Home Blog Page 2174

નોટ આઉટ @ 81: જિતેન્દ્રભાઈ પાઢ

2005 થી સળંગ નવ વર્ષ પ્રકાશિત નવી-મુંબઈ, વાશીના “નૂતન-નગરી” ગુજરાતી સાપ્તાહિક વર્તમાન-પત્રના ‘વન-મેન-શૉ’ તંત્રી, મુદ્રક અને માલિક તથા મહાપાલિકાના પ્રારભમાં પત્રકાર-સંઘના ઉપપ્રમુખ જિતેન્દ્રભાઈ પાઢની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

જન્મ અમદાવાદ, બે ભાઈ, પાંચ બહેનનું માધ્યમ-વર્ગનું કુટુંબ. પિતાશ્રી હેરિટેજ-નોંધણી-કૃત કાળા રામજી મંદિરમાં પુજારી, માતા ધાર્મિક,સંસ્કારી. ફેલોશીપ હાઈસ્કૂલ, ઘીકાંટામાં શાળાનો અભ્યાસ, H K ARTS કૉલેજથી BA, ગુજરાત યુનિવર્સીટીમાંથી MA કર્યું. ગુજરાતી સાહિત્ય પરિષદની દીક્ષા-પરીક્ષા પાસ,ઇન્ટરમીડિયેટ ડ્રોઈંગ ફર્સ્ટ ક્લાસમાં પાસ, હિન્દી પત્રકારિતા સર્ટિફિકેટ કોર્સ તથા અન્ય કોર્સ કર્યાં. પત્ની, વત્સલાબહેન ગ્રેજ્યુએટ. ચાર સંતાનો ઉચ્ચ-અભ્યાસ બાદ અમેરિકા સ્થાઈ. (8 પૌત્ર-પૌત્રીઓ) યુવાનીમાં મળતી તકો સ્વીકારી: ટ્રાવેલિંગ-સેલ્સમેન, ટેક્સટાઇલ્સ-આર્ટિસ્ટ, ટાઈમકીપર, ગુજરાતી કોપી-રાઇટીંગ, SNDTમાં સુરેશ દલાલના RA, ફ્રિલાન્સ-પત્રકારત્વ… નવી-મુંબઈની ઘણી સામાજિક-સંસ્થાઓમાં પદાધિકારી, ટ્રસ્ટી. વાશીના મોતા-ચેરીટેબલ ટ્રસ્ટના સક્રિય સમાજ-સેવક, દર રવિવારે આદિવાસી વિસ્તારોમાં અનાજ-કપડાં-દવાઓ આપવા જતા. વિવિધ શૈક્ષણિક અને સામાજિક-સંસ્થાઓ તરફથી સન્માન-સત્કાર એનાયત. ખાસ સમસ્ત બ્રાહ્મણ-સમાજ તરફથી ૨૦૨૨માં ‘લાઈફ એચિવમેટ એવોર્ડ, ગુજરાતી-સમાજ નવી-મુંબઈ તરફથી બહુમાન. મરાઠી વર્તુળમાં વિશેષ માન.

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

જનસસેવા, વાચન, લેખન, ઉમરને લીધે ઓછી ઊંઘ, સાધારણ કસરત બાદ ઊઠીને નિત્ય-કાર્યથી પરવારી તરત લેપટોપ પર લખવા બેસે. સ્માર્ટફોન મેસેજના જવાબમાં નિયમિતતા. નવોદિતો અને સરસ લખનારને અભિનંદન આપે. જ્ઞાનની મિત્રોમાં લહાણી કરે. જનસંપ્રકનો શોખ, ઘરકૂકડી ન થાય! ચાલવાનો શોખ, જમીને કલાક આરામ કરે. જામનગરથી પ્રકાશિત સાંજના દૈનિક ‘ગુડ-ઇવનિંગ’માં છેલ્લા ચારવર્ષથી નિયમિત કોલમ ‘વિદેશના ઝરુખેથી’ લખે; અમરેલીના ‘આગમન’માં તથા ઘણાં ગુજરાતી સામયિકોમાં તેમની કોલમ અમેરિકા-નિવાસ દરમ્યાન ચાલુ. સમાચાર, ડિબેટ, રામાયણ-મહાભારત જેવી સીરીયલો ટીવીમાં અવશ્ય જુએ. સાહિત્ય કોઈપણ ભાષામાં હોય અચૂક જોએ. રાતના બ્લેક-એન્ડ-વ્હાઈટ સીરીયલ જોઈને જ સુઈ જાય! સામાજિક-સંસ્થાઓમાંથી રાજીનામું આપી હવે માત્ર માતૃભાષાની સેવામાં રસ. પ્રેરણા આપે, ટીકાથી દૂર. સંયમિત, સરળ જીવનશૈલી. જાતે કામ કરવાની ટેવ. હાલમાં નવી-મુંબઈની (નીલેશ ઉપાધ્યાયની) ફર્સ્ટ ગુજરાતી ચેનલ “મંથન” સાથે સંકળાયેલા છે.

