Home Blog Page 2758

અંધબધીર લોકો માટે ચેરિટી રાઈડ “મેસેન્જર્સ ઓન સાયકલ્સ”

જયારે પણ કોઇ અંધબધીર વ્યક્તિને જોઇએ ત્યારે તેમના માટે બિચારનો ભાવ વ્યક્ત થાય. પરંતુ હકીકતમાં તે બિચારા નથી, તેમને સમાનતા મળવી જોઇએ. આવા જ કઇંક પ્રયત્ન કરે છે ‘સેન્સ ઇન્ટરનેશનલ ઇન્ડિયા’.

છેલ્લા આઠ વર્ષથી સેન્સ ઇન્ડિયા અમદાવાદમાં અંધબધીર વ્યક્તિઓ માટે જાગૃતિ અને સંવેદના વ્યક્ત કરવા, ઉપરાંત તેમના શિક્ષણ, આરોગ્ય અને સમાવેશીતા માટે મહત્વનો સંદેશો સાયકલીંગના માધ્યમથી આપે છે. આવતીકાલે એટલે કે 25 જૂન 2023 રવિવારના દિવસે સવારે પ.30 કલાકે આ રાઇડને બ્લાઇન્ડ પિપલ્સ એસોસિએશન(અંધજન મંડળ), વસ્ત્રાપુરથી લીલીઝંડી આપવામાં આવશે.

અમદાવાદમાં 500થી વધારે સાયકલીસ્ટ આ રાઇડમાં જોડાશે. દેશના અંધબધીર બાળકો અને પુખ્ત લોકોને સહયોગ મળી રહે તે હેતુથી 15 કિ.મીની સાયકલ રેલી કાઢવામાં આવશે. આ સાઇકલીસ્ટ ‘મેસેન્જર્સ ઓન સાયકલ્સ’ તરીકે ઓળખાય છે. આ સીઇકલીસ્ટ સાથે દિવ્યાંગ વ્યક્તિઓ પણ ટ્રાઇસિકલ અને હેન્ડ સાયકલ સાથે આ રાઇડમાં ભાગ લેશે.

આ વીશે વાત કરતા સેન્સ ઇન્ટરનેશનલ ઇન્ડિયાના ડાયરેક્ટર, ડેવલોપ્મેન્ટ બીજુ મેથ્યુ ચિત્રલેખા.કોમને કહે છે: ભારતનાં 23 રાજ્યમાં વસતા 80,000થી વધુ અંધબધીર વ્યક્તિઓના સહાય માટે રાઇડનું આયોજન કરવામાં આવે છે. લોકોમાં જાગૃતિ આવે અને અંધબધિર લોકોને સમાન દ્ધષ્ટિથી જોતા થાય તે પણ એક હેતુ છે. વધુમાં કહે છે, આ રાઇડ પાછળ અન્ય કારણ પણ છે. 27 જૂન હેલન કેલરનો જન્મદિવસ છે. હેલન કેલર બીએની ડીગ્રી પ્રાપ્ત કરનાર પ્રથમ અંધબધીર વ્યક્તિ હતા. તેઓ લેખિકા પણ હતા. ઉપરાંત વિવિધ ઉદ્દેશો માટે તેમણે પોલિટીકલ એક્ટિવીસ્ટની પણ ભૂમિકા નિભાવી હતી. હેલન કેલર અંધબધીર વ્યક્તિઓ અને તેમના માટે કામ કરતા લોકો માટે પ્રેરણા સમાન છે. આ રાઇડ દ્ધારા અનોખી દિવ્યાંગતા પ્રત્યે જાગૃતિ ફેલાવીને હેલન કેલરની ભાવનાને સેલિબ્રેટ કરીએ છીએ. અંધબધીર વ્યક્તિઓએ જે સમાનતા, સમાવેશિતા અને સન્માન મેળવવાનું છે તે માટે અમે લડત આપી રહ્યાં છીએ.

સેન્સ ઇન્ડિયા વીશે વાત કરતા બીજુ મેથ્યુ કહે છે: સેન્સ ઇન્ટરનેશનલ ઇન્ડિયા સેન્સ ઇન્ડિયા તરીકે પણ ઓળખાય છે. જેની સ્થાપના 1997માં અંધબધીર અને વિવિધ દિવ્યાંગતા ધરાવતા લોકોના સમર્થન અને વિકાસ માટે કરવામાં આવી હતી. શરૂઆતમાં બિનસરકારી સંસ્થા તરીકે તેનું નિમાર્ણ થયું. સેન્સ ઇન્ડિયા સ્થાનિક સંગઠનો સાથે મળીને અંધબધીર લોકોના સમર્થનમાં કામ કરીએ છીએ. સરકારના રાષ્ટ્રિય સમગ્ર શિક્ષા ‘ઇક્લુઝિવ એજ્યુકેશન’ પ્રોગ્રામમાં સમગ્ર ભારતના 23 રાજ્યોના 80 હજાર બાળકોને 19 એનજીઓની મદદથી આવરી લેવામાં આવ્યા છે. અમે બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા, માલદીવ અને મલેશિયાના અગ્રણી સંગઠનો સાથે ભાગીદારી કરીને શિક્ષીત લોકોને તાલિમ આપીને અંધબધીરોને જરૂરીયાત પ્રમાણે મદદ કરીએ છીએ.

