કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, ગોધરા કાંડના 14 સાક્ષીઓની સુરક્ષા હટાવી

નવી દિલ્હી: 27 ફેબ્રુઆરી 2002માં ગોધરામાં મોટી સાંપ્રદાયિક હિંસા થઈ હતી. જેમાં કુલ 1,044 લોકો માર્યા ગયા હતા. આ ગોધરા કાંડના સાક્ષીઓને CISFના 150 જવાનો દ્વારા સુરક્ષા આપવામાં આવતી હતી. જે ઘટનાના 23 વર્ષ બાદ હટાવી લેવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. કુલ 14 સાક્ષીઓની સુરક્ષા હટાવી લેવામાં આવી છે.

મહત્વનું છે કે ગૃહ મંત્રાલયે એસ.આઈ.ટી.ની ભલામણના આધારે 14 સાક્ષીઓની સુરક્ષા દૂર કરવાનો નિર્ણય લીધો હતો. ગોધરા કાંડને લઈને રચવામાં આવેલી સમિતિએ 10 નવેમ્બર 2023ના રોજ આ સાક્ષીઓની સુરક્ષા હટાવવાનો તેમનો અહેવાલ રિપોર્ટ ગૃહમંત્રાલયને આપ્યો હતો.

કયા સાક્ષીઓની સુરક્ષા હટાવાઈ

હબીબ રસુલ સૈય્યદ
અમીનાબેન હબીબ રસુલ સૈય્યદ
અકીલાબેન યાસીનમીન
સૈય્યદ યુસુફભાઈ
અબ્દુલભાઈ મરિયમ અપ્પા
યાકુબભાઈ નૂરન નિશાર
રજકભાઈ અખ્તર હુસૈન
નાઝીમભાઈ સત્તારભાઈ
મજીદભાઈ શેખ યાનુશ મહામદ
હાજી મયુદ્દીન
સમસુદ્દીન ફરીદાબાનુ
સમસુદ્દીન મુસ્તફા ઈસ્માઈલ
મદીનાબીબી મુસ્તફા
ભાઈલાલભાઈ ચંદુભાઈ રાઠવા