Home Blog Page 2177

રામ મંદિર માટે પસંદ કરવામાં આવી મૂર્તિ, કરો પહેલા દર્શન

અયોધ્યા રામ મંદિરઃ અયોધ્યામાં ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર હાલમાં ચર્ચામાં છે કારણ કે તેના અભિષેકની તારીખ નજીક આવી રહી છે. અયોધ્યામાં રામજન્મભૂમિ પર બનેલા ભવ્ય મંદિરમાં રામલલાની મૂર્તિ ક્યારે સ્થાપિત થશે તેની કરોડો ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી, તેમના અધિકારી તરફથી એક પોસ્ટમાં લખ્યું કે, જ્યાં રામ છે ત્યાં હનુમાન છે. અયોધ્યામાં ભગવાન રામના અભિષેક માટે આ મૂર્તિની પસંદગી કરવામાં આવી છે. આપણા દેશના પ્રખ્યાત શિલ્પકાર આપણા ગૌરવ યોગીરાજ અરુણ દ્વારા બનાવવામાં આવેલી ભગવાન રામની પ્રતિમા અયોધ્યામાં સ્થાપિત કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રીએ આગળ લખ્યું, “આ રામ હનુમાનના અતૂટ સંબંધનું બીજું ઉદાહરણ છે. તેમાં કોઈ શંકા નથી કે હનુમાનની ભૂમિ કર્ણાટકના રામલલાની માટે આ એક મહત્વપૂર્ણ સેવા છે.

 

રામલલાની મૂર્તિઓ પર ત્રણ શિલ્પકારોએ કામ કર્યું 

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે ગુરુવારે (28 ડિસેમ્બર) એબીપી ન્યૂઝના એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે મૂર્તિ પથ્થરોથી બનાવવામાં આવી રહી છે, ત્રણ શિલ્પકારો ત્રણ પ્રકારના પથ્થરો પર પ્રતિમાઓ બનાવી રહ્યા છે. તેણે કહ્યું હતું કે, “ભગવાનનું બાળક જેવું સ્વરૂપ છે, પાંચ વર્ષના છોકરા જેવું… બે શિલ્પકારોએ તેમની મૂર્તિ તૈયાર કરી અને તેને તાળું મારીને ચાલ્યા ગયા. કદાચ જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ સુધીમાં ત્રણ હાથની મૂર્તિઓમાંથી કઇ મૂર્તિ ભગવાને સ્વીકારી હતી અને કયો શિલ્પકાર ભગવાનના બાળસ્વરૂપને યોગ્ય રીતે કોતરવામાં સફળ થયો હતો તે ખબર પડી જશે. જો આ બંને વસ્તુઓ તૈયાર હોય તો અભિષેકની તૈયારીઓ પૂર્ણ થઈ જાય છે. અયોધ્યામાં રામ મંદિરનો અભિષેક 22 જાન્યુઆરીએ થવાનો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અભિષેકની અપેક્ષા છે. આ કાર્યક્રમ માટે પીએમને આમંત્રણ આપવામાં આવ્યું છે.

૦૨ જાન્યુઆરી, ૨૦૨૪

૦૨ જાન્યુઆરી, ૨૦૨૪

એ ભૂખ્યા ઉઠાડે છે, સુવાડતો નથી

એ ભૂખ્યા ઉઠાડે છે, સુવાડતો નથી

 

આપણે સવારે ઊઠીને કામે લાગીએ છીએ તે છેક રાત સુધી કામ કરીએ છીએ. રાત્રે સૂઈ જઈએ છીએ ત્યારે બધું જ ભૂલી જઈએ છીએ. સવારે નીંદરમાંથી આંખ ખૂલે ત્યારે આપણે સાવ ભૂખ્યા હોઈએ છીએ. આમ, કુદરતની એક પ્રક્રિયાના ભાગરૂપે આપણે સવારે ભૂખ્યા ઊઠીએ છીએ.

આપણાં જીવનનું સંચાલન પરમાત્મા કરે છે. એટલે ભગવાન ભૂખ્યા ઉઠાડે છે એવું લખ્યું છે. પણ દિવસને અંતે આપણે કંઈકને કંઈક પ્રાપ્ત કરીએ છીએ એ પણ ઈશ્વરનો પ્રસાદ છે. એટલે ઈશ્વર ભૂખ્યા સુવાડતો નથી એ રીતનો શબ્દપ્રયોગ કર્યો છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

રાશિ ભવિષ્ય 02/01/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ સામાન્ય છે, પ્રવાસનું આયોજન થઈ શકે છે તેમાં ઉત્સાહ પણ જોવા મળી શકે , મિત્રોથકી કોઈ લાભની વાત આપ-લે થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમને તમારી મહેનત મુજબ ફળ મળી શકે છે વેપારમાં કામકાજ નાનું અને અનુભવ મુજબજ કામ કરવુ યોગ્ય છે, વિવાહયોગ્ય વાર્તાલાપ સારી રહે.