નોંધનીય છે કે સેન્સ ઇન્ડિયા સરકાર સાથે મળીને અંધબધીર વ્યક્તિઓને માન્યતા માટે કામ કરે છે. અંધબધીરોને રાઇટ્સ ઓફ પર્સન વીથ ડિસેબિલીટી એક્ટ -2016 હેઠળ માન્યતા પણ અપાવી છે. અંધબધીર કે અન્ય વિકલાંગ લોકોને જોઇને તેમના પ્રત્યે દયાભાવની સાથે લાગણીસભર સન્માન આપવુ પણ જરૂરી છે.

દરેક પરિવારે પોતાનું બજેટ બનાવીને ચાલવામાં જ સમજદારી છે

સ્વામિનારાયણ સંપ્રદાયની શિક્ષાપત્રીના 146મા શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે દરેક વ્યક્તિએ પોતાના કામ-ધંધામાં મળતી આવક અને તેમાંથી થતા ખર્ચની દરરોજ સારા અક્ષરે નોંધ રાખવી. બીજા શબ્દોમાં કહીએ તો રોજમેળ રાખવો.

રસેશ જૈન પોતાના મોટા દીકરા અમિતના જન્મદિન નિમિત્તે સપરિવાર બહાર જમવા ગયા હતા. રેસ્ટોરાં શાનદાર હતી, તેમાં હળવું સંગીત વાગી રહ્યું હતું અને વાતાવરણ ગમી જાય એવું હતું. બધા ટેબલ પર ગોઠવાયા.

થોડી જ વારમાં વેઇટર પોતાની ઇચ્છા પ્રમાણે ભોજન પીરસવા લાગ્યો. કોને કેટલું પીરસવું અને કઈ વાનગી આપવી એ પણ વેઇટરે જ નક્કી કર્યું. એમાં થયું એવું કે પરિવારજનોને અમુક જ ડિશ પસંદ આવી. બીજું બધું વેડફાયું. એટલું જ નહીં, તેમને જે વાનગીઓ ભાવી એમાં પણ વધારાના હિસ્સાનો બગાડ થયો. સૌ કુટુંબીઓને ભોજન ગમ્યું અને સાંજ યાદગાર રહી, પરંતુ ખોરાક અને પૈસા વેડફાયાં તેનો અફસોસ પણ થયો.

શું આ યોગ્ય થયું કહેવાય? આપણે રેસ્ટોરાંમાં જઈએ ત્યારે વેઇટર પોતાની પસંદગી પ્રમાણે ભોજન પીરસવા લાગે છે કે પછી આપણે મેનુ કાર્ડ જોઈને પોતાની પસંદગી પ્રમાણેની અને જોઈએ એટલા જ પ્રમાણમાં વાનગીઓ મગાવીએ છીએ?

વેઇટર સ્વેચ્છાએ વાનગીઓ પીરસવા માંડે એ યોગ્ય છે કે પછી આપણે જાતે નિર્ણય લઈએ એ યોગ્ય છે? સ્વાભાવિક છે કે આપણે જાતે નિર્ણય લઈએ એ જ યોગ્ય છે. જો એવું જ હોય તો આપણે રેસ્ટોરાંના મેનુ કાર્ડ અને પરિવારના નાણાકીય મેનુ કાર્ડ એટલે કે કૌટુંબિક બજેટ બાબતે અલગ અલગ પ્રકારનું વર્તન કેમ કરીએ છીએ?

જે રીતે આપણે સમજી-વિચારીને વાનગીઓ મગાવીએ નહીં તો અન્ન તથા ધનનો બગાડ થઈ જાય એ જ રીતે જો આયોજન કર્યા વગર આડેધડ ખર્ચ કર્યે રાખીએ તો ધનનો દુર્વ્યય થાય છે.

દરેક પરિવાર પોતાનું બજેટ બનાવે એ ખરી સમજદારી છે. પરિવારની જરૂરિયાતોના આધારે અને આવક પ્રમાણે ખર્ચ કરવાનું નક્કી કર્યા બાદ રોજના ખર્ચની નોંધ કરવી જોઈએ. ઘરખર્ચ મર્યાદા કરતાં વધારે થઈ જાય નહીં એ માટે આ અત્યંત જરૂરી છે.

