Home Blog Page 2250

ગોગામેડીના હત્યારા નીતિનને શસ્ત્ર પૂરા પાડનાર મહિલા પૂજા સૈની કોણ છે?

જયપુરઃ રાજસ્થાન રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવસિંહ ગોગામેડીની ગઈ પાંચ ડિસેમ્બરે જયપુરમાં કરાયેલી હત્યાના સંબંધમાં પોલીસે નીતિન ફૌજી નામના શૂટરને પકડ્યો છે. નીતિને રિવોલ્વર આપવા બદલ તેમજ પોતાનાં ફ્લેટમાં રહેવાની સગવડતા કરી આપવા બદલ પોલીસે પૂજા સૈની નામની એક મહિલાની પણ ધરપકડ કરી છે. ગોગામેડીને એમના ઘરમાં ઠાર માર્યા તે પહેલાં નીતિન જયપુરમાં પૂજાની માલિકીનાં ભાડેથી ચલાવાતા ફ્લેટમાં રહેતો હતો. પોલીસનું કહેવું છે કે પૂજા સૈની અને તેના પતિ મહેન્દ્ર મેઘવાળે નીતિનને શસ્ત્રો આપ્યાં હતાં. નીતિન એમનાં ફ્લેટમાં લગભગ એક અઠવાડિયા સુધી રહ્યો હતો.

અખબારી અહેવાલો અનુસાર, ગેંગસ્ટરો લોરેન્સ બિશ્નોઈ અને રોહિત ગોડારાનું કામકાજ પૂજા સૈની રાજસ્થાનમાં સંભાળતી હતી. પૂજાનું કામ શસ્ત્ર પૂરા પાડવાનું અને બનાવ બને એની પહેલાં નાણાં પૂરા પાડવાનું રહેતું હતું. એ જયપુરમાં ખોટી ઓળખ હેઠળ એક યુવકની સાથે રહેતી હતી. પોલીસે પૂજા પાસેથી અનેક નકલી આઈડી કબજામાં લીધા છે. હાલ પોલીસ દ્વારા એની પૂછપરછ ચાલી રહી છે.

જોઇ લો, કેવું હશે સાબરમતીનું બુલેટ ટ્રેન સ્ટેશન?

 વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ પૈકીના એક એવા બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. સાબરમતી ખાતે મલ્ટી મોડલ ટ્રાન્ઝિટ હબ તેના બે આઇકોનિક ટાવર સાથે આર્કિટેક્ચરલ અજાયબી તરીકે તૈયાર થયું છે.

સાબરમતી મલ્ટિ મોડલ ટ્રાન્ઝિટ હબનું નિર્માણ બે પ્રતિષ્ઠિત ટાવર્સને જોડીને એક ઉત્કૃષ્ટિ વાસ્તુશિલ્પ તરીકે કરવામાં આવ્યું છે, જેમાં 3.6 હેક્ટરનો કુલ પ્લોટ એરિયા અને 5.79,,980 સ્કેવર ફૂટનો સુપર બિલ્ટ અપ એરિયા સામેલ છે.

1300 વાહનો પાર્ક કરવા માટે ડિઝાઇન કરવામાં આવેલી 4,36,638 સ્કવેર ફૂટમાં ફેલાયેલી અત્યાધુનિક પાર્કિંગ સુવિધાની સાથે એ હબ દક્ષતાની સાથે સુંદરતાને જોડે છે.

આ સ્ટેશને 60,687 સ્કવેર ફૂટનો એક મનોરમ વિસ્તાર સુંદર છે, જેમાં સ્ટેપ ગાર્ડનમાં વ્યવસ્થિત સ્વદેશી છોડોની એક શૃંખલા સામેલ છે. વાસ્તુશિલ્પની સુંદરતાની સાથે આ મલ્ટિમોડલ હબમાં 13 લિફ્ટ, આઠ એસ્કેલેટર, CCTV, ફાયર બ્રિગ્રેડની સુવિધા અને સંકુલના મેનેજમેન્ટની સાથે કાર્યક્ષમતાને પ્રાથમિકતા આપે છે.

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 508 કિલોમીટર લાંબો ટ્રેકનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે અને આ ટ્રેન ટનલ અને દરિયાની નીચેથી પસાર થશે. આ પ્રોજેક્ટ પાછળ કુલ 1.08 લાખ કરોડ રુપિયાનો ખર્ચ થવાની શક્યતા છે.

