Home Blog Page 1101

કેનેડાના નવા વડાપ્રધાન માર્ક કાર્ની કોણ છે?

કેનેડા: બેન્ક ઓફ કેનેડા અને બેન્ક ઓફ ઈંગ્લેન્ડના પૂર્વ ગવર્નર માર્ક ક્રાનીને કેનેડાની સત્તાધારી પાર્ટી લિબરલના નવા નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. આ સાથે માર્ક કાર્ની  કેનેડાના નવા વડાપ્રધાન બનશે અને જસ્ટિન ટ્રુડોનું સ્થાન લેશે.

ટ્રમ્પનો સામનો કરવા હું સૌથી ઉપયોગી: કાર્ની 

ચાલુ વર્ષની શરૂઆતમાં જ જસ્ટિન ટ્રુડોએ કેનેડાના વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું હતું. ત્યાર બાદ 59 વર્ષીય કાર્નીએ 86% સભ્યોના વોટ મેળવીને વડાપ્રધાન બનવામાં સફળતા મેળવી હતી. એવું કહેવાય છે કે કાર્નીને રાજકારણનો અનુભવ નથી. પરંતુ તેમણે કહ્યું કે હું પાર્ટીને પુર્નઃજીવીત કરવા અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વેપાર અંગે મંત્રણા કરવા સૌથી ઉપયોગી વ્યક્તિ સાબિત થઈશ.

રાજકારણનો કોઈ અનુભવ નથી! 

રાજકારણમાં પ્રવેશેલા કાર્નીએ કહ્યું કે ટ્રમ્પ સતત ટેરિફની ધમકીઓ આપી રહ્યા છે અને તેના કારણે કેનેડાના અર્થતંત્રને ઝટકો લાગી શકે છે. ઉલ્લેખનીય છે કે કેનેડામાં આવું પહેલીવાર થશે જ્યારે કોઈ એવી વ્યક્તિ વડાપ્રધાન બનશે જેને રાજકારણ સાથે કોઈ લેવા દેવા નહોતા. કાર્નીએ કહ્યું કે બે G7 સેન્ટ્રલ બેન્કના ગવર્નર તરીકે સેવા કરનાર હું પ્રથમ વ્યક્તિ છું અને આ જ મારો અનુભવ દર્શાવે છે કે હું ટ્રમ્પનો સામનો કરવા સૌથી ઉપયોગી અને યોગ્ય વ્યક્તિ સાબિત થઇશ.

માર્ક કાર્ની કોણ છે? 

માર્ક કાર્નીનો જન્મ કેનેડાના ફોર્ટ સ્મિથ, નોર્થવેસ્ટ ટેરેટરીઝમાં થયો હતો. તેમનું બાળપણ એડમંટનમાં વીત્યું અને પછી તેઓ અમેરિકા ગયા જ્યાં હાર્વર્ડ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ પૂર્ણ કર્યો. ત્યારબાદ તે યુ.કે. ગયા જ્યાં ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી અને પછી 1995માં અર્થશાસ્ત્રમાં ડૉક્ટરેટની ડિગ્રી મેળવી. કાર્નીને 2008માં બેન્ક ઓફ કેનેડાના ગવર્નર બનાવાયા હતા.

સુવિચાર – ૧૦ માર્ચ ૨૦૨૫

૧૦ માર્ચ ૨૦૨૫

રાશિ ભવિષ્ય 10/03/2025 થી 16/03/2025

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

મહત્વના નિર્ણય લેવામા કાળજી રાખવી જરૂરી છે, વિદ્યાર્થીવર્ગને ધારી સફળતા માટે વધુ મહેનત કરવી પડે, યાત્રાકે જાત્રા થઈ શકે છે અને તેમા ધાર્યા કરતા વધુ ખર્ચા થાય, તમારા મગજમા વધુ વિચારો માનસિકથાક આપે તેવું બની શકે છે, નાનીનાની વાતમા ગુસ્સો ના આવે તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, વાહન ધીમે ચલાવવુ તેમજ મુસાફરીમા તકેદારી રાખવી. વેપારમા કામકાજ કરતી વખતે કામમા ધ્યાન કેન્દ્રિત ઓછુ થવાથી ક્યાંક ઉતાવળિયા નિર્ણય લેવાયાની લાગણીનો અનુભવ થયા કરે, ક્યાંક લોન લેવામાંકે ચૂકવામા દ્વિધા રહી શકે છે, કોઈને વણમાંગી સલાહસુચન ના આપવી ઇચ્છનીય છે.


