બેંગલુરુઃ દેશની સૌથી મોટી IT કંપનીઓમાંની એક ઇન્ફોસિસે કર્મચારીઓને એક ઇમેઇલ મોકલ્યો છે, જેમાં કંપનીએ કર્મચારીઓને એક ખુશખબરી મોકલી છે. કંપનીએ એલિજિબલ કર્મચારીઓને જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિક માટે પર્ફોર્મન્સ બોનસ આપવાની જાહેરાત કરી છે. કંપની આ મહિને સરેરાશ 80 ટકા પેઆઉટ બોનસ આપશે.
કંપની પોઝિશન લેવલ છ મેનેજરો અને એની બેન્ડથી નીચેના કર્મચારીઓ-એટલે કે એન્ટ્રી લેવલના કર્મચારીઓ સિવાયના મેનેજર કેટેગરીથી નીચેના કર્મચારીઓને વેરિયેબલ પે આપશે. વેરિયેબલ પે કર્મચારીઓને તેમના પર્ફોર્મન્સને આધારે અપાતું બોનસ છે.
અહેવાલ મુજબ યુનિટ ડિલિવરી મેનેજર સંબંધિત યુનિટ્સ માટે પેઆઉટ નક્કી કરશે અને યોગ્ય કર્મચારીઓને આ સપ્તાહે એની માહિતી આપશે. બેંગલુરુ સ્થિત IT કંપનીએ નાણાકીય વર્ષ 2022-23માં પગારવધારો અટકાવી દીધો હતો. જોકે કંપનીએ કર્મચારીઓ માટે ઓક્ટોબરથી એન્યઅલ એપ્રાઇઝલ સાઇકલ શરૂ કરી છે.
કંપનીએ કર્મચારીઓ માટે પર્ફોર્મન્સ બોનસની જાહેરાત કરી છે, જ્યારે કંપની અને ટોચની IT કંપનીઓએ સપ્ટેમ્બર ત્રિમાસિકમાં આવકમાં ધીમો વધારો કર્યો છે. વૈશ્વિક સ્તરે આર્થિક ટેન્શનને કારણે ટેક્નોલોજી ખર્ચમાં ઘટાડાને કારણે 245 અબજ ડોલરની IT ઇન્ડસ્ટ્રીઝ દબાણમાં છે.
કંપનીએ કર્મચારીઓને ઇમેઇલમાં કહ્યું હતું કે આ 80 ટકાનું વેરિયેબલ બોનસ પહેલા ત્રિમાસિકની તુલનાએ સમાન છે, પણ નાણાકીય વર્ષ 2022ની 60-70 ટકાની તુલનાએ વધુ છે. કંપનીએ આ વર્ષે માર્ચ ત્રિમાસિકમાં 60 ટકા વેરિયેબલ બોનસ ચૂકવ્યું હતું.
આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સામાજિકકે ધાર્મિક કામમાં મિલન-મુલાકાત થઇ શકે, માંર્કેટિંગ ક્ષેત્રમાં પરિચિતકે જુનાસંપર્કમાં કામકાજ કરવામાં આવેતો સારું પરિણામ જોવા મળી શકે છે, પ્રવાસયોગ થઈ શકે છે, યુવાવર્ગને ગમતી કોઈવાત સંભાળવા મળે, વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે.
આજનો દિવસ થોડો ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે ખાસકરીને વાણીસયમ રાખવો જરૂરી છે તદુપરાંત ગુસ્સા પર કાબુ રાખવો અગત્યનો છે, વેપારમાં કોઇપણ પ્રકારના જોખમથી દુર રરહેવું, પ્રિયજન સાથે વિચાર મતભેદના થાય તેની કાળજી રાખવી, માર્કેટિંગક્ષેત્રમાં સમયનો દુર્વ્યય વધુ થાય.
આજનો દિવસ સામાન્ય છે, મન થોડું અશાંત રહે પરંતુ દિવસ રાબેતામુજબ શાંતિથી પસાર થાય, કામકાજમાં સમયનો દુર ઉપયોગ થવાથી થોડી ઉશ્કેરાટ અનુભવો, વેપારમાં નાનું અને ગણતરી પુર્વાક્નુજ કામ કરવુ યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમાં વ્યસ્તતા વચ્ચે પણ કામ શાંતિથી પૂર્ણ થઇ શકે છે.
