મુંબઈઃ ધી કાંદિવલી એજ્યુકેશન સોસાયટી સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધલક્ષી વિદ્યાલય દ્વારા આયોજિત ‘સર્જક સાથે સંવાદ’ કાર્યક્રમમાં તા. ૩ ઓગષ્ટ ૨૦૨૩, ગુરુવારના દિવસે સવારે ૧૧ થી ૧૨ દરમિયાન કવિ મુકેશ જોષીને આમંત્રિત કરવામાં આવ્યા હતા. ડૉ. અંજલિ શાહે આ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું તેમજ શિક્ષિકા કેતકી બહેને કવિ પરિચય આપ્યો હતો.
કવિ મુકેશ જોષીએ ‘કેટલા વર્ષે હું આવ્યો છું ગામ’ કાવ્યનું પઠન કર્યું હતું અને પોતાનો અનુભવ અભિવ્યક્ત કરતા કહ્યું કે, તેઓ બાળપણમાં લખોટીથી રમતા, દુરબીનમાં આભ જોતા, ભમરડો ફેરવતા, કચુકાઓ ખાતા… એવા વૈભવી બાળપણનાં સંસ્મરણો જોષીએ બાળકો સાથે બાળક બનીને વાગોળ્યા હતા.
“ગિલ્લી-દંડામાં અંચાઇ કરી દોસ્તને,
દુ:ખે છે હજી મને ઘાવ, મરણોત્તર સન્માનો આપી શકાય છે…”
નાનપણમાં ગિલ્લી – દંડાનો દાવ આપ્યા વગર ભાગી ગયા હતા અને પાછળથી ખબર પડી કે એ મિત્રનું અવસાન થઈ ગયું ત્યારે દુઃખી થઈને આ પંક્તિની રચના કરી હતી, એમ કવિ જોષીએ કહ્યું.
એમણે પોતાની વાણીના અસ્ખલિત પ્રવાહથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. કવિતા કેવી રીતે લખાય એની ગુરુચાવી આપતા તેમણે કહ્યું કે, “પ્રાસ રચવાના પ્રયત્ન સાથે લાગણીઓના તાણાવાણા જોડતા જવાથી એક દિવસ કવિતા લખતાં આવડી જશે.”
ગુજરાતી માધ્યમના ધોરણ ૮,૯ અને ૧૦નાં વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોએ આ કાર્યક્રમનો આનંદ માણ્યો હતો. ધી કાંદિવલી એજ્યુકેશન સોસાયટીના વાઈસ પ્રેસિડેન્ટ મહેશ ભાઈ શાહ, ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર સંગીતા શ્રીવાસ્તવ અને પ્રાથમિક શાળાના આચાર્યા કવિતા મારુએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. શિક્ષિકા દિપ્તી રાઠોડે આભારવિધિ કરી હતી.
પુણેઃ અહીંના આંતરરાષ્ટ્રીય એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાયાના સમાચારથી ખળભળાટ મચી ગયો છે. એને કારણે આખા પુણે શહેરની પોલીસ સતર્ક થઈ ગઈ છે. પોલીસનું કહેવું છે કે દિલ્હીનિવાસી નીતા પ્રકાશ કૃપલાની નામની એક મહિલાએ આ ધમકી આપી હતી. પોલીસે તેની વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સંબંધિત મહિલા 72 વર્ષની છે અને તે પુણે એરપોર્ટ પર આવી હોવાનું કહેવાય છે. તે ગઈ કાલે બપોરે અઢી વાગ્યાની આસપાસ એરપોર્ટ ખાતે આવી હતી. તે વખતે દીપાલી ઝાવરે નામની મહિલા સિક્યુરિટી ગાર્ડે તેની પૂછપરછ કરી હતી ત્યારે તે મહિલાએ એમ કહ્યું હતું કે એનાં શરીર પર ચારેબાજુ બોમ્બ મૂકવામાં આવ્યા છે. તે મહિલા દિલ્હીની ફ્લાઈટમાં જવાની હતી, પણ દીપાલી ઝાવરેએ નોંધાવેલી ફરિયાદને પગલે એરપોર્ટ પોલીસે નીતા નામની મહિલા સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
શરીર પર બોમ્બ મૂક્યાનો તે મહિલાનો દાવો માત્ર અફવા ફેલાવવા માટેનો જ હતો એવું પોલીસનું કહેવું છે. એરપોર્ટ પોલીસે તે મહિલાને નોટિસ મોકલી છે, પરંતુ એની તરફથી જવાબ ન આવતાં હવે એની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પુણે એરપોર્ટ ખાતે સુરક્ષા બંદોબસ્ત વધારે કડક બનાવી દેવામાં આવ્યો છે.
વારાણસીઃ ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (ASI)એ વારાણસીની જ્ઞાનવાપી પ્રાંગણમાં સર્વે શરૂ કરી દીધો છે. જ્ઞાનવાપી મસ્જિદની આસપાસ સુરક્ષા કરવામાં આવી છે. અલાહાબાદ હાઇકોર્ટે ASIને સર્વેક્ષણ કરવાની મંજૂરી આપી છે.જ્ઞાનવાપી મસ્જિદમાં ASI સર્વે પર હિન્દુ પક્ષના વકીલ સુધીર ત્રિપાઠીએ કહ્યું હતું કે મુસ્લિમ પક્ષે સર્વે રોકવા માટે સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં છે. આ વખતે ASIની ટીમમાં 61 સભ્યો છે.
ASIની ટીમ બે શિફ્ટમાં કામ કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર પાસે મંજૂરી માગી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સાંજે સાત કલાક સુધી ASI સર્વે કરશે.હિંદુ પક્ષ ASI સાથે અંદર ગયો છે, જ્યારે મુસ્લિમ પક્ષે સર્વેમાં સામેલ થવાનો ઇનકાર કરી દીધો છે. મુસ્લિમ પક્ષ જ્ઞાનવાપી સુધી પહોંચ્યો ન હતો. જુમાને જોતાં રાજ્યમાં હાઈ એલર્ટ રાખવામાં આવ્યું છે. જ્ઞાનવાપીની આસપાસ મોટી સંખ્યામાં ફોર્સ તહેનાત કરવામાં આવી છે.
આ પહેલાં અલાહાબાદ હાઈકોર્ટે ASIને જ્ઞાનવાપીનું વૈજ્ઞાનિક સર્વેક્ષણ કરવાની પરવાનગી આપી હતી. જસ્ટિસ પ્રીતિંકર દીવાકરે કહ્યું હતું કે’ન્યાયના હિતમાં સર્વે જરૂરી છે.અંજુમન ઈન્તેજામિયા મસ્જિદ કમિટીની સર્વેને રોકવાની અરજી કોર્ટે ફગાવી દીધી હતી. આ દરમિયાન મુસ્લિમ પક્ષે હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. આજે સુનાવણી થશે.
એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ (સિટી) આલોક કુમાર વર્માએ સર્વે ટીમ સાથે હિન્દુ પક્ષના સાત અને મુસ્લિમ પક્ષના નવ લોકોને અંદર જવાની મંજૂરી આપી છે. જોકે હવે કોઈ ખોદકામ નહીં, GPR ટેક્નોલોજીનો ASI ઉપયોગ કરશે,
તમે ક્યારેય રાક્ષસોને જોયા છે? શું માથા પર સિંગડા હોય, બે દાંત આગળ હોય અને કદાવર કાયા હોય તો જ એમને રાક્ષસ કહેવાય? બની શકે, સાચા રાક્ષસો એવા ન પણ હોય. માથા પર સિંગડા કોને હોય? બસ એવી વિચારધારા ધરાવતા હોય. મનથી વિકરાળ હોય અને લોભ, સ્વાર્થ જેવી ભાવનાઓ ઠાંસી ઠાંસીને ભરી હોય. આવા માણસોને પણ રાક્ષસ કહી શકાય? પોતાના સ્વાર્થ માટે જે અન્યનું નુકશાન કરે છે એ બધાને રાક્ષસ ગણી શકાય. હવે આપણી આસપાસ નજર કરો. તમે જે જવાબ વિચાર્યો હતો એ કદાચ બદલાઈ જશે. માણસનો પહેલો ગુણધર્મ માણસાઈ છે. તમારી આસપાસ માણસો કેટલા નજરે ચડે છે?
મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.
સવાલ: હું એક સોસાયટીમાં રહું છું. છેલ્લા ઘણા સમયથી અહીં પ્રોપર્ટીના ભાવ વધતા નથી. એનું કારણ એ છે કે જેટલી પણ કમિટી આવી એ આગળની કમિટીના આર્થિક ગોટાળા પકડીને આવી. અને પોતે નવા ગોટાળા કર્યા. જેના કારણે મેઇન્ટેનન્સ પણ ખુબ વધી ગયું છે. એ ઉપરાંત ડેવલપમેન્ટ ચાર્જ પણ ઉઘરાવવામાં આવે છે. અને ગુંડાઓ જેમ ખંડણી ઉઘરાવે એ જ રીતે ચેરમેનના સગાઓ મંડી પડે છે. કોઈ વિરોધ કરે તો રંજાડે છે. સરકાર અને ધનવાન વ્યક્તિઓ એમના મિત્રો છે એવી ધમકીઓ આપી અને બધાને દબાવી દીધા છે. જેમ ખુંટ આખા ધણનો ચારો ચરી જાય એમ એક ઉત્તર ભારતીય વ્યક્તિ સતત પૈસા માંગીને ધમકીઓ આપે છે. અમે રાજકીય જગ્યાએ રજૂઆત કરી પણ કોઈ પ્રતિભાવ નથી. શું બધે આવી અરાજકતા જ રહેવાની? શું આત્મહત્યા સિવાય કોઈ રસ્તો જ નથી? અમે તો એક સ્ત્રીને મત આપેલો. અમને શું ખબર કે એનો પતિ અમારા માથે ત્રાસ ગુજારશે?