માનસિકચિંતા હળવી કરવા તમે મનોરંજન અને ઈતરપ્રવૃત્તિમા મન વધુ લગાવો તેવુ બની શકે છે,વળી ક્યાંક અંગતસંબંધ જેવાકે મિત્રતામા,સગાસ્નેહીમા તેમના વર્તનથી કંટાળો અનુભવો, જૂનીયાદથી ઘણા લાગણીશીલ બનો, સામાજિક, ધાર્મિકપ્રસંગમા જવામા કંટાળો અને આળસ થતી જોવા મળે. વેપારના કામકાજમા ઉત્સાહ થોડો ઓછો જોવા મળે તેવુ બની શકે છે. જુનામતભેદ ભૂલવાની તક મળી શકે છે. નવીનોકરી કે ફેરબદલી કરવામાટે ધીરજ રાખવી, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈવસ્તુ શીખવી હોય તો આ સમયમા પ્રયત્ન કરવો સારો છે. કાયદાકીયબાબતના પ્રશ્નોમા સલાહસુચન બાદ આગળ વધવું.


નોકરીકે વેપારમા ફેરબદલીના સારાસમાચાર મળે, ઘરમાકે કુટુંબમા સુખદ માહોલ જોવા મળે, ઉતાવળીયે કામકાજમા ગેરસમજ થઈ શકે છે. કોઈ જગ્યાએ આકસ્મિકખર્ચ થાય તેવુ પણ બની શકે છે. પ્રેમસંબંધમા થોડાક ઉતર –ચઢાવ થઈ શકે છે માટે ધ્યાન રાખવુ જરૂરી કહી શકાય, લગ્નબાબતની વાતચીત ચાલતી હોય તેમા પણ તમારી વાત આગળ ચાલવાની બાબત બની શકે છે, ધાર્મિકભાવના સારી જાગે અને ક્યાય્ક ધાર્મિકસ્થળની મુલાકાત પણ થાય તેવું બની શકે છે, ગેસ,અપચાની તકલીફથી તકેદારી રાખવી ઇચ્છનીય કહી શકાય, પસંદગીની કોઈ વસ્તુ ખરીદવાની તક પણ મળી શકે છે.


સકારાત્મક સમય જોવા મળે, કાર્યક્ષેત્રમા બદલાવ આવે તેવુ બની શકે છે, ક્યાંક નવીનઓળખાણ થઇ શકે છે તેમાં લાભની વાત આપ-લે થઇ શકે છે. કુટુંબમા કે આસપાસના કોઈ જાહેરકાર્યક્રમમા જવાના યોગ છે તેમા તમે થાકની લાગણી વધુ અનુભવો, વેપારના કામકાજમા તમને ઉત્સાહ ઓછો અને કાર્યમા આળસ કરવાની વૃતિ જાગે, યુવાવર્ગને તેમના મિત્રવર્તુળમાથી સારી જાણકારીકે વાત સાંભળવા મળે પરંતુ તેમા તેમનો સહયોગ ઓછો પ્રાપ્ત થઇ શકે છે, નજીકના સગાસ્નેહીના સ્વસ્થની ચિંતા થાય તેવા યોગ પણ ઉભા થઇ શકે છે પરંતુ તેમા મોટી કોઈ બાબત ના થવાથી થોડી રાહત અનુભવી શકો છો.


ક્યાંકથી માનસન્માન મળી શકે છે. વેપારના કામકાજમા ઉત્શાહ અને ઉમંગ વર્તાય અને તેની અસર પણ કામકાજમા સારી દેખાઈ આવે, આરોગ્યબાબતની કોઈ તકલીફ હોયતો તેમા પણ રાહત જોવા મળી શકે છે, ભાગીદારીમા કે દામ્પત્યજીવનમા તમારી લાગણી અને ભાવનાની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે જોવા મળે, પ્રભુભક્તિમા ધ્યાન અને મન વધુ રહે, ધીરજ અને આત્મવિશ્વાસ રાખશો તો કામ સરળતાવાળું બની રહેશે, મુસાફરી થોડી કંટાળાજનક બની શકે છે તેમા માનસિકથાકની લાગણી પણ જોવા મળે, લગ્નબાબતની વાર્તાલાપકે મિલનમુલાકાતમા તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર સારી પડે તેવું પણ બની શકે છે.


વિદ્યાર્થીવર્ગ અને યુવાવર્ગને સારો ઉત્સાહ જોવા મળે, સામાજિકકે ધાર્મિકકાર્યમા કઈ પ્રવૃત્તિ કરવાનુ મન થાય, વેપારના કામકાજમા કોઈ સમાચાર તમારા વિચાર અને  ઉમંગમા વધારો કરી શકે છે, નોકરિયાતવર્ગને પોતાના ઉપરી સાથે માનસિકતનાવથી બચવુ, ઘણી જૂનીઓળખાણ તાજી થાય અને તેમા તમારુ મન ખુશીથી લાગણીશીલ બની જાય. વિદ્યાર્થીવર્ગકે યુવાવર્ગ જે કોઈ નોકરીકે વ્યવસાયમા નવીનતા ઇચ્છતું હોય તેમના માટે કોઈ સારીતક દેખાય પરંતુ તેમા હાલ કોઈ ઉતાવળ ના કરવી અને યોગ્યવ્યક્તિની સલાહ લેવી, ઘરની જવાબદારીમા ધ્યાન વધુ આપવું પડે તેવા સંજોગો ઉભા થઈ શકે છે.


