Home Blog Page 1566

Saif Ali khan Birthday: શું તમને સૈફ અલી ખાનનું સાચું નામ ખબર છે?

મુંબઈ: ચાર્મિંગ લુક સાથે બોલિવૂડમાં એન્ટ્રી કરનાર સૈફ અલી ખાને ઘણાં અલગ-અલગ પાત્રો ભજવ્યા છે. તેણે દરેક શૈલીમાં પોતાનો હાથ અજમાવ્યો છે. સૈફ અલી ખાન સુપર કૂલ, સિરિયસ, કોમેડી અને વિલનના રોલમાં જોવા મળ્યા છે. સૈફે તેની ફિલ્મી સફરમાં તેના પાત્રો સાથે ઘણો પ્રયોગ કર્યો છે. આજે સૈફ અલી ખાન પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. અભિનેતા 54 વર્ષના થયા છે. 4 બાળકોના પિતા સૈફને જોઈને તમને તેની ઉંમર પર વિશ્વાસ ન આવે એવું પણ બની શકે. અભિનેતા આટલી ઉંમરે પણ ખૂબ જ ફિટ છે. આ દિવસોમાં સૈફ અલી ખાન માત્ર પસંદગીની ફિલ્મો જ કરે છે અને ટૂંક સમયમાં તે એક પાવરફુલ રોલમાં કમબેક કરવા જઈ રહ્યા છે. લાખો લોકો જે સૈફ અલી ખાનના દિવાના છે તેનું સાચું નામ શું છે એ તમે જાણો છો? આ સવાલ સાંભળીને કદાચ તમે ચોંકી જશો, પણ હા એક્ટરનું અસલી નામ સૈફ અલી ખાન નથી.

સૈફ અલી ખાનનું સાચું નામ શું છે?

છોટે નવાબ અને જુનિયર પટૌડી તરીકે જાણીતા સૈફ અલી ખાનનો જન્મ 16 ઓગસ્ટ 1970ના રોજ નવી દિલ્હીમાં થયો હતો. નવાબ પટૌડી અને શર્મિલા ટાગોરે તેમના પુત્રનું નામ સાજીદ અલી ખાન રાખ્યું છે. તેમના પિતાના નામની જેમ પટૌડી પણ તેમના નામમાં સામેલ નહોતું અને તેનું કારણ એ હતું કે ટાઈગર પટૌડીએ પણ રજવાડાના અંત પછી પોતાના નામમાંથી પટૌડી કાઢી નાખ્યું હતું. ફિલ્મોમાં આવતા પહેલા સૈફ અલી ખાન સાજિદ અલી ખાન તરીકે ઓળખાતા હતા, પરંતુ અભિનય કારકિર્દી બનાવવા માટે તેણે પોતાનું નામ બદલી નાખ્યું અને આ રીતે તે સૈફ અલી ખાન બની ગયા. હાલમાં, દસ્તાવેજ પર સૈફ અલી ખાનનું નામ સાજિદ છે અને સૈફ ફક્ત તેનું સ્ક્રીન નામ છે.

કરીના કપૂર સાથેના લગ્ન દરમિયાન તેનું અસલી નામ ચર્ચામાં આવ્યું હતું. મેરેજ સર્ટિફિકેટ પર સૈફ અલી ખાનનું નામ માત્ર સાજિદ અલી ખાન હતું, જ્યાંથી લોકોને પહેલીવાર ખબર પડી કે સૈફ અલી ખાનનું અસલી નામ સાજિદ છે. તમને જણાવી દઈએ કે, કરીના કપૂર સૈફની બીજી પત્ની છે. સૈફને કરીનાથી બે બાળકો છે, તૈમુર અલી ખાન અને જહાંગીર અલી ખાન. તેમના પ્રથમ લગ્ન અમૃતા સિંહ સાથે થયા હતા. સૈફને પણ તેના પહેલા લગ્નથી બે બાળકો છે – સારા અલી ખાન અને ઈબ્રાહિમ અલી ખાન.

