નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 167 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,28,732 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.
દેશનાં કેટલાંય રાજ્યોમાં શીતલહેરનો પ્રકોપ જારી છે, ત્યારે કોરોના વાઇરસ પણ પ્રસરી રહ્યો છે. કોવિડના નવા વેરિયેન્ટ JN.1એ સૌથી વધુ ટેન્શન વધાર્યું છે. અત્યાર સુધી 18 રાજ્યોમાં નવા વેરિયેન્ટના કેસ નોંધાયા હતા. કોરોનાના નવા વેરિયેન્ટ JN.1ના દેશમાં અત્યાર સુધી સૌથી વધુ 2083 દર્દી મળી ચૂક્યા છે. છત્તીસગઢમાં છેલ્લા 24 કલાકમાં આઠ નવા કેસ મળ્યા છે.દેશમાં અત્યાર સુધી 5,33,476 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,94,390 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 159 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 866 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.
દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 220,68,01,009 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 988 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.


અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો
૨૩ ફેબ્રુઆરી, ૨૦૨૪
જાણ્યા બાદ વિચાર બદલાઈ શકે. જો વ્યક્તિ કોઈને પ્રેમ કરતી હોય અને એ વ્યક્તિ આવું કરે તો ગમે. પણ કોઈ નકારાત્મક માણસ આવું કરે તો? તો ડર લાગે. જો કોઈ સુરક્ષા સાથે જોડાયેલી વ્યક્તિ આવું કરે તો? તો વિચાર આવે કે આવું શું કામ કરે છે. જો કોઈ પંચાત કરનાર આવું કરે તો? તો ગુસ્સો આવે? એક જ પરિસ્થિતિ છે પણ દરેક વખતે એની સાથે જોડાયેલી લાગણીઓ બદલાઈ જાય છે. તેથી જ દરેક ક્ષણ અલગ હોય છે. અને દરેક વાત પરિસ્થિતિ આધારિત હોય છે. એ સમજણ કેળવવી ખુબ જ જરૂરી છે.


કહેવાય છે કે મનુષ્ય પોતાના ભવિષ્યને નક્કી કરનાર પોતે જ છે. અગાઉના કર્મો જે થઈ ગયા તે આપણા હાથમાં નથી પરંતુ નવા કર્મો કરવું તે આપણા હાથમાં છે. માટે જ જે આપણા હાથમાં છે તેને સુધારી લઈએ. એવા કર્મો ન કરીએ કે જેનું ફળ દુઃખના રૂપમાં ભોગવવું પડે. જ્ઞાની વ્યક્તિ જો પાપ કર્મ કરે છે તો તેને 100 ઘણો દન્ડ ભોગવવો પડે છે.




