવાની છે, જે પૈકી 18 બેઠકોનું આયોજન ગુજરાતમાં કરવામાં આવ્યું છે. જી20 બેઠકોના માધ્યમથી ગુજરાતની સંસ્કૃતિ અને તેના ઇતિહાસને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરવાની રાજ્ય પાસે આ એક અમૂલ્ય તક છે. ‘વસુધૈવ કુટુંબકમ’ની ભાવનાથી પ્રેરિત આ બેઠકો દરમિયાન વિદેશી મહેમાનો ગુજરાતના સાંસ્કૃતિક વૈભવને માણીને અભિભૂત થઇ રહ્યા છે.
સ્માર્ટ સિટી મિશન
ભારત સરકાર દ્વારા જૂન 2015માં સ્માર્ટ સિટી મિશનની શરૂઆત કરવામાં આવી હતી, જે અંતર્ગત ગુજરાતમાંથી અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર તથા દાહોદ એમ કુલ 6 શહેરોની પસંદગી કરવામાં આવી હતી.
નવસારીમાં PM મિત્ર પાર્ક
કેન્દ્ર સરકારની પીએમ મિત્ર યોજના અન્વયે નવસારીના વાંસી-બોરસીમાં અદ્યતન સુવિધા સાથે ટેક્સટાઇલ પાર્કનું નિર્માણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
સ્મૃતિવન ભૂકંપ સ્મારક, ભુજ
26 જાન્યુઆરી 2001ના આવેલા ગોઝારા ભૂકંપનો ભોગ બનેલા નાગરિકોની યાદમાં કચ્છમાં સ્મૃતિવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ સ્મૃતિવનનું નિર્માણ કરવાનો નિર્ધાર કર્યો હતો અને ગત વર્ષે ભારતના વડાપ્રધાન તરીકે તેમણે સ્મૃતિવનનું લોકાર્પણ કર્યું હતું.
વીર બાળ સ્મારક, અંજાર
26 જાન્યુઆરી, 2001ના રોજ કચ્છમાં આવેલા ભયાનક ભૂકંપમાં અંજાર શહેરના 185 બાળકો અને 20 શિક્ષકો એક રેલીમાં જઇ રહ્યા હતાં ત્યારે આસપાસની ઇમારતોના કાટમાળ નીચે દટાઇ જવાથી મૃત્યુ પામ્યા હતાં. આ બાળકોની સ્મૃતિમાં અંજાર શહેરની બહાર વીર બાળ સ્મારક તૈયાર કરવામાં આવ્યું છે. ગત વર્ષે મોદીએ વીર બાળ સ્મારકનું લોકાર્પણ કર્યું હતું.
સાબર ડેરી ચીઝ પ્લાન્ટ
મોદીએ જુલાઈ 2022માં સાબર ડેરીના 3 નવા ચીઝ પ્લાન્ટનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કર્યું હતું. ગુજરાતના પશુપાલકોની આવક વધારવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું છે. તેનાથી સાબરકાંઠાના પશુપાલકોને વાર્ષિક રૂ. 700 કરોડની આવક થશે.
ભાવનગર ખાતે વિશ્વના પ્રથમ સીએનજી ટર્મિનલ પોર્ટનો શિલાન્યાસ
ઓક્ટોબર, 2022માં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ભાવનગર ખાતે વિશ્વના પ્રથમ સીએનજી ટર્મિનલ પોર્ટનો શિલાન્યાસ કર્યો. આ બંદર ₹4024 કરોડના ખર્ચે વિકસાવવામાં આવશે અને તેમાં વિશ્વના પ્રથમ CNG ટર્મિનલ માટે અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે સાથે વિશ્વની ચોથી સૌથી મોટી લોક ગેટ સિસ્ટમ હશે. સીએનજી ટર્મિનલ ઉપરાંત આ પોર્ટ ભાવનગર જિલ્લાની ભાવિ જરૂરિયાતો અને આગામી પ્રોજેક્ટસ્ જેમ કે વાહન સ્ક્રેપિંગ, કન્ટેનર ઉત્પાદન, અન્ય મેગા પ્રોજેક્ટ્સ અને ખાસ કરીને ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન માટેની જરૂરિયાતોને પણ પૂરી કરશે.
સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અટલ ફૂટઓવર બ્રિજનું નિર્માણ
અમદાવાદના આઇકોનિક સાબરમતી રિવરફ્રન્ટને એક દાયકો પૂર્ણ થવા નિમિત્તે રિવરફ્રન્ટ ખાતે મુલાકાતીઓની સગવડ માટે એલિસબ્રિજ અને સરદાર બ્રિજ વચ્ચે અટલ ફૂટઓવર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. મોદીના હસ્તે ઓગસ્ટ 2022માં આ ફૂટઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.
નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC)
ભારતના સમૃદ્ધ અને વૈવિધ્યસભર દરિયાઈ વારસાને દર્શાવવા માટે રૂ.3500 કરોડના ખર્ચે નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC) બનાવવામાં આવી રહ્યું છે, જેમાં સિંધુ ખીણની સંસ્કૃતિથી વર્તમાન સમય સુધીના સમૃદ્ધ દરિયાઇ વારસાને રજૂ કરવામાં આવશે. આ પ્રોજેક્ટને નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવા માટે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરકાર ઝડપથી કામગીરી કરી રહી છે.
અંબાજી-પાવાગઢ-સોમનાથમાં પ્રવાસન વિકાસકાર્યો
• અંબાજી યાત્રાધામ ખાતે આવતા શ્રદ્ધાળુઓને હવે એક જ સ્થળે એક સાથે તમામ 51 શક્તિપીઠના દર્શનનો લાભ મળતો થયો છે. આ સાથે જ ગબ્બર ખાતે રૂ.13.35 કરોડના ખર્ચે લાઇટ એન્ડ સાઉન્ડ શૉનો પ્રારંભ કરવામાં આવ્યો છે, તેમજ સાંસ્કૃતિક વિલેજનું પણ નિર્માણ કરાયું છે. આ ઉપરાંત, અંબાજી મંદિરની અદ્યતન વેબસાઇટ તેમજ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વિકસાવાયેલી મોબાઇલ એપ પણ લોન્ચ કરવામાં આવી છે.
• પાવાગઢ ખાતે મા કાલિકા માતાના નવનિર્મિત મંદિર પર 500 વર્ષ બાદ સુવર્ણ શિખર ઉપર ધ્વજારોહણ કરવામાં આવ્યું છે. પાવાગઢ ખાતે થયેલા વિકાસકાર્યોમાં, મહાકાળી મંદિરને ભવ્ય સ્વરૂપ આપવામાં આવ્યું છે, પણ ગર્ભગૃહનું મૂળ સ્વરૂપ એવું જ રખાયુ છે. આ સાથે જ પાવાગઢ ધામમાં આવતા શ્રદ્ધાળુઓની સુવિધામાં વધારો થાય તે માટે રાજ્ય સરકારે રૂ.121 કરોડના ખર્ચે મંદિર પરિસરનો વિસ્તાર કર્યો છે. તળેટીના માચી વિસ્તારમાં યાત્રિકોને પાયાની સગવડો આપવા રૂપિયા 37 કરોડના ખર્ચે વિકાસ કામો થઈ રહ્યા છે.
• સૌરાષ્ટ્રને કાંઠે આવેલું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર કરોડો લોકોના આસ્થાનું કેન્દ્ર છે. સોમનાથ ખાતે પ્રવાસીઓને રહેવા માટે સુવિધાયુક્ત સરકીટ હાઉસનું નિર્માણ કરવામાં આવ્યું છે. પ્રસાદ યોજના અંતર્ગત સોમનાથ ધામમાં યાત્રિઓની સુવિધાઓ માટે અનેક વિકાસના કામો થઇ રહ્યા છે.
એશિયાનો સૌથી મોટો ગિરનાર રોપ-વે, જૂનાગઢ
ઓક્ટોબર 2020માં વડાપ્રધાન મોદીએ જૂનાગઢ મા અંબાના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓની સુવિધા માટે એશિયાના સૌથી મોટા ગિરનાર રોપ-વેનું લોકાર્પણ કર્યું હતું. આ રોપ-વે ને કારણે ગિરનાર પર્વતના પગથિયાં ચડ્યા વિના મિનિટોમાં જ માતાજીના મંદિર સુધી પહોંચી જવાય છે.
