૧૪ ઓગસ્ટ, ૨૦૨૩
૧૪ ઓગસ્ટ, ૨૦૨૩
રાશિ ભવિષ્ય 14/08/2023 થી 20/08/2023
રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા
![]()
મહત્વના નિર્ણય લેવામા કાળજી રાખવી જરૂરી છે, વિદ્યાર્થીવર્ગને ધારી સફળતા માટે વધુ મહેનત કરવી પડે, યાત્રાકે જાત્રા થઈ શકે છે અને તેમા ધાર્યા કરતા વધુ ખર્ચા થાય, તમારા મગજમા વધુ વિચારો માનસિકથાક આપે તેવું બની શકે છે, નાનીનાની વાતમા ગુસ્સો ના આવે તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, વાહન ધીમે ચલાવવુ તેમજ મુસાફરીમા તકેદારી રાખવી. વેપારમા કામકાજ કરતી વખતે કામમા ધ્યાન કેન્દ્રિત ઓછુ થવાથી ક્યાંક ઉતાવળિયા નિર્ણય લેવાયાની લાગણીનો અનુભવ થયા કરે, ક્યાંક લોન લેવામાંકે ચૂકવામા દ્વિધા રહી શકે છે, કોઈને વણમાંગી સલાહસુચન ના આપવી ઇચ્છનીય છે.
માનસિકચિંતા હળવી કરવા તમે મનોરંજન અને ઈતરપ્રવૃત્તિમા મન વધુ લગાવો તેવુ બની શકે છે,વળી ક્યાંક અંગતસંબંધ જેવાકે મિત્રતામા,સગાસ્નેહીમા તેમના વર્તનથી કંટાળો અનુભવો, જૂનીયાદથી ઘણા લાગણીશીલ બનો, સામાજિક, ધાર્મિકપ્રસંગમા જવામા કંટાળો અને આળસ થતી જોવા મળે. વેપારના કામકાજમા ઉત્સાહ થોડો ઓછો જોવા મળે તેવુ બની શકે છે. જુનામતભેદ ભૂલવાની તક મળી શકે છે. નવીનોકરી કે ફેરબદલી કરવામાટે ધીરજ રાખવી, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈવસ્તુ શીખવી હોય તો આ સમયમા પ્રયત્ન કરવો સારો છે. કાયદાકીયબાબતના પ્રશ્નોમા સલાહસુચન બાદ આગળ વધવું.
નોકરીકે વેપારમા ફેરબદલીના સારાસમાચાર મળે, ઘરમાકે કુટુંબમા સુખદ માહોલ જોવા મળે, ઉતાવળીયે કામકાજમા ગેરસમજ થઈ શકે છે. કોઈ જગ્યાએ આકસ્મિકખર્ચ થાય તેવુ પણ બની શકે છે. પ્રેમસંબંધમા થોડાક ઉતર –ચઢાવ થઈ શકે છે માટે ધ્યાન રાખવુ જરૂરી કહી શકાય, લગ્નબાબતની વાતચીત ચાલતી હોય તેમા પણ તમારી વાત આગળ ચાલવાની બાબત બની શકે છે, ધાર્મિકભાવના સારી જાગે અને ક્યાય્ક ધાર્મિકસ્થળની મુલાકાત પણ થાય તેવું બની શકે છે, ગેસ,અપચાની તકલીફથી તકેદારી રાખવી ઇચ્છનીય કહી શકાય, પસંદગીની કોઈ વસ્તુ ખરીદવાની તક પણ મળી શકે છે.
સકારાત્મક સમય જોવા મળે, કાર્યક્ષેત્રમા બદલાવ આવે તેવુ બની શકે છે, ક્યાંક નવીનઓળખાણ થઇ શકે છે તેમાં લાભની વાત આપ-લે થઇ શકે છે. કુટુંબમા કે આસપાસના કોઈ જાહેરકાર્યક્રમમા જવાના યોગ છે તેમા તમે થાકની લાગણી વધુ અનુભવો, વેપારના કામકાજમા તમને ઉત્સાહ ઓછો અને કાર્યમા આળસ કરવાની વૃતિ જાગે, યુવાવર્ગને તેમના મિત્રવર્તુળમાથી સારી જાણકારીકે વાત સાંભળવા મળે પરંતુ તેમા તેમનો સહયોગ ઓછો પ્રાપ્ત થઇ શકે છે, નજીકના સગાસ્નેહીના સ્વસ્થની ચિંતા થાય તેવા યોગ પણ ઉભા થઇ શકે છે પરંતુ તેમા મોટી કોઈ બાબત ના થવાથી થોડી રાહત અનુભવી શકો છો.
