અમદાવાદની રથયાત્રામાં સામેલ હાથી બેકાબૂ થયો

અમદાવાદઃ અમદાવાદમાં 148મી રથયાત્રા યોજવામાં આવી રહી છે. અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન સામેલ એક હાથી બેકાબૂ થયો હતો. આ રથયાત્રામાં કુલ 18 હાથી સામેલ હતા અને બેકાબૂ થનારો હાથી સૌથી આગળ ચાલી રહ્યો હતો. બેકાબૂ થયા પછી હાથી રથથી આગળ નીકળી ગયો હતો. જે પછી મહાવત અને અન્ય લોકો હાથીને કાબૂમાં લેવા માટે તેની પાછળ દોડ્યા હતા. એક તરફ લોકો પણ હાથીના રસ્તામાંથી હટીને પોતાનો બચાવ કરતા નજરે પડ્યા. સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. થોડા સમય બાદ વન વિભાગના કર્મચારીઓએ હાથીને કાબૂમાં લઈ લીધો હતો.

આ ઘટનાથી જોડાયેલા બે વિડિઓ પણ સામે આવ્યા છે. એક વિડિયોમાં હાથી રથયાત્રાથી અલગ થઇને દોડતો દેખાઈ રહ્યો છે. જ્યારે બીજા વિડિયોમાં હાથી બેકાબૂ થયા પછીનાં દ્રશ્યો છે. આ વિડિયોમાં અન્ય હાથી પણ થોડી અસ્વાભાવિક હરકતો કરતા જોવા મળ્યા હતા અને તેમના મહાવત તેમને શાંત પાડવાનો પ્રયાસ કરતા હતા. જોકે અન્ય હાથીઓએ કોઈ તોફાન કર્યું ન હતું, પરંતુ એક હાથી બેકાબૂ થયા પછી બીજા હાથીઓમાં પણ થોડી અસ્વાભાવિકતા જોવા મળી હતી.

રથયાત્રામાંથી ત્રણ હાથી દૂર કરાયા
અમદાબાદ રથયાત્રા દરમિયાન અવાજને કારણે બેકાબૂ થયેલા હાથીને મહાવત અને ઝૂ ઓથોરિટીના કર્મચારીઓએ હાથીને કાબૂમાં લીધો હતો. આ ઘટના પછી કુલ ત્રણ હાથીઓને રથયાત્રામાંથી દૂર કરવામાં આવ્યા હતા.

રથયાત્રાનું મહત્વ
અહમદાબાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા પુરી (ઓડિશા) બાદ દેશની બીજી સૌથી મોટી રથયાત્રા તરીકે માનવામાં આવે છે. 148મી રથયાત્રા 27 જૂન, 2025એ સવારે 7 વાગ્યે જમાલપુર સ્થિત 400 વર્ષ જૂના જગન્નાથ મંદિરથી શરૂ થઈ અને રાત્રે 8:30 વાગ્યા સુધીમાં મંદિર પરત ફરશે. આ યાત્રાનો માર્ગ કુલ 18 કિમી લાંબો છે, જે જમાલપુરથી શરૂ થઈને રાયપુર, કાલુપુર, શાહપુર, દરિયાપુર, મોસાળ સરસપુર, પ્રેમ દરવાજા, દિલ્હી ચોકલા અને માણેક ચોક જેવા વિસ્તારોમાંથી પસાર થાય છે.

સુરક્ષાની કડક વ્યવસ્થા
આ યાત્રામાં 18 સુશોભિત હાથી, 101 ઝાંખીઓ, 30 અખાડા, 18 ભજન મંડળીઓ અને ત્રણ બેંડ-બાજા સામેલ છે. સુરક્ષા માટે 23,884થી વધુ પોલીસ કર્મચારીઓ, 41 ડ્રોન, 130 વધારાના CCTV કેમેરા, AI આધારિત મોનિટરિંગ અને 25 વોચ ટાવર તહેનાત કરવામાં આવ્યા છે.