વરસાદથી થયેલા નુકસાનનો સર્વે કરવા કૃષિમંત્રીનો આદેશ

ગાંધીનગર: રાજ્યના અનેક જિલ્લામાં વરસેલા ફૂંકાયેલા ભારે પવન અને કમોસમી વરસાદના કારણે ખેતીને વ્યાપક નુકસાન થયું છે. આ મામલે કૃષિમંત્રી જીતુ વાઘાણીએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે ખેડૂતોને આશ્વાસન આપ્યું છે કે સરકાર નુકસાનીનો કલ્યાણકારી અંદાજ મેળવી રહી છે.કૃષિમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, સમગ્ર વિશ્વમાં થઈ રહેલા ક્લાઈમેટ ચેન્જની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. આ કુદરતી આફતના કારણે ખેડૂતોના તૈયાર પાકને નુકસાન થયું હોવાની વિગતો સરકાર સુધી પહોંચી છે.

ખેડૂતોની ચિંતાને ધ્યાને રાખીને કૃષિ વિભાગ દ્વારા તાત્કાલિક તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. મંત્રીએ સ્પષ્ટ કર્યું કે, “અમે તમામ અસરગ્રસ્ત વિસ્તારોનો પ્રાથમિક રિપોર્ટ મંગાવ્યો છે. કયા જિલ્લામાં કેટલું નુક્સાન થયું છે, તેનો ચોક્કસ આંકડો મેળવવા માટે સર્વે કરવાની સૂચના આપી દેવામાં આવી છે.”

તંત્ર દ્વારા નુકસાનીનો આખરી સર્વે રિપોર્ટ તૈયાર થયા બાદ રાજ્ય સરકાર ખેડૂતો માટે સહાયની જાહેરાત કરશે. કૃષિમંત્રીએ ઉમેર્યું હતું કે સરકાર ખેડૂતોની પડખે છે અને નિયમ મુજબ યોગ્ય વળતર આપવા માટે કટિબદ્ધ છે. સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ કેબિનેટમાં આ અંગે ચર્ચા કરી આખરી નિર્ણય લેવામાં આવશે.