Home Blog Page 2083

‘બાબરી મસ્જિદ હતી, છે અને રહેશે… બાબરી મસ્જિદ ઝિંદાબાદ’ : ઓવૈસી

ઓલ ઈન્ડિયા મજલિસ ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ રામ મંદિરના નિર્માણ અંગે લોકસભામાં ચર્ચામાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે પીવી નરસિમ્હા રાવ અને લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવા પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, શિવસેના (શિંદે જૂથ)ના સાંસદે પોતાના ભાષણમાં કહ્યું કે જ્યારે 6 ડિસેમ્બરે બાબરી મસ્જિદ શહીદ થઈ રહી હતી, ત્યારે પૂર્વ વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવ પૂજા કરી રહ્યા હતા. ભાજપનો સહયોગી પક્ષ કહી રહ્યો છે કે નરસિમ્હાએ કહ્યું કે મને ખલેલ પહોંચાડશો નહીં, હું. હું પૂજા કરું છું. ઓવૈસીએ કહ્યું કે જે વ્યક્તિ શહીદ થઈ ત્યારે મસ્જિદમાં ઈબાદત કરી રહ્યો હતો અને જે વ્યક્તિએ મસ્જિદ તોડવા માટે રથયાત્રા કાઢી, કેન્દ્ર સરકારે બંને લોકોને ભારતના સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત કર્યા. તે કહે છે કે ન્યાય જીવંત છે કે જુલમ કાયમી છે.

અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે

AIMIM સાંસદે કહ્યું કે જ્યારે વડાપ્રધાન અહીં જવાબ આપશે ત્યારે શું તેઓ લોકોના પીએમ તરીકે નિવેદન આપશે કે હિન્દુત્વના નેતા તરીકે બોલશે. તેમણે કહ્યું, મારું દિલ કહે છે કે અયોધ્યામાં એક મસ્જિદ હતી, ત્યાં એક મસ્જિદ છે અને હંમેશા મસ્જિદ રહેશે. બાબરી મસ્જિદ ઝિંદાબાદ !”

લોકસભાએ મસ્જિદ તોડી પાડવાની નિંદા કરી

તેમણે કહ્યું, “16 ડિસેમ્બર, 1992ના રોજ, લોકસભાએ એક ઠરાવ પસાર કર્યો હતો. કહેવામાં આવ્યું હતું કે આ ગૃહ અયોધ્યામાં બાબરી મસ્જિદ તોડવાની ઘટનાની નિંદા કરે છે, જેણે દેશમાં હિંસા ભડકાવી હતી અને દેશની ધાર્મિક તટસ્થતાને નુકસાન પહોંચાડ્યું હતું.” આજે મોદી સરકાર 6 ડિસેમ્બરની ઘટનાની ઉજવણી કરી રહી છે.

મંદિર તોડીને મસ્જિદ નથી બની

ઓવૈસીએ સુપ્રીમ કોર્ટને ટાંકીને કહ્યું કે કોર્ટે ASI રિપોર્ટને ફગાવી દીધો. કોર્ટે કહ્યું કે બાબરી મસ્જિદ મંદિર તોડીને બનાવવામાં આવી નથી. તેમણે સવાલ કર્યો કે સરકાર એક સમુદાયની સરકાર છે કે એક ધર્મની. તેણે વધુમાં કહ્યું, “હું મર્યાદા પુરૂષોત્તમ રામનું સન્માન કરું છું અને નાથુરામ ગોડસેને નફરત કરું છું, કારણ કે તેણે એક વ્યક્તિને ગોળી મારી હતી જેના મોંમાંથી છેલ્લા શબ્દો ‘હે રામ’ નીકળ્યા હતા.”

