PM મોદી અને CM યોગીને જાનથી મારી નાખવાની ધમકી, 26/11 જેવા આતંકી હુમલાનો કર્યો ઉલ્લેખ

મુંબઈના ટ્રાફિક કંટ્રોલ રૂમને ધમકીભર્યો મેસેજ મળ્યો છે. ધમકીમાં બે મોટા નેતાઓને મારી નાખવાની વાત કહેવામાં આવી છે. એટલું જ નહીં, આરોપીઓએ 26/11 જેવા આતંકવાદી હુમલા માટે તૈયાર રહેવાની ધમકી પણ આપી હતી.મુંબઈ પોલીસે મંગળવારે જણાવ્યું હતું કે ટ્રાફિક કંટ્રોલ રૂમમાં ધમકીભર્યો સંદેશ મળ્યો હતો. આરોપીઓએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ નિશાના પર છે. અધિકારીએ વધુમાં કહ્યું કે માત્ર બંને નેતાઓને જ નિશાન બનાવાયા નથી, પરંતુ આરોપીઓએ 26/11ના આતંકી હુમલા માટે તૈયાર રહેવાની ધમકી પણ આપી હતી. પોલીસે જણાવ્યું કે અજાણ્યા વિરુદ્ધ આઈપીસીની કલમ 509 (2) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તપાસ કરવામાં આવી રહી છે.

22 મેના રોજ ધમકીભર્યો મેસેજ પણ આવ્યો હતો

આ પહેલા આ વર્ષની 22 મેના રોજ પણ મુંબઈ પોલીસને એક ધમકીભર્યો મેસેજ મળ્યો હતો, જેમાં એક અજાણ્યા વ્યક્તિએ લખ્યું હતું કે તે જલ્દી જ મુંબઈમાં વિસ્ફોટ કરવા જઈ રહ્યો છે. આ ધમકીભર્યા મેસેજથી પોલીસ એલર્ટ થઈ ગઈ હતી અને વ્યક્તિની ઓળખ કરી કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી હતી.