Home Blog Page 1709

પંચાંગ 22/06/2024

‘શિવચરિત્ર’ ગીત લૉન્ચ દરમિયાન લતા દીદીને યાદ કરી ભાવુક થયા ભાઈ પંડિત હૃદયનાથ

મુંબઈ: છત્રપતિ શિવાજી મહારાજની 350મી રાજ્યાભિષેક ઉજવણીના ભાગરૂપે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ‘શિવચરિત્ર – એક સોનેરી પાન’ ગીતને મંગેશકર પરિવાર દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામમાં મંગેશકર પરિવાર સહિત સંક્ષીત ક્ષેત્રની અનેક હસ્તીઓએ હાજરી આપી હતી. આ દરમિયાન પંડિત હૃદયનાથ મંગેશકર લતા દીદીને યાદ કરી ભાવુક થયા હતાં.

લતા દીદીને યાદ કરતા પંડિત હૃદયનાથ મંગેશકરે કહ્યું કે,”જ્યારે એક હરણ તેના બચ્ચાને વાઘ દ્વારા ઉપાડી જતા જુએ છે, ત્યારે તેનું હૃદય અપાર દર્દથી ભરાઈ જાય છે. આજે આ મંચ પર હું લતા દીદીની યાદમાં તે જ પીડા અનુભવું છું.”

આ કાર્યક્રમમાં ઉષા મંગેશકર, રૂપકુમાર રાઠોડ, કૌશિકી ચક્રવર્તી, સુરેશ વાડકર, પદ્મા વાડકર, નીતિન મુકેશ, આદિનાથજી મંગેશકર, આઈઆરબીના ડાયરેક્ટર દીપાલી મહૈસ્કર, ડૉ. દીપક વાઘે, ડૉ. ગૌરી વાઘે, ડૉ. પ્રતાપ પાનરે અને આશિષ શૈલાર સહિત અનેક અગ્રણી હસ્તીઓ હાજર રહી હતી.

પંડિત હૃદયનાથ મંગેશકર, ઉષાજી મંગેશકર, અને આશિષજી શેલારે સંયુક્ત રીતે ગીતને લોન્ચ કર્યુ હતું. જ્યારે પંડિત હૃદયનાથ મંગેશકરે લતા દીદી સાથેની કેટલીક યાદોને વાગોળી હતી, જેમ કે તેમની તાજમહેલની મુલાકાત. તેમણે યાદ કર્યું કે લતા દીદી આ સ્મારકથી કેટલા પ્રભાવિત થયા હતા. તેમણે એક ઘટનાનો ઉલ્લેખ પણ કર્યો હતો. તેમણે કહ્યું કે રાત્રે તાજમહેલમાં લતા દીદીનો અવાજ ગુંજતો હતો. એક મૌલવી જે ઠપકો આપવા આવ્યાં હતાં. પરંતુ અવાજ સાંભળી તેમણે દીદીને’કહીં દીપ જલે કહીં દિલ’ ગાવા અનુરોધ કર્યો હતો.

કૌશિકી ચક્રવર્તી, જેણે આ ગીતને અવાજ આપ્યો છે, તેણીએ આ વીર રસનું ગીત ગાવાની તક આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. ઉષા મંગેશકરે જણાવ્યું હતું કે કૌશિકીની શક્તિશાળી રજૂઆત ચોક્કસપણે શિવાજી મહારાજના 350માં રાજ્યાભિષેક સમારોહમાં પહોંચી હશે.

હૃદયનાથ મંગેશકરે જાહેરાત કરી હતી કે તેઓ શ્રી શારદા વિશ્વ મોહિની લતા મંગેશકર નામનું પુસ્તક લખી રહ્યા છે, જે તેમની પ્રિય બહેનની યાદોને તાજી કરે છે. તેમણે છત્રપતિ શિવાજી મહારાજ વિશે પણ વાત કરી, મરાઠા શાસકની આધ્યાત્મિક ઊંડાઈ અને યોદ્ધા તરીકે તેમની કાર્યક્ષમતાનો ઉલ્લેખ કર્યો.