આર્થિકબાબતની ચિંતા અને નવા આયોજનબાબતમા અન્યનો સાથસહકાર મળી  શકે છે તેમજ મિલકત અંગેના કોઈ પ્રશ્નમા કોઈ રુકાવટ હોયતો તે દુર થઈ શકે છે, યુવાવર્ગ માટે પણ આસપ્તાહ દરમિયાન સારા સંજોગ ઉભા થવાના યોગ છે,  જૂનીવાતકે કામના ઉકેલમા અન્યનો સહયોગ ઓછો જોવા મળે શકે છે. વેપારના કામકાજમા ગણતરી અને આયોજનપૂર્વકના કામકાજ કરવા યોગ્ય છે.,મુસાફરીકે પ્રવાસના યોગ પણ બની રહ્યા છે તેમા તમે ઓછો ઉત્સાહ અનુભવી શકો છે, માર્કેટિંગક્ષેત્રમા તમારે ધીરજ વધુ રાખવી પડે અને ક્યાંક સમયનો વધુ દુરવ્યય થયાની વ્યથા પણ જોવા મળી શકે છે.


કામકાજમા અચાનક સારા સમાચાર સાંભળવા મળી  જાય અને તમે થોડા અચરજ પામો, તમારાથી કોઈની લાગણી ના દુભાયકે કોઈની ઉશ્કેરાટના ભોગ ના બનાય તેનુ ધ્યાન રાખવું જરૂરી છે. ઘરમા કે નજીકના સગા-સ્નેહીમા કોઈ અણબનાવકે મનદુઃખ થયુ હોયતો તેવા સંબંધને સુધારવાની કોશિશ કરતા તેમા પણ સફળતા દેખાઈ શકે છે. વેપારના કામકાજમા તમને યોગ્યપ્રતિસાદ મળી શકે છે. તમારો મોભો-પ્રતિષ્ઠા તમે કરેલા કોઇ કામમા સારી ઉપસી આવે, નવીનકાર્ય કરવામા તમને અન્યનો સાથસહકારકે માર્ગદર્શન સારુ મળી શકે છે, વ્યવસાયિક કામકાજ માટેની યાત્રા લાભદાયી શકે છે.


પરિવારમા કોઈની ચિંતાના કારણે થોડી બેચેની અનુભવાય, મહત્વના કામ કરવા માટેના પ્રયત્નમા સફળતા મળે, રાજકીય કે સરકારીકામકાજમા ધાર્યું થવાથી ઉત્સાહમા વધારો થાય, મન થોડું મોજશોખ પાછળ દોરવાય અને ક્યાંક તેની પાછળ ખર્ચા પણ થાય, પ્રિયજન તમારી ભાવના સારી રીતે સમજી શકે જેના કારણે તમારી ખુશી બેવડાય, કોઈકાર્યમા ધીરજ અને અનુભવ તમને સૌથી વધુ મદદગર બની શકે છે, નવીઓળખાણ લાભદાયી બની શકે છે, કોઇપણ પ્રકારની મુસાફરી થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારવર્ગ માટે સમય અનુકુળ છે, માર્કેટિંગક્ષત્રમા આયોજન કરી કામકાજ કરતા સારાપરિણામ મેળવી શકાય.


સ્થાન પરિવર્તનના યોગ બની રહ્યા છે, આર્થિકબાબત પર ધ્યાન વધુ આપવુ ઇચ્છનીય છે ક્યાંક નાણાકીય આયોજન અંગે અવઢવ થઈ શકે છે વેપારના કામકાજમા લાભની કોઈવાત થઈ શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ વિષય શીખવામા વધુ મહેનત કરવાથી સારાફળની પ્રાપ્તિ થઇ શકે છે, કોઈ અગત્યની વાતચીતકે મિલનમુલાકાતમા કોઈનો સહયોગ લેવો વધુ ફાયદાકારક બની શકે છે. વિદેશજવા ઈચ્છા રાખનારવર્ગ આસપ્તાહ દરમિયાન કોઈપણ પ્રકારની કાર્યવાહી કરે તોતેમા પણ યોગ્યપ્રતિસાદ મળી શકે, ધીરજથી કામકરવામા સફળતા મેળવવી સરળ બનશે, યાત્રાકે જાત્રા માટેનુ આયોજન થઈ શકે છે.


