સુરતઃ આઝાદીના અમૃતકાળમાં NCC કેડેટસ દ્વારા કન્યાકુમારીથી દિલ્હી સુધીની મેગા સાઇકલ રેલીનું આયોજન કરાયું છે. ગત આઠમી ડિસેમ્બરે કન્યાકુમારીમાં ડિરેક્ટર જનરલ નેશનલ કેડેટ કોર્પ્સ દ્વારા સાયક્લોથોનને ફ્લેગઓફ કરવામાં આવી હતી. જે દક્ષિણનાં રાજ્યોમાંથી પસાર થઈ આવતી કાલે સુરત આવી પહોંચશે.
સુરતમાં તેનું મેગા સાઇકલ રેલીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે, જેમાં મોટી સંખ્યામાં NCC કેડેટસ, ઇન્ટરનેશનલ ટ્રાયથલીટ મિસ પૂજા ચૌરૂષી, હીરાઉદ્યોગકાર અને IDI (ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ)ના ચેરમેન દિનેશભાઈ નાવડિયા સહિત NCCના પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે. NCC વિદ્યાર્થીઓનું ઘડતર કરી વિકાસની દિશામાં પોતાનું યોગદાન આપે છે.
વિકાસ અને પરિવર્તનનો આ સંદેશ વિશ્વની સૌથી મોટી ગણવેશધારી યુવા સંસ્થા NCC દ્વારા યાત્રાનું આયોજન કરાયું છે. જેમાં મહિલા શક્તિને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. મેગા સાયક્લોથોનને મહિલાશક્તિ કા અભેદ સફર નામ આપવામાં આવ્યું છે. આ યાત્રામાં સુરતની છ દીકરીઓએ પણ ભાગ લીધો છે.
આ યાત્રા કન્યાકુમારીથી કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, દમણ-દીવ, ગુજરાત અને હરિયાણા થઈને આગામી ૨૮મી જાન્યુઆરીએ દિલ્હી પહોંચશે. જ્યાં વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં રેલીને ફ્લેગઓફ કરાશે. કન્યાકુમારીથી શરૂ થયેલી મેગા સાયક્લોથોનની ૩૨ દિવસની લાંબી મુસાફરીમાં સાઇકલ સવાર દિવસની એવરેજ ૯૭ કિલોમીટર સાઇકલ ચલાવે છે. રેલી પૂર્ણ થતાં સાઇકલ સવાર કુલ ૩૨૩૨ કિલોમીટર સાઇકલ ચલાવી માર્ગમાં આવતા જનસમૂહમાં જાગ્રતતા સાથે દેશના વિકાસ અને વૃદ્ધિનો સંદેશો આપશે.
ટોક્યોઃ જાપાનમાં શક્તિશાળી ભૂકંપ અને સુનામી આવે 24 કલાક પણ નથી થયા, ત્યારે એક વધુ દુર્ઘટના બની છે. જાપાનમાં ટોક્યોમાં હાનેડા એરપોર્ટના રનવે પર ઊતરી રહેલા જાપાન એરલાઇન્સના વિમાનમાં આગ લાગી. જ્યારે પ્લેન રનવે પર આગળ વધી રહ્યું હતું ત્યારે આ અકસ્માત થયો હતો. આ વિમાનમાં 300થી વધુ પેસેન્જરો હતા અને બધાને સુરક્ષિત કાઢવામાં આવ્યા છે. જોકે કોસ્ટ ગાર્ડના પાંચ સભ્યો લાપતા છે.
જાપાનના આ પ્લેનમાં આગ લાગી ત્યારે પ્લેનમાં 350થી વધુ મુસાફરો હાજર હતા. મિડિયા રિપોર્ટ્સ અનુસાર આ દુર્ઘટના અન્ય પ્લેન સાથે અથડાયા બાદ સામે આવી છે. વાયરલ થઈ રહેલા વિડિયોમાં પ્લેનની બારીઓમાંથી જ્વાળાઓ નીકળતી જોઈ શકાય છે. જાપાન એરલાઈન્સનું કહેવું છે કે પ્લેન હોકાઈડોના ન્યુ ચિટોઝ એરપોર્ટથી ટોક્યોના હાનેડા એરપોર્ટ પર પહોંચ્યું હતું. જેની ફ્લાઈટ નંબર 516 છે. જાપાન એરલાઈન્સનું કહેવું છે કે હાનેડા એરપોર્ટ પર ઊતર્યા બાદ વિમાન જાપાન કોસ્ટ ગાર્ડના વિમાન સાથે અથડાયું હતું.