આજના દિવસે સાવચેતી રાખવી અને તેમાં પણ ગુસ્સાપર કાબુ રાખવો જરૂરી બને છે, વાહન ધીમે ચલાવવું  સલાહ ભર્યું છે, એલર્જી,ચામડી, લોહીના દર્દીએ તકેદારી રાખવી, વણમાંગી સલાહકે સુચન આજના દિવસે ના આપવા ઈછાનીય છે. વેપારના કામકાજમાં મોટા જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ તમારા માટે સારો છે તમને ઉત્સાહ, આત્મવિશ્વાસ સારો રહે, મનની ઈચ્છા પૂરી થાય તેવું બનવા જોગ પણ છે, વિદ્યાર્થીવર્ગ માટે વિદ્યાભ્યાસમાં વધુ મહેનત કરવાથી સારું ફળ મળી શકે છે, ગણતરી પૂર્વક કામ કરોતો ધાર્યા કામ વધુ થાય, વેપારના કામકાજમાં લાભ અને નવીનજાણકારીની તક મળે.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાત, પ્રવાસ થઈ શકે છે, કોઈ આકસ્મિકનાણાકીય ખર્ચ પણ આવી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં ઓળખાણમાં કામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારના કામકાજમાં નાનું કામ કરવું સલાહ ભર્યું છે, વિવાહયોગ્ય વાર્તાલાપ કોઈના થકી કરવી યોગ્ય કહી શકાય.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો સલાહ ભર્યો છે, ખટપટકરનાર વર્ગથી દુર રહેવું જરૂરી છે, ખરીદી કરવાપાછળ બિનજરૂરી ખર્ચ થઇ શકે છે, મુસાફરી થોડી કંટાળાજનક બની શકે છે , વાહન ધીમે ચલાવવું ,ઉશ્કેરાટથી દુર રહેવું, વેપારના કામકાજમાં જોખમન કરવું, શાંતિથી દિવસ પસાર કરવો.


આજનો દિવસ સામાન્ય છે, મનમાં થોડી માનસિકઅશાંતિ અને ઉદ્વેગ રહ્યા કરે, કામકાજમાં સમયનો અણધાર્યો વ્યય થાય, સાંધા, સ્નાયુ, ગેસની તકલીફજે ભોગવતું હોય તેમના માટે થોડી તકેદારી રાખવી જરૂરી છે, વેપારમાં ગણતરીપૂર્વકનુ કામ કરવું યોગ્ય છે, ઉતાવળિયા નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું.


આજનો દિવસ સારો છે, મનમાં રહેલી ઈચ્છા પૂરી થવાની શક્યતા વધુ છે, ગમતાકાર્ય થઈ શકે છે , નવી ઓળખાણ થાય તેમાં પણ તમારી લાગણી ક્યાંક સંતોષાયકે સારીવાતચીત થાય તેવા સંજોગ બની શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારને કોઈ જાણકારી પ્રાપ્ત થાય, વેપારમાં અણધાર્યો લાભ થઈ શકે છે.


આજનો દિવસ થોડી ધીરજ અને સાવચેતી રાખવી યોગ્ય છે, વાહન ધીમે ચલાવવું, નોકરી ધંધામાં પણ  વ્યવહારુ અભિગમ રાખવો ફાયદાકારક છે, કોઈપણ પ્રકારના વિવાથી દુર રહેવાની સલાહ છે , બજારમાં કોઈ મોટા જોખમભર્યા કામના કરવા તેમજ કોઈની પણ સાથે દલીલબાજીના કરવી ઇચ્છનીય છે.


આજનો દિવસ તમારા માટે સારો છે, તમને તમારા કામ અને વ્યવહારથી માન મળી શકે છે, કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, ભૂતકાળમાં કરેલ કામની પ્રશંશા થાય અને તમારી લાગણી સંતોષાય તેવું બની શકે છે, નવીઓળખાણથી કોઈ લાભની વાત થઈ શકે છે, વેપારમાં લાભ થાય તેવા સંજોગો ઉભા થાય.


આજનો દિવસ તમાર માટે સાવચેતી અને શાંતિ રાખવાની સલાહ ભર્યો છે, તમારામાં થોડી નિરાશા જોવા મળી શકે છે તેમજ કામ ટાળવા માટેની વૃતિ જાગી શકેછે, ખટપટ કરનારથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, કમર, હાડકા,માથાની તકલીફથી સાચવવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.


આજનો દિવસ તમને સારી આશા અને ઈચ્છા જગાડી શકે તેવો છે, તમારા ધાર્યાકામ થઇ શકે છે  તેમજ જો નસીબ સાથ આપેતો ઘણું બધું કાર્ય થઇ શકે. મુસાફરી થઈ શકે છે, માર્કેટિંગ, સલાહકાર, કોમ્પુટર,ધાતુક્ષેત્રમાં કામ કરનારવર્ગને સારું રહે, વેપારમાં લાભ અને નવીન ઓળખાણ થવાના સંજોગો ઉભા થઈ શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં ધાર્યા કરતા વધુ સમયનો વ્યય થાય તેવું બની શકે છે, પેટ, આંતરડા, ડાયાબીટીસના દર્દીએ સાચવવું, બેન્કિંગ,વીમા,મેનેજમેન્ટ,સરકારીક્ષેત્રમાં કામ કરનારને માનસિકથાકની લાગણી વધુ જોવા મળી શકે તેવું બની શકે. વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામ જ યોગ્ય છે.

