Home Blog Page 2110

કોરાનાના 124 નવા કેસો, એક પણ મોત નહીં

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 124 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું.  દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,25,312 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

 દેશનાં કેટલાંય રાજ્યોમાં શીતલહેરનો પ્રકોપ જારી છે, ત્યારે કોરોના વાઇરસ પણ પ્રસરી રહ્યો છે. કોવિડના નવા વેરિયેન્ટ JN.1એ સૌથી વધુ ટેન્શન વધાર્યું છે. અત્યાર સુધી 18 રાજ્યોમાં નવા વેરિયેન્ટના કેસ નોંધાયા છે.  કોરોનાના નવા વેરિયેન્ટ JN.1ના દેશમાં અત્યાર સુધી સૌથી વધુ 2083 દર્દી મળી ચૂક્યા છે.દેશમાં અત્યાર સુધી 5,33,445 લોકોનાં મોત થયાં છે.

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,90,452 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 169 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1415 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,67,85,496 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 262 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

ચમડી તૂટે પણ દમડી ન છૂટે

   ચમડી તૂટે પણ દમડી ન છૂટે

 

દમડી એ એક પ્રકારનું જૂના જમાનાનું ચલણ હતું. દમડી એટલે ત્રાંબાનો એક સિક્કો. પહેલાના ચલણમાં રૂપિયાના ૬૪ પૈસા અને એવા એક પૈસાનો ચોથો ભાગ એટલે કે એક રૂપિયાના 256મા ભાગને દમડી કહેવાય.

સાવ મામૂલી રકમ ગણાય પણ માણસ જ્યારે એટલો બધો કંજૂસ હોય કે જાતે ઘસાઈ જાય પણ એના હાથમાંથી એક નાની રકમ પણ છૂટી ન થાય પછી ભલે તે પોતાની સવલત માટે જ કેમ ના હોય ત્યારે આ કહેવત વપરાય છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

શક્તિ કપૂર હીરો બનીને પસ્તાયો હતો

શક્તિ કપૂરે વિલન બન્યા પછી સારા દેખાવને કારણે હીરો બનવાનો પ્રયત્ન કરી જોયો હતો. શક્તિએ જ્યારે વિલન તરીકે કામ શરૂ કર્યું અને કુર્બાની (૧૯૮૦), રૉકી (૧૯૮૧) વગેરેમાં ખલનાયિકીની ધાક જમાવી ત્યારે એનો ચહેરો જોઈને લોકો કહેવા લાગ્યા કે એણે હીરો બનવું જોઈએ. ઈન્ડસ્ટ્રીમાં પણ ચર્ચા હતી કે પહેલી વખત કોઈ હેન્ડસમ હીરો આવ્યો છે. શક્તિ હીરો બનવાનું વિચારતો હતો અને સામેથી હીરો બનવાની ઓફર આવી પણ ખરી. નિર્દેશક દીપક બલરાજ વિજે શક્તિને હીરો તરીકે ચમકાવતી ફિલ્મ ‘જખ્મી ઇન્સાન’ (૧૯૮૨) બનાવી હતી. એના નિર્માણ દરમ્યાન શક્તિએ બીજા નિર્માતાઓને એમ કહેવાનું શરૂ કરી દીધું હતું કે એ હવે હીરોનું જ કામ કરશે નકારાત્મક ભૂમિકાઓ કરશે નહીં.

નિર્માતાએ ફિલ્મનો સારો પ્રચાર કર્યો હતો. છતાં એ મોટી ફ્લોપ રહી હતી. ત્યારથી શક્તિએ નક્કી કર્યું કે વિલન તરીકે જ આગળ વધતા રહેવું જોઈએ. શક્તિએ ફરી બધા નિર્માતાઓને કહ્યું કે એ વિલન તરીકે જ કામ કરશે. એની ભૂલ થઈ ગઈ હતી. શક્તિનું નસીબ સારું હતું કે પછીથી ધીમે ધીમે આપમેળે જ હકારાત્મક અને હાસ્ય ભૂમિકાઓ મળવા લાગી. એ જ વર્ષે સત્તે પે સત્તા (૧૯૮૨) આવી હતી. જ્યારે નિર્દેશક રાજ એન. સિપ્પીએ આ ફિલ્મ માટે સાઇન કર્યો ત્યારે શક્તિએ કહ્યું કે એક વિલન પાસે તમે કેવું કામ કરાવશો? ત્યારે રાજે કહ્યું કે ફિલ્મમાં સાત હીરો છે અને અમિતાભના ભાઈઓ તરીકે અલગ- અલગ પ્રકારના વ્યક્તિઓ લઈ રહ્યો છું, એમાં તું અમિતાભના ભાઈ જેવો દેખાશે. શક્તિએ ફિલ્મમાં કામ શરૂ કરી દીધું પછી વિચાર આવ્યો કે ફિલ્મમાં બધા સરખું જ કરી રહ્યા છે. એટલે રાજની સાથે બેઠક કરી કહ્યું કે એના ‘મંગલ આનંદ’ ના પાત્રમાં ફેરફાર કરવા માગે છે.

