નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 144 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે બે જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,27,898 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.
દેશનાં કેટલાંય રાજ્યોમાં શીતલહેરનો પ્રકોપ જારી છે, ત્યારે કોરોના વાઇરસ પણ પ્રસરી રહ્યો છે. કોવિડના નવા વેરિયેન્ટ JN.1એ સૌથી વધુ ટેન્શન વધાર્યું છે. અત્યાર સુધી 18 રાજ્યોમાં નવા વેરિયેન્ટના કેસ નોંધાયા છે. કોરોનાના નવા વેરિયેન્ટ JN.1ના દેશમાં અત્યાર સુધી સૌથી વધુ 2083 દર્દી મળી ચૂક્યા છે.દેશમાં અત્યાર સુધી 5,33,472 લોકોનાં મોત થયાં છે.
દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,93,586 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 161 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 840 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.
દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 220,67,90,807 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 795 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.



દિલીપકુમાર સાથેના કેટલાક પ્રસંગ પરથી જાણી શકાય એમ છે. દિલીપકુમાર મોટા સ્ટાર હોવાથી બીજા નિર્દેશકોને સલાહ- સૂચન આપીને સંવાદ અને પટકથામાં ફેરફાર કરાવતા રહેતા હતા પણ કે. આસિફની સાથે કામ કરતી વખતે એમની દલીલ સામે ચૂપ થઈ જતા હતા. એમની સામે દિલીપકુમારનું કંઇ ચાલતું ન હતું. એક વખત સલીમ તરીકે ચાલીને દિલીપકુમારે જોધાબાઈના મહેલ સુધી જવાનું હતું. કેમેય કરીને આ શૉટ ઓકે થઈ રહ્યો ન હતો. એમાં કલાકો નીકળી ગયા હતા. સાંજે સાડા સાત વાગે શુટિંગ શરૂ થયું હતું અને સવારે ચાર વાગ્યા સુધી અનેક વખત રિટેક કરાવ્યા પછી પણ ફાઇનલ થયું નહીં.











અભિવ્યક્તિ – ધ સિટી આર્ટસ પ્રોજેક્ટ – ટોરેન્ટ ગ્રુપના મહેતા પરિવાર સંચાલિત UNM ફાઉન્ડેશનની એક આગવી પહેલ છે, જે વડોદરામાં પોતાની આગવી શૈલીમાં નૃત્ય, સંગીત અને નાટકોની ધમાકેદાર રજૂઆત સાથે પુનરાગમન કરી રહ્યું છે, ગયા વર્ષે વડોદરામાં પોતાની પ્રથમ ઈવેન્ટને સફળતાપૂર્વક સંપન્ન કર્યા બાદ અભિવ્યક્તિની બીજી આવૃત્તિનું આગામી 17મી અને 18મી ફેબ્રુઆરી, 2024એ આયોજન કરવામાં આવી રહ્યું છે. પ્રથમ દિવસે એટલે કે 17મી ફેબ્રુઆરીએ પ્રદર્શનમાં “પ્રમથ” દ્વારા “ગાંડાલાલનું ફુલેકું” નામનું નાટક રજૂ કરવામાં આવશે. એ સાથે જ જયેશ અને નંદિની દ્વારા “પલ્સ ઓફ ધ ક્રાઉડ” નામનું નૃત્ય પ્રદર્શન દર્શકો સમક્ષ રજૂ કરવામાં આવશે, બીજા દિવસે, એટલે કે 18મી ફેબ્રુઆરીએ મુક્ત બેન્ડ દ્વારા “ધ અનહર્ડ” અને કવિશ શેઠ દ્વારા “સ્વવિધાન” નામના સંગીતમય પ્રદર્શન રજૂ કરવામાં આવશે. આ તમામ પ્રદર્શનનું આયોજન “એલેમ્બિક આર્ટ ડિસ્ટ્રિક્ટ, વડોદરા”માં યોજાશે અને તમામ લોકો માટે પ્રવેશ નિઃશુલ્ક રહેશે.