દેખા એક ખ્વાબ તો યે સિલસિલે હુએ…

જાવેદ અખ્તરે વાર્તા અને પટકથા લેખક તરીકે ઘણું કામ કર્યું હતું. ક્યારેય ગીતકાર બનવાનું વિચાર્યું ન હતું. અચાનક નિર્દેશક યશ ચોપડાના આગ્રહથી એ ગીતકાર બન્યા હતા અને એમના એ પહેલા ગીતની રચનાની વાત પણ બહુ રસપ્રદ રહી છે. જે એમણે વિદેશમાં ‘મૈં કોઈ ઐસા ગીત ગાઉં’ નામના કાર્યક્રમમાં કહી હતી. એક દિવસ યશ ચોપડા એમની પાસે આવ્યા અને કહ્યું કે ફિલ્મ ‘સિલસિલા’ (૧૯૮૧) ના ગીતો એમણે લખી આપવાના છે. એમનું કહેવું હતું કે એમની ફિલ્મોના કાયમી ગીતકાર સાહિર લુધિયાનવીની તબિયત સારી રહેતી નથી. અને એ હવે ગીત લખવામાં રસ ધરાવતા નથી.

જાવેદ અખ્તરે એમની દિવાર, ત્રિશૂલ વગેરેની પટકથા લખી હતી પણ એ ગીત લખવા તૈયાર ન હતા. એ કવિતાઓ લખતા હતા એની જાણ એમના કેટલાક મિત્રોને જ હતી. એમાં એક યશજી હતા. જાવેદે એમ કહીને ના પાડી દીધી કે હું મારી કવિતાઓ છપાવતો પણ નથી. હું કેવી રીતે ગીત લખી શકું? યશજીએ કહ્યું કે ફિલ્મનો હીરો કવિ છે અને હું કોઈ સ્થાપિત ગીતકાર પાસે એના ગીત લખાવવા માગતો નથી. જાવેદ ગીતો લખવા માગતા ન હોવાથી પોતાની સમસ્યાઓ અને કારણો રજૂ કરી દીધા. છતાં યશજીનો સતત આગ્રહ રહ્યો.

જાવેદે ગીત લેખનના કામમાંથી છટકવા કેટલીક શરતો મૂકી દીધી. યશજીએ બધી જ શરતો માની લીધી એટલે કોઈ વિકલ્પ ન હોવાથી બીજા દિવસે એમના ઘરે જઈને જાવેદે ગીતલેખન માટે ચર્ચા શરૂ કરી દીધી. ફિલ્મમાં સંગીતકાર તરીકે શિવ-હરિ જાવેદની જેમ જ નવા હતા. જાવેદ યશજીને ત્યાં ફિલ્મની કથા- પટકથા માટે ઘણી વખત સીટીંગ કરી ચૂક્યા હતા પણ ગીતકાર તરીકે શરૂઆત હતી એટલે થોડા નર્વસ હતા. એમને ચિંતા એ હતી કે ધૂન પર પોતે ગીત લખી શકશે કે નહીં. યશજીએ ગીતની સિચ્યુએશન સંભળાવી. સંગીતકાર શિવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચૌરસિયાએ સવારે સાડા દસ વાગે એક ધૂન સંભળાવી. જાવેદે સાંજે પાંચ વાગ્યા સુધીમાં ‘દેખા એક ખ્વાબ તો યે સિલસિલે હુએ, દૂર તક નિગાહોં મેં હૈં ગુલ ખિલે હુએ, યે ગિલા હૈ આપ કી નિગાહોં સે, ફૂલ ભી હો દરમિયાન તો ફાસલે હુએ’ ગીત લખી કાઢ્યું.

જાવેદે મીટર પર ગીત લખ્યું હતું. એમને અનુભવ ન હતો કે એમાં શબ્દોને રમાડવાના હોય છે. ‘સિલસિલે’ શબ્દ ફક્ત બોલવાનો ન હતો. એને ધૂન સાથે ચાલે એ રીતે ઉચ્ચારવાનો પણ હતો. પહેલું ગીત હોવાથી આ વાતની ખબર ન હતી. સંગીતકારે કહ્યું કે લખ્યું સારું છે પણ ધૂનમાં જે વળાંક છે એના પર શબ્દો બરાબર આવી રહ્યા નથી. જાવેદને ખબર હતી કે ગીતનું શૂટિંગ હોલેન્ડમાં ફૂલોની વચ્ચે થવાનું હતું. એમણે ધૂનના વળાંક પ્રમાણે ફૂલના ઉલ્લેખ સાથે બીજું નવું મુખડું ‘દિલને તેરા નામ ગુનગુનાયા હૈ, ફૂલ ફૂલ ઐસે મુસ્કુરાયા હૈ’ લખ્યું.

