Home Blog Page 2228

આવતીકાલે PM મોદી ગુજરાત પ્રવાસે, વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી

PM મોદી આવતીકાલે એટલે કે 17 ડિસેમ્બરે ફરી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. જ્યાં વડાપ્રધાન રૂ. 353 કરોડના ખર્ચે નિર્મિત સુરત એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડીંગનું લોકાર્પણ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેન્દ્ર અને રાજ્યના મંત્રીઓ, મહાનુભાવો, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધિકારીઓની ઉપસ્થિતિમાં લોકાર્પણ સંપન્ન થશે. તે ઉપરાંત વડાપ્રધાન સુરતમા તૈયાર થયેલા ડાયમંડ બુર્સનું પણ ઉદ્ઘાટન કરવાના છે. જેમાં દેશ વિદેશના મહેમાનો હાજરી આપશે. સુરત હવાઈમથક દિલ્હી, ચેન્નઈ, બેંગલુરુ, કોલકતા, હૈદરાબાદ, ગોવા, ગોવા, પુણે, દીવ, બેલગાવી, ઈન્દોર, ઉદયપુર, જયપુર અને કિશનગઢ જેવા ૧૪ રાષ્ટ્રીય શહેરો અને આંતરરાષ્ટ્રીય રીતે શારજાહ મારફતે વિશ્વના બાકી ભાગો સાથે જોડાયેલું છે. સપ્તાહ દીઠ ૨૫૨થી વધુ પેસેન્જર ફ્લાઈટની અવરજવર થાય છે, ત્યારે સુરતને ગત તા.૧૫મીએ જ કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો આપ્યો છે, સુરત એરપોર્ટના આંતરરાષ્ટ્રીય દરજ્જો આપવાથી યાત્રી અવરજવર અને કાર્ગો સંચાલનમાં વધારા સાથે ક્ષેત્રીય વિકાસના અવસરો આપશે. એર કનેક્ટિવિટી વધવાની સાથે નવા બિલ્ડીંગથી મુસાફરોની સુવિધાઓમાં વધારો થશે.

સુરત અને ગુજરાતની સંસ્કૃતિ, સ્થાનિક પરિવેશ અને પરંપરાને આર્ટ વર્ક દ્વારા ઉજાગર કરવા માટે ડિઝાઈન કરાયેલા ટર્મિનલ બિલ્ડિંગનો અગ્રભાગ સુરત શહેરના રાંદેર વિસ્તારના કાષ્ટના જૂનાપૂરાણા ઘરોમાંથી પ્રેરણા લઈને તૈયાર કરાયેલો છે. ટર્મિનલના આંતરિક ભાગમાં રોગનની સ્થાનિક કળા કલાકૃત્તિ, જરી અને બ્રોકેડ જેવા ભરતકામ, લાકડાની સુંદર કોતરણી તેમજ ગુજરાતના લોકપ્રિય પતંગોત્સવને દર્શાવતા મોઝેકકાર્યનું ચિત્રણ કરાયુ છે. એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગ અને એપ્રોનનું વિસ્તરણ, ટેક્સિ ટ્રેકનું બાંધકામ કરવામાં છે.

ટર્મિનલનો વધારાનો ભાગ કાચ, સ્ટીલ, મેટલ અને ફ્લાય એશ ઈંટ સામગ્રીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે. એરપોર્ટમાં મુસાફરો માટે ૨૦ ચેક-ઈન કાઉન્ટર, ૫ એરોબ્રિજ, ૧૩ ઈમિગ્રેશન કાઉન્ટર, ૫૦૦ કાર પાર્કિંગ જેવી સુવિધા ઉપલબ્ધ થઈ છે. વિસ્તરણ પછી સુરત એરપોર્ટ પીક અવર્સ દરમિયાન પ્રતિ કલાક ૧૮૦૦ મુસાફરો અને વાર્ષિક ૩૫ લાખ મુસાફરોને સેવા આપવા સક્ષમ બનશે. સુરત એરપોર્ટ પર હાલનું ટર્મિનલ હાલમાં ૮૪૭૪ ચોરસ મીટર છે. ટર્મિનલની જમણી અને ડાબી બાજુનું વિસ્તરણ કરાયું છે, જે કુલ ૧૭,૦૪૬ ચોરસ મીટર છે.

આવતીકાલે વડાપ્રધાનના હસ્તે વિસ્તૃત ભાગ શરૂ થયા પછી ટર્મિનલ બિલ્ડિંગનો કુલ વિસ્તાર ૨૫,૫૨૦ ચો.મી. થઈ જશે. સુરત ભારતના સૌથી ગતિશીલ શહેરો પૈકીનું એક છે, ડાયમંડ અને ટેક્ષટાઈલ ઉદ્યોગમાં આગવી નામના ધરાવે છે. ત્યારે સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય દરજ્જો મળવાથી આર્થિક વૃદ્ધિમાં ગતિ લાવવામાં મદદ મળશે. સાથે જ વિદેશી રોકાણ આકર્ષિત કરવા અને રાજદ્વારી સંબંધોને મજબૂત કરવામાં મદદ મળશે. દેશવિદેશના વ્યાપારીઓને નવા એરપોર્ટથી સુવિધાજનક મુસાફરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને એર કનેક્ટિવિટી મળશે.સુરત એરપોર્ટથી દુબઈ અને હોંગકોંગ માટે ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ થઈ શકશે.