ક્યાંકથી માનસન્માન મળી શકે છે. વેપારના કામકાજમા ઉત્શાહ અને ઉમંગ વર્તાય અને તેની અસર પણ કામકાજમા સારી દેખાઈ આવે, આરોગ્યબાબતની કોઈ તકલીફ હોયતો તેમા પણ રાહત જોવા મળી શકે છે, ભાગીદારીમા કે દામ્પત્યજીવનમા તમારી લાગણી અને ભાવનાની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે જોવા મળે, પ્રભુભક્તિમા ધ્યાન અને મન વધુ રહે, ધીરજ અને આત્મવિશ્વાસ રાખશો તો કામ સરળતાવાળું બની રહેશે, મુસાફરી થોડી કંટાળાજનક બની શકે છે તેમા માનસિકથાકની લાગણી પણ જોવા મળે, લગ્નબાબતની વાર્તાલાપકે મિલનમુલાકાતમા તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર સારી પડે તેવું પણ બની શકે છે.
વિદ્યાર્થીવર્ગ અને યુવાવર્ગને સારો ઉત્સાહ જોવા મળે, સામાજિકકે ધાર્મિકકાર્યમા કઈ પ્રવૃત્તિ કરવાનુ મન થાય, વેપારના કામકાજમા કોઈ સમાચાર તમારા વિચાર અને ઉમંગમા વધારો કરી શકે છે, નોકરિયાતવર્ગને પોતાના ઉપરી સાથે માનસિકતનાવથી બચવુ, ઘણી જૂનીઓળખાણ તાજી થાય અને તેમા તમારુ મન ખુશીથી લાગણીશીલ બની જાય. વિદ્યાર્થીવર્ગકે યુવાવર્ગ જે કોઈ નોકરીકે વ્યવસાયમા નવીનતા ઇચ્છતું હોય તેમના માટે કોઈ સારીતક દેખાય પરંતુ તેમા હાલ કોઈ ઉતાવળ ના કરવી અને યોગ્યવ્યક્તિની સલાહ લેવી, ઘરની જવાબદારીમા ધ્યાન વધુ આપવું પડે તેવા સંજોગો ઉભા થઈ શકે છે.
આર્થિકબાબતની ચિંતા અને નવા આયોજનબાબતમા અન્યનો સાથસહકાર મળી શકે છે તેમજ મિલકત અંગેના કોઈ પ્રશ્નમા કોઈ રુકાવટ હોયતો તે દુર થઈ શકે છે, યુવાવર્ગ માટે પણ આસપ્તાહ દરમિયાન સારા સંજોગ ઉભા થવાના યોગ છે, જૂનીવાતકે કામના ઉકેલમા અન્યનો સહયોગ ઓછો જોવા મળે શકે છે. વેપારના કામકાજમા ગણતરી અને આયોજનપૂર્વકના કામકાજ કરવા યોગ્ય છે.,મુસાફરીકે પ્રવાસના યોગ પણ બની રહ્યા છે તેમા તમે ઓછો ઉત્સાહ અનુભવી શકો છે, માર્કેટિંગક્ષેત્રમા તમારે ધીરજ વધુ રાખવી પડે અને ક્યાંક સમયનો વધુ દુરવ્યય થયાની વ્યથા પણ જોવા મળી શકે છે.