આ બંને અલગ મુખડા સાથેનું ગીત લઈ બધા રેકોર્ડિંગ સ્ટુડિયોમાં ગયા. જ્યાં લતા મંગેશકર અને કિશોકુમાર આ ગીત ગાવા માટે હાજર હતા. એમની વચ્ચે બંને મુખડા વિષે ચર્ચા થઈ. લતાજીને ગીતના શબ્દોની સમજ સારી હતી. એમણે કહ્યું કે ધૂનના વળાંક પ્રમાણે બીજું મુખડું ‘દિલને તેરા નામ ગુનગુનાયા હૈ, ફૂલ ફૂલ ઐસે મુસ્કુરાયા હૈ’ બરાબર છે પણ શબ્દો ‘દેખા એક ખ્વાબ તો યે સિલસિલે હુએ, દૂર તક નિગાહોં મેં હૈં ગુલ ખિલે હુએ’ વધારે સારા છે અને આ જ શબ્દો વધારે ચાલશે. લતાજીએ કહ્યું હતું એટલે બધાંએ માની લીધું અને એમની વાત સાચી પડી. આમ જાવેદનું પહેલું ગીત ‘દેખા એક ખ્વાબ તો યે સિલસિલે હુએ, ફૂલ ભી હો દરમિયાન તો ફાસલે હુએ’ બન્યું અને ખૂબ લોકપ્રિય રહ્યું.

પંચાંગ 02/01/2024

ગુજરાતે નવા વર્ષે સર્જ્યો સામૂહિક સૂર્ય નમસ્કારનો વિશ્વવિક્રમ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં વિકાસ સહિત રમત-ગમત ક્ષેત્રે પણ અગ્રેસર રહેવાની પરંપરા ગુજરાતે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા-નિદર્શનમાં ૨૦૨૪ના વર્ષના પ્રથમ દિવસે ફરી એક વાર પ્રસ્થાપિત કરી છે.

 રાજ્યમાં એકસાથે ૧૦૮ સ્થળોએ કુલ ૫૦, 000થી વધુ લોકોએ સામૂહિક સૂર્ય નમસ્કાર દ્વારા ૨૦૨૪ના વર્ષનો ભારતનો પ્રથમ રેકોર્ડ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવવાની જ્વલંત સિદ્ધિ હાંસલ કરી છે.

મુખ્ય મંત્રી અને રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં મહેસાણા જિલ્લાના પ્રાચીન સૂર્યમંદિર મોઢેરાના પરિસરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સામૂહિક સૂર્ય નમસ્કારના રાજ્ય કક્ષાના કાર્યક્રમનું આયોજન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું.

રમતગમત યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર સ્પર્ધાઓ ગ્રામ્ય, તાલુકા, જિલ્લા અને નગર મહાનગર કક્ષાએ એક માસ સુધી સૂર્ય નમસ્કાર અભિયાન અંતર્ગત યોજવામાં આવી હતી.

આ સ્પર્ધાઓના વિજેતા સાધકો દ્વારા મોઢેરામાં સામૂહિક આયોજિત રાજ્ય કક્ષાના સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમમાં મુખ્ય મંત્રીએ પુરસ્કાર રાશિ અર્પણ કરીને સન્માન કર્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે વિશ્વનેતા વડા પ્રધાને યોગની પ્રાચીન પરંપરાને વિશ્વ સમક્ષ ઉજાગર કરીને ૨૧મી જૂને વિશ્વ યોગ દિવસ તરીકે ઊજવવાની શરૂઆત કરાવી અને યોગ સાધનાથી વિશ્વને જોડવાનું કાર્ય કર્યું છે.

યોગ-પ્રાણાયામ-સૂર્ય નમસ્કાર જેવી પ્રાચીન સ્વાસ્થ્ય વર્ધક વ્યાયામ અને કસરત પરંપરા વ્યક્તિને આધ્યાત્મિકતા સાથે પણ જોડનારી આગવી સંસ્કૃતિ છે. સૂર્યની ઉપાસના અને આરાધના કરવાનો અનેરો અવસર સૂર્યમંદિરમાંથી પ્રાપ્ત થયો છે તે નવા વર્ષમાં નવી ઊર્જા અને ઉષ્મા સાથે દરેકના જીવનમાં આનંદ અને ઉન્માદ લાવશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

આજે નાગરિકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ આવી છે અને બીમારીના ઇલાજ કરતાં બીમારી આવે જ નહિ તેવી આરોગ્યપ્રદ જીવનશૈલી માટે યોગ, સૂર્ય નમસ્કાર જેવી ક્રિયાઓને લોકોએ નિયમતપણે અપનાવી છે એમ તેમણે જણાવ્યું હતું.

 રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે દેશના ઇતિહાસમાં સામૂહિક સૂર્યનમસ્કારની પ્રથમ ઘટના મોઢેરા સહિત રાજ્યનાં ૧૦૮ સ્થળોએ નોંધવામાં આવી છે. આ સામૂહિક સૂર્ય નમસ્કાર દેશ અને દુનિયાને નવીન દિશા દર્શન આપશે. રાજ્યમાં છેલ્લા એક માસમાં ૧૫ લાખથી વધુ નાગરિકો સૂર્ય નમસ્કાર અભિયાનમાં જોડાયા છે, જે સ્પર્ધા થકી આજે રાજ્ય કક્ષાના સન્માન સમારોહથી ઐતિહાસિક ઘટનાના આપણે સૌ સાક્ષી બન્યા છીએ તેમ તેમણે કહ્યું હતું.

દેશમાં ૨૦૨૪ના પ્રથમ દિવસે સામૂહિક સૂર્ય નમસ્કારની ગુજરાતની સિદ્ધીની  ઐતિહાસિક નોંધ લેવાઇ છે. ભારતની સંસ્કૃતિ ઓળખ યોગ છે. આજે ગુજરાત યોગમાં રોલ મોડેલ બન્યું છે. તેમણે નવા વર્ષમાં નવા સંકલ્પ સાથે સૂર્ય નમસ્કારને અપનાવવા અનુરોધ કર્યો હતો. તેમણે ટેક્નોલોજીની વ્યસ્તતા વચ્ચે યોગને અપનાવી જીવનને સકારાત્મકતા માટે પણ તેમણે ખાસ અપીલ કરી હતી.

 આ પ્રસંગે રાજ્ય કક્ષાની સ્પર્ધાના વિજેતા ત્રણ પુરુષ અને ત્રણ સ્ત્રી સ્પર્ધકોનું સન્માન કરવામાં આવ્યું હતું. પુરૂષ સ્પર્ધકોમાં પ્રથમ ક્રમે સાબરકાંઠાના કલ્પેશભાઈ, સવજીભાઈ, બીજા ક્રમે ગીર સોમનાથના અનિલકુમાર બાંભણીયા અને ત્રીજા ક્રમે છોટા ઉદેપુરના રાઠવા કરશનભાઇને સન્માનિત કરવામાં આવ્યા હતા.

રાજ્ય કક્ષાની સ્પર્ધાના સ્ત્રી ઉમેદવારોમાં પ્રથમ ક્રમે બનાસકાંઠાના પટેલ યાના વિનોદકુમાર, બીજા ક્રમે રાજકોટના વખારિયા દ્રષ્ટિ ચેતનકુમાર અને ત્રીજા ક્રમે મહેસાણાના પટેલ પૂજા ઘનશ્યામભાઇને સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજ્યક્ષાના વિજેતાઓને અનુક્રમે રૂ. ૨.૫૦ લાખ, રૂ ૧.૭૫ લાખ અને રૂ. ૧ લાખનુ્ં ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે રમત ગમત વિભાગના અગ્રસચિવ અશ્વિનીકુમાર, યુવક સેવા અને સાંસ્કૃતિ પ્રવત્તિઓના કમિશ્નર આલોક કુમાર પાંડે, યોગ બોર્ડના ચેરમેન શિશપાલ રાજપૂત, જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબહેન પટેલ, ધારાસભ્ય સુખાજી ઠાકોર, અગ્રણી ગિરીશભાઇ રાજગોર, જિલ્લા કલેકટર એમ નાગરાજન, જિલ્લા વિકાસ અધિકારી ડો. ઓમ પ્રકાશ, જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ તથા યોગ સાધકો, વિદ્યાર્થીઓ ઉપસ્થતિ રહ્યા હતા.

ચિકિત્સા વિજ્ઞાનની બે સંસ્થાઓ ખોલશે સંશોધનનાં ‘નૂતન દ્વાર’

અમદાવાદઃ તાજેતરમાં અમદાવાદ સાયન્સ સિટીમાં યોજાયેલા ભારતીય વિજ્ઞાન સંમેલનમાં ITRAના નિયામક પ્રો. વૈદ્ય અનુપ ઠાકર અને GBRCના નિયામક ડો. ચૈતન્ય જોષી દ્વારા MoU કરવામાં આવ્યા છે, જે પ્રાચિન અને આધુનિક ચિકત્સા વિજ્ઞાનની દિશામાં સંશોધનો થકી નવાં સીમાસચિહ્નો રૂપ સાબિત થશે.

આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થાન (ITRA)એ આયુર્વેદ ક્ષેત્રમાં સંશોધન, શિક્ષણ અને ચિકિત્સા આપતી વિશ્વની અગ્રણી સંસ્થા છે. આ સંસ્થાની આયુર્વેદ ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી અને યોગદાનને ધ્યાનમાં લઇમે ભારત સરકાર દ્વારા તેને INI (રાષ્ટ્રની મહત્વની સંસ્થા) તરીકે ઘોષિત કરવામાં આવી છે. ITRA આયુર્વેદ અને આયુર્વેદ ફાર્મસી ક્ષેત્રમાં સ્નાતક, અનુસ્નાતક અને

ડોક્ટરેટ કક્ષાના અભ્યાસક્રમો ચલાવે છે. આ ઉપરાંત ઔષધીય વનસ્પતિઓ સંબંધિત અનુસ્નાતક કક્ષાનો અભ્યાસક્રમ પણ સંસ્થા દ્વારા ચલાવવામાં આવે છે. ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર (GBRC)એ ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ અંતર્ગત સ્થાપિત સંસ્થા છે, જે અત્યંત આધુનિક અને સુસજ્જ લેબોરેટરીઓ ધરાવે છે. આ સંસ્થા દ્વારા વૈજ્ઞાનિક સંશોધનો માટેની મૂળભૂત કાર્યપ્રણાલીઓ વિકસિત કરવામાં આવી છે, જેનો ઉપયોગ સ્વાસ્થ્ય, કૃષિ, પર્યાવરણ અને સમુદ્ર ક્ષેત્રોનાં સંશોધનોમાં થઈ શકે છે.

આ બે મહત્વપૂર્ણ સંશોધન સંસ્થાઓ વચ્ચે હાલમાં જ વૈજ્ઞિનક સંશોધનો માટે એક MoU (સહયોગ કરારપત્ર) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કરારથી આયુર્વેદની ઔષધિઓ, ઔષધયોગો અને અન્ય ચિકિત્સાઓ તેમ જ બાયોટેક્નોલોજિકલ ઉત્પાદનોનું સુવ્યવસ્થિત રીતે આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિઓ અને પરીક્ષણો દ્વારા સાંશોધન થઈ શકશે. બન્ને સાંસ્થાઓના સહયોગને કારણે પ્રાચીન આયુર્વેદીય પદ્ધતિ અને આધુનિક વૈજ્ઞાનિક સાધનો – એમ બંને પક્ષને સંશોધનોમાં આવરી લઈ શકાશે. આ પ્રકારનાં સંશોધનો દ્વારા આયુર્વેદીય ઔષધો અને ચિકિત્સા પ્રક્રિયાઓ શરીરમાં સૂક્ષ્મ સ્તર પર કઈ રીતે કાર્ય કરે છે અને શી અસરો કરે છે તે પણ સામે આવે તેવી સંભાવનાઓ છે.

આ કરારના માધ્યમથી બંને સંસ્થાના વિદ્યાથીઓ અને વૈજ્ઞાનિકો તેમનાં સંશોધનો અને શૈક્ષણિક પ્રવૃત્તિઓની ગુણવત્તા અને વ્યાપના વિસ્તાર માટે બંને સંસ્થાઓમાં ઉપલબ્ધ સંસાધનો જેવા કે પુસ્તકાલય, પ્રયોગશાળા, ચિકિત્સાલય, અન્ય સંશોધન સુવિધાઓ તેમ જ બંને સંસ્થાઓના વિદ્વાન વૈજ્ઞાનિકોના જ્ઞાનનો લાભ પ્રાપ્ત કરી શકશે.

 

 

 

 

 

અદાણી એનર્જી સોલ્યુશન્સને ‘ગ્લોબલ સસ્ટેનેબિલિટી લીડરશિપ એવોર્ડ’

અમદાવાદઃ  વૈશ્વિક સ્તરે વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોનો એક ભાગ અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.(AESL)ને મોરેશિયસમાં વર્લ્ડ સસ્ટેનેબિલિટી કોંગ્રેસ દ્વારા ‘ગ્લોબલ સસ્ટેનેબિલિટી લીડરશિપ એવોર્ડ-૨૦૨૩થી નવાજવામાં આવી છે. પાવર સેકટરમાં એક અગ્રણી સંશોધક તરીકે હરિયાળા ભવિષ્યનું સર્જન કરવાના પ્રયાસોમાં નોંધપાત્ર યોગદાન આપવા માટે સંકલ્પબદ્ધ કંપનીએ અપનાવેલા ટકાઉ આયામોને આ એવોર્ડ એક પ્રોત્સાહક અનુમોદન છે.

ટકાઉપણાના ઉપાયોની રાહબરી કરી ઉત્કૃષ્ઠ કાર્યવાહીનું પ્રદર્શન કરતાં સંગઠનોને દર વરસે ‘ધ ગ્લોબલ સસ્ટેનેબિલિટી લીડરશિપ એવોર્ડ’ આપવામાં આવે છે. એવોર્ડ સમિતિએ કંપનીના સંશોધનાત્મક ઉકેલો,પર્યાવરણના પ્રભાવને ઘટાડવા અને ટકાઉપણાના આયામોને ઉત્તેજન માટેના સમર્પણથી પ્રભાવિત થઇ તેને માન્ય કર્યા છે.