ઉદ્યોગપતિ રતન ટાટાને ધમકી આપનાર આરોપીની ધરપકડ

મુંબઈઃ દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ અને ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટાને જાનથી મારી નાખવાની ધમકી આપનાર વ્યક્તિની મુંબઈ પોલીસે ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે બેનામી કોલ કરનાર વ્યક્તિ સ્કિઝોફ્રેનિયાથી પીડિત હતો.

અહેવાલો અનુસાર મુંબઈ પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે ફોન કરનારે પોલીસને રતન ટાટાની સુરક્ષા વધારવા સાથે તેણે ચેતવણી આપી હતી કે ઔદ્યોગિક દિગ્ગજ ટાટાના હાલ ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રી જેવા જ થશે. સાયરસ મિસ્ત્રીનું 4 સપ્ટેમ્બર, 2022એ એક કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. કોલ મળતાની સાથે જ મુંબઈ પોલીસ ફુલ એક્શન મોડમાં આવી ગઈ હતી અને એક ખાસ ટીમને રતન ટાટાની અંગત સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી હતી, જ્યારે બીજી ટીમને કોલ કરનાર વિશે માહિતી એકત્રિત કરવા માટે કહેવામાં આવ્યું હતું. પોલીસે કહ્યું હતું કે તેમણે ટેક્નિકલ સપોર્ટ અને ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડરની મદદથી કોલ કરનારને શોધી કાઢ્યો હતો.

પોલીસે જણાવ્યું કે, ધમકીભર્યા કોલ કરનાર વ્યક્તિનું લોકેશન કર્ણાટકમાં હોવાનું જાણવા મળ્યું છે. તે પુણેનો રહેવાસી હતો. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, તેણે મુંબઈ પોલીસના કંટ્રોલ રૂમને ફોન કરીને રતન ટાટાને ધમકી આપી હતી. અધિકારીએ કહ્યું કે, ફોન કરનાર સ્કિઝોફ્રેનિયાથી પીડિત હોવાથી પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી ન કરવાનો નિર્ણય લીધો. પોલીસ અધિકારીઓએ પરિવારજનોની પૂછપરછ કર્યા બાદ જણાવ્યું કે ફોન કરનારે ફાઇનાન્સમાં MBA કર્યું છે અને એન્જિનિયરિંગનો અભ્યાસ પણ કર્યો છે.

ગુજકેટ પરીક્ષાની તારીખ બદલાઈ, 02/04/2024 ના બદલે 31/03/2024ના રોજ લેવાશે

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના ઠરાવ અનુસાર ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પછીની ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી/ડિપ્લોમા ફાર્મસી પછીના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે વર્ષ 2017 થી કોમન એન્ટરન્સ ટેસ્ટ તરીકે ગુજકેટ પરીક્ષા ફરજિયાત કરવાની જોગવાઈ દાખલ કરવામાં આવેલ છે. શિક્ષણ વિભાગના ઠરાવ અનુસાર વર્ષ 2024 માટે ગુજકેટની પરીક્ષા તારીખ 02/04/2024 ના મંગળવારના રોજ યોજાવાની હતી. પરંતુ વિભાગ દ્વારા આ પરીક્ષા માટેની તારીખ બદલવામાં આવી છે.

 

શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કર્યો

શિક્ષણ વિભાગે કરેલા એક પરિપત્ર પ્રમાણે વર્ષ 2024 માટે ગુજકેટની પરીક્ષા તારીખ 02/04/2024 ના મંગળવારના રોજ યોજાવાની હતી પરંતુ આ દિવસે CBSE બોર્ડની પરીક્ષા હોવાથી ગુજકેટની પરીક્ષાની તારીખ લંબાવવામાં આવી છે. હવે ગુજકેટની પરીક્ષા 31 માર્ચ 2024ના રોજ લેવાશે. શિક્ષણ વિભાગે સ્કૂલોના આચાર્યો અને શિક્ષકો સહિત વિદ્યાર્થીઓને એક પરિપત્ર દ્વારા જાણ કરી છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની રજીસ્ટ્રેશન થયેલ શાળાઓમાં ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિકવિજ્ઞાન, રસાયણવિજ્ઞાન, જીવવિજ્ઞાન તેમજ ગણિત વિષયોમાં NCERT ના પાઠ્યપુસ્તકનો અમલ કરેલ છે. NCERT આધારીત ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ માટે બોર્ડ દ્વારા નિયત થયેલ પ્રવર્તમાન અભ્યાસક્રમ GUJCET-૨૦૨૪ ની પરીક્ષા માટે રહેશે. ભૌતિકવિજ્ઞાન અને રસાયણવિજ્ઞાનનું પ્રશ્નપત્ર સંયુક્ત રહેશે. એટલે કે ૪૦ પ્રશ્નો ભૌતિકવિજ્ઞાન ના અને ૪૦ પ્રશ્નો રસાયણવિજ્ઞાનના એમ કુલ ૮૦ પ્રશ્નોના, ૮૦ ગુણ અને ૧૨૦ મિનિટનો સમય આપવામાં આવશે. OMR Answer Sheet પણ ૮૦ પ્રત્યુત્તર માટેની રહેશે. જીવવિજ્ઞાન અને ગણિતનું પ્રશ્નપત્ર અલગ અલગ રહેશે. જે માટેની OMR Answer Sheet પણ અલગ આપવામાં આવશે. એટલે કે જીવવિજ્ઞાન અને ગણિતમાં પ્રત્યેકમાં ૪૦ પ્રશ્નોના ૪૦ ગુણ અને ૬૦ મિનિટનો સમય આપવામાં આવશે. OMR Answer Sheet પણ પ્રત્યેક વિષય માટે ૪૦ પ્રત્યુત્તર માટેની રહેશે.

રાજ્યની સુરક્ષાને વધુ મજબૂત કરવા 10,500થી વધારે CCTV લગાવવામાં આવશે

VISWAS Project અંતર્ગત રાજ્યના ૩૪-જિલ્લાના મુખ્ય મથકો, ૬-પવિત્ર યાત્રાધામો અને સ્ટેચ્યુ ઓફ યુનિટી (SoU), એકતાનગર મળી કુલ ૪૧-સ્થળોએ ૧,૨૦૦ જેટલા ટ્રાફિક જંકશન, એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટ અને અન્ય સ્ટ્રેટેજિક સ્થળોએ ૭,૦૦૦ થી વધુ CCTV Camera લગાવી, દરેક જિલ્લામાં ‘નેત્રમ’ (District Level Command & Control Centre) સ્થાપિત કરી, Point to Point કનેક્ટીવીટી મારફતે Safety and Integrated Traffic Management System ઉભા કરવામાં આવેલ છે. સમગ્ર રાજ્યમાં લગાડવામાં આવેલ CCTV Camera System ને રાજ્ય કક્ષાથી નિયત્રિત કરી શકે તે માટે પોલીસ ભવન પરિસર, ગાંધીનગર ખાતે TRINETRA: Integrated Command & Control Centre (i3C) કાર્યરત કરવામાં આવેલ છે અને સમગ્ર વ્યવસ્થાને વધુ આધુનિક બનાવવા ૧૦,૦૦૦-Body Worn Camera, ૧૯-Drone based Camera System અને Video Analytics સુસજ્જિત કરવામાં આવેલ છે. અત્યાધુનિક વિડિયો એનાલિટિક્સનો ઉપયોગ કરીને તપાસના હેતુ માટે સિસ્ટમ અને અન્ય સ્ત્રોતોમાંથી વિડિયો ફૂટેજનું વિશ્લેષણ કરી શકાય છે. પોલીસ દ્વારા ટ્રાફિક વ્યવસ્થાપન, અમલીકરણ અને ફોજદારી કેસોની તપાસ માટે આ સિસ્ટમનો વ્યાપકપણે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ કરવા VISWAS Project અંતર્ગત સુરત શહેર, વડોદરા શહેર અને અન્ય 52-નગરપાલિકઓ અને ૮૦-આંતરરાજ્ય Entry-Exit Points ખાતે ૧૦,૫૦૦ થી વધારે CCTV Camera સ્થાપિત કરવામાં આવશે. આ CCTV Cameraઓને નગરપાલિકાઓના અગત્યના એન્ટ્રી-એક્ઝીટ પોઇન્ટ, વ્યુહાત્મક સ્થળો, ભીડભાડ વાળા સ્થળો, મુખ્ય ટ્રાફિક જંક્શન વિગેરે સ્થળોએ વાહનનોના રજીસ્ટ્રેશન નંબર ઓળખી શકે તેવા (ANPR Camera), શંકાસ્પદ પ્રવૃત્તિ ઉપર નજર રાખી શકે તેવા (PTZ Camera), ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર સામે e-Challan જારી કરી શકે તેવા અને અન્ય સુરક્ષા સંબંધિત ગતિવિધિઓ ઉપર ચાંપતી નજર રાખી શકે તેવા (Fixed Camera) CCTV Camera સ્થાપિત કરવામા આવશે. આ ઉપરાંત, Inter-State Criminal Activities અટકાવવા રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, દમણ, દીવ, દાદરા અને નગર હવેલી (DDNH) સાથેની સરહદોના એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટ ખાતે CCTV Camera સ્થાપિત કરવામાં આવી રહ્યા છે.