કામકાજમા અચાનક સારા સમાચાર સાંભળવા મળી જાય અને તમે થોડા અચરજ પામો, તમારાથી કોઈની લાગણી ના દુભાયકે કોઈની ઉશ્કેરાટના ભોગ ના બનાય તેનુ ધ્યાન રાખવું જરૂરી છે. ઘરમા કે નજીકના સગા-સ્નેહીમા કોઈ અણબનાવકે મનદુઃખ થયુ હોયતો તેવા સંબંધને સુધારવાની કોશિશ કરતા તેમા પણ સફળતા દેખાઈ શકે છે. વેપારના કામકાજમા તમને યોગ્યપ્રતિસાદ મળી શકે છે. તમારો મોભો-પ્રતિષ્ઠા તમે કરેલા કોઇ કામમા સારી ઉપસી આવે, નવીનકાર્ય કરવામા તમને અન્યનો સાથસહકારકે માર્ગદર્શન સારુ મળી શકે છે, વ્યવસાયિક કામકાજ માટેની યાત્રા લાભદાયી શકે છે.
પરિવારમા કોઈની ચિંતાના કારણે થોડી બેચેની અનુભવાય, મહત્વના કામ કરવા માટેના પ્રયત્નમા સફળતા મળે, રાજકીય કે સરકારીકામકાજમા ધાર્યું થવાથી ઉત્સાહમા વધારો થાય, મન થોડું મોજશોખ પાછળ દોરવાય અને ક્યાંક તેની પાછળ ખર્ચા પણ થાય, પ્રિયજન તમારી ભાવના સારી રીતે સમજી શકે જેના કારણે તમારી ખુશી બેવડાય, કોઈકાર્યમા ધીરજ અને અનુભવ તમને સૌથી વધુ મદદગર બની શકે છે, નવીઓળખાણ લાભદાયી બની શકે છે, કોઇપણ પ્રકારની મુસાફરી થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારવર્ગ માટે સમય અનુકુળ છે, માર્કેટિંગક્ષત્રમા આયોજન કરી કામકાજ કરતા સારાપરિણામ મેળવી શકાય.
સ્થાન પરિવર્તનના યોગ બની રહ્યા છે, આર્થિકબાબત પર ધ્યાન વધુ આપવુ ઇચ્છનીય છે ક્યાંક નાણાકીય આયોજન અંગે અવઢવ થઈ શકે છે વેપારના કામકાજમા લાભની કોઈવાત થઈ શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ વિષય શીખવામા વધુ મહેનત કરવાથી સારાફળની પ્રાપ્તિ થઇ શકે છે, કોઈ અગત્યની વાતચીતકે મિલનમુલાકાતમા કોઈનો સહયોગ લેવો વધુ ફાયદાકારક બની શકે છે. વિદેશજવા ઈચ્છા રાખનારવર્ગ આસપ્તાહ દરમિયાન કોઈપણ પ્રકારની કાર્યવાહી કરે તોતેમા પણ યોગ્યપ્રતિસાદ મળી શકે, ધીરજથી કામકરવામા સફળતા મેળવવી સરળ બનશે, યાત્રાકે જાત્રા માટેનુ આયોજન થઈ શકે છે.
કામકાજમા ચતુરાઈનો ઉપયોગ કરવો પડે, કોઈનો સહયોગ થોડો ઓછો જોવા મળે પણ ધીરજ અને પોતાના આત્મવિશ્વાસથી કામમા રચ્યાપચ્યા રહેવું વધુ યોગ્ય છે જે તમને સારીસફળતા અપાવી શકે છે, ઘરમા વડીલવર્ગ કે ઓફીસમા ઉપરીઅધિકારી સાથે વાર્તાલાપ દરમિયાન વિચાર મતભેદ થાય પણ તેમા પણ પરિસ્થિતિ સુધરી જાય, આવક વધારવા વધુ પ્રયત્ન કરવો પડે અને તેમા સફળતા પણ મળી શકે છે, મનપસંદ વ્યક્તિ તરફથી સારું વલણ જોવા મળે અને તેમા તમને સારી લાગણીનો અનુભવ થાય, પ્રભુભક્તિ તરફ મન વધુ પરોવાઈ શકે છે. પ્રિયજન સાથે સુમેળભર્યો સમય પસાર થાય તેવા યોગ છે.