EPFOએ 2023-24 માટે EPF પર 8.25 ટકા વ્યાજદર નક્કી કર્યા

નવી દિલ્હીઃ એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO)એ વર્ષ 2023-24 માટે કર્મચારી પ્રોવિડન્ટ ફંડ (EPF) જમા રકમ પર વ્યાજદર 8.25 ટકા નક્કી કર્યા છે, જે પાછલા ત્રણ વર્ષમાં સૌથી વધુ છે. EPFOએ માર્ચ 2023માં EPF પર વ્યાજદરને મામૂલી વધારીને 8.15 ટકા કર્યા હતા, જે 2021-22માં 8.10 ટકા હતા.

જેથી હવે PF ખાતાધારકોને નાણાકીય વર્ષ 2023-24 માટે તેમના PF નાણાં પર 8.25 ટકાના દરે વ્યાજ મળશે. EPFOએ માર્ચ, 2022માં વર્ષ 2021-22 માટે EPF પર વ્યાજદર ઘટાડીને 8.1 ટકા કરી દીધો હતો, જે ચાર દાયકામાં સૌથી ઓછો હતો. EPFOના ટ્રસ્ટી મંડળની આ 235મી બેઠક છે. CBT મીટિંગના એજન્ડામાં વ્યાજ દરોનો સમાવેશ થાય તેવી અપેક્ષા છે. PF પરના વ્યાજદરમાં અમુક અંશે વધારો કરી શકે છે. જો આમ થશે તો લાખો નોકરિયાત લોકોને આ નિર્ણયથી ફાયદો થશે.

CBTના નિર્ણય પછી વર્ષ 2023-24 માટે EPF જમા પર વ્યાજદર સંબંધી નિર્ણયને મંજૂરી માટે નાણાં મંત્રાલયની પાસે મોકલવામાં આવશે. ત્યાર બાદ વ્યાજ ખાતાધારકોના ખાતાંમાં જમા કરવામાં આવશે.

હાલમાં EPFOના છ કરોડથી વધુ ગ્રાહકો છે. ખાસ કરીને પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરતા લોકો માટે EPFOમાં જમા કરવામાં આવેલા પૈસા સૌથી મોટી સામાજિક સુરક્ષા છે. દર મહિને PFના નામે ખાનગી ક્ષેત્રના કર્મચારીઓના પગારમાંથી એક નિશ્ચિત હિસ્સો કાપવામાં આવે છે. પીએફમાં યોગદાન એમ્પ્લોયર દ્વારા કરવામાં આવે છે. નોકરી ગુમાવવા, બાંધકામ અથવા મકાન ખરીદવા, લગ્ન, બાળકોના શિક્ષણ અથવા નિવૃત્તિના કિસ્સામાં કર્મચારીઓ પીએફના નાણાં ઉપાડી શકે છે.

 

 

 

 

 

 

 

 

એક્ટર મિથુન ચક્રવર્તી છાતીમાં દુખાવો થતાં હોસ્પિટલમાં દાખલ

કોલકાતાઃ બોલીવૂડ એક્ટર મિથુન ચક્રવર્તીને શહેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એક્ટરને છાતીમાં દુખાવો અને બેચેની મહેસૂસ થતી હતી. ત્યાર બાદ તેમને તત્કાળ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ફેન્સ તેના ઠીક થવાની પ્રાર્થના કરી રહ્યા છે.

મિથુન ચક્રવર્તી 73 વર્ષના છે. શનિવારે સવારે અચાનક તેમને છાતીમાં દુખાવો ઊપડ્યો હતો. તેમની તબિયત બગડતાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમની સારવાર કરવામાં આવી રહી છે. મિથુનને હાલમાં જ પદ્મભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પદ્મ ભૂષણ મળતાં તેમણે ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે હું સૌનો દિલથી આભાર માનું છું. મેં ક્યારેય મારા માટે કશું માગ્યું નથી.વગર માગે કંઈક મળવાની ખુશી વધુ હોય છે. આ બહુ અદભુત અહેસાસ છે. મને બહુ સારું લાગી રહ્યું છે. આટલો પ્રેમ અને સન્માન આપવા માટે આપ સૌનો આભાર. હું આ એવોર્ડ મારા ફેન્સને ડેડિકેટ કરી રહ્યો છું. આ એવોર્ડ વિશ્વના ફેન્સ માટે છે, જેમણે મને નિઃસ્વાર્થ પ્રેમ આપ્યો છે. મારો આ એવોર્ડ શુભચિંતકોને જાય છે.  