શિક્ષાપત્રીનો શ્લોક ક્રમાંક 146 આપણને નાણાકીય આયોજનનો પાયાનો બોધ આપે છે અને તેથી જ આપણે તેને ધ્યાનમાં લઈને ઘરનું બજેટ બનાવવું જોઈએ.

આપણે હાલમાં જોયું કે દેશના બજેટની ચર્ચા બધે જ થાય છે. આપણે પોતાની કંપનીના કે ડિપાર્ટમેન્ટના બજેટને પણ ધ્યાનમાં રાખીને તે અનુસાર વર્તવું પડે છે, પરંતુ આપણે પોતાના પરિવારના બજેટ તરફ ધ્યાન આપતા નથી. ઘણા લોકો પરિવારનું બજેટ બનાવતા નથી. હવે તમે જ કહો, આપણા માટે કયું બજેટ સૌથી વધુ મહત્ત્વનું અને આવશ્યક હોય છે – દેશનું, ઑફિસનું કે પરિવારનું?

મારી કારકિર્દીમાં એવા ઘણા લોકો સાથે મળવાનું થયું છે જેમને પરિવારનું બજેટ બનાવવાનું ગમતું નથી. આવી સ્થિતિમાં હું તેમને શોપિંગ લિસ્ટ બનાવવાનું કહું છું. આ કામ સૌને ગમે છે. પછી હું તેમને એ ખર્ચ માટેનાં નાણાં ક્યાંથી આવશે એ લખવાનું કહું છું. નાણાં નિયમિતપણે થતી આવકમાંથી, કોઈક રોકાણના વળતરમાંથી, ફિક્સ્ડ ડિપોઝિટની પાકેલી રકમમાંથી, બોન્ડમાં મળતા વ્યાજમાંથી, વગેરે અનેક માર્ગે આવી શકે છે. આટલું કર્યું એટલે બજેટ તૈયાર. તમે તેને બજેટ કહો કે શોપિંગ લિસ્ટ કહો કે નાણાકીય મેનુ કાર્ડ કહો, આખરે તો એ પોતાની પસંદગી પ્રમાણેનું નાણાકીય સ્રોતોનું આયોજન જ કહેવાય.

અહીં ખાસ જણાવવું રહ્યું કે દરેક પરિવારને પોતાના નાણાકીય બજેટનો વિષય લાગુ પડે છે.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)

વાસ્તુ શીખવા માટે કેટલો સમય જોઈએ?

વાવાજોડું આવવાનું હતું અને એ જતું રહ્યું એ બંને વચ્ચેનો ભેદ શું છે? આવતા પહેલા બધું જ અજ્ઞાત હતું. ક્યારે આવશે? ક્યાં આવશે? શું થશે? ઘણા બધા સવાલો હવે પુરા થઇ ગયા છે. જીવનની દરેક સમસ્યાનું પણ આવુજ હોય છે. ક્યારેક જે વિચાર્યું છે એવું ક્યારેય થતું જ નથી. તો ક્યારેક જે વિચાર્યું છે એનાથી કશુક અલગ થાય છે. જે તોફાનનો ડર લાગતો હોય એના ગયા પછીનો સમય વધારે સારો બની જાય. વળી માત્ર ચિંતા કરવાથી કોઈ સમસ્યાનું સમાધાન થોડું જ મળે છે? તેથી જ જીવનને માત્ર માણવું જોઈએ. જે થશે એ સારા માટે થશે એવું માનીને ચાલીએ તો જીવન સરળ બની જાય. સમસ્યા ન આવે એવું તો ન બને પણ એની ખોટી ચિંતા માંથી મુક્તિ મળતા જ સમસ્યા માંથી બહાર આવવાની પરિસ્થિતિ સમજાય.

મિત્રો આ વિભાગ આપનો જ છે. આપને વાસ્તુને લગતી કોઈ સમસ્યા હોય તો આપ જરૂરથી નીચે જણાવેલા ઈમૈઈલ પર પૂછી શકો છો.

સવાલ: ગુરુજી. આપની વાતો જીવનલક્ષી હોય છે. મારા મમ્મી તમને ખુબ માને છે. મને તમારા વિચારો બહુ જ ગમે છે. ક્યારેક એવું પણ લાગે છે કે કોઈ સવાલ મનમાં અટવાતો હોય અને તમારું કોઈ એવું લખાણ આવે જેમાં એનો જવાબ મળી જાય. મારા મમ્મી કહે પણ ખરા કે જો આપણા માટે જ આ લખાયું છે. અમારા માટે તમે લાઈફ કોચ છો. મારો એક સવાલ છે કે વ્યક્તિએ લગ્ન શા માટે કરવા જોઈએ? સીરીયલ્સમાં બધા લડ્યા જ કરતા હોય છે. મારા મોટાભાગના સગાઓ લગ્ન જીવનથી દુખી છે. મારા પિતાજી વિદેશ રહે છે એટલે મારા માતાપિતાના જીવનને હું આદર્શ ન માની શકું. જો લગ્ન કર્યા પછી આજીવન દુખી જ થવાનું હોય તો એ પ્રક્રિયામાં જવું જ શા માટે? વળી ન ફાવે તો છુટાછેડાની પળોજળ, કોર્ટના ધક્કા વિગેરે. મારી પેઢીના ઘણા લોકોને આ પ્રથા નથી ગમતી. આ વિષે તમે શું માનો છો? મને વિશ્વાસ છે કે તમે સાચી સલાહ જ આપશો.