એસ્ટોલ પ્રોજેક્ટ
જૂન, 2022માં વડાપ્રધાનશ્રીએ ગુજરાતના વલસાડ જિલ્લામાં એસ્ટોલ પ્રોજેક્ટ રાજ્યની જનતાને સમર્પિત કર્યો હતો. આ પ્રોજેક્ટ વલસાડ જિલ્લાના પહાડી વિસ્તારોના અંતરિયાળ આદિવાસી વિસ્તારોના 174 ગામડાઓ અને 1028 ફળિયાઓમાં રહેનારા 4.50 લાખ લોકોને પાણી પહોંચાડી રહ્યો છે. એન્જિનિયરિંગની દ્રષ્ટિએ એસ્ટોલ પ્રોજેક્ટ એક ચમત્કાર છે, જેમાં મધુબન બંધ મારફતે દરરોજ 7.5 કરોડ લીટર પાણીને લગભગ 200 માળ (1837 ફીટ)ની ઉંચાઈ સુધી ઉપર પહોંચાડીને પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
વિદ્યા સમીક્ષા કેન્દ્ર
રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાની પળે પળની રીયલ ટાઇમ જાણકારી મેળવવાના અભિનવ પ્રયોગ સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગત વર્ષે ગુજરાતમાં વિદ્યા સમીક્ષા કેન્દ્રનો પ્રારંભ કરાવ્યો હતો. વિદ્યા સમીક્ષા કેન્દ્રનું આધુનિક સ્વરૂપ દેશના અન્ય રાજ્યો માટે મોડલરૂપ સાબિત થયું છે. આજે દેશના વિવિધ રાજ્યો –પ્રદેશોમાંથી શિક્ષણમંત્રીશ્રીઓ, અધિકારીઓએ આ સમીક્ષા કેન્દ્રની મુલાકાત લઇને સમગ્ર કાર્યપદ્ધતિની સમીક્ષા અને અધ્યયન કરી રહ્યાં છે. વિદ્યા સમીક્ષા કેન્દ્રની પહેલ હેઠળ રાજ્યના 1.25 કરોડ વિદ્યાર્થીઓની સમીક્ષા કરવામાં આવી રહી છે. ઉપરાંત બીગ ડેટા એનાલિસીસ, મશીન લર્નીગ, આર્ટીફિશિયલ ઇન્ટેલીજન્સ તકનીકથી અધ્યયન કરીને વિદ્યાર્થીઓના શ્રેષ્ઠ પ્રદર્શન માટે સુઝાવ આપીને તેના પર અસરકારક અમલવારી કરાવવામાં આવી રહી છે.
સંસદીય સમિતિની બેઠકમાં કુસ્તીબાજોનો ઉઠાવ્યો મુદ્દો, કોંગ્રેસ-ટીએમસી સાંસદોએ સરકાર પર લગાવ્યા આરોપ
વિરોધ: રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના આઉટગોઇંગ પ્રેસિડેન્ટ બ્રિજ ભૂષણ શરણ સિંહની જાતીય સતામણીના કેસમાં ધરપકડ સામે કુસ્તીબાજો સતત વિરોધ કરી રહ્યા છે. આ મામલે ખાપ મહાપંચાયતનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન, શિક્ષણ, રમતગમત અને મહિલા વિકાસ મંત્રાલય સાથે સંબંધિત સંસદની સ્થાયી સમિતિની ગુરુવારે (1 જૂન) મળેલી બેઠકમાં, વિપક્ષના કેટલાક સાંસદોએ સમિતિને આ મામલે હસ્તક્ષેપ કરવાની માંગ કરી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠકમાં હાજર કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) સભ્યોએ સમિતિના અધ્યક્ષ વિવેક ઠાકુરને આ મામલે સરકારના હસ્તક્ષેપ માટે પત્ર લખવા જણાવ્યું હતું. આ સભ્યોએ આક્ષેપ કર્યો હતો કે સરકારે આ મામલે હજુ સુધી સંતોષકારક પગલાં લીધા નથી.

આ સભ્યોએ સરકાર અને ખાસ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર મૌન હોવાનો આરોપ મૂક્યો હતો અને કહ્યું હતું કે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન થઈ રહ્યું હતું તે જ દિવસે કુસ્તીબાજો સાથે પોલીસની કાર્યવાહી અત્યંત દુર્ભાગ્યપૂર્ણ અને નિંદનીય છે. વાસ્તવમાં, હાલમાં જ પરફોર્મિંગ રેસલર સાક્ષી મલિક, બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટ ગંગા નદીમાં મેડલ વહેવડાવવા હરિદ્વાર પહોંચ્યા હતા, પરંતુ છેલ્લી ઘડીએ ખેલાડીઓએ પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો હતો.