આ ખર્ચના 81 ટકા જાપાન સોફ્ટ લોન દ્વારા 0.1 ટકા પ્રતિ વર્ષના દરથી મળશે અને તેમાં 15 વર્ષનો ગ્રેસ પિરિયડ સહિત 50 વર્ષના પુન:ચુકવણી સમયગાળાનો નક્કી કરાયા હોવાની માહિતી મળી છે

એ સ્થિરતાને અપનાવતાં આ હબ બિલ્ડિંગની છતની સોલર પેનલોને એકીકૃત કરે છે, જે પર્યાવરણને સાનુકૂળ નિર્માણ પ્રતિ પ્રતિબદ્ધતાનું ઉદાહરણ છે. રિફ્વેસ્ટ ફોર પ્રપોઝલ (RFP) પ્રક્રિયાના અંતિમ તબક્કામાં આ બિલ્ડિંગને 35 વર્ષોના સમયગાળા માટે ભાડેપટ્ટે આપવાની યોજના છે, જેને આગામી 35 વર્ષો સુધી વધારી શકાય છે. સુવિધાજનક લોકેશન અને પ્રભાવશાળી વિશેષતાઓ સાબરમતી મલ્ટિ મોડલ ટ્રાન્ઝિટ હબને અમદાવાદના કેન્દ્રમાં એક પ્રીમિયમ અને દૂરદર્શી જગ્યાની તપાસ કરતા સંભવિત ભાડે લેતા લોકો માટે એક આકર્ષક તક છે, એમ NHRCLના પ્રવક્તાએ જણાવ્યું હતું.

એક આંખ આંખમાં લેખું નહીં અને એક છોકરું છોકરામાં લેખું નહીં

એક આંખ આંખમાં લેખું નહીં અને એક છોકરું છોકરામાં લેખું નહીં…

 

મારે કોઈ ભાઈ કે બહેન નહોતાં. આ કારણથી મારી મા ક્યારેક મારા માટેની ચિંતારૂપે આ કહેવત વાપરતી. માણસને બે આંખ હોય છે. અંગ્રેજીમાં જેને ‘ફેક્ટર ઓફ સેફ્ટી’ એટલે કે સલામતી માટેનું માર્જિન કહીએ તો કદાચ એક આંખને કોઈ ઇજા થાય તો માણસ સાવ દ્રષ્ટિવિહીન બની જતો નથી.

દુનિયાને જોવા માટે એની પાસે હજુ એક આંખ સાબૂત છે. પણ જો એક જ આંખ હોય અને ન કરે નારાયણ એને કાંઈક ઇજા થાય તો વ્યક્તિની દુનિયા અંધકારમય બની જાય છે. આમ પેલી એક આંખને બચાવવા માટેની ચિંતા હમ્મેશા માણસને ઊભા મને જીવાડે છે. આ જ રીતે એક જ બાળક હોય અને તે સાજુંમાંદુ થાય ત્યારે મા બાપની ચિંતા અનેકગણી વધી જાય છે. આ સંદર્ભમાં આ કહેવત વપરાય છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

NMCએ 50 ટકા મેડિકલ કોલેજોને આપી શો-કોઝ નોટિસ

નવી દિલ્હીઃ નેશનલ મેડિકલ કમિશન (NMC) એ લગભગ 50 ટકા મેડિકલ કોલેજોને તેમના દ્વારા નિર્ધારિત ધોરણોનું પાલન ન કરવા બદલ કારણ દર્શાવો નોટિસ જારી કરી છે, એમ સૂત્રોએ સોમવારે જણાવ્યું હતું. જો NMC માપદંડોનું પાલન ન કરે તો ભારતની અડધી મેડિકલ કોલેજો માન્યતા ગુમાવી શકે છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