動画!羽田空港で日本航空の機体が炎上中!消火作業継続中!海上保安庁の飛行機が衝突!
VIDEO! Japan Airlines aircraft on fire at Haneda Airport! Firefighting operations are continuing! Japan Coast Guard plane collided with a plane!
જાપાની સમાચાર એજન્સી NHK એ આ અકસ્માત વિશે સૌપ્રથમ માહિતી શેર કરી હતી. કે પેસેન્જર પ્લેનમાં આગ લાગી છે. આ અકસ્માત ટોક્યો ઇન્ટરનેશનલ એરપોર્ટ પર થયો હતો, જ્યાં જાપાન એરલાઇન્સ (JAL) એરબસ A350 હાનેડામાં એરપોર્ટ રનવે પર કોસ્ટ ગાર્ડ એરક્રાફ્ટ સાથે અથડાયું હતું.
ફોટાઓમાં પ્લેનની બારીઓમાંથી જ્વાળાઓ નીકળતી જોવા મળે છે. ઘણા ફાયર એન્જિન વાહનો ઘટનાસ્થળે હાજર છે અને આગને કાબૂમાં લેવા માટે એરક્રાફ્ટ પર ફોમ અને પાણીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જાપાનના વડા પ્રધાને પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે એજન્સીઓ વચ્ચે સંકલન કરવા માટે એક સમિતિની રચના કરી છે. ઇમર્જન્સી રૂમ ઊભો કરવામાં આવ્યો છે.
નવી દિલ્હીઃ I.N.D.I.A. એલાયન્સના મુખ્ય પક્ષો આપ અને કોંગ્રેસની વચ્ચે શાબ્દિક જંગ તેજ થઈ ગયો છે. પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માનનું કહેવું છે કે કોંગ્રેસ પંજાબ અને દિલ્હીમાં પોતાની જમાન ગુમાવી રહી છે. એની સામે વરિષ્ઠ કોંગ્રેસી નેતા પવન ખેડાએ કહ્યું હતું કે આપ અને મોદી સરકાર એક જેવી છે, કેમ કે એ બંને કોંગ્રેસમુક્ત ભારતનું સપનું જોઈ રહ્યા છે.
આટલું જ નહીં કોંગ્રેસે માનના એક થી કોંગ્રેસવાળી ટિપ્પણના જવાબમાં પલટવાર કરતા કહ્યું હતું કે પંજાબ CM તો એક થા જોકર ગણાવ્યા હતા. કોંગ્રેસના પ્રવક્તા અશપ્રીતે કહયું હતું કે રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં તો આપને નોટાથી પણ ઓછા મત મળ્યા છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા સંદીપ દીક્ષિતે કહ્યું હતું કે આવનારા સમયમાં માતાઓ કહેશે કે એક પાર્ટી હતી, જે હવે તિહાડ જેલમાં મળી શકે છે. બતાવો કઈ પાર્ટીમાં 40 ટકા નેતૃત્વ જેલમાં છે અને બાકીના લોકો જવાની તૈયારીમાં છે? પહેલાં કહેતા હતા કે આપ તો ભાજપની બી ટીમ છે, પણ હવે કદાચ ભાજપને તેમની જરૂર નહીં હોય. એટલે I.N.D.I.A. ગઠબંધનમાં સામેલ થયા છે.
પંજાબમાં જ નહીં, પણ બંગાળમાં પણ I.N.D.I.A. ગઠબંધનની વચ્ચે મતભેદ છે. TMC નેતા કૃણાલ ઘોષે બે દિવસ પહેલાં જ બંગાળ કોંગ્રેસને ભાજપના દલાલ ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે બંગાળમાં કોંગ્રેસ સતત TMCને હરાવવા માટે લાગેલી છે.
