સલમાન ખાને ગણેશજીના કાનમાં કઈંક કહ્યું અને પછી આપી ખાસ સલાહ

મુંબઈ: ગણેશ ચતુર્થીનો તહેવાર આવી રહ્યો છે. આગામી 7મી સપ્ટેમ્બરે દેશભરમાં ભારે ઉત્સાહ સાથે ઉજવવામાં આવશે. આ દિવસે લોકો ખૂબ જ પ્રેમથી બાપ્પાની મૂર્તિને પોતાના ઘરે લાવે છે અને પછી તેને થોડા દિવસો સુધી ઘરમાં રાખે છે અને તેમની ભક્તિ પ્રમાણે તેનું વિસર્જન કરે છે.

બોલિવૂડમાં પણ આ તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. તાજેતરમાં જ મુંબઈમાં એક ઈવેન્ટ દરમિયાન સલમાન ખાન ગણપતિ બાપ્પા પાસે ઈચ્છા વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડિયોમાં અભિનેતા એક ગણેશ મૂર્તિને ઉપાડે છે અને પછી તેના કાનમાં હળવેથી તેની ખાસ ઈચ્છા સંભળાવે છે.

સલમાન ખાને ઇકો ફ્રેન્ડલી ગણેશ લાવવાની સલાહ આપી

આ ઈવેન્ટ દરમિયા સલમાન ખાન સાથે કો-એક્ટર સોનાલી બેન્દ્રે પણ જોવા મળ્યા હતા. અભિનેતાએ જણાવ્યું કે તે દર વર્ષે પોતાના ઘરે ગણેશ ચતુર્થી ઉજવવામાં આવે છે. અભિનેતાએ કહ્યું,’અમારા પરિવારમાં, જ્યારે અમે ગણેશ ચતુર્થીના દિવસે ગણેશજીને લાવીએ છીએ, ત્યારે તે પર્યાવરણને અનુકૂળ ગણેશજી મૂર્તિ હોય છે. આ તહેવાર આટલો પવિત્ર છે, તેમાં ગણેશજી શા માટે અશુદ્ધ? તેઓ પણ શુદ્ધ હોવા જોઈએ ને? આ સાથે તેમણે ચાહકોને ઇકો-ફ્રેન્ડલી ગણેશ ઘરે લાવવાની સલાહ પણ આપી હતી જેથી વિસર્જન દરમિયાન પર્યાવરણ પ્રદૂષિત ન થાય.

સલમાન ખાને ગણેશવિસર્જનને લઈને સંદેશ આપતા મૂર્તિનું અપમાન ન કરવા વિનંતી કરી. સાથે જ અભિનેતાએ કહ્યું,’ભગવાનને આ રીતે ફેંકો છો તે સારું નથી લાગતું’

તમને જણાવી દઈએ કે દર વર્ષની જેમ આ વર્ષે પણ બોલિવૂડના ઘણા કલાકારો બાપ્પાને ઘરે લાવશે અને આ તહેવારની ઉજવણી કરશે. જેમાં શ્રદ્ધા કપૂર, શિલ્પા શેટ્ટી કુન્દ્રા અને રિતેશ દેશમુખ વગેરે નામ સામેલ છે. સલમાન ખાનની વાત કરીએ તો તે પોતાના આગામી પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. અભિનેતા સિકંદર ફિલ્મ લઈને આવી રહ્યાં છે. આ ફિલ્મ આવતા વર્ષે ઈદ પર રિલીઝ થઈ રહી છે.