નોંધનીય છે કે આ બેઠક 2024 ઓલિમ્પિક ગેમ્સ માટે ભારતની તૈયારીઓની સમીક્ષા કરવા માટે બોલાવવામાં આવી હતી. બેઠકમાં, રમત મંત્રાલયના સચિવ સુજાતા ચતુર્વેદી અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ડાયરેક્ટર જનરલે સમિતિ સમક્ષ સરકાર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓ અંગે પ્રેઝન્ટેશન આપ્યું હતું. જોકે અધિકારીઓએ વિપક્ષી સાંસદોના આરોપો પર કંઈ કહ્યું ન હતું.

ઉલ્લેખનીય છે કે બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ બે એફઆઈઆર નોંધવામાં આવી છે, જેમાં એક POCSO એક્ટ હેઠળ યૌન ઉત્પીડનના આરોપમાં સામેલ છે, પરંતુ કુસ્તીબાજ સિંહની ધરપકડની માંગ પર અડગ છે. તો બીજી તરફ બ્રિજ ભૂષણ સિંહનું કહેવું છે કે તપાસ ચાલી રહી છે. જો હું ખોટો હોઉં તો મારી ધરપકડ કરવામાં આવશે.
AMCએ બે મહિનામાં કર રાહત યોજના થકી રૂ. 750ની કમાણી કરી
અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી કર રાહત યોજના થકી કરદાતાઓ પાસેથી નોંધપાત્ર આવક મેળવી છે. એપ્રિલ અને મે મહિનાઓમાં કર વિભાગેને કુલ રૂ. 750 કરોડની આવક પ્રાપ્ત થઈ છે. જોકે આ કરપાત્ર આવકમાં પ્રોપર્ટી, પ્રોફેશનલ અને વેહિકલ ટેક્સ સામેલ છે.
કર વિભાગને પ્રાપ્ત થયેલી આવકમાંથી પ્રોપર્ટી ટેક્સ રૂ. રૂ. 682 કરોડ, પ્રોફેશનલ ટેક્સ વસૂલાત રૂ. 35 કરોડ અને વેહિકલ ટેક્સની વસૂલાત રૂ. 32 કરોડની થઈ હતી.
શહેરમાં મધ્યમ ઝોનમાંથી કરની આવક રૂ. 107 કરોડ થઈ હતી, જ્યારે ઉત્તર ઝોન થકી કોર્પોરેશનને રૂ. 54 કરોડની અને દક્ષિણ ઝોન થકી કરની આવક રૂ. 54 કરોડની થઈ હતી, જ્યારે પૂર્વ ઝોન થકી રૂ. 53 કરોડ અને પશ્ચિમ ઝોનમાંથી રૂ. 185 કરોડની આવક થઈ હતી. કોર્પોરેશનની કરરાહત યોજનાનો લાભ કુલ 4,96,324 લોકોએ લીધો હતો.
રખડતા કૂતરાઓએ ત્રણ વર્ષના બાળકને મારી નાખ્યો
અમરેલીઃ રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા કૂતરા કરડવાની ઘટનાઓમાં સતત વધારો થયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને છેલ્લા બે મહિનામાં રખડતા કૂતરા કરડવાની 1109 ફરિયાદ મળી છે. હવે રખડતા કૂતરાએ એક બાળકનો ભોગ લીધો છે. રાજ્યના અમરેલી જિલ્લામાં કૂતરાઓના ઝુંડે ખેતરની નજીક રમી રહેલા એક ત્રણ વર્ષીય બાળકને બટકાં ભરી-ભરીને મારી નાખ્યો હતો, પોલીસે આ માહિતી આપી હતી. મંગળવારે બપોર પછી લાઠી તાલુકાના દમનગર ગામની બહાર આ દુર્ઘટના બની હતી. આ પીડિત બાળક રોનક રાઠવાનાં માતાપિતા અને પરિવારજનો અને અન્ય સભ્યો મધુભાઈ સિદપારા ખેતરમાં ખેતીની મજૂરી કરી રહ્યા હતા, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
દમનગર પોલીસ સ્ટેશનના એસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર કે. આર. સંખતે કહ્યું હતું કે બાળક ખેતરની પાસે એકલો રમી રહ્યો હતો. તેમણે કહ્યું હતું કે આ બાળકનો પરિવાર આદિવાસીની બહુમતી ધરાવતા છોટા ઉદેપુરના એક ગામનો હતો, જ્યાં તેમને સિદપારાના ખેતીહર મજૂર તરીકે કામ કરતો હતો. પરિવાર જ્યારે ખેતી કામ કરી રહ્યો હતો, ત્યારે પાંચથી છ કૂતરાઓએ બાળક પર હુમલો કર્યો હતો અને તેને ગળું દબોચી લીધું હતું. રખડતા કૂતરાઓએ બાળકના માથા અને પીઠ પર બટકા ભર્યાં હતાં. ત્યાર બાદ એ બાળકને તેનાં માતા-પિતા નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા, પણ દાખલ કરવાના થોડા સમયમાં તેનું મોત થયું હતું.