નવી દિલ્હીઃ બોલીવૂડ ફિલ્મોના રસિકો માટે નવા વર્ષે ઘણુંબધું છે. મોટા બજેટવાળી શાનદાર ફિલ્મોની સાથે કેટલીક ઓછા બજેટવાળી મસાલા ફિલ્મો પણ સામેલ છે. ચાલો વર્ષ 2024માં રિલીઝ થનારી મોસ્ટ અવેટેડ ફિલ્મોના લિસ્ટ પર એક નજર નાખીએ…એન્ટરટેઇનમેન્ટની તૈયારી પહેલાંથી કરી લો…
મેરી ક્રિસમસઃ કેટરિના કેફ અને વિજય સેતુપતિની સાથે સસ્પેન્સ થ્રિલર ફિલ્મ 12 જાન્યુઆરીએ રિલીઝ થશે. એના વાર્તાકાર શ્રીરામ રાઘવન 2016માં નેશનલ એવોર્ડ જીતી ચૂકેલી ‘અંધાધૂન’ પર ફરી વાપસી કરશે.
ફાઇટરઃ ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદની ફિલ્મ ‘ફાઇટર’ દેશભક્તિ ને વીરતા જેવી થીમની સાથે ‘પઠાણ’ની સફળતાને રિપીટ કરવા ઇચ્છશે. આ ફિલ્મમાં ઋત્વિક રોશનની સાથે દીપિકા પાદુકોણ અને અનિલ કપૂર છે. એ 25 જાન્યુઆરીએ થિયેટરોમાં રિલીઝ થશે.
યોદ્ધાઃસિદ્ધાર્થ મલ્હોત્રની ફિલ્મ ‘યોદ્ધા’ને સાગર આમ્બ્રે અને પુષ્કર ઓઝાએ ડિરેક્ટર કરી છે. આ ફિલ્મ 15 માર્ચે રિલીઝ થશે.
ધ ક્રૂઃમહિલાઓ પર આધારિત આ ફિલ્મમાં તબુ, કરીના કપૂર ખાન અને કીર્તિ સેનન એકસાથે દેખાશે. આ એક કોમેડી ફિલ્મ સંઘર્ષોનો સામનો કરતી એરલાઇન ઇન્ડસ્ટ્રી પર આધારિત છે, જે 22 માર્ચે રિલીઝ થશે.
બડે મિયાં છોટે મિયાઃ આ રિમેક ફિલ્મમાં અક્ષયકુમાર અને ટાઇગર શ્રોફ દેખાશે. આ ફિલ્મ 11 એપ્રિલે રિલીઝ થશે.
ચંદુ ચેમ્પિયનઃકાર્તિક આર્યન આ ફિલ્મમાં સૈનિકથી એથ્લીટ બનતો દેખાશે. આ ફિલ્મ ફ્રીસ્ટાઇલ તરવૈયા અને ભારતના પહેલા પેરાલમ્પિક સુવર્ણ મેડલવિજેતા મુરલીકાંત પેટકરના જીવન પર આધારિત થઈ છે. આ ફિલ્મ 14 જૂને રિલીઝ થશે.
સિંઘમ અગેનઃ રોહિત શેટ્ટીની નવી ફિલ્મ અને અજય દેવગન અભિનિતમાં દીપિકા પાદુકોણ અને ટાઇગર શ્રોફ પણ હશે. આ ફિલ્મ 15 ઓગસ્ટે રિલીઝ થશે.
સ્ત્રી 2: રાજકુમાર રાવ, શ્રદ્ધા કપૂર અભિનિત આ ફિલ્મ 30 ઓગસ્ટે રિલીઝ થશે. આ સિવાય આલિયા અભિનિત ‘જિગરા’ 27 સપ્ટેમ્બરે રિલીઝ થશે અને ‘વેલકમ’ સિરીઝની ‘વેલકમ ટુ ધ જંગલ’ 20 ડિસેમ્બરે રિલીઝ થશે.
અમદાવાદઃ વર્ષ ૨૦૨૪ના શુભ શરૂઆતે નિમિત્તે તાજ ગાંધીનગર રિસોર્ટ એન્ડ સ્પા, લિંબોદરાના CSR હેઠળ ઉદગમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગાંધીનગરની સેક્ટર આઠની સરકારી પ્રાથમિક શાળાના બાળકો માટે ભોજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉદગમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઘણાં વર્ષોથી ગાંધીનગરના શિક્ષણને જીવન ઘડતરનો અમૂલ્ય હિસ્સો માનીને બાળકોને અભ્યાસમાં મદદરૂપ થવા સારુ વર્ષભરની જરૂરિયાત પૂરી થાય તેટલી શૈક્ષણિક સામગ્રીનું વિતરણ સાથે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.