સપ્તાહ દરમિયાન. મિત્રો, સગા સ્નેહી સાથે મિલનમુલાકાતમા તમને સારી વાત રજુ કરવાની તક મળે શકે છે, વેપારના કામકાજમા પણ તમને ઉત્સાહ જોવા મળી શકે છે. વાર્તાલાપ દરમિયાન શબ્દપ્રયોગ પર ધ્યાન આપવું જેથી ગેરસમજ ટાળી શકાય, મુસાફરીકે પ્રવાસનુ આયોજન થઈ શકે છે. પેટ,અપચાની તકલીફથી સાચવવુ, વડીલવર્ગને જુનાસંભારણા વધુ તાજા થાય, કામકાજમા મહેનત વધુ થયા પછી સફળતા મળે તેવુ બની શકે છે, કામનો ભાર રહે પરંતુ તેમાં અન્યનો સહયોગ પણ જોવા મળે, કામકાજ માટેની મુસાફરી થોડી કંટાળાજનક બને અને નવીનકામકાજમા રૂચી થોડી ઓછી જોવા મળી શકે છે.
રાશિ ભવિષ્ય 14/08/2023
રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા
![]()
આજના દિવસે થોડી ધીરજ રાખવી સારી છે, મનમાં કોઈક વાતનો ઉદ્વેગ રહ્યા કરે, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા,આંખ,હાડકાની તકલીફથી સાચવવું, બિઝનેસમાં જોખમથી દુર રહેવુ, પ્રિયજન સાથે વાર્તાલાપમાં ધીરજ અને શાંતિ રાખવી, સહકર્મચારી સાથે કામકાજમાં સહકારનો અભાવ જોવા મળી શકે છે.
આજે ઉત્સાહ સારો જોવા મળી શકે જેના કારણે તમે કામકાજ પ્રત્યે પ્રોત્સાહી બનો, કોઈ પ્રસંગમાં તમારી હાજરીની સારી નોંધ લેવાય અને તમારી ક્યાંક પ્રસંશા પણ થાય, લગ્નબાબતની વાતચીતકે મિલન મુલાકાતમાં તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર સારી પડે અને તમે તેની સારી લાગણી અનુભવો.
આજનો દિવસ સામાન્ય છે, કોઈકની પાછળ નાણાકીયખર્ચ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય, માર્કેટિંગ ક્ષેત્રમાં સારી કામગીરી થવાથી ખુશી અનુભવો, વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે, ક્યાય કોઇ બાબત પર મુલાકાત દરમિયાન વાર્તાલાપમાં જરૂરિયાત પુરતી વાર્તાલાપ તમારા માટે યોગ્ય કહી શકાય.
આજનો દિવસ માનસિકદ્વિધા વાળો છે , કોઇપણ પ્રકારના વાદવિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, કફ, છાતી, બ્લડપ્રેશર જેવી તકલીફથી સાચવવું, વેપારમાં જોખમવાળા નિર્ણયથી દુર રહેવું, સહકર્મચારી સાથે કામની બાબતમાં અસંતોષ જોવા મળી શકે પરંતુ કામકાજ શાંતિથી પૂર્ણ થાય..
આજનો દિવસ કામકાજમાં વ્યસ્તતાવાળો અને અજંપાવાળો છે, સરકારીકામ, યુનિફોર્મવાળી નોકરી, સોના ઝવેરાત,ફાર્મા ક્ષેત્રમાં કામ કરનારને માનસિકથાકની લાગણી રહે, વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે, ક્યાય વાણીવિલાસના થાય તેનું ધ્યાન રાખવું, ઉતાવળિયા નિર્ણયના લેવાયતે બાબતની તકેદારી રાખવી.
આજનો દિવસ સારો છે, ભૂતકાળમાં કરેલા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થવાથી તમે સારી લાગણીનો અનુભવ કરો. પ્રિયજન તમને કોઈ પસંદગીની વાત કરેને તમેં ખુશી અનુભવો તેવા સંજોગો પણ બને છે. લગ્નબાબતની વાર્તાલાપમાં તમારી પસંદગી વધુ જળવાય તેવું પણ બનવાથી તમે સારી ખુશી અનુભવો.
આજનો દિવસ શાંતિથી પસાર કરવો, કામકાજમાં ધીરજનો અભાવ વર્તાય, તમારા ઉચ્ચઅધિકારી તમારી સાથે આજે થોડા નાખુશકે ઉગ્ર હોઈ શકે છે. વાતવાતમાં ગુસ્સો આવવો આજે સહજ વાત જેવું બની શકે છે. પરંતુ ગણતરીપૂર્વક અને અનુભવથી કામકાજ કરવાથી તમે પરિસ્થિતિને ઘણી હળવી બનાવી પણ શકો છો.