દેશની 349 મેડિકલ કોલેજ 197 સરકારી અને ખાનગી કોલેજોને કારણ દર્શાવો નોટિસ પાઠવવામાં આવી છે. જો કોલેજો ભૂલ સુધારશે નહીં તો આ કોલેજોમાં એક વર્ષ માટે પ્રવેશ અટકાવી દેવામાં આવશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. NMCએ કેરળના ઇડુક્કીમાં એક મેડિકલ કોલેજને નબળી હાજરી, શિક્ષકોની ઓછી સંખ્યા અને લઘુતમ ધોરણની આવશ્યકતાઓને પૂર્ણ કરવામાં નિષ્ફળતા માટે કારણ બતાવો નોટિસ જારી કરી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ઘણી કોલેજોમાં ફેકલ્ટીની સંખ્યા પણ ઓછી છે અને સિનિયર રેસિડેન્ટ ડોક્ટરોની હાજરી પણ પૂરતી નથી. વધુમાં, લઘુતમ માપદંડોની જરૂરિયાતો (MSR) 2023 હેઠળ ઘણી ક્ષતિઓ જોવા મળી હતી. દિશા-નિર્દેશો અનુસાર તમામ ફેકલ્ટી અને વરિષ્ઠ નિવાસી ડોકટરોની ઓછામાં ઓછી 75 ટકા હાજરી ફરજિયાત છે. NMCને જાણવા મળ્યું કે CCTV પણ કામ કરતા નથી.

સૂત્રોએ જણાવ્યું કે નેશનલ મેડિકલ કમિશન દ્વારા નિર્ધારિત ધોરણોનું પાલન ન કરવાને કારણે છેલ્લા એકથી બે મહિનામાં ભારતમાં લગભગ 40 મેડિકલ કોલેજોએ તેમની માન્યતા ગુમાવી દીધી છે.

અગાઉ મે મહિનામાં નિયમોનું પાલન ન કરવા, ઓછી ફેકલ્ટી અને CCTV કેમેરા સંબંધિત અનેક ખામીઓના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. સરકારી ડેટા અનુસાર, 2014થી અત્યાર સુધીમાં મેડિકલ કોલેજોની સંખ્યા લગભગ બમણી થઈને 387થી વધીને 654 થઈ ગઈ છે. MBBSની બેઠકોની સંખ્યા પણ વધીને 94 ટકા થઈ ગઈ છે.

 

 

 

 

કોરાનાના 164 નવા કેસો, એકનું પણ મોત નહીં  

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 164 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,03,341 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,33,307 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,69,021 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 89 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1013 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,78,453 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 114 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

રીષભ પંત આઈપીએલ-2024માં દિલ્હી કેપિટલ્સનું નેતૃત્ત્વ સંભાળવા સજ્જ

નવી દિલ્હીઃ ભારતનો વિકેટકીપર-બેટર રિષભ પંત આવતા વર્ષની ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) મોસમમાં રમવા માટે સજ્જ થઈ ગયો છે. તે દિલ્હી કેપિટલ્સ ટીમનું નેતૃત્ત્વ સંભાળશે.

ક્રિકબઝના અહેવાલ મુજબ, દિલ્હી કેપિટલ્સ ટીમના અધિકારીઓએ એમ કહ્યું છે કે, 26 વર્ષીય પંત હાલ બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડેમી (એનસીએ)માં પુનઃસ્વાસ્થ્ય લાભ મેળવવાની પ્રક્રિયા હેઠળ છે. તે ફેબ્રુઆરીના અંત સુધીમાં ફિટનેસ સંપૂર્ણપણે પ્રાપ્ત કરી લેશે એવી ધારણા રખાય છે. તે આઈપીએલ-2024માં સક્રિય રીતે ભાગ લઈ શકશે કે નહીં તે નિર્ણય એનસીએના મેનેજરો તરફથી મંજૂરી મળવાના આધારે લેવામાં આવશે. ધારો કે એ વિકેટકીપિંગ કરી નહીં શકે તો ફિલ્ડિંગ કરશે, બેટિંગ કરશે અને ટીમનું નેતૃત્ત્વ સંભાળશે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ પરવાનગી આપશે તો જ એ વિકેટકીપિંગ કરશે.