રાજ્યમાં છેલ્લાં ચાર વર્ષમાં 1.17 લાખ કૂતરાના ખસીકરણની કામગીરી કરવામાં આવી છે. છેલ્લાં ચાર વર્ષમાં કૂતરાના રમીકરણ પાછલ આશરે રૂ. 10 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. જોકે આ ખર્ચ ખરેખર કરવામાં આવ્યો છે કે માત્ર કાગળ પર બતાવવામાં આવ્યો છે, એ એક સવાલ છે, કેમ કે કૂતરાની સંખ્યા અને કૂતરાના કરડવાની ઘટનાઓમાં તો સતત વધારો જ થયો છે.
‘મણિપુર હિંસાની તપાસ માટે કમિશન બનાવાશે’, અમિત શાહે કહ્યું- હવે બધું નિયંત્રણમાં છે, કોઈને છોડવામાં નહીં આવે
ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવારે (1 જૂન) મણિપુર હિંસા પર એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું, મેં ત્રણ દિવસથી હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી છે. મેં રાજ્યના કેબિનેટ મંત્રીઓ સહિત દરેક સમુદાય સાથે બેઠક કરી છે. ભારત સરકાર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશના સ્તરના નિવૃત્ત ન્યાયાધીશ દ્વારા હિંસાની તપાસ પૂર્ણ કરશે. આ માટે એક કમિશનની રચના કરવામાં આવશે. આ સાથે ભારત સરકાર શાંતિ સમિતિની પણ રચના કરશે. મણિપુરમાં ઘણી એજન્સીઓ કામ કરી રહી છે.
I appeal to everyone in Manipur not to pay attention to rumours and instead maintain peace and work towards creating an environment of harmony. pic.twitter.com/h1PRiNog06
— Amit Shah (@AmitShah) June 1, 2023
અમિત શાહે કહ્યું, પીડિત પરિવારોને વળતર મળશે. મૃત્યુ પામેલા લોકોના પરિવારને કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી 5-5 લાખનું વળતર આપવામાં આવશે. સાથે જ સીબીઆઈની વિશેષ ટીમ 6 કેસની તપાસ કરશે. આ દરમિયાન ગૃહમંત્રીએ તમામ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, અફવાઓ પર ધ્યાન ન આપો. હવે રાજ્યમાં સ્થિતિ સારી છે.
Those who have arms should surrender them at the earliest.
Anyone found spreading unrest in Manipur will be dealt with strictly. pic.twitter.com/QmAncU9WXm
— Amit Shah (@AmitShah) June 1, 2023
મણિપુરમાં રેલ્વે સેવા ક્યારે પુનઃસ્થાપિત થશે?
રાજ્યમાં સ્થિતિ સુધરવાની માહિતી આપતાં ગૃહમંત્રીએ કહ્યું કે, 15 પેટ્રોલ પંપ પસંદ કરવામાં આવ્યા છે, જે દિવસ-રાત ખુલ્લા રહેશે. મણિપુરમાં પણ રેલવે દ્વારા સપ્લાય શરૂ કરવામાં આવશે. આ બધી રીતે રાજ્યમાં જે વસ્તુઓની કમી છે તે પૂરી થશે. રેલ્વે સેવા 2-3 દિવસમાં પુનઃસ્થાપિત કરવામાં આવશે.
Modi govt has formed teams of doctors and also teams of officials from the Ministry of Education who will camp in Manipur to provide medical assistance to the ailing and educational support to students. pic.twitter.com/zcRLNafH43
— Amit Shah (@AmitShah) June 1, 2023
ગૃહમંત્રીએ કહ્યું કે ભારત સરકારના કેટલાક શિક્ષણ અધિકારીઓ મણિપુર પહોંચ્યા છે, જેથી બાળકો માટે શિક્ષણ વ્યવસ્થાને સરળ બનાવી શકાય. અમિત શાહે દાવો કર્યો કે બાળકોના ભણતરમાં કોઈ અડચણ નહીં આવે. કરારની શરતોનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ, જેની પાસે હથિયારો છે તેમણે પોલીસને સોંપી દેવા જોઈએ અને આત્મસમર્પણ કરવું જોઈએ.
