Home Blog Page 2617

કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી લોકસભાની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ

કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીને ગુરુવારે લોકસભાની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જ્યાં સુધી મામલો વિશેષાધિકાર સમિતિ પાસે પેન્ડિંગ છે અને જ્યાં સુધી તપાસ રિપોર્ટ આવે ત્યાં સુધી તેઓ ગૃહમાંથી સસ્પેન્ડ રહેશે. અધીર રંજન ચૌધરીએ લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન પીએમ મોદી પર ટિપ્પણી કરી હતી. વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ ગૃહમાં પડયો છે. સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ ગૃહમાં ઠરાવ રજૂ કરતા કહ્યું કે, કોંગ્રેસના નેતાઓ દર વખતે દેશ અને સરકારની છબીને બગાડવાનો પ્રયાસ કરે છે. અમે તે દરમિયાન માફીની માંગણી કરી હતી, પરંતુ તેણે માફી માંગી ન હતી. તેમની સામે દરખાસ્ત લાવવામાં આવી હતી જે સ્વીકારવામાં આવી હતી. સ્પીકરે કહ્યું કે અધીર રંજન ચૌધરીની વર્તણૂક ગૃહને અનુરૂપ નથી.

નવા નીરવ મોદીને જોવાનો શું ફાયદો

સસ્પેન્ડ થયા બાદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે તેમને વોક આઉટ કરવું પડ્યું કારણ કે આજે પણ મણિપુરના મુદ્દે પીએમ ‘નીરવ’ રહ્યા છે, તેથી મેં વિચાર્યું કે નવા ‘નીરવ મોદી’ને જોવાનો શું ફાયદો છે. પીએમ મોદી કહે છે કે આખો દેશ તેમની સાથે છે તો પછી તેઓ કોંગ્રેસથી કેમ ડરે છે. કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ કહ્યું કે અગાઉ AAP સાંસદો સંજય સિંહ અને રિંકુ સિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. હવે અધીર રંજન ચૌધરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભાજપ ઈન્ડિયા એલાયન્સને તેનો અવાજ ઉઠાવતા રોકવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ અમે પાછળ હટીશું નહીં. મણિપુરને પીઠ બતાવી. આજે સમગ્ર મણિપુર રાજ્ય પીએમના શબ્દોથી અસંતુષ્ટ છે.


અધીર રંજન ચૌધરીએ શું કહ્યું?

અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું હતું કે અવિશ્વાસ પ્રસ્તાવની શક્તિએ આજે ​​વડાપ્રધાનને સંસદમાં લાવ્યા છે. અમારામાંથી કોઈ આ અવિશ્વાસ પ્રસ્તાવ વિશે વિચારતું ન હતું. અમે માત્ર એટલું જ માંગણી કરી રહ્યા હતા કે પીએમ મોદી સંસદમાં આવે અને મણિપુર મુદ્દે બોલે. અધીર રંજન ચૌધરીએ પીએમ મોદી વિશે કહ્યું કે જ્યારે ધૃતરાષ્ટ્ર અંધ હતા ત્યારે દ્રૌપદીના વસ્ત્રો અપહરણ કરવામાં આવ્યા હતા, આજે પણ રાજા આંધળા જ છે. મણિપુર અને હસ્તિનાપુર વચ્ચે કોઈ ફરક નથી. નરેન્દ્ર મોદી નીરવ મોદીની જેમ ચૂપચાપ બેઠા છે. ભાજપે મણિપુરના સાંસદને સંસદમાં બોલવાની તક આપી ન હતી.


અધીર રંજન ચૌધરીના નિવેદન પર હોબાળો

કોંગ્રેસ નેતાના આ નિવેદન બાદ ગૃહમાં હોબાળો શરૂ થયો હતો. તે જ સમયે, સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ ગૃહમાં કહ્યું કે વડા પ્રધાન ઉચ્ચ અધિકારી છે. આનો અંત આવવો જોઈએ અને તેણે માફી માંગવી જોઈએ. વડાપ્રધાન સામેના પાયાવિહોણા આરોપોને સ્વીકારી શકાય નહીં. તેના પર લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે તેને રેકોર્ડમાંથી બહાર કાઢવામાં આવ્યું છે.