આ ફિલ્મમાં સૈફ જોવા મળશે

સૈફ અલી ખાનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે જલ્દી જ ‘દેવરા પાર્ટ 1’માં જોવા મળશે. આ ફિલ્મમાં સૈફ અલી ખાનની સાથે જ્હાન્વી કપૂર અને જુનિયર એનટીઆર લીડ રોલમાં છે. સૈફ અલી ખાન છેલ્લે ‘આદિપુરુષ’માં રાવણ તરીકે જોવા મળ્યા હતા.

સાહિત્ય અકાદમી ગૌરવ પુરસ્કાર જાહેર

ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા આપવામાં આવતા ગુજરાતી ભાષાનાં ગૌરવ પુરસ્કારો નિયત કરવા માટે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જ્હાની અધ્યક્ષતામાં 14મી ઓગસ્ટે મળેલી કાર્યવાહક સમિતિની બેઠકમાં સાહિત્ય ગૌરવ પુરસ્કાર અને યુવા ગૌરવ પુરસ્કારની ઘોષણા કરવામાં આવી છે.

નોંધનીય છે કે આ પુરસ્કારમાં વર્ષ 2023નો સાહિત્ય ગૌરવ પુરસ્કાર ડો. બળવંત જાની અને યુવા ગૌરવ પુરસ્કાર વર્ષ 2023 માટે મિલિંદ ગઢવીને અપાશે. ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત કરનાર સાહિત્યકારોને અભિનંદન આઠવવામાં આવ્યા છે.

ગુજરાત સાહિત્ય અકાદમી દ્ધારા ટૂંક જ સમયમાં જાહેર સમારોહ યોજીને આ ગૌરવ પુરસ્કાર અર્પણ કરવામાં આવશે.

RG કર કોલેજમાં થયેલી તોડફોડ વહીવટી તંત્રની ઘોર નિષ્ફળતાઃ HC

કોલકાતાઃ કલકત્તા હાઇકોર્ટે 14 ઓગસ્ટે રાત્રે RG કર કોલેજ પ્રાંગણમાં થયેલી તોડફોડ મામલે સુનાવણી દરમ્યાન ચીફ જસ્ટિસે આકરી ટિપ્પણી કરતાં કહ્યું હતું કે આ ઘટના સ્થાનિક વહીવટી તંત્રની નિષ્ફળતાને દર્શાવે છે. આ સંપૂર્ણ રીતે રાજ્યની મશીનરીની નિષ્ફળતા છે.

રાજ્ય સરકારે પોતાનો પક્ષ મૂકતાં કહ્યું હતું કે આ ઘટના સમયે ત્યાં પોલીસ હાજર હતી. એના પર ચીફ જસ્ટિસે કહ્યું હતું કે પોલીસે ત્યાં લોકોની સુરક્ષ ના કરી શકી? એ દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિ છે. આ ડોક્ટર નીડર થઈને કેવી રીતે કામ કરશે? હાઇકોર્ટે કહ્યું હતું કે સારું થશે કે હોસ્પિટલ બંધ કરી દેવામાં આવે અને દર્દીઓને અન્ય હોસ્પિટલોમાં શિફ્ટ કરી દેવામાં આવે.

બીજી બાજુ, કોલકાતા પોલીસે કહ્યું હતું કે પોલીસે RG કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તોડફોડ અને હિંસાના મામલે અત્યાર સુધી 19 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ કરવામાં આવેલા લોકોને શહેરની એક કોર્ટે 22 ઓગસ્ટ સુધી પોલીસ હિરાસતમાં મોકલી દીધા છે. અજાણ્યા બદમાશોએ કોલકાતાની સરકારી RG કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પ્રાંગણમાં ઘૂસીને કેટલાક ભાગોમાં તોડફોડ કરી હતી. વાસ્તવમાં RG કર હોસ્પિટલમાં થયેલી તોડફોડ અને પુરાવા નષ્ટ કરવાના પ્રયાસોની તપાસ અને એક્શનને લઈને દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી દરમ્યાન આ ટિપ્પણી કરવામાં આવી હતી. આ હોસ્પિટલમાં ડોક્ટર સાથે બળાત્કાર અને પછી એની નિર્મમ હત્યા કરી દેવામાં આવી હતી.વિરોધ પક્ષોએ પોલીસ પર આરોપ લગાવ્યો હતો કે જ્યારે સરાકીર હોસ્પિટલમાં હિંસા થઈ હતી, ત્યારે પોલીસે યોગ્ય કાર્યવાહી નહોતી કરી. હોસ્પિટલના ઇમર્જન્સી વોર્ડના બે ફ્લોરમાં તોડફોડ કરવામાં આવી હતી અને દવાઓ લૂંટી લેવામાં આવી હતી.