વર્લ્ડ સસ્ટેનેબિલિટી એક બિનનફાકારક સંગઠન છે, જે ટકાઉપણાના નેતૃત્વની હિમાયત કરે છે. ઊજળી ભવિષ્ય માટે ટકાઉ વ્યવસાયિક આયામો અને ઉકેલો તલાશવા અને તે માટે શિક્ષણ આપવા માટે સંગઠનો, બિનસરકારી સંસ્થાઓ, જાહેર હિતમાં રુચિ લેતાં જૂથો અને સરકારી સંસ્થાઓને એક મંચ ઉપર લાવવા પ્રયાસ કરે છે.કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અનિલ સરદાનાએ આ પ્રતિષ્ઠિત એવોર્ડ સ્વીકારતા સન્માનભાવ વ્યક્ત કર્યો હતો. અમારા પ્રયાસોને એક પ્રોત્સાહક માન્યતા મળવા સાથે હરિયાળા અને વધુ લાંબા ગાળાના ભવિષ્યના નિર્માણ માટેના અમારા પ્રયાસોમાં સતત આગળ વધવાની આ એવોર્ડ પ્રેરણા આપે છે

અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.ની ટકાઉપણા પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા અને વિશ્વને વધુ સરસ બનાવવાના તેના સતત પ્રયત્નોના પ્રમાણપત્ર તરીકે કંપનીને આ પુરસ્કાર પ્રાપ્ત થયો છે. કંપની તેની સમર્પિત ટીમ, હિસ્સેદારો અને ગ્રાહકોને ટકાઉપણું તરફની આ સફરમાં મળેલા તેમના સમર્થન બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરે છે.

 

 

ત્રણ વિશ્વવિખ્યાત નવલકથાનો રસાસ્વાદ

મુંબઈઃ જર્મન લેખક હરમન હેસની નવલકથા ‘સિદ્ધાર્થ’, મેરિકન લેખક અર્નેસ્ટ હેમિંગ્વેની નવલકથા ‘ ધ ઓલ્ડ મૅન‌ એન્ડ ધ સી’ અને ફ્રેન્ચ લેખક વિક્ટર હ્યુગોની નવલકથા ‘ લે મિઝરાબ્લે’ની નવલકથા આપણને ફરી-ફરી વાંચવાનું દિલ થાય એવો આ ત્રણેય નવલકથાનો રસાસ્વાદ કરાવતો કાર્યક્રમ ગયા શનિવારે કાંદિવલીમાં યોજાયો હતો, જેને શ્રોતાઓએ ખરા અર્થમાં માણ્યો હતો. આ ત્રણેય કથામાંથી એક-એક કથાનો વિસ્તૃત રસપ્રદ પરિચય ઉત્કર્ષ મુઝુમદાર, મનોજ શાહ, ધર્મેન્દ્ર ગોહિલ, ચિરાગ વોરા, દિશા સાવલા, સેજલ આહિર અને પિન્કેશ પ્રજાપતિ પોતપોતાની નોખી-રસપ્રદ શૈલીમાં આપ્યો હતો. એક નવલકથાનો પરિચય પ્રબુદ્ધ જીવનના તંત્રી અને ગુજરાતી ભાષા-સાહિત્યના ઊંડા અભ્યાસી ડો. સેજલ શાહે પાત્રની સંવેદનશીલતા સાથે કરાવ્યો હતો. 

૩૦મી ડિસેમ્બરે કાંદિવલી એજ્યુકેશન સોસયટી સંચાલિત ગુજરાતી ભાષાભવન અને વ્યાપન પર્વ, ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિકના સંયુક્ત આયોજનમાં વિશ્વની ‘નવલકથાના રસાસ્વાદ અને આચમન’નો આ એક વિશેષ સાહિત્યિક કાર્યક્રમ કેઈએસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં યોજાયો હતો. આ પ્રસંગે જાણીતા સાહિત્યકાર-વિચારક ડો. દિનકર જોશી અને કેઈએસના વાઇસ પ્રેસિડન્ટ મહેશ શાહ પણ હાજર રહ્યા હતા.

આરંભમાં ડો. દિનકર જોશીએ બન્ને સંસ્થા વતી સ્વાગત કરીને પ્રજામાં વાંચન વધે અને સાહિત્ય અને ભાષા નિરંતર ટકી રહે તે માટે આવા કાર્યક્રમોનું મહત્વ જણાવ્યું અને કાંદિવલીમાં શિક્ષણ સંસ્થાઓના વિકાસમાં કાંદિવલી એજ્યુકેશન સોસયટીના ફાળા અંગે વાત કરી હતી. કાર્યક્રમના સંચાલક કીર્તિભાઈએ ત્રણેય વક્તાઓનો પરિચય અને નવલકથાના સ્વરૂપ વિષે વાત કરી હતી.