વર્ષ 2023માં મિથુન સુમન ઘોષની સુપરહિટ બંગાળી ફિલ્મ ‘કાબુલીવાલા’માં જોવા મળ્યા હતા. વર્ષ 2022માં તેમણે વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’માં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં નિવૃત્ત IAS ની ભૂમિકા ભજવવા માટે તેમને શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

‘દોસ્તાના’ માં વિનોદના સ્થાને શત્રુધ્ન આવ્યા

શત્રુધ્ન સિંહાએ પોતાના દમદાર અભિનયથી ‘દોસ્તાના’ ની જાન વગરની ગણાતી ભૂમિકાને ન્યાય આપ્યો હતો. અસલમાં નિર્માતા યશ જોહરની ફિલ્મ ‘દોસ્તાના’ માં પહેલાં અમિતાભ બચ્ચન – વિનોદ ખન્નાની જોડી નક્કી થઈ હતી. ‘નવકેતન ફિલ્મ્સ’ માં નિર્માણ સંબંધી કામ સંભાળતા યશ જોહરને દેવ આનંદે પોતે રાજકારણમાં રસ લઈ રહ્યા હતા તેથી જાતે ફિલ્મનું નિર્માણ કરવાનું સૂચવ્યું હતું. ત્યારે યશ જોહરે ‘ધર્મા પ્રોડકશન્સ’ ની સ્થાપના કરીને પહેલી ફિલ્મ ‘દોસ્તાના’ બનાવવાનું આયોજન કર્યું હતું. તેઓ ફિલ્મનું નિર્દેશન દેવના ભાઈ વિજય આનંદને સોંપવા માગતા હતા પણ ‘રામ બલરામ’ અને ‘રાજપૂત’ માં વ્યસ્ત હોવાથી રાજ ખોસલાને પસંદ કર્યા હતા.

સલીમ- જાવેદની સ્ક્રીપ્ટ મુજબ ફિલ્મમાં હીરો તરીકે અમિતાભ- વિનોદ પસંદ થયા હતા. જ્યારે રાજે સ્ક્રીપ્ટ વાંચી ત્યારે એમને ખ્યાલ આવ્યો કે વિનોદ ખન્નાની પસંદગી વાર્તા પ્રમાણે યોગ્ય નથી. ત્યારે વિનોદ એમની જ ફિલ્મો મેરા ગાંવ મેરા દેશ, કચ્ચે ધાગે વગેરેથી સ્ટાર બની ચૂક્યા હતા. અને એમની વચ્ચે દોસ્તી હતી. એમણે માન્યું કે આ એક પ્રણયત્રિકોણની વાર્તા છે. અને ઝીનત અમાન વિનોદ ખન્ના જેવા હેન્ડસમ હીરોને છોડીને અમિતાભ પાસે જાય એ વાત પચાવી શકાય એવી ન હતી. તેથી બીજો હીરો દેખાવમાં અમિતાભથી કમ હોવો જોઈએ. રાજે યશ સાથે વાત કરી અને વિનોદના સ્થાને શત્રુધ્ન સિંહાને પસંદ કર્યા હતા. રાજે શત્રુધ્ન માટે દમદાર દ્રશ્યો તૈયાર કરાવ્યા જેથી ભૂમિકા નબળી ના રહી જાય. શત્રુધ્નએ પણ અમિતાભ સાથેના દ્રશ્યોમાં એવો અભિનય આપ્યો કે યાદગાર ફિલ્મ બની ગઈ. શત્રુધ્નની સેટ પર મોડા આવવાની આદત હતી.