 

સાદી કૉમેડી, હૉરર કોમેડી કે મારામારી?

સ્વાતંત્ર્ય દિનના લોંગ વીકએન્ડ-બિઝનેસનો લાભ લેવા આ અઠવાડિયે ફિલ્મની વણજાર આવી પડે છે, જેમાં ‘વેદા’, ‘સ્ત્રી 2’, ‘ખેલ ખેલ મેં’ મુખ્ય છે. ‘ખેલ ખેલ’…ની વાત કરીએ તો, એમાં એક ભવ્યાતિભવ્ય સ્થળે લગ્ન મહાલવા ભેગાં થયેલાં સાત મહેમાન (જેમાં અમુક કપલ્સ છે) એક એવી ગેમ રમવાનું નક્કી કરે છે, જેમાં સૌએ પોતપોતાના મોબાઈલ અનલૉક કરીને ટિપૉય પર મૂકી દેવાના. જેના મોબાઈલ પર મેસેજ આવે એ બધાં વાંચી-જોઈ શકે. જેમ કે એક પરિણીત કપલમાં પત્નીના મોબાઈલ પર મેસેજ આવે છેઃ “તું ત્યાં એકલી જ છોને કે પેલી કૂ…રી જેવી તારી સાસુ પણ સાથે છે”? અથવા એક પુરુષના મોબાઈલ પર કૉલગર્લ સર્વિસ આપતી કંપનીનો ઈમેઈલ આવે છે, વગેરે. અક્ષયકુમાર-ફરદીન ખાન-તાપસી પન્નૂ-વાણી કપૂર-આદિત્ય સીલ-એમ્મી વિર્ક-પ્રજ્ઞા જૈસવાલ, વગેરે કલાકારોવાળી આ ફિલ્મ યંગ અર્બન કપલ્સને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.

ગમ્મત એ છે કે ‘ખેલ ખેલ’…ના સાત મુખ્ય કલાકારોની જેમ નિર્માતા પણ સાત છે (હેં..હેં..હેં), જેમાં એક છે આપણા વિપુલ ધીરજલાલ શાહ, મ્યુઝિકમાં આઠ જણનાં નામ છે. હા, ડિરેક્ટર એક જ છેઃ મુદસ્સર અઝીઝ, જેમણે આ પહેલાં ‘હેપી ભાગ જાયેગી’, ‘હેપી ફિર ભાગ જાયેગી’, ‘પતિ પત્ની ઔર વો’ જેવી કોમેડી સર્જી છે.

બીજી છે ‘સ્ત્રી’ની સિક્વલ ‘સ્ત્રી 2’. આ ફિલ્મના નિર્માતા ‘મૅડોક ફિલ્મ્સ’ના દિનેશ વિજનને સુપરનેચરલ  પ્રકાર બડો ફાવી ગયો લાગે છેઃ ‘સ્ત્રી’, ‘રૂહી’, ‘ભેડિયા’, ‘મુન્જ્યા’ અને હવે, ‘સ્ત્રી 2’. દિગ્દર્શક છે અમર કૌશિક અને કથા-પટકથા-સંવાદ આપણા નીરેન ભટ્ટના. યેબ્બાત. ધડ વિનાનું એક બિહામણું માથું મધ્ય પ્રદેશની નગરી ચંદેરીના રહેવાસીઓમાં ભયનું સામ્રાજ્ય ફેલાવી રહ્યું છે. આતંક ફેલાવી રહેલો આ સરકટા છે કોણ એ ખોળી રહ્યા છે રાજકુમાર રાવ એન્ડ કંપની.