કામકાજમા ચતુરાઈનો ઉપયોગ કરવો પડે, કોઈનો સહયોગ થોડો ઓછો જોવા મળે પણ ધીરજ અને પોતાના આત્મવિશ્વાસથી કામમા રચ્યાપચ્યા રહેવું વધુ યોગ્ય છે જે તમને સારીસફળતા અપાવી શકે છે, ઘરમા વડીલવર્ગ કે ઓફીસમા ઉપરીઅધિકારી સાથે વાર્તાલાપ દરમિયાન વિચાર મતભેદ થાય પણ તેમા પણ પરિસ્થિતિ સુધરી જાય, આવક વધારવા વધુ પ્રયત્ન કરવો પડે અને તેમા સફળતા પણ મળી શકે છે, મનપસંદ વ્યક્તિ તરફથી સારું વલણ જોવા મળે અને તેમા તમને સારી લાગણીનો અનુભવ થાય, પ્રભુભક્તિ તરફ મન વધુ પરોવાઈ શકે છે. પ્રિયજન સાથે સુમેળભર્યો સમય પસાર થાય તેવા યોગ છે.


સપ્તાહ દરમિયાન. મિત્રો, સગા સ્નેહી સાથે મિલનમુલાકાતમા તમને સારી વાત રજુ કરવાની તક મળે શકે છે, વેપારના કામકાજમા પણ તમને ઉત્સાહ જોવા મળી શકે છે. વાર્તાલાપ દરમિયાન શબ્દપ્રયોગ પર ધ્યાન આપવું જેથી ગેરસમજ ટાળી શકાય, મુસાફરીકે પ્રવાસનુ આયોજન થઈ શકે છે. પેટ,અપચાની તકલીફથી સાચવવુ, વડીલવર્ગને જુનાસંભારણા વધુ તાજા થાય, કામકાજમા મહેનત વધુ થયા પછી સફળતા મળે તેવુ બની શકે છે, કામનો ભાર રહે પરંતુ તેમાં અન્યનો સહયોગ પણ જોવા મળે, કામકાજ માટેની મુસાફરી થોડી કંટાળાજનક બને અને નવીનકામકાજમા રૂચી થોડી ઓછી જોવા મળી શકે છે.

પંચાંગ 10/03/2025

VIDEO : ચેમ્પિયન બનતાની સાથે જ રોહિત અને વિરાટે રમ્યા દાંડિયા

જ્યારે સાથે જોયેલું સ્વપ્ન પૂરું થાય છે ત્યારે ખુશી અલગ જ હોય ​​છે. ટીમ ઈન્ડિયાના બે દિગ્ગજોએ પણ સાથે મળીને આવા ઘણા સપના જોયા હતા, જેમાંથી મોટાભાગના ચકનાચૂર થઈ ગયા હતા, પરંતુ હવે ધીમે ધીમે તે સપના પૂરા થઈ રહ્યા છે. 2024 ના T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાને જીત અપાવ્યા બાદ કેપ્ટન રોહિત શર્મા અને ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ હવે ફરીથી ટીમ ઈન્ડિયા અને તેમના નામ ચેમ્પિયન્સ ટ્રોફી પર લખાવી દીધા છે. દુબઈમાં રમાયેલી ફાઇનલમાં ભારતે ન્યુઝીલેન્ડને 4 વિકેટે હરાવ્યું અને ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતી. જીતનો આનંદ જેટલો મહાન હતો, રોહિત અને વિરાટનો જશ્ન પણ એટલો જ મહાન હતો કારણ કે ભારતીય ટીમના બે સૌથી મોટા ખેલાડીઓએ પણ બાળકોની જેમ સ્ટમ્પ ઉપાડીને દાંડિયા રમવાનું શરૂ કર્યું હતું.

રોહિત અને કોહલીએ સ્ટમ્પ સાથે દાંડિયા રમવાનું શરૂ કર્યું

દુબઈમાં રમાયેલી ફાઇનલમાં રવિન્દ્ર જાડેજાના બેટમાંથી વિજયી ચાર બોલ આવતાની સાથે જ આખું સ્ટેડિયમ ખુશીથી ગુંજી ઉઠ્યું. ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં પણ જીતની ખુશીના અવાજો સંભળાયા. બધા ખેલાડીઓ એકબીજાને ગળે લગાવવા લાગ્યા, હાથ મિલાવવા લાગ્યા અને તરત જ વિજયની ઉજવણી કરવા મેદાનમાં ઉતરી આવ્યા. આ સમય દરમિયાન, ખાસ કરીને રોહિત અને વિરાટે પોતાની ખાસ શૈલીથી ચાહકોના દિલ જીતી લીધા, જેના કારણે આ ખિતાબ જીત વધુ ખાસ બની ગઈ.

