નવી દિલ્હીઃ રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસી કમિટી (MPC)એ સતત આઠમી વાર રેપો રેટમાં કોઈ ફેરફાર નહોતો કર્યો. બેન્કે રેપો રેટ 6.5 ટકા યથાવત્ રાખ્યો હતો. છ સભ્યોવાળી કમિટીએ 4:2ના બહુમતથી વ્યાજદરોમાં કોઈ પણ પ્રકારનો નિર્ણય લીધો નહોતો. રેપો રેટમાં બદલાવ નહીં થવાથી ગ્રાહકો પર EMIનો કોઈ બોજ નહીં વધે અને બેન્કોની લોનના વ્યાજદર પણ વધશે નહીં. આ પહેલાં RBIએ મે,2022થી ફેબ્રુઆરી 2023ની વચ્ચે રેપો રેટમાં 2.50 ટકાનો વધારો કર્યો હતો અને એને 6.5 ટકાએ પહોંચાડ્યો હતો.
ગવર્નર શક્તિકાંત દાસે વ્યાજદરમાં ઘટાડા બાબતે કહ્યું હતું કે જ્યાં સુધી US ફેડરલ બેન્ક વ્યાજદરમાં કોઈ ફેરફાર નહીં કરે અને અમે સ્થાનિક કારણો પણ ધ્યાનમાં રાખી રહ્યાં છે. ત્યાં સુધી બેન્ક કોઈ વ્યાજદર અંગે નિર્ણય લેશે નહીં.MPCએ કહ્યું હતું કે છૂટક મોંઘવારી દર એક સ્થાયી સ્તરે પહોંચશે, તયાર બાદ વ્યાજદર અંગે નિર્ણય લેવામાં આવશે. હાલ મોંઘવારી દરમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં ઘટાડો થયો છે, પણ એ હજી પણ બેન્કના ચાર ટકાના મિડિયમ સમયમાં લક્ષ્યથી ઉપર છે. એપ્રિલમાં રિટેલ મોંઘવારી દર 10 મહિનાના નીચલા સ્તરે 4.83 ટકા પર છે, જ્યારે આ પહેલાં માર્ચમાં એ 4.85 ટકા પર હતો.
રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં રેપો રેટ જૂના સ્તરે જાળવી રાખ્યો છે. એટલે કે જેઓ બેંકની લોનના EMI ભરે છે તેમના માથે કોઈ નવો બોજ આવશે, નહીં પરંતુ હાલ જે પ્રમાણે EMI ભરી રહ્યા છે તે યથાવત રહેશે, આ સાથે બેંકમાં FD કરાવી છે તેમને રોકાણ પર હાલ જે પ્રમાણે વ્યાજ મળી રહ્યું છે તે યથાવત્ રહેશે.
માનવીને જીતવા માટે શું જોઈએ? હથિયાર? હથિયારોની શોધ થઇ હતી માનવીને મદદ કરવા માટે. પત્થરો તોડીને રસ્તા બનાવવા કે ખેતી કરવામાં સરળતા રહે એના માટે બનેલા હથિયાર હત્યા માટે પણ વપરાવા લાગ્યા. શું એનાથી કોઈ વ્યક્તિ વિશ્વ વિજેતા બની શક્યા? જે લોકો પ્રેમથી વિજેતા બન્યા એમના સંપ્રદાય પણ બન્યા. દરેક વ્યક્તિ ઈચ્છતી હોય છે કે એને કોઈ પ્રેમ કરે અને એ કોઈને પ્રેમ કરે. અલૌકિક પ્રેમની અનુભૂતિ વ્યક્તિના વ્યક્તિત્વને પણ બદલવા સક્ષમ છે. એક એવા વિશ્વની પરિકલ્પના કે જેમાં કોઈ સરહદો ન હોય. બધાજ એક બીજા સાથે એક પરિવારની માફક રહેતા હોય અને માત્ર પ્રેમનું જ સામ્રાજ્ય હોય એ કેટલી અદ્ભુત લાગે છે?
મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને કોઈ સમસ્યા કે સવાલ હોય તો અપ નીચે જણાવેલા ઈમેઈલ પર જરૂર પૂછી શકો છો.
સવાલ: અમારા ઘરના નૈરુત્યમાં ખાડો છે. કોઈએ અમને સમજાવ્યું કે એના કારણે ઘરમાં કંકાસ વધે છે. અમારા ઘરમાં ખુબ કંકાસ છે. કોઈ ઉપાય હોય તો બતાવવા વિનંતી.
જવાબ: ગૃહકંકાસ માટે ઘણા કારણો હોય છે. ભારતીય વાસ્તુ પ્રમાણે પણ માત્ર નૈરુત્યના દોષના લીધે કંકાસ થાય એવું નથી હોતું. નૈરુત્યમાં ખાડો હોય તો તે આર્થિક બાબતોને તથા સ્વાસ્થ્યને અસર કરે છે. વળી કોઈ પણ બાબતને સમજ્યા વિના એનાથી ડરવું ન જોઈએ. ભારતીય વાસ્તુ નીયમો માનવજાતિને મદદ કરવા માટે રચાયા છે. એનાથી ડરવાની જરૂર નથી. કોઈ પણ વાસ્તુને સમજ્યા વિના એના વિશે વાત કરવી અધુરી છે.
સવાલ: કોઈ પાસે વાત સાંભળી છે કે ઈશાનમાં ખાડો શુભ માનવામાં આવે છે. મારા ઘરમાં એ શક્ય નથી. તો શું કરવું જોઈએ?
જવાબ: દરેક ઈશાનમાં ખાડો કરવો જરૂરી ન હોય. વળી ભારતીય વાસ્તુના નિયમોને સમજ્યા વિના કોઈ પણ નિર્ણય ન લેવાય. શાસ્ત્રોમાં વિજ્ઞાન છે. જડતા નહિ. વળી ઈશાનમાં ખાડો હોવો જોઈએ એવી વાત ક્યાંય નથી. જે લોકો ફ્લેટમાં રહે છે એ ઈશાનમાં ખાડો કેવી રીતે કરે? અને પોતાના કમ્પાઉન્ડમાં કોઈ ખાડો શું કામ કરે?
સુચન: ઈશાનમાં પ્લોટનું લેવલ નીચે હોય એ સારું કહેવાય છે.
ખુશ રહેવા માટે જીવનની એક-એક શ્રેષ્ઠ ધારણાને કર્મમાં લાવવી પડે છે. આ ચૂપચાપ મનુષ્યના સંકલ્પ રૂપી ખજાનામાં ઘુસે છે. તથા જેમ ફાવે તેમ લૂંટ મચાવે છે. પરિણામે મનુષ્ય જુએ છે કે તેની પાસે સુખ-શાંતિના બદલે ન ઈચ્છતા હોય તેવી દુ:ખ-અશાંતિ ઉત્પન્ન કરનાર બાબતો આવી ગઈ છે અને ખુશી ગુમ થઈ ગઈ છે. પરંતુ આ અંગે આપને એક વાત બતાવી દઈએ કે જેવી રીતે ખુશીના ખજાનાને લૂંટવાવાળા શત્રુ છે તેવી જ રીતે ખુશીના ખજાનાને ભરવા વાળા મિત્રો પણ છે. આ મિત્ર છે દૈવી ગુણ તથા આધ્યાત્મિક શક્તિઓ. માટે જ ખુશીને એક એવું અત્તર કહેવામાં આવે છે કે જે ગુણો રૂપી ફૂલોમાંથી નીકળેલ વિવિધ રસ રૂપી શ્રેષ્ઠ ભાવો ને મેળવીને તૈયાર કરવામાં આવે છે.
