આજે શિક્ષક દિવસ છે. આ ખાસ તકે બોલિવૂડ નિર્માતા-દિગ્દર્શક સુભાષ ઘાઈએ તેમના ગુરુ અને મિત્ર ઓશોને યાદ કર્યા. તેમણે ઓશોની એક તસવીર શેર કરી અને એક ભાવનાત્મક નોંધ પણ લખી.

સુભાષ ઘાઈએ આજે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ઓશોની એક તસવીર શેર કરી અને લખ્યું કે ઓશો છેલ્લા 40 વર્ષથી તેમના વિચારોને પ્રેરણા આપી રહ્યા છે. સુભાષે આ ખાસ તસવીર સાથે કેપ્શનમાં લખ્યું, ‘મારા નજીકના મિત્ર અને મારા ગુરુ ઓશો, જે છેલ્લા 40 વર્ષથી દરરોજ જીવનના તમામ પ્રકારના દર્શન, લોકો, ઉર્જા અને સત્ય પાછળના સત્ય સાથે મારું મનોરંજન કરે છે.’ સુભાષે આગળ લખ્યું કે ઓશો કહે છે, ‘મારી વાત સાંભળો, પણ મારી પાછળ ન આવો. ફક્ત તમે જ સાક્ષી બનો.’ તેમણે વધુમાં ઉમેર્યુ કે,’શિક્ષક દિવસની શુભકામનાઓ. ઓશો સ્પષ્ટતા સાથે વિચારોના નવા પ્રવાહ સાથે ભારતનું નિર્માણ કરશે. મને લાગે છે કે આજે.’
View this post on Instagram
સુભાષ ઘાઈ એક જાણીતા બોલિવૂડ ફિલ્મ દિગ્દર્શક, નિર્માતા અને પટકથા લેખક છે. તેમણે 1980 અને 1990 ના દાયકાની કેટલીક સૌથી સફળ ફિલ્મોનું દિગ્દર્શન અને નિર્માણ કર્યું. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત અભિનેતા તરીકે કરી હતી પરંતુ બાદમાં દિગ્દર્શન તરફ વળ્યા અને ‘કાલીચરણ’ થી ડેબ્યૂ કર્યું.
તેમને બોલિવૂડમાં ‘શોમેન’ તરીકે ઓળખવામાં આવે છે. તેમની સફળ ફિલ્મોમાં ‘કર્જ’, ‘હીરો’, ‘કર્મા’, ‘રામ લખન’, ‘પરદેશ’ અને ‘તાલ’ જેવી ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તેમણે 1982 માં મુક્તા આર્ટ્સની સ્થાપના કરી અને વ્હિસલિંગ વુડ્સ ઇન્ટરનેશનલ નામની એક ફિલ્મ સંસ્થા પણ ખોલી છે.