રાજે કોઈ વિચાર હોય તો જણાવવા કહ્યું. શક્તિએ પાત્ર તોતડું બોલતું હોય એમ બોલવાનો અભિનય કર્યો. રાજને એ વાત ગમી ગઈ અને ફરીથી એનું શુટિંગ કર્યું. શક્તિની જેમ બીજા કલાકારોને પણ પોતાના પાત્રમાં થોડો ફેરફાર કરવાની પ્રેરણા મળી ગઈ હતી. ‘સોમ’ તરીકે સુધીર સંભળાતું ના હોય એમ મોટા અવાજે બોલવા લાગ્યો હતો. શક્તિએ એક કિસ્સો યાદ કરી કહ્યું છે કે જ્યારે ‘દુક્કી પે દુક્કી હો’ ગીત લખવામાં આવ્યું ત્યારે એમાં શક્તિ કપૂરના તોતડા પાત્ર મુજબ ‘અટક ગયા… ક..ક…ક… કોઈ ફરક નહીં અલબત્તા’ પંક્તિ રાખવામાં આવી હતી. એક દિવસ શક્તિ શુટિંગમાં હતો ત્યારે એ પંક્તિ અમિતાભને બોલતા જોઈ નિરાશ થયો હતો અને રડી પડ્યો હતો. એ જોઈ સેટ પર હાજર બધાં હસી પડ્યા હતા. કેમકે શક્તિની મજાક કરવા કેમેરા બંધ રાખીને અમિતાભે એ પંક્તિ બોલી હતી. એટલું જ નહીં અમિતાભે ફિલ્મમાં શક્તિને વધુ બે- ચાર સીન આપવા ભલામણ કરી હતી. જેમાં એક લોલીપોપવાળું દ્રશ્ય હતું.

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

ક્રિસ્પી પોટેટો-પનીર-ચીઝ બોલ

ક્રિસ્પી પોટેટો-પનીર-ચીઝ બોલની આ વાનગીમાં વેજીટેબલ્સ પણ હોવાથી તે હેલ્ધી તો બને છે. પરંતુ ચીઝને લીધે બાળકોને આ વાનગી ઘણી પ્રિય બનશે!

સામગ્રીઃ

  • બાફેલા બટેટા 8
  • ચિલી ફ્લેક્સ 1 ટે.સ્પૂન
  • ચાટ મસાલો 1 ટી.સ્પૂન
  • હળદર પાઉડર ½ ટી.સ્પૂન
  • આમચૂર પાઉડર ¼ ટી.સ્પૂન, મીઠું સ્વાદ મુજબ
  • કોર્નફ્લોર 2 ટે.સ્પૂન
  • કોથમીર ધોઈને સમારેલી 2-3 ટે.સ્પૂન
  • સિમલા મરચું 1
  • કાંદો 1 (optinal)
  • ટામેટું 1
  • પનીર 200 ગ્રામ
  • કાળાં મરી પાઉડર 1 ટી.સ્પૂન
  • મેંદો 2 ટે.સ્પૂન
  • બ્રેડ ક્રમ્સ
  • પનીર બોલ તળવા માટે તેલ
  • ચીઝ 2 ક્યુબ્સ
  • ખમણેલું આદુ 1 ટી.સ્પૂન
  • લીલાં મરચાં 2 ઝીણાં સમારેલાં

રીતઃ બાફેલા બટેટાને મેશ કરી લો. તેમાં ચિલી ફ્લેક્સ, ચાટ મસાલો, હળદર પાઉડર, આમચૂર પાઉડર, મીઠું સ્વાદ મુજબ, કોર્નફ્લોર, કોથમીર 1 ટે.સ્પૂન મેળવીને બાકીની કોથમીર એકબાજુએ રાખીને આ મિશ્રણનો ગોળો બનાવી રાખો.