એકવાર એક નવાબ ઘરાનાનો યુવક આશ્રમમાં આવી ગયો. તે યુવકને આશ્રમમાં રહેવાની મંજૂરી મળી ગઈ. તેણે જોયું કે અહીં દરેક વ્યક્તિ કોઈને કોઈ સેવા કાર્ય કરે છે. તેને કામ કરવાની ટેવ ન હતી પરંતુ નિમિત્ત બહેન (ટીચર)ના દર્શન કરીને ગયો તો પોતાની જાતે જ પ્રેરણાના આધારે તેણે પણ પોતાને અનુકૂળ સેવા માંગી લીધી. ટીચર બહેને તેને બીજા દિવસે મળવાનું કહ્યું. બીજા દિવસે તે ઉત્સુકતા સાથે ટીચર પાસે ગયો.
અનુભવી ટીચરે તેનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું ” હંમેશા ખુશ રહો. ” આમ જોઈએ તો આ બહુ જ નાનું કાર્ય લાગે છે પરંતુ ખુશ રહેવા માટે જીવનની એક એક શ્રેષ્ઠ ધારણાને મન-વચન-કર્મમાં લાવવી પડે છે. શ્રેષ્ઠ ધારણાઓ જેવી કે અપેક્ષાઓ થી બચો, અધિકાર તથા કર્તવ્ય નું બેલેન્સ રાખો, સાંભળેલી વાતો પર વિશ્વાસ ન કરો, આનુમાન ન કરો, માફ કરવાની શક્તિ ને વધારો. ત્યાગ, તપસ્યા, સેવા ને મહત્વ આપો. પોતાની ભૂલ ને સ્વીકારો, જીવન એક યાત્રા છે, ઈચ્છાઓના ભારથી તેને વજનદાર ન બનાવો.
જેવી રીતે ખુશ રહેવું જરૂરી છે તેવી જ રીતે બીજાને ખુશી આપવી પણ જરૂરી છે. પરંતુ ધ્યાન રહે કે મર્યાદા તથા ન્યાયની લક્ષ્મણ રેખાને ઓળંગીને જો બીજાને ખુશ કરવાનો પ્રયત્ન કર્યો તો તે ખુશી અંતમાં દુઃખમાં બદલાઈ જશે. એક ઉંમર લાયક વ્યક્તિએ પોતાની નવી પરણીને આવેલ પુત્રવધુને ખુશ કરવાનું શરૂ કર્યું, એવી આશા સાથે કે મારી વૃદ્ધાવસ્થામાં તે મારી દરેક વાત માનશે. તેને ખુશ રાખવા માટે તે પુત્રવધુની યોગ્ય- અયોગ્ય તમામ ઈચ્છાઓ પૂરી કરતો રહ્યો. આના કારણે ઘરના બીજા સભ્યો રિસાઈ ગયા, કારણ કે તેમના અધિકારોને પણ છીનવી લેવામાં આવ્યા. ધીરે ધીરે તેઓ બધા તે વ્યક્તિને છોડીને બીજે જતા રહ્યા.
બધાએ મોં ફેરવી લીધા પછી વૃદ્ધાવસ્થાના કારણે ચીડિયો સ્વભાવ બનવાના કારણે તે વહુ પણ કંટાળવા લાગી. દરરોજ ઘરમાં ઝઘડા થવા માંડ્યા. તે વૃદ્ધ સહયોગ મેળવવાના બીજા દરવાજા તો પહેલેથી જ બંધ કરી ચૂકેલા હતો. વહુ વાળો દરવાજો પણ લગભગ બંધ થવાની અણી પર પહોંચી ગયો. પછી તો આશરા વગરની વ્યક્તિના જીવન જેવું તેનું જીવન બની ગયું. આમ એક પાસેથી છીનવી લઈને બીજાને ખુશ કરવાના પ્રયત્નમાં બંને સાથે મન મોટાવ થઈ જાય છે.
(બી. કે. શિવાની)
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 21 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,38,066 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.
સિંગાપુરમાં ફરી એક વાર કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. અંદાજ છે કે જૂનના મધ્યમમાં કે અંત સુધીમાં સિંગાપુરમાં કોરોના કેસ ચરમસીમાએ પહોંચવાની વકી છે. US સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)ના રિપોર્ટ મુજબ FLiRT (ફ્લિર્ટ) નામ આપવામાં આવ્યું છે. અમેરિકા, સિંગાપુર સહિત અનેક દેશોમાં આ નવા વેરિયેન્ટના કેસોમાં ઝડપી વધારો થયો છે. વધતા સંક્રમણને પગલે સિંગાપુરમાં આરોગ્ય મંત્રાલયે ફરી એક વાર બધા લોકોને માસ્ક પહેરવાની અપીલ કરી છે.