શિવચરિત્ર કાર્યક્રમમાં કૌશિકી ચક્રવર્તી દ્વારા એક ગીત સહિત પ્રદર્શનનો સમાવેશ થતો હતો અને નિસર્ગ પાટીલ દ્વારા “શિવ સ્તુતિ” સાથે કાર્યક્રમ સમાપ્ત થયો હતો. ઉષા મંગેશકર, આદિનાથજી મંગેશકર, ડૉ. દીપક વાઝે, કૌશિકી ચક્રવર્તી, આશિષ શેલાર, અને રૂપકુમાર રાઠોડ દ્વારા વક્તવ્યો આપવામાં આવ્યા હતા. યુટ્યુબ પર એલએમ મ્યુઝિક ચેનલ પર શિવચરિત્ર જોઈ અને સાંભળી શકાય છે.

કોણ સારી ચિત્રકાર અનુષ્કા શર્મા કે પુત્રી વામિકા?

મુંબઈ: વ્યક્તિ ગમે તેટલી મોટી સેલિબ્રિટી હોય, પણ પોતાના વ્યસ્ત સમયમાંથી ક્યારેક તે પોતાના પરિવાર માટે, ખાસ કરીને બાળકો માટે સમય કાઢીને હળવાશની પળો માણી લેતી હોય છે!

પોતાના કેરિયરમાં અતિ સફળ તેમજ પારિવારિક જવાબદારીમાં વ્યસ્ત એવી સેલિબ્રિટી વ્યક્તિ જ્યારે પોતાના બાળપણની મિત્ર તેમજ પોતાના બાળક સાથે પોતે પણ બાળકની જેમ હળવીફૂલ થઈને બાળસહજ મસ્તી કરતી જોવા મળે, ત્યારે જીવનનું ખરું સુખ શું છે તે ખ્યાલ આવે!

હાલમાં T20 વર્લ્ડ કપ 2024 ચાલી રહી છે. ત્યારે વિરાટ કોહલીને મેચમાં સમર્થન આપવા તેમજ ઉત્સાહ વધારવા માટે તેમની પત્ની અને જાણીતી અભિનેત્રી અનુષ્કા શર્માનું પણ ન્યૂયોર્કમાં તેમના બંને બાળકો – વામિકા અને અકાય સાથે રોકાણ છે. દરમિયાન ફુરસદના સમયમાં અનુષ્કા તેની પુત્રી વામિકા સાથે ડૂડલ સમય વિતાવી રહી છે! માતા-પુત્રીની જોડીએ બ્લેકબોર્ડ પર ફૂલો દોર્યા. અનુષ્કા ફૂલો દોરવામાં સફળ રહી, વામિકાએ બોર્ડ પર ડૂડલ કર્યું. તેણીએ હસતો ચહેરો પણ દોર્યો છે. આ હસતો ચહેરો ફૂલોની વચ્ચેથી ડોકાતો નજરે ચઢે છે. આ ક્ષણની ઝલક અભિનેત્રીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. તેણીએ બ્લેકબોર્ડ દર્શાવતો ફોટો શેર કર્યો છે.

ગયા અઠવાડિયે, અનુષ્કા પોતાની બાળપણની મિત્ર નૈમિષા મૂર્તિ તેમજ પોતાની પુત્રી વામિકા સાથે આઈસ્ક્રીમ ડેટ માટે ગઈ હતી. અનુષ્કાની મિત્ર નૈમિષા મૂર્તિએ આ વિડીયો પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં અનુષ્કા સુંદર કેઝ્યુઅલ પરિધાનમાં આઈસ્ક્રીમ પાર્લર તરફ ચાલતી જોવા મળે છે. તે પોતાની બાળકી વામિકા સાથે સીડી ઉપર ચઢતી જોઈ શકાય છે. એક ઝલકમાં તે આઈસ્ક્રીમ સ્ટિક સાથે પોતાની બાળપણની મિત્ર સાથે પોઝ આપતી જોવા મળે છે. જ્યારે બીજી ઝલકમાં તેણી સ્ક્રેબલ બોર્ડનો ફોટો ક્લિક કરતી જોવા મળે છે. જેમાં વામિકાનું નામ લખેલું છે.

આ વિડીયો પર અનુષ્કાની મિત્ર નૈમિષા ટિપ્પણી આપે છેઃ વ્યક્તિને જીવનના દરેક તબક્કામાં મિત્રો હોય છે, પરંતુ બાળપણના થોડા મિત્રો જીવનના તમામ તબક્કામાં આઈસ્ક્રીમ શેર કરવા માટે આસપાસ વળગી રહે છે.