એક બાઉલમાં કાંદો, સિમલા મરચું તેમજ ટામેટું ઝીણું ચોરસ સમારીને લો. તેમાં બાકી રહેલી કોથમીર 2 ટે.સ્પૂન, ખમણેલું આદુ તેમજ લીલાં મરચાં 2 ઝીણાં સમારેલાં ઉમેરો. પનીર તેમજ ચીઝને ખમણીને મેળવો. મીઠું જરૂર કરતાં થોડું ઓછું ઉમેરો. કારણ કે, બટેટાના મિશ્રણમાં મીઠું છે, ઉપરાંત ચીઝમાં પણ મીઠું હોય છે. આ મિશ્રણને એક ચમચી વડે હલાવીને મિક્સ કરો. ત્યારબાદ તેમાં કાળાં મરી પાઉડર ઉમેરીને ફરીથી મેળવી લો.

બટેટાના મિશ્રણમાંથી નાનો ગોળો લઈ તેને હાથેથી થાપીને ચપટો કરી વાટકી આકાર આપો. ત્યારબાદ તેમાં પનીરવાળું મિશ્રણ એક ચમચી લઈ તેમાં ભરીને તેને બંધ કરીને ગોળો વાળી લો. આ રીતે બધા બોલ તૈયાર કરી લો.

એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે ગેસની આંચ ધીમી મધ્યમ કરી લો.

એક બાઉલમાં મેંદો, થોડું મીઠું મેળવીને થોડું થોડું પાણી ઉમેરતાં જઈ તેની ઘટ્ટ એવી સ્લરી બનાવી લો. એક પ્લેટમાં બ્રેડ ક્રમ્સ રાખો.

આ સ્લરીમાં પોટેટે-પનીર-ચીઝ બોલ ડુબાડીને કાઢીને બ્રેડ ક્રમ્સમાં રગદોડીને ધીમી મધ્યમ ગેસની આંચે તેલમાં સોનેરી રંગના તળી લો.

આ વાનગી ટોમેટો કેચ-અપ અથવા લીલી ચટણી સાથે પીરસો.

૩૦ જાન્યુઆરી, ૨૦૨૪

૩૦ જાન્યુઆરી, ૨૦૨૪

રાશિ ભવિષ્ય 30/01/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ સામાન્ય છે, પ્રવાસનું આયોજન થઈ શકે છે તેમાં ઉત્સાહ પણ જોવા મળી શકે , મિત્રોથકી કોઈ લાભની વાત આપ-લે થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમને તમારી મહેનત મુજબ ફળ મળી શકે છે વેપારમાં કામકાજ નાનું અને અનુભવ મુજબજ કામ કરવુ યોગ્ય છે, વિવાહયોગ્ય વાર્તાલાપ સારી રહે.


આજના દિવસે સાવચેતી રાખવી અને તેમાં પણ ગુસ્સાપર કાબુ રાખવો જરૂરી બને છે, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, એલર્જી,ચામડી, લોહીના દર્દીએ તકેદારી રાખવી, વણમાંગી સલાહકે સુચન આજના દિવસે ના આપવા ઈછાનીય છે. વેપારના કામકાજમાં મોટા જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ તમારા માટે સારો છે તમને ઉત્સાહ, આત્મવિશ્વાસ સારો રહે, મનની ઈચ્છા પૂરી થાય તેવું બનવા જોગ પણ છે, વિદ્યાર્થીવર્ગ માટે વિદ્યાભ્યાસમાં વધુ મહેનત કરવાથી સારું ફળ મળી શકે છે, ગણતરી પૂર્વક કામ કરોતો ધાર્યા કામ વધુ થાય, વેપારના કામકાજમાં લાભ અને નવીનજાણકારીની તક મળે.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાત, પ્રવાસ થઈ શકે છે, કોઈ આકસ્મિકનાણાકીય ખર્ચ પણ આવી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં ઓળખાણમાં કામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારના કામકાજમાં નાનું કામ કરવું સલાહ ભર્યું છે, વિવાહયોગ્ય વાર્તાલાપ કોઈના થકી કરવી યોગ્ય કહી શકાય.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો સલાહ ભર્યો છે, ખટપટકરનાર વર્ગથી દુર રહેવું જરૂરી છે, ખરીદી કરવાપાછળ બિનજરૂરી ખર્ચ થઇ શકે છે, મુસાફરી થોડી કંટાળાજનક બની શકે છે , વાહન ધીમે ચલાવવું ,ઉશ્કેરાટથી દુર રહેવું, વેપારના કામકાજમાં જોખમન કરવું, શાંતિથી દિવસ પસાર કરવો.