કેન્દ્ર સરકારે ધ્વનિ મતથી અવિશ્વાસ પ્રસ્તાવ જીતી લીધો

ગુરૂવારે લોકસભામાં મોદી સરકાર વિરુદ્ધ વિપક્ષી ગઠબંધન ‘ભારત’ દ્વારા લાવવામાં આવેલ અવિશ્વાસ પ્રસ્તાવ નિષ્ફળ ગયો હતો. કેન્દ્ર સરકારે ધ્વનિ મતથી અવિશ્વાસ પ્રસ્તાવ જીતી લીધો.

 

અવિશ્વાસ પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 2018માં, ગૃહના નેતા તરીકે, મેં તેમને 2023માં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનું કામ સોંપ્યું હતું. હવે હું તેમને 2028 માં લાવવાનું કામ આપી રહ્યો છું, પરંતુ ઓછામાં ઓછી થોડી તૈયારી કરીને આવો. જેથી જનતાને લાગે કે કમ સે કમ તે વિરોધને લાયક છે.

પોલીસે મ્યૂઝિક કંપનીના સીઈઓને અપહરણકારોના સકંજામાંથી ઉગાર્યા

મુંબઈઃ અહીંના ગોરેગાંવ ઉપનગરમાં એક ઉદ્યોગપતિનું કથિતપણે અપહરણ કરવા બદલ પોલીસે બોરીવલી (પૂર્વ)ના માગાઠાણે મતવિસ્તારમાં શિવસેના પાર્ટી (શિંદે જૂથ)ના વિધાનસભ્ય પ્રકાશ સુર્વેના પુત્ર રાજ સુર્વે તથા બીજા આશરે 15 જણ સામે ગુનો નોંધ્યો છે.

38 વર્ષના અને ગોરેગાંવ (પૂર્વ)માં રહેતા ગ્લોબલ મ્યૂઝિક જંક્શન પ્રા.લિ. કંપનીના સીઈઓ રાજકુમાર જગદિશ સિંહે કરેલી ફરિયાદને પગલે પોલીસે આ વ્યક્તિઓ સામે એફઆઈઆર નોંધી છેઃ મનોજ મિશ્રા, પદમાકર, રાજ સુર્વે, વિકી શેટ્ટી અને બીજી 10-15 અજ્ઞાત વ્યક્તિઓ. આ તમામ સામે ઈન્ડિયન પીનલ કોડ અને આર્મ્સ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જેમ કે, અપહરણ કરી બાનની રકમ માગવી, હુમલો કરવો, ગેરકાયદેસર રીતે એકઠા થવું, રમખાણ કરવું, ઈરાદાપૂર્વક કોઈનું અપમાન કરવું, ક્રિમિનલ ધમકી આપી, જીવલેણ અને પ્રતિબંધિત શસ્ત્રો રાખવા.

PM મોદીનો વિપક્ષ પર પ્રહાર, “તમે INDIA નહીં ઘમંડિયા”

PM મોદી અવિશ્વાસ પ્રસ્તાવનો જવાબ આપી રહ્યા છે. અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર જોરદાર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું, ‘ભારતે આતંકવાદ પર સર્જિકલ હુમલો કર્યો. વિપક્ષને ભારતની સેના પર વિશ્વાસ ન હતો પરંતુ દુશ્મનોના દાવા પર છે. દુનિયામાં જો કોઈ ભારત માટે ખરાબ શબ્દો બોલે છે તો તેને તરત જ પકડી લે છે. દેશના નાગરિકોએ ભારતીય રસીમાં વિશ્વાસ વ્યક્ત કર્યો પરંતુ વિપક્ષે વિશ્વાન ન કર્યો. વિપક્ષને ભારતના લોકો અને ભારતની ક્ષમતામાં વિશ્વાસ નથી.