આજનો દિવસ સરસ છે, તમને ઉત્સાહ સારો જોવા મળે અને તેની સારી અસર તમારા વ્યવહાર અને કામકાજ પર પડે જેને કારણે તમને અન્યનો સાથસહકાર સારી રીતે મેળવી શકો, તમારી કોઈજૂની ઓળખાણથી લાભની વાત બને, વેપારના કામકાજમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે.
આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે, તમને આજે થોડો ગુસ્સો કઈને કઈ બાબત પર જોવા મળે જેને કારણે કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું તેમજ મુસાફરીમાં ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં જોખમી પરિબળથી દુર રહેવું સલાહ ભર્યું છે.
આજનો દિવસ સરસ છે તેમાં પણ તમારા ધાર્યા કામ થાય મન થોડું આજે ઉદાર બની ક્યાંક કોઈને સહભાગી બનો અને જૂનીભૂલ સુધારવા માટે પ્રયત્ન કરો, વેપારના કામકાજમાં ચોકસાઈ રાખોતો લાભ થાય, યુવાવર્ગને પોતાની કોઈ અંગતવાતની દ્વિધા હોયતો તેમાં પણ યોગ્ય રાહ મળે તેવું બની શકે છે.
આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો અગત્યનો છે, ક્યાય ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું અને ક્યાય કોઈની સાથે ઉગ્રતાના થાયતે બાબતની કાળજી રાખવી, માર્કેટિંગક્ષેત્રમાં કંટાળાજનક પરિસ્થિતિ જોવા મળે શકે છે , વેપારમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.
આજનો દિવસ સારો છે, ક્યાંક પ્રવાસયોગ બને, તમારા મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવું પણ બનવા જોગ છે, તમારી કરેલી મહેનતનું ફળ સારું મળી શકે તેવું પણ બની શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમને અન્યનું માર્ગર્દર્શન સારું મળી રહે, વેપારમાં લાભની તક રહેલી છે, યુવાવર્ગને સારી ખુશી જોવા મળે.
આજનો દિવસ તમારા માટે થોડો સામાન્ય છે, રોજબરોજના કામમાં દિવસ પસાર થઇ જાય, તમારા કામમાં થોડા વ્યસ્ત રહો તેવું પણ બની શકે છે, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામજ યોગ્ય છે, માર્કેટિંગ ક્ષેત્રમાં માનસિકથાકની લાગણી વધુ અનુભવો, યુવાવર્ગને કોઇવાતમાં આતુરતા વધુ જોવા મળી શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, મિત્રોથી કોઈ કામકાજમાં તમને લાભ થઈ શકે છે, ક્યાંક મુસાફરી થાય તેવા યોગ પણ બને છે, માર્કેટિંગક્ષેત્રમાં સારા કામકાજ કર્યાનો સંતોષ મળે, વેપારમાં નાનું કામજ કરવું યોગ્ય છે, યુવાવર્ગને આજે પોતાના મનની કોઈવાત ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે છે.
આજનો દિવસ શાંતિ અને સાવચેતીમાં પસાર કરવો ઇચ્છનીય છે, વિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, ક્યાય પાડવા-વાગવાના યોગ છે માટે તકેદારી રાખવી, આજે નકારત્મકવિચાર વધુ રહે અને તેની અસર તમારા કામકાજ પર પણ પડી શકે છે, વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું.
આજનો દિવસ સરસ છે તમારો આત્મવિશ્વાસ પણ સારો જોવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવોતો કંઇક સારું શીખવાની અપેક્ષા પૂરી થાય, માર્કેટિંગક્ષેત્રમાં આયોજનબદ્ધ કામ કરવાથી સારું પરિણામ મળી રહે, વેપારમાં અનુભવ મુજબ કામ કરવાથી લાભ થઈ શકે છે.
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 28 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,01,575 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.
દેશમાં અત્યાર સુધી 5,33,295 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,68,112 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 17 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 186 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.
દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,76,688 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 26 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
કમિન્સે ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. ભારતનો બેટિંગ દેખાવ નિરાશાજનક રહ્યો હતો. ટીમ 50 ઓવરમાં 240 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. તેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 43 ઓવરમાં 4 વિકેટના ભોગે 241 રન કરીને મેચ જીતી લીધી હતી. 120 બોલમાં 15 ચોગ્ગા અને ચાર છગ્ગા સાથે 137 રન કરનાર ઓપનર ટ્રેવિસ હેડને ‘પ્લેયર ઓફ ધ મેચ’ ઘોષિત કરાયો હતો. ‘પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ’ એવોર્ડ વિરાટ કોહલીએ જીત્યો હતો.
મુંબઈઃ ગઈ કાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામે આઈસીસી મેન્સ ODI વર્લ્ડ કપ-2023ની ફાઈનલમાં ભારતીય ટીમની કમનસીબ હારની કિંમત હેડ કોચ રાહુલ દ્રવિડે પણ ભોગવવી પડી છે. એમનો કોન્ટ્રાક્ટ સમાપ્ત થઈ ગયો છે. ભારતીય ટીમને હવે નવા હેડ કોચ મળશે. ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન દ્રવિડ સાથે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ 2021ના નવેમ્બરમાં બે વર્ષનો કોન્ટ્રાક્ટ કર્યો હતો. વર્લ્ડ કપ-2023ની સમાપ્તિ સાથે એ કોન્ટ્રાક્ટ પણ પૂરો થયો છે. જો ભારતીય ટીમ ફાઈનલમાં જીતી હોત તો દ્રવિડનો કોન્ટ્રાક્ટ રીન્યૂ થાત, પરંતુ હવે ભારતીય ટીમ હારી ગઈ છે એટલે ક્રિકેટ બોર્ડ કોન્ટ્રાક્ટ રીન્યૂ કરે એવી ધારણા ઓછી છે.
ગઈ કાલે પત્રકારો સાથેની વાતચીતમાં એમને તેમના કોન્ટ્રાક્ટ વિશે પૂછવામાં આવ્યું ત્યારે એમણે કહ્યું હતું કે, ‘મેં એ વિશે વિચાર્યું નથી. સમય આવ્યે વિચારીશ. ભવિષ્યમાં શું બનશે એ વિશે મેં કંઈ વિચાર્યું નથી. મેં મારું સઘળું ધ્યાન વર્લ્ડ કપ-2023 પર અને ભારતીય ટીમ તે જીતે એની પર કેન્દ્રિત કર્યું હતું.’
ODI વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમને 6 વિકેટથી હરાવીને ટાઈટલ પર કબજો કર્યો હતો. ટીમ ઈન્ડિયા ત્રીજી વખત આ ખિતાબ જીતવામાં નિષ્ફળ રહી હોવા છતાં તમામ ખેલાડીઓએ આખી ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ખાસ કરીને વિરાટ કોહલીએ ટૂર્નામેન્ટની દરેક મેચમાં ટીમ માટે મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી હતી. હવે વિરાટ કોહલીને વર્લ્ડ કપ 2023ના પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ તરીકે પસંદ કરવામાં આવ્યો છે.
765 runs, one wicket and countless records after! 👊
Virat Kohli emerges as the #CWC23 Player of the Tournament 🤩
તમને જણાવી દઈએ કે, વિરાટ કોહલીએ વર્લ્ડ કપ 2023માં સૌથી વધુ રન બનાવ્યા છે. વિરાટે ટૂર્નામેન્ટમાં 765 રન બનાવ્યા છે, આ દરમિયાન તેણે 3 શાનદાર સદી પણ ફટકારી છે. વિરાટને સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન તેના શ્રેષ્ઠ પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ પસંદ કરવામાં આવ્યો હતો. ફાઈનલ મેચમાં પણ વિરાટ કોહલીએ ટીમ માટે 54 રનની મહત્વની ઈનિંગ રમી હતી. વિરાટે ભીની આંખો સાથે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટની ટ્રોફી પોતાના હાથમાં લીધી.
ફાઇનલ મેચમાં ટ્રેવિસ હેડે ભારત સામે 120 બોલમાં 137 રનની ઇનિંગ રમી હતી. આ મેચમાં ટ્રેવિસ અલગ જ દેખાઈ રહ્યો હતો. ત્રણ વિકેટ વહેલી પડી ગયા પછી, હેડે ઇનિંગની જવાબદારી સંભાળી અને ટીમને શાનદાર જીત તરફ દોરી. હેડને તેની શાનદાર ઇનિંગ્સ માટે પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો.