અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો
અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો
૧૪ જૂલાઈ, ૨૦૨૩
૧૪ જૂલાઈ, ૨૦૨૩
Chitralekha Gujarati – July 24, 2023
વાસ્તુ: વાયવ્યમાં દ્વાર સંતાનની ચિંતા કરાવે
લોખંડ પારસમણીને સ્પર્શે તો શું થાય? સામાન્ય જવાબ એવો જ મળે કે એ સુવર્ણ બની જાય. પણ શું ક્યારેય એવું બને
છે કે લોખંડ પારસમણી જ બની જાય? એવું નથી બનતું. આ લોખંડમાં ક્ષમતાનો અભાવ છે એટલે થાય છે કે પછી પારસમણી એવું કરવામાં નિષ્ફળ રહે છે? મોટાભાગે આપણે જેમને પારસમણી માનીએ છીએ એવા લોકો પોતાનું કામ માત્ર સુવર્ણ બનાવવાનું છે એવું માનીને સંતોષ માની લે છે. એક પારસમણી પોતાના જેવા અનેક પારસમણી બનાવવા સક્ષમ થઇ જાય તો? એ વિચાર જ કેટલો અદ્ભુત છે? પણ પછી પારસમણીના અસ્તિત્વનું શું? શું એટલે જ એ માત્ર પોતાનું હુનર બતાવીને અટકી જાય છે? લોખંડને તો પરિવર્તિત જ થવાનું છે. શું માત્ર સુવર્ણમાં પરિવર્તિત થઇ અને એણે રાજી થવું જોઈએ? જો એનામાં અન્યને સકારાત્મકતા આપવાની ક્ષમતા નથી તો પછી લોખંડ અને સુવર્ણમાં ફર્ક શું? અંતે તો બંને ધાતુ જ છે ને?
અન્યના જીવનમાં સકારાત્મકતા લાવવાની ઈચ્છા ગુરુભાવથી આવે. હા, પેલા ટોળા ભેગા કરીને વાહવાહ ભેગી કરવા વાળા ગુરુ નહિ. સાચા ગુરુ. સકારાત્મક ગુરુ. મોર્ડન ગુરુના નામે દારૂ પિતા કે વૈભવી જીવન જીવતા ગુરુ નહિ, પણ અન્ય માટે જીવતા ગુરુ. આવો ભાવ આવે છે ઈશાનની સકારાત્મકતા થી.
મિત્રો, આપને પણ કોઈ સમસ્યા હોય કે સવાલ હોય તો આપ પણ નીચે દર્શાવેલ ઈમેઈલ પર પૂછી શકો છો.
સવાલ: મારા બહેનના એક ગુરુ છે. મોટી મોટી સભાઓ કરે અને એ આવું કહે છે કે મારા માટે બધા સમાન છે. એટલે દરેક ભક્તે ફરજીયાત પાંચ હજાર રૂપિયા દાનમાં આપવાના. બાર મહિનાના 60,000 થઇ જાય. વળી એમના ચરણસ્પર્શ માટે બોલી લાગે. એટલે અમારા જેવાનું તો કામ જ નહિ. એમને માત્ર મોટા સ્ક્રીન પર જોવાના આટલા બધા રૂપિયા થોડા હોય. મારી બહેન સમજતી નથી. એટલે અમારે પણ ઘસારો વેઠવો પડે છે. કોઈ મહોત્સવ હોય એટલે નોકરીમાં રજા મુકીને મદદ કરવા જવાનું. જો ના જઈએ તો મોક્ષ નહિ મળે એવી ધમકી મળે. શું આવા ગુરુ હોય? આમાંથી છુટવા શું કરવું કોઈએ?

જવાબ: આપની વેદના હું સમજી શકું છું. મોક્ષ ન આપનાર વ્યક્તિ પોતાને મોક્ષ મળશે જ એવી ગેરન્ટી આપી શકશે ખરા? મૃત્યુ પછી વ્યક્તિનું શું થશે એ કોઈને ખબર નથી. તમે સત્કર્મોમાં વિશ્વાસ રાખો છો એ સારું છે. આવા ગુરુ ન હોય. જે પોતાના સ્વાર્થ માટે સંપ્રદાય ઉભો કરે. જ્યાં લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે. ઈશ્વરમાં શ્રદ્ધા રાખો. ગુરુ વિના જ્ઞાન ન મળે એ વાત ખોટી છે. આપણા ઇતિહાસમાં ધ્રુવ જેવા અનેક સંતો છે જેમણે સ્વ થકી ઈશ્વરની પ્રાપ્તિ કરી હતી. આપણી અંદર જે આત્મા છે એ પરમાત્માનો અંશ છે. જો આત્મા અને પરમાત્માને એકતાર કરવા છે તો એમાં અન્યની ક્યાં જરૂર છે? અને એ પણ ન મળવાના પૈસા આપીને? તમારા બહેનના ઘરમાં વાયવ્ય, નૈરુત્ય, અગ્નિ અને ઉત્તરનો દોષ છે. આ જ કારણથી એ ભૌતિકતાથી અંજાઈને પોતે તો દોડી રહ્યા છે પણ અન્યને પણ દોડાવે છે. એમને ગાયત્રી પૂજા અને શિવપૂજા કરવાનું કહો. કોઈ સાચા બ્રાહ્મણને મનગમતી ભેટ આપો. કુવારીકાને અભ્યાસમાં સહાય કરો. ચોક્કસ સકારાત્મકતા આવશે.
સવાલ: મારો દીકરો એની પત્નીને સમય જ નથી આપતો. એમને બાળકો નથી. કોઈ ઉપાય આપશો.

જવાબ: જયારે ઉત્તર અને ઉત્તર-દક્ષિણના અક્ષથી બનતો ટી નકારાત્મક હોય ત્યારે આવું થવાની સંભાવના ઉભી થાય. આપનો દીકરો વધારે પડતો મહત્વકાંક્ષી થઈ ગયો હોય એવું બને. વળી આપના ઘરનું દ્વાર વાયવ્યમાં છે. જે સંતાનની ચિંતા કરાવે. આ ઉપરાંત આપના જીવનમાં અનુકુલન પણ નહિ હોય. ભૌતિકતાની દોટ ક્યારેક એવા મુકામ પર પહોંચાડે છે જે યોગ્ય નથી હોતા. આપની પુત્રવધુને શ્રાવણ મહિના દરમિયાન શિવલિંગ પર પાણી, દૂધ, પંચામૃત, ગાયનું ઘી, ચોખા અને ચંદનથી અભિષેક કરવા કહો. જો એ લોકો માંસાહાર કે વ્યસન કરતા હોય તો એ બંધ કરાવો. તમારા કુટુંબમાં કોઈએ સાચા બ્રાહ્મણનું અપમાન કર્યું છે. એની માફી માંગી અને સન્માન આપો. એમના બાળકોને ગમતી ભેટ આપો. આપણી સંસ્કૃતિ કર્મની છે. કોઈ સાચી વ્યક્તિને દુઃખ આપ્યા બાદ માત્ર પૈસા ખર્ચીને સુખી ક્યારેય નથી થવાતું.
સુચન: શ્રાવણ મહિના દરમિયાન યોગ્ય રીતે શિવ અભિષેક કરવાથી સકારાત્મકતા પ્રાપ્ત થાય છે.
(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)
રાશિ ભવિષ્ય 14/07/2023
રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા
![]()
આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, કામમાં વ્યસતા વધુ રહે તેવું બની શકે છે, વેપારમાં નાનું કામ કરવું હિતાવહ છે, કોઈ જાહેરપ્રસંગમાં જવાના યોગ છે તેમાં જરૂરપુરતીજ વાર્તાલાપ કરવી યોગ્ય છે કોઈની મશ્કરીકે ખોટીદોરવણીમાં ના આવી જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, શાંતિ અને ધીરજ રાખવી સારી.
આજનો દિવસ સામાન્ય રીતે પસાર થાય, તમને તમારા કોઈ કામકાજમાં મિત્રોનો સહકાર સારો મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમારું સારું પ્રભુત્વ જણાય, કોઇ પ્રસંગઅર્થે પ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની ઈચ્છા પૂરી થાય તેવા કોઈ એંધાણ જોવા મળે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય કહી શકાય.