૫૪-શહેરોને ૪-ક્લસ્ટરમાં વિભાજિત કરવામાં આવ્યા છે અને તેના અમલીકરણ માટે નીચે મુજબની વિવિધ એજન્સીઓને કામ સોંપવામાં આવ્યું છે. તેમજ આ Project અંતર્ગત ઉક્ત તમામ લોકેશનો ખાતે Point to Point Connectivity માટે M/s BSNL ને કામગીરી સોંપવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે કે, VISWAS Project અંતર્ગત સ્થાપિત કરવામાં આવેલ Safety and Integrated Traffic Management System ની મદદથી નીચે દર્શાવેલ જુદા જુદા પ્રકારના કુલ ૭૩૦૦ થી વધુ કેસો શોધવામાં મદદ મળેલ છે. વર્ષ ૨૦૧૮-૨૨ ના સમયગાળા દરમિયાન તમામ ચોરીના કેસોમાં તપાસ દર ૮ % વધ્યો છે; લૂંટના કેસોની તપાસ દરમાં ૧૦ % વધારો; ઘરની ચોરીના કેસો શોધવાના દરમાં ૭ % અને લૂંટના કેસોની તપાસ દરમાં ૧% વધારો થયેલ છે.

તે ઉપરાંત વર્ષ ૨૦૧૮-૨૨ ના સમયગાળામાં અકસ્માતોના બનોવોમાં ૧૬ % જેટલો ઘટાડો થયેલ છે, માર્ગ અકસ્માતના કારણે થતી ઇજાઓમાં ૧૩ % ઘટાડો તેમજ અકસ્માતના કારણે મૃત્યુમાં ૫ % જેટલો ઘટાડો થયેલ છે. VISWAS Project ને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સન્માન મળેલ છે અને વિવિધ સંસ્થાઓ દ્વારા અલગ અલગ કેટેગરીઓમાં Awards જેવા કે, National e-Governance Gold Award (2022), FICCI SMART Policing Award (2022), Skoch Gold Award (2022), Project Management Institute (PMI) USA (2021), Smart Cities India Award (2021), Governance Now India Police Award (2020) તેમજ Skoch Gold Award (2019) થી પુરસ્કૃત કરવામાં આવેલ છે.

VISWAS પ્રોજેક્ટ અંતર્ગત તમામ એજન્સીઓ અને અન્ય સહભાગીઓ સાથે Phase-II ના અમલીકરણ માટે તા.૧૫/૧૨/૨૦૨૩ ના રોજ એક બેઠક યોજવામાં આવી હતી. નરસિમ્હા કોમાર, અધિક પોલીસ મહાનિદેશક (વહીવટ) અને અધ્યક્ષ, Task Force on VISWASના ઓએ માહિતી આપી હતી “VISWAS પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવેલ ફોટો આધારિત સુરક્ષા વ્યવસ્થા રાજ્ય પોલીસ માટે અત્યંત ઉપયોગી છે. ફોજદારી કેસોના નિવારણ, શોધ અને તપાસ અને ટ્રાફિક વ્યવસ્થાપન અને અમલીકરણ માટે તેનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે. Tier-I & II શહેરો અને આંતર-રાજ્ય સરહદો સુધી સીસીટીવી કેમેરાના નેટવર્કના વિસ્તરણથી ‘force multiplier’ અસર ઉભી થશે અને ગુજરાત પોલીસની ક્ષમતાઓમાં અનેકગણો વધારો થશે.”

કેન્દ્રએ શેરડીના રસમાંથી ઇથેનોલ બનાવવા પરનો પ્રતિબંધ હટાવ્યો

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે શેરડીના રસમાંથી ઇથેનોલ બનાવવા પરનો પ્રતિબંધ દૂર કર્યો છે. ખાદ્ય મંત્રાલયે નવો આદેશ જારી કરતાં જણાવ્યું હતું કે ઇથેનોલના ઉત્પાદનમાં શેરડીનો રસ અને બી-હેવી ગોળનો ઉપયોગ ચાલુ જ રહેશે. આના કારણે 2023-24માં ગ્રીન ફ્યુઅલ ઇથેનોલના ઉત્પાદનમાં ઘટાડો થશે નહીં. એ સાથે સપ્લાયમાં પણ  અડચણ નહીં આવે. આ પહેલાં સરકારે ઇથેનોલ ઉત્પાદનમાં શેરડીના રસના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો.

