અભિનેતા મનોજ કુમારનું ગઈકાલે શુક્રવાર 04 એપ્રિલના રોજ 87 વર્ષની વયે અવસાન થયું. આજે શનિવારે અભિનેતાના અંતિમ સંસ્કાર રાજ્ય સન્માન સાથે કરવામાં આવ્યા. પીઢ અભિનેતા, નિર્માતા-દિગ્દર્શક મનોજ કુમારના નિધનના સમાચાર મળ્યા પછી ઘણા સ્ટાર્સ તેમના અંતિમ દર્શન કરવા પહોંચ્યા હતાં. ધર્મેન્દ્ર ‘ભારત કુમાર’ના ઘરે પણ ગયા હતા. ત્યાંથી પાછા ફરતી વખતે તે પાપારાઝીથી ઘેરાયેલા હતા. આ દરમિયાન ધર્મેન્દ્રએ પેપ્સને હાથ જોડીને વિનંતી કરી કે તેમને કાર સુધી જવા દેવામાં આવે.
જ્યારે ધર્મેન્દ્ર મનોજ કુમારના ઘરેથી પાછા ફરી રહ્યા હતા, ત્યારે પાપારાઝી અને ચાહકોની ભીડે તેમને ઘેરી લીધા હતાં. આ સમય દરમિયાન અભિનેતાને પોતાની કાર સુધી પહોંચવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. પણ તેણે ધીરજ ગુમાવી નહીં. પાપારાઝી પર ગુસ્સે થવાને બદલે તેમણે હાથ જોડીને નમ્રતાથી રસ્તો માંગ્યો. ધર્મેન્દ્રએ કહ્યું, ‘મને ગાડીમાં બેસવા દો, પ્લીઝ બેટા’. અભિનેતાનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
View this post on Instagram
ધર્મેન્દ્રની આ નમ્ર શૈલીએ યુઝર્સના દિલ જીતી લીધા. દરેક વ્યક્તિ અભિનેતાના વખાણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘ભાઈ, તમે તેને કેમ હેરાન કરો છો, ઓછામાં ઓછું તેની ઉંમરનો તો વિચાર કરો’. બીજા એક યુઝરે લખ્યું, ‘લોકો પોતાની મેળે કંઈ સમજી શકતા નથી’. એક યુઝરે લખ્યું, ‘લોકોને વૃદ્ધ કલાકારને હેરાન કરવામાં કોઈ શરમ નથી’. તાજેતરમાં અભિનેતા ધર્મેન્દ્રની આંખની સર્જરી થઈ છે. આમ છતાં, તે મનોજ કુમારને અંતિમ વિદાય આપવા તેમના ઘરે ગયો.
અભિનેતા મનોજ કુમારના અંતિમ સંસ્કાર આજે શનિવારે જુહુ સ્થિત પવનહંસ સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા હતા. અનેક ફિલ્મી હસ્તીઓ અહીં પહોંચી હતી. હવે રવિવાર 06 એપ્રિલના રોજ, ગોસ્વામી પરિવાર મનોજ કુમારની યાદમાં પ્રાર્થના સભાનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ અંગેની માહિતી પરિવાર દ્વારા આપવામાં આવી છે. પ્રાર્થના સભાનું આયોજન રવિવાર, 6 એપ્રિલ 2025ના રોજ કરવામાં આવશે. તે ડબલ્યુ મેરિયટ હોટેલ ખાતે સાંજે 4 થી 6 વાગ્યા સુધી યોજાશે.