આજનો દિવસ સારો છે, પ્રિયજન સાથે જૂની વાતો અને યાદો દ્વારા તમારા મનને ઘણી ખુશી મળે, લગ્ન માટે મિલનમુલાકાતમાં તમારો આત્મવિશ્વાસ અને પ્રભાવ તમારા પ્રભાવમાં વધારો કરી શકે છે, વેપારમાં ગણતરીપૂર્વક કામ કરવાથી લાભની કોઈ વાત બને, આજે કોઈ સારાસમાચાર પણ સંભાળવા મળી શકે.
આજના દિવસે ધીરજ રાખવી, આજે કોઇપણ કામ પરાણે કરતા હોવ તેવી લગાણીનો અનુભવ થાય, કામકાજમાં ઉતાવળ કરવી નકામી છે. વાર્તાલાપમાં ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું સારું, વેપારમાં જોખમી પરિબળોથી સાચવવું, મજાકમસ્તી કરનારવર્ગથી આજે દુર રહેવું સલાહ ભર્યું છે.
આજનો દિવસ સારો છે, ઉત્સાહ સારો રહે, તમને કોઈ પસંદગીની વાત સંભાળવા મળે અને તેની ખુશી તમને ઘણી રોમાંચિત કરીદે, લગ્નબાબતની વાતચિત તમારા માટે ક્યાંક ફળદાયી બની શકે છે, સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે કોઈ નવીવસ્તુ શીખવા માટે આજે સમય ફાળવોતો સારું પરિણામ મળી શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, આજે આરામ કરવાની વૃતિ વધુ જાગે, કામકાજને ત્વરિત પૂર્ણ કરવા માટે થોડા ઉતાવળિયા પણ બનતા જોવા મળો, ક્યાંક ગણતરી કરતા વધુ ખરીદી થવાથી નાણાખર્ચાયાની ખોટી લાગણી પણ ઉભી થાય, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામ કરવું યોગ્ય છે.
આજનો દિવસ સામાન્ય છે, તમે તમારા કામમાં વધુ વ્યસ્ત જોવા મળી શકો છે, નાનીનાની વાતમાં થોડો ગુસ્સો જોવા મળે, ક્યાંક તમારી લાગણી કોઇ જલ્દી સમજીના શકે તેવું બની શકે છે. સહકર્મચારીને સહકાર આપવાની તમાંરી ભાવના તમારા માટે કોઈ પ્રશ્નો ઉભાના કરે તેનું ધ્યાન રાખવું જરૂરી છે.
વેસ્ટ ઈન્ડિઝે ભારતને પાંચમી T20માં 8 વિકેટે હરાવી 3-2થી સિરીઝ પર કબ્જો કર્યો
વેસ્ટ ઈન્ડિઝે પાંચ મેચની T20 શ્રેણીની પાંચમી અને અંતિમ નિર્ણાયક મેચમાં ભારતને આઠ વિકેટે હરાવ્યું. આ જીત સાથે વેસ્ટ ઈન્ડિઝે આ T20 શ્રેણી પણ 3-2થી કબજે કરી લીધી છે. ફ્લોરિડાના લોડરહિલમાં રમાયેલી પાંચમી મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 165 રન બનાવ્યા હતા. જવાબમાં વેસ્ટ ઈન્ડિઝે 18 ઓવરમાં બે વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. વેસ્ટ ઈન્ડિઝની ટીમે પ્રથમ બે T20 જીતી હતી. આ પછી ટીમ ઈન્ડિયાએ વાપસી કરી અને ત્રીજી અને ચોથી ટી20 જીતી લીધી. જો કે, પાંચમી T20 હારવાની સાથે ભારતીય ટીમે શ્રેણી પણ ગુમાવી દીધી હતી. નિકોલસ પૂરન અને બ્રાન્ડન કિંગે વેસ્ટ ઈન્ડિઝ માટે 107 રનની ભાગીદારી કરીને ભારતને મેચ અને શ્રેણી જીતવાથી દૂર રાખ્યું હતું. બ્રાન્ડોન કિંગ 55 બોલમાં 85 રન બનાવીને અણનમ રહ્યો હતો.
