મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારો માટે મોટી રાહત રકમની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે મૃતકોના પરિવારોને 50 લાખ રૂપિયાની રાહત રકમ આપવામાં આવશે. આ ઉપરાંત, અસરગ્રસ્ત પરિવારોના બાળકોને સરકાર દ્વારા મફત શિક્ષણ અને ત્યારબાદ સરકારી નોકરી આપવામાં આવશે. ગુરુવારે કેબિનેટની બેઠક બાદ ફડણવીસે આ જાહેરાતો કરી.
पहलगाम हल्ल्यातील मृतांच्या वारसांना 50 लाखांचे अर्थसहाय्य; शासकीय नोकरीही देणार
मुख्यमंत्री देवेंद्र फडणवीस यांनी आज मंत्रिमंडळ बैठकीत पहलगाम येथे झालेल्या दहशतवादी हल्ल्यात मृत्यू झालेल्या महाराष्ट्रातील नागरिकांच्या कुटुंबीयांना प्रत्येकी ₹50 लाखांचे अर्थसहाय्य दिले जाणार… pic.twitter.com/p19S8iHFHO
— CMO Maharashtra (@CMOMaharashtra) April 29, 2025
તમને જણાવી દઈએ કે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં મહારાષ્ટ્રના ઓછામાં ઓછા 6 લોકો માર્યા ગયા હતા. ફડણવીસે કહ્યું કે આ પ્રકારની મદદ આપીને અમે કહેવા માંગીએ છીએ કે અમારી સરકાર પીડિતોની સાથે ઉભી છે. દરમિયાન, રાજ્યપાલ સી પી રાધાકૃષ્ણને મંગળવારે પહેલગામ આતંકવાદી હુમલા પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ કોંગ્રેસ સહિત વિપક્ષી નેતાઓની ટીકા કરી હતી અને કહ્યું હતું કે કેટલાક પક્ષો અને તેમના કાર્યકરો પરિસ્થિતિનો રાજકીય લાભ લેવાનો પ્રયાસ કરી રહ્યા છે.
20 એપ્રિલના આતંકવાદી હુમલા બાદ રાજ્યપાલે પાકિસ્તાનની ટીકા કરી હતી અને કહ્યું હતું કે પડોશી દેશ ભારતમાં અશાંતિ ફેલાવવા માંગે છે અને તેથી તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. રાધાકૃષ્ણને કહ્યું, ‘તે ખૂબ જ સ્પષ્ટ છે… તેઓ દેશમાં અશાંતિ ફેલાવવા માંગે છે.’ પાકિસ્તાન સતત આ કરી રહ્યું છે…