The Modi government stands shoulder to shoulder with the people of Manipur. pic.twitter.com/8Ah9RhIsQS
— Amit Shah (@AmitShah) June 1, 2023
મણિપુરમાં હિંસા કેમ થઈ?
માહિતી આપતા અમિત શાહે કહ્યું કે, 29 એપ્રિલના રોજ મણિપુર હાઈકોર્ટના નિર્ણયને કારણે રાજ્યમાં બે જૂથો વચ્ચે હિંસા શરૂ થઈ હતી, જોકે હવે બધું નિયંત્રણમાં છે. અમિત શાહે કહ્યું કે, મણિપુરના ઈતિહાસમાં મોદીજીના 6 વર્ષ અને ડબલ એન્જિન સરકાર વિકાસના વર્ષો હતા. શિક્ષણ, આરોગ્યમાં આપણે પ્રગતિ કરી છે. જ્યારથી મણિપુરમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે ત્યારથી મણિપુર હિંસા અને કર્ફ્યુથી મુક્ત છે.
A thorough, in-depth and impartial investigation will be conducted into the Manipur violence. Strict legal actions will be initiated against the perpetrators of violence to ensure that it never recurs. pic.twitter.com/q9hxYbO8nS
— Amit Shah (@AmitShah) June 1, 2023
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં બોમ્બ બ્લાસ્ટ, 6ના મોત, 2 ઘાયલ
પાકિસ્તાન પંજાબ બ્લાસ્ટ: પાકિસ્તાનના પંજાબમાં કોટ અડ્ડુ જિલ્લાના દયા દિન પનાહ વિસ્તારમાં ગુરુવારે એક ઘરમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા છ લોકો માર્યા ગયા અને અન્ય બે ઘાયલ થયા. ઘટનાની પુષ્ટિ કરતા, મુઝફ્ફરગઢ જિલ્લા પોલીસ અધિકારી (ડીપીઓ) સૈયદ હસનૈન હૈદરે કહ્યું કે તમામ મૃતકો એક જ પરિવારના છે, જેઓ જંક વેચતા હતા. તેમણે કહ્યું કે પરિવાર કચરો હટાવી રહ્યો હતો ત્યારે અચાનક વિસ્ફોટ થયો.

ઘટનાસ્થળે પહોંચેલા રેસ્ક્યુ 1122ના પ્રવક્તાએ જણાવ્યું કે મૃતકોમાં બે મહિલાઓ હસીના માઈ (40) અને શાનો માઈ (28) પણ સામેલ છે. આ બે માણસો બિલાલ (38), ઈકબાલ (30) અને બે બાળકો છે, જેમાંથી એક બે વર્ષનો હતો અને બીજા ચાર. ઘાયલ વ્યક્તિઓ અને મૃતદેહોને કોટ અડ્ડુની જિલ્લા મુખ્યાલય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

મુઝફ્ફરગઢ જિલ્લા પોલીસ અધિકારી (ડીપીઓ) હૈદરે વધુમાં જણાવ્યું કે વિસ્ફોટની સ્થિતિ જાણવા માટે તપાસ કરવામાં આવી રહી છે. આ સિવાય પંજાબના મુખ્યમંત્રી મોહસિન નકવીએ જાન-માલના નુકસાન પર દુઃખ વ્યક્ત કર્યું અને પંજાબના મહાનિરીક્ષક ડૉ. ઉસ્માન અનવર પાસેથી ઘટના અંગે રિપોર્ટ માંગ્યો.
બચાવ ટુકડીએ કામ શરૂ કર્યું
જ્યારે રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી તો તેમણે જોયું કે રૂમમાં બોમ્બ ફાટવાને કારણે 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને 2 ઘાયલ થયા હતા. આ પછી રેસ્ક્યુ ટીમે બચાવ કાર્ય શરૂ કર્યું. વિસ્ફોટની નોંધ લેતા પંજાબના પોલીસ મહાનિરીક્ષક (આઈજીપી) ઉસ્માન અનવરે ડેરા ગાઝી ખાનના પ્રાદેશિક પોલીસ અધિકારી પાસેથી રિપોર્ટ માંગ્યો છે. તેમણે મુઝફ્ફરગઢ જિલ્લા પોલીસ અધિકારીને તમામ પાસાઓથી મામલાની તપાસ કરવાનો નિર્દેશ પણ આપ્યો હતો.

