IND vs NZ: ભારત ચેમ્પિયન્સ ટ્રોફીનું ચેમ્પિયન બન્યું

ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ખિતાબ જીત્યો છે. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ, ભારતીય ટીમે 9 મહિનાની અંદર બીજી ટ્રોફી જીતી છે. T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યા બાદ, રોહિતની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયાએ 12 વર્ષ પછી ફરીથી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી. રવિવાર 9 માર્ચે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી ફાઇનલમાં, ટીમ ઇન્ડિયાએ કેપ્ટન રોહિત શર્માની શાનદાર બોલિંગ અને મજબૂત ઇનિંગ્સની મદદથી ન્યુઝીલેન્ડને 4 વિકેટથી હરાવ્યું. આ સાથે, ટીમ ઈન્ડિયાએ 25 વર્ષ પહેલા આ જ ટુર્નામેન્ટની ફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામેની હારનો બદલો પણ લઈ લીધો. આ સાથે, તેણે આ ટ્રોફી સૌથી વધુ વખત જીતવાનો રેકોર્ડ પણ બનાવ્યો.

લગભગ 9 મહિના પહેલા, રોહિત શર્માની કેપ્ટનશીપમાં, ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો અને વર્ષોથી ચાલી રહેલા દુષ્કાળનો અંત લાવ્યો હતો. તે જીતે માત્ર રાહનો અંત જ નહીં પરંતુ ટીમ ઈન્ડિયાની ભૂખ પણ વધારી દીધી. તેની અસર ચેમ્પિયન્સ ટ્રોફીમાં જોવા મળી, જ્યાં ફરી એકવાર રોહિતની ટીમે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન સારું પ્રદર્શન કર્યું અને એક પણ મેચ હાર્યા વિના ટાઇટલ જીત્યું.

સ્પિનરોએ બેટ્સમેન પર નજર રાખી

ફરી એકવાર ભારતીય કેપ્ટન રોહિત શર્મા દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ટોસ હારી ગયો પરંતુ પરિણામ એ જ રહ્યું જે છેલ્લી 4 મેચમાં ટોસ હાર્યા પછી થયું હતું. ફરી એકવાર ભારતીય સ્પિનરોએ રન રેટ પર નિયંત્રણ રાખ્યું અને ટીમને સફળતા અપાવી. વરુણ ચક્રવર્તી (2/45) એ પ્રથમ સફળતા અપાવી જ્યારે વાસ્તવિક સોદો કુલદીપ યાદવ (2/40) એ કર્યો. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન સાતત્યના અભાવ માટે ટીકા પામેલા કુલદીપે પહેલા જ બોલ પર રચિન રવિન્દ્ર (37) ને આઉટ કર્યો. પછી બીજી જ ઓવરમાં તેણે કેન વિલિયમસનની વિકેટ પણ મેળવી.

ત્યારબાદ ડેરિલ મિશેલ (63) એ ન્યુઝીલેન્ડની ઇનિંગ્સને સ્થિર કરી, જ્યારે ગ્લેન ફિલિપ્સ (34) એ પણ તેમને ટેકો આપ્યો. પરંતુ જો ટીમ ઈન્ડિયાએ આ બે બેટ્સમેનોના કેચ છોડ્યા ન હોત તો ન્યૂઝીલેન્ડની ટીમ થોડી વહેલી પડી ગઈ હોત. આ ફાઇનલમાં ભારતે કુલ 4 કેચ છોડ્યા. છતાં, ભારતના સ્પિનરોએ તેમની ચુસ્ત બોલિંગથી ન્યુઝીલેન્ડને પરિસ્થિતિનો વધુ ફાયદો ઉઠાવવા દીધો નહીં. અંતે, માઈકલ બ્રેસવેલે માત્ર 40 બોલમાં 53 રન (નોટઆઉટ) બનાવ્યા અને ટીમને 251 રનના મેચ લાયક સ્કોર સુધી પહોંચાડી.

રોહિતે ફાઇનલમાં પોતાનો જલવો બતાવ્યો

ટીમ ઈન્ડિયાને આ ફાઇનલમાં તેમના કેપ્ટન રોહિત પાસેથી મોટી ઇનિંગની અપેક્ષા હતી અને તેની જરૂર હતી. આખી ટુર્નામેન્ટમાં રોહિતના બેટથી કોઈ મોટી ઇનિંગ નહોતી નીકળી અને તે અંતિમ મેચોમાં અડધી સદી પણ ફટકારી શક્યો નહીં. તે જ સમયે, તેમની નિવૃત્તિ અંગે અટકળો ચાલુ રહી હતી. ત્યારબાદ રોહિત (૭૬) એ તકનો મહત્તમ ઉપયોગ કર્યો અને પોતાની આક્રમક શૈલીથી ન્યુઝીલેન્ડને પાછળ છોડી દીધું. રોહિતે ઝડપી અડધી સદી ફટકારી અને પછી શુભમન ગિલ (31) સાથે સદીની ભાગીદારી કરી.

