મુર્શિદાબાદમાં વક્ફ કાયદા સામે હિંસક પ્રદર્શન

મુર્શિદાબાદઃ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં વક્ફ કાયદાને લઈને વિરોધ પ્રદર્શન થયું હતું. એ દરમિયાન પ્રદર્શનકારીઓ ખૂબ ઉગ્ર બન્યા હતા. આ પ્રદર્શન દરમિયાન પ્રદર્શનકારીઓએ પથ્થરમારો અને આગ પણ લગાડી હતી. ઉપદ્રવકારીઓએ પોલીસની ગાડીઓને પણ આગના હવાલે કરી દીધી હતી.

મુર્શિદાબાદમાં વક્ફ કાયદાના વિરોધમાં થયેલા પ્રદર્શન દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. રસ્તા જામ કરવાથી રોકવામાં આવતા પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. ત્યાર બાદ પ્રદર્શનકારીઓએ પોલીસનાં વાહનોમાં તોડફોડ કરી હતી અને તેને આગ લગાવી દીધી હતી.

પી મુર્શિદાબાદના જાંગિપુરમાં લોકોએ વક્ફ (સંશોધન) કાયદાના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શન હિંસક બન્યું. ત્યાર બાદ લોકોએ પોલીસ વાહનમાં તોડફોડ કરી અને તેને આગ લગાવી દીધી. આ ઘટના બાદ ભાજપે તૃણમૂલ કોંગ્રેસ પર હુમલો કર્યો છે.

ભાજપના નેતા અમિત માલવીયાએ X પર લખ્યું હતું કે પશ્ચિમ બંગાળ ફરીથી આગની લપેટમાં છે. સામ્પ્રદાયિક હિંસા ફાટી નીકળી છે. આ વખતે મુર્શિદાબાદમાં મુસ્લિમ જમાત વક્ફ અધિનિયમના વિરોધમાં રસ્તા પર ઊતરી છે. મમતા બેનર્જી બંગાળના વિશાળ વિસ્તારો પરનો કાબૂ ગુમાવી ચૂકી છે, જે અપ્રાકૃતિક લોકસાંખ્યિકી ફેરફાર અને ગેરકાયદે ઘૂસણખોરીને કારણે રાજ્ય વહીવટ માટે અગ્રાહ્ય બની ગયા છે. હવે તે માત્ર તેમના મત માટે માગણીઓ કરવા સિવાય બીજું કંઈ કરી શકતાં નથી. 2026માં તેમને જવું જ પડશે.