સંસ્કૃતમાં લખાયેલું બધું જ ભાષા ગણાય એવું નથી હોતું. જો આયુર્વેદ માટે અલાયદી વ્યવસ્થા હોય તો વાસ્તુશાસ્ત્ર માટે
શા માટે નહિ? એકાદ નાની પુસ્તિકામાં જો આ વિષય પતિ જતો હોત તો બરાબર હતું. કોઈ પણ વિષયનો અભ્યાસ ઉપરાંત અંત: સ્ફ્રુરણા પણ જરૂરી છે. જો આર્કિટેક્ટ વાસ્તુશાસ્ત્ર શીખે તો તે આ વિષયને શ્રેષ્ઠ ન્યાય આપી શકે. કારણ કે બંને વિષયમાં બાંધકામ અને રેહેણાકને લગતી વાત કરવામાં આવી છે.
મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.
સવાલ: શું વાસ્તુ આધારિત મકાનમાં કોઈ દુ:ખી થઇ શકે ખરું? મને લોકો વાસ્તુ એક્ષ્પર્ટ માને છે. કોઈ પણ વ્યક્તિને ઘર લેવાનું હોય એટલે મને પૂછે. આમ પણ બે ચાર નિયમો સિવાય એમાં યાદ રાખવા જેવું શું છે? ઈશાનમાં દરવાજો, અગ્નિમાં રસોડું અને ઈશાનમાં ભગવાન. પીવાનું પાણી ઈશાનમાં આવે એટલે પરફેક્ટ. પણ ખબર નહિ કેમ અમે ઘર લીધું પછી ખુબ હેરાનગતિ છે. કોઈને કહેવાય પણ નહિ. અમે જયારે ઘર લીધું ત્યારે બરાબર ઈશાનમાં દરવાજો આવે એ રીતે પસંદગી કરી હતી. નૈરુત્યમાં બાલ્કની હતી એટલે ત્યાં કચરો નાખીને ઢગલો કરી દીધો. દરવાજા પાસે પાણીનું માટલું પણ મુક્યું. રસોડું ચાર લાખના ખર્ચે રીનોવેટ કરાવ્યું. પણ તકલીફો એટલી બધી આવે છે કે થાકી ગયા છીએ. દુકાનનો માણસ ધંધો લઈને જતો રહ્યો. ઘરમાંથી બીમારી જતી નથી. કંકાસ ઘરમાં તો છે જ. પણ પાડોસીઓ સાથે પણ બનતું નથી. સાચું કહું, ઘરે આવવાની ઈચ્છા જ નથી થતી. દીકરાનું ભણતર પણ માંડ પત્યું. એને કોઈ સારી નોકરી નથી મળતી. આવું થાય તો પછી વાસ્તુશાસ્ત્ર માંથી વિશ્વાસ જ ઉઠી જાય ને?

જવાબ: સહુથી પહેલાતો સાચી માહિતી વિના વાસ્તુશાસ્ત્ર વિષે લોકોને કહેવાનું બંધ કરો. વાસ્તુશાસ્ત્ર એ વિશાળ વિષય છે. તમે તમારા પર પ્રયોગ કર્યો અને સમજાઈ ગયું કે તમને પુરતું જ્ઞાન નથી. જરા વિચારો, આજ સુધી તમે કેટલા બધા લોકોની જિંદગી બગાડી? ઈશાનમાં બરાબર ખૂણામાં ઉત્તર તરફ દરવાજો હોય એટલે એ નકારાત્મક જ ગણાય. તમારો માણસ છેતરી ગયો એવું થાય. બીજું કે નૈરુત્યમાં કચરો ક્યારેય ન નખાય. વધારે ખર્ચ કરવાથી વધારે ઉર્જા મળે એવો કોઈ નિયમ નથી. એટલે તમારા નિર્ણયોનો દોષ વાસ્તુશાસ્ત્રને ન જ આપો. કેટલીક સમસ્યા તમારા સ્વભાવના લીધે પણ હોય. તમારા બાળકોને તમે ખોટી દિશામાં સુવરાવો છો. અને વાયવ્યમાં પણ ખાંચો છે. તેથી બાળકોની ચિંતા તો રહે. ભારતીય વાસ્તુશાસ્ત્રના નિયમો સરળ છે. પણ એમાં વિજ્ઞાન છે. તેથી જેમ કોઈની સલાહ વિના દવાઓ ન લેવાય. એવું જ કોઈની સલાહ વિના વાસ્તુના નિયમોનું અર્થઘટન પણ ન કરાય. કોઈ સાચા નિષ્ણાંતની સલાહ લેવાની સલાહ છે.
સવાલ: અમારી સોસાયટીમાં કોઈ પણ જગ્યાએ તોડીએ પાણીની લાઈન નીકળે છે. અને પછી બધે ભેજ આવે છે. સોસાયટીની કમિટીએ ઘણી વાર ટ્રીટમેન્ટ કરાવી પણ ક્યાંક ને ક્યાંક લીકેજ રહે જ છે. મેં એવું સાંભળ્યું છે કે લીકેજના લીધે બરકત ન આવે. તો આ સાચું છે?

જવાબ: ભેજ એ બાંધકામનો દુશ્મન છે. એ મકાનની મજબૂતાઈ ઓછી કરે છે. જો તમે એપાટમેન્ટમાં રહેતા હોતો ખાસ વિચારવું જોઈએ. કારણ કે સહુથી ઉપરનું લીકેજ પણ નીચે સુધી આવીને બધા જ ફ્લોર ની મજબૂતાઈ ઘટાડી શકે. કોઈ પણ પ્રોપર્ટી લેતા પહેલા નીચેના પિલર ચેક કરવા જોઈએ. જો ત્યાં ભેજ હોય તો એની ઉપરના કોઈક ફ્લોર પર લીકેજ છે. ભેજના લીધે બીમારી આવે છે. વળી વધારે ભેજ લોખંડને નુકશાન કરે તો મકાન પડી પણ શકે. તેથી જ લીકેજને નકારાત્મક ગણવામાં આવ્યું છે. કોઈ પણ મકાનના સર્વિસ પ્લાન હોય જ. સોસાયટી ઓફિસમાં પ્લમ્બિંગ, સેનીટેશન પ્લાન માંગી અને એના આધારે કામ કરાવશો તો લાઈન તૂટવાનો ભય નહિ રહે. જો આવા પ્લાન ન હોય તો એ બાંધકામ સારું ન હોય એવું પણ બને. વળી બહારથી ખોટો ખર્ચ કરીને ટ્રીટમેન્ટ કરવાનો કોઈ અર્થ નથી. એના માટે જ્યાં લીકેજ હોય ત્યાં રીપેરીંગ કરવું જરૂરી છે.
સુચન: પાણીનો લીકેજ નકારાત્મક ગણાય છે. તે ઘરની આર્થિક સ્થિતિને અસર કરી શકે છે.
આપના સવાલ મોકલી આપો Email: vastunirmaan@gmail.com







આ અભ્યાસ લોથલ અને સાબરમતી નદીના પૂર્વ પ્રવાહ વચ્ચે સીધો સંબંધ સ્થાપિત કરીને નોંધપાત્ર પ્રગતિ દર્શાવે છે. અભ્યાસમાં એ વાત છતી થાય છે કે સાબરમતી નદીના નીચલા ભાગોમાં હોલોસીન સમયગાળાના અંતમાં નોંધપાત્ર સ્થળાંતર થયું હતું, જેણે વેપાર માર્ગો અને સેટલમેન્ટની પેટર્નને પ્રભાવિત કરી હતી. સંશોધન એ વાત ઉપર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે કે કેવી રીતે પ્રાચીન જળ ગતિશીલતાએ વેપાર અને સાંસ્કૃતિક વિનિમયને અસર કરી. આ અભ્યાસ હડપ્પાના અર્થતંત્રોમાં જળમાર્ગોની ભૂમિકા પર નવો પરિપ્રેક્ષ્ય પ્રદાન કરે છે. ભૂતકાળના કેટલાંક તારણો અગાઉ ડોકયાર્ડ થિયરી વિશે શંકા વ્યક્ત કરે છે, તેની માન્યતાને સમર્થન આપવા માટે આ અભ્યાસમાં મજબૂત પુરાવાઓ આપવામાં આવ્યા છે.
પ્રો. વી.એન. પ્રભાકર, IIT ગાંધીનગર ખાતે અર્થ સાયન્સ અને હ્યુમન અને સોશિયલ સાયન્સના એસોસિયેટ પ્રોફેસર છે. તેઓ જણાવે છે, “પુરાતત્વમાં રિમોટ સેન્સિંગ તકનીકો નોંધપાત્ર રીતે આગળ વધી છે, જે પ્રાચીન લેન્ડસ્કેપ્સને જાહેર કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે.”
ગુજરાતમાં ખંભાતના અખાતથી આશરે 30 કિમી દૂર આવેલું લોથલ કાંસ્ય યુગ હડપ્પન સમયગાળા દરમિયાન એક મહત્વપૂર્ણ બંદર હતું. આ સંશોધન લેન્ડસ્કેપ પરિપ્રેક્ષ્યમાંથી ડોકયાર્ડ સિદ્ધાંતની પુનઃવિચારણા કરે છે, પ્રારંભિક નકશા, સેટેલાઇટ છબીઓ અને ડિજિટલ એલિવેશન મોડલ્સમાંથી ડેટાને એકીકૃત કરે છે. આ અભિગમ માત્ર અસ્તિત્વમાં રહેલા અર્થઘટનને જ મજબૂત બનાવતો નથી પણ ભૂતકાળના લેન્ડસ્કેપ્સને સમજવામાં ભૂસ્તરીય ડેટાના મહત્વને પણ રેખાંકિત કરે છે.