ભારતને અહીં બે ઝડપી ઝટકાનો સામનો કરવો પડ્યો કારણ કે શુભમન ગિલ પછી, વિરાટ કોહલી (1) પણ પેવેલિયન પાછો ફર્યો. ટૂંક સમયમાં કેપ્ટન રોહિતે પણ પોતાની વિકેટ ગુમાવી દીધી. ત્યારથી, શ્રેયસ ઐય્યર (48) અને અક્ષર પટેલે 61 રન ઉમેરીને ટીમને પાછળ ધકેલી દીધી. શ્રેયસ અડધી સદી ચૂકી ગયો અને અક્ષર પટેલ (29) પણ તરત જ પેવેલિયન પાછો ફર્યો. પરંતુ કેએલ રાહુલ (અણનમ 34) અને હાર્દિક પંડ્યાએ ટીમને જીતની ખૂબ નજીક પહોંચાડી દીધી. હાર્દિક વિજય પહેલા જ આઉટ થઈ ગયો હતો પરંતુ રાહુલે, રવિન્દ્ર જાડેજા સાથે મળીને, ટીમ માટે ખિતાબ જીત્યા પછી જ રાહતનો શ્વાસ લીધો.

Video : ગ્લેન ફિલિપ્સે સુપરમેન બની હવામાં ઉડી ઝડપ્યો શાનદાર કેચ

જો ચેમ્પિયન્સ ટ્રોફી 2025 તેના ચેમ્પિયન સિવાય કોઈ એક વસ્તુ માટે સૌથી વધુ યાદ કરવામાં આવશે, તો તે છે ન્યુઝીલેન્ડની ફિલ્ડિંગ. ખાસ કરીને ન્યુઝીલેન્ડના ઓલરાઉન્ડર ગ્લેન ફિલિપ્સનું નામ આ ટુર્નામેન્ટ પછી ભૂલી જવાની શક્યતા ઓછી છે. આ ટુર્નામેન્ટ પહેલા ઘણા આશ્ચર્યજનક કેચ લેનારા ફિલિપ્સે અહીં પણ કેટલાક સનસનાટીભર્યા કેચ લીધા અને ફાઇનલમાં પણ બીજો એક અદ્ભુત કેચ લઈને આ જ ટ્રેન્ડ ચાલુ રાખ્યો. આ વખતે શુભમન ગિલ ફિલિપ્સનો શિકાર બન્યો, જેને ફિલિપ્સે એક હાથે કેચ કરીને પેવેલિયન પાછો મોકલી દીધો.

દુબઈમાં રમાયેલી આ ફાઇનલમાં ન્યુઝીલેન્ડ દ્વારા આપવામાં આવેલા 252 રનના લક્ષ્યાંકના જવાબમાં ટીમ ઇન્ડિયાની શરૂઆત શાનદાર રહી હતી. ટીમ ઈન્ડિયા માટે કેપ્ટન રોહિત શર્માએ વિસ્ફોટક શરૂઆત કરી અને ઝડપથી પોતાની અડધી સદી ફટકારી. બીજી તરફ, તેને શુભમન ગિલનો સારો ટેકો મળી રહ્યો હતો. બંને વચ્ચે ૧૮ ઓવરમાં ૧૦૦ રનની ભાગીદારી થઈ. ટીમ ઈન્ડિયા સરળતાથી જીત તરફ આગળ વધી રહી હોય તેવું લાગી રહ્યું હતું અને ન્યુઝીલેન્ડ પહેલી વિકેટની રાહ જોઈ રહ્યું હતું. આ તે જગ્યા છે જ્યાં ફિલિપ્સે તેની આશ્ચર્યજનક ફિલ્ડિંગથી કાર્ય પૂર્ણ કર્યું.