2023ની આઈપીએલ સ્પર્ધામાં દિલ્હી કેપિટલ્સ ટીમ પોઈન્ટ્સ ટેબલમાં 9મા ક્રમે રહી હતી. દેખીતી રીતે જ, ટીમને રિષભ પંતની ગેરહાજરીનો અનુભવ થયો હતો. પંતને ગયા વર્ષની 30 ડિસેમ્બરે એની કારમાં જતો હતો ત્યારે દિલ્હી-દેહરાદૂન હાઈવે પર એની કાર ડિવાઈડર સાથે અથડાઈ પડી હતી અને એમાં આગ લાગી હતી. આસપાસનાં લોકોએ એ દ્રશ્ય જોયું હતું અને તરત જ તેઓ પંતની મદદે દોડી ગયા હતા. એને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. એની કાર આગમાં સંપૂર્ણપણે નાશ પામી હતી. પંતને પગમાં, જમણા ઘૂંટણમાં, જમણા હાથમાં ગંભીર ઈજાઓ થઈ હતી. સદ્દભાગ્યે એને મગજમાં કે કરોડરજ્જુમાં કોઈ ઈજા થઈ નહોતી.

આજે સાંજે ખૂલશે સસ્પેન્સ; રાજસ્થાનના નવા CMના નામની કરાશે જાહેરાત

જયપુરઃ રાજસ્થાન રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી જીતીને ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના હાથમાંથી સત્તા છીનવી લીધી છે. હવે વિજેતા પાર્ટી રાજ્યનું નેતૃત્ત્વ કોને સોંપે છે તેની પર સૌની મીટ મંડાયેલી છે. રાજસ્થાન ભાજપ વિધાનસભા પક્ષની બેઠક આજે સાંજે 4 વાગ્યે અહીં મળવાની છે અને એમાં નિર્ણય લેવામાં આવશે કે રાજ્યના નવા મુખ્ય પ્રધાન કોને બનાવવા.

આ બેઠક જયપુરમાં પક્ષના મુખ્યાલય ખાતે મળશે અને એમાં પક્ષના કેન્દ્રીય નિરીક્ષક – સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પણ હાજર રહેશે. એમની સાથે અન્ય બે સહ-નિરીક્ષકો પણ હાજર રહેશે, જેમાંના એક છે રાષ્ટ્રીય ઉપપ્રમુખ સરોજ પાંડે અને બીજા છે રાષ્ટ્રીય મહામંત્રી વિનોદ તાવડે. પક્ષના નવા ચૂંટાયેલા તમામ વિધાનસભ્યોને જણાવી દેવામાં આવ્યું છે કે સાંજની બેઠકમાં એમણે ફરજિયાતપણે હાજર રહેવું. તે બેઠકમાં જ મુખ્ય પ્રધાનના નામની જાહેરાત કરાશે.

CM પદ માટે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વસુંધરા રાજે તથા કેન્દ્રીય પ્રધાનો – અર્જુન રામ મેઘવાળ, ગજેન્દ્ર સિંહ શેખાવત અને અશ્વિની વૈષ્ણવના નામ મુખ્ય દાવેદાર તરીકે સંભળાય છે. હાલમાં જ સમાપ્ત થયેલી ચૂંટણી ભાજપે 199 બેઠકોમાંથી 115 જીતીને સ્પષ્ટ બહુમતી હાંસલ કરી હતી. એક ઉમેદવારના નિધનને કારણે તે બેઠકની ચૂંટણી મુલતવી રાખવામાં આવી છે.

એન. ચંદ્રાએ નાનાને વિલનમાંથી હીરો બનાવ્યા

નિર્દેશક તરીકેની એન. ચંદ્રાની પહેલી ફિલ્મ ‘અંકુશ’ (૧૯૮૬) માં નાના પાટેકર પહેલાં વિલન તરીકે પસંદ થયા હતા પણ સંજોગો એવા સર્જાયા કે હીરો બની ગયા હતા. એન. ચંદ્રાએ નિર્દેશક બાપૂની ફિલ્મ ‘વો સાત દિન’ (૧૯૮૩) માં એડિટર ઉપરાંત સહાયક નિર્દેશક તરીકે કામ કર્યું હતું. એ પછી બાપૂએ વધુ એક ફિલ્મ ઓફર કરી હતી. પણ એન. ચંદ્રાએ નક્કી કરી લીધું હતું કે હવે એ કોઈના સહાયક બનશે નહીં પોતે જ નિર્દેશક બનશે. તેઓ અગાઉ નિર્દેશક ગુલઝારના પણ સહાયક રહી ચૂક્યા હતા.