જવાબ: સર્વ પ્રથમ તો કોઈ પણ સમસ્યામાં મન શાંત રાખીને જ વિચાર કરાય. આપનો પત્ર ખુબ લાંબો છે એટલે જરૂરી મુદ્દા જ લીધા છે. પણ એનો સારાંશ છે કે છેલ્લા પંદર વરસથી આખી સોસાયટીએ જેમણે પૈસા ખાધા એમની પાસેથી પૈસા પાછા માંગ્યા જ નથી. એટલે હવે એ પરંપરા બની ગઈ છે કે રાજ કરો અને પૈસા ખાવ. સંસ્કાર એટલે ચુપ બેસી અને અત્યાચાર સહન કરવા એવું ક્યાંય લખ્યું નથી. તમારી સોસાયટીમાં બધાને સારા દેખાવું છે. એટલે વિરોધ પણ ખાનગીમાં થાય છે. હવે નવી કમિટી આવી છે એમનો ઉદ્દેશ્ય જ પૈસા બનાવવાનો હોય એવું પણ શક્ય છે. કારણકે એમને વિશ્વાસ છે કે કોઈ કશું જ નહિ કરે. એવું પણ બને કે થોડા સમય પછી એ લોકો ધકીઓ આપીને લુંટફાટ કરે. માનસિક નપુંસકતા એ પણ એક રોગ છે. જ્યાં માણસો માનવતા ભૂલી ગયા હોય એવી જગ્યાએ ન જ રહેવાય. તમે રજૂઆત કરી પણ પરિણામો ન મળ્યા કારણકે તમે માત્ર ખાનગીમાં રજુઆતો કરી. હિંમત કરીને બધાને કહેવાનું શરુ કરો. નવી જગ્યાએ આવા લોકો નહિ હોય એની કોઈ ગેરન્ટી નથી જ. પણ જ્યાં ભૂખ્યા વરુઓ રહેતા હોય ત્યાં ન જ રહેવાય. આત્મહત્યા એ ઉપાય નથી. તમારા મરવાથી આવા રીઢા લોકોને કોઈ જ ફર્ક નહિ પડે. એ રાજી થાય એવું પણ બને. તમે પોતેજ કહ્યું છે કે સોસાયટીમાં બધા દબાઈ ગયા છે. એટલે એ લોકો પણ તમારા જવાથી દુખી નહિ થાય.
તમારી સોસાયટીના ભાવ નથી વધતા. એટલે પણ આવી જગ્યાએ ઇન્વેસ્ત્મેન્ટ ન રખાય. તમે જેને ધણ ખુંટ કહો છો એ સુધરશે? એ જે માણસોના નામ આપે છે એમને કદાચ આના કરતૂતો ન પણ ખબર હોય. આજ કાલ સાથે ખાતા પિતા લોકો પણ મિત્રો બની જાય છે. પછી કોઈ કાંડ થાય એટલે સાબિત કરવાની ધમાલ ઉભી થાય કે અમે એને નથી ઓળખતા. વળી કર્મનો સિદ્ધાંત કામ કરે જ છે. ભલે તમારી કમિટી વાળા એમાં વિશ્વાસ ન રાખતા હોય. ઈશ્વરના દરબારમાં ન્યાય થાય જ છે. જે માણસ જેટલો ઉપર ચડે છે એટલો જ પડવાનો ભય વધે છે. મહામૃત્યુંન્જયના મંત્ર કરો.
સવાલ: અમારી ઉપર એક બહેન રહે છે. એમના પતિ નથી. એ લોકો ડુંગળી લસણ પણ નથી ખાતા. પણ ખુબ હેરાન કરે છે. ઉપરથી એમના એસીની પાઈપો અમારી બાલ્કની સુધી ટીંગાડી છે. અમારી બર્ડનેટ કાપી નાખે છે. સિગરેટના ઠુંઠા, દારૂની બોટલો, હાડકા આવું બધું જ કોમન ડકટમાં નાખે છે. અમારી સોસાયટીમાં મોટા ભાગના લોકો એમની ધાર્મિક વિચારધારા વાળા છે. અમને પીછડે હુએ લોગ કહીને હેરાન કરે છે. ક્યારેક તો થાય છે કે સામુહિક આત્મહત્યા કરી લઈએ. થાકી ગયા છીએ આવા ઢોંગી લોકોથી. કોઈ ઉપાય સૂચવો તો સારું.
