રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા
![]()
આજના દિવસે સાવચેતી રાખવી, ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા, આંખ, હાડકા ની તકલીફથી સાચવવું, વાર્તાલાપમાં ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, ખરીદી પાછળકે ફરવામાં ધાર્યા કરતા વધુ નાણા ખર્ચાય અને તેનો થોડો અજંપો તમારી શાંતિને ખલેલ પોહ્ચાડી શકે છે.
આજનો દિવસ સારી રીતે પસાર થાય કારણકે તમને ઉત્સાહ રહે તેવા સંજોગો બને અને નવીનકામનું આયોજન થાય, જુનામતભેદ ભૂલવાની તક મળે, ધાર્મિકકાર્ય હેતુ ક્યાક મુસાફરી થાય અને તેમાં તમને ખુશીની લાગણી અનુભવાય, તમે કોઈને મદદ કરવાની સદભાવના રાખો તેવું બની શકે.
આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સારી રીતે સમય પસાર થાય, ક્યાંક બિનજરૂરી નાણાકીય ખર્ચ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય, હરવાફરવામાં ઉત્સાહ સારો જોવા મળે, માર્કેટિંગક્ષેત્રમાં તમારા પરિચિતકે જુનાસંપર્ક દ્વારા તમને તમારા કામમાં સારો પ્રતિસાદ જોવા મળી શકે છે.
આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો ખાસ કરીને વાદવિવાદથી દુર રહેવું જરૂરી છે જેથી ખોટો અજંપો ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું, પાડવા,વાગવા,કફ,છાતી,પ્રેસરજેવી તકલીફથી સાચવવું, માર્કેટિંગક્ષેત્રમાં મહેનત કરતા ઓછું ફળ મળે તેવું બની શકે છે, વેપારમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.
આજનો દિવસ સામાન્ય છે, કામકાજમાં થોડી વ્યસ્તતા જોવા મળી શકે છે, મનમાં થોડી અશાંતિ જોવા મળી શકે છે, સરકારીકામ,યુનિફોર્મવાળી નોકરી,સોનાઝવેરાત,ફાર્મા જેવા ક્ષેત્રમાં કામ કરનારને માનસિકથાકની લાગણી અનુભવાય. માર્કેટિંગક્ષેત્રમાં તમને સમયનો વ્યય વધુ જોવા મળી શકે છે.
આજનો દિવસ સારી રીતે પસાર થઇ શકે છે અને જો જુના કામની કોઈ ગુંચ પડેલી હોયતો તેને ઉકેલી શકાય તેવા યોગ બની શકે છે, તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય કે તેમાં તમને કોઇ મદદ કરતા મળે તેવું પણ બની શકે છે, વેપારમાં યોગ્ય ગણતરીપૂર્વક કામકાજ કરવાથી લાભ થઈ શકે છે.
આજનો દિવસ તમારે સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે , વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, હિતશત્રુ અને ખટપટી લોકોથી દુર રહેવાની જરૂર છે , ક્યાય કોઇપણ બાબતની મિલનમુલાકાત કરવાની હોય તે દરમિયાન વાર્તાલાપમાં ધ્યાન આપવું કે જેથી કોઇપણ પ્રકારની ગેરસમજ ટાળી શકાય.
આજનો દિવસ સરસ છે અને તેમાં પણ જો કોઈ જૂનીઓળખાણ તાજી થાયતો તમારી ખુશી અને લાગણીમાં ખુબજ વધારો થાય, તમારા કોઈકામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય. વેપારમાં લાભની વાત સંભાળવા મળી શકે છે. પ્રિયજન તરફથી સારો આદરભાવ જોવા મળે અને ક્યાંક નાનાઅંતરની યાત્રા પણ થઈ શકે.
આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવું જેથી બિનજરૂરી વિવાદ ટાળી શકાય, યુવાવર્ગ માટે મશ્કરીમજાક જેવી બાબતથી દુર રહેવાની સલાહ છે. વેપારમાં કોઈ મોટાનિર્ણય લેતા પહેલા વાતને ચકાસવી યોગ્ય કહી શકાય.
આજનો દિવસ સારો છે, તમને તમારા કામકાજમાં ઉત્સાહ સારો રહે, ક્યાંક મુસાફરી થઈ શકે છે, તમારા ધાર્યા કામ થઇ શકે તેવા યોગ પણ છે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો યોગ્ય છે, પ્રિયજન સાથે કોઈ ખરીદીકે ફરવાના પ્રસંગ બને અને તેમાં તમને સારી લાગણીનો અનુભવ થાય.