 

વિપક્ષ સામે જનતામાં ‘અવિશ્વાસ’

વડાપ્રધાને કહ્યું, ‘દેશના લોકોમાં કોંગ્રેસમાં અવિશ્વાસની લાગણી ખૂબ જ ઊંડી છે. કોંગ્રેસ પોતાના અભિમાનમાં ચકનાચૂર થઈ ગઈ છે. જ્યારે પીએમ મોદી ગૃહને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે વિપક્ષી સાંસદો મણિપુર પર બોલવા માટે નારા લગાવી રહ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાને કહ્યું કે વિપક્ષી દળોએ સાથે મળીને બેંગલુરુમાં યુપીએના અંતિમ સંસ્કાર કર્યા. મારે પહેલા મારી સંવેદના વ્યક્ત કરવી જોઈતી હતી પરંતુ વિલંબ મારી ભૂલ નથી. તમારી ભૂલ છે કારણ કે એક તરફ તમે યુપીએનો કાર્યક્રમ કરી રહ્યા હતા, તો બીજી તરફ તમે ઉજવણી કરી રહ્યા હતા. તમે ખંડેર પર નવું પ્લાસ્ટર કરીને ઉજવણી કરી રહ્યા હતા. તમે દાયકાઓ જૂના ખટારા વાહનને ઇલેક્ટ્રિક વાહન તરીકે બતાવવા માટે આ ઇવેન્ટનું આયોજન કર્યું હતું. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું, ‘તિરંગા ઝંડાની શક્તિ જોઈને તેમણે તેને પાર્ટીનું પ્રતીક બનાવી દીધું. લોકોને રીઝવવા ગાંધીનું નામ ચોર્યું. ચૂંટણી ચિહ્ન ગાય અને વાછરડાની ચોરી કરી. આ I.N.D.I.A ગઠબંધન નથી, તે ઘમંડી ગઠબંધન છે. દરેક વ્યક્તિ વરરાજા બનવા માંગે છે. દરેક વ્યક્તિએ વડાપ્રધાન બનવું છે.

ચોથા નંબર પર કોને રમાડવો તે સમસ્યા છેઃ રોહિતનો એકરાર

મુંબઈઃ યૂવરાજ સિંહ નિવૃત્ત થયો તે પછી ભારતની વન-ડે ઈન્ટરનેશનલ ટીમમાં મહત્ત્વના એવા ચોથા ક્રમે બેટિંગ માટે યોગ્ય બેટર હજી સુધી મળ્યો નથી. આ નંબર પર સેટ થવામાં કોઈ બેટર સફળ થયો નથી, એમ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ આજે જણાવ્યું છે. એશિયા કપ અને વર્લ્ડ કપ સ્પર્ધાઓ પૂર્વે તેણે આ મુદ્દે પોતાની ચિંતા વ્યક્ત કરી છે.

50-ઓવરોવાળી વર્લ્ડ કપ-2023 આડે હવે માત્ર બે જ મહિના બાકી રહ્યા છે ત્યારે ટીમ ઈન્ડિયા ચોથા ક્રમ માટે યોગ્ય બેટરને શોધવામાં હજી ઝઝૂમી રહી છે. આ સમસ્યા 2019માં ઈંગ્લેન્ડમાં રમાઈ ગયેલી વર્લ્ડ કપ વખતે પણ ભારતીય ટીમને નડી હતી. ‘શ્રેયસ ઐયર 20 મેચોમાં ચોથા ક્રમે રમ્યો હતો અને સારો દેખાવ કર્યો હતો. એણે 47.35ની સરેરાશ સાથે 805 રન કર્યા હતા અને બે સદી તથા પાંચ અડધી સદી પણ ફટકારી હતી. પરંતુ ઈજાને કારણે એ લાંબા સમયથી ટીમની બહાર છે, કે.એલ. રાહુલ વિકેટકીપર-બેટર તરીકે પાંચમા ક્રમના બેટર તરીકે ટીમનો વિકલ્પ બન્યો છે. ચોથા ક્રમે ઘણા બેટર આવ્યા અને રમી ગયા, પરંતુ અમુક ઈજાઓને કારણે અનુપલબ્ધ થયા તો અમુક ફોર્મ ગુમાવી બેઠા. હું ઈચ્છું છું કે અમને કેટલાક એવા ખેલાડીઓ મળે જે એશિયા કપમાં દબાણની પરિસ્થિતિમાં ઝળકી શકે,’ એમ રોહિતે વધુમાં કહ્યું છે.

