રણબીર સાથેના સંબંધો વિશે જ્યારે દીપિકાએ કરી વાત

ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ્યા પછી દીપિકા પાદુકોણ અને રણબીર કપૂરે થોડા સમય માટે એકબીજાને ડેટ કર્યા. ડેટિંગના થોડા દિવસો બાદ જ તેમના સંબંધોમાં કડવાશ આવી ગઈ. એવું કહેવાય છે કે દીપિકાએ રણબીરને છેતરપિંડી કરતા પકડ્યો હતો. દીપિકા પાદુકોણે એકવાર કોસ્મોપોલિટન સાથેના એક ઇન્ટરવ્યુમાં તેના સંબંધો વિશે વાત કરી હતી.

વાતચીતમાં દીપિકાએ કહ્યું,’જો ફક્ત મજાક જ કરવી હોય, તો પછી હું કોઈની સાથે સંબંધમાં કેમ રહું? એનાથી તો સારું એકલા રહીને મજા કરો. પણ બધા આવું વિચારતા નથી. કદાચ એટલે જ ભૂતકાળમાં મને દુઃખ થતું હતું. હું મુર્ખ હતી કે મેં તેને (રણબીર) બીજી તક આપી,જોકે તેણે માફી માંગી હતી. મારી આસપાસના લોકો કહી રહ્યા હતા કે તે હજુ પણ સ્થિર નથી. આ પછી મેં તેને રંગે હાથે પકડ્યો. મને તેમાંથી બહાર નીકળવામાં થોડો સમય લાગ્યો પણ મેં મારી જાતને સંભાળી લીધી. એવું કંઈ નહોતું જે મને પાછો મોકલે. તે જહાજ ડૂબી ગયું હતું.’

બ્રેકઅપ પછી દીપિકાએ પોતાની જાતને સુધારી
દીપિકાએ આગળ કહ્યું, ‘જ્યારે તેણે પહેલી વાર મારી સાથે દગો કર્યો ત્યારે મને લાગ્યું કે સંબંધમાં અથવા મારામાં કંઈક ખામી છે. પરંતુ જ્યારે કોઈ તેને આદત બનાવી લે ત્યારે તમને સમજાય કે ખામી તેમનામાં જ છે. મેં અમારા સંબંધ માટે ઘણું કર્યું, બદલામાં કંઈ માંગ્યું નહીં. પણ બેવફાઈને કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ. આ પછી મને સમજાયું કે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે વધુ પડતું લગાવ ન રાખવો જોઈએ. બ્રેકઅપ પછી મેં મારી જાતને સુધારી.

ચારેય ખુશ છે.
બ્રેકઅપના ઘણા વર્ષો પછી દીપિકા પાદુકોણે રણવીર સિંહ સાથે લગ્ન કર્યા. રણબીર કપૂરે આલિયા ભટ્ટ સાથે લગ્ન કર્યા. ચારેય પોતાના લગ્નજીવનથી ખુશ છે અને માતા-પિતા પણ બની ગયા છે.