શોખના વિષયો : 

ચિત્રકલા, ડેકોરેશન, રંગોળી, અભિનય ,વકતૃત્વ સ્પર્ધા ,પાદપૂર્તિ સ્પર્ધા, નાટ્ય પ્રવૃત્તિ, કાર્યક્રમ આયોજન, પ્રવક્તા, લેખન, સંકલન, સંશોધન, સંપાદન, નવું નવું જાણવા-શીખવાની તાલાવેલી, પ્રવાસ કરવો, ઉર્દુ-ગુજરાતી મુશાયરા, કવિ-સંમેલનમાં હાજરી આપવી અને તેમનું આયોજન કરવું, ચિંતન-શિબિર, ધાર્મિક-પ્રવચન, સમાજસેવાના કામમાં રુચિ, સાયકલિંગ, પ્રકૃતિ-દર્શન માટે રઝળપાટ કરવો, સતત લોક-સંપર્કમાં રહી મિત્રો સાથે સંબંધો બાંધવા અને ટકાવી રાખવા, ગુજરાતી-અસ્મિતાના પ્રચાર-પ્રસાર માટે ઝઝૂમવું…યાદી ઘણી લાંબી છે!!

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

તબિયત સારી છે. ઘૂંટણની થોડી તકલીફ છે, લાંબુ ચાલવામાં ધ્યાન રાખવું પડે. હરતા-ફરતા, મસ્ત, ખુશમિજાજી છે! સિંગાપુરની કાર્ડિયોલોજીસ્ટ વિઝીટમાં ડોક્ટરે તેમને સરસ તબિયત સાચવવા માટે અભિનંદન આપ્યા હતા! તેમનો નિયમ છે: રોજ પાંચ માણસોને મળે તો જ ચેન પડે! 35 વર્ષ જમતી વખતે મૌન રાખ્યું હતું!

યાદગાર પ્રસંગ:  

નાની ઉંમરથી સાહિત્યનો ઘણો શોખ. એકવાર અમદાવાદમાં ઘર-આંગણે ગઝલકાર જમીયત પંડ્યાના નેજા હેઠળ મુશાયરો ગોઠવ્યો. સંજોગોવશાત તે દિવસે તેમની એસએસસીની પરીક્ષાનું રિઝલ્ટ. તેઓ પરીક્ષામાં ફેઈલ થયા છતાં કોઈને જાણ કર્યા વિના રંગેચંગે મુશાયરો ઉજવ્યો! કવિશ્રી ઉમાશંકર જોશીએ તેમને MAના ક્લાસમાં “માતૃભાષા માટે યોગદાન આપીશું” તેવા સોગન લેવડાવ્યા હતા. તેમણે અમેરિકામાં ચાર યુવાન-લેખકોને ગુજરાતીમાં લખતા કર્યા! દિગજ્જ સાહિત્યકારો સાથે સતતસંપર્કમાં “લાડકા વિધ્યાર્થી”નું બિરુદ.

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

72 વર્ષની ઉંમરે લેપટોપ પર લખતા શીખ્યા બાદ ક્યારેય કાગળમાં લખ્યું નથી! 800થી 1000 આર્ટીકલ જાતે લેપટોપ ઉપર લખ્યા છે. સ્માર્ટફોન વાપરતા પૂરેપૂરો નથી આવડતો તેવું તેમને લાગે છે! બધું જાતે શીખે છે.

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

તેમના શબ્દોમાં: “અમારા પ્રોફેસરો સરસ રીતે ભણાવતા. આજના પ્રોફેસરને ભણાવવામાં રસ નથી, અથવા તેમની પાસે ઊંડું  નોલેજ નથી, સમય નથી. ઓછી મહેનતે ઘણું પ્રાપ્ત કરવું છે, વાહ-વાહ કરાવવી છે. મોબાઈલ પછી લેખકો-કવિઓમાં  ગ્રુપ-વાડા-બંધી વધી ગયા છે. ગાંઠના પૈસે પુસ્તક છપાવી લેખક-કવિ કહેવડાવવાની હોડ આજનું દૂષણ છે.

આજની પેઢી સાથે સંકળાયેલા છો? 

યુવાનો સાથે સારો સંબંધ..આજના યુવાનો માત્ર પૈસા અને આજીવિકા રળવામાં જ વ્યસ્ત છે! તેમને માતૃભાષામાં કે બીજા સામાજિક-વ્યવહારમાં કોઈ રસ નથી. આજની પેઢી લગભગ સેલ્ફીશ બની ગઈ છે. ગુજરાતી-સમાજના કાર્યક્રમમાં પણ અંગ્રેજી બોલાય છે! સારા ગુજરાતી એન્કરો મળતાં નથી.

સંદેશો :  

માતૃભૂમિ, માતૃભાષા અને કર્મ-ભૂમિ પ્રત્યે વફાદાર રહેવું.