વિપક્ષનો ‘અવિશ્વાસ પ્રસ્તાવ’ અમારા માટે શુભઃ PM મોદી

નવી દિલ્હીઃ સંસદમાં વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર ત્રીજા દિવસે જોરદાર ચર્ચા જારી છે. સંસદને સંબોધતાં વડા પ્રધાન મોદીએ વિપક્ષને આડે હાથ લીધો હતો. તેમણે વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવને સરકાર માટે શુભ જણાવતાં કહ્યું હતું કે એ નક્કી થઈ ગયું છે કે 2024માં અમારી ભવ્ય સરકાર બનવાની છે. તેમણે વિપક્ષના ગઠબંધનને INDIA નહીં, પણ ઘમંડિયા ગઠબંધન ગણાવ્યું હતું. અહીં દરેક જણ વર બનવા ઇચ્છે છે. વડા પ્રધાનના સંબોધન પછી વિપક્ષે વોકઆઉટ કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે દેશની જનતાએ અમારી સરકાર પ્રત્યે વારંવાર જે વિશ્વાસ દાખવ્યો છે, એ માટે હું દેશના કરોડો નાગરિકોનો આભાર વ્યક્ત કરું છું. આ અવિશ્વાસ સરકારનો ફ્લોર ટેસ્ટ નથી, બલકે એ તેમનો ફ્લોર ટેસ્ટ છે. જનતાના આશીર્વાદથી ફરીથી અમારી સરકાર બનશે. રાજકારણ મારા માટે પ્રાથમિકતા છે, તમે કેટલાંય મહત્ત્વનાં બિલો પર ચર્ચા નથી કરી. વિપક્ષને દેશના યુવાઓના ભવિષ્યની ચિંતા નથી, પણ પોતાના રાજકીય ભવિષ્યની ચિંતા છે. દેશની જનતાએ જે કામ માટે મોકલ્યા છે, એ તેમની સાથે વિશ્વાસઘાત છે. વિપક્ષના આચરણ, વ્યવહારથી સિદ્ધ થયું છે કે તેમના માટે દેશથી વધુ પક્ષ છે, દેશથી પહેલાં પ્રાથમિકતા પક્ષની છે. તેમને ગરીબની ભૂખની ચિંતા નથી, પણ સત્તાની ભૂખ સવાર છે, એમ તેમણે કહ્યું હતું.

‘गुड़ का गोबर करने में माहिर हैं अधीर रंजन: PM

તેમણે કોંગ્રેસના રંજન ચૌધરી પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે અધીરની સાથે શું થયું? તેમને બોલવા માટે વધુ સમય અપાયો તો પણ તેમણે ગોળનું ગોબર કર્યું. અમે અધીર બાબુ પ્રત્યે પૂરી સંવેદના વ્યક્ત કરીએ છીએ. તેમણે કહ્યું હતું કે વિપક્ષના લોકોને અવિશ્વાસ છે, જે સચ્ચાઈ વિશ્વ દૂરથી જોઈ રહ્યું છે, પણ આ લોકો અહીં રહીને એને નથી જોઈ રહ્યા.

તેમણે રાહુલ ગાંધી પર હુમલો કરતાં કહ્યું હતું કે તેમના સપનામાં પણ 24 કલાક મોદી જ આવે છે. પરિવારવાદનું નુકસાન સામાન્ય જનતાએ ભોગવવું પડે છે. ગાંધી, પટેલ, આંબેડકર, રાજેન્દ્ર પ્રસાદ અને લોહિતાએ પરિવારવાદનો વિરોધ કર્યો હતો.

 

 

 

 

 

હાઈકોર્ટની રખડતા ઢોર, અનિયંત્રિત ટ્રાફિક મુદ્દે લાલ આંખ

અમદાવાદઃ અમદાવાદ સહિત રાજ્યમાં ખાડાવાળા રસ્તાઓ, રખડતા ઢોર અને અનિયંત્રિત ટ્રાફિકની સમસ્યા મુદ્દે થયેલી અરજી પર હાઇકોર્ટે લાલ આંખ કરી છે હાઈકોર્ટે કહ્યું છે કે કાયદો તોડવાવાળા બેફામ બન્યા છે. ત્યારે સરકારે કડક હાથે કામ લેવું જોઈએ.

રાજ્યના રખડતા ઢોરનો ત્રાસ હજી યથાવત્. છે. લોકો દારૂ પીને બેફામ ગાડી હંકારે છે. રાજ્યમાં હીટ એન્ડ રન સહિત અકસ્માતના કેસોમાં વધારો થઈ રહ્યો છે.  પોલીસ માત્ર અલગ-અલગ ડ્રાઇવ કરીને સંતોષ માને એ પૂરતું નથી. પોલીસે એની સક્રિયતા દાખવવી જોઈએ. ટાયર કિલર્સનો તોડ શોધ્યો તેવા લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.  બીજી બાજુ, CCTV યોગ્ય રીતે નહીં ચાલતા હોવાની પણ કોર્ટે ટકોર કરી છે.