આજનો દિવસ સામાન્ય છે, મનમાં થોડી માનસિકઅશાંતિ અને ઉદ્વેગ રહ્યા કરે, કામકાજમાં સમયનો અણધાર્યો વ્યય થાય, સાંધા, સ્નાયુ, ગેસની તકલીફજે ભોગવતું હોય તેમના માટે થોડી તકેદારી રાખવી જરૂરી છે, વેપારમાં ગણતરીપૂર્વકનુ કામ કરવું યોગ્ય છે, ઉતાવળિયા નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું.


આજનો દિવસ સારો છે, મનમાં રહેલી ઈચ્છા પૂરી થવાની શક્યતા વધુ છે, ગમતાકાર્ય થઈ શકે છે , નવી ઓળખાણ થાય તેમાં પણ તમારી લાગણી ક્યાંક સંતોષાયકે સારીવાતચીત થાય તેવા સંજોગ બની શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારને કોઈ જાણકારી પ્રાપ્ત થાય, વેપારમાં અણધાર્યો લાભ થઈ શકે છે.


આજનો દિવસ થોડી ધીરજ અને સાવચેતી રાખવી યોગ્ય છે, વાહન ધીમે ચલાવવું, નોકરી ધંધામાં પણ વ્યવહારુ અભિગમ રાખવો ફાયદાકારક છે, કોઈપણ પ્રકારના વિવાથી દુર રહેવાની સલાહ છે , બજારમાં કોઈ મોટા જોખમભર્યા કામના કરવા તેમજ કોઈની પણ સાથે દલીલબાજીના કરવી ઇચ્છનીય છે.


આજનો દિવસ તમારા માટે સારો છે, તમને તમારા કામ અને વ્યવહારથી માન મળી શકે છે, કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, ભૂતકાળમાં કરેલ કામની પ્રશંશા થાય અને તમારી લાગણી સંતોષાય તેવું બની શકે છે, નવીઓળખાણથી કોઈ લાભની વાત થઈ શકે છે, વેપારમાં લાભ થાય તેવા સંજોગો ઉભા થાય.


આજનો દિવસ તમાર માટે સાવચેતી અને શાંતિ રાખવાની સલાહ ભર્યો છે, તમારામાં થોડી નિરાશા જોવા મળી શકે છે તેમજ કામ ટાળવા માટેની વૃતિ જાગી શકેછે, ખટપટ કરનારથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, કમર, હાડકા,માથાની તકલીફથી સાચવવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.


આજનો દિવસ તમને સારી આશા અને ઈચ્છા જગાડી શકે તેવો છે, તમારા ધાર્યાકામ થઇ શકે છે તેમજ જો નસીબ સાથ આપેતો ઘણું બધું કાર્ય થઇ શકે. મુસાફરી થઈ શકે છે, માર્કેટિંગ,સલાહકાર,કોમ્પુટર,ધાતુક્ષેત્રમાં કામ કરનારવર્ગને સારું રહે, વેપારમાં લાભ અને નવીન ઓળખાણ થવાના સંજોગો ઉભા થઈ શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં ધાર્યા કરતા વધુ સમયનો વ્યય થાય તેવું બની શકે છે, પેટ, આંતરડા, ડાયાબીટીસના દર્દીએ સાચવવું, બેન્કિંગ,વીમા,મેનેજમેન્ટ,સરકારીક્ષેત્રમાં કામ કરનારને માનસિકથાકની લાગણી વધુ જોવા મળી શકે તેવું બની શકે. વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામ જ યોગ્ય છે.