આ કેચ માત્ર 0.78 સેકન્ડમાં ઝડપ્યો

પછી 19મી ઓવર આવી, જેમાં કિવી કેપ્ટન મિશેલ સેન્ટનર બોલિંગ કરી રહ્યા હતા. પોતાની ઓવરના ચોથા બોલ પર, ગિલે જગ્યા બનાવી અને વધારાના કવર પર શોટ રમવાનો પ્રયાસ કર્યો. શોટ તેના બેટમાંથી ઝડપથી નીકળી ગયો પણ ફિલિપ્સ ત્યાં જ હતા. આ કિવી ફિલ્ડરે હવામાં ઊંચે કૂદકો માર્યો અને ફક્ત એક હાથે એક સનસનાટીભર્યો કેચ પકડ્યો. આ કેચ જોઈને આખા સ્ટેડિયમમાં શાંતિ છવાઈ ગઈ. આખી કિવી ટીમ ફિલિપ્સ તરફ દોડી ગઈ અને તેને ગળે લગાવી. ફિલિપ્સને આ કેચ પકડવા માટે માત્ર 0.78 સેકન્ડનો સમય મળ્યો.

અમદાવાદ : ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં નવા 11 હજારથી વધુ વકીલોએ લીધા શપથ

કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા આયોજિત નવા નોંધાયેલા વકીલોનો શપથગ્રહણ સમારોહ યોજાયો હતો. આ તકે અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, આજનો આ કાર્યક્રમ ઐતિહાસિક છે. આજે ૧૧ હજાર યુવા વકીલો સંવિધાનની રક્ષા અને નાગરિકોને ન્યાય અપાવવાની પ્રક્રિયા સાથે વ્યવસાયિક રૂપે જોડાવવાના છે અને બીજી રીતે આટલી વિશાળ સંખ્યામાં વકીલોને એક છત નીચે એકત્રિત કરવા એ પણ એક ઇતિહાસ જ છે.

યુવા તેઓએ ધારાશાસ્ત્રીઓને હૃદય પૂર્વક અનંત શુભકામનાઓ પાઠવતા કહ્યું હતું કે આજથી આપ સૌ જે વ્યવસાય સાથે જોડાઈ રહ્યા છો એ માત્ર વ્યવસાય નહીં બલ્કે પવિત્ર ફરજ છે. સંવિધાન અને લોકતંત્રને મજબૂત કરવાની અને દેશની ૧૪૦ કરોડ જનતાના શરીર, સંપત્તિ અને સન્માનની રક્ષાના સંવિધાન દત્ત અધિકારોને નિર્વહન કરવાની ફરજ એક ધારાશાસ્ત્રી તરીકે આપ સૌએ નિભાવવાની છે. આપણા સંવિધાને ૭૫ વર્ષ પૂર્ણ કર્યા છે અને એવા સમયે સંવિધાનના રક્ષણની પ્રક્રિયા સાથે જોડાવા જઈ રહ્યા છો. ભારતની સંસદે આ જ વર્ષે અપરાધિક ત્રણેય કાયદાઓમાં આમૂલચૂર પરિવર્તન કરી નવા કાયદાઓ અપનાવ્યા છે.

ભારત વિશ્વની અર્થતંત્રના લિસ્ટમાં ૫ માં નંબરે પહોંચી ગયું છે. ધારાશાસ્ત્રીઓનું યોગદાન દેશના નિર્માણમાં, દેશની આઝાદીમાં અને દેશના સંવિધાન નિર્માણમાં ખૂબ મહત્વ પૂર્ણ રહ્યું છે. આઝાદી આંદોલનના સમયનો અભ્યાસ કરીએ તો લાલા લજપતરાય, બાલગંગાધર તિલક, મહાત્મા ગાંધી, ભુલાભાઈ દેસાઈ, સરદાર વલ્લભભાઈ પટેલ, રાજેન્દ્રબાબુ હોય કે ડૉ આંબેડકર હોય આ બધાજ આઝાદીના આંદોલનના લડવૈયાઓ પોતે વ્યવસાયે ધારાશાસ્ત્રી હતા. દૂરદર્શી, પારદર્શી અને સર્વ સમાવેશી સંવિધાન આપણા પૂર્વજોએ બનાવ્યું છે.

અમિત શાહે વધુમાં બાર કાઉન્સિલ અધ્યક્ષ જે.જે પટેલને અભિનંદન પાઠવતા જણાવ્યું કે, આટલું વિશાળ એક સાથે, એક સ્પીરિટ સાથે વિશાળ સંખ્યામાં ધારાશાસ્ત્રીઓનું મોબી લાઈઝેશન દેશભરમાં ક્યારેય નહીં થયું હોય જે આજે થયું છે. છેલ્લા એક દશકમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ દેશમાં સામાજિક ન્યાય, આર્થિક ન્યાય, અને રાજનીતિક ન્યાય એમ ત્રણેય ક્ષેત્રોમાં અનેક પ્રકારની ઉપલબ્ધિઓથી જોડીને ન્યાય અપાવવાનું કામ કર્યું છે.