Nicholas Pooran and Brandon King have put West Indies on course for a series win before rain interrupts play 😮#WIvIND | 📝: https://t.co/siegjjubso pic.twitter.com/glI1jMIO20
— ICC (@ICC) August 13, 2023
ભારતે વન-ડે અને ટેસ્ટ શ્રેણી જીતી
ભારતનો વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પણ આ મેચ સાથે સમાપ્ત થયો. ભારતે બે મેચની ટેસ્ટ શ્રેણી 1-0થી જીતી લીધી હતી. પ્રથમ ટેસ્ટ ભારતે એક ઇનિંગ અને 141 રને જીતી હતી. બીજી ટેસ્ટ ડ્રો રહી હતી. આ પછી ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની વનડે શ્રેણી 2-1થી જીતી લીધી. ભારતે પ્રથમ વનડે 5 વિકેટે જીતી હતી. બીજી વનડેમાં વિન્ડીઝે શાનદાર વાપસી કરી હતી અને 6 વિકેટથી જીત મેળવી હતી. ભારતે ત્રીજી વનડેમાં રેકોર્ડ 200 રનથી જીત મેળવી હતી. વેસ્ટ ઈન્ડિઝે પાંચ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ ચાર રને અને બીજી T20 બે વિકેટથી જીતી લીધી હતી. ભારતે ત્રીજી T20 સાત વિકેટે અને ચોથી T20 નવ વિકેટે જીતી હતી. હવે ભારતીય ટીમ આયર્લેન્ડ સામે ત્રણ મેચની T20 શ્રેણી રમશે. 18મી ઓગસ્ટથી શરૂ થશે.
સ્વતંત્રતા દિવસ પહેલા દિલ્હીમાં મોટું ષડયંત્ર ? બે બોમ્બ હોવાના કોલ આવતા ખળભળાટ
રવિવારના રોજ દિલ્હી પોલીસને કાશ્મીરી ગેટ પર બોમ્બ અને શ્રમ શક્તિ ભવન પાસે એક શંકાસ્પદ બેગ મળી આવી હોવાનો કોલ આવ્યો હતો, જેના પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. શ્રમ શક્તિ ભવન પાસે એક ઈલેક્ટ્રીશિયન પાસે ત્યજી દેવાયેલી બેગ હતી. તેની બેગ ત્યાં પડી હતી. ACP અજય કુમારે જણાવ્યું કે આજે નવી દિલ્હી વિસ્તારમાં સ્થિત શ્રમ શક્તિ ભવન પાસે એક ત્યજી દેવાયેલી બેગ મળી આવી હતી. બેગમાંથી ઇલેક્ટ્રિશિયનના સાધનો મળી આવ્યા હતા. તેણે કહ્યું કે બેગમાં કોઈ ઇલેક્ટ્રિક વાયર હતો, કોઈએ ભૂલથી બેગ છોડી દીધી હોવી જોઈએ, કોઈ શંકાસ્પદ સામગ્રી કે કોઈ વિસ્ફોટક મળ્યું નથી.
#WATCH | Delhi: Security tightened at Red Fort in view of Independence Day pic.twitter.com/Jo5aEsImCN
— ANI (@ANI) August 13, 2023
કોલર ફોન ઉપાડતો નથી
પોલીસ અધિકારીએ જણાવ્યું કે લાલ કિલ્લામાં પણ બોમ્બ કોલ આવ્યો હતો, પરંતુ કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી. કોલ કરનાર ફરી ફોન ઉપાડતો નથી. સ્વતંત્રતા દિવસને લઈને રાષ્ટ્રીય રાજધાનીમાં સુરક્ષા કડક છે.