આજનો દિવસ સામાન્ય છે, તમારા કામમાં વ્યસ્ત વધુ રહેવાય તેવા સંજોગો બની શકે છે, જુના કોઈ કામમાં અટવાવતો તેમાં જલ્દીથી ઉકેલન આવે અને સમયનો વ્યય થાય તેવું બની શકે છે, માનસિક થાકની લાગણી તમે વધુ અનુભવો. વેપારમાં નાનું કામ કરવું યોગ્ય છે.
આજનો દિવસ સામાન્ય છે, તમારા મિત્રો સાથે કામની કોઈ લાભકારી ચર્ચા થાય અને તેમાં તમારી ગણતરી મુજબ કામ થાય તેવું બની શકે છે, મુસાફરી થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં રેફરન્સથી કામ કરોતો લાભ થાય, આજે તમારામાં ધાર્મિકભાવના સારી રહે અને કોઈક જાત્રા કરવા જવાના વિચાર વધુ જાગે.





ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ડો. મયુર જોષી ફેનસા ઇન્ડિયાના કો. કન્વિનર તરીકે કાર્યરત છે. આ કોન્ક્લેવમાં તેમણે “મુક્ત વાતો – યોગ્ય માસિક સ્વચ્છતા તેમજ વ્યવસ્થાપન પ્રથાઓને પ્રોત્સાહિત કરવા માટે ક્રિયાત્મક પગલાં” નામના વિષય પર સેમિનાર લીધો હતો. ડો. મયુર જોષીએ માસિક સ્વચ્છતા વ્યવસ્થાપન સારું સમાજમાં ફેલાયેલ કલ્પિત વાતો અને તેના દ્વારા પડતી મુશ્કેલીઓ અંગે વાત કરી હતી. તેમની સાથે પેનલમાં ડો. નીલુ શ્રીવાસ્તવ, ડો. અરુંધતી મુરલીધરન, ડો શોભારાની અને મનીષ શર્મા જોડાયા હતા. સ્ત્રીઓને માસિક દરમિયાન થતી સમસ્યાઓ અને સમાજના વર્તન અને વ્યવહાર અંગેના તેમના અનુભવોની વાત કરી હતી.
કાર્યક્રમના અંતે ડો. મયુર જોષીનું ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતા સામાજિક અને ખાસ કરીને સ્વછતા અને આરોગ્યના ક્ષેત્રે કાર્ય કરવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું. ડો. મયુર જોષીએ ટીમ ઉદગમ અને ફેનસા ઇન્ડિયાના કન્વીનર ઉદયશંકર અને સમગ્ર ફેનસા અને વિશ્વ યુવક કેન્દ્રનો આભાર માન્યો હતો.



હમણાં તહેવારો, ઉત્સવો, મહોત્સવોની મોસમમાં ઢોલ-નગારા, ડીજે, ગુલાલ સાથે પગપાળા સંઘો અને શ્રધ્ધાળુઓમાં વધારો થયો છે.
નોમની વહેલી સવારથી જ જુદા-જુદા વિસ્તારોના સંગઠિત શ્રધ્ધાળુઓના સંઘોએ રામાપીરના મંદિરે જઈ માન્યતા પ્રમાણે નેજા અને ઘોડા ચઢાવ્યા હતા.
રામદેવપીર રાજસ્થાનના એક લોક દેવતા માનવામાં આવે છે. રાજસ્થાન બાડમેર સહિત ગુજરાત અને અન્ય સ્થળોએ પણ રણુજાના આ પીર સંત સમાજ સુધારકને માનનારો મોટો વર્ગ છે.
રામદેવ પીરની નવરાત્રિ દરમિયાન એમના સ્થાનકો પર ધજા, ઘોડા ચઢાવવામાં આવે છે.
અમદાવાદ શહેરમાં નવતાડ, ઘી કાંટા, મિરઝાપુર રોડ નજીક આવેલા રામદેવ પીરના મંદિરે નવરાત્રિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.
ઘી કાંટાના રામદેવપીરના મંદિરે ભવ્ય કાર્યક્રમો યોજાયા હતો. નેજા ચઢાવવા મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઢોલ નગારા ત્રાંસા ડીજે, ગુલાલ સાથે ઉમટી પડ્યા હતા.