પંચાંગ 30/01/2024

EDએ દિલ્હીમાં CM સોરેનના ત્રણ ઠેકાણાઓ પર દરોડા પાડ્યા

EDએ સોમવારે દિલ્હીમાં ઝારખંડના સીએમ હેમંત સોરેનના ત્રણ સ્થાનો પર દરોડા પાડ્યા હતા. EDએ જે ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા તેમાં ઝારખંડ ભવન, હેમંત સોરાણેના નિવાસસ્થાન શાંતિ નિકેતન પેલેસ અને મોતીલાલ નેહરુ માર્ગનો સમાવેશ થાય છે. EDની ટીમ હેમંત સોરેનની BMW કારને પોતાની સાથે લઈ ગઈ હતી. EDએ કારમાંથી કેટલાક દસ્તાવેજો રિકવર કર્યા છે. આ ટીમ દિલ્હીમાં સીએમ સોરેનના ઘરેથી રવાના થઈ હતી. સોમવારે સવારે 7 વાગ્યે EDની ટીમ હેમંત સોરેનના ઘરે પહોંચી હતી પરંતુ મુખ્યમંત્રી ઘરે મળ્યા ન હતા. EDના સૂત્રોના જણાવ્યા અનુસાર આ કાર બેનામી પ્રોપર્ટીમાંથી ખરીદવામાં આવી હતી. EDનો દાવો છે કે તેઓ અત્યાર સુધી હેમંત સોરેન સાથે કોઈ સંપર્ક કરી શક્યા નથી. EDની ટીમ હજુ પણ એરપોર્ટ પર હાજર છે.

 

બંધારણીય સંસ્થાઓનો દુરુપયોગ- JMM

દરમિયાન, હેમંત સોરેનની પાર્ટી ઝારખંડ મુક્તિ મોરચાએ એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે, “બંધારણીય સંસ્થાઓનો દુરુપયોગ કરીને ઝારખંડમાં અરાજકતાનું વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે. જ્યારથી ઝારખંડમાં આદિવાસી યુવા મુખ્યમંત્રી હેમંતના સક્ષમ નેતૃત્વમાં ગઠબંધન સરકાર બની છે. સોરેન જી, ત્યારથી, કેન્દ્ર સરકાર અને ભાજપ દ્વારા દરેક શક્ય રીતે કાવતરાં કરીને સરકારને પછાડવાના ઘણા પ્રયાસો કરવામાં આવ્યા છે, જેમાં તેમને દરેક વખતે હારનો સામનો કરવો પડ્યો છે. તમામ રાજકીય પ્રયાસોનો દુરુપયોગ કર્યા પછી, હવે કેન્દ્ર સરકાર અને ભાજપે બંધારણીય કારણ હાથ ધર્યું છે. સંસ્થાઓનો દુરુપયોગ કરે છે.”

ED અધિકારીઓને કેટલો સમય જોઈએ છે – JMM

પાર્ટીએ કહ્યું, “20 જાન્યુઆરી, 2024ના રોજ, મુખ્યમંત્રી હેમંત સોરેન જીની ED અધિકારીઓ દ્વારા કેમેરા પર સાત કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં તેમણે પૂછવામાં આવેલા તમામ પ્રશ્નોના જવાબો રેકોર્ડ કર્યા હતા. છેલ્લા દોઢ મહિના દરમિયાન, અંદર, 12 ડિસેમ્બર 2023, 15 જાન્યુઆરી 2024 અને આજે 29 જાન્યુઆરી 2024ના રોજ શ્રી હેમંત સોરેન દ્વારા ઇડી ઓફિસને મોકલવામાં આવેલા પત્ર દ્વારા માહિતી આપવામાં આવી છે. આખરે, સાડા ત્રણ કરોડની જનતા દ્વારા લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા મુખ્યમંત્રી પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. પરંતુ EDના અધિકારીઓને કેટલો સમય જોઈએ છે?પૂછપરછના ત્રણ-ચાર દિવસમાં ફરીથી સમન્સ જારી કરવામાં આવે છે અને કહેવામાં આવે છે કે ત્રણ-ચાર દિવસમાં ફરીથી જવાબ દાખલ કરવા માટે આવવું પડશે.મુખ્યમંત્રી તરીકે સ્વાભાવિક રીતે જ ત્રણથી ચાર અઠવાડિયાનું પૂર્વ-નિર્ધારિત સમયપત્રક છે. વહીવટી જવાબદારીઓ સાથે, તેઓએ રાજકીય જવાબદારીઓ પણ નિભાવવી પડશે.”