સ્થાનિક બજારમાં સુગરની વધતી કિંમતોને ધ્યાનમાં રાખીને સાત ડિસેમ્બરે સરકારે ઇથેનોલ ઉત્પાદન માટે શેરડીના રસ અને સુગરના સિરપના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો. હવે નવા નિયમ મુજબ કંપનીએ તેમના નિર્ણય અંગે ખાદ્ય મંત્રાલયને પણ જાણ કરવી પડશે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દરેક દારૂના કારખાના માટે ઉત્પાદન લક્ષ્યાંકો પણ ફરીથી જાહેર કરશે. તેમજ કંપનીઓએ તેમના નિર્ણય વિશે ખાદ્ય મંત્રાલયને પણ જાણ કરવી પડશે. આ ઉપરાંત સુગર મિલો અને દારૂના કારખાનાએ પણ ઉત્પાદનની માહિતી આપવી પડશે. તેમજ શેરડીનો રસ અને ભારે ગોળનો ઉપયોગ સ્પિરિટ અને દારૂના ઉત્પાદનમાં થઈ શકશે નહીં. આ ઉપરાંત તમામ ગોળ આધારિત દારૂના કારખાના ઇથેનોલ બનાવવા માટે C-હેવી ગોળનો ઉપયોગ કરશે.શેરડીના રસમાંથી ઇથેનોલ બનાવવા પરનો પ્રતિબંધ હટાવવા બાબતે મંત્રીઓની બેઠકમાં નિર્ણય લેવાયાની જાણ શુક્રવારે ખાદ્ય સચિવ સંજીવ ચોપડાએ કરી હતી. વર્ષ 2023-24 માટે 17 લાખ ટન ખાંડનો ઉપયોગ ઇથેનોલ પ્રયોગ માટે કરવામાં આવશે. લાગેલા પ્રતિબંધ પહેલા ઇથેનોલ ઉત્પાદનમાં 6 લાખ ટન ખાંડનો ઉપયોગ થતો હતો. સરકારનો અંદાજ છે કે દેશમાં ખાંડનું ઉત્પાદન ઘટીને લગભગ 33 મિલિયન ટન થશે. ગત સિઝનમાં ખાંડનું ઉત્પાદન 3.73 કરોડ ટન હતું.

 

 

 

 

 

સંસદ પર હુમલા કેસમાં વધુ એક આરોપીની ધરપકડ

સંસદમાં ઘરફોડ ચોરીની ઘટના બાદ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ આ મામલે સતત તપાસ કરી રહી છે. સ્પેશિયલ સેલે આ કેસમાં અન્ય એક આરોપીની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા વ્યક્તિનું નામ મહેશ છે. સંસદ સુરક્ષા ભંગ કેસમાં અત્યાર સુધીમાં કુલ 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે ઘરફોડ ચોરીના કેસમાં છઠ્ઠા આરોપી મહેશ કુમાવતની ધરપકડ કરી છે. લાંબી પૂછપરછ બાદ મહેશની ધરપકડ કરવામાં આવી છે. ઘરફોડ ચોરીના કેસમાં મહેશે મહત્વની ભૂમિકા ભજવી હોવાનું મનાય છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મહેશે ભાગી જવા દરમિયાન માસ્ટરમાઇન્ડ લલિત ઝાને છુપાવવામાં મદદ કરી હતી. મહેશે પોતે જ તેના આઈડીનો ઉપયોગ કરીને લલિત ઝા માટે હોટલનો રૂમ બુક કરાવ્યો હતો. વિશેષ ટીમ આ લોકોની સતત પૂછપરછ કરી રહી છે.

 

ઘટનાના દિવસે જ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી

13 ડિસેમ્બરના રોજ, 22 વર્ષ પહેલા 2001 માં સંસદ પર આતંકવાદી હુમલાની વરસી પર, લોકસભાની કાર્યવાહી દરમિયાન, બે લોકો પ્રેક્ષક ગેલેરીમાંથી ગૃહની અંદર કૂદી ગયા અને ‘શેરડી’ દ્વારા પીળો ધુમાડો ફેલાવ્યો. જોકે, ઘટના બાદ બંને દેખાવકારો તરત જ ઝડપાઈ ગયા હતા. ગૃહમાં આ ઘટનાના થોડા સમય પછી, બે વિરોધીઓ કે જેઓ ગૃહની બહાર પીળો અને લાલ ધુમાડો ફેંકી રહ્યા હતા તેમની ધરપકડ કરવામાં આવી હતી. ગૃહમાં કૂદી ગયેલા બે આરોપીઓની ઓળખ સાગર શર્મા અને મનોરંજન ડી તરીકે થઈ હતી. જ્યારે સંસદ ભવન બહારથી ધરપકડ કરાયેલા લોકોની ઓળખ જીંદ જિલ્લાની નીલમ (42) અને લાતુર જિલ્લાના અમોલ શિંદે (25) તરીકે થઈ હતી. બાદમાં મુખ્ય આરોપી લલિત ઝાની પણ ધરપકડ કરવામાં આવી હતી. હવે મહેશના રૂપમાં છઠ્ઠા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સ્પેશિયલ સેલની ટીમ આ લોકોની પૂછપરછ કરી રહી છે.