વિશ્વઉમિયાધામના ટ્રસ્ટીઓએ ઉંઝામાં શ્રી ઉમિયા શરણમ્ મમ અંખડ ધુનમાં ભાગ લીધો
જગત જનની મા ઉમિયાની આસ્થાને વિશ્વભરમાં ઊજાગર કરવાના સંકલ્પ અને કટિબદ્ધતા સાથે વિશ્વ ઉમિયાધામ, જાસપુર, અમદાવાદમાં વિશ્વના ઊંચામાં ઊંચા મંદિરનું નિર્માણ કાર્ય હાલમાં ગતિપૂર્વક ચાલી રહેલ છે. ત્યારે આપણી માતૃ સંસ્થા શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝામાં પણ મા ઉમિયાની આસ્થા અને ભક્તિ ભાવમાં વધારો થાય તે અંતર્ગત શ્રી ઉમિયા શરણં મમ મહામંત્રની અખંડ ધૂનનું આયોજન કરાયું છે.

ઉંઝા ઉમિયા માતાજી મંદિરના 168 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે આ પ્રસંગે 168 કલાકની અખંડ ધૂનનું આયોજન કરાયું છે. જેમાં ભાગ લેવા સંસ્થાના પ્રણેતા એવમ્ પ્રમુખ આર. પી. પટેલ અને સંસ્થાના ઉપપ્રમુખ ડી.એન ગોલ સહિત સંસ્થાના હોદ્દેદારોએ ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝામાં માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને શ્રી ઉમિયા શરણં મમ મહામંત્રની અખંડ ધૂનમાં સહભાગી થયા હતા.

શ્રી ઉમિયા શરણમ્ મમ અંખડ ધુન આપણી આસ્થાને ઉજાગર કરશેઃ આર.પી.પટેલ
આ અંગે વાત કરતા સંસ્થાના પ્રમુખ આર.પી.પટેલ જણાવી રહ્યા છે કે શ્રી ઉમિયા શરણમ્ મમ અંખડ ધુન આપણી આસ્થાને ઉજાગર કરશે. વિશ્વ ઉમિયાધામ વિશ્વભરમાં જગત જગનની મા ઉમિયાની આસ્થાને ઉજાગર કરવા જઈ રહી છે તેમાં આ કાર્ય પ્રાણ પૂરી રહ્યુ છે.

IND Vs WI 5th T20 : ભારતે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પાંચ મેચોની T20 શ્રેણીની નિર્ણાયક મેચ ફ્લોરિડામાં રમાઈ રહી છે. ભારતીય કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટીમ ઈન્ડિયાએ પોતાની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી. વેસ્ટ ઈન્ડિઝની ટીમ પ્રથમ બોલિંગ કરી રહી છે. જોકે, ટોસ સમયે વિન્ડીઝના કેપ્ટને કહ્યું કે તે પણ પહેલા બેટિંગ કરવા માંગે છે. પાંચ મેચોની આ શ્રેણી હાલમાં 2-2થી બરાબર છે. આવી સ્થિતિમાં આજની મેચ જે પણ ટીમ જીતશે, સીરીઝ તેના નામે થશે.
Series Decider 🤝 Super Sunday
All to play for in Florida as #TeamIndia takes on West Indies for the 5th & Final T20I 👌#WIvIND pic.twitter.com/RpGSxa6EN3
— BCCI (@BCCI) August 13, 2023
હેડ ટુ હેડ આંકડા
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 29 T20 ઈન્ટરનેશનલ મેચ રમાઈ છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાએ 19 મેચ જીતી છે. જ્યારે વેસ્ટ ઈન્ડિઝે માત્ર 9 મેચ જીતી છે. જોકે એક મેચનું પરિણામ આવ્યું ન હતું.
A look at #TeamIndia‘s Playing XI for the decider 👌
Follow the match – https://t.co/YzoQnY7mft#WIvIND pic.twitter.com/2VeXuzEowS
— BCCI (@BCCI) August 13, 2023
ભારતની પ્લેઈંગ ઈલેવન
યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), અક્ષર પટેલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ અને મુકેશ કુમાર.
5TH T20I. West Indies XI: K Mayers, B King, S Hope, N Pooran (wk), R Powell (c), S Hetmyer, R Chase, J Holder, R Shepherd, A Hosein, A Joseph . https://t.co/YzoQnY7mft #WIvIND
— BCCI (@BCCI) August 13, 2023
વેસ્ટ ઈન્ડિઝે એક ફેરફાર કર્યો
બ્રાન્ડોન કિંગ, કાયલ મેયર્સ, શાઈ હોપ, નિકોલસ પૂરન (wk), રોવમેન પોવેલ (c), શિમરોન હેટમાયર, જેસન હોલ્ડર, રોસ્ટન ચેઝ, રોમારિયો શેફર્ડ, અકીલ હુસેન અને અલ્ઝારી જોસેફ.