મારું માનો તો હિંદી સિનેમાઈતિહાસમાં બનેલી આ કદાચ બેસ્ટ સિક્વલ અથવા પાર્ટ ટુ છે. રાજકુમાર રાવ-શ્રદ્ધા કપૂર-પંકજ ત્રિપાઠી એન્ડ ગેન્ગ ફુલ ફોર્મમાં છે. હૉરર અને કોમેડીનું બેલેન્સ જાળવી રાખવા માટે સલામ સ્ક્રીનપ્લે-રાઈટર, ડાયલોગ રાઈટર નીરેનને (સંવાદોમાં શુદ્ધ હિંદી માર્ક કરજો). સચિન-જિગરના સંગીત માટે ખાસ સીટી મારવી છે. ફિલ્મની ન ગમેલી વાત તે એ કે ક્લાઈમેક્સ (ટેક્નિકલી) હજુ સારો બની શક્યો હોત, પણ ઠીક છે. આજે જ પરિવાર સાથે ‘સ્ત્રી 2’ જોવા-માણવા જાઓ. અને હા, થોડી ધીરજ રાખીને છેક સુધી બેસી રહેજો. એક મસ્ત સોંગ અને અક્ષયકુમારની ઝલક જોવા. શું આનો અર્થ એ કે ‘સ્ત્રી’ના થર્ડ પાર્ટમાં અક્ષયકુમાર આવશે?

 

-અને જૉન અબ્રાહમની ‘વેદા’. ઊંચી જાત ને નીચી જાતના ઓઠા હેઠળ કચડાયેલા ભારતવાસીઓની વાર્તામાં જૉન અબ્રાહમ અને શર્વરી વાઘ છવાઈ ગયાં છે. અમુક સત્યઘટના પર આધારિત, નિખિલ અડવાની દિગ્દર્શિત આ ફિલ્મ રાજસ્થાનના બારમેરમાં પરિવાર સાથે રહેતી વેદા બેરવા (શર્વરી વાઘ)ની આસપાસ ફરે છે. વેદાને બૉક્સિંગ શીખવી છે, જેથી એ પોતાના જેવા નીચલી જાતિના લોકો પર થતા અન્યાયનો જડબાંતોડ જવાબ આપી શકે. નિખિલ અડવાનીએ સનસનાટી મચાવવાને બદલે વિષય પ્રત્યે સેન્સિટિવ રહેવાનો અભિગમ લીધો એ ગમ્યું. ડગલે ને પગલે શોષણ અનુભવી રહેલા નીચલી જાતિના લોકો, એમની હતાશા, એમનો ડર, ફિલ્મનાં અમુક પાત્રોમાં જોવા મળે છે. આ બધું હોવા છતાં ‘વેદા’ મેસેજવાળી મસાલા મૂવી, જોવાય એવી બની છે.

મારું માનો તો, ત્રણેય જોવા જેવી છે. જો ક્રમ આપવો હોય તોઃ 1) ‘સ્ત્રી ટુ’, 2) ‘ખેલ ખેલ મેં’ અને 3) ‘વેદા’.

ઇસરોએ EOS-8 સેટેલાઇટ લોન્ચ કરી રચ્યો ઇતિહાસ

શ્રીહરિકોટાઃ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)એ શુક્રવારે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રમાંથી પૃથ્વી અવલોકન ઉપગ્રહ-8 (EOS-8) લોન્ચ કર્યું છે. ઇસરોએ X પર સંદેશમાં કહ્યું હતું કે SSLVની ત્રીજી ઉડાન સફળ રહી છે.

ઇસરોએ 16 ઓગસ્ટની સવારે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી સવારે 9.17 વાગ્યે SSLV-D3 રોકેટનું લોન્ચિંગ સટિક રૂપે ભ્રમણ કક્ષામાં સ્થાપિત કર્યું હતું. આ ઉપરાંત એક નાના સેટેલાઇટ SR-0 DEMOSAT પણ પેસેન્જર સેટેલાઈટની માફક છોડવામાં આવી રહ્યું છે. આ બંને સેટેલાઈટ્સ ધરતીથી 475 કિમીની ઊંચાઈના ગોળાકાર ઓર્બિટમાં ચક્કર લગાવશે.