વિશેષ ટીમ દરેક એંગલથી તપાસમાં લાગેલી છે

સૂત્રોનું કહેવું છે કે પોલીસ ટૂંક સમયમાં આ કેસના આરોપીને સંસદમાં લઈ જઈ શકે છે અને ક્રાઈમ સીન રિક્રિએશન કરાવી શકે છે, જેથી એ જાણી શકાય કે આરોપી સંસદ ભવન સુધી કેવી રીતે પહોંચ્યો. દિલ્હી પોલીસે મનોરંજન અને તપાસ માટે સંસદ સચિવાલય પાસે પરવાનગી માંગી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ આ કેસમાં દરેક એંગલથી તપાસમાં લાગેલી છે અને તપાસનો વ્યાપ વિસ્તારતી વખતે પોલીસ ઘટના સ્થળને ફરીથી બનાવવા માંગે છે અને તે જાણવાનો પ્રયાસ કરવા માંગે છે કે આરોપી સંસદ ભવન અને સુરક્ષાની અંદર કેવી રીતે પહોંચ્યો.

કેપ્ટનશીપ છીનવાયા બાદ શું રોહિત શર્મા છોડી દેશે MI ?

2024 ઈન્ડિયન પ્રીમિયર લીગ ભારતીય કેપ્ટન રોહિત શર્મા માટે મુંબઈ ઈન્ડિયન્સની જર્સીમાં એક ખેલાડી તરીકે છેલ્લી સિઝન હોઈ શકે છે, કારણ કે શુક્રવારે ફ્રેન્ચાઈઝીએ હાર્દિક પંડ્યાને તેના નવા કેપ્ટન તરીકે જાહેર કર્યો હતો. રોહિતની કપ્તાની હેઠળ ટીમ આ લીગની સૌથી સફળ ફ્રેન્ચાઇઝી તરીકે ઉભરી આવી છે. રોહિતે 11 સીઝનમાં ટીમનું નેતૃત્વ કર્યું હતું, જેમાંથી મુંબઈ ઈન્ડિયન્સ પાંચ વખત ટાઈટલ જીતવામાં સફળ રહી હતી. આઈપીએલની 2024 સીઝન માટે મોટી હરાજી થશે અને ફ્રેન્ચાઈઝીના આ પગલાથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે રોહિત હવે એક ખેલાડી તરીકે મુંબઈ ઈન્ડિયન્સની ભવિષ્યની યોજનાઓમાં નથી. EPL ગવર્નિંગ કમિટી ચાર ખેલાડીઓને ટીમમાં જાળવી રાખવાની મંજૂરી આપશે. ભવિષ્યને ધ્યાનમાં રાખીને મુંબઈની ટીમ હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ અને જસપ્રિત બુમરાહને રિટેન કરવા ઈચ્છશે.

T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમની કેપ્ટનશીપની રેસમાં રોહિત શર્મા

જો કે વર્તમાન સિઝનમાં રોહિતના જોરદાર પ્રદર્શનથી આ બાબતો બદલાઈ શકે છે. રોહિત શર્મા હજુ પણ જૂનમાં યોજાનાર T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમની કેપ્ટનશીપની રેસમાં છે. રોહિત ઘણી વખત કહી ચૂક્યો છે કે તે મુંબઈ ઈન્ડિયન્સ સિવાય અન્ય કોઈ ફ્રેન્ચાઈઝી માટે ક્યારેય નહીં રમે. એવું જાણવા મળ્યું છે કે ઉત્તર ભારતની એક IPL ફ્રેન્ચાઇઝી તેને કેપ્ટન અને મેન્ટરની ભૂમિકા ભજવવા માટે મોટી રકમ ચૂકવવા તૈયાર છે. આવી સ્થિતિમાં શું તે પોતાનો વિચાર બદલી નાખશે? ફ્રેન્ચાઈઝી ક્રિકેટની કઠોર દુનિયામાં તે આશ્ચર્યજનક હતું કે મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા જારી કરવામાં આવેલી એક સરળ મીડિયા રિલીઝમાં આઈપીએલના મહાન કેપ્ટનમાંથી એકનું નિવેદન નથી.

IPLની છેલ્લી ત્રણ સિઝન મુંબઈ માટે સારી રહી ન હતી

આ ફ્રેન્ચાઈઝીના કોચિંગના વૈશ્વિક વડા માહેલા જયવર્દને તેના યોગદાન માટે રોહિતનો આભાર માન્યો. આ બધું ત્યારે થયું જ્યારે માત્ર 48 કલાક પહેલા રોહિતે તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર વર્લ્ડ કપ જીતવાની બીજી તક માટે તેની પ્રેરણા વિશે વાત કરી હતી. IPLની છેલ્લી ત્રણ સિઝન મુંબઈ માટે સારી રહી ન હતી. 2021માં હાર્દિક સંપૂર્ણ રીતે ફિટ નહોતો, ત્યારપછી બુમરાહ ઈજાના કારણે સિઝનમાંથી બહાર રહ્યો હતો. ટીમે જોફ્રા આર્ચર માટે મોટી બોલી લગાવી હતી પરંતુ તે પણ ઈજાના કારણે ટીમ માટે કામ કરી શક્યો ન હતો.