છેલ્લાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી કોરોના સંક્રમણ વૈશ્વિક સ્તરે આરોગ્ય માટે ગંભીર જોખમ બનેલું છે. વર્લ્ડોમીટર કોરોના અપડેટ્સના અનુસાર અત્યાર સુધી વિશ્વમાં 70 કરોડથી વધુ લોકો આ સંક્રમક રોગના શિકાર થઈ ચૂક્યા છે. સંક્રમણ અને એનાં ગંભીર જોખમોને કારણે 70 લાખથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે.
દેશમાં અત્યાર સુધી 5,33,618 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,45,06,152 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 27 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 240 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.
દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 220,68,94,736 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 11 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
આજનો દિવસ સામાન્ય છે, પ્રવાસનું આયોજન થઈ શકે છે તેમાં ઉત્સાહ પણ જોવા મળી શકે , મિત્રોથકી કોઈ લાભની વાત આપ-લે થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમને તમારી મહેનત મુજબ ફળ મળી શકે છે વેપારમાં કામકાજ નાનું અને અનુભવ મુજબજ કામ કરવુ યોગ્ય છે, વિવાહયોગ્ય વાર્તાલાપ સારી રહે.
આજના દિવસે સાવચેતી રાખવી અને તેમાં પણ ગુસ્સાપર કાબુ રાખવો જરૂરી બને છે, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, એલર્જી,ચામડી, લોહીના દર્દીએ તકેદારી રાખવી, વણમાંગી સલાહકે સુચન આજના દિવસે ના આપવા ઈછાનીય છે. વેપારના કામકાજમાં મોટા જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.
આજનો દિવસ તમારા માટે સારો છે તમને ઉત્સાહ, આત્મવિશ્વાસ સારો રહે, મનની ઈચ્છા પૂરી થાય તેવું બનવા જોગ પણ છે, વિદ્યાર્થીવર્ગ માટે વિદ્યાભ્યાસમાં વધુ મહેનત કરવાથી સારું ફળ મળી શકે છે, ગણતરી પૂર્વક કામ કરોતો ધાર્યા કામ વધુ થાય, વેપારના કામકાજમાં લાભ અને નવીનજાણકારીની તક મળે.
આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાત, પ્રવાસ થઈ શકે છે, કોઈ આકસ્મિકનાણાકીય ખર્ચ પણ આવી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં ઓળખાણમાં કામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારના કામકાજમાં નાનું કામ કરવું સલાહ ભર્યું છે, વિવાહયોગ્ય વાર્તાલાપ કોઈના થકી કરવી યોગ્ય કહી શકાય.
આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો સલાહ ભર્યો છે, ખટપટકરનાર વર્ગથી દુર રહેવું જરૂરી છે, ખરીદી કરવાપાછળ બિનજરૂરી ખર્ચ થઇ શકે છે, મુસાફરી થોડી કંટાળાજનક બની શકે છે , વાહન ધીમે ચલાવવું ,ઉશ્કેરાટથી દુર રહેવું, વેપારના કામકાજમાં જોખમન કરવું, શાંતિથી દિવસ પસાર કરવો.
આજનો દિવસ સામાન્ય છે, મનમાં થોડી માનસિકઅશાંતિ અને ઉદ્વેગ રહ્યા કરે, કામકાજમાં સમયનો અણધાર્યો વ્યય થાય, સાંધા, સ્નાયુ, ગેસની તકલીફજે ભોગવતું હોય તેમના માટે થોડી તકેદારી રાખવી જરૂરી છે, વેપારમાં ગણતરીપૂર્વકનુ કામ કરવું યોગ્ય છે, ઉતાવળિયા નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું.