રાશિ ભવિષ્ય 03/01/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, ધાર્મિક,સામાજિક કારણસર મુસાફરી થઈ શકે છે, મિત્રોકે પરિચિત વ્યક્તિથી કોઈ સારાકામ માટેની ચર્ચા વિચારણા થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ મળે તેમજ તમારા અન્ય કોઈ કામનું આયોજન પણ થઇ શકે, વેપારમાં નાનું કામ કરવુ સલાહ ભર્યું છે.


આજનો દિવસ સાવચેતી રાખવી, વાણીવર્તન પર કાબુ રાખવો જરૂરી છે, પડવા,વાગવાથી સંભાળવુ, ઘરમાં વડીલકે ઓફીસમાં ઉપલી અધિકારી સાથે ગેરવર્તનના થાયતે બાબતથી સંભાળવું, એલર્જી,ચામડી, લોહી, સ્ત્રીદર્દના દર્દીએ તકેદારી રાખવી, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ તમારો સારો છે તમે આનંદ,ખુશીની લાગણી અનુભવો, તમારા મનની વાત કોઈ સમજી શકે   નોકરીકે વ્યવસાયમાં ફેરબદલીની ઈચ્છા કરનાર માટે સારા સમાચાર પ્રાપ્ત થઇ શકે, કોઈપણ કામનું આયોજન સારી રીતે થઇ શકે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, પ્રિયજન તરફથી સારી વાત થાય.


આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, તમારી કોઈપણ મિલનમુલાકાત નવીવાત કરાવે, કોઈ પ્રસગોપાત મુસાફરી થઇ શકે છે , અણધાર્યા નાણાકીયખર્ચ પણ આવી શકે, માર્કેટિંગક્ષેત્રમાં જુના અટકેલાકામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારમાં નાનું કામ કરવુંજ યોગ્ય છે, થાકની અસર વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસજો તમે શાંતિ અને કુનેહથી પસાર કરોતો તમે કોઈપણ પ્રકારની સમસ્યાથી દુર રહી શકો, ખટપટી વ્યક્તિથી દુર રહેવું, કામકાજ દરમિયાન તમને થોડો સહકાર ઓછો મળી શકે છે તેમજ અન્યના કામકાજની ભૂલથી તમારા સમયનો પણ વ્યય થઇ શકે છે. વેપારના કામકાજમાં  જોખમન કરવું


આજનો દિવસ સામાન્ય છે, તમને થોડી કોઈ કારણસર માનસિકચિંતાના કારણે અજંપો રહે, કામકાજમાં ધીરજ અને શાંતિનો અભાવ વર્તાય. દલાલી, કમીશન,માર્કેટિંગ ક્ષેત્રમાં પ્રતિસાદ ઓછો જોવા મળી શકે,  વેપારમાં નાનું કામકાજ કરવુંજ યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપમાં દલીલબાજીના કરવી.


આજનો દિવસ સારો છે, તમારી લાગણીને સારો સંતોષ અને ખુશી મળે, કામકાજનો પ્રતિસાદ સારો રહે  પસંદગીના કાર્ય કરવાથી તમને ઉત્સાહ વધે, પરિચિત સાથે મિલનમુલાકાતનો પ્રતિસાદ સારો મળે, જે લોકો સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર છે તેઓ માટેવધુ મેહનત સારી, વેપારમાં લાભ થઈ શકે છે.


આજના દિવસે થોડી સાવચેતી રાખવી જરૂરી છે ,ક્યાય તમારી ટીકાકે તમારી સામે દલીલબાજીથી તમે નાખુશી અનુભવો. હિતશત્રુથી દુર રહેવું, વાણીવિલાસ દરમિયાન ખોટાશબ્દપ્રયોગના થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે, વેપારના કામકાજમાં જોખમન કરવું,ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું.


આજનો દિવસ સારો છે, તમાંરી લાગણી કદર સારી રીતે થાય જુનાપ્રસોંગો યાદ આવવાથી ખુશી અનુભવાય, ભૂતકાળમાં કોઈની સાથે મનદુઃખ થયું હોયતો તેને સુધારવાની તક મળે સામાજિક,ધાર્મિક, રાજકીય કામકાજમાં તમને યોગ્ય પ્રતિસાદ મળે. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજના દિવસે ચોકસાઈ અને ધીરજ રાખવી જરૂરી છે, તમારી વિચારસરણી થોડી નકારત્મક થાય તેવું બની શકે છે, બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું, મુસાફરી કંટાળાજનક રહે, કમર, હાડકા,માથાની તકલીફથી સાચવવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું, અગત્યના નિર્ણય લેતા પેહલા વાત ચકાસવી જરૂરી છે.