જવાબ: સહુથી પહેલા તો ગુરુ શબ્દને સમજવો જોઈએ. જે વ્યક્તિ જીવનને દિશા આપવા સક્ષમ હોય તેને ગુરુ માની શકાય? તમને મારા વિચાર ગમે છે. પણ શું તમારા જીવનને દિશા આપવામાં મારા વિચારો મદદરૂપ થાય છે ખરા? આજના યુગમાં કોઈને પણ ગુરુ માનવાની ફેશન બની ગઈ છે. અને કેટલાક લોકો તો પોતાની જાતે જ ગુરુ બની જાય છે. કોઈ પણ વ્યક્તિને ગુરુ ન જ કહેવાય. હવે તમારો પ્રશ્ન સમજીએ. સીરીયલ્સ જોઇને જીવનના નિર્ણય લેવાય ખરા? સિરીયલ્સમાં મૃત પાત્રો જીવતા થઇ જાય છે. માણસોના મોઢા બદલાઈ જાય છે. લેખકો બદલાતા સામાજિક સીરીયલ્સ અચાનક હોરર બની જાય એવું પણ બને. સીરીયલ્સ માત્ર મનોરંજન માટે હોય છે. જો એ જીવનલક્ષી હોય તો એ આદર્શ સ્થિતિ ગણાય. પણ મોટા ભાગે એવું હોતું નથી.

તમે જેમને જાણો છો એમના લગ્નજીવન સુખી નથી એના કારણોને સમજો. વધારે પડતી અપેક્ષાઓ, મહત્વકાંક્ષાઓ, ભૌતિકતાવાદ, સોસીયલ મીડિયાનું વળગણ જેવા અનેક કારણો નજર સામે આવશે. લગ્નની પ્રથા જરૂરી છે. પણ ઉતાવળે લગ્ન ન કરાય. જયારે લોકોને દેખાડવા લગ્ન કરવામાં આવે ત્યારે નિર્ણય ખોટા પડી શકે. લગ્ન એ માત્ર શરીરીક સુખની કામના માટે નથી થતા. પશ્ચિમ તરફની દોટ આ આખી પ્રક્રિયાની સમજણને વિકૃતિ આપી શકે છે. પણ જો જીવનની ભારતીય સમજણ આવે તો જીવનસાથી વિશેની સમજણ પણ આવે. ઉતાવળે પસંદગી ન જ થાય. અને ઉમર થઇ ગઈ છે એટલે તાત્કાલિક લગ્ન પણ ન જ કરાય. પણ સાચા પાત્રની સાથે લગ્ન જરૂરી છે. જીવનસાથી એટલે એક એવો મિત્ર જે આપને સમજી શકે. જે સતત આપની સાથે હોય અને આપણા સુખદુઃખમાં ભાગીદાર બની જીવનને સરળ બનાવવામાં મદદરૂપ થાય. ઈશ્વરે દરેક વ્યક્તિ માટે કોઈને કોઈ પાત્ર તો બનાવ્યું જ છે. આપને પણ યોગ્ય જીવનસાથી ચોક્કસ મળશે. શિવલિંગ પર દૂધ, પાણી, પંચામૃત, પાણીથી અભિષેક કરો. દરરોજ યોગ્ય રીતે ગાયત્રી મંત્ર કરો.

સવાલ: વાસ્તુ શીખવા માટે કેટલો સમય જોઈએ? એક ડીપ્લોમાં સર્ટીફીકેટ કોર્સ છે. કોલેજ ગયા વિના થઇ શકે છે. તો કરાય?

જવાબ: સર્ટીફીકેટ લેવું હોય તો તમે વિચારો એટલો. પણ જો વાસ્તુશાસ્ત્રમાં પરિણામ લક્ષી કામ કરવું હોય તો એક જીવન પણ ઓછુ પડે. તમારે સતત અભ્યાસ કરતા રહેવું પડે. વિષયના વિવિધ પાસાઓને સમજવા પડે અને જરૂર પડે ત્યાં સંશોધન પણ કરવું પડે. કોઈ પણ વિષયની ડીગ્રી કે સર્ટીફીકેટ મળે એટલે વિષય સમજાઈ ગયો છે એવું ન માની લેવાય.