ફિલ્મ બનાવવા ગુલઝારના લેખક દેબૂ સેને એક બંગાળી વાર્તા એન. ચંદ્રાને સંભળાવી હતી. એ બહુ પસંદ આવી હતી. એમાં બંગાળીને બદલે મુંબઈનો માહોલ બનાવીને એન. ચંદ્રાએ આખી ફિલ્મ જાતે લખી હતી. પણ નવા હતા એટલે નિર્માતાઓ એમને તક આપવા તૈયાર ન હતા. તેથી જાતે જ નિર્દેશક બનવાનું નક્કી કર્યું. ત્યારે સુભાષ નામના એક યુવાને એમની સાથે ફિલ્મ નિર્માણ માટે તૈયારી બતાવી અને કહ્યું કે તેની પાસે રૂ.૪ લાખ છે. ચંદ્રાએ ફિલ્મ બનાવવા રૂ.૧૨ લાખ જરૂરી હોવાનું જણાવ્યું અને કહ્યું કે પહેલાં રૂ.12 લાખ લાવ તો જ ફિલ્મ બનાવીશ. સુભાષે કહ્યું કે પાછળથી બાકીના રૂપિયાની વ્યવસ્થા તેના મામા કરશે. એન. ચંદ્રાએ તેના પર વિશ્વાસ રાખી ફિલ્મ શરૂ કરી દીધી. બજેટ ઓછું હતું એટલે એવું નક્કી થયું કે રૂ.10000 સુધીની ફી આપી શકાય એવા કલાકારોને જ પસંદ કરવાના.

અસલમાં એન. ચંદ્રાએ વિનોદ ખન્ના જેવા દેખાતા મરાઠી અભિનેતા રવિન્દ્ર મહાજનીને ધ્યાનમાં રાખીને જ રવીન્દ્ર કેલકરનું પાત્ર રચ્યું હતું. પરંતુ એમણે નક્કી કરેલા બજેટ કરતા ઘણા વધારે રૂપિયા માગ્યા. એટલે એમને લઈ શક્યા નહીં. દરમ્યાનમાં વિલનની ભૂમિકા માટે નાના પાટેકર સાઇન થઈ ચૂક્યા હતા. કેમકે નાનાએ એક મરાઠી ફિલ્મમાં વિલન તરીકે કામ કર્યું હતું. પરંતુ જ્યારે રવિન્દ્રને લઈ ના શક્યા ત્યારે હીરો તરીકે એન. ચંદ્રાને નાના પાટેકર યોગ્ય વિકલ્પ લાગ્યા. નાનાની હકારાત્મક ભૂમિકામાં હીરો જેવી ભૂમિકાની આ પહેલી ફિલ્મ હતી. અને ત્યારે નિશા સિંહ, મદન જૈન વગેરે સંઘર્ષ કરતા કલાકારોને લઈ ફિલ્મ શરૂ કરી દીધી. અને જેનો ડર હતો એ જ થયું.

ફિલ્મની થોડી રીલ તૈયાર થયા પછી સુભાષના મામાએ જોખમ લેવું ન હોવાથી રૂ.4 લાખથી વધુ રકમ આપવાની ના પાડી દીધી. ‘અંકુશ’ લગભગ બંધ જેવી જ થઈ ગઈ. ચંદ્રાએ એડિટરના રૂપમાં કામ ચાલુ રાખ્યું હોવાથી રોજી રોટીની ચિંતા ન હતી. પણ વિચાર કરતાં લાગ્યું કે જેટલી ફિલ્મ બની હતી એ બહુ સારી હતી અને ફિલ્મ પૂરી કરવી જ જોઈએ. જોખમ લેવાથી વધારેમાં વધારે આર્થિક રીતે બરબાદ થઈ જવાશે પણ જે કળા પોતાની પાસે છે એ તો ક્યાંય નહીં જાય. પત્ની સાથે વિચાર વિમર્શ કરી પોતાનો ફ્લેટ બેંકમાં મૂકી રૂપિયા લઈ ‘અંકુશ’ ચાલુ કરી દીધી. એ પછી જરૂર પડી ત્યારે પત્નીના જ નહીં બહેને રાખવા આપેલા સોનાના ઘરેણાં પણ ગીરવે મૂકીને ફિલ્મ ‘અંકુશ’ પૂરી કરી હતી. ફિલ્મ એટલી બધી સફળ રહી હતી કે રૂ.૯૫ લાખ કમાવી આપ્યા હતા.

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૧૨ ડિસેમ્બર, ૨૦૨૩

૧૨ ડિસેમ્બર, ૨૦૨૩