આજનો દિવસ સારો છે, તમારા ધાર્યાકામ પાર પડે અને નસીબ પણ સાથ આપે, તમારી સાથે થયેલ કોઈ મિલનમુલાકાત યાદગાર બને તેવું થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમારા પરિચિત સાથે કામકરવાથી ફાયદો થઇ શકે છે. થોડી ધાર્મિકભાવના પણ વધુ જોવા મળે, વેપારના કામકાજમાં લાભ થવાના યોગ વધુ છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમયનો બગાડ થઈ શકે છે, અપચા,પેટ ગેસના દર્દીએ સાચવવું, મેનેજમેન્ટ,સરકારીક્ષેત્ર,જાહેજીવનના કામકાજમાં માનસિકથાકની લાગણી વધુ જોવા મળી શકે છે. વેપારના કામકાજમાં નાનું કામકાજ યોગ્ય છે, ખોટીવાતથી દોરવાઈના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.

પંચાંગ 03/01/2024

અદાણી-હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટ આવતીકાલે આપશે ચુકાદો

અદાણી-હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટે નવેમ્બર-2023માં પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો, હવે સમાચાર આવ્યા છે કે સુપ્રીમ કોર્ટ 3 જાન્યુઆરીએ આ મામલે પોતાનો નિર્ણય આપશે. આ માટે કોર્ટે સવારે 10.30 વાગ્યાનો સમય નક્કી કર્યો છે. એટલે કે આવતીકાલનો દિવસ અદાણી ગ્રૂપ માટે ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનો છે. તમને જણાવી દઈએ કે, 24 નવેમ્બરના રોજ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચુડની બેન્ચે આ મામલાની સુનાવણી કરી હતી અને ત્યાર બાદ નિર્ણય સુરક્ષિત રાખવામાં આવ્યો હતો. સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે સેબીની તપાસ અને નિષ્ણાત સમિતિના સભ્યોની નિષ્પક્ષતા પર ઉઠાવવામાં આવેલા પ્રશ્નોને ફગાવી દીધા હતા.

સેબીએ આ મામલે તપાસ હાથ ધરી

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે એવું કોઈ તથ્ય નથી જેના કારણે સેબી પર શંકા કરી શકાય. કોર્ટે કહ્યું હતું કે અમે નક્કર આધાર વિના સેબી પર અવિશ્વાસ કરી શકીએ નહીં. અગાઉ, સુપ્રીમ કોર્ટે પક્ષકારોના વકીલોને 27 સપ્ટેમ્બર સુધીમાં કોર્ટ સમક્ષ આ કેસમાં લેખિત દલીલો રજૂ કરવા કહ્યું હતું. હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટમાં થયેલા ખુલાસા અંગે અરજદારની અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી હતી કે હિંડનબર્ગ રિપોર્ટને સાચા નિવેદન તરીકે માની શકાય નહીં. સર્વોચ્ચ અદાલતે વધુમાં જણાવ્યું હતું કે હિંડનબર્ગ રિપોર્ટની સત્યતા ચકાસવા માટે કોઈ માધ્યમ નથી, જેના કારણે તેણે સેબીને આ મામલાની તપાસ કરવા કહ્યું છે, અને સેબીએ તેનો તપાસ અહેવાલ સુપરત કર્યો છે. આ ઉપરાંત, તે સમયે SC બેન્ચે કહ્યું હતું કે અમારે હિંડનબર્ગ રિપોર્ટને હકીકતમાં સાચો માનવાની જરૂર નથી. બીજી તરફ પિટિશન દાખલ કરનારાઓએ જણાવ્યું હતું કે માર્કેટ રેગ્યુલેટર સેબીની ગતિવિધિઓ શંકાસ્પદ છે કારણ કે તેમની પાસે 2014થી સંપૂર્ણ વિગતો છે. તેમનો દાવો છે કે ડિરેક્ટોરેટ ઓફ ઈન્ટેલિજન્સ (DRI) એ 2014માં સેબીના ચેરમેન સાથે સંપૂર્ણ વિગતો શેર કરી હતી.

હિંડનબર્ગનો રિપોર્ટ ક્યારે આવ્યો?

નોંધનીય છે કે 24 જાન્યુઆરી 2023ના રોજ અમેરિકન શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગે ગૌતમ અદાણીની તમામ કંપનીઓને લઈને એક રિપોર્ટ રજૂ કર્યો હતો, જેમાં ઘણા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. જ્યારે અદાણી ગ્રુપે આ અહેવાલને સંપૂર્ણપણે ખોટો ગણાવ્યો હતો. આ અહેવાલ આવ્યા બાદ અદાણી ગ્રૂપના તમામ શેરમાં ભારે ઘટાડો થયો હતો અને તેમની મિલકતને પણ ભારે નુકસાન થયું હતું. બાદમાં આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો અને હવે ચુકાદાનો દિવસ પણ આવી ગયો છે. અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણીએ નવા વર્ષ પર તેમના કર્મચારીઓને એક વીડિયો સંદેશમાં જણાવ્યું હતું કે વર્ષ 2023 તેમના અને તેમના જૂથ માટે ખૂબ જ ઉતાર-ચઢાવનું રહ્યું છે. હિન્ડેનબર્ગના પાયાવિહોણા આરોપોને કારણે થોડા સમય માટે કેટલીક સમસ્યાઓ ઊભી થઈ હતી, પરંતુ જૂથે ફરી એકવાર પડકારોને પાર કરી લીધા છે, અને આવનારા દિવસોમાં તેનું પૂર્વનિર્ધારિત લક્ષ્ય હાંસલ કરશે. અદાણીએ જણાવ્યું હતું કે હિંડનબર્ગના આરોપો પછી, અમે માત્ર બાઉન્સ બેક જ નથી કર્યું, પણ રેકોર્ડ-બ્રેકિંગ પરિણામો પણ નોંધાવ્યા છે, અભૂતપૂર્વ તાકાત સાથે અમારા સૌથી પડકારજનક વર્ષનો અંત આવ્યો છે.