અભ્યાસ વિસ્તાર ગુજરાતમાં લોથલ અને તેની આસપાસના વિસ્તારોને આવરી લે છે, જ્યાં 140થી વધુ પેલેઓચૅનલની ઓળખ કરવામાં આવી છે, જે હડપ્પન સંસ્કૃતિ માટેના મુખ્ય નદી માર્ગ પર લોથલની વ્યૂહાત્મક સ્થિતિને પ્રકાશિત કરે છે. સેટેલાઇટ ઇમેજોએ સાબરમતી નદીની જૂની ચેનલોને અનાવરણ કરી છે, જે એક તરફ કોથ અને અન્ય સંસાધન-સંપન્ન વિસ્તારો અને બીજી તરફ નળ સરોવર દ્વારા કચ્છનું નાનું રણ સાથે જોડાયેલા નોંધપાત્ર નદી માર્ગ પર લોથલનું મુખ્ય સ્થાન સૂચવે છે.
પ્રો.એકતા ગુપ્તાએ કહ્યું કે, “પેલેઓલેન્ડસ્કેપના પુનઃનિર્માણમાં હાલના પુરાતત્વીય અને ભૌગોલિક સિદ્ધાંતો એક નવો પરિપ્રેક્ષ્ય પ્રદાન કરવાની ક્ષમતા ધરાવે છે. જે અમારી શોધને વધુ મજબૂત કરે છે અને પ્રાચીન સમાજો તેમના પર્યાવરણને કેવી રીતે અનુકૂલિત થયા તેની ઊંડી સમજણ આપે છે.” આ અભ્યાસ ત્રણ પ્રોફેસર પ્રો. એક્તા ગુપ્તા, પ્રો. વી. એન. પ્રભાકર અને પ્રો. વિક્રાંત જૈને મળીને કર્યો છે.

રાજકોટમાં ગેમઝોનની ઘટના બાદ જન્માષ્ટમીના લોકમેળાના આયોજનમાં જિલ્લા વહીવટી તંત્રે સુરક્ષા પર ફોકસ કરીને વિવિધ પગલાં લીધા છે. મેળાના મેદાનમાં સાત એન્ટ્રી અને એકઝીટ માટેના ગેઇટ બનાવવામાં આવ્યા છે અને 10 કરોડનો વીમો લેવામાં આવ્યો છે.
આ ઉપરાંત ગત વર્ષે 350 જેટલા વિવિધ સ્ટોલ રાખવામાં આવ્યા હતા તેની સામે આ વર્ષે 200 જેટલા જ સ્ટોલ રખાયા છે. ક્રાઉડ કન્ટ્રોલ પર ભાર મૂકવામાં આવ્યો છે. ડોન કેમેરાથી મેળા ઉપર ચાંપતી નજર રાખવામાં આવશે અને ગ્રાઉન્ડ ફૂલ થઇ જાય તો એન્ટ્રી બંધ કરી દેવામાં આવશે.
જુદી જુદી રાઈડ્સ ને લઈને ખાસ સૂચના આપવામાં આવી છે. ફાઉન્ડેશન ભર્યા બાદ પાર્ટ્સ ફીટ કરવા સૂચના આપી છે જેથી કોઈ દુર્ઘટના ન બને જો કે કેટલાક રાઈ ડ્સ ના માલિકોએ જમીનના જરૂરી ટેસ્ટ અને ફાઉન્ડેશન ભર્યા વિના માંચડો ઊભો કર્યો છે.
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ની ટીમે મેળાના મેદાનની મુલાકાત લઈ સ્થિતિ ચકાસી તંત્રને જરૂરી સૂચનાઓ આપી છે. એડિશનલ કલેક્ટર ચેતન ગાંધી એ જણાવ્યું હતું કે, નેશનલ ડિઝાસ્ટર ના તજજ્ઞોએ રાઈ ડસ્ ના માલિકોએ અને સરકારી કર્મચારીઓ ને જરૂરી તાલીમ અને સૂચનાઓ આપી છે.
રાજકોટના લોકમેળાનું ઉદઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરે તેવી શક્યતા છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ ઉપરાંત જડેશ્વર મહાદેવ, ઘેલા સોમનાથ, રતનપર સહિતના સ્થળોએ જન્માષ્ટમીના મેળા યોજાશે. લાખો લોકો મેળો માણવા પહોંચશે.