મુંબઈ: ચાર્મિંગ લુક સાથે બોલિવૂડમાં એન્ટ્રી કરનાર સૈફ અલી ખાને ઘણાં અલગ-અલગ પાત્રો ભજવ્યા છે. તેણે દરેક શૈલીમાં પોતાનો હાથ અજમાવ્યો છે. સૈફ અલી ખાન સુપર કૂલ, સિરિયસ, કોમેડી અને વિલનના રોલમાં જોવા મળ્યા છે. સૈફે તેની ફિલ્મી સફરમાં તેના પાત્રો સાથે ઘણો પ્રયોગ કર્યો છે. આજે સૈફ અલી ખાન પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. અભિનેતા 54 વર્ષના થયા છે. 4 બાળકોના પિતા સૈફને જોઈને તમને તેની ઉંમર પર વિશ્વાસ ન આવે એવું પણ બની શકે. અભિનેતા આટલી ઉંમરે પણ ખૂબ જ ફિટ છે. આ દિવસોમાં સૈફ અલી ખાન માત્ર પસંદગીની ફિલ્મો જ કરે છે અને ટૂંક સમયમાં તે એક પાવરફુલ રોલમાં કમબેક કરવા જઈ રહ્યા છે. લાખો લોકો જે સૈફ અલી ખાનના દિવાના છે તેનું સાચું નામ શું છે એ તમે જાણો છો? આ સવાલ સાંભળીને કદાચ તમે ચોંકી જશો, પણ હા એક્ટરનું અસલી નામ સૈફ અલી ખાન નથી.

સૈફ અલી ખાનનું સાચું નામ શું છે?
છોટે નવાબ અને જુનિયર પટૌડી તરીકે જાણીતા સૈફ અલી ખાનનો જન્મ 16 ઓગસ્ટ 1970ના રોજ નવી દિલ્હીમાં થયો હતો. નવાબ પટૌડી અને શર્મિલા ટાગોરે તેમના પુત્રનું નામ સાજીદ અલી ખાન રાખ્યું છે. તેમના પિતાના નામની જેમ પટૌડી પણ તેમના નામમાં સામેલ નહોતું અને તેનું કારણ એ હતું કે ટાઈગર પટૌડીએ પણ રજવાડાના અંત પછી પોતાના નામમાંથી પટૌડી કાઢી નાખ્યું હતું. ફિલ્મોમાં આવતા પહેલા સૈફ અલી ખાન સાજિદ અલી ખાન તરીકે ઓળખાતા હતા, પરંતુ અભિનય કારકિર્દી બનાવવા માટે તેણે પોતાનું નામ બદલી નાખ્યું અને આ રીતે તે સૈફ અલી ખાન બની ગયા. હાલમાં, દસ્તાવેજ પર સૈફ અલી ખાનનું નામ સાજિદ છે અને સૈફ ફક્ત તેનું સ્ક્રીન નામ છે.
કરીના કપૂર સાથેના લગ્ન દરમિયાન તેનું અસલી નામ ચર્ચામાં આવ્યું હતું. મેરેજ સર્ટિફિકેટ પર સૈફ અલી ખાનનું નામ માત્ર સાજિદ અલી ખાન હતું, જ્યાંથી લોકોને પહેલીવાર ખબર પડી કે સૈફ અલી ખાનનું અસલી નામ સાજિદ છે. તમને જણાવી દઈએ કે, કરીના કપૂર સૈફની બીજી પત્ની છે. સૈફને કરીનાથી બે બાળકો છે, તૈમુર અલી ખાન અને જહાંગીર અલી ખાન. તેમના પ્રથમ લગ્ન અમૃતા સિંહ સાથે થયા હતા. સૈફને પણ તેના પહેલા લગ્નથી બે બાળકો છે – સારા અલી ખાન અને ઈબ્રાહિમ અલી ખાન.
આ ફિલ્મમાં સૈફ જોવા મળશે
સૈફ અલી ખાનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે જલ્દી જ ‘દેવરા પાર્ટ 1’માં જોવા મળશે. આ ફિલ્મમાં સૈફ અલી ખાનની સાથે જ્હાન્વી કપૂર અને જુનિયર એનટીઆર લીડ રોલમાં છે. સૈફ અલી ખાન છેલ્લે ‘આદિપુરુષ’માં રાવણ તરીકે જોવા મળ્યા હતા.