હિટ એન્ડ રનનો કાયદો હાલ અમલમાં નહીં આવે : સરકાર

નવા અમલી ભારતીય ન્યાય સંહિતા હેઠળ અકસ્માત હિટ-એન્ડ-રન કેસોમાં સખત સજા સામે ડ્રાઇવરોના દેશવ્યાપી વિરોધ વચ્ચે, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મંગળવારે વિરોધ કરી રહેલા ટ્રક ડ્રાઇવરો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ આ મુદ્દાનો સૌહાર્દપૂર્ણ ઉકેલ શોધવા માટે સાંજે ટ્રાન્સપોર્ટ એસોસિએશનના સભ્યોને મળ્યા હતા. આ બેઠક બાદ ટ્રાન્સપોર્ટ એસોસિએશને ટ્રક માલિકોને કામ પર પાછા ફરવા હાકલ કરી હતી. તે જ સમયે, અજય ભલ્લાએ એમ પણ કહ્યું કે આ હાલમાં લાગુ થશે નહીં. કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ કહ્યું, “અમે ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી. સરકાર કહેવા માંગે છે કે નવો નિયમ હજુ સુધી લાગુ કરવામાં આવ્યો નથી, અમે બધા કહેવા માંગીએ છીએ કે ભારતીય ન્યાયિક સંહિતા 106/2 લાગુ કરતા પહેલા અમે ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરીશું અને ત્યારબાદ જ અમે કોઈ નિર્ણય લઈશું.

ટ્રાન્સપોર્ટ એસોસિએશનના મલકિત સિંહે કહ્યું કે હિટ એન્ડ રન કેસમાં દસ વર્ષની સજા અને દંડ થશે. આ દરેકની ચિંતા હતી. અમે તેની નોંધ લીધી અને સરકારને પત્ર લખીને જણાવ્યુ કે તેનાથી શું નુકસાન થશે. આજે અમે ભારત સરકારને મળ્યા. ગૃહ સચિવ સાથે બેઠક થઈ હતી. 106(2) જે દસ વર્ષની સજા અને દંડ વહન કરે છે. તેમણે કહ્યું કે આ કાયદો હજુ અમલમાં આવ્યો નથી. ભવિષ્યમાં પણ અમલ કરવા દેવામાં આવશે નહીં. આ કાયદો આપણા મૃતદેહો પર લાગુ કરવામાં આવશે. અમે દરેકને તેમના વાહનો પર પાછા ફરવાની અપીલ કરીએ છીએ. ડ્રાઇવિંગ શરૂ કરો. આવી હિલચાલથી દેશ માટે ખતરો છે. સરકારે વધુ ચર્ચા કરવા પણ કહ્યું છે.

નવા હિટ-એન્ડ-રન કાયદા સામે વ્યાપક વિરોધ અંગે સરકાર સાથેની નિર્ણાયક બેઠક પછી, ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (AIMTC) એ મંગળવારે જણાવ્યું હતું કે “તમામ મુદ્દાઓ ઉકેલાઈ ગયા છે.” ટ્રકર્સ એસોસિએશને એમ પણ કહ્યું હતું કે હિટ એન્ડ રન કાયદામાં દંડની નવી જોગવાઈઓ સામેનો વિરોધ ટૂંક સમયમાં બંધ કરવામાં આવશે. હિટ-એન્ડ-રન કેસ પર નવા દંડ કાયદાની જોગવાઈ સામે દેશભરના ટ્રક ડ્રાઈવરો હડતાળ પર ઉતર્યા હતા. આનાથી ઇંધણ ખરીદવા માટે દોડધામ મચી ગઈ છે અને પુરવઠાની અછતના ડરથી લોકો મોટી સંખ્યામાં ઇંધણ સ્ટેશનો પર કતારોમાં ઉભા હતા.