જવાબ: ધર્મ એટલે શું? માનવતા વાદી વિચારધારા. પણ હવે વાડાઓ બનતા જાય છે. માણસને મોજશોખ કરવા છે, પણ સજ્જન હોવાનું નાટક કરી ને. જીભના ચટાકાને નિયમો નડે ત્યારે આવી વ્યવસ્થા સર્જાય. વળી એમનો ઢોંગ તમે પકડી પાડો તો તોફાન આવી જાય. ભૂલ તમારી નથી. એમના વિચારો ખોટા છે. સોસાયટી એટલે ભાઈચારા સાથે જીવતો સમુદાય. તમારી સોસાયટી તો પોલીટીકલ અખાડો બની ગઈ છે. જ્યાં એક જ ધર્મના લોકો અલગ અલગ વિચારધારાના કારણે એક બીજાને રંજાડી રહ્યા છે. કોઈ પણ ધર્મ આવી બાબતોને સમર્થન નથી આપતો. કોઈનું મન પણ દુભાવવામાં આવે તો એ નકારાત્મક જ ગણાય છે. જો કે તમારા પાડોસી એ નહિ સમજે. એ તો પોતાના જ ધર્મના સિદ્ધાંતોને નથી સમજ્યા. તમારી સોસાયટીનું દ્વાર નકારાત્મક છે. જેના માટે તમે કશુજ નહિ કરી શકો. શિવલિંગ પર પાણી, દૂધ, પંચામૃત, સરસો, કેવડાના અત્તરથી અભિષેક કરો.
સુચન: ધાર્મિક નહિ આધ્યાત્મિક બનો, ઈશ્વર ચોક્કસ આપની સાથે રહેશે.
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 77 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક જણનું મોત થયું છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,95,802 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.
દેશમાં અત્યાર સુધી 5,31,918 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,62,406 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 25 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1532એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 36,451 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.39 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.
દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,54,577 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 374 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.
ટીમ ઈન્ડિયાએ પાંચ મેચની T20 શ્રેણીમાં હાર સાથે શરૂઆત કરી હતી. યજમાન વેસ્ટ ઈન્ડિઝે તેને રોમાંચક મેચમાં ચાર રનથી હરાવ્યું હતું. વિન્ડીઝના કેપ્ટન રોવમેન પોવેલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તેની ટીમે 20 ઓવરમાં છ વિકેટે 149 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા 150 રનના આસાન લક્ષ્યાંકને હાંસલ કરી શકી ન હતી અને 20 ઓવરમાં નવ વિકેટે 145 રન જ બનાવી શકી હતી.
આ મેચમાં ભારતીય બેટ્સમેનોએ નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું. નવોદિત તિલક વર્મા સિવાય બધા નિરાશ થયા. ટીમ માટે તિલકે સૌથી વધુ 39 રન બનાવ્યા હતા. તેના સિવાય કોઈ બેટ્સમેન 30 રનનો આંકડો પાર કરી શક્યો નહોતો. ધીમી વિકેટ પર ભારતીય બેટ્સમેનો સેટ થયા બાદ આઉટ થતા રહ્યા. ટીમને આનો માર સહન કરવો પડ્યો હતો. સૂર્યકુમાર યાદવે 21, કેપ્ટન હાર્દિક પંડ્યાએ 19, અક્ષર પટેલે 13, સંજુ સેમસન અને અર્શદીપ સિંહે 12-12 રન બનાવ્યા હતા. ઈશાન કિશન છ અને શુભમન ગિલ ત્રણ રન બનાવીને આઉટ થયા હતા.
ભારતે જીતવા માટે છેલ્લી પાંચ ઓવરમાં 37 રન બનાવવાના હતા. તે સમયે ટીમનો સ્કોર ચાર વિકેટે 113 રન હતો. હાર્દિક પંડ્યા અને સંજુ સેમસન ક્રિઝ પર હતા. અહીંથી એવું લાગતું હતું કે ટીમ ઈન્ડિયા સરળતાથી ટાર્ગેટ મેળવી લેશે, પરંતુ એવું થયું નહીં. હાર્દિક પંડ્યાના રૂપમાં ટીમને પાંચમો ઝટકો લાગ્યો છે. જે બાદ સંજુ સેમસન રન આઉટ થતા જ ટીમની આશા ખતમ થઈ ગઈ હતી. અર્શદીપે છેલ્લી ઓવરમાં કેટલાક શાનદાર શોટ લગાવ્યા, પરંતુ તે ટીમને જીત અપાવવા માટે પૂરતા નહોતા. બંને ટીમો વચ્ચે શ્રેણીની બીજી મેચ રવિવારે (6 ઓગસ્ટ) ગુયાનામાં રમાશે.