તેમણે ગાંધીનગરની સરકારી પ્રાથમિક શાળાનાં બાળકો માટે પ્રથમ વખત ફાઇવ સ્ટાર હોટેલ દ્વારા ભોજન પીરસવા બદલ તાજ ગાંધીનગરનો ઋણ સ્વીકાર કર્યો હતો. બાળકો દ્વારા પધારેલા મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પરમજિતકૌર છાબડાએ ફાઇવસ્ટાર હોટેલ વિષે તથ્યાત્મક માહિતી આપી હતી અને ત્યાર બાદ આશાબહેન સરવૈયાએ સૌને પ્રાર્થના કરાવી હતી.
ઉદગમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તાજ ગાંધીનગર રિસોર્ટ એન્ડ સ્પા, લીંબોદરાના CSR હેઠળ ગાંધીનગરની સેક્ટર આઠની સરકારી પ્રાથમિક શાળાનાં બાળકો માટે ભોજન કરાવવામાં આવ્યું હતું.
તાજ ગાંધીનગરના CSR હેડ ચંદ્રવીર સિંઘેની સાથે રાજેશ ખંડેલવાલ, હાર્દિકભાઈ ડોલિયા અને સ્ટાફની સાથે ઉદગમ પરિવારના ડો. મયૂર જોષીની સાથે આશાબહેન સરવૈયા, પરમજિતકૌર છાબડા. વૈજંતીબહેન ગુપ્તે, મનોજભાઈ જોષી, જયપ્રકાશ ભટ્ટ, મનીષાબહેન ત્રિપાઠી, પારૂલબહેન મહેતા, સંજયભાઈ તન્ના નૈસર્ગિક ટ્રસ્ટના પ્રકાશભાઈ ચૌહાણ, પિન્કીબહેન ગાંધી, અને અરવિંદભાઈએ સાથે મળીને બાળકોને ભોજન પીરસ્યું હતું.
શાળાનાં બાળકો ફાઇવ સ્ટાર હોટેલના ભોજનનો સ્વાદ માણીને ખૂબ જ આનંદિત થયા હતા અને બાળકોને હોટલની મુલાકાત કરાવવાની ખાતરી આપવામાં આવી હતી. શાળનાં આર્ચાય મિત્તલબહેન પટેલ અને સર્વે શિક્ષકોએ સૌનો આભાર માન્યો હતો.
અમદાવાદઃ રાજ્યમાં હાર્ટ એટેક (heart Attack)થી થતાં મોતનો સિલસિલો યથાવત્ છે. શિયાળો શરૂ થાય એટલે હૃદય અને શ્વાસ સંબંધિત સમસ્યામાં વધારો થવાની શક્યતા છે, કેમ કે ઠંડીની મોસમમાં શારીરિક ગતિવિધિ ઓછી થઈ જાય છે જેને કારણે વજન પણ ઝડપથી વધે છે અને સ્ટ્રેસ પણ વધી શકે છે. આ બધી જ બાબતોની ખરાબ અસર હૃદય પર થાય છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં હાર્ટ એટેકને લીધે સાત જણનાં મોત થયાં છે, જેમાં રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં હાર્ટ એટેકથી ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે જેમાં મધ્ય પ્રદેશના યુવક, કારખાનામાં કામ કરતા પ્રોઢ સહિત બે વ્યક્તિઓનાં મોત થયાં હતાં.
રાજકોટમાં રૈયાધાર પાસે રહેતા રઘુભાઈ શિયાળિયા (ઉ.વર્ષ 54)ને રાત્રે તેમના ઘરે અચાનક જ છાતીમાં દુ:ખાવો થતા હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેઓને મૃત જાહેર કર્યા હતા.
અન્ય બે બનાવમાં મધ્ય પ્રદેશના વતની કાંતિલાલ મેઘવાળ (ઉ.વર્ષ 36)નામનો યુવક ફ્રૂટની ડિલિવરી કરવા ટ્રકના ડ્રાઇવર સાથે રાજકોટ આવ્યો હતો અને રાત્રે ઊંઘમાં જ તેને હાર્ટ એટેક આવ્યો હતો. ડ્રાઈવરે તેને હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. આ ઉપરાંત આરટીઓ પાછળ હાઉસિંગ બોર્ડ ક્વાર્ટરમાં રહેતા મધુભાઈ સાંબડ (ઉ.વર્ષ 46) સાંજે શાકભાજી ભરીને રિક્ષામાં જતા હતા ત્યારે અચાનક છાતીમાં દુ:ખાવો ઉપડતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં સારવાર પહેલાં જ મોત થયું હતું. ચોથા કિસ્સામાં શહેરના 80 ફૂટ રોડ પર આવેલા કારખાનામાં કામ કરતા રમેશભાઈ અમીપરા (ઉ. વર્ષ 55)નું કારખાને બેઠા હતા ત્યારે અચાનક હાર્ટ એટેક આવતા ઢળી પડ્યા હતા અને તેમનું મોત થયું હતું.