 

માર્કેટમાં બ્લોક્ડ મિકેનીઝમ દ્વારા ટ્રેડિંગ કરવાની સુવિધાનો પ્રારંભ

મુંબઈઃ દેશની બ્લોક મિકેનીઝમ મારફત સ્ટોક એક્સચેન્જીસમાં ટ્રેડિંગ માટેના બિટા વર્ઝનને સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું છે, જેને પગલે દેશના રોકાણકારોને એક એવી સુવિધા ઉપલબ્ધ થઈ છે, જેમાં તેમણે કરેલા સોદાની રકમ જેટલી જ રકમ કે સિક્યુરિટીઝ ક્લિયરિંગ કોર્પોરેશનના આદેશ બાદ તેમના ખાતામાંથી બાદ થશે.

હાલમાં જેમ ઈનિશિયલ પબ્લિક ઓફરમાં અરજી કરવા જેમ એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ એમાઉન્ટ (અસ્બા) સુવિધા ઉપલબ્ધ છે એવી જ સુવિધા હવે સેકન્ડરી માર્કેટમાં કામકાજ કરવા માટે પણ દાખલ કરવામાં આવી છે, એમ નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસ રિલીઝમાં જણાવવામાં આવ્યું હતું.

આ સુવિધા 1 જાન્યુઆરી, 2024થી ઉપલબ્ધ કરવામાં આવી છે, જેને પગલે રોકાણકારોના વિશ્વાસમાં વધારો થશે અને અમે માનીએ છીએ કે સિક્યુરિટીઝમાં આ રીતે ટ્રેડિંગ કરવાનું રિટેલ રોકાણકારોમાં અધિક લોકપ્રિય થઈ પડશે, એમ એનએસઈએ જણાવ્યું હતું. આ સુવિધા હેઠળ રોકાણકારો સ્ટોક માર્કેટમાં તેમના એકથી અધિક વ્યવહારો ઉધારવા માટેની રકમ તેમનાં બેન્કમાંનાં ખાતામાં બ્લોક કરી શકશે, જે  ટ્રેડ સેટલમેન્ટ સમયે ક્લિયરિંગ કોર્પોરેશન દ્વારા ઉધારવામાં આવશે. ટીપ્લસ વન ધોરણે સોદાઓનું સેટલમેન્ટ થશે.

 

 

 

 

 

રાજ્યોના વિદ્યાર્થીઓ, શિલ્પકારોની કળા-પ્રતિભા દર્શાવવા ‘શિલ્પોત્સવ’

ગાંધીનગરઃ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ: VGGS-૨૦૨૪ના ભાગરૂપે કમિશનર, ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજની કચેરી સંચાલિત સ્ટોન આર્ટિઝન પાર્ક ટ્રેનિંગ ઇન્‍સ્ટિટ્યૂટ દ્વારા ગાંધીનગરમાં છઠ્ઠા રાષ્ટ્રીય કક્ષાના સ્કલ્પચર સિમ્પોઝિયમ ‘જીવંત શિલ્પ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ ‘જીવંત શિલ્પ’ સિમ્પોઝિયમમાં રાઇઝિંગ ઇન્ડિયા, માનવ આત્માની શક્તિ, યોગ, આધ્યાત્મિકતા, પર્યાવરણીય જાગૃતિ, ટેક્નોલોજી અને આધ્યાત્મિકતાને એકીકૃત કરતી થીમ નક્કી કરવામાં આવી છે.

અગાઉના સિમ્પોઝિયમનાં ઉત્કૃષ્ટ પરિણામોને આધારે સાપ્તિ દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત ઇવેન્ટના ભાગરૂપે ગાંધીનગરમાં સ્ટોન સ્કલ્પચર સિમ્પોઝિયમ ‘જીવંત શિલ્પ’-શિલ્પોત્સવનું ૨૩ ડિસેમ્બર,૨૦૨૩થી ૧૨ જાન્યુઆરી, ૨૦૨૪ સુધી આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાત સહિત દેશનાં વિવિધ રાજ્યોમાંથી ફાઇન આર્ટ્સના વિદ્યાર્થીઓ, ઊભરતા શિલ્પકારો, વરિષ્ઠ અને પ્રતિષ્ઠિત શિલ્પકારોને તેમની કળા અને પ્રતિભા દર્શાવવા મંચ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ગાંધીનગરમાં ભાઈજીપુરા ચોકડી નજીક, પીડીપીયુ રોડ, રાયસણમાં સવારે ૧૦થી  સાંજના છ કલાક સુધી આયોજિત આ શિલ્પોત્સવ રાજ્યની કલા ચાહક વર્ગ અને જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે, જેનો મહત્તમ લાભ લેવા સ્ટોન આર્ટિઝન પાર્ક ટ્રેનિંગ ઇન્‍સ્ટિટ્યૂટ દ્વારા અનુરોધ કરાયો છે.