કોર્ટે નોંધ્યું હતું કે રખડતા ઢોર મુદ્દે સરકાર હજી હળવા હાથે કામગીરી કરી રહી છે. શહેરમાં રસ્તાઓની સ્થિતિ દયનીય છે, જ્યારે રસ્તા ઉપર સામાન્ય રાહદારીને પિક અવર્સમાં ચાલવું દોહ્યલું બની રહ્યું છે. આ સાથે ચાલુ વાહને મોબાઇલનો ઉપયોગ, સીટબેલ્ટ નહીં પહેરવો, રોંગ સાઇડ પર વાહનો,  હેલ્મેટ નહીં પહેરવી,  ત્રણ સવારીના કેસો, નો-પાર્કિંગ, BRTS લેનમાં ડ્રાઇવિંગ, ઓટોરિક્ષા ડ્રાઇવર સીટ ઉપર મુસાફરો,  ભારે વાહનના જાહેરનામા ભંગ, ફેન્સી નંબર પ્લેટ,  ઓવરસ્પીડ અને ખતરનાક ડ્રાઇવિંગ અંગેના કેસમાં ટ્રાફિક વિભાગે રૂ. 60 લાખનો દંડ વસૂલ્યો છે, પણ સરકારે ટ્રાફિક વ્યવસ્થા મુદ્દે ઘણી કામગીરી કરવાની બાકી છે.

 

 

 

ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ ગુજરાતના પ્રવાસે આવશે

ભારતના ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. જેમાં ગૃહમંત્રી અમિત શાહ શનિવારે કચ્છમાં અને રવિવારે અમદાવાદ-ગાંધીનગરમાં આવશે. તેમાં કોટેશ્વર મહાદેવના દર્શન કરીને ગુજરાતનો પ્રવાસ આરંભશે. તથા કચ્છના કંડલામાં અને ગાંધીનગરના સરઢવમાં જાહેરસભાને સંબોધશે.

શનિવારે તેઓ કચ્છમાં કોટેશ્વર મહાદેવના દર્શન કરશે

શુક્રવારે લોકસભાનું ચોમાસુ સત્ર પૂર્ણ થયા બાદ ભારતના ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. શનિવારે તેઓ કચ્છમાં કોટેશ્વર મહાદેવના દર્શન કરીને ભારત-પાકિસ્તાન સરદહે નિરીક્ષણ કરશે. રવિવારે તેઓ સંસદિય મતક્ષેત્રમાં અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ વિકાસના કાર્યક્રમોમાં સામેલ થશે. ગૃહમંત્રી અમિત શાહના સત્તાવાર કાર્યક્રમ અંગેની માહિતી ઉપલબ્ધ થઈ નથી પરંતુ, તેઓ શુક્રવારે રાતે દિલ્હીથી સીધા કચ્છ પહોંચશે. જ્યાં નારાયણ સરોવર પાસેના કોટેશ્વર મહાદેવના દર્શન કર્યા બાદ સરહદી ક્ષેત્રોમાં ક્રિક વિસ્તારોમાં નિરીક્ષણ અને સલામતી વ્યવસ્થાઓની સમિક્ષા કરશે.

કડંલા ખાતે ઈફ્કોના નેનો ફર્ટિલાઈઝર પ્લાન્ટનુ ઉદ્દઘાટન કરશે

બાદમાં કડંલા ખાતે ઈફ્કોના નેનો ફર્ટિલાઈઝર પ્લાન્ટનુ ઉદ્દઘાટન કરશે. જ્યાં એક જાહેરસભાનું પણ આયોજન થઈ રહ્યુ છે. કચ્છની મુલાકાત દરમિયાન તેઓ ભૂજ ખાતે જેઆઈસીની પણ મુલાકાત લેશે અને જિલ્લા ભાજપના પદાધિકારીઓ સાથે આગામી લોકસભા ચૂંટણી લક્ષી બેઠક યોજશે તેમ જાણવા મળ્યુ છે. બીજા દિવસે તેઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં વિકાસકાર્યોના લોકાપર્ણના કાર્યક્રમોમાં સામેલ થશે. ગાંધીનગર સંસદિય મતક્ષેત્રમાં રાંધેજામાં હોસ્પિટલ અને સરઢવ ગામે નાગરિક સુવિધાઓના કામોના લોકાપર્ણનું આયોજન કરવામાં આવી રહ્યુ છે.

