કોઈને પણ છોડવામાં નહીં આવે, આતંકી હુમલા બાદ PM મોદીનું ટ્વિટ

જમ્મુ અને કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા અંગે, વડા પ્રધાન મોદીએ પહેલા ગૃહમંત્રી સાથે વાત કરી અને તેમને જમ્મુ અને કાશ્મીર જવા કહ્યું. અમિત શાહ પણ જમ્મુ અને કાશ્મીર જવા રવાના થઈ ગયા છે. આ દરમિયાન, વડાપ્રધાન મોદી સાઉદી અરેબિયાના પ્રવાસે છે અને તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખીને કહ્યું છે કે હુમલાખોરોને બક્ષવામાં આવશે નહીં.

 

પીએમ મોદીએ શું કહ્યું?

પીએમ મોદીએ X પર લખ્યું કે હું જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની સખત નિંદા કરું છું. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના. હું પ્રાર્થના કરું છું કે ઘાયલ લોકો જલદીથી સ્વસ્થ થાય. અસરગ્રસ્ત લોકોને શક્ય તેટલી મદદ પૂરી પાડવામાં આવી રહી છે. આ ઘૃણાસ્પદ કૃત્ય પાછળના લોકોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે… તેમને બક્ષવામાં આવશે નહીં!

પીએમ મોદીએ લખ્યું કે તેમનો નાપાક એજન્ડા ક્યારેય સફળ થશે નહીં. આતંકવાદ સામે લડવાનો આપણો સંકલ્પ અટલ છે અને તે વધુ મજબૂત બનશે.