આજનો દિવસ તકેદારી અને સાવચેતી સૂચક કહી શકાય, તમારા ગુસ્સાને કાબુમાં રાખવો જરૂરી છે જેથી ખોટાવિવાદ ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું અગત્યનું છે, ખટપટથી દુર રહેવું ડહાપણ ભર્યું છે, વણમાગી સલાહસુચનના આપવું, વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું જરૂરી છે.
આજનો દિવસ તમારા માટે સારો કહી શકાય, તમારામાં આજે આત્મવિશ્વાસ સારો દેખાય, જૂનીઓળખાણ અચાનક તાજી થાય, મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવા સંજોગો બની શકે છે, વેપારમાં અનુભવથી કોઈ કામ કરોતો તેમાં તમને લાભ થઈ શકે છે, યુવાવર્ગને પસંદગીના કામકે વાત થાય તેવું બની શકે છે.
આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારા કુટુંબકે મિત્રો સાથેની મિલનમુલાકાતમાં નાણાકીયખર્ચ થાય તેવું બની શકે છે, ધાર્મિકકે સામાજિક કામકાજ અર્થે પ્રવાસનું આયોજન થઇ પણ શકે, માર્કેટિંગક્ષેત્રમાં સારો ઉત્સાહ જોવા મળે, વેપારમાં નાનું કામકાજ કરવું યોગ્ય છે.
આજનો દિવસ સાવચેતી અને ધીરજથી પસાર કરવો ઇચ્છનીય છે, ઉશ્કેરાટના ભોગના બનાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, ઘરકે ઓફીસમાં વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી કોઈની સાથે વધુ દલીલબાજીના કરવી, વેપારમાં જોખમ ભર્યા કામન કરવા, જીવનસાથી સાથે દલીલબાજીના કરવી ઇચ્છનીય છે.
આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમય વ્યસ્તા ધાર્યા કરતા વધુ જોવા મળી શકે તેને કારણે થોડી માનસિક અશાંતિ જેવું રહે, વાણીવર્તણુકમાં ધીરજનો અભાવ જોવા મળે અને તેના કારણે ક્યાંક અણગમતા વર્તનના ભોગના બનવું પડે, વેપારમાં નાનું કામ અનુભવના આધારેજ કરવું યોગ્ય છે.
આજનો દિવસ સારો છે, થોડી મજાકમસ્તીની વૃતિ જોવા મળે પરંતુ કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે , જુનામતભેદ સુધારવાની તકમળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ જોવા મળે, વેપારમાં લાભ થઈ શકે છે, યુવાવર્ગને અચાનક કોઈ જૂનીઓળખાણ તાજી થવાથી ઉત્સાહી થઈ જવાય.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમને કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, ઓફીસમાં પરાણે કામકાજ કરતા હોવ તેવી લાગણી ઉદભવે, સહકર્મચારી સાથે કામની બાબતમાં થોડો અસતોષ રહે, વેપારમાં જોખમભર્યા કામન કરવા, વડીલવર્ગ આજે થોડી કામ ટાળવાની વૃત્તિ રાખે તેવું બની શકે છે.
આજનો દિવસ સારો છે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ કામની જૂની ગુંચ હોય તને ઉકેલી શકાય તેવા સંજોગો બને, માંર્કેટિંગક્ષેત્રમાં સારું પ્રભુત્વ જણાય, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં સમય વધુ ફાળવોતો કોઈ વિષયપર આવડત વધી શકે છે, વેપારમાં લાભ થઈ શકે છે, કામમાં ઉત્સાહ સારો રહે.
આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો, ખોટાવિવાદથી દુર રહેવું શાણપણ ભર્યું છે, વાહન ધીમે ચલાવવું, આરોગ્યબાબતે થોડું સાચવવું, વેપારમાં જોખમન કરવું, માર્કેટિંગક્ષેત્રમાં થોડી મેહનત વધુ પડે અને તેને કારણે ઉત્સાહ ઓછો જોવા મળી શકે, બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું વધુ સારું.
આજનો દિવસ સારો છે, તમારામાં ઉત્સાહ અને ઉમંગ સારા જોવા મળે, કોઈ કારણોસર મુસાફરી થઈ શકે છે, ધાર્યાકામ થાય તેવું બની શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં ઓળખાણમાં કામકાજ કરવાથી સારું ફળ મળી શકે તેમજ નવીનકાર્યની તક પણ મળી શકે છે, વેપારમાં લાભ થઈ શકે છે.