બીજી તરફ અમિતાભ સમયના પાબંદ હતા. પણ રાજ ખોસલાએ થોડો વધુ સમય લઈને પણ બંને વચ્ચે સાયુજ્ય સાધીને ફિલ્મ પૂરી કરી હતી. છેલ્લા દિવસના શુટિંગમાં શત્રુધ્ન મોડા આવ્યા હતા. એ એમના મેકઅપમેન પ્રસાદના અવસાનથી દુ:ખી હતા. અને આવતા ન હતા. પણ સેટ તોડી નાખવાનો દિવસ આવી ગયો હોવાથી ફરજિયાત આવવું પડ્યું હતું. ત્યારે રાજને ચિંતા હતી કે રિહર્સલ વગેરેમાં ઘણો સમય જવાનો છે. અને અમિતાભની એ છેલ્લી તારીખ હતી. શત્રુધ્ન પોતાના સંવાદ તૈયાર કરીને આવ્યા હતા એટલે રાજને ટેક લેવા કહી દીધું હતું. બધાને નવાઈ લાગી કે રિહર્સલ વગર કેવી રીતે ટેક કરી શકાય. પણ રાજને શત્રુધ્નમાં વિશ્વાસ હતો. એમણે સીધું શુટિંગ શરૂ કરાવી દીધું. બધાના આશ્ચર્ય વચ્ચે શત્રુધ્નએ ફિલ્મના સૌથી મહત્વના અમિતાભ સાથેના એ દ્રશ્યને એક જ ટેકમાં પૂરું કરી આપ્યું. શત્રુધ્નએ વધુ એક ટેક લેવાનું સૂચન કર્યું પણ અમિતાભે એમ કહીને ના પાડી દીધી કે આનાથી વધારે સારું થઈ શકશે નહીં.

રાશિ ભવિષ્ય 10/02/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજના દિવસે સાવચેતી રાખવી, ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા, આંખ, હાડકા ની તકલીફથી સાચવવું, વાર્તાલાપમાં ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, ખરીદી પાછળકે ફરવામાં ધાર્યા કરતા વધુ નાણા ખર્ચાય અને તેનો થોડો અજંપો તમારી શાંતિને ખલેલ પોહ્ચાડી શકે છે.


આજનો દિવસ સારી રીતે પસાર થાય કારણકે તમને ઉત્સાહ રહે તેવા સંજોગો બને અને નવીનકામનું આયોજન થાય, જુનામતભેદ ભૂલવાની તક મળે, ધાર્મિકકાર્ય હેતુ ક્યાક મુસાફરી થાય અને તેમાં તમને ખુશીની લાગણી અનુભવાય, તમે કોઈને મદદ કરવાની સદભાવના રાખો તેવું બની શકે.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સારી રીતે સમય પસાર થાય, ક્યાંક બિનજરૂરી નાણાકીય ખર્ચ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય, હરવાફરવામાં ઉત્સાહ સારો જોવા મળે, માર્કેટિંગક્ષેત્રમાં તમારા પરિચિતકે જુનાસંપર્ક દ્વારા તમને તમારા કામમાં સારો પ્રતિસાદ જોવા મળી શકે છે.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો ખાસ કરીને વાદવિવાદથી દુર રહેવું જરૂરી છે જેથી ખોટો અજંપો ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું, પાડવા,વાગવા,કફ,છાતી,પ્રેસરજેવી તકલીફથી સાચવવું, માર્કેટિંગક્ષેત્રમાં મહેનત કરતા ઓછું ફળ મળે તેવું બની શકે છે, વેપારમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.