સીએમ સોરેને મેઈલ દ્વારા જવાબ આપ્યો

સીએમ સોરેને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પર રાજ્ય સરકારના કામકાજમાં અવરોધ લાવવા માટે ‘રાજકીય એજન્ડા દ્વારા પ્રેરિત’ હોવાનો આરોપ મૂક્યો હતો અને દાવો કર્યો હતો કે 31 જાન્યુઆરીના રોજ અથવા તે પહેલાં તેમના નિવેદનને ફરીથી રેકોર્ડ કરવા માટે EDનો આગ્રહ ખરાબ ઇચ્છાને પ્રતિબિંબિત કરે છે. તપાસ એજન્સીને મોકલવામાં આવેલા ઈમેલમાં સીએમ હેમંત સોરેને આરોપ લગાવ્યો હતો કે તેમને સમન્સ જારી કરવું ‘સંપૂર્ણપણે ખેદજનક અને કાયદા દ્વારા આપવામાં આવેલી સત્તાનો દુરુપયોગ છે.’

સીએમ સોરેને રવિવારે મોકલેલા ઈમેલમાં જણાવ્યું હતું કે, “કોર્ટમાં ઉપલબ્ધ કરાવવા માટે 20 જાન્યુઆરીએ મારી સાત કલાકની પૂછપરછનું વીડિયો રેકોર્ડિંગ સેવ કરો.” ઝારખંડ મુક્તિ મોરચા 27 જાન્યુઆરીની રાત્રે રાંચીથી દિલ્હી માટે રવાના થઈ હતી. (JMM) નેતા હેમંત સોરેને એજન્સીને એક ઈમેલ મોકલ્યો છે જેમાં તેઓ 31 જાન્યુઆરીએ તેમના રાંચીના નિવાસસ્થાને બપોરે 1 વાગ્યે ED તપાસકર્તાઓ દ્વારા પૂછપરછના નવા રાઉન્ડ માટે સંમત થયા છે.

RJD ચીફ લાલુ પ્રસાદ યાદવની ED દ્વારા 9 કલાક ચાલી પૂછપરછ

આરજેડી ચીફ લાલુ યાદવની EDની પૂછપરછ સમાપ્ત થઈ ગઈ છે. EDએ તેમને નવ કલાકથી વધુ સમય સુધી પ્રશ્નો પૂછ્યા. પૂછપરછ દરમિયાન આરજેડી સાંસદ અને તેમની પુત્રી માસી ભારતી સહિત ઘણા નેતાઓ અને કાર્યકર્તાઓ ત્યાં ઉભા રહ્યા હતા. આ તપાસ લેન્ડ ફોર જોબ કૌભાંડમાં કરવામાં આવી છે. તપાસના સમય પર સવાલો ઉઠી રહ્યા છે. રવિવારે (28 જાન્યુઆરી) નીતીશ કુમારે બિહારમાં મહાગઠબંધનથી અલગ થયા બાદ નવમી વખત સીએમ તરીકે શપથ લીધા હતા. બીજા દિવસે 29 જાન્યુઆરીએ પૂર્વ સીએમ લાલુ યાદવ પટનામાં ED સમક્ષ હાજર થયા હતા. મંગળવારે 30 જાન્યુઆરીએ EDએ તેજસ્વી યાદવને પૂછપરછ માટે બોલાવ્યા છે. તેજસ્વી યાદવ લાલુ યાદવના પુત્ર છે અને મહાગઠબંધન સરકારમાં ડેપ્યુટી સીએમ હતા.

પુત્રી રોહિણી આચાર્યએ ED પર નિશાન સાધ્યું

લાલુ યાદવની પુત્રી રોહિણી આચાર્યએ કહ્યું કે જો પિતાને કંઈ થશે તો તેના માટે ED અને CBI જવાબદાર રહેશે. તમને જણાવી દઈએ કે લાલુ યાદવનું વર્ષ 2022માં કિડની ટ્રાન્સપ્લાન્ટ થયું હતું. તેમની પુત્રી રોહિણી આચાર્યએ તેમની કિડનીનું દાન કર્યું હતું.