અરવલ્લીમાં બિલ્ડરને ગરબા રમતા મોત આવ્યું
અરવલ્લીમાં બિલ્ડર પ્રવીણભાઈ પટેલનું ગરબા રમતા હાર્ટ એટેક આવ્યો હતો. મોડાસાની કોરલ સિટીમાં રહેતા બિલ્ડરનું મોત થતાં સમાજમાં શોકનો માહોલ છવાયો છે.
સુરરતમાં બે યુવકો ઢળી પડ્યા
સુરતના લિંબાયતના યુવક સહિત બેના બેભાન થયા બાદ મોત થયાં છે. હાર્ટ એટેક બાદ મોત થયા હોવાની શક્યતા છે.
નવી દિલ્હીઃ હિટ એન્ડ રન કાયદામાં વધુ સજા અને દંડના વિરોધમાં દેશભરમાં આશરે અડધી ટ્રકોના પૈડાં થંભી ચૂક્યા છે. આ કાયદાના વિરોધમાં સામેલ થનારા ડ્રાઇવરોની સંખ્યા ધીમેઃધીમે વધતી જઈ રહી છે. ડ્રાઇવરો રોડ પર ટ્રક છોડીને જઈ રહ્યા છે. ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત, છત્તીસગઢ, પંજાબ અને ઉત્તરાખંડમાં સ્થિતિ વણસી શકે છે. ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસે (બિનરાજકીયએ) આ બપોરે આ સંબંધે દેશભરના ટ્રાન્સપોર્ટ યુનિયનોની બેઠક બોલાવી છે, જેમાં આગળની વ્યૂહરચના નક્કી કરવામાં આવશે.
કેન્દ્ર સરકારના નવા હિટ એન્ડ રન કાયદાની વિરુદ્ધ ટ્રક, ડમ્પર અને બસ ચાલકો રસ્તા પર ઊતરી આવ્યા છે. જેને કારણે શાકભાજી, પેટ્રોલ-ડીઝલ જેવી પાયાની ચીજવ્સ્તુઓ કરવાવાળી ટ્રાન્સપોર્ટ સર્વિસ ખોરવાતી જાય છે. દેશનાં વિવિધ શહેરોમાં લોકો હેરાન-પરેશાન થઈ રહ્યા છે.
તમામ રાજ્યોમાં કેન્દ્ર સરકારના નવા હિટ એન્ડ રન કાયદાનો વિરોધ વધી રહ્યો છે. ડ્રાઇવરોની સાથે તમામ ટ્રાન્સપોર્ટ યુનિયનો આ કાયદાના વિરોધમાં રસ્તા પર ઊતરી આવ્યા છે. તમામ જગ્યાએ ચક્કાજામ અને બસો-ટ્રકોની હડતાળની સૂચના છે. આ હડતાળમાં ખાનગી બસો, ટ્રકોથી માંડીને સરકારી ઓફિસોમાં સામેલ ખાનગી બસો પણ સામેલ છે. વાસ્તવમાં હિટ એન્ડ રનના નવા કાયદા હેઠળ કેન્દ્ર સરકારે 10 વર્ષની સજા અને રૂ. 10 લાખના દંડની જોગવાઈ લાગુ કરી છે.
ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના અધ્યક્ષ અમૃતલાલ મદાને જણાવ્યું હતું કે ટ્રાન્સપોર્ટ યુનિયન ડ્રાઇવરોના ટેકામાં આવી ગયાં છે. હાલના સમયે 95 લાખથી વધુ ટ્રકો રજિસ્ટર્ડ છે, એમાંથી 70 લાખ ટ્રકો એક સમયે રોડ પર ચાલે છે. એમાંથી 30થી 40 ટકા ટ્રકો રસ્તામાં ઊભી થઈ ગઈ છે. આમ જરૂરી ચીજવસ્તુઓના સપ્લાય ખોરવાય એવી શક્યતા છે.
