બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસા વચ્ચે વચગાળાની સરકાર બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન નજરકેદમાંથી મુક્ત થયાના એક દિવસ પછી બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન ખાલિદા ઝિયાએ “અશક્યને શક્ય બનાવવા માટેના સંઘર્ષ” માટે દેશવાસીઓનો આભાર માન્યો. ઝિયાએ કહ્યું કે દેશનું પુનર્નિર્માણ “ક્રોધ” અથવા “બદલો” દ્વારા નહીં પરંતુ “પ્રેમ અને શાંતિ” દ્વારા કરવામાં આવશે. નયાપલટનમાં BNPની રેલીમાં વિડિયો લિંક દ્વારા આપવામાં આવેલા તેમના ભાષણમાં 79 વર્ષીય ઝિયાએ શાંતિ માટે અપીલ કરી હતી. 2018 પછી ઝિયાનું આ પ્રથમ જાહેર ભાષણ છે.

જિયાએ કોનો આભાર માન્યો?
‘ડેઇલી સ્ટાર’ અખબારના અહેવાલ મુજબ, જિયાએ તેના માટે લડનારા લોકોનો આભાર વ્યક્ત કર્યો અને જેલમાંથી મુક્તિ માટે પ્રાર્થના કરી હતી.જિયાએ કહ્યું,”હવે મને મુક્ત કરવામાં આવી છે. હું તે બહાદુર લોકોનો આભાર માનવા માંગુ છું જેઓએ અશક્યને શક્ય બનાવવા માટે ‘કરો યા મરો’ની લડત કરી.આ વિજય આપણને લૂંટ, ભ્રષ્ટાચાર અને કુશાસનના કાટમાળમાંથી બહાર આવવાની નવી સંભાવના આપે છે. આપણે આ દેશને સમૃદ્ધ બનાવવાની જરૂર છે.”
‘પ્રેમ અને શાંતિ જરૂરી છે’
દરેકને યુવાનોના હાથ મજબૂત કરવા વિનંતી કરતાં ભૂતપૂર્વ વડા પ્રધાને કહ્યું, “યુવાનો આપણું ભવિષ્ય છે. તેમના સપનાને સાકાર કરવા માટે આપણે લોકતાંત્રિક બાંગ્લાદેશનું નિર્માણ કરવાની જરૂર છે, જેના માટે તેણે પોતાનું લોહી વહાવ્યું છે, કોઈ વિનાશ નહીં, કોઈ ગુસ્સો અને કોઈ બદલો નહીં, આપણા દેશના પુનઃનિર્માણ માટે આપણને પ્રેમ અને શાંતિની જરૂર છે.”
જેલની સજા ફટકારવામાં આવી હતી
તત્કાલિન વડા પ્રધાન શેખ હસીનાના કાર્યકાળ દરમિયાન 2018માં ભ્રષ્ટાચાર માટે ઝિયાને 17 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. 76 વર્ષીય હસીનાએ સોમવારે વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું હતું અને તેમની સરકાર સામે ભારે વિરોધ વચ્ચે ભારત ઉડાન ભરી હતી. જીયા હાલમાં વિવિધ રોગોની સારવાર લઈ રહી છે. હસીનાની આગેવાની હેઠળની અવામી લીગ સરકારની હકાલપટ્ટી બાદ રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીનના કાર્યકારી આદેશ પર ઝિયાને મંગળવારે મુક્ત કરવામાં આવ્યા હતાં.જિયા બે વર્ષથી વધુ સમયથી જેલમાં હતા. ઝિયા અને હસીના બાંગ્લાદેશમાં દાયકાઓથી રાજકીય દુશ્મનાવટમાં છે.




મક્ક્મ ગતિથી આગેકૂચ કરી રહ્યા છે, વધુ ને વધુ મેડલથી સમ્માનિત થઈ ભારતનું નામ રોશન કરી રહ્યા છે.


વિદ્યાર્થીઓને અભિનંદન આપતા યુનુસે કહ્યું કે, આ નવી જીતનો શ્રેષ્ઠ ઉપયોગ કરો. તમારી ભૂલોથી વિજયને સરકી જવા ન દો. જનરલ ઝમાને કહ્યું, મને વિશ્વાસ છે કે યુનુસ આપણને લોકશાહીના માર્ગ પર પાછા લાવશે, જેનો લાભ બધાને મળશે. યુનુસને સેનાનું સંપૂર્ણ સમર્થન છે. જનરલ ઝમાને કહ્યું, વચગાળાની સરકારની સલાહકાર પરિષદમાં 15 સભ્યો હોઈ શકે છે. આર્મી ચીફે આશા વ્યક્ત કરી હતી કે ત્રણથી ચાર દિવસમાં સ્થિતિ સામાન્ય થઈ જશે. ગુનામાં સંડોવાયેલા લોકોને બક્ષવામાં આવશે નહીં. તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે તેમને દેશના નૌકાદળ અને વાયુસેનાના વડાઓનું સમર્થન છે.
ઢાકામાં ભારતીય હાઈ કમિશનના બિન-જરૂરી કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યો વ્યાપારી ફ્લાઈટ્સ દ્વારા સ્વેચ્છાએ ભારત પરત ફર્યા. જો કે, ભારતીય મિશનના તમામ રાજદ્વારીઓ ઢાકાથી કામ કરી રહ્યા છે. ભારતના ચાર આસિસ્ટન્ટ હાઈ કમિશન પણ છે. એર ઈન્ડિયા અને ઈન્ડિગોએ બુધવારે સ્પેશિયલ ફ્લાઈટ ચલાવી હતી અને ઢાકામાં ફસાયેલા 400 થી વધુ લોકોને ભારત લાવ્યા હતા.

સ્વભાવગત છે કે છૂટતી નથી. ભગવદ્ ગીતામાં સ્થિતપ્રજ્ઞનાં અને ભક્તનાં જે લક્ષણો વર્ણવ્યાં છે. તેમાં આ જ સંદેશો છે કે આશા અને માયા વચ્ચે સીધો સંબંધ છે. ભગવાન કૃષ્ણ મનની તમામ આશાઓ છોડવા કહે છે, કારણ કે આશાનું બીજ માયાના આવરણમાં ખૂબ ઝડપથી પાંગરે છે. માન – અભિમાન – અહં – ગર્વના કારણે મનુષ્ય અન્ય માટે ત્રાસદાયક બને છે. સાથે સાથે પોતાનો વિનાશ નોંતરે છે.