આજનો દિવસ સારો છે, મનમાં રહેલી ઈચ્છા પૂરી થવાની શક્યતા વધુ છે, ગમતાકાર્ય થઈ શકે છે , નવી ઓળખાણ થાય તેમાં પણ તમારી લાગણી ક્યાંક સંતોષાયકે સારીવાતચીત થાય તેવા સંજોગ બની શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારને કોઈ જાણકારી પ્રાપ્ત થાય, વેપારમાં અણધાર્યો લાભ થઈ શકે છે.
આજનો દિવસ થોડી ધીરજ અને સાવચેતી રાખવી યોગ્ય છે, વાહન ધીમે ચલાવવું, નોકરી ધંધામાં પણ વ્યવહારુ અભિગમ રાખવો ફાયદાકારક છે, કોઈપણ પ્રકારના વિવાથી દુર રહેવાની સલાહ છે , બજારમાં કોઈ મોટા જોખમભર્યા કામના કરવા તેમજ કોઈની પણ સાથે દલીલબાજીના કરવી ઇચ્છનીય છે.
આજનો દિવસ તમારા માટે સારો છે, તમને તમારા કામ અને વ્યવહારથી માન મળી શકે છે, કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, ભૂતકાળમાં કરેલ કામની પ્રશંશા થાય અને તમારી લાગણી સંતોષાય તેવું બની શકે છે, નવીઓળખાણથી કોઈ લાભની વાત થઈ શકે છે, વેપારમાં લાભ થાય તેવા સંજોગો ઉભા થાય.
આજનો દિવસ તમાર માટે સાવચેતી અને શાંતિ રાખવાની સલાહ ભર્યો છે, તમારામાં થોડી નિરાશા જોવા મળી શકે છે તેમજ કામ ટાળવા માટેની વૃતિ જાગી શકેછે, ખટપટ કરનારથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, કમર, હાડકા,માથાની તકલીફથી સાચવવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.
આજનો દિવસ તમને સારી આશા અને ઈચ્છા જગાડી શકે તેવો છે, તમારા ધાર્યાકામ થઇ શકે છે તેમજ જો નસીબ સાથ આપેતો ઘણું બધું કાર્ય થઇ શકે. મુસાફરી થઈ શકે છે, માર્કેટિંગ,સલાહકાર,કોમ્પુટર,ધાતુક્ષેત્રમાં કામ કરનારવર્ગને સારું રહે, વેપારમાં લાભ અને નવીન ઓળખાણ થવાના સંજોગો ઉભા થઈ શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, કામમાં ધાર્યા કરતા વધુ સમયનો વ્યય થાય તેવું બની શકે છે, પેટ, આંતરડા, ડાયાબીટીસના દર્દીએ સાચવવું, બેન્કિંગ,વીમા,મેનેજમેન્ટ,સરકારીક્ષેત્રમાં કામ કરનારને માનસિકથાકની લાગણી વધુ જોવા મળી શકે તેવું બની શકે. વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામ જ યોગ્ય છે.
ચંદીગઢ એરપોર્ટ પર CISF કર્મચારીએ અભિનેત્રી કંગના રનૌતને થપ્પડ મારવાના મામલાની રાષ્ટ્રીય મહિલા આયોગે પણ નોંધ લીધી છે. તેમજ CISF કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવી છે અને તેની સામે FIR નોંધવામાં આવી છે. દરમિયાન આ મામલે પંજાબ પોલીસના ડીએસપી એસ સંધુ ચંદીગઢ એરપોર્ટ પહોંચ્યા હતા. કંગના રનૌતની ઘટનાને લઈને CISF ઓફિસર સાથે બેઠક પણ કરી હતી. દરમિયાન અધિકારીઓએ કહ્યું કે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવી છે અને તેની સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. કંગના રનૌત જ્યારે દિલ્હી જઈ રહી હતી ત્યારે તેને કથિત રીતે થપ્પડ મારવામાં આવી હતી.