લોકસભા ચૂંટણી પહેલા અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન 2024માં ભાજપ માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ શકે છે. ભાજપ રામ મંદિરને તેની સૌથી મોટી સફળતા બતાવી રહ્યું છે અને માનવામાં આવે છે કે આ રામ લલ્લા 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપની રાજકીય હોડીને પાર કરવા માટેનું સૌથી મોટું માધ્યમ બની શકે છે. પીએમ મોદી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં આયોજિત રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેશે. રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા ભાજપ મોટી તૈયારીઓમાં વ્યસ્ત છે અને રામ મંદિરના મુદ્દાને 2024ની ચૂંટણીના એજન્ડામાં રાખવાની યોજના બનાવી છે જેથી વિપક્ષી પાર્ટીઓની કોઈ નારેબાજી ન ચાલે?
દિલ્હીમાં પાર્ટી નેતાઓની એક મોટી બેઠક બોલાવી
અયોધ્યામાં થવા જઈ રહેલા રામ મંદિરના ઉદ્ઘાટનને લઈને ભાજપે મંગળવારે નવી દિલ્હીમાં પાર્ટી નેતાઓની એક મોટી બેઠક બોલાવી છે. આ બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય મંત્રી અમિત શાહ હાજરી આપશે. રામ મંદિરને લઈને આ બેઠકમાં ભાજપે દેશભરમાંથી પોતાના નેતાઓને બોલાવ્યા છે. ભાજપના તમામ રાજ્યોના પ્રમુખ સહિત બે-બે અધિકારીઓ હાજર રહેશે. ભાજપ રામ મંદિરના ઉદ્ઘાટનને તેની ઐતિહાસિક સફળતા તરીકે રજૂ કરીને 2024ની લોકસભા ચૂંટણીમાં રાજકીય માઈલેજ મેળવવાની તૈયારી કરી રહ્યું છે. આવી સ્થિતિમાં અમિત શાહ અને જેપી નડ્ડા મંગળવારની બેઠકમાં બીજેપી અધિકારીઓને રામ મંદિર ઉદ્ઘાટન કાર્યક્રમ પર મોટું અભિયાન ચલાવવાનો મંત્ર આપી શકે છે.
22 જાન્યુઆરીએ રામ મંદિરનો અભિષેક
અમિત શાહ અને જેપી નડ્ડાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં 22 જાન્યુઆરીએ રામ મંદિરના ઉદ્ઘાટનને લગતી તૈયારીઓ પર ચર્ચા કરવામાં આવશે. પાર્ટીએ પહેલાથી જ રામ મંદિરના મુદ્દાને દરેક વ્યક્તિ અને દરેક ઘર સુધી લઈ જવાની યોજના બનાવી લીધી છે. આ સંદેશને દેશના દરેક બૂથ સુધી પહોંચાડવા માટે એક ખાસ યોજના તૈયાર કરી શકાય છે, જેથી દરેક મતદાતાને રામ મંદિરની ભવ્યતાથી વાકેફ કરી શકાય. આવી સ્થિતિમાં, પાર્ટીએ એક યોજના બનાવી છે કે રામ મંદિર આંદોલન અને મંદિર નિર્માણમાં પાર્ટીની ભૂમિકા સમજાવતી પુસ્તિકા પણ તૈયાર કરવામાં આવશે. ઉપરાંત લોકસભાની ચૂંટણી પહેલા નવા મતદારો સાથે જોડાવા માટે બૂથ સ્તરે કાર્યક્રમો પણ યોજવામાં આવશે.
દેશવ્યાપી યોજના તૈયાર
2024ની લોકસભા ચૂંટણી માટે તેના ચૂંટણી પ્રચાર દરમિયાન, ભાજપ એ પણ હાઇલાઇટ કરશે કે કેવી રીતે વિરોધ પક્ષોએ મંદિરના નિર્માણમાં અવરોધ લાવવાનો પ્રયાસ કર્યો. ભાજપે પણ રામ મંદિર સંબંધિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા આયોજિત તમામ કાર્યક્રમોમાં ભાગ લેવા અને સમર્થન આપવાનું વચન આપ્યું છે. રામ મંદિરને લઈને દાયકાઓથી પ્રચાર કરી રહેલા VHP અને RSSએ રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે વિગતવાર અને દેશવ્યાપી યોજના તૈયાર કરી છે, જેને ભાજપે સમર્થન આપવાનું નક્કી કર્યું છે. તેથી ભાજપ હવે અયોધ્યામાં રામ મંદિરના ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વને લઈને દેશમાં અભિયાન ચલાવી શકે છે.