વળતી ટિપ્પણીમાં અનુષ્કા જવાબ આપે છેઃ એક વર્ષ માટે આઈસ્ક્રીમ ક્વોટા પૂરો થયો. જ્યાં સુધી આપણે ફરી મળીએ…

અનુષ્કાનો તેની દીકરી તેમજ મિત્ર સાથેનો આ વિડીયો જોવા માટે નીચે આપેલી લિન્ક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વાપરોઃ

https://www.instagram.com/reel/C8Iz8vws0zf/?utm_source=ig_web_copy_link

મે મહિનામાં, વિરાટ કોહલી T20 વર્લ્ડ કપ 2024 માટે ન્યૂયોર્ક જવા રવાના થયો હતો. ત્યારે તેની સાથે અભિનેત્રી-પત્ની અનુષ્કા શર્મા અને તેમના બાળકો વામિકા અને અકાય પણ હતા. ચાર જણનો પરિવાર મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. જ્યારે અનુષ્કાએ કેમેરા માટે પોઝ આપ્યો ન હતો. ત્યારે વિરાટે રોકાઈને ત્યાં ઉપસ્થિત ફોટોગ્રાફરને પોઝ આપ્યો હતો. તેણે તેમને અભિનેત્રીના ફોટો લેવાની ના પાડી હતી. કારણ કે, તે બાળકો સાથે હતી. ક્રિકેટરે બેજ કલરના શર્ટ અને ડેનિમ સાથે સફેદ ટી-શર્ટ પહેર્યું હતું. બીજી તરફ અનુષ્કા બ્લેક ટી-શર્ટ અને બ્લુ ડેનિમમાં સજ્જ હતી.

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ 11 ડિસેમ્બર, 2017 ના રોજ લગ્ન કર્યા હતા. તેઓ બે બાળકો – વામિકા અને અકાયના માતા-પિતા છે.

શું સરકારી સંપત્તિ વેચશે પશ્ચિમ બંગાળની મમતા સરકાર?

કોલકાતાઃ લોકસભા ચૂંટણી 2024માં જીતની સાથે પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે નવા ઉદ્યોગોના વિકાસ માટે એક નવો રસ્તો શોધી કાઢ્યો છે. સરકારે બંધ ઇન્ડસ્ટ્રીઝની સાથે-સાથે ચાલી રહેલી ઇન્ડસ્ટ્રીઝની ખાલી અને ઉપયોગમાં ના લેવામાં આવતી (પડતર) જમીન વેચવાની રજૂઆત શરૂ કરી દે છે.

પ્રાપ્ત માહિતી મુજબ CM મમતા બેનરજીએ વરિષ્ઠ અધિકારીઓને ખાલી પડેલાં સરકારી ભવનોની એક યાદી તૈયાર કરવા અને એની લિલામીના માધ્યમથી વેચવા માટે એક નીતિ તૈયાર કરવા માટે કહ્યું છે.

મુખ્ય મંત્રીએ વિવિધ વિભાગોના સચિવો, જિલ્લાધિકારીઓ અને કોલકાતા નગર નિગમના અધિકારીઓની સાથે એક વિડિયો કોન્ફરન્સ દરમ્યાન આ નિર્દેશ આપ્યા હતા. આ સંમેલનમાં સરકાર 2026ની વિધાનસભાની ચૂંટણી પહેલાં શક્ય હોય એટલી આવક એકઠી કરવા ઇચ્છે છે.

આ પહેલાં પશ્ચિમ બંગાળની મમતા સરકારે વિભાગોને ખાલી પડેલી પડતર જમીનોની લિલામીના માધ્યમથી વેચવાની મંજૂરી આપી હતી. હવે સરકારે એનાથી આગળ ઉપયોગમાં ના લેવાતી સરકારી ભવનોને વેચવાનો નિર્ણય કર્યો છે, એમ સૂત્રોએ કહ્યું હતું.