2’, ‘ખેલ ખેલ મેં’ મુખ્ય છે. ‘ખેલ ખેલ’…ની વાત કરીએ તો, એમાં એક ભવ્યાતિભવ્ય સ્થળે લગ્ન મહાલવા ભેગાં થયેલાં સાત મહેમાન (જેમાં અમુક કપલ્સ છે) એક એવી ગેમ રમવાનું નક્કી કરે છે, જેમાં સૌએ પોતપોતાના મોબાઈલ અનલૉક કરીને ટિપૉય પર મૂકી દેવાના. જેના મોબાઈલ પર મેસેજ આવે એ બધાં વાંચી-જોઈ શકે. જેમ કે એક પરિણીત કપલમાં પત્નીના મોબાઈલ પર મેસેજ આવે છેઃ “તું ત્યાં એકલી જ છોને કે પેલી કૂ…રી જેવી તારી સાસુ પણ સાથે છે”? અથવા એક પુરુષના મોબાઈલ પર કૉલગર્લ સર્વિસ આપતી કંપનીનો ઈમેઈલ આવે છે, વગેરે. અક્ષયકુમાર-ફરદીન ખાન-તાપસી પન્નૂ-વાણી કપૂર-આદિત્ય સીલ-એમ્મી વિર્ક-પ્રજ્ઞા જૈસવાલ, વગેરે કલાકારોવાળી આ ફિલ્મ યંગ અર્બન કપલ્સને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.



ખબર હોય તો જ આઝાદ થવાય. આપણે વિવધ રીતે વિભાજીત છીએ. વિચારધારા અલગ હોય તો વિભાજન થઇ જાય. પંથ, ભાષા, પ્રાંત, બોલી, જેવી અનેક બાબતો આપણને જોડવામાં બાધક બને છે. તો પછી આપણે જોડાયા શા માટે? અંગ્રેજોએ તો માત્ર ૫૦૦થી વધારે રજવાડાઓને આઝાદ કર્યા હતા. એને ભારતનો આકાર આપવામાં સરદાર પટેલે ખુબ મહેનત કરી. આ કાર્ય એમના સિવાય કોણ કરી શકત? પણ શું આજે પણ આપણે સંપૂર્ણ ભારતીય બની શક્યા છીએ?



RG કર કોલેજમાં થયેલી તોડફોડ વહીવટી તંત્રની ઘોર નિષ્ફળતાઃ HC
કોલકાતાઃ કલકત્તા હાઇકોર્ટે 14 ઓગસ્ટે રાત્રે RG કર કોલેજ પ્રાંગણમાં થયેલી તોડફોડ મામલે સુનાવણી દરમ્યાન ચીફ જસ્ટિસે આકરી ટિપ્પણી કરતાં કહ્યું હતું કે આ ઘટના સ્થાનિક વહીવટી તંત્રની નિષ્ફળતાને દર્શાવે છે. આ સંપૂર્ણ રીતે રાજ્યની મશીનરીની નિષ્ફળતા છે.
રાજ્ય સરકારે પોતાનો પક્ષ મૂકતાં કહ્યું હતું કે આ ઘટના સમયે ત્યાં પોલીસ હાજર હતી. એના પર ચીફ જસ્ટિસે કહ્યું હતું કે પોલીસે ત્યાં લોકોની સુરક્ષ ના કરી શકી? એ દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિ છે. આ ડોક્ટર નીડર થઈને કેવી રીતે કામ કરશે? હાઇકોર્ટે કહ્યું હતું કે સારું થશે કે હોસ્પિટલ બંધ કરી દેવામાં આવે અને દર્દીઓને અન્ય હોસ્પિટલોમાં શિફ્ટ કરી દેવામાં આવે.
બીજી બાજુ, કોલકાતા પોલીસે કહ્યું હતું કે પોલીસે RG કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તોડફોડ અને હિંસાના મામલે અત્યાર સુધી 19 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ કરવામાં આવેલા લોકોને શહેરની એક કોર્ટે 22 ઓગસ્ટ સુધી પોલીસ હિરાસતમાં મોકલી દીધા છે. અજાણ્યા બદમાશોએ કોલકાતાની સરકારી RG કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પ્રાંગણમાં ઘૂસીને કેટલાક ભાગોમાં તોડફોડ કરી હતી. વાસ્તવમાં RG કર હોસ્પિટલમાં થયેલી તોડફોડ અને પુરાવા નષ્ટ કરવાના પ્રયાસોની તપાસ અને એક્શનને લઈને દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી દરમ્યાન આ ટિપ્પણી કરવામાં આવી હતી. આ હોસ્પિટલમાં ડોક્ટર સાથે બળાત્કાર અને પછી એની નિર્મમ હત્યા કરી દેવામાં આવી હતી.વિરોધ પક્ષોએ પોલીસ પર આરોપ લગાવ્યો હતો કે જ્યારે સરાકીર હોસ્પિટલમાં હિંસા થઈ હતી, ત્યારે પોલીસે યોગ્ય કાર્યવાહી નહોતી કરી. હોસ્પિટલના ઇમર્જન્સી વોર્ડના બે ફ્લોરમાં તોડફોડ કરવામાં આવી હતી અને દવાઓ લૂંટી લેવામાં આવી હતી.