સામાજિક ન્યાયમાં ત્રિપલ તલાક સમાપ્ત કરી મુસ્લિમ મહિલાઓને સમાનતાનો અધિકાર આપ્યો. નવી શિક્ષા નીતિમાં સ્કિલબેઝ એજ્યુકેશન અને માતૃભાષામાં શિક્ષણથી યુવાનો અને કિશોરોને એજ્યુકેશનનો અધિકાર અપાવ્યો. આર્થિક ન્યાયના ક્ષેત્રમાં જેમ ટ્રિનિટી ૩૯ હજાર કાયદાઓના કોમ્પલાયસીસ સમાપ્ત કર્યા, બેંકોનું મર્જર, NPA ની સમસ્યાઓનું સમાધાન અને ભારતના અર્થતંત્રને વિશ્વના પાંચમાં નંબરનું અર્થતંત્ર બનાવવાનું કામ નરેન્દ્ર મોદીજીએ કર્યું છે. વર્ષોથી લોકો જેની રાહ જોતા હતા તે આર્ટિકલ ૩૭૦ સમાપ્ત કરવાનું કામ આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ કર્યું છે.

ઓસ્ટ્રેલિયામાં ચક્રવાત આલ્ફ્રેડે હાહાકાર મચાવ્યો

ઓસ્ટ્રેલિયાના પૂર્વ કિનારા પર ચક્રવાત આલ્ફ્રેડે ભારે વિનાશ વેર્યો છે. લાખો લોકો વીજળી ગુલ થવાનો સામનો કરી રહ્યા છે, જ્યારે ન્યૂ સાઉથ વેલ્સમાં પૂરની ચેતવણી જાહેર કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કિનારા પર પૂરના વરસાદે માઝા મૂકી હતી. એક વ્યક્તિના મૃત્યુની પુષ્ટિ થઈ હતી અને ઘણા લોકો ઘાયલ થયા હતા. હવામાન વિભાગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ચક્રવાતના અવશેષો શનિવારે મોડી રાત્રે બ્રિસ્બેનથી 55 કિલોમીટર ઉત્તરમાં દરિયાકાંઠેથી પસાર થયા હતા અને પશ્ચિમ દિશામાં આગળ વધતા રહેશે, જેના કારણે ભારે વરસાદ પડશે.

ક્વીન્સલેન્ડના ઉષ્ણકટિબંધીય ઉત્તરમાં ચક્રવાત સામાન્ય છે, પરંતુ ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યની સરહદે આવેલા રાજ્યના સમશીતોષ્ણ અને ગીચ વસ્તીવાળા દક્ષિણ-પૂર્વ ખૂણામાં ભાગ્યે જ જોવા મળે છે. ન્યૂ સાઉથ વેલ્સના ડોરિગો શહેર નજીક પૂરગ્રસ્ત નદીમાં ગુમ થયેલા 61 વર્ષીય વ્યક્તિનો મૃતદેહ શનિવારે મળી આવ્યા બાદ તેને આ કટોકટીનો પ્રથમ ભોગ બનનાર તરીકે પુષ્ટિ મળી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.

ન્યૂ સાઉથ વેલ્સના ટ્રેગિગલ શહેરમાં શનિવારે કટોકટી પ્રતિભાવમાં સામેલ બે લશ્કરી ટ્રક પલટી ગયા હતા, જેમાં 13 સંરક્ષણ કર્મચારીઓ ઘાયલ થયા હતા, એમ વડા પ્રધાન એન્થોની અલ્બેનીઝે રવિવારે જણાવ્યું હતું. એક ટ્રક રસ્તો છોડીને ખેતરમાં ઘણી વખત પલટી ગઈ, જ્યારે બીજી ટ્રક ટક્કર ટાળવા માટે પલટી ગઈ. તેમણે કહ્યું કે ટ્રકોમાં મુસાફરી કરી રહેલા બ્રિસ્બેન સ્થિત 32 લશ્કરી કર્મચારીઓમાંથી છ ગંભીર રીતે ઘાયલ થયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને બધા સ્વસ્થ થવાની અપેક્ષા છે.

શુક્રવારે ક્વીન્સલેન્ડ સરહદી શહેર ગોલ્ડ કોસ્ટમાં એક એપાર્ટમેન્ટ બિલ્ડિંગની છત તૂટી પડતાં એક મહિલાને સામાન્ય ઇજાઓ થઈ હતી, એમ પોલીસે જણાવ્યું હતું. આ મહિલા એ 21 લોકોમાંની એક હતી જેમને બિલ્ડિંગમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે ગુરુવારે રાત્રે ભારે પવન અને વરસાદ દરમિયાન ગોલ્ડ કોસ્ટના બેડરૂમની છત પર ઝાડ પડવાથી એક દંપતીને સામાન્ય ઇજાઓ થઈ હતી.