આ બેઠકમાં મુખ્ય મંત્રીએ સ્પષ્ટ કરી દીધું હતું કે નાણાં વિભાગ ઉપયોગમાં ના લેવાતા સરકારી બિલ્ડિંગની નિગરાની કરશે અને એની યાદી વિવિધ વિભાગો અને જિલ્લા મેજિસ્ટ્રેટો દ્વારા તૈયાર કરવામાં આવશે. CM એ બિલ્ડિંગોની વાત કરી રહ્યાં હતાં, જેનું બાંધકામ છેલ્લાં 10 વર્ષોમાં કરવામાં આવ્યો હતો અને એમાંની મોટા ભાગની બિલ્ડિંગો ખાલી પડી છે. રાજ્ય સરકારે ઉદ્યોગો શરૂ કરવા માટે જમીનની ખેંચને હલ કરવા માટે છેલ્લા એક વર્ષમાં અનેક ઉપાયો કર્યા છે, જેમાં ચાર્જને બદલે લીઝહોલ્ડ જમીનને ફ્રીહોલ્ડમાં પરિવર્તિત કરવાનું સામેલ છે.

 

NIFT-ગાંધીનગરમાં 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવાયો

ગાંધીનગરઃ ભારત સરકાર અને NIFT-HOના નિર્દેશો અનુસાર NIFT ગાંધીનગર કેમ્પસે 21 જૂને 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (IDY) ઊજવ્યો હતો. આ કાર્યક્રમ પછી વૃક્ષારોપણની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જે વૃદ્ધિ અને ટકાઉપણુંનું પ્રતીક છે. આ વર્ષની થીમ, “યોગ ફોર સેલ્ફ એન્ડ સોસાયટી”, યોગના સર્વગ્રાહી લાભો પર પ્રકાશ પાડે છે.

NIFT-ગાંધીનગર કેમ્પસના તમામ અધિકારીઓ, ફેકલ્ટી અને સ્ટાફ મેમ્બર્સ અને અમદાવાદમાં ટેક્સટાઇલ કમિશનર ઓફિસના અધિકારીઓએ પ્રમાણભૂત પ્રોટોકોલનું પાલન કરીને યોગ સત્રમાં ભાગ લીધો હતો. NIFT-ગાંધીનગરના નિર્દેશક પ્રો. ડો. સમીર સુદે તમામ સહભાગીઓને શપથ લેવડાવ્યા હતા અને યોગને નિયમિતપણે પ્રેક્ટિસ કરીને જીવનશૈલી તરીકે અપનાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

સંયુક્ત રાષ્ટ્રોએ યોગના મહત્વને સ્વીકારીને 11 ડિસેમ્બર, 2014એ મહાસભાના 69મા સત્રમાં એક ઠરાવ પસાર કર્યો હતો, જેમાં 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.

આ વૈશ્વિક માન્યતાનો ઉદ્દેશ યોગની પ્રેક્ટિસના ઘણા ફાયદાઓ વિશે જાગૃતિ લાવવાનો છે. NIFT-ગાંધીનગર સંતુલિત અને સુમેળપૂર્ણ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાની ક્ષમતાને માન્યતા આપીને યોગની પ્રથાને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે.

મહારાજ ફિલ્મ ધાર્મિક લાગણીઓ દુભાવનારી નથી: હાઇકોર્ટ

નેટફ્લિક્સમાં આવનારી અપકમિંગ ફિલ્મ મહારાજનો વિવાદ ખૂબ ચર્ચીત બન્યો છે. મહારાજ ફિલ્મનો પોસ્ટર રિલીઝ થતાની સાથે જ વૈષ્ણવ સંપ્રદાયમાં રોષનો માહોલ જોવા મળ્યો. જેને લઈ ફિલ્મ પર ગુજરાત હાઈકોર્ટ સ્ટે લગાવ્યો હતો. આ ફિલ્મ લઈ પાછલા ત્રણ દિવસથી બંન્ને પક્ષોથી દલીલો રજૂ કરવામાં આવી રહી હતી.

મહારાજ ફિલ્મને લઈ જજ સંગીતા વિશેનની બેંચ સમક્ષ સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં બંને પક્ષકાર દ્વારા દલીલો કરવામાં આવી હતી અને ફિલ્મ પર સ્ટે યથાવત્ રાખવામાં આવ્યો હતો. ત્યારે આજે ગુજરાત હાઈકોર્ટે મહારાજ ફિલ્મ પરથી સ્ટે હટાવી દીધો છે. હાઈકોર્ટને ફિલ્મ જોઇ તેમાં કોઈ નકારાત્મક બાબત લાગી નથી. ફિલ્મ ધાર્મિક લાગણીઓ દુભાવનારી નથી. હાઈકોર્ટે વચગાળાનો સ્ટે દૂર કરતા હવે નેટફ્લિક્સ અને યશરાજ ફિલ્મ્સ મૂવી રિલીઝ કરી શકશે.