સુચન: જ્યોતિષ શાસ્ત્ર અને વાસ્તુ શાસ્ત્ર એ બે અલગ વિષયો છે. આ બેમાંથી એકનું જ્ઞાન હોય તો અન્ય વિષય આવડતો જ હોય એવું ન માની લેવાય.

(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)

રાજ બબ્બરની કારકિર્દીની અજીબ ‘કહાની’

રાજ બબ્બરને કારકિર્દીની શરૂઆતમાં ઘણી ફિલ્મો ગુમાવવી પડી હતી. રાજ બબ્બરે એક મુલાકાતમાં કહ્યું છે કે ‘યુનાઈટેડ પ્રોડ્યુસર્સ ટેલેન્ટ સ્પર્ધા’ માં રાજેશ ખન્ના વિજેતા બન્યા હતા એમાં ભાગ લીધો હતો. એ સ્પર્ધામાં પ્રવેશ માટે પસંદ થઈ ગયા હતા. એના ઓડિશન અને સ્ક્રીન ટેસ્ટ બંનેમાં નિર્દેશક બી. આર. ચોપડા હોવાથી એમણે રૂ.1000 આપીને એક ફિલ્મ ‘કહાની’ માટે સાઇન કરી લીધા હતા. ફિલ્મમાં હીરોઈન તરીકે કિમ હતી. કોઈ કારણથી ‘કહાની’ બની શકી નહીં. પાછળથી રાજની ખરી કારકિર્દી બી. આર. ચોપડાની ફિલ્મ ‘ઇન્સાફ કા તરાજૂ’ (૧૯૮૦) થી જ શરૂ થઈ હતી. ત્યારે ‘નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા’ માંથી તાલીમ પામેલા રાજ ફિલ્મોમાં કામ શોધવા સાથે નાટકમાં કામ કરી રહ્યા હતા.

લેખક જોડી સલીમ- જાવેદે એક નાટકમાં રાજને કામ કરતાં જોયા અને પ્રભાવિત થઈ એક ફિલ્મના સ્ક્રીન ટેસ્ટ માટે મુંબઈ લઈ આવ્યા. રાજે સ્ક્રીન ટેસ્ટ આપ્યો અને પસંદ થયા પણ પાછળથી દિલીપકુમાર સાથેની એ ફિલ્મમાં રહ્યા નહીં. રાજ બબ્બર નિરાશ થયા ત્યારે સલીમ-જાવેદે એમને હકારાત્મક રીતે વિચારવાનું કહ્યું. એમણે સમજાવ્યું કે તારા કામને જોઈને અહીં બોલાવવામાં આવ્યો છે. બાકાયદા તારો સ્ક્રીન ટેસ્ટ થયો છે. એને જોઈ નિર્માતા મુશીર રિયાઝ, નિર્દેશક રમેશ સિપ્પી વગેરે બધા રાજી થયા હતા અને તારા અભિનયને પસંદ કર્યો હતો. દિલીપકુમારને તારું કામ બતાવવામાં આવ્યું હતું અને એમણે પણ લેવા માટે હા જ પાડી હતી. ભલે ફિલ્મ ના મળી પણ તને બધા જાણવા લાગ્યા છે. તારી પ્રતિભાને એમણે જોઈ છે. એમ સમજવાનું કે કેટલીક વાત સારા માટે થાય છે. હવે તું તારી આ ઓળખને કેવી રીતે વધારે આગળ લઈ જઇ શકે છે એ તારા પર છે.

Raj Babbar.

 

સલીમ ખાને પોતાનું જ ઉદાહરણ આપીને કહ્યું હતું કે હું અહીં હીરો બનવા જ આવ્યો હતો. સલીમની વાતથી રાજને હિંમત મળી ગઈ હતી. એ ફિલ્મોમાં કામ ન કરવાનો નિર્ણય લઈ રહ્યા હતા પણ સલીમ ખાનની સમજાવટથી નક્કી કર્યું કે ફિલ્મોમાં કામ કરશે. એ ફરી દિલ્હી નાટકોમાં કામ કરવા જતાં રહ્યા. થોડા મહિના પછી નિર્દેશક પ્રકાશ મહેરાએ નાટકમાં કામ જોઈ મુંબઈ બોલાવ્યા અને બે ફિલ્મ માટે સાઇન કરી લીધા. દિલ્હીમાં રહેતા રાજ આ બે ફિલ્મોમાં કામ કરવા પોતાનું સ્કૂટર રૂ.6000 માં વેચીને પત્નીને એમાંથી ઘર ચલાવવાનું કહી એક વર્ષ માટે મુંબઈ આવી ગયા હતા. ત્યારે પોતાની સાથે માત્ર રૂ.100 લઈને આવ્યા હતા. પણ એક રિક્ષાવાળાએ હોટલ સુધી જવા મોટું ચક્કર મારીને રૂ.30 છેતરીને લઈ લીધા હતા.