દ્વારકાધીશ મંદિરે કર્યો મહત્વનો નિર્ણય, ટૂંકા વસ્ત્રો પર મૂકાયો પ્રતિબંધ
ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા હિન્દુ ધર્મનું પ્રમુખ તીર્થઘામ છે. અહી રોજ હજારો ભક્તો ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા આવતા હોય છે. ત્યારે હવે દ્વારકા મંદિરમાં આવતા ભક્તો પર એક મોટો પ્રતિબંધ મૂકાયો છે. મંદિરમાં આવતા યાત્રિકોને ટૂંકા વસ્ત્રો સાથે પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો છે. આ સાથેનું એક બોર્ડ મંદિરની બહાર લગાવવામા આવ્યું છે.

મંદિરના બહાર લાગ્યા બોર્ડ:
ભારતીય સંસ્કૃતિને શોભે તેવા વસ્ત્રો પહેરેલ હશે તેમને જ દ્વારકાધીશ મંદિરમાં પ્રવેશ મળશે. ભાવિકની લાગણીને ઠેસ ન પહોંચે તે માટે નિર્ણય લેવાયો છે. આ નિર્ણય અંગે તંત્ર દ્વારા અનેક ભાષા સાથે માહિતગાર કરવા બેનરો મંદિરોમાં વિવિધ સ્થળે લગાવવામાં આવ્યા છે. યાત્રાધામ દ્વારકામાં આવતા યાત્રાળુઓને ભારતીય સંસ્કૃતિ અનુસાર વસ્ત્રો પહેરવા અંગે તંત્ર દ્વારા કડક સૂચના આપવામાં આવી છે.

ગુજરાતના આ મંદિરોમાં પણ ટૂંકા વસ્ત્રો પર છે પ્રતિબંધ:
બનાસકાંઠાના અંબાજી મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરેલા ભક્તોને પ્રવેશ આપવા નહીં આવે તેવો નિયમ છે. અંબાજી મંદિર ટ્રસ્ટે મંદિરના પ્રવેશ દ્વાર પર બોર્ડ લગાવીને આ અંગેની માહિતી આપી છે. તો શામળાજી મંદિરમાં પણ ટૂંકા વસ્ત્રો પહેરીને આવતા દર્શનાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
કેજરીવાલને 26 જુલાઈએ કોર્ટમાં ફરજીયાત હાજર રહેવા આદેશ, જાણો શું છે સમગ્ર મામલો
ગુજરાત યુનિવર્સિટી (GU) દ્વારા નોંધાયેલી ફરિયાદના આધારે આમ આદમી પાર્ટી (AAP)ના બે નેતાઓ સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેના મુદ્દે આજે સુનાવણી હતી પરંતુ સુનાવણીમાં કેજરીવાલ અને સંજયસિંહ હાજર રહી શક્યા ન હતા. ત્યારે હવે કોર્ટે 26 જુલાઈનાં ફરજિયાત હાજર રહેવા હુકમ કર્યો છે.

માનહાનિના કેસની સુનાવણીમાં કેજરીવાલ ન રહ્યાં હાજર
અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટે આજે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને AAPના રાજ્યસભાના સભ્ય સંજય સિંહને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીના સંબંધમાં તેમના “કટાક્ષપૂર્ણ” અને “અપમાનજનક” નિવેદનો પર ફોજદારી માનહાનિના કેસમાં હાજર રહેવા આદેશ આપ્યો હતો. પરંતુ તેઓ દિલ્લીમાં ભારે વરસાદના કારણે પૂરનું સંકટ તોડાઇ રહ્યું છે.જેથી આ કામગીરીની વ્યસ્તતાના કારણે તેઓ હાજર રહી શક્યા ન હતા. જેથી વકીલની દલીલોને આધારે આ કેસની ફરી સુનાવણી 26 જુલાઇએ છે, જેમાં કોર્ટે કેજરીવાલ અને સંજયસિંહને હાજર રહેવા આદેશ આપ્યાં છે.