SSLV એટલે સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીલ અને D3 મતલબ ત્રીજી ડિમોનસ્ટ્રેશન ફ્લાઇટ. આ રોકેટનો ઉપયોગ મિની, માઈક્રો અને નૈનો સેટેલાઈટ્સના લોન્ચિંગ માટે થાય છે. આ લોન્ચિંગ સફળ થશે તો ઇસરો તેને દેશની ત્રીજી સૌથી શાનદાર રોકેટ જાહેર કરી દેશે.

પૃથ્વીની નીચલી કક્ષામાં 500 કિગ્રા સુધીની સેટેલાઇટને 500 કિમીથી નીચે અથવા તો 300 કિગ્રાના સેટેલાઇટ્સને સન સિંક્રોનસ ઓર્બિટમાં મોકલી શકશે. આ ઓર્બિટની ઊંચાઈ 500kmની ઉપર હોય છે. આ લોન્ચિંગમાં તે 475 કિમીની ઊંચાઈ સુધી જશે. ત્યાં જઈને આ સેટેલાઈટને છોડી દેશે.

SSLVના રોકેટની લંબાઈ 34 મીટર છે. તેનો વ્યાસ 2 મીટર છે. SSLV નું વજન 120 ટન છે. SSLV 10થી 500 કિલોના પેલોડ્સને 500 km સુધી પહોંચાડી શકે છે. SSLV ફક્ત 72 કલાકમાં તૈયાર થઈ જાય છે. SSLVને શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ પૈડ એકથી લોન્ચ કરવામાં આવશે.

શું વાસ્તુશાસ્ત્રના નિયમો ભ્રષ્ટાચાર દુર કરાવી શકે?

સ્વતંત્ર થવું એટલે શું? જુદા થવું? સ્વચ્છંદી થવું? ધાર્યું કરવું? મુક્ત થવું? પર્યાય તો ઘણા છે. પણ જો સાચો પર્યાય ખબર હોય તો જ આઝાદ થવાય. આપણે વિવધ રીતે વિભાજીત છીએ. વિચારધારા અલગ હોય તો વિભાજન થઇ જાય. પંથ, ભાષા, પ્રાંત, બોલી, જેવી અનેક બાબતો આપણને જોડવામાં બાધક બને છે. તો પછી આપણે જોડાયા શા માટે? અંગ્રેજોએ તો માત્ર ૫૦૦થી વધારે રજવાડાઓને આઝાદ કર્યા હતા. એને ભારતનો આકાર આપવામાં સરદાર પટેલે ખુબ મહેનત કરી. આ કાર્ય એમના સિવાય કોણ કરી શકત? પણ શું આજે પણ આપણે સંપૂર્ણ ભારતીય બની શક્યા છીએ?

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સવાલ કે સમસ્યા હોય તો આપ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: મને 87 વરસ પુરા થયા. મેં આઝાદી પહેલાનું અને પછીનું ભારત જોયા છે. આઝાદીનો ઉત્સાહ અનુભવ્યો છે. આઝાદી પછી સગવડો ઓછી હોવા છતા અમે સુખી હતા. અમે સંપન્ન હતા. પણ આસપાસના ઘરોમાં લાઈટ પણ નહતી. એ લોકો ફાનસના અજવાળામાં જીવતા. અને સગડી પર રાંધતા. પણ અમારા એ બધા સાથે ઘર જેવા સંબંધ હતા. એક બીજાને મદદ કરવા બધા તત્પર રહેતા. આવું વાતાવરણ આઝાદી પહેલા પણ હતું. લોકોના મન સ્વચ્છ હતા. એટલે રસ્તાઓ પણ સ્વચ્છ રાખવાની આદત હતી. કોઈનું ખરાબ થતું હોય તો અન્ય લોકો એ ખરાબ માણસને સીધો કરવા મદદ કરતા. ભ્રષ્ટાચાર સાવ ઓછો હતો. શિક્ષકોનો પગાર ઓછો હોવા છતા એ દિલથી ભણાવતા. આવું તો આખી ચોપડી ભરીને લખી શકાય.