આજનો દિવસ સામાન્ય છે, કામકાજમાં થોડી વ્યસ્તતા જોવા મળી શકે છે, મનમાં થોડી અશાંતિ જોવા મળી શકે છે, સરકારીકામ,યુનિફોર્મવાળી નોકરી,સોનાઝવેરાત,ફાર્મા જેવા ક્ષેત્રમાં કામકરનારને માનસિકથાકની લાગણી અનુભવાય. માર્કેટિંગક્ષેત્રમાં તમને સમયનો વ્યય વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસ સારી રીતે પસાર થઇ શકે છે અને જો જુના કામની કોઈ ગુંચ પડેલી હોયતો તેને ઉકેલી શકાય તેવા યોગ બની શકે છે, તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય કે તેમાં તમને કોઇ મદદ કરતા મળે તેવું પણ બની શકે છે, વેપારમાં યોગ્ય ગણતરીપૂર્વક કામકાજ કરવાથી લાભ થઈ શકે છે.


આજનો દિવસ તમારે સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે , વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, હિતશત્રુ અને ખટપટી લોકોથી દુર રહેવાની જરૂર છે , ક્યાય કોઇપણ બાબતની મિલનમુલાકાત કરવાની હોય તે દરમિયાન વાર્તાલાપમાં ધ્યાન આપવું કે જેથી કોઇપણ પ્રકારની ગેરસમજ ટાળી શકાય.


આજનો દિવસ સરસ છે અને તેમાં પણ જો કોઈ જૂનીઓળખાણ તાજી થાયતો તમારી ખુશી અને લાગણીમાં ખુબજ વધારો થાય, તમારા કોઈકામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય. વેપારમાં લાભની વાત સંભાળવા મળી શકે છે. પ્રિયજન તરફથી સારો આદરભાવ જોવા મળે અને ક્યાંક નાનાઅંતરની યાત્રા પણ થઈ શકે.


આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવું જેથી બિનજરૂરી વિવાદ ટાળી શકાય, યુવાવર્ગ માટે મશ્કરીમજાક જેવી બાબતથી દુર રહેવાની સલાહ છે. વેપારમાં કોઈ મોટાનિર્ણય લેતા પહેલા વાતને ચકાસવી યોગ્ય કહી શકાય.


આજનો દિવસ સારો છે, તમને તમારા કામકાજમાં ઉત્સાહ સારો રહે, ક્યાંક મુસાફરી થઈ શકે છે, તમારા ધાર્યા કામ થઇ શકે તેવા યોગ પણ છે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો યોગ્ય છે, પ્રિયજન સાથે કોઈ ખરીદીકે ફરવાના પ્રસંગ બને અને તેમાં તમને સારી લાગણીનો અનુભવ થાય.


આજનો દિવસ સામાન્ય છે, તમારા કામમાં વ્યસ્ત વધુ રહેવાય તેવા સંજોગો બની શકે છે, જુના કોઈ કામમાં અટવાવતો તેમાં જલ્દીથી ઉકેલન આવે અને સમયનો વ્યય થાય તેવું બની શકે છે, માનસિક થાકની લાગણી તમે વધુ અનુભવો. વેપારમાં નાનું કામ કરવું યોગ્ય છે.


આજનો દિવસ સામાન્ય છે, તમારા મિત્રો સાથે કામની કોઈ લાભકારી ચર્ચા થાય અને તેમાં તમારી ગણતરી મુજબ કામ થાય તેવું બની શકે છે, મુસાફરી થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં રેફરન્સથી કામ કરોતો લાભ થાય, આજે તમારામાં ધાર્મિકભાવના સારી રહે અને કોઈક જાત્રા કરવા જવાના વિચાર વધુ જાગે.