રાજ્યના પથ્થરકળા ઉદ્યોગમાં રહેલી વિપુલ સંભાવનાઓનો ઉપયોગ કરી શિલ્પકામના મૂલ્યવાન વારસાને આગળ ધપાવવા વર્ષ ૨૦૦૩ની ગુજરાત ખનીજ નીતિ હેઠળ વર્ષ ૨૦૦૯માં કમિશનર, ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ, ઉદ્યોગ અને ખાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા સાધનોથી સુસજ્જ સ્ટોન આર્ટિઝન પાર્ક ટ્રેનીંગ ઇન્સ્ટિટ્યુટ (સાપ્તિ)ની અંબાજી અને ધ્રાંગધ્રામાં સ્થાપના કરવામાં આવેલી છે. ઉત્તર ગુજરાતમાં સાપ્તિ-અંબાજીમાં માર્બલ (આરસ) પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. જ્યારે, સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સાપ્તિ-ધ્રાંગધ્રામાં સેન્ડસ્ટોન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.

 

 

 

 

 

 

Google Pay અને Paytm સાથે સ્પર્ધા કરવા આવી રહ્યું છે Tata Pay

RBI એ ટાટા ગ્રૂપની ડિજિટલ પેમેન્ટ્સ એપ્લિકેશન ટાટા પેમેન્ટ્સને પેમેન્ટ એગ્રીગેટર લાઇસન્સ આપ્યું છે, જે કંપનીને તેના પ્લેટફોર્મ દ્વારા ઈકોમર્સ વ્યવહારોની સુવિધા કરવામાં મદદ કરશે. ટાટા પેમેન્ટ્સનું આયોજન જૂથની પેટાકંપની ટાટા ડિજિટલ દ્વારા કરવામાં આવે છે, જે તેના ડિજિટલ વ્યવસાયોનું સંચાલન કરે છે. Tata Pay બહુપ્રતીક્ષિત પેમેન્ટ લાયસન્સ સુરક્ષિત કરવા માટે Razorpay, Cashfree, Google Pay અને અન્ય કંપનીઓમાં જોડાયું છે. માહિતી અનુસાર પેમેન્ટ એગ્રીગેટર લાયસન્સ સાથે ટાટા તેની પેટાકંપનીઓમાં તમામ ઈકોમર્સ વ્યવહારોને સશક્ત બનાવી શકે છે, જે તેને ફંડનું વધુ સારી રીતે સંચાલન કરવામાં મદદ કરશે.

ટાટા પેની સાથે ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ ગ્રોવ દ્વારા સમર્થિત બેંગલુરુ સ્થિત ઓળખ ચકાસણી સ્ટાર્ટઅપ ડિજીઓએ પણ 1 જાન્યુઆરી સુધીમાં PA લાઇસન્સ મેળવ્યું છે. Digio ઘણા ફિનટેક માટે ડિજિટલ ઓળખને શક્તિ આપે છે અને ઇન-પેમેન્ટ સેવાઓને બંડલ કરવામાં સક્ષમ હશે.

હાલમાં કઈ પેમેન્ટ એપ્સ ઉપલબ્ધ છે?

Google Pay:

Google Pay એ Google દ્વારા વિકસાવવામાં આવેલી ભારતીય ડિજિટલ ચુકવણી સિસ્ટમ એપ્લિકેશન છે. આ એપ ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી પેમેન્ટ એપમાંની એક છે. Google Payનો ઉપયોગ ઑનલાઇન અને ઑફલાઇન બંને રીતે ચુકવણી કરવા માટે થઈ શકે છે.

PhonePe:

PhonePe એ ફ્લિપકાર્ટ દ્વારા વિકસિત ભારતીય ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ એપ્લિકેશન છે. આ એપ ભારતમાં બીજી સૌથી વધુ ઉપયોગમાં લેવાતી પેમેન્ટ એપ છે. PhonePe નો ઉપયોગ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે પેમેન્ટ કરવા માટે થઈ શકે છે.

Paytm:

Paytm એ Paytm દ્વારા વિકસિત ભારતીય ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ એપ્લિકેશન છે. આ એપ ભારતમાં ત્રીજી સૌથી વધુ ઉપયોગમાં લેવાતી પેમેન્ટ એપ છે. Paytm નો ઉપયોગ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે પેમેન્ટ કરવા માટે કરી શકાય છે.

NCC દ્વારા સાયક્લોથોનનું આયોજનઃ સુરતની છ દીકરીઓ જોડાઈ

સુરતઃ આઝાદીના અમૃતકાળમાં NCC કેડેટસ દ્વારા કન્યાકુમારીથી દિલ્હી સુધીની મેગા સાઇકલ રેલીનું આયોજન કરાયું છે. ગત આઠમી ડિસેમ્બરે કન્યાકુમારીમાં ડિરેક્ટર જનરલ નેશનલ કેડેટ કોર્પ્સ દ્વારા સાયક્લોથોનને ફ્લેગઓફ કરવામાં આવી હતી. જે દક્ષિણનાં રાજ્યોમાંથી પસાર થઈ આવતી કાલે સુરત આવી પહોંચશે.

સુરતમાં તેનું મેગા સાઇકલ રેલીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે, જેમાં મોટી સંખ્યામાં NCC કેડેટસ, ઇન્ટરનેશનલ ટ્રાયથલીટ મિસ પૂજા ચૌરૂષી, હીરાઉદ્યોગકાર અને IDI (ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ)ના ચેરમેન દિનેશભાઈ નાવડિયા સહિત NCCના પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે. NCC વિદ્યાર્થીઓનું ઘડતર કરી વિકાસની દિશામાં પોતાનું યોગદાન આપે છે.