મારી પૌત્રી દસમાં ધોરણમાં આવી છે. નવમામાં એને સિત્તેર ટકા આવ્યા. એટલે પ્રિન્સીપાલ એને સ્કુલ બદલવા કહે છે. એમને માત્ર 90 ટકા થી વધારે લાવનારા લોકો જ જોઈએ છે. દસમાં ધોરણમાં વિદ્યાર્થી ક્યાં જાય. અને પહેલેથી જો આટલા ટકાની અપેક્ષા હોય તો માસ્તરો તગડી ફી લીધા પછી પણ નિષ્ફળ કેમ જાય છે? નેવું ટકા લાવવાની જવાબદારી એમની પણ નથી? અમારા સમયમાં તો નાપાસ વિદ્યાર્થીને પણ કોઈ સ્કુલ છોડવા નહોતું કહેતું.

અમારી સોસાયટીમાં ચાર ગ્રુપ છે. એ બધા ધર્મ, જાતી, પ્રાંતના આધારે વિભાજીત છે. અમે કોઈને ભાવ નથી આપતા. દરરોજ ના એમના રાજકારણમાં કોણ સમય બગાડે? પણ એ બધા એવું માને છે કે અમે અન્ય ગ્રુપમાં છીએ. એટલે અમને નીચા દેખાડવા પ્રયત્ન કર્યા કરે છે. દારૂનું વ્યસન આટલું તો વિદેશમાં પણ નહિ હોય. રોજ સોસાયટીના રસ્તા પર દારૂડિયાઓ ફરતા હોય. દારુબંધીને કડક ન બનાવી શકાય? મને કાયમ એક સવાલ થાય છે કે જે લોકો અન્યના બૈરાઓ પર નજર બગાડે છે. એમના ઘરમાં માં, બેન, દીકરીઓ નહિ હોય? અંગ્રેજોના સમયમાં સાવ આવું નહોતું. મારે બહુ બહાર જવાનું નથી થતું. મારી પૌત્રી તમને બહુ માને છે. એટલે મને વિચાર આવ્યો કે તમને કેટલાક સવાલો પુછુ. શું વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આ વિકૃતિઓને ઓછી ન કરી શકાય? શું વાસ્તુશાસ્ત્રમાં કોઈ એવા નિયમો છે કે જે દેશના લોકોને સ્વતંત્રતાનો અર્થ સમજાવી શકે? શું વાસ્તુશાસ્ત્રના નિયમો ભ્રષ્ટાચાર દુર કરાવી શકે? શું વાસ્તુ નિયમો આ દેખાડા વાળા દેશપ્રેમની જગ્યાએ સાચો દેશપ્રેમ જગાડી શકે?

જવાબ: વંદન. આપની વેદના હું અનુભવી શકું છુ. અચાનક જનમાનસમાં કેટલાક નકારાત્મક ફેરફારો થયા છે. આપની સોસાયટીમાં ઉત્તર દિશાના બધાજ પદ નકારાત્મક છે. એટલે ભ્રષ્ટાચાર, લોલુપતા, લુચ્ચાઈ જેવા અનેક દુષણોથી ભરાતી જાય છે. વળી ઈશાનમાં મંદિર હોવું જોઈએ એવી અધુરી માહિતીના આધારે આપની સોસાયટીમાં માત્ર દેખાવ પુરતું મંદિર મૂકી દેવાયું છે. દેવ વિનાનું મંદિર? જેની ઉપર બેસીને લોકો નાસ્તો કરે છે? માત્ર એક મંદિર મુકવાથી સકારાત્મકતા ન આવે.

આપના બધા જ સવાલોના જવાબ હા છે. ભારતીય વાસ્તુ નિયમો સાચે જ ખુબ અદ્ભુત છે. પણ એના માટે પ્રયત્ન કોણ કરશે? હું કહી દઉં અને બધું સકારાત્મક થઇ જાય એવું ન હોય. એ પ્રમાણે કરવું પણ પડે ને? વળી આપની સોસાયટીમાં કોઈપણ  માણસને વાસ્તુની સલાહ માટે બોલાવી લેવાય છે. એટલે એ બધાએ ત્યાં શું કર્યું છે. એ જાણ્યા વિના સલાહ પણ ન જ અપાય.