જામનગરના ઇતિહાસમાં આ ઘટના સૌપ્રથમ વખત થવા જઇ રહી છે. એક વૃક્ષનું મહત્વ જીવનમાં અનેક ગણું છે ત્યારે તેને મૂળથી ઉખડી ગયા બાદ પણ ફરી સજીવન કરવાનો આ પ્રયોગ એ અનોખી અને નવી દિશા ખોલનારી ઘટના ગણાય. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા જ્યારે ‘એક પેડ માં કે નામ’ સંકલ્પ કરાયો છે ત્યારે આ ઘટના તેનું અનુમોદન ગણાય.
મૂળથી ઉખડી ગયેલાં આ વડલાને ઇટ્રા અને હાર્ટફૂલનેસ સંસ્થા દ્વારા સંયુક્ત રીતે રિસ્ટોર કરવામાં આવશે. અઢાર કલાક સુધીની જહેમત અને આધુનિક મહાકાય સાધનોના ઉપયોગ બાદ વડલાને તેના મૂળ સ્થાને ફરી રોપવામાં આવશે. સાથો.સાથ તેમાં જરૂરી દવાઓ અને ખાતર પણ ઉમેરવામાં આવશે. મોટા થાંભલાઓ વડે તેને ટેકો (થોડા સમય માટે) આપવામાં આવશે અને ત્યાર બાદ કૂંપળ ફૂંટતાં તેને સ્વતંત્ર રીતે ફરી વિસ્તરવા દેવાશે.
આ વડલો ધરાશાયી થતાની સાથે જ ઇટ્રાના એસ્ટેટ વિભાગ દ્વારા બે કલાકના ટૂંકા ગાળામાં વિવિધ સંસ્થાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારે હાર્ટફૂલનેસ દ્વારા તુરંત આ પડકારરૂપ કાર્ય કરવા માટે ઉત્સુકતા બતાવી સંમતિ દાખવી હતી.
ઇટ્રાના કાર્યકારી નિયામક પ્રો. બી. જે. પાટગીરી જણાવ્યું, “સંસ્થાની જગ્યા જામ રાજવી પરિવાર દ્વારા જ્યારથી અર્પણ કરવામાં આવી હતી ત્યારથી આ વડલાની હયાતી છે એટલે તેનું મહત્વ અનેક ગણું છે. વડલો ફરી સજીવન પામે તે અમારા માટે ગર્વની લાગણી સમાન છે.”
હાર્ટફૂલનેસ સંસ્થાના સંયોજક સચિનભાઇ વ્યાસનું કહેવું છે, “વર્તમાનમાં ગ્લોબલ વોર્મિંગ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે અનિયંત્રિત વાતાવરણની સ્થિતિએ અનેક વૃક્ષો ધરાશાયી થતા રહે છે. પણ પીઢ અને ઘેઘૂર વૃક્ષોને ફરી રોપણ દ્વારા જીવતદાન એ વર્તમાન સમયની માગ અને આવશ્યક બાબત છે. હાર્ટફૂલનેસ સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં 4000થી વધુ આવા વૃક્ષોને પુનઃ સજીવન કરવામાં આવ્યાં છે. એટલું જ નહીં પરંતુ તેમાં 100% સફળતા મેળવી છે. આ વડલો તો એક સદીથી પણ વધુ ઉંમર ધરાવે છે એટલે તે મહત્વનો છે.”
એક દિવસની સતત અને ત્રણ માસની સઘન સારસંભાળ દ્વારા નવજીવન.
શું હોય છે વડલાની ખાસિયત?
ગળા નીચે ઉતારવા સમાન દુઃખદાયક હોય છે જ. પરંતુ તેની યાદ વારંવાર પશ્ચાતાપની ચિતામાં સળગાવે છે. માટે જ યોગી વ્યક્તિ એક તરફ વિકર્મોને વિદાય આપે છે તથા બીજી તરફ જે થઈ ગયું છે તેને ભૂલી તેમાંથી બોધ ગ્રહણ કરી આગળ વધે છે. તેણે કરેલ ભૂલના યાદ તે ડાઘને ઊંડો કરે છે અને ઈશ્વરની સ્મૃતિ તેને હલકો કરતા-કરતા બિલકુલ દૂર કરે છે.