કોરાનાના 159 નવા કેસો, બેનાં મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 159 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે બે જણનાં મોત થયાં છે.  દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,26,612 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

 દેશનાં કેટલાંય રાજ્યોમાં શીતલહેરનો પ્રકોપ જારી છે, ત્યારે કોરોના વાઇરસ પણ પ્રસરી રહ્યો છે. કોવિડના નવા વેરિયેન્ટ JN.1એ સૌથી વધુ ટેન્શન વધાર્યું છે. અત્યાર સુધી 18 રાજ્યોમાં નવા વેરિયેન્ટના કેસ નોંધાયા છે.  કોરોનાના નવા વેરિયેન્ટ JN.1ના દેશમાં અત્યાર સુધી સૌથી વધુ 2083 દર્દી મળી ચૂક્યા છે.દેશમાં અત્યાર સુધી 5,33,461 લોકોનાં મોત થયાં છે.

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,92,440 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 143 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 874 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,67,88,399 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 641 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

 

 

 

 

લચ્છા પ્યાઝ પરોઠા

પંજાબી ઘરોમાં અવારનવાર બનતા લચ્છા પરોઠા કે લચ્છા પ્યાઝ પરોઠા આપણે સ્વાદીયા ગુજરાતીઓએ પણ બનાવવા જેવા છે! કારણ કે, તે બનાવવા સહેલા તો છે જ. વળી, ગરમાગરમ ખાવામાં તો બહુ જ ભાવે તેવા છે!

સામગ્રીઃ

  • કાંદા 2-3
  • લીલાં મરચાં 3-4
  • કોથમીર ધોઈને સમારેલી ½ કપ
  • અજમો ½ ટી.સ્પૂન
  • લાલ મરચાં પાઉડર ½ ટી.સ્પૂન
  • જીરૂ પાઉડર 1 ટી.સ્પૂન
  • આમચૂર પાઉડર 1 ટી.સ્પૂન
  • મીઠું સ્વાદ મુજબ
  • ઘઉંનો લોટ 1½ કપ

રીતઃ કાંદા લાંબી પાતળી સ્લાઈસમાં સમારી લો. એક બાઉલમાં તેને લઈ તેમાં ઝીણાં સમારેલાં લીલાં મરચાં, કોથમીર મેળવી દો. લાલ મરચાં પાઉડર, જીરૂ પાઉડર, આમચૂર પાઉડર, મીઠું સ્વાદ મુજબ, અજમો પણ મેળવી દો.

ઘઉંનો લોટ રોટલી માટે બાંધી લો. લોટમાંથી એક લૂવો લઈ તેની રોટલી વણી લો. આખી રોટલી પર કાંદાનું મિશ્રણ ફેલાવી દો. એક કટરથી રોટલીની લાંબી સ્ટ્રીપ કટ કરી લો અને બધી પટ્ટી એક ઉપર એક ગોઠવીને રોલ વાળી લો. આ વાળેલા રોલ (લૂવા) ઉપર થોડી કોથમીર ભભરાવીને ફરીથી તેનું પરોઠું વણીને તવા ઉપર ઘી અથવા તેલ નાખીને શેકી લો.

બીજી રીતે પરોઠું વણવા માટે ઘઉંની મોટી રોટલી વણી લો. તેની ઉપર કાંદાનું મિશ્રણ ફેલાવી દીધા બાદ તેનો રોલ વાળી લો. આ લાંબા રોલને ચકરી આકારમાં વાળીને ગોઠવી દો. એના ઉપર અટામણ ભભરાવી થોડો પ્રેસ કરી, ઉપર થોડી કોથમીર ભભરાવી હળવે હાથે વેલણથી વણી લો. ત્યારબાદ તવા ઉપર ઘી અથવા તેલ નાખીને શેકી લો.

આ પ્યાઝ પરોઠા ચા અથવા ટોમેટો કેચ-અપ સાથે સારાં લાગશે.