ભારતીય ટીમમાં અંદરો અંદર ડખા, પાકિસ્તાનના દિગ્ગજ ખેલાડીએ કર્યો મોટો દાવો
છેલ્લા લગભગ 10 વર્ષથી ભારતીય ક્રિકેટ ટીમ ICC ટ્રોફી જીતવામાં સફળ રહી નથી. જો કે, ટીમ ઈન્ડિયા ICC ટૂર્નામેન્ટની નોકઆઉટ મેચોમાં પહોંચી રહી છે, પરંતુ ટ્રોફી જીતવામાં નિષ્ફળ રહી છે. તે જ સમયે, આ વર્ષે વર્લ્ડ કપ ભારતની ધરતી પર યોજાવાનો છે. ભારતીય ચાહકોને તેમની ટીમ પાસેથી ઘણી અપેક્ષાઓ છે, પરંતુ શું રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ અપેક્ષાઓ પર ખરી ઉતરી શકશે? જોકે, પાકિસ્તાનના પૂર્વ વિકેટ કીપર બેટ્સમેન રાશિદ લતીફે ટીમ ઈન્ડિયાને લઈને મોટું નિવેદન આપ્યું છે.

તો શું ટીમ ઈન્ડિયામાં આંતરિક વિખવાદનો મુદ્દો છે?
રાશિદ લતીફે પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું કે ટીમ ઈન્ડિયા આઈસીસી ટ્રોફી કેમ જીતી શકી નથી? વાસ્તવમાં રાશિદ લતીફનું માનવું છે કે ભારતીય ક્રિકેટ ટીમ આંતરિક કલહથી ઝઝૂમી રહી છે. આ સિવાય તેણે વિરાટ કોહલી પર પોતાની વાત રાખી હતી. તેણે કહ્યું કે જ્યારથી વિરાટ કોહલીએ કેપ્ટન્સી છોડી છે ત્યારથી ભારતીય ટીમના મિડલ ઓર્ડર બેટ્સમેનો સતત સંઘર્ષ કરી રહ્યા છે. આ કારણે ભારતીય ટીમ ICC ટૂર્નામેન્ટમાં સતત નિરાશાજનક પ્રદર્શન કરી રહી છે.

વિરાટ કોહલીની કેપ્ટનશિપ પર રાશિદ લતીફે શું કહ્યું?
રાશિદ લતીફનું કહેવું છે કે વિરાટ કોહલી એક દિશામાં કામ કરી રહ્યો હતો, તે જીતવા માંગતો હતો, પરંતુ તેને કેપ્ટનશીપથી હટાવી દેવામાં આવ્યો. હવે ટીમ ઈન્ડિયા આંતરિક સમસ્યાઓના કારણે સારું પ્રદર્શન કરી શકતી નથી. તેણે કહ્યું કે વિરાટ કોહલીએ કેપ્ટન તરીકે આઈસીસી ટૂર્નામેન્ટમાં સારુ પ્રદર્શન કર્યું ન હતું, સંભવતઃ જે ખેલાડીઓને જોઈતા હતા તેઓ ટીમમાં નહોતા મળ્યા, અથવા જો મળી જાય તો પણ તેઓ પ્રદર્શન કરી શક્યા નહીં. જો કે, ભૂતપૂર્વ પાકિસ્તાની વિકેટ કીપર બેટ્સમેને કહ્યું કે આગામી દિવસોમાં બે મોટી ઘટનાઓ બનવાની છે. શ્રીલંકામાં એશિયા કપ અને ભારતની ધરતી પર વર્લ્ડ કપ. ભારતીય ટીમમાં સારા ખેલાડીઓ છે, આ ટીમ જીતવા લાયક ટીમ છે, પરંતુ નંબર-4 પર કામ કરવું પડશે. નંબર-4 પર સારા બેટ્સમેનની જરૂર છે