અનુમાન લગાવવું ખૂબ મુશ્કેલ હશે

જ્યાં સુધી રોહિત પોતે કંઈક જાહેર નહીં કરે ત્યાં સુધી અનુમાન લગાવવું ખૂબ મુશ્કેલ હશે કે આ ફ્રેન્ચાઇઝીએ તેના મહાન ખેલાડી સાથે કેવા પ્રકારની વાતચીત કરી છે. ફ્રેન્ચાઇઝીના વિકાસને અનુસરનારાઓને આશ્ચર્ય થયું કે શા માટે રોહિતને પોતાને પદ છોડવાની તક આપવામાં આવી નથી. હાર્દિકના કેપ્ટનશીપની જવાબદારી સંભાળવાથી બેટ્સમેન રોહિત મુક્તપણે બેટિંગ કરશે અને ભવિષ્યમાં તે અન્ય કોઈ ટીમની જર્સીમાં જોવા મળે તેવી શક્યતા છે.

Indian Police Force સિરીઝનું શાનદાર ટિઝર રિલીઝ

ડિરેક્ટર રોહિત શેટ્ટીની આગામી વેબ સિરીઝ ‘ભારતીય પોલીસ ફોર્સ’ને લઈને હાલમાં ખુબ જ ચર્ચા થઈ રહી છે. સિદ્ધાર્થ મલ્હોત્રા સ્ટારર ફિલ્મ ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’ને લઈને ચાહકોમાં ઘણી હાઈપ છે. આ દરમિયાન મેકર્સ દ્વારા આ વેબ સિરીઝનું લેટેસ્ટ ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. સિદ્ધાર્થ મલ્હોત્રાની ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’ ઘણા સમયથી ચર્ચામાં છે. તાજેતરમાં નિર્માતાઓએ આ શ્રેણીના ટીઝરને લઈને એક મોટું અપડેટ શેર કર્યું હતું, જેના આધારે આજે 16 ડિસેમ્બરે, ‘Indian Police Force ‘નું એક શાનદાર ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. પ્રખ્યાત OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વીડિયોએ તેની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર આ આગામી સિરીઝનું ટીઝર લોન્ચ કર્યું છે. ‘Indian Police Force ‘ના આ લેટેસ્ટ ટીઝરમાં પોલીસ ફોર્સ અને ગુનેગારોની દુનિયાના ગુનેગારો વચ્ચે ભીષણ અથડામણ જોવા મળી રહી છે.

19 જાન્યુઆરી, 2024 ના રિલીઝ થશે

અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા ખાસ કરીને યુનિફોર્મમાં પોલીસ ઓફિસરની ભૂમિકામાં ખૂબ જ મજબૂત દેખાઈ રહ્યો છે. સિદ્ધાર્થ ઉપરાંત વેબ સિરીઝ વિવેક ઓબેરોય, નિકેતન ધીર અને શિલ્પા શેટ્ટીની અન્ય સ્ટાર કાસ્ટની ઝલક જોવા મળી રહી છે. ટીઝર પરથી સ્પષ્ટ અંદાજ લગાવી શકાય છે કે પોલીસ શહેરને બોમ્બ બ્લાસ્ટથી બચાવતી જોવા મળશે. તે 19 જાન્યુઆરી, 2024 ના રોજ OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થશે.

ભારતે ઇંગ્લેન્ડને હરાવીને ટેસ્ટ ઇતિહાસની સૌથી મોટી જીત મેળવી

નવી મુંબઈઃ ભારતીય મહિલા ટીમે નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડને 347 રનોથી હરાવીને મહિલા ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસની સૌથી મોટી જીત મેળવી છે. ભારતીય જીતના હીરો રહેલી દીપ્તિ શર્માએ મેચમાં નવ વિકેટ હાંસલ કરી હતી. ભારતે ઇંગ્લેન્ડને આ મેચમાં જીતવા માટે 478 રનનો વિશાળ લક્ષ્યાંક આપ્યો હતો. એના જવાબમાં ઇંગલેન્ડની ટીમ બીજી ઇનિંગ્સમાં 131 રનોમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