આઈસ્ક્રીમ સેન્ડવિચ

ક્રિસ્પી કૂકીઝ સાથે આઈસ્ક્રીમની આ વાનગી છે. બાળકોને તો આ વેરાયટી આઈસ્ક્રીમ ખાવાની મઝા પડી જાય તેવી છે!

સામગ્રીઃ

કૂકીઝઃ

  • માખણ 100 ગ્રામ
  • દળેલી ખાંડ ½ કપ
  • મેંદો 1 કપ
  • ચપટી મીઠું
  • ચોકો ચિપ્સ 1 ટે.સ્પૂન

આઈસ્ક્રીમઃ

  • વ્હીપ ક્રીમ 1 કપ
  • કન્ડેન્સ્ડ મિલ્ક 50 મિ.લી.
  • વેનિલા એસેન્સ ½ ટી.સ્પૂન

રીતઃ માખણને રવઈ વડે એક દિશામાં ફેંટી લો. જ્યાં સુધી તે સ્મૂધ ન થઈ જાય. હવે તેમાં દળેલી ખાંડ પણ ઉમેરીને એક દિશામાં હલાવીને એકરસ મેળવી લો. મેંદો ચાળણીથી ચાળીને તેમાં ચપટી મીઠું પણ ઉમેરી દો. ચોકો ચિપ્સ ઉમેરીને તેનો નરમ લોટ બાંધી લેવો.

બે પ્લાસ્ટીક શીટ લેવી. એક ઉપર આ લોટનો ગોલો મૂકી તેની ઉપર બીજું પ્લાસ્ટીક મૂકીને વેલણ વડે જેટલો બને તેટલો પાતળો રોટલો વણો. હવે ઉપરનું પ્લાસ્ટીક ઉપાડી લો અને કૂકી કટરની મદદથી તેમાંથી કૂકી કટ કરતા જાઓ. એક સ્ટીલનું કાણાંવાળું ઢાંકણ લઈ તેને ઘી અથવા બટર વડે ગ્રીસ કરી લો. કટ કરેલાં કૂકીઝને ચપ્પૂ વડે ઉંચકીને આ કાણાં વાળા ઢાંકણ ઉપર આવે તેટલા ગોઠવી લો.

એક ખાલી કઢાઈમાં વાસણ મૂકવાનું સ્ટેન્ડ ગોઠવીને કઢાઈ ઢાંકી દો. આ કઢાઈ ધીમા ગેસ પર 10 મિનિટ માટે ગરમ કરવા મૂકો. ત્યારબાદ કૂકી ગોઠવેલું સ્ટીલનું કાણાંવાળું ઢાંકણ આ કઢાઈના સ્ટેન્ડ પર મૂકીને ઢાંકણ ઢાંકી દો. ગેસની ધીમી આંચ પર 15 મિનિટ સુધી કૂકી બેક થવા દો. ત્યારબાદ તૈયાર થયેલા કૂકીઝ એક પ્લેટમાં કાઢી લો. આજ રીતે બીજા કૂકીઝ પણ તૈયાર કરી લો.

એક બાઉલમાં વ્હીપ ક્રીમ લઈ હેન્ડ બ્લેન્ડર વડે એકદમ સ્મૂધ થઈને મિશ્રણ ફુલી ન જાય ત્યાં સુધી ફેંટી લો. ત્યારબાદ તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક તેમજ વેનિલા એસેન્સ પણ મિક્સ કરી લો. ફ્રીઝીંગ મોલ્ડમાં બટર પેપર ગોઠવીને તેની ઉપર આ મિશ્રણ રેડી દો અને મોલ્ડને પ્લાસ્ટીક પેપર વડે પેક કરીને ઢાંકીને 6 કલાક માટે ફ્રીઝરમાં મૂકો.