શું છે મહારાજ લાયેબલ કેસ

મહારાજ લાયેબલ કેસ એક સમયનો અંધશ્રદ્ધા અને વહેમ તોડી સમાજને નવો દ્રષ્ટી કોણ આપવાનો કેસ છે. વાત છે 1860ના દાયકાની જ્યારે અંગ્રેજોની ગુલામી સાથે માણસને અંધશ્રદ્ધા પણ ગુલામીની સાંકળમાં જકળાય રહ્યા હતા. કરસનદાસ મુળજી તેઓ પત્રકાર સાથે સમાજ સુધારકની ભૂમિકા ભજવી રહ્યા હતા. નાનપણ લેખનનો શોખ ધરાવતા કરસનદાસે સત્યપ્રકાશ નામનું સમાચાર પત્રની શરૂઆત કરી. જેમાં સમાજના કુરિવાજોને લઈ પોતાનો અવાજ બુલંદ કર્યો હતો. બાળકો શિક્ષણ માટે શાળાઓ પણ શરૂ કરી હતી. પત્રકાર, સમાજ સુધારક સાથે તેઓ વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયી હતા. જ્યાં તેનું ધ્યાન પૂર્વજોના લખાયેલ ગ્રંથોના શબ્દો સાથે કરેલી રમત પર ગયું. વલ્લભ સંપ્રદાયના ગુરુ વહેમ અને અંધશ્રદ્ધાનો લાભ લઈ નાણાં પડાવવા સાથે તેમની સ્ત્રીઓ સાથે વ્યભિચાર. જે બાદ તેઓ સારા કામને બિરદાવવા સાથે આ અત્યાર વિરુદ્ધ પોતાના સામાયિકમાં લેખન શરૂ કર્યું.

થોડા સમય બાદ સુરતના ગાદીપતિ મહારાજ જદુનાથજી મુંબઈ આવ્યા. જેઓ કન્યા કેળવણી સહિતના સારા કામોને પ્રોત્સાહિત કરી રહ્યા હતા. આ કાર્યને કરસનદાસજી પોતાના સમાચાર પત્ર બિરદાવ્યું હતું. સમય અંતરે કરસદાજીને જદુનાથજીના કુકાર્યની જાણ થતા ઇતિહાસ પ્રસિદ્ધ લેખ ‘હિન્દુનો અસલ ધર્મ અને હાલના પાખંડી મતો’ લખ્યો. જેમાં લોકો સાથે થયેલા અત્યાચારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેથી જદુનાથજીએ કરસનદાસ સામે રૂપિયા 40 હજારનો બદનક્ષીનો દાવો માંડ્યો. જે બાદ સુપ્રીમ કોર્ટ (આજની હાઈકોર્ટ) સુનાવણી દોર ચાલ્યો અને આખરે કરસનદાસની જીત હાંસલ થઈ. ‘મહારાજ લાયેબલ કેસ’ તરીકે જાણીતો થયો.

વિશ્વ યોગ દિવસ 2024: PM મોદીથી લઈને CM ભૂપેન્દ્ર પટેલ કરી ઉજવણી

નવી દિલ્હી: આજે 10મો ઈન્ટરનેશનલ યોગ દિવસ છે. જેની સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવી. 21 મી જૂનને વિશ્વભરમાં ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે ‘સ્વયં અને સમાજ માટે યોગ’ થીમ પર રાજ્યમાં પણ વિવિધ જગ્યાએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીનગરમાં યોગ કર્યા.

આ પ્રસંગે પીએમે કહ્યું- યોગની યાત્રા ચાલુ રહે છે. આજે વિશ્વમાં યોગ કરનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. યોગ એ માત્ર જ્ઞાન નથી પણ એક વિજ્ઞાન પણ છે. આવી સ્થિતિમાં એક વિષય પર ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ બની રહ્યું છે. તેનો ઉકેલ પણ યોગમાં રહેલો છે.