પ્રકાશ મહેરાએ હોટલમાં રૂમ ફાળવી આપી હોવાથી રહેવાની સુવિધા હતી. મુંબઈ આવ્યા ત્યારે વિનોદ ખન્ના ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડીને જઈ રહ્યા હોવાથી પ્રકાશ મહેરાએ એમના સ્થાને એક ફિલ્મમાં રાજને લીધા હતા. બીજી ફિલ્મ ‘નમક હલાલ’ હતી. પછી એમને ‘નમક હલાલ’ (૧૯૮૨) માંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. કેમકે કેટલાક લોકો એવું ઇચ્છતા ન હતા કે રાજ એમાં કામ કરે. રાજને થોડા સંઘર્ષ પછી બી. આર. ચોપડાની ‘ઇન્સાફ કા તરાજૂ’ (૧૯૮૦), ‘નિકાહ’ (૧૯૮૨) અને આજ કી આવાઝ (૧૯૮૪) થી સારી સફળતા મળી હતી.

NSE, NITIE વચ્ચે નાણાકીય ક્ષેત્રે સંશોધન, શિક્ષણ માટે સમજૂતી કરાર

મુંબઈ તા. 23 જૂન, 2023: દેશમાં એન્જિનિયરિંગ મેનેજમેન્ટ ક્ષેત્રે શિક્ષણ, તાલીમ અને ઔદ્યોગિક સલાહ પૂરી પાડતી અગ્રણી બિઝનેસ સ્કૂલ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડસ્ટ્રિયલ એન્જિનિયરિંગ (એનઆઈટીઆઈઈ) અને નેશનલ સ્ટોક એકસચેન્જ ઓફ ઈન્ડિયા (એનએસઈ) વચ્ચે  નાણાં અને અર્થ ક્ષેત્રે શિક્ષણ અને સંશોધનમાં સહકાર માટેનો સમજૂતી કરાર કરવામાં આવ્યો છે.

સમજૂતી કરારમાં નાણાં અને અર્થ ક્ષેત્રે અભ્યાસક્રમોની ડિઝાઈન અને રચના દ્વારા ક્ષમતા નિર્માણ કરવાની, પરિસંવાદો, પરિષદો અને અન્ય કાર્યક્રમો યોજવાની અને સઘન સંશોધન હાથ ધરવાની પ્રવૃત્તિઓ આવરી લેવામાં આવી છે. આની પાછળનો હેતુ પરસ્પરની ક્ષમતાના ઉપયોગ દ્વારા ઉદ્યોગ માટે સજ્જ એવી બૌદ્ધિક સંપદા નિર્માણ કરવાનો છે.

આ પ્રસંગે એનએસઈના એમડી અને સીઈઓ આશિષકુમાર ચૌહાણે કહ્યું, દેશમાં બધા વર્ગોને નાણાકીય સેવાઓ ઉપલબ્ધ થઈ રહે એ માટે નાણાકીય બજારનું શિક્ષણ આવશ્યક છે. આજનો યુવાન દેશના વિકાસનું એન્જિન છે અને એટલે તેને અર્થતંત્રની વર્તમાન માગ અનુસારનું શ્રેષ્ઠ શિક્ષણ મળી રહે અને તેઓ તેમની કારકિર્દીની આવશ્યકતાઓને પૂરી કરી નાણાકીય સ્વતંત્રતા પ્રાપ્ત કરી શકે એ જરૂરી છે.

એનઆઈટીઆઈઈના ડિરેક્ટર મનોજકુમાર તિવારીએ કહ્યું, અમારા માટે આ યાદગાર ક્ષણ છે, કારણ કે અમારા વિદ્યાર્થીઓ માટે ફાઈનાન્સ ક્ષેત્રે શીખવાની નવી તકો પ્રાપ્ત થશે. એનએસઈને એનઆઈટીઆઈઈની ફેકલ્ટીની નિપુણતાનો લાભ મળશે. વળી આ સહયોગથી સતત વધી રહેલા ફાઈનાન્સ ક્ષેત્રને તાલીમબદ્ધ માનવબળ પ્રાપ્ત થશે.

અમેરિકાનો પ્રવાસ પૂરો કરી મોદી ઈજિપ્ત માટે રવાના થયા

વોશિંગ્ટનઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકામાં એમની સત્તાવાર મુલાકાત સમાપ્ત કરીને ભારતીય સમય મુજબ આજે વહેલી સવારે ઈજિપ્ત જવા રવાના થયા હતા. આફ્રિકા ખંડના આરબ દેશ ઈજિપ્તમાં મોદીની આ પહેલી જ મુલાકાત છે.