દિલ્લીમાં ભારે વરસાદના કારણે પૂરનું સંકટ હોવાથી કોર્ટમાં આવી ન શક્યા
અહીંની મેટ્રોપોલિટન કોર્ટે અગાઉ બંને નેતાઓને હાજર થવાનો નિર્દેશ આપ્યો હતો. જો કે, તેમના વકીલે મુક્તિ અરજી દાખલ કરીને કહ્યું કે કેજરીવાલ અને સિંહ દિલ્હીમાં ભારે વરસાદને કારણે હાજર થઈ શક્યા નથી.ગુજરાત યુનિવર્સિટીના વકીલ અમિત નાયરે અરજીનો વિરોધ કર્યો ન હતો પરંતુ કોર્ટને વિનંતી કરી હતી કે AAP નેતાઓને આગામી તારીખે હાજર રહેવાનો નિર્દેશ આપે કારણ કે સુનાવણીમાં વિલંબ થઈ રહ્યો છે. આમ વકીલ ઓમ કોટવાલના જણાવ્યા અનુસાર. એડિશનલ મેજિસ્ટ્રેટ એસ.જે.પંચાલે હાજર રહેવામાંથી મુક્તિ આપી હતી અને મામલો 26 જુલાઈ માટે રાખ્યો હતો.
જાણો શું છે સમગ્ર મામલો
બંને અમદાવાદમાં ફોજદારી માનહાનિના કેસનો સામનો કરી રહ્યા છે. આ ફરિયાદ ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પીયૂષ પટેલ દ્વારા દાખલ કરવામાં આવી હતી, જેમણે કેજરીવાલ પર બદનક્ષીનો આરોપ મૂક્યો હતો, જેમ કે તેમના નિવેદનો ટાંક્યા: “જો PMએ દિલ્હી યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો હોય, તો ગુજરાત યુનિવર્સિટીએ ઉજવણી કરવી જોઈએ કે તેમના ભૂતપૂર્વ વિદ્યાર્થી વડા પ્રધાન બન્યા છે અને છતાં તેઓ છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે,” “ડિગ્રી બતાવવામાં આવી રહી નથી કારણ કે કદાચ ડિગ્રી નકલી છે, જપ્ત કરવામાં આવી છે,” અને “જો ડિગ્રી છે અને તે વાસ્તવિક છે, તો શા માટે આપવામાં આવી રહી નથી?”
નિવેદનોના આધારે બદનક્ષીનો આરોપ
આ નિવેદનોના આધારે બદનક્ષીનો આરોપ મૂક્યો છે. ફરિયાદ મુજબ, આ નિવેદન મીડિયા સમક્ષ આપવામાં આવ્યું હતું અને યુનિવર્સિટીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના ઈરાદાથી ટ્વિટર દ્વારા પ્રસારિત કરવામાં આવ્યું હતું,તે જાણતા હોવા છતાં કે આવા નિવેદનો બદનક્ષીભર્યા હશે.ફરિયાદી પટેલના જણાવ્યા મુજબ, કેજરીવાલે 1 એપ્રિલના રોજ એક પ્રેસ કોન્ફરન્સમાં આવા બદનક્ષીભર્યા ઉચ્ચારણો કર્યા હતા અને સિંહે 2 એપ્રિલે બીજી પ્રેસ કોન્ફરન્સમાં આવા ઉચ્ચારણો કર્યા હતા.
દિલ્હીમાં યમુનાનો હાહાકાર, રવિવાર સુધી તમામ શાળાઓ અને કોલેજો બંધ
રાજધાની દિલ્હીના ઘણા વિસ્તારોમાં પૂરનો ખતરો વધી ગયો છે. હથની કુંડ બેરેજમાંથી પાણી છોડાયા બાદ યમુના નદીનું પાણી ઝડપથી વધી રહ્યું છે. દિલ્હીમાં કેટલાક રસ્તાઓ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા છે. યમુના બેંક મેટ્રો સ્ટેશન પર એન્ટ્રી અને એક્ઝિટ અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવી છે. દિલ્હીમાં રવિવાર સુધી શાળા અને કોલેજો બંધ રહેશે.