૧૦ ફેબ્રુઆરી, ૨૦૨૪

પંચાંગ 10/02/2024

SVPI એરપોર્ટે 10 મિલિયન પેસેન્જરનો માઇલસ્ટોન હાંસલ કર્યો

અમદાવાદઃ ચાલુ નાણાકીય વર્ષમાં સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે (SVPI) આઠ ફેબ્રુઆરી સુધીમાં 10 મિલિયનથી વધુ મુસાફરોને સેવા આપી નોંધપાત્ર સીમાચિહ્નને પાર કર્યું છે. આ નોંધપાત્ર સિદ્ધિ ગત વર્ષની સરખામણીમાં 50-દિવસ વહેલા મળી છે. અગાઉ 29 માર્ચ, 2023એ 10 મિલિયન પેસેન્જર્સનો આંકડો પહોંચ્યો હતો.

SVPI એરપોર્ટ હવે સરેરાશ 240 થી વધુ દૈનિક ફ્લાઇટ મુવમેન્ટની સુવિધા આપે છે અને તેના બે ટર્મિનલ દ્વારા 32,000 સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મુસાફરોને પૂરી સેવા પાડે છે. જનરલ એવિયેશન ટર્મિનલે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ, G20, U20 અને વર્લ્ડ કપ મેચો જેવી મોટી ઈવેન્ટ્સને સેવા આપવામાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, જે રેકોર્ડ પેસેન્જર સંખ્યામાં ફાળો આપે છે.

તાજેતરમાં કરાયેલાં વિકાસ કાર્યો:

  • નવો પ્રસ્થાન સ્થળાંતર અને વિસ્તૃત આગમન વિસ્તાર
  • આંતરરાષ્ટ્રીયથી આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર સુવિધા
  • ઇન્ટરનેશનલ ટર્મિનલ પર FASTag પ્રવેશ અને નિકાસ
  • ઈ-ગેટની સ્થાપના, સેલ્ફ-બેગેજ ડ્રોપ સુવિધા અને ડિજી યાત્રા પ્રવેશ
  • વિસ્તૃત સુરક્ષા હોલ્ડ એરિયા અને બસ બોર્ડિંગ ગેટ
  • ડોમેસ્ટિક-ટુ-ડોમેસ્ટિક ટ્રાન્સફર સુવિધા
  • બહુવિધ લેન સાથે ઉન્નત પિકઅપ અને ડ્રોપ-ઓફ પોઈન્ટ
  • સમર્પિત પરિવહન બુકિંગ ઝોન
  • લેન્ડસાઇડ અને ડોમેસ્ટિક ટર્મિનલની અંદર નવા ફૂડ અને રિટેલ આઉટલેટ્સ

એરપોર્ટે 20 નવેમ્બર, 2023એ 42,224 મુસાફરોને સેવા આપી હતી, જ્યારે 19 નવેમ્બરે 40,801 મુસાફરો અને 18 નવેમ્બરે 38,723 મુસાફરોએ મુસાફરી કરી હતી. 19 નવેમ્બર, 2023એ 359 ફ્લાઇટ મુવમેન્ટ સાથે સમાન સમયગાળામાં સૌથી વધુ ફ્લાઇટ મુવમેન્ટ રેકોર્ડ કરવામાં આવી હતી.

SVPI એરપોર્ટે પેસેન્જર ટ્રાફિકમાં ઝડપી વધારો થવા છતાં સીમલેસ મુસાફરીના અનુભવને પ્રાથમિકતા આપી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણને કારણે છેલ્લાં ત્રણ વર્ષમાં સ્થાનિક ટર્મિનલના વિસ્તારમાં 9000 ચોરસ મીટર અને આંતરરાષ્ટ્રીય ટર્મિનલના વિસ્તારમાં 10,000 ચોરસ મીટરનો વધારો થયો છે, જેમાં અનેક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.

 હાલ સરદાર વલ્લભભાઈ એરપોર્ટ ઈન્ટરનેશનલ એરપોર્ટ 42 સ્થાનિક સ્થળોને સાત એરલાઈન્સ સાથે અને 15 ઈન્ટરનેશનલ ડેસ્ટિનેશનને 18 એરલાઈન્સ સાથે જોડે છે. જે પ્રવાસીઓને અનેક કનેક્ટિવિટીના વિકલ્પો આપે છે.