ઈજિપ્તના પ્રમુખ અબ્દેલ ફત્તાહ અલ-સિસીએ આપેલા આમંત્રણને માન આપીને પીએમ મોદી ઈજિપ્ત ગયા છે. પ્રમુખ અલ-સીસી આ વર્ષે નવી દિલ્હીમાં પ્રજાસત્તાક દિન ઉજવણી કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. એ જ વખતે એમણે પીએમ મોદીને ઈજિપ્તની મુલાકાતે આવવાનું આમંત્રણ આપ્યું હતું. ઈજિપ્તમાં મોદીનું રોકાણ બે-દિવસનું રહેશે. 1997 પછી કોઈ ભારતીય વડા પ્રધાન દ્વારા ઈજિપ્તની આ પહેલી દ્વિપક્ષીય મુલાકાત છે.

પીએમ મોદી અમેરિકી પ્રમુખ જો બાઈડન અને એમના પત્ની જિલ બાઈડનના આમંત્રણથી અમેરિકાની મુલાકાતે ગયા હતા. વ્હાઈટ હાઉસમાં એમનું રેડ કાર્પેટ સ્વાગત કરવામાં આવ્યું હતું.

એપ્રિલ-2022થી ડિસેમ્બર-2022ના સમયગાળામાં ભારત ઈજિપ્તનું પાંચમા ક્રમનું સૌથી મોટું વ્યાપાર ભાગીદાર રહ્યું હતું. વધુમાં, ભારત-ઈજિપ્ત વચ્ચે દ્વિપક્ષીય, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય પ્રશ્નોમાં સંપર્ક અને સહકારના લાંબા ઈતિહાસ પર આધારિત ગાઢ રાજનૈતિક સમજ ધરાવે છે.

વડા પ્રધાન મોદી ઈજિપ્તના પાટનગર શહેર કેરોમાં ઐતિહાસિક મહત્ત્વ ધરાવતી અને અગ્રગણ્ય એવી અલ-હકીમ મસ્જિદમાં એક કલાક રહેશે. આ મસ્જિદ કેરોમાં વસતા દાઉદી વ્હોરા સમુદાયનાં લોકો માટે આસ્થાનું મોટું કેન્દ્ર ગણાય છે. મોદી ઈજિપ્તમાં રોકાણ દરમિયાન હેલિયોપોલિસ વોર ગ્રેવ કબ્રસ્તાનની પણ મુલાકાત લેશે અને પ્રથમ વિશ્વ યુદ્ધ વખતે ઈજિપ્ત માટે લડતી વખતે પોતાના જાનનું બલિદાન આપનાર ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.

૨૪ જૂન, ૨૦૨૩

૨૪ જૂન, ૨૦૨૩

પંચાંગ 24/06/2023

રાશિ ભવિષ્ય 24/06/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો તેમજ ગુસ્સા પર કાબુ રાખવો પણ જરૂરી છે, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું કહી શકાય, તાવ,માથા,આંખ,હાડકાની તકલીફ વાળાએ થોડું સાચવવું, ક્યાંક મનોરંજન પાછળ ધાર્યા કરતા વધુ ખર્ચ થઈ જય અને તેના કારણે મન થોડું અશાંત બની જાય.


આજનો દિવસ તમારો સરસ છે અને તમને ઉત્સાહ પણ સારો જોવા મળી રહે, તમારા કોઈ નવીનકામનું આયોજન થાય અને તેમાં પણ તમેને કોઈનો સારો સહયોગ સાંપડે જેની તમે સારી ખુશી અનુભવો, જુના મતભેદ ભૂલવાની તક મળે, પ્રિયજન સાથે દિવસ દરમિયાન સારી લાગણી અને યાદોનો અનુભવ થાય.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સમય પસાર થાય અને ક્યાંક નાણાકીયખર્ચ પણ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય તેમાં તમને માનસિકથાકની લાગણી વધુ અનુભવો, કોઈ જગ્યાએ મિલન મુલાકાતમાં તમારો ઉત્સાહ થોડો ઓછો જોવા મળી શકે છે, આરામ કરવાની વૃતિ વધુ જાગે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો સલાહ ભર્યો છે જેથી તમે ખોટા વાદવિવાદથી દુર રહી શકો, વાહન ધીમે ચલાવવું, કફ,છાતી,પ્રેસર જેવી તકલીફ ભોગવતા લોકોએ આરોગ્યબાબતે થોડું સાચવવું, ક્યાય વાર્તાલાપ દરમિયાન કોઇપણ પ્રકારની ગેરસમજના થાય તેનું થોડું ધ્યાન રાખવું સારું કહી શકાય.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય તેમજ મનમાં થોડી અશાંતિ રહે તેવું લાગે, સરકારીકામ, યુનિફોર્મવાળી નોકરી,સોના-ઝવેરાત,ફાર્માક્ષેત્રમાં કામ કરનારવર્ગ ને માનસિકથાકની લાગણી વધુ રહે તેમજ કોઇપણ પ્રકારના તમારા કામમાંકે મુલાકાતમાં ધીરજ અને અનુભવનો ઉપયોગ કરવો સારો.