એકમાત્ર ટેસ્ટમાં ઈંગ્લેન્ડના બેટર્સનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. ભારતીય ટીમે નવ વર્ષ બાદ ટેસ્ટ મેચ જીતી છે. આ સમયગાળા દરમિયાન ટીમ માત્ર બે મેચ રમી હતી અને બંને ડ્રો રહી હતી. ભારતીય મહિલા ટીમની આ 40મી ટેસ્ટ હતી. અત્યાર સુધી ટીમને છ જીત અને 6 હાર મળી છે. 27 મેચ ડ્રો રહી છે. ઈંગ્લેન્ડ સામે ભારતના રેકોર્ડબ્રેક વિજયમાં દીપ્તિ શર્મા સ્ટાર રહી હતી.. ભારતીય ટીમે બીજા દિવસના અંતે 6 વિકેટે 186 રન નોંધાવ્યા હતા. ત્રીજા દિવસે શનિવારે ભારતીય ટીમે દાવ ડિકલેર કર્યો હતો. ઈંગ્લેન્ડને જીતવા માટે 478 રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. ભારત તરફથી સ્પિનર દીપ્તિ શર્માએ 4 જ્યારે પેસ બોલિંગ ઓલરાઉન્ડર પૂજા વસ્ત્રાકરે 3 વિકેટ લીધી હતી.

ઓલરાઉન્ડર દીપ્તિ શર્માને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. પ્રથમ દાવમાં તેણે ઈંગ્લેન્ડના 5 બેટર્સને આઉટ કર્યા હતા. આ સાથે દીપ્તિએ પ્રથમ દાવમાં અડધી સદી પણ ફટકારી હતી. તેણે 113 બોલમાં 10 ચોગ્ગા અને એક સિક્સરની મદદથી 67 રનની ઈનિંગ્સ રમી હતી. બીજી ઈનિંગ્સમાં તેણે 18 બોલમાં 20 રનનું યોગદાન આપ્યું હતું.

ભારતીય ટીમે પ્રથમ દાવમાં 428 રનનો જંગી સ્કોર નોંધાવ્યો હતો. જેમાં શુભા સતીશ, જેમિમાહ રોડ્રિગ્સ, યાસ્તિકા ભાટિયા અને દીપ્તિ શર્માએ અડધી સદી ફટકારી હતી. જેના જવાબમાં ઈંગ્લેન્ડનો પ્રથમ દાવ માત્ર 136 રનમાં સમેટાઈ ગયો હતો. હવે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ મેચ રમવાની છે.

 

 

CID ફેમ અભિનેત્રીનો ચોંકાવનારો વીડિયો આવ્યો સામે, લગાવ્યા ગંભીર આરોપ

નાના પડદાના પ્રખ્યાત શો CID ફેમ અભિનેત્રી વૈષ્ણવી ધનરાજનું નામ અચાનક જ હેડલાઈન્સનો ભાગ બની ગયું છે. જેની પાછળનું કારણ ઘણું મોટું છે. વૈષ્ણવી ધનરાજનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયો સામે આવ્યા બાદ ટીવી ઈન્ડસ્ટ્રીમાં હલચલ મચી ગઈ છે. વીડિયો દ્વારા વૈષ્ણવી દરેક પાસે મદદની વિનંતી કરતી જોવા મળે છે. વીડિયોમાં એ પણ જોઈ શકાય છે કે અભિનેત્રી પોલીસ સ્ટેશનમાં હાજર છે. આ સિવાય વૈષ્ણવી ધનરાજ પણ વીડિયોમાં તેના ચહેરા અને હાથ પર થયેલી ઈજાઓ તરફ ઈશારો કરતી જોવા મળે છે. આટલું જ નહીં વૈષ્ણવી ધનરાજનું કહેવું છે કે તેને તેના પરિવારના સભ્યોએ માર માર્યો છે. અભિનેત્રી દરેકને પારિવારિક હિંસાથી થયેલી ઇજાઓ બતાવે છે અને મદદ માટે દરેકને અપીલ કરે છે. અભિનેત્રીએ તેની વાર્તા સંભળાવ્યા બાદ વીડિયો બંધ કરી દીધો.

 

અભિનેત્રી ઘરેલું હિંસાનો શિકાર બની

એક રિપોર્ટ અનુસાર વૈષ્ણવી ધનરાજને છેલ્લા ઘણા સમયથી તેના ભાઈ, ભાભી અને તેની માતા દ્વારા સતત હેરાન કરવામાં આવી રહી છે. અભિનેત્રી કહે છે કે તેની સાથે આવું પહેલીવાર નથી બન્યું. આ પહેલા પણ તે તેના પરિવારના સભ્યોની હિંસાનો શિકાર બની હતી. અભિનેત્રીના કહેવા પ્રમાણે તેનો પરિવાર તેના જીવનને પોતાની રીતે ચલાવવા માંગે છે. તેને તેના પરિવાર તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવે છે. જોકે પોલીસે અભિનેત્રીની ફરિયાદ નોંધી હોવાનું માનવામાં આવે છે. પોલીસ કોર્ટના આદેશની રાહ જોઈ રહી છે. જે બાદ તે પરિવાર અને માતા વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરશે. તમને જણાવી દઈએ કે, CID સિવાય વૈષ્ણવી ધનરાજ ‘તેરે ઈશ્ક મેં ઘાયલ’ અને ‘બેપન્ના’ જેવી સીરિયલ્સમાં પણ જોવા મળી છે.