6 કલાક બાદ આઈસ્ક્રીમને બહાર કાઢી તેને પણ કૂકી કટર વડે કટ કરતાં જાઓ અને દરેક બે બિસ્કીટની વચ્ચે ગોઠવીને તરત જ ખાવાના ઉપયોગમાં લઈ લો. નહીંતર આઈસ્ક્રીમ પીઘળી જશે!

જો તમને કૂકીઝ નરમ ભાવતા હોય તો આઈસ્ક્રીમ ગોઠવેલાં કૂકીઝને થોડાંક કલાક માટે ફ્રીઝરમાં મૂકી દો અને ત્યારબાદ ખાવામાં લો. કૂકીઝમાં આઈસ્ક્રીમ થોડું પચી જશે અને સ્વાદ પણ વધી જશે!

જો આઈસ્ક્રીમ ઘરે ના બનાવવું હોય તો બહારથી તૈયાર ફેમિલી પેક આઈસ્ક્રીમ લાવીને તેન કટ કરીને ઉપયોગમાં લઈ શકાય છે!’

ગુજરાતમાં ટામેટાના ભાવમાં ઘટાડો થતા લોકોને રાહત થઈ

ગુજરાતની ગૃહિણીઓને રાહત થઇ છે. કારણ કે ટામેટાના ભાવ ઘટ્યા છે. જેમાં ટામેટા સાથે કોથમીરની આવક વધતા રિટેલ કિંમતોમાં રાહતજનક ઘટાડો થયો છે. બે દિવસમાં ટામેટા 160ના કિલોથી ઘટીને રૂ.100ના થયા છે. તેમજ સતત ઊંચા ભાવના કારણે ટામેટા-કોથમીરની ખરીદીમાં ઘટાડો થયો હતો. ટામેટા, કોથમીર, લીલા મરચા સહિતના લીલા શાકભાજીની આવક ઓછી આવતા રિટેઈલ માર્કેટમાં ભાવો છેલ્લા દોઢ માસથી અસહ્ય વધારો થઈ ગયો હતો, જેના કારણે લોકોએ વપરાશમાં કાપ મુકીને ખરીદી ઓછી કરતા હતા. પરંતુ છેલ્લા બે દિવસથી ભાવોમાં મોટો કડાકો જોવા મળ્યો છે. ટામેટા હોલસેલમાં રૂ.160 કિલો મળતા હતા જે આજે રૂ.90 થી 100 કિલો વેચાયા હતા જયારે રિટેઈલમાં રૂ.120 થી 140 કિલો વેચાણ થયા હતા.

 

આદુ એક તબક્કે રૂ.300 કિલો મળતુ હતુ જે અત્યારે રૂ.150 કિલો

રિટેઈલમાં આદુ એક તબક્કે રૂ.300 કિલો મળતુ હતુ જે અત્યારે રૂ.150 કિલો વેચાઈ રહ્યુ છે. વેપારીના મતે ટામેટાની આવક હાલમાં ઓછી થઈ ગઈ છે. પહેલા ટામેટા નાસિક અને બેગ્લોરથી આવતા હતા. હાલમાં ટામેટા માત્ર બેગ્લોરથી આવી રહ્યા છે.પરંતુ નાસિક પાસે ટામેટાની બે ટ્રકો લૂટાવાના પગલે બેંગ્લોરના વેપારીઓ દ્વારા એડવાન્સમાં નાણાં મેળવીને ટ્રકની ડિલીવરી કરી રહ્યા છે. જેના લીધે આવક ઓછી થઈ ગઈ હતી અને ભાવો વધી ગયા હતા. વેપારીના મતે આ વર્ષે શાકભાજીની આવક ઓછી છે અને પહેલા રાત્રીના જમાલપુર શાકમાર્કેટ આવે છે. આ પછી કમોડમાં આ જ શાકભાજી વેચાણ માટે મોકલવામાં આવે છે. જયા શાકભાજીનું વેચાણ ના થાય તો તે શાકભાજી કર્ણાવતી માર્કેટમાં વેચાણ માટે મોકલવામાં આવી રહ્યા છે. ત્યા વધે તે શાક પછી સેમી હોલસેલ માર્કેટ કાલુપુર અને રાજનગર માર્કેટમાં વેચાણ આવી રહ્યુ છે. આમ શાકભાજી પહેલા એક જ જગ્યાએથી વેચાણ થતું હતું તે હાલમાં ચાર જગ્યાએ વેચાણ થઈ રહ્યું છે.