All Municipal Corporation of Delhi (MCD) schools will remain closed till July 16 in view of the rise in the water level of Yamuna River. pic.twitter.com/hveJN7Q4Js
— ANI (@ANI) July 13, 2023
દિલ્હી-NCRમાં પૂરને કારણે આવતીકાલે શાળાઓ બંધ રહેશે. ભારે વરસાદને કારણે દિલ્હીમાં રેલ ટ્રાફિક પર અસર, ઘણી ટ્રેન સેવાઓ રદ, ઘણી ટ્રેનો આંશિક રીતે રદ, યમુના બ્રિજ પર પાણી ભરાવાથી રેલ ટ્રાફિકને અસર, ટ્રેન નંબર 15013 જેસલમેર-કાઠગોદામ રદ રહેશે. સેન્ટ્રલ વોટર કમિશનનો અંદાજ છે કે આવતીકાલથી પાણીમાં ઘટાડો થવાની ધારણા છે.ફરીદાબાદના બસંતપુરમાં શેરીઓમાં પાણી ભરાયા. લોકો ઘરની છત પર ચડી ગયા.

લાલ કિલ્લો પ્રવાસીઓ માટે બંધ
વરસાદને જોતા ASIએ શુક્રવાર સુધી લાલ કિલ્લાને પ્રવાસીઓ માટે બંધ કરી દીધો હતો. પ્રગતિ મેદાન ટનલ ખુલ્યા બાદ લોકોને રાહત મળી છે.
Delhi | Red Fort will remain closed for the public and general from 2nd half of 13th July to 14th July in view of heavy monsoon and rainfall. pic.twitter.com/zyfxoXV78G
— ANI (@ANI) July 13, 2023
નિગમ બોધ ઘાટ પણ પાણીથી ભરાઈ ગયો છે. આ દિલ્હીનું સૌથી મોટું સ્મશાન છે. હવે લોકો સમક્ષ ચિતા સળગાવવાનો પ્રશ્ન પણ ઉભો થયો છે.
#WATCH | Flood water reaches the Red Fort in Delhi. Drone visuals show the extent of the situation there. pic.twitter.com/q2g4M7yDMP
— ANI (@ANI) July 13, 2023
સુશ્રુત ટ્રોમા સેન્ટરમાં પૂરના પાણી ઘૂસી ગયા હતા
પૂરનું પાણી દિલ્હીના મેટકાફ રોડ પર સ્થિત સુશ્રુત ટ્રોમા સેન્ટરમાં પ્રવેશ્યું છે. અહીં દાખલ 40 દર્દીઓને અન્ય જગ્યાએ મોકલવામાં આવી રહ્યા છે. ત્રણ વેન્ટિલેટર પર છે.
Delhi | Flood water enters Sushruta Trauma Centre at Metcalf Road in Delhi. 40 patients admitted here, including three on ventilators, are being shifted to LNJP hospital: MD Dr Suresh Kumar to ANI
— ANI (@ANI) July 13, 2023
યમુનાના જળસ્તરમાં કોઈ ઘટાડો થયો નથી
છેલ્લા એક કલાકથી દિલ્હીમાં યમુના નદીના જળસ્તરમાં કોઈ ઘટાડો થયો નથી.બપોરે એક વાગ્યે પાણીનું સ્તર 208.62 મીટર હતું, જે બપોરે બે વાગ્યા સુધી અહીં જોવા મળ્યું હતું.
Delhi | No changes recorded in the water level of river Yamuna in the past one hour.
The water level at 1 pm was recorded as 208.62 metres, it was found to be the same even at 2 pm.
— ANI (@ANI) July 13, 2023
એડિશનલ ડીસીપી અચિત ગર્ગે પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી
વધારાના ડીસીપી અચિત ગર્ગે પૂર પ્રભાવિત યમુના કાંઠા વિસ્તારની મુલાકાત લીધી હતી અને નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને બચાવ્યા હતા. તેમજ વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
#WATCH | Delhi: Additional DCP Achin Garg visits Yamuna Bank to review current situation & rescue people residing in low lying areas near the river bank pic.twitter.com/Yd7y6NKC8h
— ANI (@ANI) July 13, 2023
વિદ્યાર્થીઓને સલામત સ્થળે મોકલ્યા
યમુના બજારના દાંડી આશ્રમમાં રોકાયેલા હરિદ્વારની મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને દિલ્હી પોલીસે બચાવીને સલામત સ્થળે મોકલ્યા હતા. બીજી તરફ ગઢી માંડુ વિસ્તાર પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે.