વિકાસ અને પરિવર્તનનો આ સંદેશ વિશ્વની સૌથી મોટી ગણવેશધારી યુવા સંસ્થા NCC દ્વારા યાત્રાનું આયોજન કરાયું છે. જેમાં મહિલા શક્તિને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. મેગા સાયક્લોથોનને મહિલાશક્તિ કા અભેદ સફર નામ આપવામાં આવ્યું છે. આ યાત્રામાં સુરતની છ દીકરીઓએ પણ ભાગ લીધો છે.

આ યાત્રા કન્યાકુમારીથી કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, દમણ-દીવ, ગુજરાત અને હરિયાણા થઈને આગામી ૨૮મી જાન્યુઆરીએ દિલ્હી પહોંચશે. જ્યાં વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં રેલીને ફ્લેગઓફ કરાશે. કન્યાકુમારીથી શરૂ થયેલી મેગા સાયક્લોથોનની ૩૨ દિવસની લાંબી મુસાફરીમાં સાઇકલ સવાર દિવસની એવરેજ ૯૭ કિલોમીટર સાઇકલ ચલાવે છે. રેલી પૂર્ણ થતાં સાઇકલ સવાર કુલ ૩૨૩૨ કિલોમીટર સાઇકલ ચલાવી માર્ગમાં આવતા જનસમૂહમાં જાગ્રતતા સાથે દેશના વિકાસ અને વૃદ્ધિનો સંદેશો આપશે.

 

 

 

 

 

જાપાનમાં વિમાનમાં લાગી આગઃ300 યાત્રીઓનો બચાવ, પાંચ લાપતા

ટોક્યોઃ જાપાનમાં શક્તિશાળી ભૂકંપ અને સુનામી આવે 24 કલાક પણ નથી થયા, ત્યારે એક વધુ દુર્ઘટના બની છે. જાપાનમાં ટોક્યોમાં હાનેડા એરપોર્ટના રનવે પર ઊતરી રહેલા જાપાન એરલાઇન્સના વિમાનમાં આગ લાગી. જ્યારે પ્લેન રનવે પર આગળ વધી રહ્યું હતું ત્યારે આ અકસ્માત થયો હતો. આ વિમાનમાં 300થી વધુ પેસેન્જરો હતા અને બધાને સુરક્ષિત કાઢવામાં આવ્યા છે. જોકે કોસ્ટ ગાર્ડના પાંચ સભ્યો લાપતા છે.

જાપાનના આ પ્લેનમાં આગ લાગી ત્યારે પ્લેનમાં 350થી વધુ મુસાફરો હાજર હતા. મિડિયા રિપોર્ટ્સ અનુસાર આ દુર્ઘટના અન્ય પ્લેન સાથે અથડાયા બાદ સામે આવી છે. વાયરલ થઈ રહેલા વિડિયોમાં પ્લેનની બારીઓમાંથી જ્વાળાઓ નીકળતી જોઈ શકાય છે. જાપાન એરલાઈન્સનું કહેવું છે કે પ્લેન હોકાઈડોના ન્યુ ચિટોઝ એરપોર્ટથી ટોક્યોના હાનેડા એરપોર્ટ પર પહોંચ્યું હતું. જેની ફ્લાઈટ નંબર 516 છે. જાપાન એરલાઈન્સનું કહેવું છે કે હાનેડા એરપોર્ટ પર ઊતર્યા બાદ વિમાન જાપાન કોસ્ટ ગાર્ડના વિમાન સાથે અથડાયું હતું.

જાપાની સમાચાર એજન્સી NHK એ આ અકસ્માત વિશે સૌપ્રથમ માહિતી શેર કરી હતી. કે પેસેન્જર પ્લેનમાં આગ લાગી છે. આ અકસ્માત ટોક્યો ઇન્ટરનેશનલ એરપોર્ટ પર થયો હતો, જ્યાં જાપાન એરલાઇન્સ (JAL) એરબસ A350 હાનેડામાં એરપોર્ટ રનવે પર કોસ્ટ ગાર્ડ એરક્રાફ્ટ સાથે અથડાયું હતું.

ફોટાઓમાં પ્લેનની બારીઓમાંથી જ્વાળાઓ નીકળતી જોવા મળે છે. ઘણા ફાયર એન્જિન વાહનો ઘટનાસ્થળે હાજર છે અને આગને કાબૂમાં લેવા માટે એરક્રાફ્ટ પર ફોમ અને પાણીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જાપાનના વડા પ્રધાને પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે એજન્સીઓ વચ્ચે સંકલન કરવા માટે એક સમિતિની રચના કરી છે. ઇમર્જન્સી રૂમ ઊભો કરવામાં આવ્યો છે.