રામલાલને દરેક ઘર સુધી પહોંચાડવાનું અભિયાન
નવા વર્ષની શરૂઆત સાથે જ સંઘ-વીએચપીએ રામ મંદિરને દરેક ઘર સુધી પહોંચાડવાનું મિશન શરૂ કર્યું. દરેક ઘરે અખંડ આમંત્રણો આપીને રામલલાના મૃત્યુના સમાચાર ફેલાવવાનો કાર્યક્રમ શરૂ કર્યો. આ રીતે 15 દિવસ સુધી ડોર-ટુ-ડોર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને 22 જાન્યુઆરીએ અયોધ્યા પહોંચવાને બદલે લોકોને તેમના ઘરમાં રહેવા અને દીવા પ્રગટાવીને ઉજવણી કરવા અનુરોધ કરવામાં આવી રહ્યો છે. 22 જાન્યુઆરીએ પાંચ લાખ મંદિરોમાં પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ ઉજવવામાં આવશે અને તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે જેથી લોકો માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં રામ મંદિરની ભવ્યતા જોઈ શકે. પીએમ મોદીએ પોતે 30 ડિસેમ્બરે અયોધ્યામાં ભાષણ આપતા લોકોને 22 જાન્યુઆરીએ દીવા પ્રગટાવીને દિવાળી ઉજવવાની અપીલ કરી હતી.
2.5 કરોડ લોકોને ‘દર્શન’ આપવાની વ્યૂહરચના
રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ બાદ સંઘ-વીએચપીએ કાર સેવકોના પરિવારો અને રામ મંદિર આંદોલન સાથે જોડાયેલા લોકોને અયોધ્યામાં ભગવાન શ્રી રામના દર્શન કરવાની મંજૂરી આપવાની યોજના બનાવી છે. આ અંગે સંઘે લોકસભા અને વિધાનસભા સ્તરે બેઠકો યોજીને યોજના બનાવી છે. ભાજપે 24 જાન્યુઆરીથી આગામી ત્રણ મહિનામાં દેશભરની 543 લોકસભા મતવિસ્તારના ઓછામાં ઓછા 2.5 કરોડ લોકોને ભગવાન શ્રી રામના ‘દર્શન’ કરાવવાની રણનીતિ બનાવી છે. આને સામાન્ય ચૂંટણી પહેલા હિંદુ મતો એકત્ર કરવાની રણનીતિના ભાગ રૂપે માનવામાં આવી રહી છે.
રામ મંદિર નિર્માણ ભાજપની સિદ્ધિ
ભાજપની રાજકીય સફરમાં રામ મંદિરની મોટી ભૂમિકા રહી છે. 1984માં બે લોકસભા બેઠકોમાંથી 2019માં 303 બેઠકો સુધી પહોંચવામાં રામ મંદિરે ભાજપ માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. ભાજપે રામ મંદિર મુદ્દાની મદદથી હિન્દુ મતદારોને આકર્ષવાની યોજના બનાવી અને તેના માટે સંઘર્ષ કર્યો. ભાજપ રામ મંદિરના નિર્માણને પોતાની સિદ્ધિ ગણાવી રહી છે. આ મુદ્દો હવે ભાજપ માટે રાજકીય રીતે ઘણી આશા બતાવી રહ્યો છે, કારણ કે તેમની પાસે સમાજનો એક મોટો વર્ગ છે, જેમની સંવેદનાઓ શ્રી રામ સાથે છે અને તેઓ તેનાથી આકર્ષિત થઈને તેમને મત આપી શકે છે. ભાજપ દરેક ગામ અને શહેરમાં રામ મંદિર નિર્માણનો પ્રચાર કરશે. અમે સીધા દેશના દરેક નાગરિક સુધી પહોંચીશું અને તેમને કહીશું કે અમે રામ મંદિરના નિર્માણ અંગે જે કહ્યું હતું તે અમે કર્યું છે. તેથી રામ મંદિર નિર્માણનો ફાયદો ભાજપને મળી શકે છે.