સિદ્ધાર્થ નવલકથામાં બે સિદ્ધાર્થ છેઃ ઉત્કર્ષ મુઝુમદાર

જર્મન લેખક હરમન હેસની નવલકથા ‘સિદ્ધાર્થ’ વિશે ઉત્કર્ષ મઝુમદારે પોતાના વક્તવ્યમાં સિદ્ધાર્થની ત્રણ શક્તિ: ૧) વિચારી શકે છે, ૨) ધૈર્ય રાખી શકે છે, ૩) અનશન રાખી શકે છે- ને તેમની નૌખી શેલીમાં ઉજાગર કરી આપી હતી. આ કૃતિનો ગુજરાતીમાં અનુવાદ દીપક સોલિયા અને રવીન્દ્ર ઠાકુરે કર્યો છે. સિદ્ધાર્થ એ સ્પિરિચ્યુઅલ ફિકશન ગણાય, એમાં ‘સ્વ’થી પર થવાની, મોહ-માયા ત્યાગવાની વાતો છે, પણ એમાં સામાન્ય માનવીય લાગણીઓને નકારવામાં આવી નથી. પુસ્તકમાં બે સિદ્ધાર્થ છે, એક સિદ્ધાર્થ નવલકથાનો નાયક અને બીજા સિદ્ધાર્થ સ્વયંમ ગૌતમ બુદ્ધ, અને બન્નેને જોડતુ બુદ્ધત્વ.

ઓલ્ડમેન એન્ડ ધ સી પુરુષાર્થ પ્રારબ્ધને ખેંચી લાવે છેઃ ડો. સેજલ શાહ

અમેરિકન લેખક અર્નેસ્ટ હેમિંગ્વેની નવલકથા ‘ ધ ઓલ્ડ મૅન‌ એન્ડ ધ સી’ વિશે રસાસ્વાદ ડો. સેજલ શાહે કરાવ્યો, તેમને કૃતિના નેરેટિવની ઉત્તમતાનો પરિચય આપવા કૃતિમાંથી કેટલાક વર્ણનોનું વાંચન કર્યુ હતું. આ કૃતિના કેટલાક જાણીતા સંવાદો શ્રોતાઓ સમક્ષ રજૂ કરીને તેની પ્રસ્તુતિ રસપ્રદ બનાવી હતી. નવલકથાનો નાયક વૃધ્ધ ડોસો સાન્તિયાગો છે. એ મછવામાં બેસીને ગલ્ફસ્ટ્રીમાં માછલાં પકડવાનો વ્યવસાય કરે છે. પોતે માછીમાર હોવાથી તેને માછલીઓ પકડવામાં રસ છે, પણ માછલી પકડાતી નથી. ‘૮૪’-દિવસ પસાર થઈ ગયા છે. નવલકથામાં માર્લિન માછલી અને વૃદ્ધ સાન્તિઆગો વચ્ચે જે દ્વન્દ્વ યુદ્ધ ખેલાય છે. સંઘર્ષ થાય છે જે પ્રસંગ નવલકથાનો મહત્વનો પ્રસંગ છે. એક બાજુ વૃદ્ધનો આત્મવિશ્વાસ અને બીજી બાજુ દરિયો. વૃદ્ધ અંતે એકલો માર્લિનને પકડી લે છે અને કિનારે લઈ આવે છે. વૃદ્ધની કટિબદ્ધતાએ એ સાબિત કરી દીધું કે પુરુષાર્થ હોય ત્યાં પ્રારબ્ધે ખેંચાઈને આવું પડે છે. વૃદ્ધ માર્લિન સાથેના સંઘર્ષ દરમ્યાન સતત બોલતો હોય છે- ‘but the man is not meant for defeat’ (પરંતુ માણસ હાર માટે નથી.) અને અંતે તે ચરિતાર્થ કરી બતાવે છે.

 લે મિઝરાબ્લે જીવન પરિવર્તનની કથાઃ મનોજ શાહ

ફ્રેન્ચ લેખક વિક્ટર હ્યુગોની નવલકથા ‘ લે મિઝરાબ્લે’નું પઠન અને આચમન રંગભૂમિના ખૂબ જાણીતા કલાકારો મનોજ શાહ, ધર્મેન્દ્ર ગોહિલ, ચિરાગ વોરા, દિશા સાવલા, સેજલ આહિર, પિન્કેશ પ્રજાપતિએ કર્યું. ખૂબ દીર્ઘ એવી આ નવલકથાના કેટલાક અંશોની પસંદગી કરીને તેમણે આખી નવલકથાની અખિલાઈનો પરિચય કરાવ્યો હતો. દીર્ઘ કૃતિના અંશોની યથાયોગ્ય પસંદગી સાથે મનોજ શાહે આરંભમાં બાંધેલી ભૂમિકા કૃતિને સમજવામાં ભાવકોને ઉપયોગી બની હતી.


આ કાર્યક્રમના અંતે મહેશભાઈ શાહે સમાપાનમાં શોભે એવા સુંદર શબ્દોથી આભારવિધિ કરી હતી. આ કાર્યક્રમના આયોજનમાં ગુજરાતી ભાષા ભવનના સભ્ય કીર્તિ શાહ, સેજલ શાહ અને કવિત પંડ્યાનો વિશેષ ફાળો રહ્યો હતો. આ અવસરે કવિ સંજય પંડ્યા, તરુ કજરિયા જેવી જાણીતી વ્યકિતઓની હાજરી રહી હતી.