દિલ્હી ટ્રાફિક પોલીસ દ્વારા એડવાઈઝરી જારી કરવામાં આવી છે
ગીતા કોલોની પુષ્ટા રોડ સ્મશાન ભૂમિથી ગાંધી નગર તરફનો જૂનો લોખંડનો પુલ યમુના નદીમાં પાણીનું સ્તર વધી જતાં તેને ડાયવર્ટ કરવામાં આવ્યો છે.
ICCનો ઐતિહાસિક નિર્ણય, મહિલાઓને પણ પુરૂષોની જેટલી જ ઈનામની રકમ મળશે
ડરબનમાં ચાલી રહેલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદની ICC વાર્ષિક કોન્ફરન્સમાં મહિલા અને પુરુષોની ICC ઈવેન્ટને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મહિલા ક્રિકેટને નવી ગતિ આપવા માટે, ICCએ હવે પુરૂષોની ઈવેન્ટમાં મળતી ઈનામી રકમની જેમ જ મહિલા ઈવેન્ટ્સમાં પણ ઈનામી રકમ આપવાનો નિર્ણય કર્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહે ICCના આ નિર્ણય અંગે ટ્વીટ કરીને ખુશી વ્યક્ત કરી છે.
JUST IN: Equal prize money announced for men’s and women’s teams at ICC events.
Details 👇
— ICC (@ICC) July 13, 2023
અત્યાર સુધી મહિલાઓને ICC ઈવેન્ટ્સમાં પુરૂષોની સરખામણીમાં સમાન ઈનામની રકમ મળતી નહોતી. હવે વર્ષ 2030 સુધીમાં આ વસ્તુને સમાન બનાવી દેવામાં આવશે. હવે ODI, T20 અને અન્ય ICC ટૂર્નામેન્ટ જે પુરુષો અને મહિલાઓમાં રમાય છે તેમાં સમાન ઈનામી રકમ જોવા મળશે.
𝐒𝐭𝐚𝐫𝐭 𝐨𝐟 𝐚 𝐧𝐞𝐰 𝐝𝐚𝐰𝐧. 𝐀𝐧 𝐞𝐫𝐚 𝐨𝐟 𝐞𝐪𝐮𝐚𝐥𝐢𝐭𝐲 & 𝐞𝐦𝐩𝐨𝐰𝐞𝐫𝐦𝐞𝐧𝐭
I am thrilled to announce that a major step towards gender parity & inclusivity has been undertaken. The prize money at all @ICC events will be same for men & women. Together we grow.…
— Jay Shah (@JayShah) July 13, 2023
આ નિર્ણય અંગે ICCના અધ્યક્ષ ગ્રેગ બાર્કલેએ કહ્યું કે અમારા માટે આ એક મોટો અને ઐતિહાસિક નિર્ણય છે અને મને ખુશી છે કે હવે ICC ઈવેન્ટ્સમાં પુરુષ અને મહિલા ખેલાડીઓને સમાન ઈનામી રકમ મળશે. 2017 થી, અમે સમાન ઈનામની રકમ સુધી પહોંચવા પર સ્પષ્ટ ધ્યાન કેન્દ્રિત કરીને દર વર્ષે મહિલાઓની ઈવેન્ટ્સમાં ઈનામની રકમમાં વધારો કર્યો છે.
બીસીસીઆઈના સચિવ જય શાહે ખુશી વ્યક્ત કરી હતી
આ ઐતિહાસિક નિર્ણય અંગે બીસીસીઆઈના સચિવ જય શાહે ટ્વીટ કરીને ખુશી વ્યક્ત કરી હતી કે હું આ નિર્ણયથી ખૂબ જ ખુશ છું, હવે પુરૂષ અને મહિલા ટીમો વચ્ચેનો ભેદભાવ સંપૂર્ણપણે નાબૂદ થઈ ગયો છે. બંને ટીમ હવે સાથે મળીને આગળ વધી શકશે. હું આ નિર્ણય અંગે બોર્ડ સાથે સંકળાયેલા તમામ સભ્યોનો આભાર માનું છું.