NCWએ મહિલા જવાન સામે કાર્યવાહીની માંગ કરી
રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષે કહ્યું કે ચંદીગઢ એરપોર્ટ પર નવી ચૂંટાયેલી ભાજપ સાંસદ કંગના રનૌતને કથિત રીતે થપ્પડ મારનાર મહિલા CISF કોન્સ્ટેબલ સામે કડક કાર્યવાહી થવી જોઈએ. આ ગંભીર બાબત છે કારણ કે એરપોર્ટ પર સુરક્ષા માટે જવાબદાર લોકો તેનું ઉલ્લંઘન કરી રહ્યા છે. એક્સ પરની એક પોસ્ટમાં તેણે કહ્યું કે મહિલા CISF જવાનો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.
લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા પછી પણ આરોપ-પ્રત્યારોપનો દોર અટકતો દેખાતો નથી. રાહુલ ગાંધીએ બુધવારે પ્રેસ કોન્ફરન્સ કરી અને પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને નાણામંત્રી નિર્મલા સીતારમણ પર જનતાને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો. આ સાથે જ બીજેપી નેતા પીયૂષ ગોયલે પણ રાહુલ ગાંધીને જવાબ આપવા માટે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ નેતા પર આકરા પ્રહારો કર્યા હતા. પીયૂષ ગોયલે કહ્યું કે રાહુલ ગાંધી હજુ સુધી લોકસભા ચૂંટણીમાં વિપક્ષની હારની નિરાશામાંથી બહાર આવ્યા નથી અને તેઓ ભાજપ અને અમારા નેતાઓ પર જંગલી આક્ષેપો કરી રહ્યા છે. આ દરમિયાન પીયૂષ ગોયલે રાહુલ ગાંધી પર બજારના રોકાણકારોને ગેરમાર્ગે દોરવાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો હતો.
लोकसभा चुनाव में विपक्ष की हार की हताशा से राहुल गांधी जी अब तक उबर नहीं पाए हैं।
इसलिए अब राहुल गांधी मार्केट के इंवेस्टर्स को भी गुमराह करने की साजिश रच रहे हैं।
आज भारत दुनिया की 5वीं सबसे बड़ी अर्थव्यवस्था बन गया है। आज पूरी दुनिया, भारत को fastest growing economy के रूप… pic.twitter.com/c55BeM1Vck
તેમણે કહ્યું કે આજે ભારત વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે અને સમગ્ર વિશ્વ ભારતને સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા તરીકે સ્વીકારી રહ્યું છે. વડાપ્રધાન મોદીએ દેશને ખાતરી આપી છે કે તેમના ત્રીજા કાર્યકાળમાં દેશ વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી PM મોદીના ત્રીજા કાર્યકાળમાં આવવાથી નારાજ દેખાય છે, જેના કારણે તેઓ પોતાના નિવેદનોથી વિદેશી અને સ્થાનિક રોકાણકારોને ભ્રમિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
चुनाव के समय PM नरेंद्र मोदी, गृह मंत्री अमित शाह और वित्त मंत्री निर्मला सीतारमण ने स्टॉक मार्केट पर टिप्पणी की।
जहां प्रधानमंत्री ने स्टॉक मार्केट बढ़ने की बात कही, वहीं गृह मंत्री ने कहा कि 4 जून से पहले लोगों को शेयर खरीदने चाहिए।
પીયૂષ ગોયલે કહ્યું કે બજારમાં આપણા ભારતીય રોકાણકારોએ મોદી સરકારના 10 વર્ષના સફળ કાર્યનો લાભ લીધો. આ જ કારણ છે કે આજે દેશ અને દુનિયાને ભારત અને મોદીજીમાં વિશ્વાસ છે. આ દરમિયાન બીજેપી નેતાએ રાહુલ ગાંધી પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે આજે લોકો સમક્ષ સૌથી મોટો પ્રશ્ન એ છે કે રાહુલ ગાંધીએ કરેલા તમામ વચનોનું શું થયું?
10 years ago, during the rule of the Congress-led UPA, India’s market cap was only Rs 67 lakh crore.
Modi govt inherited it in May 2014, and it stands at Rs 415 lakh crore today.
The retail investors of the country benefitted the most due to this increase in market cap.