દેશના જાણીતી હસ્તીઓ કરેલ યોગ દિવસની ઉજવણી પર કરીએ એક નજર.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી

કેરળથી ભાજપના એક માત્ર સાંસદ સુરેશ ગોપી

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી

મથુરાથી ભાજપના સાંસદ હેમા માલિની

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જે. પી. નડ્ડા

કુરૂક્ષેત્રથી ભાજપના સાંસદ નવીન જિંદાલ

કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી

પૂર્વ લોકસભા સ્પીકર ઓમ બિરલા

આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા

રક્ષા મંત્રી રાજનાથ સિંહ  ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

વિદેશ મંત્રી એસ. જયશંકરગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ

ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ

NEET પરીક્ષામાં ગેરરીતિને લઈ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન..

NEET UG 2024ની પરીક્ષા વિવાદ ગરમાય રહ્યો છે. ત્યારે પેપર લીક અને ગેરરીતિ મામલે કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી બહાર કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધના પગલે પોલીસે અનેક કાર્યકરોની અટકાયત કરવાની ફરજ પડી હતી. આ ઉપરાંત વડોદરામાં NEETની પરીક્ષામાં થયેલા છબરડાને લઇ NSUI બેનરો સાથે ધરણા પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

NEET પરીક્ષામાં ગેરરીતિને લઈ દેશ ફરમાં વિરોધના વંટોળ વેરાયા છે. ત્યારે કોંગ્રેસ વિદ્યાર્થીના ભવિષ્ય સાથે થાત ચેડાને લઈ મેદાને ઉતરી છે. અમદાવાદ સહિત ગુજરાતના કેટલાક જિલ્લામાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી બહાર કોંગ્રેસ સહિત NSUIના કાર્યકરો દ્વારા ધરના પ્રદર્શન કરવામાં આવ્યું હતું. NEET પરીક્ષામાં ગેરરીતિને લઈને દિલ્હી યુનિવર્સિટીમાં પણ વિરોધ પ્રદર્શનો થયા હતા. શુક્રવારે અહીં વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓ હાથમાં કાળા ઝંડા લઈને રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. આજે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દિલ્હી યુનિવર્સિટી પહોંચવાના હતા. દિલ્હી યુનિવર્સિટીમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાને પોતાનો કાર્યક્રમ રદ કરી દીધો હતો.

ઉલ્લેખનીય છે કે ગુજરાત સહિત દેશના કેટલાક રાજ્યમાં પણ NEET પરીક્ષાને લઈ વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યા છે. ત્યારે અવારનવાર પેપર લીક થવાની ઘટનાઓ વધી રહી છે. નીટની પરીક્ષામાં ગેરરીતિ અંગે કાનપુરમાં પણ કોંગ્રેસના કાર્યકરો તથા પદાધિકારીઓ કલેક્ટરના કાર્યાલયની સામે એકઠા થયા હતા અને તેમણે દેખાવો કર્યો હતો. બીજી બાજુ જિલ્લાધિકારીના કાર્યાલયની સામે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના પૂતળાને આગ ચાંપી હતી.

બંગલાદેશના કયા ક્રિકેટરે બનાવ્યો સૌથી અણગમતો રેકોર્ડ, જાણો…

નવી દિલ્હીઃ ક્રિકેટ જગતમાં ક્રિકેટર કોઈ પણ રેકોર્ડ બનાવે છે તો કોઈ રેકોર્ડ તોડે પણ છે, પણ ક્યારેક અણગમતા રેકોર્ડ પણ બની જાય, જેને કોઈ પણ ક્રિકેટર પોતાને નામે નહીં કરવા ઇચ્છે. બંગલાદેશના ક્રિકેટર સાથે કંઈ એવું થયું, જે પહેલાં ક્યારેય નથી થયું. બંગલાદેશનો મહમુદુલ્લા વિશ્વનો સૌથી અનલકી ક્રિકેટર બન્યો છે, કેમ કે તેને નામે શરમજનક રેકોર્ડ નોંધાયો છે, જે જાણીને તમને આશ્ચર્ય થશે…

T20 વર્લ્ડ કપની સુપર આઠમાં બંગલાદેશને ઓસ્ટ્રેલિયે વરસાદના વિઘ્નવાળી મેચમાં 28 રને હરાવી દીધો છે. આ મેચમાં બંગલાદેશની ઇનિંગ્સ દરમ્યાન મહમુદુલ્લા ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર પેટ કમિન્સનો શિકાર થયો હતો. પેટ કમિન્સે હેટ્રિક વિકેટ લેવામાં સફળતા મેળવી હતી. આ હેટ્રિક વિકેટમાં મહમુદુલ્લાની વિકેટ પણ સામેલ છે.