આજનો દિવસ સારો છે, તમારા કોઈ જુનાકામની ગુંચ ઉકેલી શકાય તેવા સંજોગો બની શકે છે , મનની ઈચ્છા પૂરી થઇ શકે, કોમ્પુટર, દલાલી, કમીશન, પત્રકાર, લેખનકામ, કાનૂની, નાણાકીય સલાહકાર માટે આજે ઉત્સાહ સારો જણાય, લગ્નબાબત વાર્તાલાપકે મિલનમુલાકાત કરાવી સારી કહી શકાય.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, પાડવાકે વાગવાના યોગ બને છે માટે કાળજી રાખવી ,વાહન ધીમે ચલાવવું, હિતશત્રુ, ખટપટી લોકોથી દુર રહેવવું, ચામડી,એલર્જી,ડાયાબીટીસ, સ્ત્રીદર્દ ભોગવતા લોકોએ  તકેદારી રાખવી,  વાર્તાલાપ દરમિયાન કોઇપણ પ્રકારની ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું.


આજનો દિવસ તમારા માટે સરસ કહી શકાય કારણકે તમારી જૂનીઓળખાણ તાજી થાય અને તેમાં તમે સારી ખુશી અનુભવો, તમારા કામની કદર થાય, જમીન,બાંધકામ,વાહનવ્યવહાર,ધાતુના કામકરનાર વર્ગને નવીનતક દેખાય, પ્રિયજન સાથે પસંદગીની કોઈ વસ્તુ ખરીદવાની તક મળી શકે છે.


આજના દિવસ સાવચેતી અને ધીરજ રાખવી, વાહન ધીમે ચલાવવું, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવું, પેટ, આંતરડા,ડાયાબીટીસના દર્દી એ તકેદારી રાખવી, કોઈની પણ સાથે વાર્તાલાપ દરમિયાન ઉગ્રતાકે અપશબ્દના બોલાય તેનું પણ ધ્યાન રાખવું, કામકાજમાં શાંતિથી પરોવાયા રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે ઉત્સાહ સારો રહે, મુસાફરી થઈ શકે  છે, ધાર્યુંકે મનનું કામ થઇ  શકે, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો યોગ્ય છે, પ્રિયજન સાથે ફરવા જવાનો યોગ બને છે, અગત્યની  બાબત માટેની કોઇ જગ્યાએ વાતચીતકે મિલનમુલકાત માટે સારા સંજોગો બની શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય તેવા સંજોગો છે, લાકડા, ચામડા, ધાતુ, ઓઈલ, પેટ્રોલ, કોમ્પુટરક્ષેત્રમાં કામકરનાર વર્ગને થોડી વ્યસ્તતા રહે, જુનાકામમાં ક્યાય અટવાયેલ હોવતો તેનો  જલ્દીથી ઉકેલન આવે તેવું બની શકે છે. કટાક્ષવાળા શબ્દપ્રયોગના કરવાની સલાહ છે.


આજનો દિવસ સામાન્ય છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય,મુસાફરી થઈ શકે છે, માર્કેટિંગમાં રેફરન્સથી કામ કરોતો લાભ થઈ શકે છે, પ્રિયજન સાથે ખરીદી કરવામાં ધાર્યા કરતા વધુ નાણા ખર્ચાય તેવા પણ સંજોગો છે. અગત્યની બાબત માટેની વાર્તાલાપમાં કોઈનો ક્યાંક સહયોગકે માર્ગદર્શન પણ મળે તેવું બની શકે છે.

વ્હાઈટ હાઉસના સ્ટેટ ડિનરમાં બાઈડન-મોદીએ કર્યું ચીયર્સ…

અમેરિકાની પ્રથમ રાજકીય મુલાકાતે આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માનમાં યૂએસ પ્રમુખ જો બાઈડને એમના સત્તાવાર નિવાસસ્થાન વ્હાઈટ હાઉસ ખાતે ગુરુવાર, 22 જૂને ડિનરનું આયોજન કર્યું હતું. તેમાં અમેરિકા અને ભારતની અનેક નામાંકિત હસ્તીઓ, બાઈડનના વહીવટીતંત્રના અનેક પ્રધાનો પણ સામેલ થયાં હતાં. ડિનર કાર્યક્રમ સંગીતમય હતો અમેરિકન બેન્ડે ‘ઐ મેરે વતન કે લોગોં…’ ગીત વગાડ્યું હતું.