સમગ્ર વિશ્વમાં કેટલાક સારા તો કેટલાક ખરાબ લોકો હોય છે. તમારી આસપાસ વધારે ખરાબ લોકો રહે છે. જ્યાં સુધી લોક માનસ નહિ બદલાય. ત્યાં સુધી લોકો ગુલામ જ રહેશે. સ્વતંત્રતા અને સ્વચ્છંદતા વચ્ચેનો ભેદ સમજવો જરૂરી છે. જો એક નાનકડી સોસાયટીમાં ચાર ગ્રુપ એક બીજાને વેરની નજરે જોતા હોય. તો આખા દેશની સ્થિતિ કેવી હોઈ શકે? આમાં કોઈ નેતા, પાર્ટી કે દેશ જવાબદાર ન ગણી શકાય. આઝાદી કેવી રીતે મળી એની ચર્ચાના બદલે કોના લીધે મળી એની ચર્ચાઓ વધારે થાય ત્યારે વિચાર આવે જ કે ગુલામ કેવી રીતે થયા એ પણ સમજાવવું જરૂરી છે. વિભાજીત માનસ ધરાવતી પ્રજા ક્યારેય દેશને મહાસત્તા ન બનવા દે.

શિક્ષણ એ આપણો મૂળભૂત અધિકાર છે. અમુક દેશોમાં એ વિનામૂલ્યે મળે છે. જો લાખો રૂપિયા ખર્ચીને પણ સ્કુલ નિષ્ફળ જતી હોય તો એ દોષનો ટોપલો વાલી અને વિદ્યાર્થીના માથે ન જ નખાય. જો ફી ભર્યા પછી સારું શિક્ષણ નથી મળતું તો વિરોધ કેમ નથી કરતા? વાલીઓને પણ શાળાને તપાસવાનો હક છે. પણ એમાં પણ ગુલામીનું માનસ છે. યોગ્ય ગુરુ પામવાનો સહુને અધિકાર છે. કોઈ પણ સ્કુલ ઓછા માર્ક આવે તો શાળા છોડવા માટે દબાણ ન કરી શકે.

સુચન: જો ઈશાનમાં સાચી રીતે મંદિર મુકવામાં ન આવ્યું હોય તો એ નકારાત્મક અસર પણ આપી શકે છે.

(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com )

૧૬ ઓગસ્ટ, ૨૦૨૪

Chitralekha Gujarati – 26 August, 2024

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.

રાશિ ભવિષ્ય 16/08/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજના દિવસે સાવચેતી રાખવી, ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા, આંખ, હાડકા ની તકલીફથી સાચવવું, વાર્તાલાપમાં ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, ખરીદી પાછળકે ફરવામાં ધાર્યા કરતા વધુ નાણા ખર્ચાય અને તેનો થોડો અજંપો તમારી શાંતિને ખલેલ પોહ્ચાડી શકે છે.


આજનો દિવસ સારી રીતે પસાર થાય કારણકે તમને ઉત્સાહ રહે તેવા સંજોગો બને અને નવીનકામનું આયોજન થાય, જુનામતભેદ ભૂલવાની તક મળે, ધાર્મિકકાર્ય હેતુ ક્યાક મુસાફરી થાય અને તેમાં તમને ખુશીની લાગણી અનુભવાય, તમે કોઈને મદદ કરવાની સદભાવના રાખો તેવું બની શકે.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સારી રીતે સમય પસાર થાય, ક્યાંક બિનજરૂરી નાણાકીય ખર્ચ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય, હરવાફરવામાં ઉત્સાહ સારો જોવા મળે, માર્કેટિંગક્ષેત્રમાં તમારા પરિચિતકે જુનાસંપર્ક દ્વારા તમને તમારા કામમાં સારો પ્રતિસાદ જોવા મળી શકે છે.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો ખાસ કરીને વાદવિવાદથી દુર રહેવું જરૂરી છે જેથી ખોટો અજંપો ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું, પાડવા,વાગવા,કફ,છાતી,પ્રેસરજેવી તકલીફથી સાચવવું, માર્કેટિંગક્ષેત્રમાં મહેનત કરતા ઓછું ફળ મળે તેવું બની શકે છે, વેપારમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.