મહમુદુલ્લા ઇન્ટરનેશનલ ક્રિકેટમાં છઠ્ઠી વાર હેટ્રિક વિકેટ દરમ્યાન આઉટ થયો હતો. આવો અણગમતો રેકોર્ડ સૌપ્રથમ વાર કોઈ ક્રિકેટરને નામે ક્રિકેટ વિશ્વમાં જોડાયો છે. બીજી બાજુ T20Iમાં એ બંગલાદેશની વિરુદ્ધ સાતમી હેટ્રિક હતી, જે કોઈ પણ ટીમની વિરુદ્ધ સૌથી વધુ અધિક છે. સાત હેટ્રિકમાંથી બંગલાદેશી બેટ્સમેન મહમુદુલ્લા ત્રણ વાર હેટ્રિક દરમ્યાન આઉટ થયો હતો. મહમુદુલ્લા હવે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં છ હેટ્રિકમાં સામેલ થઈ ચૂક્યો છે. –ત્રણ વાર T20Iમાં, બે વાર વનડેમાં અને એક વાર ટેસ્ટમાં.

ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ મેચમાં મહમુદુલ્લા માત્ર બે રન બનાવીને પેટ કમિન્સના બોલમાં બોલ્ડ થયો હતો. આ મેચમાં કમિન્સે ચાર ઓવરમાં 29 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. સુપર આઠમાં ઓસ્ટ્રેલિયાની આ પહેલી મેચ હતી.

 

 

 

 

 

 

 

ન્યૂઝ એન્કર્સ, વર્ચ્યુઅલ ટીચર્સ પછી હવે ચૂંટણીમાં AI ઉમેદવાર

લંડનઃ વિશ્વમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેક્નિકનો ઉપયોગ ઝડપથી વધતો જઈ રહ્યો છે. હોલિવુડ ફિલ્મોની કલ્પનાથી આગળ નીકળીને AI ટેક્નિકનો ઉપયોગ હવે અમારા જીવનનો હિસ્સો બની ગઈ છે. ન્યૂઝ એન્કરથી માંડીને વર્ચ્યુઅલ ટીચર્સ સુધી AIની મદદ લેવામાં આવે છે. હવે આ ટેક્નિક હરણફાળ ભરી રહી છે.

વાસ્તવમાં સૌપ્રથમ વાર એક AI ઉમેદવાર ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યો છે. વળી, એ કોઈ પંચાયત કે બ્લોકમાં નહીં, પરંતુ દેશની સંસદની ચૂંટણીમાં એ વર્ચ્યુઅલ ઉમેદવાર પોતાનો દાવો ઠોકવાની તૈયારીમાં છે.

AI ઉમેદવારનો ચૂંટણી લડવાનો દાવો બ્રિટનમાં થયો છે. ચોથી જુલાઈએ દેશની સંસદ માટે મતદાન કરવામાં આવશે. વાસ્તવમાં બ્રિટનની ચૂંટણી પર વિશ્વઆખાની નજર છે. વડા પ્રધાન ઋષિ સુનકે PMપદથી રાજીનામું આપ્યું છે અને દેશમાં સામાન્ય ચૂંટણી જાહેર કરી છે. અહીં ચૂંટણી માટે પક્ષો તેમના ઉમેદવારો જાહેર કરી રહ્યા છે, જેમાં એક AI ઉમેદવાર AI સ્ટીવે પણ પોતાનું નામાંકન ભર્યું છે. જેથી ચૂંટણી અલગ જ ચર્ચાનો વિષય બની છે.

બ્રિટનની ચૂંટણીમાં AI ઉમેદવારને ઉતારવાનો આઇડિયા એક બિઝનેસમેન સ્ટીવ એન્ડાકોટનો છે. 59 વર્ષીય એન્ડાકોર્ટે નામાંકન પત્રમાં પોતાનું નામ AI સ્ટીવ લખ્યું છે અને ફોટાની જગ્યાએ એક જનરેટેડ ફોટો લગાવ્યો છે. એ AI જનરેટેડ એટલે કે AI સ્ટીવની જગ્યાએ ચૂંટણી લડવા જઈ રહ્યો છે. આ રીતે સ્ટીવ ચૂંટણી લડવાવાળો વિશ્વનો પહેલો AI ઉમેદવાર બની ગયો છે.