રામ મંદિર નિર્માણ એ રાજકારણનો વિષય નથી
ભાજપના નેતાઓનું કહેવું છે કે રામ મંદિરનું નિર્માણ રાજકારણનો વિષય નથી. તે એક સ્વપ્ન સાકાર થવા જેવું છે. 500 વર્ષની લાંબી પ્રતીક્ષા બાદ ભગવાન રામલલા તેમના ભવ્ય મંદિરમાં બિરાજમાન છે.
ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી ડેવિડ વોર્નર પાકિસ્તાન સામેની પોતાની ટેસ્ટ કારકિર્દી પર પૂર્ણવિરામ લગાવવા જઈ રહ્યો છે. તેણે આ વાતની જાહેરાત કેટલાક મહિનાઓ પહેલા કરી હતી. ડેવિડ વોર્નરે કહ્યું હતું કે તે પાકિસ્તાન સામેની ટેસ્ટ શ્રેણીમાં પોતાના ટેસ્ટ કરિયરનો અંત કરશે. પરંતુ હવે નવા વર્ષથી તેણે ઓસ્ટ્રેલિયન ક્રિકેટને વધુ એક ઝટકો આપ્યો છે. વોર્નરે પાકિસ્તાન સામેની છેલ્લી ટેસ્ટના 3 દિવસ પહેલા ODI ફોર્મેટમાંથી પણ નિવૃત્તિ જાહેર કરી દીધી છે.
વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું
ડેવિડ વોર્નરે વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે પાકિસ્તાન સામેની ત્રીજી ટેસ્ટ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં ODIમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. વોર્નરે કહ્યું, હું ચોક્કસપણે વનડેમાંથી પણ નિવૃત્તિ લઈ રહ્યો છું. મેં વર્લ્ડ કપમાં કંઈક એવું કહ્યું હતું કે ભારતમાં આ ટૂર્નામેન્ટ જીતવી એ એક મોટી ઉપલબ્ધિ છે. હું આજે નિવૃત્તિ લેવાનું નક્કી કરીશ. આનાથી હું વિશ્વભરની કેટલીક અન્ય લીગમાં પણ રમી શકીશ. ડેવિડ વોર્નરે વર્લ્ડ કપમાં બેટથી ઘણી ધૂમ મચાવી હતી. તેણે 11 મેચમાં 2 સદી અને 2 અડધી સદીની મદદથી 535 રન બનાવ્યા હતા. એક મેચમાં વોર્નરે 163 રનની જંગી ઇનિંગ રમી હતી. વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં વોર્નર છઠ્ઠા સ્થાને છે.
વોર્નરે 2009માં વનડેમાં ડેબ્યૂ કર્યું હતું
ડેવિડ વોર્નરે 2009માં વનડેમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે પોતાની કારકિર્દીમાં 161 મેચ રમી હતી. જેમાં તેણે 33 અડધી સદી અને 22 સદીની મદદથી 6932 રન બનાવ્યા છે. પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયાની ટીમો 3 જાન્યુઆરીએ છેલ્લી ટેસ્ટમાં સામસામે ટકરાશે. આ મેચ વોર્નરની કારકિર્દીની છેલ્લી મેચ હશે.
નવી દિલ્હીઃ નવા વર્ષનો પ્રારંભ થઈ ચૂક્યો છે. દેશ સહિત વિશ્વભરના લોકોએ ન્યુ યર સેલિબ્રેશન કર્યું છે, ત્યારે દેશમાં ફરી એક વાર કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાના નવા વેરિયેન્ટ JN.1ના અત્યાર સુધી 197 દર્દી મળી ચૂક્યા છે. જેમાં કર્ણાટકમાં છેલ્લા 24 કલાકમાં 296 કેસો નોંધાયા છે. મહારાષ્ટ્રમાં પોઝિટિવ રેટે ચિંતા વધારી દીધી છે. જે બે ટકાની ઉપર છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 660 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે બે જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,13,908 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.
દેશમાં અત્યાર સુધી 5,33,366 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,76,550 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 548 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 4565 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.
દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 220,67,79,081 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 00 લોકોને રસી આપવામાં આવી હતી. દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.
લોકોને નવા વર્ષની સલામત ઉજવણી કરવા અપીલ કરવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું છે કે લોકોએ સોશિયલ ડિસ્ટન્સ, ફેસ માસ્ક પહેરવા અને હાથ સાફ કરવા જેવી સાવચેતીઓનું પાલન કરવું જોઈએ.