આજનો દિવસ સામાન્ય છે, કામકાજમાં થોડી વ્યસ્તતા જોવા મળી શકે છે, મનમાં થોડી અશાંતિ જોવા મળી શકે છે, સરકારીકામ,યુનિફોર્મવાળી નોકરી,સોનાઝવેરાત,ફાર્મા જેવા ક્ષેત્રમાં કામકરનારને માનસિકથાકની લાગણી અનુભવાય. માર્કેટિંગક્ષેત્રમાં તમને સમયનો વ્યય વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસ સારી રીતે પસાર થઇ શકે છે અને જો જુના કામની કોઈ ગુંચ પડેલી હોયતો તેને ઉકેલી શકાય તેવા યોગ બની શકે છે, તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય કે તેમાં તમને કોઇ મદદ કરતા મળે તેવું પણ બની શકે છે, વેપારમાં યોગ્ય ગણતરીપૂર્વક કામકાજ કરવાથી લાભ થઈ શકે છે.


આજનો દિવસ તમારે સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે , વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, હિતશત્રુ અને ખટપટી લોકોથી દુર રહેવાની જરૂર છે , ક્યાય કોઇપણ બાબતની મિલનમુલાકાત કરવાની હોય તે દરમિયાન વાર્તાલાપમાં ધ્યાન આપવું કે જેથી કોઇપણ પ્રકારની ગેરસમજ ટાળી શકાય.


આજનો દિવસ સરસ છે અને તેમાં પણ જો કોઈ જૂનીઓળખાણ તાજી થાયતો તમારી ખુશી અને લાગણીમાં ખુબજ વધારો થાય, તમારા કોઈકામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય. વેપારમાં લાભની વાત સંભાળવા મળી શકે છે. પ્રિયજન તરફથી સારો આદરભાવ જોવા મળે અને ક્યાંક નાનાઅંતરની યાત્રા પણ થઈ શકે.


આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવું જેથી બિનજરૂરી વિવાદ ટાળી શકાય, યુવાવર્ગ માટે મશ્કરીમજાક જેવી બાબતથી દુર રહેવાની સલાહ છે. વેપારમાં કોઈ મોટાનિર્ણય લેતા પહેલા વાતને ચકાસવી યોગ્ય કહી શકાય.


આજનો દિવસ સારો છે, તમને તમારા કામકાજમાં ઉત્સાહ સારો રહે, ક્યાંક મુસાફરી થઈ શકે છે, તમારા ધાર્યા કામ થઇ શકે તેવા યોગ પણ છે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો  યોગ્ય છે, પ્રિયજન સાથે કોઈ ખરીદીકે ફરવાના પ્રસંગ બને અને તેમાં તમને સારી લાગણીનો અનુભવ થાય.


આજનો દિવસ સામાન્ય છે, તમારા કામમાં વ્યસ્ત વધુ રહેવાય તેવા સંજોગો બની શકે છે, જુના કોઈ કામમાં અટવાવતો તેમાં જલ્દીથી ઉકેલન આવે અને સમયનો વ્યય થાય તેવું બની શકે છે, માનસિક થાકની લાગણી તમે વધુ અનુભવો. વેપારમાં નાનું કામ કરવું યોગ્ય છે.


આજનો દિવસ સામાન્ય છે, તમારા મિત્રો સાથે કામની કોઈ લાભકારી ચર્ચા થાય અને તેમાં તમારી ગણતરી મુજબ કામ થાય તેવું બની શકે છે, મુસાફરી થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં રેફરન્સથી કામ કરોતો લાભ થાય, આજે તમારામાં ધાર્મિકભાવના સારી રહે અને કોઈક જાત્રા કરવા જવાના વિચાર વધુ જાગે.

પંચાંગ 16/08/2024